Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Catalog link: https://jainqq.org/explore/005605/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિધ સંઘમાં વીતરાગ મા ની વર્તમાન સમયની સમસ્યાઓ ભાવિ પરિણામો અને સમાધાનો Sી નદી | જૈન શ્રતહસ્તપ્રતો અને યિદાકલા as a For P anale Private ગુણવંત બરવાળિયા Page #2 -------------------------------------------------------------------------- ________________ સર્વમંગલ આશ્રમ : સાગોડીયા પ્રેરિત પ્રકાશન જ્ઞાનધારા-૧૧ - સંપાદનક" ના ગુણવંત બરવાળિયા સર્વમંગલ આશ્રમ - સાગોડિયા : પાટણ અને ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણ સંચાલિત ડિપાર્ટમેન્ટ ઑફ જૈનોલૉજી પ્રેરિત જૈન સાહિત્ય જ્ઞાનસત્ર – ૧૧ માટે પ્રાપ્ત નિબંધો-શોધપત્રોનું સંકલન - -: પ્રકાશક : અહંમ સ્પિરિટ્યુઅલ સેંટર સંચાલિત. સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગર જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેંટર : - ઘાટકોપર - મુંબઈ. E-mail : gunvant.barvalia@gmail.com : 022 - 42153545 vate Use Only ww.dainelibrary.org Page #3 -------------------------------------------------------------------------- ________________ Gyandhara - 11 · Edited by : Gunvant Barvalia April - 2014 SIAવારા સંપાદન ગુણવંત બરવાળિયા એપ્રિલ - ૨૦૧૪ - મૂલ્ય : રૂ. ૨૦૦/ પ્રકાશક: અહમ સ્પિરિચ્યલ સેંટર સંચાલિત sKPG જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેંટર ૨, મેવાડ, પાટણવાલા એસ્ટેટ, એલ.બી.એસ. રોડ, ઘાટકોપર (વે), મુંબઇ-૪૦૦ ૦૮૬. Ph.: 022 - 42153545 પ્રાપ્તિસ્થાનઃ સર્વમંગલ આશ્રમ, સાગોડીચા, જિ. પાટણ (ઉ. ગુ.) Ph.: 02716754 Designe & DTP : Shreeji Art - 9833422890 . - ૪ ઈ. '' સદણ વ્યવાદ અરિહંત પ્રિન્ટિંગ પ્રેસ, પંતનગર, ઘાટકોપર (ઈ). મો. ૯૨૩૪૩૦૪૧૫ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ O© ( જ્ઞાનધારા) iદકીય ( . અહમ સ્પિરિટ્યુઅલ સેંટર સંચાલિત સૌરાષ્ટ્રસરી પ્રાગુર જૈન ફ્લિોસોફિકલ એન્ડ લિટરરી રિસર્ચ સેંટર આયોજિત તા. ૫, ૬, ૭ એપ્રિલ, ૨૦૧૪, સાગોડિયા - પાટણ મુકામે યોજાનાર જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૧૧ માટેના પ્રાપ્ત શોધપત્રો અને નિબંધોને ગ્રંથસ્થ કરી જ્ઞાનધારા-૧૧ રૂપે પ્રકાશિત કરતાં આનંદની લાગણી અનુભવું છું. “ચતુર્વિધ સંઘમાં વીતરામ માર્ગમાં વર્તમાન સમયની સમસ્યાઓ, તેના ભાવિ પરિણામો અને તેનું સમાધાન: મારી દષ્ટિએ આ વિષયના વિચાર-વિમર્શ અંતર્ગત અલગ અલગ વિદ્વાનો અને શ્રેષ્ઠીઓએ જે નિબંધો પાઠવ્યા છે તે તેમના અંગત વિચારો છે. અહીં તેમણે માત્ર નિજી અભિપ્રાયો વ્યક્ત કર્યા છે. - જ્ઞાનસત્રના પ્રેરકો, સર્વમંગલ આશ્રમ સાગોડિયા અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી-પાટણના જૈનોલોજી ડિપાર્ટમેન્ટનો આભાર માનું છું. આ સમગ્ર આયોજનમાં સર્વમંગલ આશ્રમના ટ્રસ્ટીશ્રીઓ શ્રી જગદીશભાઈ વોરા, શ્રી અનિલભાઈ દોશી તથા સર્વ સંચાલકોના ઉમળકાભેર સહયોગ મળ્યો છે. આ કાર્યને પૂજ્ય ગુરુભગવંત ભાનવિજયજી મ.સા.ના આશીર્વાદ પ્રાપ્ત થયા છે તે અમારે માટે ગૌરવની ઘટના છે. : ૧, સ્મિત એપાર્ટમેન્ટ, 1 ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈ. ગુણવંત બરવાળિયા - ૫/૩/૨૦૧૪ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ SOCTO( જ્ઞાનધારા) 0. 00 પુરોવયન = @૭૭ વીતરાગ પ્રભુએ પ્રકટાવેલ મોક્ષમાર્ગ અનંતકાળથી અનંતા જીવને | ઉચ્ચ અને સિદ્ધગતિમાં જવામાં ઉત્તમ નિમિત્ત બની રહ્યો છે. તીર્થંકર પ્રભુઓએ સ્થાપેલ ચતુર્વિધ સંઘની રચના દ્વારા તે ચીરકાળથી વહેતો રહ્યો છે. સાધુ-સાધ્વીજીઓ અને શ્રાવક-શ્રાવિકાઓ આ વહેણના બે કાંઠા છે. માર્ગ શ્રમણ સંઘ દ્વારા દીક્ષિત અને શિક્ષિત છે અને શ્રાવક સમાજ દ્વારા રક્ષિત છે. ક્ષેત્ર અને કાળ આધીન દરેક ચીજમાં બદલાવ આવતો રહે છે, પરંતુ વીતરાગ પ્રભુઓમાં વારસાના સ્થાયી અને મૂલ્યવાન અંશોને કોઈ પણ રીતે આંચ ન આવે એવી રીતે બદલતા જમાનામાં