________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
ઈલાજ ૩ જે. પીપરી વૃક્ષ-એ નામનું ઝાડ થાય છે, જેને કાકીયાવાડમાં ગુલબસ્ત પણ કહે છે. એ ઝાડનાં પાંદડાં ખાવાનાં પાન જેવાં થાય છે. તે પાંદડાં લીલાંને છુંદી મા કરી તેમાં ગોળ મેળવી પાઠ અથવા ગામડાં ઉપર બાંધવાથી, કાચું હશે તે પાકીને ફુટી જશે. પણ પાકીને કુટયા પછી બાંધવું નહીં, અને રૂઝ લાવવા સારૂ નીચે મુજબ દવા કરવી – જ પીપર નેન ઝાડ પીપળાનાં ઝાડ જેવડું મોટું થાય છે, ને પાંદડાં જાંબુનાં ઝાડ જેવાં લાંબાં થાય છે, તે ઝાડ ઉપર ટાના આકારમાં વડવાઈથાય છે; તે ગોટાને પાણી શેર ૧૦ માં ઉકાળી તે પાણીએ પાડું અથવા ગમડું ધોવું, અને પેલો ગોટે અંદરથી કાઢી તેને વાટી બારીક કરી તેની લેડી પાટાં ઉપર મુકી કપડાથી બાંધવું તેથી રૂઝ આવી જશે. એ લેડી એક દિવસ રાખી ફરીથી બીજે દહાડે કરી મુકવી.
ઈલાજ ૪ થો. ગુજરાતીમાં જેને કુંવાડીઓ અને મરાઠીમાં જેને ટાંકલા કહે છે, તે છોડનાં પાંદડાંને પીસી લેપડી કરી, પાઠાં ઉપર બાંધવાથી અગન બળતી નરમ પડશે, અને ઠંડક વળશે. એ પ્રમાણે અવારનવાર ચાર પાંચ વખત તાજી લેપડી મુકવાથી તે પાકેલું હશે તે કુટી જશે અને તરતનું હશે તે બેસી જશે.
ઈલાજ ૫ મો. લીંબડાની છાલને વાટી દીન ૭ સુધી અવાર નવાર બાંધવાથી પાહું બેસી જશે.
For Private and Personal Use Only