________________
[૭.૩] ચિંતવે તેવો થાય
૧૧૩
દાદાશ્રી : નહીં, એ તો શુદ્ધ છે જ. (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્માને જ શુદ્ધ બનાવવાનો છે. એટલે જો શુદ્ધ કરશો તેને, તો તે રૂપ થઈ જશો, હતો તેનો તે અને બીજું ચિંતવન કરે તો બીજો થઈ જાય.
એટલે ચિંતવન (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્માનું જ, એ પેલો આત્મા કશું કરતો જ નથી. પણ તે (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા, જો આમનો જઈશ તો શુદ્ધાત્મા થઈ જઈશ, આમનો જઈશ તો અવળું થશે એવું કહીએ છીએ આપણે. શુદ્ધાત્માની હજુ પ્રતીતિ, માટે કર્યા કરવી “શુદ્ધ'ની ચિંતવતા
પ્રશ્નકર્તા: ખાલી ચિંતવનથી (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા શું શુદ્ધાત્મા થઈ જાય ?
દાદાશ્રી : હા, તેથી તો હું તમને કહું છું કે શુદ્ધાત્મા તમે થઈ ગયા. એટલે પછી તમે “હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું' એ કર્યા કરશો, તે રૂપ થયા કરશો.
પ્રશ્નકર્તા : પણ જો થઈ ગયા છીએ તો પછી “શુદ્ધાત્મા છું' એ કરવાની જરૂર શું ?
દાદાશ્રી : હા, એ તમને શુદ્ધાત્માની હજુ પ્રતીતિ બેઠી છે. પ્રતીતિ બેઠી એટલે તમારે જાગૃતિ આ રહ્યા જ કરવાની, એ પોતે જેવું ચિંતવે એવો થયા કરવાનો. આ ચિંતવનને ચિંતવન કહે છે અને પેલા ચિંતવનને સાયકોલોજિકલ ઈફેક્ટ કહે છે, અજ્ઞાનીના ચિંતવનને. કારણ કે એ માનસિક અવસ્થા છે. આમાં માનસિક નથી, ચિંતવન છે આ તો.
આ તીર્થકરોની શોધખોળ છે. તું શુદ્ધાત્મા, તું શુદ્ધ જ છું, નહીં તો બીજું ચિંતવન કરે તો તેવો થઈ જાય. એટલે કહું છું કે તારી જાતને શુદ્ધ જ ચિંતવજે, કે હું તો શુદ્ધ જ છું, હું શુદ્ધ જ છું. ચંદુભાઈ કશો વાંધો નહીં, કહીએ. તમારે જેમ ડખો કરવો હોય તેમ કરો, અમે તો શુદ્ધ જ છીએ, કહીએ.