Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૧૭ ] સને ૧.૨૬ ના છેલ્લા ભાગમાં શ્રીમંત બાદશાહ રાજધાનીથી ગુજ રાત ભણું રવાને થયા અને સરકારી હુકમ પ્રમાણે શાહજાદે શાહજહાં જે માંડુગઢમાં હતું તે આવી મળે.
પહેલાં ખંભાત બંદરમાં સમુદ્ર કાંઠા ઉપર આવેલા સુલતાન એહભદના બાગમાં બાદશાહના રહેવાનું ઠેકાણું બાંધવામાં આવ્યું અને વહાણમાં બેસી ખારા દરીયાની સેવા કરી, બાર દિવસ સુધી ત્યાં થોભી અહમદાબાદમાં આવી કરીઆ તળાવ ઉપર ઉતારો કર્યો. બીજે દિવસે શાહઆલમના રોજાની જ્યારત કર્યા પછી શહેરમાં આવ્યા અને તેજ દિવસે સુબેગીરી ઉપર શાહજાદા શાહજહાંની નિમણુંક થઈ, એટલે તે શાહજાદે દેશના ત્રણ સરદારોના તાબામાં લશ્કરી ત્રણ ટુકડીઓ આ દેશના બખેડાખેર, માથાના ફરેલ તોફાનીઓને મુળમાંથી ઉખેડી નાખવાને વાતે સ્થાપી. આ ત્રણ સરદાર અનુભવી તથા વાકેગારો હતા. બાદશાહી લશ્કર બખે
ખોરને જોઈતી શિક્ષા અને ગરાસીઆ તથા મેવાસીઓની પાસેથી ઘટતી શિકથી લઈ પાછું ફર્યું, પરંતુ મનગમતી રીતે અહમદાબાદ શહેર પસંદ ન આવ્યું.
બીજે દિવસે શાહ વહુદદીન અલવીની દરગાહમાં જઈ જ્યારત કર્યા પછી કેટલાક દિવસ બાદ શેખ અહમદ ખટુની દરગાહ પર સરખેજમાં જ્યારત કરવા માટે આવ્યા, - હવે બાદશહના ગુજરાતમાં આવતાં જ ખાનખાનાની દીકરી ખેરૂનિસા બેગમે વિનંતિ કરી કે “ખાનખાનાએ ફતેહપુરમુઝફરમાં એક બાગ બનાવેલ છે,(મજકુર ખાનની સુબેગીરીના વખતમાં તે વિષે વર્ણન કરવામાં આવ્યું છે.) કે સરકારને તે બાગમાં મેમાન કરી ભાન આબરૂ મેળવવાની મારી ખુશી છે.” આ વિનંતિ સ્વિકારવામાં આવી, પરંતુ વસંતઋતુ હતી તેથી સઘળાં વૃક્ષનાં પાંદડાં ખરી પડ્યાં હતાં અને સઘળાં ઝાડ માથાથી મુળી સુધી ઉદાસ જેવાં જણાતાં હતાં.
કવિતા હરશજર બાગ ઝિસરતા બિનહુ, માંદહઝિબે બગીએ ખુદ બિરહના રેખાતે ગઈ દરખતાં ઝિસર, ગડ્ઝ ઝમાં પુર ઝિદિરમહા યઝર.
તે બેરીસા બેગમે બાગને શણગારવા, બગીચાને ભભકાદાર કરવા અને વૃક્ષોને સરખાં કરવાના કામને વાસ્તે જળ વ્યવસ્થાને પ્રથમ બંદે બસ્ત