Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
OCC જ્ઞાનધારા 0200 વાંચણી શિબિર કરાવવી.
આપણા પૂર્વાચાર્યોનાં મહાન પરિશ્રમો, જીવનચરિત્રો યાદ કરી વ્યાખ્યાન શિબિરોમાં રજૂ કરવા જેથી યુવાનો ધર્મની ગરિમા સમજી શકે.
યુવાનો સત્સંગ કરવા આવે ત્યારે આ ન કરવું તે ન કરવું અવાં નેગેટિવ વિધાનોની જગ્યાએ એમને શું કરવું જોઈએ એ પોઝિટિવ વિધાનો કરવાં જેથી ધર્માભિમુખ થઈ શકે.
મોબાઈલ સત્સંગ કોઈ ને કોઈના ઘરે રાખવો. આજુબાજુના યુવાનોને બોલાવીને એમને પણ ધર્માભિમુખ કરી શકાય.
સત્સંગનો મહિમા અનેરો છે. પાણીનું એક બુંદ ગટરમાં પડે તો ગંધાઈ ઊઠે, ફૂલમાં પડે તો સુગંધી થાય, પાન પર પડે તો મોતીનું સ્વરૂપ ધારણ કરે અને સ્વાતિ નક્ષત્રમાં છીપમાં પડે તો મોતી બની જાય. સત્સંગ પહેલાં ઇન્દ્રભૂતિ આ પૃથ્વી પરના અહંકાર હતા, પણ પ્રભુ મહાવીરના સત્સંગથી આ પૃથ્વી પરના મહાન અલંકાર થઈ ગયા.
સુપ્ત સંસ્કારો નિમિત્ત મળે, જાગૃત થઈ જશે, પણ લુપ્ત સંસ્કારો નિમિત્તથી પણ જાગૃત નહિ થાય. સત્સંગને અભાવે સંસ્કારો સુપ્ત થઈ જાય છે, પણ જો કુસંગ મળે તો સંસ્કારો લુપ્ત થઈ જાય છે, માટે કુસંગથી બચવા સત્સંગ કરવો જોઈએ.'
આમ આ બધાં પાસાની વિચારણા કરી તે પ્રકારે વર્તન કરવાથી યુવાનો જરૂર ધર્માભિમુખ થશે. સાચા ધર્મને સમજીને જીવનનો ઉદ્ધાર પણ કરશે.
- ૧૦૩ ૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org