Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ પૂર્ણાષ્ટક થાય, તેનાથી વીંછીની પીડાને નાશ કેમ ન થાય? જે પૂર્ણ હોય તે તૃષ્ણાથી દીન ન હોય એ ભાવાર્થ છે. ' - જે જ્ઞાનદષ્ટિ-તત્ત્વજ્ઞાનરૂપ દષ્ટિ જાગૃત–પ્રગટ થાય છે, તો પૂર્ણાનન્દ સ્વરૂપના પ્રગટ થવા વડે ચિદાનન્દ યુક્ત ભગવંતને દીનતારૂપ વીંછીની વેદના કેમ હોય? અર્થાત્ ન હોય. તેને દીનતા હોતી જ નથી, કારણ કે તેને પોતાના સ્વાભાવિક અકૃત્રિમ આનન્દની પૂર્ણતા હોય છે. વળી તે જ્ઞાનદષ્ટિ તૃષ્ણા–પૌગલિક ભેગની પિપાસારૂપ કૃષ્ણસને દમન કરવામાં જાંગુલી-ગારૂડી મન્ન સમાન છે. અહીં આ ભાવાર્થ છે-સંસાર ચકમાં રહેલા અને પિતાના અસંખ્ય પ્રદેશમાં વ્યાપ્ત થયેલા જ્ઞાનાદિ ગુણના આસ્વાદ રહિત તથા પૌગલિક ભેગની તૃષ્ણા રૂપ સાપે જેને ડંખ મારેલો છે એવા આત્માને સ્વ અને પરના વિવેકરૂપ જ્ઞાનદષ્ટિ સમાન જાંગુલી મન્ચના સ્મરણ વડે પર વસ્તુની તૃષ્ણારૂપ વિષ ઉતરી જાય છે અને શુદ્ધ સ્વરૂપની એકતારૂપ ધ્યાનમાં મગ્ન થયેલા અને ક્ષાયિક ભાવના આનન્દને પ્રાપ્ત કરનાર એવા તે પૂર્ણ જ્ઞાનીને દીનતા હોતી નથી. કારણ કે તત્ત્વની શ્રદ્ધા વડે યુક્ત, આત્માને આત્મસ્વરૂપે અને પરને પરસ્વરૂપે નિશ્ચિત કરી વિચરતો અવિરતિ સમ્યગ્દષ્ટિ તૃષ્ણાથી પીડિત થતું નથી. તે પછી પૂર્ણાનન્દમાં મગ્ન થયેલા આત્માઓને માટે તે શું કહેવું? અર્થાત તેમને તૃષ્ણાજન્ય દીનતા હેતી નથી. पूर्यन्ते येन कृपणास्तदुपेक्षैव पूर्णता। पूर्णानन्दसुधास्निग्धा दृष्टिरेषा मनीषिणाम् // 5 // 1 પૂર્વજો પૂરાય છે. જેન=જે ધનધાન્યાદિ પરિગ્રહવડે =