________________
27
મારા સંગ્રહમાં જે પ્રાકૃત ગાથાઓનો સંગ્રહ થએલો તેને જુદા જ પુસ્તકરૂપે બહાર પાડવાનો વિચાર ગોઠવેલો હોઈ, આ સંગ્રહમાં માત્ર સંસ્કૃત શ્લોકે જ આપવામાં આવ્યા છે.
આવા એક બહત સંગ્રહને માટે જેમ એકાદ સારી પ્રસ્તાવનાની જરૂર છે, તેમ આખા ગ્રંથમાં આવતા તમામ શ્લોકની અકારાદિ અનુક્રમણિકા તથા ઉપયોગમાં લીધેલા ગ્રંથોનું સૂચિપત્ર વગેરે કેટલીક ઉપયોગી બાબતે આપવાની પણ જરૂર છે, પરંતુ તે બધુ આખયે સંગ્રહ તૈયાર થયા પછી જ આપી શકાય, એટલે તે બધી બાબતો ચોથા ભાગમાં આપવાનું રાખી, આ પ્રત્યેક ભાગમાં તો તેમાં આવતા વિપયાની અનુક્રમણિકા, સાંકેતિક અક્ષરો અને ચિહ્નોની સમજુતી તથા શુદ્ધિપત્રક-એટલું જ માત્ર આપવું ઉચિત ધાયું છે.
માત્ર આ પુસ્તકની ઉત્પત્તિના સંબંધમાં જ જે કંઈ બે એક બાબતે કહેવાની હતી તે કહી છે. આ પ્રસંગે મારા તે બે મહાન ઉપકારીઓના ઉપકારને પ્રગટ કરવો નહીં ભૂલું કે જેઓની અસીમ કૃપા અને અમીદૃષ્ટિએ મારા જેવા અજ્ઞાની તેમજ જડબુદ્ધિવાળા જીવને ચૈતન્ય અપ્યું છે અને મારા જીવનની કાયાપલટ કરી મને શી બનાવ્યો છે. તેઓ છે-મારા દાદાગુરુ, જગપૂજય, શાસ્ત્ર વિશારદ, જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ અને મારા ગુરુવર્ય શાંતમૂર્તિ મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજ.મારા ગુરુએ આ ગ્રંથને સુંદર, પદ્ધતિસર અને શુદ્ધ બનાવી આપવા માટે શ્રમ સેવ્યું છે, એ બદલ પણ હું તેઓશ્રીને અત્યંત ઋણી છું.
વિષયો અને પેટાવિષયોની ચૂંટણી કરવામાં તેમજ પ્રો વગેરે તપાસવામાં સાયલાનિવાસી ન્યાયતીર્થ તર્લભૂષણ પંડિત રતિલાલ દીપચંદ દેસાઇએ અને શુદ્ધિપત્રક બનાવી આપવામાં ન્યાય-સાહિત્યતીર્થ મુનિરાજ શ્રી હિમાંશુવિજયજીએ આપેલા યોગ બદલ તેઓને ધન્યવાદ આપવો ભૂલીશ નહીં.
ઉપર્યુક્ત અને ગુદેવોની અસીમ કૃપા, મારે બાકીનો ભાગ જલદી બહાર પાડવાનું સામર્થ્ય અપે, એ અંતરની અભિલાષા પૂર્વક વિરમું છું. શેઠ કપૂરચંદજીની ધમાલા ધર્મજયતોપાસક બલદુઠ (સિટી સ્ટ), કારતક સુદ ૧૫. }
( મુનિ વિશાળવિજય. વી. સં. ૨૪૬૩, ધર્મ સં. ૧૫. )