ટકાવી રાખવા એ સમગ્ર સમાજનું કર્તવ્ય છે. સમગ્ર સમાજના હિતચિંતકો, વિદ્વજનો, શ્રેષ્ઠીઓ સમયાંતરે સંગતિ કરે, સાંપ્રત સમયની સમસ્યાઓ સમજે, પૃથક્કરણ કરે અને તેના સમ્યમ્ સમાધાનની વિચારણા કરે તે બહુ જ અગત્યનું છે. ભૌતિક વિજ્ઞાન અને કોમ્યુટર ટેકનોલોજીના આ યુગમાં તો તે અતિઆવશ્યક છે. શ્રી સર્વમંગલ આશ્રમ, શ્રી પ્રાણગુર લિટરરી ટ્રસ્ટ અને શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંયુક્ત રીતે આવી એક સંગતિના જ્ઞાનસત્ર માટે નિમિત્ત બની રહ્યાં છે અને સમગ્ર સમાજના પ્રખર વિદ્વાનો અને શ્રેષ્ઠીઓ અહીં સાગોડિયા ખાતે મોટી સંખ્યામાં હાજર રહી અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે તે અમારા માટે અતિઆનંદની વાત છે. આ યજ્ઞ માટે વિદ્વાનોએ અતિપરિશ્રમથી તૈયાર કરીને રજૂ કરેલા અભ્યાસપૂર્ણ શોધનિબંધોનો ગ્રંથ સમગ્ર સમાજનાં હિતચિંતકોને ખૂબ જ ઉપયોગી થશે તેવી શ્રદ્ધા છે. ભવિષ્યમાં આવા જ્ઞાનસત્રની / સંગતિની પ્રવૃત્તિ વધુ ને વધુ વિસ્તરે, સમગ્ર સમાજના સહિયારા પ્રયાસથી. વીતરાગ માર્ગ અનંતકાળ સુધી રક્ષિત રહે તેવી મંગલકામના. લિ. જગદીશભાઈ વોરા સર્વમંગલ આશ્રમના ટ્રસ્ટી મંડળ વતી For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ OCTC જ્ઞાનધાર 0200 સારા નરસાણાનગણિsis (૩) ચતુર્વિધ સંઘ જ * ૫૮ ૬. વિષય લેખક ' પૃષ્ઠ ક્ર. (૧) કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનો વિરાટ પ્રતિભાપુંજ -ડૉ. કુમારપાળ દેસાઈ (૨) સાંપ્રત સમયમાં આધુનિક વીજળીનાં સાધનોનો યથાયોગ્ય ઉપયોગ તથા તેના વાપરવાની મર્યાદા તથા વિવેક - ચમનલાલ વોરા ચતુર્વિધ સંઘમાં શિથિલાચારનાં કારણો તથા શિથિલાચારીને ચારિત્રમાં સ્થિર કરવાનો સમ્યફ પુરુષાર્થ -ડૉ. રેણુકાબહેન જે. પોરવાલ (૪) ચતુર્વિધ સંઘ સંચાલનમાં મહાસંઘ - કૉન્ફરન્સની ભૂમિકા -પ્રાણલાલ શેઠ (૫) દેશકાળ અનુસાર વિવેકપૂર્ણ પરિવર્તન અંગે વિશ્લેષણ - સુરેશ ગાલા ૪૪ (૬) વર્તમાનકાળમાં બાળકો માટે શિક્ષણની આદર્શ પદ્ધતિની રૂપરેખા , -ડૉ. દર્શના દફતરી (૭) એકાંતિક ક્રિયાકાંડના અતિરેકથી વીતરાગ માર્ગની મૂળભૂત આત્મસાધના થતા વિસ્મરણને રોકવાના ઉપાયો ? - ડૉ. રશ્મિ ભેદા ૬૫ (૮) જિન શાસનની સાંપ્રત સમસ્યા પરત્વે સહચિંતન - ગુણવંત બરવાળિયા ૬૯ સાંપ્રતકાળમાં આધુનિક અને વીજ ઉપકરણોના યથાયોગ્ય ઉપયોગ અંગે વિવેક અને મર્યાદા: વિદ્યુત સચેત કે અચેત?-ડૉ. રશ્મિ જે. ઝવેરી ૭૫ (૧૦) સંતોની શારીરિક અને માનસિક સ્વાથ્યની વિષમ પરિસ્થિતિનું વિશ્લેષણ અને ઉપાયો -ડૉ. રાજેશ પારેખ (૧૧) યુવાનોને ધર્માભિમુખ કરતાં અનેકવિધ પાસાંનું વિશ્લેષણ - ડૉ. પાર્વતી નેણસી ખીરાણી (૧૨) ધર્મ એક - સંવત્સરી એક -ડૉ. ધનવંત શાહ (૧૩) ચતુર્વિધ સંઘને જોડતી કડી -ડૉ. રતનબહેન ખીમજી છાડવા (૧૪) યુવાનોને ધર્માભિમુખ કરવાની સમ્યફ દિશા -બીનાબહેન ગાંધી (૧૫) ચતુર્વિધ સંઘમાં વીતરાગ માર્ગની વર્તમાન સમયની સમસ્યાઓ, ભાવિ પરિણામો અને સમાધાન -હર્ષદભાઈ સંઘરાજકા - લંડન (૧૬) પર્યુષણ પર્વ એવં સંવત્સરી કી એકરૂપતા કા પ્રશ્નઃ -ડૉ. સાગરમલ જૈન ૧૩૮ ૮૫ - ૧૦૪ - ૧૦૯ ૧૧૮ ૧૨૯. For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ TOPSC જ્ઞાનધારા GOOG ૬. વિષય. લેખક - પૃષ્ઠ ૬. ૧૭ (10) Some Challenges before the four fold jain community in modern times, their estimated repercussions and possible solutions as per my perspective - Dr. Nilesh Dalal . (૧૮) સ્તવનરૂપ ભાવપૂજા દ્વારા આત્મદર્શન - ડૉ. અભયભાઈ આર. દેશી ૧૫૮ (૧૯) યુવાનોને ધર્માભિમુખ કરવાની સમ્યફ દિશા ઃ આંતર શુદ્ધિકરણ , , પરત્વે નિજી અભિવ્યક્તિ - ડૉ. દીક્ષા એચ. સાવલા ૧૬૪ (૨૦) સાંપ્રતકાળના પ્રવાહમાં સાંપ્રદાયિક અને પરંપરાગત માન્યતાઓમાં શાસ્ત્રાનુસારી વિવેકપૂર્ણ પરિવર્તન અને વિશ્લેષણ - ડૉ. રમણીભાઈ પારેખ , ૧૭૮ (૨૧) ચતુર્વિધ સંઘમાં જૈન શ્રાવિકા મંડળોની ભૂમિકા - ડૉ. મધુબહેન જી. બરવાળિયા * ૧૮૭ (૨૨) સાંપ્રતકાળના પ્રવાહમાં સાંપ્રદાયિક અને પરંપરાગત માન્યતાઓમાં : શાસ્ત્રાનુસારી વિવેકપૂર્ણ પરિવર્તન અંગે વિશ્લેષણઃ - ડૉ. ઉત્પલા મોદી ૧૦ (૨૩) દીક્ષા પહેલાંની પૂર્વતૈયારી તથા શ્રમણ-શ્રમણી વિદ્યાપીઠોમાં પ્રશિક્ષણ - ડૉ. છાયાબહેન શાહ . ૧૭ (૨૪) જૈન દર્શનનાં યજ્ઞાનિક તથ્યો - ડૉ. પ્રવીણભાઈ સી. શાહ (૨૫) વર્તમાન સંજોગોમાં વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જૈવ મૃત અને આગમ સાહિત્યના પ્રચાર-પ્રસાર કાર્યની સમીક્ષા - શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા (૨૬) સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ - સંજય ભરતભાઈ કોઠારી ૨૩૪ (૨૭) જયંત કોઠારીનું હસ્તપ્રત-સંપાદન-સંશોધનનું કાર્ય - ડૉ. કાંતિભાઈ બી. શાહ - ૨૪૫ (૨૮) દાનના પ્રવાહની વિવેકપૂર્ણ થાયોગ્ય દિશા - શ્રી ખીમજી મ. અડવા (૨૯) જૈન ધર્મનો અમૂલ્ય વારસો- સચિત્ર હસ્તપ્રતો - - ડૉ. રામજીભાઈ ઠા. સાવલિયા • (૩૦) દેવદ્રવ્યનું રોકાણ અને ઉપયોગ - હિંમતલાલ ગાંધી (૩૧) જેનોને લઘુમતીની માન્યતા સંકલન માહિતી - ૧૦૩ ૨૨૦ ૨ ર૭ર : * U For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ©©©©©©©©© કલિકાલસર્વજ્ઞ શ્રી { આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પદ્મશ્રી ડૉ. હેમચંદ્રાચાર્યનો વિરાટ કુમારપાળ દેસાઈ દેશ વિદેશમાં જૈન ધર્મ પર પ્રતિભાપુંજ મનનીય પ્રવચનો આપે છે છે પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ અને તેમણે જૈન સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના વિપુલ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના વિરાટ 1 ગ્રંથોનું સર્જન અને સંપાદના પ્રતિભાપુંજમાંથી પ્રગટતા પ્રકાશથી અનેક ક્ષેત્રોમાં કર્યું છે. અજવાળાં પથરાયાં છે. ગુજરાતી ભાષાનું પ્રભાત કાલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યથી ઊઘડે છે. ગુજરાતની અસ્મિતાના એ પ્રથમ છડીદાર. ભારતભરના સારસ્વત દિગ્ગજોની પંક્તિમાં સ્થાન ધરાવે તેવો ગુજરાતી વિદ્વત્તાનો અપ્રતિમ માનદંડ શ્રી હેમચંદ્રાચાર્યથી સ્થપાય છે. આથી સવાલ એ જગે છે કે એમને જ્યોતિર્ધર કહેવા કે યુગપ્રવર્તક ગણવા? મહાસમર્થ સારસ્વત કહેવા કે જીવનકલાધર કહેવા? સમન્વયદષ્ટિ ધરાવતા મહાન આચાર્ય ગણવા કે પછી ભરપૂર ગુજરાતી પ્રજાની સૂતેલી અસ્મિતાને જગાડનારા લોકનાયક કહેવા? શ્રી હેમચંદ્રાચાર્યની શ્રુતપ્રભાવનાનું વિષયવૈવિધ્ય આશ્ચર્યકારક લાગે છે. કાવ્ય, ન્યાય કોશ, યોગ, છંદ, અલંકાર ઈતિહાસ, પુરાણ અને વ્યાકરણ - એમ અનેક વિષયો પર એમણે શાસ્ત્રીય પાંડિત્યપૂર્ણ ગ્રંથોની રચના કરી છે. આ ગ્રંથોમાંથી એ પણ ખયાલ આવે છે કે તેઓ મંત્ર, તંત્ર, શિલ્પ, વૈદક, યંત્ર, જ્યોતિષ, યુદ્ધશાસ્ત્ર, વસ્પતિવિદ્યા, સામુદ્રિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, રત્નવિદ્યા વગેરે અને મર્મગામી ભાવયિત્રી પ્રતિભા વિના આટલું વિપુલ અને સત્ત્વશીલ સાહિત્ય એક વ્યક્તિના જીવનકાળ દરમિયાન સર્જાવું લગભગ અશક્ય છે. વિદ્યાભ્યાસ, વિચારોની વિશદતા જાળવીને વિષયની સચોટ અને સાંગોપાંગ ચર્ચા થાય તેવી ઓજસ્વી આલેખનારીતિનું આયોજન એમણે કરેલી ગ્રંથરચનામાં સામાન્યતયા જોવા મળે છે. સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત, અપભ્રંશ અને દેશ્ય ભાષાના વાડ્મયમાં પણ એમની લેખિનીએ સહજ વિહાર કરેલો છે. એમનું પ્રાકૃત વ્યાકરણ તો સમગ્ર ભારતીય વાડ્મયમાં એ વિષયના અપૂર્વ અને અનન્ય ગ્રંથ તરીકે આદર પામ્યું છે. તેમણે For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ SOCSC જ્ઞાનધારા 0 0 એમાં બધા પ્રકારની પ્રાકૃતને લગતું વ્યાકરણ આપ્યું. તેમણે સ્વરચિત કૃતિઓ પર વિસ્તૃત સ્વોપજ્ઞ ટીકા લખી છે. લુપ્ત થયેલા સાહિત્યમાંથી અનેક અવતરણો ટાંકીને એમણે લોકસાહિત્યની હૃદયસ્પર્શિતાનો સર્વપ્રથમ સંકેત આપ્યો. અનુગામીઓને માટે ગહન વિષયને સુગમ રીતે આયોજનબદ્ધ પદ્ધતિએ આલેખવાનો આદર્શ તેમણે પૂરો પાડ્યો એમ કહી શકાય. તેમની આ ખાસિયત વિશદ્ ભાષા, પ્રાસાદિક શૈલી અને વિષયોનો સર્વગ્રહી પરિચય આપતા મીમાંસાગ્રંથોમાં ખાસ ધ્યાન ખેંચે છે. “સિદ્ધહેમશબ્દાનુશાસન’, ‘ક્રયાશ્રય મહાકાવ્ય કે ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત