________________
અસમર્થ છે, તેથી હું અનાથ છું, તેથી અનિંદ્ય એવા સ્ત્રી જનને ઉચિત વિધિએ પિતાનું તથા તારૂં ભરણ પોષણ કરીશ એવું વિચારીને મેં આ કામ શરૂ કર્યું છે, તે બાળકે ઉત્પાતિક બુદ્ધિ વડે તે માતાએ કાંતેલા સૂત્ર વડેજ મેં આ બાંધેલા કયાં જશે? એવું કેમળ વચન બોલતે પાસે આવીને તે સુતરવડે પિતાને આંટા દીધા, બાપે આ બાળકના બેલથી વિચારી પ્રકટ કહ્યું કે આ બાળકે સૂતરના જેટલા આંટા વડે મને વીંટ છે, તેટલા વર્ષ હવે પછી મારે બાળકના રક્ષણ માટે ઘરમાં રહેવું, તેમ કહી તે તાંતણા ગણી જોયા, અને તે બાર હોવાથી પાછો બાર વરસ ઘરમાં રહ્યો, બાર વરસ પૂરાં થતાં મેહ છોડીને ઘરમાંથી નીકળે, रायगिहागम चौर रायभया कहण तेसि दिक्खा य गोसाल भिक्खु बंभी, ति दंडिया तावसेहि सह वादो॥१९८
પછી તે પૂર્વ ભવમાં ભણેલું સુત્ર અર્થ યાદ કરી તૈયાર થઈ રાજગ્રહ તરફ જતાં તેના રક્ષણ માટે રાખેલા ૫૦૦ રાજપુત્રે આદ્રક કુમાર જવા પછી ભયથી રાજા પાસે ન જતાં તેની વછવાડે વહાણમાં આવી આર્ય દેશમાં અટવીકે પહાડમાં રહી ચોરી લુંટથી પેટ ભરવા લાગેલા, તે મળ્યા પરસ્પર ઓળખાણ થઈ, ત્યારે આર્દકે પૂછયું કે આ ચારીને ધધ શા માટે કરે છે? ત્યારે તેમણે રાજભયથી વિગેરે બધી વાત કહી, આકે તેમને ચારિત્રને ઉપદેશ આપતાં