Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૧૫૭.
ત્રીજા કાલ પુત્રનો સંબંધ
ધર્મ નામના નગરમાં ધીર શેનો કામાંધ એવો હરપુત્ર બળાત્કાર અથવા દ્રવ્યથી કઈ પણ સ્ત્રીને સેવે છે. ધન અને યૌવનના ગર્વવડે ગુરુ અને દેવની નિંદા કરનારો – ધર્મનો ઘાત કરનારો, માતા-પિતાની આજ્ઞાને જરાપણ માનતો નથી. ગુરુ દેવ અને પિતૃઓની નિરંતર નિદા કરતો ક્રૂરચિત્તવાલો હર મરીને પાપથી ચંડાલ થયો. ત્યાંથી મરીને નરકમાં ગયો. ત્યાંથી વનમાં વાઘ થયો. અને ત્યાંથી ઘણાં દુઃખના સમૂહનું પાત્ર નારકી થયો. હયું છે કે દેવનીનિદામાં તત્પર હોય તેને બોધિબીજ થતું નથી. (તેને) મોક્ષ નથી. સ્વર્ગ નથી. કુલ નથી – શુધ્ધદ્રવ્યની પ્રાપ્તિ નથી. જિનેશ્વરની નિદા વડે મૂંગાપણું – બોબડાપણું – સૂતારોગ – કોઢઆદિ શેષથી ઉત્પન્ન થયેલા મુખના સડસઠ રોગો થાય છે.
અપયશ – અકાલમરણ – દુ:ખ – મુખનું દુર્ગધિપણું – કરોળિયા વગેરે દેશો ગુસ્ની નિદાવડે થાય છે. ધર્મજનોની નિંદા કરનારા પ્રાણી નરક અને તિર્યંચભવમાં વારંવાર ઉત્પન્ન થાય છે, મનુષ્યભવ પામતો નથી. તે ત્રણેની નિંદા કરનારો ભયંકર પાપી છે. તેના સંસર્ગમાત્રથી બીજા પણ મલિન થાય છે. આ પુત્ર અમારા કુલના બ્લેક માટે થશે એમ વિચારીને તે શેઠે તેને ચોરની જેમ ઘરમાંથી દૂર કાઢયો. તે પુત્ર કરોળિયા અને મુખનાપાક રાગ) વડે વેદનાથી પીડાયેલો મરીને અનુક્રમે તારો આ ત્રીજો કાલ નામે પુત્ર થયો છે.
ત્રીજા કાલ પુત્રનો સંબંધ સંપૂર્ણ.
હજી હા
હક
&
&
&
&
YYYYYYY
હિત)
ચોથા - મહાકાલ નામના પુત્રનો સંબંધ
XXXXXXXXXXXXXXX
કુલ્યપુરીમાં મુક્ત નામનાબ્રાહ્મણને હરિનામે પુત્ર હતો. યાચનામાં તત્પર એવો તે ભિક્ષાવડે આજીવિકા કરનારો દુઃખનું પાત્ર હતો. દુ:ખે કરીને ભરી શકાય એવા પેટની પૂર્તિમાટે એક દેશમાંથી બીજા દેશમાં ભમતો સર્વજ્ઞની પૂજા કરનાર કોઈ શ્રાવક્તા ઘરમાં ચાકર તરીકે આશ્રય પામ્યો. એક વખત તે દિવસના અંતે સર્વજ્ઞના આભૂષણો લઈને (દેરાસરના દાગીના ચોરીને) વેચીને તે અધમ બ્રાહ્મણ તે ધનને છાતીપર ધારણ કરવા લાગ્યો. તે બ્રાહ્મણ સાધુનાં ઉપકરણો લઈને