જેવા વિશાળકાય ગ્રંથો તો એમના પ્રતિભાતંભ જેવા છે, પણ અન્યયોગવ્યવચ્છેદદ્વત્રિશિકા' જેવા બત્રીસ શ્લોકના નાના સ્તુતિકાવ્યમાં પણ એમની પ્રતિભાનાં સ્કુલ્લિંગોનો સ્પર્શ થયા વિના રહેતો નથી. ગુજરાતની લૂખીસૂકી ભૂમિ પર હેમચંદ્રાચાર્યે આમ સરસ્વતીનો ધોધ વહેવડાવ્યો અને ભવિષ્યમાં ઊઘડનારી ગુજરાતી ભાષાનાં બીજને તત્કાલીન બોલાતી ભાષાના જલસિંચન સાથે જ્ઞાન, વિદ્વત્તા, શાસ્ત્રીયતાનો પુટ ચડાવ્યો એ મોટા સદ્ભાગ્યની વાત છે. મૈત્રકવંશનો રાજા ગુહસેન સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ – એમ ત્રણેય ભાષામાં રચના કરતો હતો તેવા ઉલ્લેખો સાંપડે છે. શ્રી હેમચંદ્રાચાર્યના આ ત્રણે ભાષામાં રચાયેલા ગ્રંથો તો મળે છે, પણ એથીય વિશેષ તેમણે આ ત્રણેય ભાષાના કોશ અને વ્યાકરણ રચીને અનન્ય અભ્યાસસાધન સુલભ કરી આપ્યું. આને પરિણામે જૈનેતર વિદ્વાનોમાં પણ શ્રી હેમચંદ્રાચાર્યની કૃતિઓ આદર પામી. છંદશાસ્ત્રના ટીકાકાર હલાયુધ જેવા તો શ્રી હેમચંદ્રાચાર્યની કૃતિઓના સીધેસીધા ગ્રંથસંદર્ભો જ ટાકે છે. " સાહિત્ય અને ઈતિહાસ, શાસ્ત્ર અને કળા, વ્યાકરણ અને તર્ક, ધર્મ અને વ્યવહાર, સાધુતા અને સરસતા તથા રાજા અને પ્રજા એમ વિભિન્ન સ્તરે સહજ સમન્વય સાધી બતાવનાર સંસ્કારશિલ્પી એટલે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચં. આથી જ ધૂમકેતુ એમના શ્રી હેમચંદ્રાચાર્ય (પૃ. ૭-૮)માં નોંધે છે - શ્રી હેમચંદ્રાચાર્ય વિના ગુજરાતી ભાષાનો જન્મ કલ્પી શકાતો નથી; એમના વિના વર્ષો સુધી ગુજરાતને જાગ્રત રાખનારી સંસ્કારિતા કલ્પી શકાતી નથી અને એમના વિના ગુજરાતી પ્રજાનાં ખાસ લક્ષણો - સમન્વય, વિવેક, અહિંસા, પ્રેમ, For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ OCCC જ્ઞાનધારા OિOO શુદ્ધ સદાચાર અને પ્રામાણિક વ્યવહાર પ્રણાલિકા - કલ્પી શકાતાં નથી. શ્રી હેમચંદ્રાચાર્ય માનવ તરીકે મહાન હતા; સાધુ તરીકે વધારે મહાન હતા; પણ સંસ્કારદટા તરીકે તો એ સૌથી વધારે મહાન હતા. એમણે જે સંસ્કાર રેડ્યા, એમણે જે ભાષા આપી, એમણે લોકોને જે રીતે બોલતા કર્યા, એમણે જે સાહિત્ય આપ્યું - એ સઘળું આજના ગુજરાતની નસમાં હજી વહી રહ્યું છે અને એટલે એ મહાન ગુજરાતી તરીકે ઈતિહાસમાં પ્રસિદ્ધિ પામવાયોગ્ય પુરુષ છે. શ્રી હેમચંદ્રાચાર્યની વિપુલ અક્ષરપ્રવૃત્તિ સિદ્ધરાજ અને કુમારપાળના રાજ્યાશ્રયે થઈ હતી તેમ કહેવું તે કરતાં તે પ્રવૃત્તિ બે રાજવીઓના શ્રેયાર્થે ચાલી હતી એમ કહેવું વિશેષ યોગ્ય છે. તેઓ બંને રાજવીઓના આદરપાત્ર માર્ગદર્શક અને સલાહકાર પણ હતા. સિદ્ધરાજની જ્ઞાનોપાસના અને કુમારપાળની સંસ્કારપ્રિયતાના તેઓ વિધાયક બન્યા હતા. રાજા વિક્રમ અને કવિ કાલિદાસ અથવા તો રાજા ભોજ અને કવિ ધનપાલ સાથે સિદ્ધરાજ - કુમારપાળ અને શ્રી હેમચંદ્રાચાર્યની જોડીની સરખામણી કરવી યોગ્ય નથી. રાજા સાથેના એમના સંબંધની તુલના તો ઘણે અંશે સ્વામી રામદાસ અને છત્રપતિ શિવાજી સાથે થઈ શકે.. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની શ્રુતસાધના અનુપમ હતી. રાજા સિદ્ધરાજ અને રાજા કુમારપાળની મદદથી શ્રી હેમચંદ્રાચાર્યને જૂના ગ્રંથોની ઘણી હસ્તપ્રતો સાંપડી. શ્રી હેમચંદ્રાચાર્યના આ કાર્યમાં રામચંદ્ર, ગુણચંદ્ર અને મહેન્દ્ર જેવા વિદ્વાન શિષ્યોનો સમુદાય એમને સહાયક થયો હતો. વિદ્યોપાસનાનું કેવું ભવ્ય વાતાવરણ એ સમયે રચાયું હશે, એની કલ્પના જ રોમાંચકારી લાગે છે. એમના ગ્રંથોની લહિયાઓ પાસે અસંખ્ય પ્રતિલિપિઓ કરાવવામાં આવી હતી અને એ પ્રતિલિપિઓને ભારતના અનેક ગ્રંથભંડારોમાં સ્થાપિત કરવામાં આવી હતી. આ કારણે જ તેમના જીવનકાળમાં લખાયેલી કેટલીક પ્રતિલિપિઓ આજે પણ ઉપલબ્ધ છે. એ પછીનાં નવસો વર્ષના દીર્ધકાળમાં આ ગ્રંથોની પ્રતિલિપિઓ થતી રહી છે. આજે ભાગ્યે જ કોઈ એવો જૈન ગ્રંથભંડાર હશે, જ્યાં શ્રી હર્મચંદ્રાચાર્યના કોઈને કોઈ ગ્રંથની પ્રતિલિપિ ન હોય. પ્રાચીન ઈતિહાસમાં કે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની પૂર્વે આટલા વિભિન્ન For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ SSC C જ્ઞાનધારા 