Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૧૪૮ ] બેઉમાં ભારે લડાઈ થઈ અને હારેલા શત્રુઓ હાર ખાઈ રસ્તે પડ્યા. આ બનાવમાંથી એક એ પણ બનાવે છે કે શેરખાન પોલાદી પિતાની શણગાર રેલી ફોજથી લડાઈ કરવા આવ્યો. આ વખતે તેમાદખાન શહાબુદ્દીન એહમદખાનની સાથે પાટણમાં રહેતો હતો. તેણે પોતાના દીકરા શેરખાનને બીજા પ્રાણ આપનાર નોકરો સહિત તે લોકોને કાઢી મુકવાને નિપે. આ મોકલેલી ફોજે પાટણથી અઢાર ગાઉ ઉપર શત્રુને પપ્પી પાડી રણસંગ્રામ મચાવી દીધા. બેઉ તરફથી શયતા દેખાડવામાં આવી; તેમાં શેરખાન પિલાદીને જમાઈ હુસેન કપાઈ ગયો અને શત્રુઓ હાર પામ્યા. * * જે વખતે કુતબુદીન મુહમ્મદખાનથી લડવાને મુઝફફરે કુચ કરી અને સઇદ દલિત ચારહજાર સ્વારોની ફોજ લઈ ખંભાતથી નડીઆદની હદમાં આવી મળ્યો તે વખતે કુતબુદીન મુહમ્મદખાંએ આ સમાચાર સાંભળી મીરક, મુહમદ તથા મુહમદ અફજલને એકહજાર સ્વારોથી નિમી દીધા, તે : એવી રીતે કે જઈને ખાનપુર તથા બીકાનેરના ધાટને પકડી રહે, કે જેથી, કરી દુશ્મનનું લશ્કર નદી (મહી) પાર ઉતરી શકે નહીં. તે બન્નેએ આવી ઘાટોને રોકી દીધા, પરંતુ ગુપ્તરીતે મુઝફફરથી તેઓ પત્રવહેવાર રાખતા હતા. જે દિવસ મુઝફફર ખાનપુરના ધાટ ઉપર પહોંચ્યો તે દિવસે જરા, ઝપાઝપી કરી પાછો પોતે નાઠો. હવે કુતબુદીન મુહમ્મદખાએ પોતાની ખાસ, સન્યાના માણસોને વડોદરાના કોટ ઉપર ચઢાવી દીધા. બંડખોરોએ હિંમત રાખી ઘેરે નાખે. આ ઘેરા વખતે આશરે કોલી રજપુત મળી વિશહજારનું લશ્કર મુઝફફર (બંડખોર ) પાસે હતું. શત્રુની આવી ભારે સન્યા છતાં પણ કુતબુદીન મુહમ્મદખાં વીસ દિવસ સુધી ઘેરો ટકાવી શક્યો. પરંતુ તેને પિતાના માણસેનો વિશ્વાસ નોહતો તેથી પોતાની જાતે મનુષ્યશક્તિઉપરાંત પ્રયત્ન કરતો હતો; તે એટલે સુધી કે, બીજે દિવસે પિતાના જ માણસો પૈકીના મીરિક અને ચરકસખા રૂમીએ પોતાના મોરચાઓમાંથી મુઝફફરને સંદેશા મોકલ્યા કે, જ્યાં સુધી અમે અમારા મોરચાઓમાં , છીએ ત્યાં સુધી આ લોકો અમારી ઉપર નજર રાખી મોરચાઓની સંભાળ કરે છે, પરંતુ હવે તમે સુલેહના બહાને ઝનુદદીન કોહને ( કે જે શહબાઝખાન કંબોહને સગે હતો, જેને એતેમાદખાનની સાથે અને એમાદખાને કુતબુદીન મુહમ્મદખાનની પાસે મોકલ્યો હતો તેને ઘણી તાકીદે શહાબુદ્દીનખાન એહમદની હાર પછી કુતબુદ્દીનખાનને વહેલાસર લઈ