________________
“પૃથ્વીના સર્ષ માત્રને સંહાર કરવા માટે! સને વંશવેલો ઉખેડી નાખવા માટે !”
“પણ કારણ?”
જનમેજયના પિતા પરીક્ષિતને તક્ષક નામના એક સાપે ડંખ દઈને મારી નાખ્યો હતો એ કેમ ભૂલી ગયા?”
પણ એક તક્ષકના અપરાધ માટે સર્પની આખી જાતિને નાશ કરવા તૈયાર થવું એ કયાંને ન્યાય ?” એકાદ જ્ઞાનવૃદ્ધ મહર્ષિનું કરુણા-સભર હદય ફડફડી ઉઠે છે.
વૈરવૃત્તિ જ એવી છે, ભાઈ,” કઈ બીજે કહે છે: “એકવાર ઉત્પન્ન થઈ પછી વધતી જ જાય, વિસ્તરતી જ જાય !”
હં. પણ પછી થયું શું?” જ્ઞાનની વાતો શરૂ થશે તે મૂળ વાત એક બાજુએ રહી જશે એવા ડરથી કોઈ કથા-રસિય મુનિને પૂછે છે.
શું થાય બીજું ?” ઉગ્રશ્રવા જવાબ દે છે. “લા, કડો, અબજો સર્પો યજ્ઞના અગ્નિની જવાળાઓમાં પડીને ભસ્મીભૂત થઈ ગયા.”
“તક્ષક સુદ્ધાં?” કેઈએ પૂછયું.
“આ જ ભગવાનની લીલા છે ને, ભાઈ !' ઉગ્રશ્રવા ઉત્તર આપે છે: “જે એકને નિમિત્તે આવડો મહાસંહાર આદર્યો તે જ એક બચી ગયો.”
કેવી રીતે ?” “તક્ષક ઇન્દ્રને આશ્રિત હતો; એટલે ઈન્ડે એને બચાવી લીધો !”
“શું કહે છે ? આર્યોના યજ્ઞયાગ વડે પુષ્ટ થતો ઇન્દ્ર જાતે જ આર્યશિરોમણિ પરીક્ષિતના ખૂનીને આશરો આપે !”
દે બધા ય એવા ! મનુષ્યના હિતને જોવા કરતાં પોતાના સ્વાર્થને પહેલે જુએ ! એટલે તે વિચારવંત પુરુષોએ સ્વર્ગ–લોલુપ દેવોને છોડીને એક અને અદ્વિતીય પર-બ્રહ્મની ઉપાસના માર્ગ પ્રબળે.”
ઠીક છે. પણ તક્ષકનું શું થયું ? તક્ષક છટકી ગયો છે એની જનમેજયના યાજ્ઞિકને ખબર જ ન પડી કે શું ?”
ખબર કેમ ન પડે?” ઉગ્રશ્રવાએ હકીકતને તંતુ હાથમાં લેતાં કહ્યું; “તક્ષકે ઇન્દ્રાસનનું રક્ષણ મેળવ્યું છે એ ખબર પડતાં યાજ્ઞિકે ખૂબ ક્રોધે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com