________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨ ઈલાજ ૫ મે તાલા.
તાલા. સુંઠ ... ... ... 5 એરંડનું મુળ . ૫
એ બંને વસાણાંને ખરાં કરીને તેને પાણી શેર ૧ માં ઉકાળવાં ને જ્યારે પાણી શેર વો રહે એટલે ઉતારીને ગાળી કાઢી તેમાં સંચળને મુકે વાલ ૪ નાખીને ગલાસ એક ભરીને દહાડામાં ત્રણ વખત પાવું.
ઈલાજ ૬ ઠો. આમળા શેર મા લાવીને તેને કુટી કપડછંદ કરીને એક સીસીમાં ભરી મુકવા. તેમાંથી તોલે છે લઈને મધમાં મેળવીને થોડું પાણી નાખીને ઉતરતું જેવું કરીને દહાડામાં ૩ વખત પીવા આપવું. એમ થોડા દહાડા કરવાથી ફાયદો થશે.
ઈલાજ ૭ મો. હરડે તેિલા ૫ લઇ તેને કુટી કપડછંદ કરી ચુરણ કરવું, પછી સેજ ઘી તોલા ૩ તથા ગાળ તોલા ૩ લાઈ તેને ચુલા ઉપર મેલી ઉકાળવું, ને તે એને પીગળી જાય એટલે તેમાં પેલું હરડેનું ચુરણ નાખવું, અને ઘી ગોળ સાથે મેળવી દેવું. પછી અંગાર ઉપથી વાસાણ નીચે ઉતારીને ઠંડુ કરી તેની મોટા લોટા જેવડી ગોળી વાળવી અને દરરોજ સવારે ગળી ૧ ખાવા આપવી, અને બીજી ગાળી ૧ સાંજ ખાવી. એથી દરદીને આરામ થશે,
For Private and Personal Use Only