Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૫૬ 1
૯૩૮ હિજરી.
કર્યાં. સુલતાન મહેમુદ જે માંડગઢના કિલ્લાની ચાકી કરતા હતા તે નાસીને પેાતાના મેહેલમાં આવ્યે અને સાહમ માસની તારીખ ૧૨ મીએ સન ૯૩૮ માં મેહેમુખિલજીએ પેાતાના કુવરેસહીત આવી સુલતાનનુ` ઉપરીપણું કચ્યુલ કર્યું અને સુલતાનબહાદુર મેહેમુદ ખિલજીને તેના કુવરા સાથે અલખાન, ઇમ્માલખાન તથા સેક્ખાનને હવાલે કર્યાં કે એમને ગુજરાત લઇ જાઓ.
આ મજકુર સરદારને દાહ્યાદની પાસે જે ગુજરાતની સરહદઉપર છે તે પાલના રાજા તથા કાલીએ સાથે કે જે સુલતાન મેહેમુદ ખિલજીને મુક્ત કરાવવા ભેગા મળ્યા હતા ત્યાં લડવાની જરૂર પડી અને ઝપાઝપીમાં મેહેમુદ ખિલજી મરાયા. માંડુગઢને આખો દેશ સુલતાન બહાદુરના તાબામાં આવ્યા. ત્યાં કિલ્લેદાર તથા ફેજદાર નિમી દીધા અને તે વર્ષની વર્ષારૂતુ વગચિંતાએ માંડુગઢના કિલ્લાઉપર ઘણા એશઆરામથી પસાર કરી. સન ૯૩૯ ના સફર માસની તારીખ ૯ મીએ બુરહાનપુર તથા આસીરની ભેટ લેવાને નિકળ્યા ત્યારે અહંમદનગરના નિઝામશાહને બાદશાહી છત્ર આપી નિઝામશાહની માનવતી પદ્મવી આપી. અને (ત્યારપછી જે, તે તખ઼ઉપર બેસતા તે નિઝામશાહના નામથી ઓળખાતે ) મુહમ્મદખાન આસીરવાળાને મુહમ્મદશાહની પદવી ક્ષિશ કરી. ત્યારપછી તેણે ઉજૈનના રાજા સલહદી ઉપર ચડાઇ કરી તેમાં છેવટે સલહુદી કે પકડાયા અને સુલતાને ઉજૈન આવી ઉજૈન તાખાના દેશને દરખાખાન માંડાલીને હવાલે કર્યાં.
૯૩૯ હિજરી.
બુરહાનપુર તથા -
સીર. અડુમનના નિઝામશાહને બાદશ!હુ
બનાવ્યા.
ઉજેનથી કુચ કરી સારાપુર આવી તે જગ્યાને ભલુ ખાનના તાબામાં સુકી ત્યાંથી ભીલસા કબજે કરી રાયસીન પાસેની નદીઉપરના કિલ્લા નજીક ઉતારા કર્યા. રાયસીન આ વખતે સલહદીના ભાઇ લખમીસીનના તાબામાં હતુ. તે કિલ્લા લેવા માટે સુલતાને પેાતાના સરદારાને મેારચા સાંપ્યા. રૂમીખાન કે જે ગેાળીબહારના કામમાં ધણેાજ ચાલાક હતા તેણે તાપના એક બહારથી પલકવારમાં એક બુરજને પાયમાલ કરી નાખી,