Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સ્થાપક દાતા
૭૭” SO100 ઠાનના પ્રવાહની વિવેકપૂર્ણ | શ્રી ખીમજીભાઈએ મુંબઈ)
યથાયોગ્ય દિશામાં મહાસંઘમાં પોતાનાં ખીમજીભાઈ મ. છાડવા - M.Sc. માતુશ્રીના નામે જૈન શિક્ષણ
બોર્ડમાં સારું એવું અનુદાન દાન શબ્દ કાને પડતાં જ એક એવો ભાવ
આપ્યું છે. તેઓ તાડદેવ ઊભો થાય જે દ્રવ્ય સાથે જ જોડાયેલો હોય. એટલે | કે ધન, વસ્ત્ર, અન્ન વગેરેવગેરે, પણ હકીકત એ |તથા ટ્રસ્ટી છે. જૈન સાહિત્ય છે કે રીતે રૂતિ વાન! તો દેવાય શું? ઘણુંબધું | અને શિક્ષણનાં કાર્યોમાં રુચિ જેમ કે ધનસંપત્તિ, અનપાત્ર વગેરે દ્રવ્યો ઉપરાંત | ધરાવે છે. . શ્રમ, શ્રુત, ક્ષમા, અભય, અનુકંપા વગેરેવગેરે. માનવીને દાનતત્ત્વની સમજ તો આદિશ્વર ભગવાનના ૪૦૦ દિવસના ઉપવાસ પછી પારણા તરીકે શ્રેયાંસકુમાર દ્વારા અર્પણ થયેલ ઈક્ષરસના ભવ્ય પ્રસંગથી થઈ. અજ્ઞાનવશ પ્રજાએ કંઈકેટલાય દ્રવ્યો ઘરવાની તૈયારીઓ કરી, પણ આ તો એક વખતના રાજા હવે સાધુ ભગવંત જૈનોના પ્રથમ તીર્થંકર શ્રમણ ભગવાન ઋષભદેવસ્વામી. બેતાળીસ દોષથી મુક્ત, નિર્દોષ, નિરવધ આહાર, શેરડીને રસને તેમણે ઉચિત દાન સમજી સ્વીકાર્યો અને આકાશમાં અહોદાન.... અહોદાન દિવ્ય ધ્વનિ ગૂંજી ઊઠ્યો. ત્યારથી જગતમાં દાનધર્મ શ્રેયાંસથી પ્રવર્યાં અને બાકીનો સર્વ વ્યવહાર અને નીતિનો ક્રમ ભગવાનથી પ્રવર્યો.
દાન માટે દરેક ધર્મનાં શાસ્ત્રોએ ખૂબખૂબ લખ્યું છે. દાનનું મહત્ત્વ, દાનના પ્રકાર, દાનનું મૂલ્ય, દાનનાં અંગો, વિવિધ પ્રકારે તેની ઉપયોગિતા વગેરેવગેરે
ભારતીય વૈદિક દર્શનમાં મીમાંસાદર્શન પુણ્યવાદી દર્શન છે. તેમાં બ્રાહ્મણોને દીધેલા દાનથી પુણ્ય ઉપાર્જન કરી શકાય તેવું બતાવવામાં આવ્યું છે. બૌદ્ધ ધર્મમાં બુદ્ધત્વ પ્રાપ્ત કરવા માટે જે દશ પારમિતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે તેમાં દાનનો સમાવેશ થઈ જાય છે. ભગવાન બુદ્ધ દીધનિકોયમાં દાન વિષે જણાવ્યું છે કે સત્કારપૂર્વક, ભાવનાપૂર્વક આપણા પોતાના હાથે દોષરહિત અને શ્રદ્ધાપૂર્વક દીધેલું દાન પવિત્ર દાન છે. ધમ્મપદમાં તેમણે એક બહુ જ સુંદર વાત કહી છે. ધર્મનું દાન ઉત્કૃષ્ટ દાન છે, કારણ ધર્મનો રસ જ તમામ રસોમાં શ્રેષ્ઠ રસ છે. ધર્મવિમુખ મનુષ્યોને ધર્મપથ પર લાવવા તે પણએક દાનનો પ્રકાર જ છે. જ્ઞાનદાન દેનાર સંતો, સપુરુષો અને ગુરુજનો પૂજનીય જ્ઞાનદાતા છે. શિક્ષકની સાથે માતા-પિતા પણ ઉપકારી
" ૨૫૬ "
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org