0.00 વિષયો પર સળંગ શાસ્ત્રીય અને અભ્યાસપૂર્ણ ગ્રંથો આપનાર શ્રી હેમચંદ્રાચાર્ય જેવી ભાગ્યે જ કોઈ વિરલ પ્રતિભા મળી આવશે. એ જ્ઞાનજ્યોતિએ દૂર કરેલા અજ્ઞાનના અંધકાર વિશે શ્રી સોમપ્રભાચાર્ય “શતાર્થકાવ્યમાં કહે છે – क्लुप्तं व्याकरणं नवं विरचितं छंदो नवं द्वयाश्रयालंकारौ प्रथितौ नवौ प्रकटितं श्रीयोगशास्त्रं नवम् । तर्क: संजनितो नवो जिनवरादीनां चरित्रं नवं बद्धं येन न केन केन विधिना मोहः कृतो दूरतः ।। નવું વ્યાકરણ કમ્યું નવું છંદશાસ્ત્ર રચ્યું; દ્વયાશ્ચમ મહાકાવ્ય અને અલંકારશાસ્ત્રને વિસ્તાય અને નવાં જ પ્રકટ કયાં શ્રીયોગશાસ્ત્રને પણ નવું રચ્યું નવા તર્કશાસ્ત્રને જન્મ આપ્યો; જિનવરોનાં ચરિત્રનો નવો ગ્રંથ રચ્યો, કઈ કઈ રીતે શ્રી હેમચંદ્રાચાર્યે અજ્ઞાનને દૂર કર્યું નથી ? ગુજરાતી સાહિત્યના પરોઢનો ઝાંખો પ્રજા સિદ્ધહેમશબ્દાનુશાસને સૌપ્રથમ દર્શાવ્યો. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની વિપુલ મુતરચનાની ગંગોત્રીનો પ્રારંભ ગુજરાતની અસ્મિતા અને સંસ્કારિતા જગાડનારી એક ઘટનાના પ્રતિભાવમાંથી થયો. જયસિંહ સિદ્ધરાજ માલવપતિ શ્રી યશોવર્માને હરાવી, ધારાનગરીનો ધ્વંસ કરી, તેનો અમૂલ્ય ગ્રંથભંડાર પાટણમાં લાવ્યા. આ ગ્રંથભંડારમાં ભોજરાજવિરચિત 'સરસ્વતીઠાભરણ નામના વ્યાકરણગ્રંથ પર સિદ્ધરાજની દષ્ટિ પડી. વિશેષ તપાસ કરતાં એને જાણવા મળ્યું કે પોતે જે પ્રદેશને પરાજિત કર્યો છે એ પ્રદેશના ભોજનું વ્યાકરણ જ એના રાજ્યમાં ભણાવાતું હતું. ભોજરાજની વિદ્વત્તાની પ્રશંસાએ સિદ્ધરાજને એના માત્ર પ્રદેશવિજયની લઘુતા દેખાડી. આ સમયે ભોજના વ્યાકરણ કરતાં ચડિયાતું વ્યાકરણ રચી શકે તેવા સમર્થ શક્તિશાળી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય જ હતા. - વિ. સં. ૧૧૭માં એમને આ વ્યાકરણ લખવાનું સોંપાયું. સિદ્ધરાજે તે માટે ઠેરઠેરથી હસ્તપ્રતો મગાવી. છેક કાશ્મીરથી આઠ વ્યાકરણો મગાવ્યાં. આ વ્યાકરણોની મદદથી અને સ્વ-પ્રતિભાથી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય “સિદ્ધહેમશબ્દાનુશાસન’ નામના વ્યાકરણની રચના કરી. સિદ્ધરાજની વિનંતીથી આ વ્યાકરણ રચાયું હોવાથી પ્રથમ એનું નામ જોડીને નામાભિધાન કર્યું. અગાઉના For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ OMIC જ્ઞાનધારા CCTO0 વ્યાકરણ ગ્રંથોમાં અતિવિસ્તાર, દુર્બોધતા અને ક્રમભંગ – એ ત્રણ દોષો જોવા મળતા હતા. શ્રી હેમચંદ્રાચાર્ય આ વ્યાકરણની રચનામાં સંક્ષેપ, સુગમતા અને કમબદ્ધ આયોજન રાખીને એ ત્રણે દોષથી મુક્ત રહ્યા. આ વ્યાકરણગ્રંથની બીજી વિશેષતા એ છે કે એનાં પાંચેય અંગો શ્રી હેમચંદ્રાચાર્યે પોતે લખ્યાં છે. બીજા વૈયાકરણોએ વ્યાકરણસૂત્ર અને બહુ બહુ તો તેના ઉપરની વૃત્તિની રચના કરી છે. વ્યાકરણના અન્ય અંગોની રચના તો અનુગામીઓ કરે એવી પરિપાટી હતી. હેમચંદ્રાચાર્યે આ પાંચેય અંગોની રચના પોતે કરીને પાણિનિ, ભદ્દોજી દીક્ષિત અને ભઢિ એ ત્રણેય વૈયાકરણનું કામ એકલે હાથે કર્યું. એમના આ વ્યાકરણ ગ્રંથે વર્ધમાનસૂરિ અને બુદ્ધિસાગરસૂરિજીના વ્યાકરણ ગ્રંથોને વિસ્તૃત કરી દીધા. - પાણિનિના સંસ્કૃત વ્યાકરણ પછીનું એક બીજું નોંધપાત્ર વ્યાકરણ તે સિદ્ધહેમ-ચંદ્રશબ્દાનુશાસન ગણાય છે. પાણિનિનાં સૂત્રોની યોજના કરતાં શ્રી હેમચંદ્રાચાર્યનાં સૂત્રોની યોજનામાં અભ્યાસકને તે સુગમ થાય તેનો ખ્યાલ રખાયો છે. અભ્યાસ અર્થે ગ્રંથ રચવાનો ઉદ્દેશ હોવાથી જ જ્યાં પૂર્વાચાર્યનાં સૂત્રોથી કામ ચાલ્યું ત્યાં એ જ સૂવો એમણે કાયમ રાખ્યાં છે. આથી શાકટાયન અને શ્રી હેમચંદ્રાચાર્યનાં સૂત્રોમાં મોટું સામ્ય જોવા મળે છે. જ્યાં દોષ, ત્રુટિ કે દુર્બોધતા દેખાય ત્યાં મૌલિક ઉમેરણથી સૂત્રોને સુગ્રાહ્ય બનાવવાનો પ્રયાસ કર્યો છે. એક વર્ષમાં આ વ્યાકરણનાં સૂત્રો અને લઘુવૃત્તિ તેમણે રચ્યાં હશે. એની બૃહદ્ વૃત્તિ અને બીજા અંગોનું નિર્માણ તેમણે પછીથી કર્યું હશે. મૂળ સૂત્ર, ધાતુ, ગણપાઠ, ઉણાદિ પ્રત્યય અને લિંગાનુશાસન - એમ પંચાગી વ્યાકરણની રચના એમણે સવા લાખ શ્લોકમાં કરી હતી. મેરૂતુંગાચાર્યે પણ નોંધ્યું છે કે શ્રી