Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૨૭૬ ]
સરકારી આલમગીરી સિક્કાના પૈસા ચઉદ માસાના ઠરાવવામાં આવ્યા છે તેથી મજુરા પહેલાંના પૈસાના બદલામાં હાલના સિક્કાના પૈસા લેતા નથી અને કહેછે કે દસ પંદરના (જુના દશ, અને નવા પંદર) પ્રમાણના એમાં ફેરાર છે. જ્યારે આ અરજ બાદશાહના સાંભળવામાં આવી ત્યારે સુખાના દીવાનને હુકમ કર્યાં કે દશ પંદર રાજીંદા ઠરાવથી પગાર કરતા રહેવું. તે દિવસથી ગુજરાતમાં ટકા ત્રણ પૈસાના ગણાય છે. ( ટકા )
મજકુર સનના શબ્વાલ માસની તારીખ આઝમી ને ગુરૂવારના દીવસે મહાબતખાન સુબાની બદલી થઇ અને તે હજુરમાં જવા માટે રવાના થયેા.
તેત્રીશમા સુબા બહાદુરખાન ઉર્ફે ખાનજહાં કાકા
સને ૧૦૭૮ થી ૧૦૯૧ હિજરી.
સને ૧૦૭૮ હિજરીના માહે રબીઉસ્સાનીની તારીખ પમી ના દીવસે મહાબતખાન બદલાયાથી બહાદુરખાન ઉર્ફે ખાનજહાં બહાદુર કે જે ઈલાહુમ્માદને સુખ હતા તે ગુજરાતની સુબેદારી ઉપર નિમાયા, અને તેની ઉપર સરકારી ફરમાન આવ્યું કે અલહવરદીખાનના પહોંચ્યા પછી તમારે ગુજરાત જવું. તેથી શવ્વાલમાસની તારીખ ૧૧ મી રવીવારના દીવસે મજકુર સાલમાં તે અહમદાબાદ પહોંચી ગયા અને સુખાને સઘળે બંદોબસ્ત હાથ લીધા. સને ૧૦૭૯ માં હાજી શીખાનની જગ્યાએ મુહુમદહાશમને સુખાના દીવાનની જગ્યા ઉપર નિમ્યા તેથી તે અત્રે આવી પહોંચ્યા. આ વર્ષે રૈયતથી જમાબંધી શરેપ્રમાણે કરવાના હેતુથી ક્રભાન પ્રગટ થયું. તેની નકલ હેઠળ પ્રમાણે લખવામાં આવેછે.
જકાત (મહેસુલ) લેવા વિષે માદશાહી ફરમાન.
r
બાદશાહી મહેરબાનીના ઉમેદવાર રહી મુહમદ હાશયે જાણવું કે બાદશાહની કૃપાભરી નજર રૈયત ઉપર ચાલુ રહેછે અને હિંમ્મત બ દોબસ્ત અથે પેગમ્બર સાહેબનાં કુરમાન ઉપર આધાર રાખેછે, કે જે ફરમાન એ છે કે ન્યાયથી પૃથ્વિ તથા આકાશ ટકી રહ્યાં છે. ” તે તરફ બાદશાહનુ વલણ દારાએલ છે. આવા શુભ સમયમાં ન્યાયપૂર્વક પૂરમાન પ્રગટ કરવામાં આવેછે કે હિન્દુસ્તાન પૈકીના સર્વે અર્વાચિન તથા ભવિષ્યના અધિકારીઓએ જાણવું કે એક કાંઠેથી બીજા કાંઠા સુધી મહેસુલ વિગેરેની વસુલાત કરવામાં શહેરમાં દર્શાવેલા હનષી ધારણ પ્રમાણે રાવવામાં આવ્યું