Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૪૨૬ ]
સુરતબ દરના સુસદ્દી માહતરિમખાન અને કિલ્લેદાર અહમદ જમાખાન વચ્ચે ઝપાઝપી, તથા ખાલસાના દિવાન માતેમીદખાનના મૃત્યુકાળ
એજ વર્ષે સુરતખંદરમાં માહતરીમખાન ( મુસદ્દી ) અને અહમદ જમાખાન ( કિલ્લેદાર ) વચ્ચે ભારે ઝપાઝપી થઇ, અને તે એટલે સુધીતેા વધી ગઈ કે, છેવટે તાપ અને બંદુકા ફોડવાનું કામ ચાલુ કરી દીધું. સૈઈદે અકિલખાન પહેલાંથીજ ખાલસાના દિવાન મેતેમીદખાન ( મેહત* રમખાનના ભાઇ )ના મળતીઓ હતા, તેને મદદ કરવા અર્થે ખેલાવ્યા, જેથી તે રવાને થઇ તેની સાથે મળી ગયા અને લાંબા વખત સુધી તે ઝઘડા ચાલુ રહ્યો.
એજ અરસામાં હલ્લુરમાં માતેમીદખાનના માતના માઠા બનાવ બન્યા. તેની જાગીરી તથા વાનની કરમાશે। માતેમીદખાનના સ્વાધિનમાં હતી, અને તે સૈદ અકીલખાનના તાબામાં હતી તેથી માતશરેખાન નાયબ દ્વિવાને તેનેા માલ જસ કરવા માટે તેના ઘર ઉપર પેાતાના માણસાને મેકલી દીધા અને માલના ઓરડાઓને માહાર કરીને જપ્ત કર્યાં, હકદાર વારસાને કેદમાં બેસાડીને સખ્તાઇ કરવાનેા મનસુખા હતા, તેવામાં મારા પિતાજી, કે જે તે વખતે તે શહેરમાં હાજર હતા અને તે ખાનના કારામારના સઘળાં વહીવટ પેાતાના હસ્તક હતા તેમણે તેને મનાઈ કરી. અને ગુજરાતી સિપાઇઓ કે જેઓ તેાકરીના કારણથી તથા ફાજદારોના સબં ધથી તેમના તાબામાં હતા તેઓને આશરે એહજારની સખ્યામાં ભેગા કરીને કહ્યું કે, વ્યાજી હિસાબના કામમાં કોઇ ના પાડી શકતા નથી, અને જે ખીજો કઇ મનસુખ હોય તેા ધાર્યાપ્રમાણે બનવાનું નથી. આવી રીતે ત્રણ દીવસે। ગુજરી ગયા અને માંહેામાંહે લડાઇ થવાના અવસર ધણેાજ પાસે આવી ગયા હતા. અબ્દુલ હમીદખાન આ હકીકતથી વાકેફ્ થઈ ગયા અને પેાતાના ભત્રીજાને એ કામથી રેાકી લીધા, જેથી ઝઘડા શાંત થઇ ગયા અને દીવાની દતરની રજુઆતના વાસ્તે હિસાબ જેવા માટે મુસદીઓને હરાવી દીધા.
રાજખાન પની ( સુખા ) એ દક્ષિણમાંથી અત્રે આવી પહેાંચ્યા, અને નાયબ સુબા અમદુલ હમીદખાને તેને લેવા માટે સામે જઈ તેની મુલાકાત લીધી.