હેમચંદ્રાચાર્યે આ વ્યાકરણ સવા લાખ શ્લોક્ન રચ્યું હતું. આ વ્યાકરણના આઠ અધ્યાય છે. એની કુલ સૂરસંખ્યા ૪૬૮૫ છે. પ્રાકૃત વ્યાકરણને લગતાં સૂત્રો બાદ કરીએ તો સંસ્કૃત વ્યાકરણનાં ૩૫૬૬ સૂત્રો મળે છે. આ વ્યાકરણ ગ્રંથના આઠમા અધ્યાયમાં મળતી પ્રાકૃત અને અપભ્રંશની ચર્ચા એ આ ગ્રંથની અભ્યાસીઓને આકર્ષતી વિશેષતા છે. જેમ પાણિનિએ અટાધ્યાયી નામના સર્વોત્કૃષ્ટ વ્યાકરણમાં વૈદિક વ્યાકરણ પ્રયોજ્યું છે, એ જ રીતે શ્રી હેમચંદ્રાચાર્યે 'સિદ્ધહેમ'ના આઠમા અધ્યાયમાં પ્રાકૃત અને અપભ્રંશ - પ્રાચીન For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ × C જ્ઞાનધારા O ગુજરાતી ભાષાનું વ્યાકરણ યોજ્યું છે. એમનું પ્રાકૃત વ્યાકરણ બધાં પ્રાકૃત વ્યાકરણોમાં વધુ પૂર્ણ અને વ્યવસ્થિત છે. એમના અપભ્રંશ વ્યાકરણે અપભ્રંશ સાહિત્યની રસસમૃદ્ધિનો ખરેખરો પરિચય કરાવ્યો. આ વ્યાકરણ સંક્ષિપ્ત હોવા છતાં એમાં બધાં અંગોનો સમાવેશ થયો છે. આમ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનું સિદ્ધહેમ જેવું વ્યાકરણ એ પછી અદ્યાપિ લખાયું નથી. અભ્યાસીને અનુકૂળ એવી આની વિષયગોઠવણી અને પરિભાષાને કારણે એફ. કીલહોર્ન (E. Kelihorn) આને The best grammar of the Indian middle ages' કહે છે. પ્રાચીન ભાષાઓના પ્રત્યેક અભ્યાસીને માટે સિદ્ધહેમ અનિવાર્ય પ્રવેશદ્વાર ગણાય. આ વ્યાકરણે રાજા સિદ્ધરાજ અને આચાર્ય હેમચંદ્રની અક્ષરકીર્તિ સમગ્ર દેશમાં પ્રસરાવી. આ વ્યાકરણને હાથી પર અંબાડીમાં મૂકીને ધામધૂમથી પાટણમાં એની શોભાયાત્રા કાઢવામાં આવી. એ રીતે ગુજરાતમાં વિદ્યાપ્રતિષ્ઠાનો પ્રારંભ થયો. રાજા સિદ્ધરાજે રાજ્યના ત્રણસો લહિયા રોકીને આની અનેક પ્રતિલિપિઓ તૈયાર કરાવી, એટલું જ નહિ, પરંતુ અંગ, બંગ, કોંકણ, કર્ણાટક તેમ જ કાશ્મીર સુધી આખા દેશમાં તેમ જ નેપાળ, શ્રીલંકા અને ઈરાન જેવા દૂર દૂરના દેશોમાં એની પ્રતિલિપિઓ મોકલાવી. ગુજરાતી વિદ્વત્તાની જ્ઞાનજ્યોત એમ એવી સુંદર રીતે પ્રગટી કે એનો પ્રકાશ પહેલી વાર દેશના સીમાડાઓને વીંધીને દેશપાર ગયો. વાણિજ્યમાં દેશાવર ખેડનાર ગુજરાતે જ્ઞાનપ્રસારમાં પહેલી વાર દેશાવર ખેડચો. આ ગ્રંથ પર વિદ્યાધરગણિ દેવાનંદ અને વાયટગચ્છીય અમરચંદ્રસૂરિએ રચનાઓ કરી છે. ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ના એક સ્વતંત્ર વિભાગ તરીકે હેમલિંગાનુશાસન પ્રાપ્ત થાય છે. આઠ અધ્યાયનાં ૭૬૩ સૂત્રોમાં આની રચના કરી છે. આની પાછળનો હેતુ તો અભ્યાસીઓને લિંગવિધાનનું જ્ઞાન પ્રાપ્ત થાય તે છે. આથી બીજા લિંગાનુશાસન કરતાં આ કૃતિ વિસ્તૃત અને નોખી ભાત પાડનારી છે. પદ્મબંધમાં રચાયેલા આ ગેય ગ્રંથમાં હેમચંદ્રાચાર્યે અમરકોશની શૈલી પ્રમાણે પદ્યમાં સ્ત્રીલિંગ, પુંલ્લિંગ અને નપુસકલિંગ – એમ ત્રણેય લિંગોમાં શબ્દોનું વર્ગીકરણ કર્યું છે. ‘શબ્દાનુશાસન’ અને ‘કાવ્યાનુશાસન’ પછી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે ૧૨ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ છCSC જ્ઞાનધારા CS ©0 છંદોનુશાસનની રચના કરી. પૂર્વાચાર્યોની પદ્ધતિ અનુસાર જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને છંદોવિધાનનું જ્ઞાન મળે તેવો આની પાછળનો ઉદ્દેશ હતો. એક વૈયાકરણ તરીકે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિશિષ્ટ સ્થાન ધરાવે છે. મહાન વૈયાકરણ પાણિનિએ પોતાના વ્યાકરણ અષ્ટાધ્યાયી' દ્વારા પૂર્વપરંપરામાં એક પોતીકી પરંપરાનું નિર્માણ કર્યું હતું. પાણિનિની પૂર્વ શૌનક, શાકટાયન જેવા અનેક વ્યાકરણીઓ થયા હતા, પરંતુ પાણિનિની વૈયાકરણે એક પરંપરા સ્થાપી. એમાં કાત્યાયન કે પતંજલિએ સંશોધન-ઉમેરણ કર્યું, પરંતુ પાણિનિની વૈયાકરણ તરીકેની પ્રતિષ્ઠા તો સદીઓથી અક્ષત રહી. સંસ્કૃત ભાષાના અંતિમ વ્યાકરણશાસ્ત્રી બન્યા આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય. સંસ્કૃત વ્યાકરણ પરંપરામાં એમના પ્રદાનને કારણે હેમસંપ્રદાય ઊભો થયો. એમના વ્યાકરણનો ઉત્તરકાલીન જૈને વ્યાકરણો પર વિશેષ પ્રભાવ દષ્ટિગોચર થાય છે. શ્વેતામ્બર સંપ્રદાયના કેટલાક આચાર્યોએ શ્રી