Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
SOCSC જ્ઞાનધારા 2000 શિક્ષણની પદ્ધતિ છે તે પદ્ધતિ મુજબ બાળક જ્ઞાન પ્રાપ્ત કરી શકતું નથી. પરંપરાથી પાઠશાળાઓ જે છે તે જ્ઞાનપ્રાપ્તિ માટે અપૂરતી જણાય છે.
વીતરાગ એવા પરમાત્માનું જ્ઞાન શું ફક્ત સૂત્રો ગોખાવવાથી આવી જાય? તેના પ્રત્યેનો અહોભાવ ફક્ત સ્તુતિ, સ્તવન ગાવાથી આવી જાય ? દુનિયાનું ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન જે આપણી પાસે છે એવા આપણા સમાજની દયનીય હાલત છે. એ જ્ઞાનનો વારસો, ખજાનો આપણે આપણી નવી પેઢીને આપવામાં ઊણા ઊતરી રહ્યા છીએ. માટે જ સમાજની હાલત દયનીય થઈ ગઈ છે. પરંપરાગત પાઠશાળાઓ જ બાળકને જ્ઞાનથી વંચિત રાખે છે, કારણકે આજનું બાળક ગોખવામાં નહીં, પણ સમજવામાં રસ ધરાવે છે. ક્રિયાઓમાં નહીં, પણ કાર્યમાં રસ ધરાવે છે. બીજું, બાળકોને પાઠશાળા આવવું પસંદ નથી, કારણકે જે લાસમાં કે રૂમમાં પાઠશાળા ચાલતી હોય ત્યાં લાઈટ, પંખા હોતાં નથી. આ વાતાવરણ બાળકને અનુકૂળ આવતું નથી, માટે જ જે જ્ઞાનપ્રાપ્તિનાં સ્થાનો હતાં તે સૂનાં થઈ ગયાં છે. તો પછી કરવું શું? - આજનો યુગ પરિવર્તનનો યુગ છે. સમાજમાં દરેક જગ્યાએ પરિવર્તન આવી રહ્યું છે. વિજ્ઞાનને કારણે માણસોમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું છે. માણસોની રહેવાની પદ્ધતિમાં ફેરફાર થયા છે. બાળકોની શાળાઓ જ્યાં ગુજરાતી માધ્યમની હતી તેને સ્થાને આંતરરાષ્ટ્રીય સ્કૂલ આવી ગઈ છે. જ્યાં રહેવાનાં સારાં ઘરો હતાં ત્યાં Multitancy Buildings આવી ગયાં છે. પહેરવાનાં કપડાં પણ બદલાઈ ગયાં છે. ખાવા-પીવાની બાબતોમાં પણ ફરક પડ્યો છે. સાદાં મૂલ્યો સાથે જીવનારો માણસ આજે આન, બાન અને શાનની પાછળ દોડતો થઈ ગયો છે. કમ્યુનિકેશનની રીતો બદલાઈ ગઈ છે. તાર-ટપાલનું સ્થાન E-maleએ લઈ લીધું છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં માણસ પહોંચી શકે એવી સુવિધાઓ પ્રાપ્ત થવા માંડી છે. આવા આવેલા પરિવર્તનને આપણે જેટલી સહજતાથી સ્વીકારી લીધું છે તેટલી જ સહજતાથી ધાર્મિક શિક્ષણમાં પણ પરિવર્તનને અપનાવવું પડશે. વિજ્ઞાન તથા તંત્રજ્ઞાનથી દૂર ન જતાં તેને જ તકમાં ફેરવવાનો સમય આવી ગયો છે. Technologyને જ air Instrument બનાવવાની જરૂર છે. નવી શિક્ષણ પદ્ધતિ અપનાવવાનું જરૂરી બની ગયું છે. આજના સાંપ્રત સમાજનાં વરવાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org