હેમચંદ્રાચાર્યના વ્યાકરણને આધારે અનેક ગ્રંથોની રચના કરી છે. આવા આઠથી દસ વ્યાખ્યાકાર મળે છે. અપભ્રંશ વ્યારણ તે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનું ચિરકાલીન મહત્ત્વ ધરાવતું પ્રદાન ગણાશે. શબ્દાનુશાસનના આઠમા અધ્યાયના પ્રાકૃત વ્યાકરણમાં હેમચંદ્રાચાર્ય મહારાષ્ટ્રી, શૌરસેની, માગધી, પૈશાચી, મૂલિકા પૈશાચી અને અપભ્રંશ એમ છે ભાષાઓની ચર્ચા કરી છે. અપભ્રંશ વિભાગમાં નેધેલા દુહાઓનું વૈવિધ્ય આકર્ષક છે. અપભ્રંશનાં સૂત્રોની વૃત્તિમાં લગભગ ૧૭૭ દુહાઓ હેમચંદ્રાચાર્યે નોંધ્યા છે, જેમાં ઉપદેશાત્મક, વીરરસપ્રધાન, પૌરાણિક, શૃંગારરપ્રધાન અને જૈન ધર્મને લગતા દુહાઓ મળે છે. આ દુહાઓમાંના કેટલાક લોકોક્તિરૂપે ઊતરેલા છે. આ અપભ્રંશ દુહાઓ છેક ગુજરાતી ભાષા સુધી ઊતરી આવ્યા છે. અપભ્રંશ દુહાનું અર્વાચીન ભાષામાં કેવું રૂપાંતર થયું છે તેની તપાસ સંશોધકો માટે રસપ્રદ વિષય બને તેમ છે. આઠમા અધ્યાયમાં શ્રી હેમચંદ્રાચાર્ય એક અપભ્રંશ દુહો ટાકે છે - वायसु उड्डावंतिअऐ पिउ दिट्ठउ साहस-त्ति । अध्धा वलया महिहि गय अध्धा कुदृ तड-त्ति ॥ १६ ॥ લાંબા સમયથી પ્રેયસી વિરહ અનુભવતી હતી, તેનો દેહ પણ ક્ષીણ બની For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ TOC જ્ઞાનધારા હOTOS0 ગયો હતો. વિરહાકુલ સ્ત્રી કાગડાને ઉડાવવા જતી હતી ત્યાં જ એકાએક એના પતિને આવતો જોયો. ચિરવિરહિણી પર એની કેવી અસર થઈ અડધાં વલય જમીન પર પડી ગયાં, વિરહને કારણે હાથ દુર્બળ બની ગયો હતો માટે. જ્યારે અડધાં તડ દઈને તૂટી ગયાં, પ્રિયતમનાં દર્શનથી આનંદિત થયેલી વિરહિણીનું કાંડું ફૂલી ગયું માટે. લોકભાષામાં મળતા દુહાઓમાં આનાં બે રૂપાંતર મળે છે. એનું એક સામાન્ય રૂપાંતર આ છે - કામન કાગ ઉડાવતી, પિયુ આયો ઝબકાં આપી ડી કર લગી, આધી ગઈ તષ્ઠાં’ • આ જ દુહાનું એક બીજું ચમત્કૃતિપૂર્ણ રૂપાંતર મળે છે. એમાં અડધી ચૂડીઓ વિરહને કારણે ક્ષીણદેહ થવાથી જમીન પર પડી ગઈ એવું દર્શાવવાને બદલે કવિએ દર્શાવ્યું છે કે અડધી કાગડાના ગળામાં પરોવાઈ ગઈ. બાકીની અડધી ચૂડીઓ ભાંગીને ભય પર પડી. કાગ ઉડાવણ ધણ ખડી, આયો પીવ ભડક આધી ચૂદી કાગ-ગલ, આધી હુંય તડા અપભ્રંશ વ્યાકરણમાં મળતા દુહાઓમાં કાવ્યસૌંદર્ય, ભાવવૈવિધ્ય અને ભારોભાર કવિત્વ છે. આ દુહાઓ દ્વારા એ સમયના લોકસાહિત્યની અનુપમ ઝાંખી થાય છે. ગુર્જરભૂમિના જ્ઞાનદીપને પ્રજવલિત કરવા માગતા કલિકાલસર્વજ્ઞ શ્રી હમચંદ્રાચાર્યની દષ્ટિ વ્યાકરણ પછી કોશ તરફ ગઈ. ભાષાનો અભ્યાસ સુગમ બને અને વ્યાકરણનું જ્ઞાન સધ્યિ બને તે માટે એમને કોશની જરૂર લાગી. માત્ર વિદ્યાર્થીઓ કે અભ્યાસીઓ જ નહિ, પરંતુ વિદ્વાનો માટે પણ કોશ જરૂરી જ્ઞાનસાધન છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે “અભિધાનચિંતામણિ', “અનેકાર્થસંગ્રહ અને “નિઘંટુશેષ' – એમ ત્રણ સંસ્કૃત ભાષાના કોશ રચ્યા છે. પ્રાકૃત-દેશ્ય ભાષાના જ્ઞાન માટે “દેશીનામમાલા” અને “રયણાવલિ'ની રચના કરી છે. “અભિધાનચિંતામણિ એ ઈતિહાસ અને ભાષાવિજ્ઞાનની દષ્ટિએ અત્યંત મૂલ્યવાન For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ OCCC જ્ઞાનધારા OિO બની રહે તેવો કોશગ્રંથ છે. આમાં હેમચંદ્રાચાર્યે કવિઓ દ્વારા પ્રચલિત અને પ્રયુક્ત શબ્દોનો સુંદર આલેપ્સ આપ્યો છે. વળી સાંસ્કૃતિક દષ્ટિએ પણ આ કોશની સામગ્રી અભ્યાસીઓને ઉપયોગી છે. આમાં એવા અનેક શબ્દો મળે છે, જે અન્ય કોશમાં પ્રાપ્ત થતા નથી. ‘અમરકોશ'ને લક્ષમાં રાખીને એક અર્થવાળા સમાન શબ્દો આપવા માટે હેમચંદ્રાચાર્યે “અભિધાનચિંતામણિ'ની રચના કરી. જોકે, અમરકોશ કરતાં દોઢ ગણી શબ્દસંખ્યા આમાં સાંપડે છે. વળી પાર્યાયવાચી શબ્દો પણ ‘અમરકોશ' કરતાં વધુ મળે છે. અમરકોશમાં સૂર્યના ૩૭ પર્યાય, કિરણના ૧૧ પર્યાય, ચંદ્રના ૨૦ પર્યાય, શિવના ૪૮ પર્યાય, બ્રહ્માના ૨૦ પર્યાય, વિષ્ણુના ૩૬ અને અગ્નિનાં ૩૪ પર્યાયવાચી નામ મળે છે. જ્યારે અભિધાનચિંતામણિમાં સૂર્યના ૭૨, કિરણના ૩૬, ચંદ્રના, ૩૨, શિવના ૭૭, બ્રહ્માના ૪૦, વિષ્ણુના ૭૫ અને અગ્નિના ૫૧ પર્યાયો ઉપલબ્ધ છે. આ રીતે આ ગ્રંથની રચના દ્વારા હેમચંદ્રાચાર્યે સંસ્કૃત સાહિત્યના શબ્દકોશમાં વિપુલ વૃદ્ધિ કરી છે. “અભિધાનચિંતામણિ'ની કુલ શ્લોકસંખ્યા ૧૫૪૧ છે, પરંતુ ટીકા સાથે તેની શ્લોકસંખ્યા કુલ દસ હજારની થાય. અભિધાનચિંતામણિ પછી શબ્દજ્ઞાનની મહત્તા જાણનારા હેમચંદ્રાચાર્યે અનેકાર્થસંગ્રહની રચના કરી. “અભિધાનચિંતામણિમાં એક અર્થના અનેક શબ્દોનો કોશ આપવામાં આવ્યો હતો. જ્યારે અનેકાર્થસંગ્રહમાં એક શબ્દના અનેક અર્થોનો ઉલ્લેખ આપવામાં આવ્યો છે. જેમ કે, તેનો અર્થ બ્રહ્મા, આત્મા, રવિ, મયૂર, અગ્નિ, યમ અને વાયુ થાય છે. આ દષ્ટિએ “અભિધાનચિંતામણિ' અને અનેકાર્થસંગ્રહ’ પરસ્પરના પૂરક ગુણાય. સાત કાંડમાં વહેંચાયેલા આ કોશની કુલ શ્લોકસંખ્યા ૧૮૨૯ છે. એના છ કાંડમાં ૧૭૬૯ શ્લોકો મળે છે. એ પછી સાતમો અવ્યયકાંડ મળે છે. આ સાઠ શ્લોકના અવ્યયકાંડને અનેકાર્થશેષ તરીકે ઉમેરવામાં આવ્યો છે. “અભિધાનચિંતામણિમાં પણ છેલ્લે “શેષ' ઉમેરવામાં આવ્યો હતો તે મુજબ અહીં પણ આવું છેલ્લે ઉમેરણ મળે છે. આ ગ્રંથમાં મળતા કેટલાય શબ્દો અર્વાચીન ભાષામાં ઉતરી આવ્યા છે. ગુજરાતી ભાષાના અભ્યાસીઓને પણ આ ગ્રંથના શબ્દો ઘણી સામગ્રી પૂરી પડે તેમ છે. શ્રી હેમચંદ્રાચાર્યની કોશપ્રવૃત્તિનું અંતિમ ફળ છે. 'નિબંદુશેષ'. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ 29 ) C જ્ઞાનધારા 0 0 અભિધાનચિંતામણિ', “અનેકાર્થસંગ્રહ' જેવા સંસ્કૃત કોશ અને દેશીનામમાળા જેવા દશ્ય ભાષાના કોશની રચના કર્યા પછી હેમચંદ્રાચાર્યે નિઘંટુશેની રચના કરી. અનેકાર્થસંગ્રહની ટીકામાં મહેન્દ્રસૂરિએ એવો ઉલ્લેખ કર્યો છે કે પોતાના ગુરુ શ્રી હેમચંદ્રાચાર્ય પાસે વિશાળ ગ્રંથસંગ્રહ હતો અને તેમાં ઘવંતરિનો નિઘંટુ ગ્રંથ પણ હતો. નિઘટશેષના છ કાંડ મળે છે અને આ એક પ્રકારનો વૈદકશાસ્ત્રને માટે ઉપયોગી એવો વનસ્પતિકોશ છે. આ કોશ છ કાંડમાં વહેંચાયેલો છે અને તેની કુલ લોકસંખ્યા ૩૯૬ છે. - ત્રણ સંસ્કૃત કોશોની રચના દ્વારા હેમચંદ્રાચાર્યે સંસ્કૃત શબ્દશાસ્ત્રને વ્યાપમાં લેવા પ્રયાસ કર્યો છે. કોશરચનાની પાછળ ગુજરાતના સરસ્વતીપૂજકોને સહાયરૂપ થવાની તેમની ભાવના તરવરે છે. વળી ધવંતરિ, વ્યાડિ અને ધનપાલના કોશો કાળક્રમે નષ્ટ થયા, પરંતુ એનું દોહન આજે શ્રી હેમચંદ્રાચાર્યના કોશ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. એ દષ્ટિએ પણ આ શબ્દકોશનું મહત્ત્વ છે. “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન'ના આઠમા અધ્યાયમાં મળતા પ્રાકૃત વ્યાકરણને લક્ષમાં રાખીને શ્રી હેમચંદ્રાચાર્યે “દેશીનામમાળા'ની રચના કરી. વ્યાકરણના નિયમાનુસાર શબ્દો સિદ્ધ થતા ન હોય તેમ છતાં ભાષામાં પ્રયોજાતા હોય એવા શબ્દોનો હેમચંદ્રાચાર્યે દેશીનામમાલા'માં સંગ્રહ કર્યો. સંસ્કૃત કે પ્રકૃતિ સાથે સંબંધ ન ધરાવતા દેશ્ય ભાષાઓના શબ્દસંગ્રહ ઉપરાંત સંસ્કૃત અને પ્રકૃત ભાષામાં કાલગ્રસ્થ અથવા તો તદ્દન અપરિચિત બની ગયેલા શબ્દો પણ આમાં સંગ્રહ પામ્યા છે. વળી જેના મૂળ વિશે સંશય હોય તેવા કેટલાક શબ્દોનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ ૭૮૩ ગાથામાં લગભગ ૩,૯૭૮ શબદો આ કોશમાં સંગ્રહિત થયા છે. શબ્દશાસ્ત્ર અને કોશની રચના કર્યા બાદ કલિકાલસર્વજ્ઞની દષ્ટિ કાવ્યશાસ્ત્ર તરફ વળી. સંસ્કૃત અલંકાર ગ્રંથોની પરંપરામાં હેમચંદ્રાચાર્યે કાવ્યાનુશાસન'ની રચના કરી. 'કાવ્યાનુશાસનના મુખ્ય ત્રણ ભાગ છે: (૧)સૂત્ર (૨) વ્યાખ્યા અને (૩) વૃત્તિ. આઠ અધ્યાયમાં લખાયેલા આ ગ્રંથમાં કુલ ૨૦૮ સૂવો છે. સૂત્રોની વ્યાખ્યા કરનારી ચર્ચા ‘અલંકારચૂડામણિને નામે મળે છે. જ્યારે એ વ્યાખ્યાને વિશેષ સ્પષ્ટ કરવા માટે વિવેક નામની ઉદાહરણ સહિતની વૃત્તિ મળે છે. આ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Cજ્ઞાનધારા OC સૂત્ર, વ્યાખ્યા ને વૃત્તિ – ત્રણેના કર્તા શ્રી હેમચંદ્રાચાર્ય છે. - કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે ‘ત્રિષદિશાાપુરુષચરિત્'માં દર્શાવ્યું છે તેમ ‘યોગશાસ્ત્ર’ જેવા ગ્રંથો પોતાના માટે છે, જ્યારે અમુક ગ્રંથો સિદ્વરાજને માટે છે તેમ આ ગ્રંથ ‘હો’ માટે છે. આમાં સામાન્ય અભ્યાસીઓને કાવ્યશાસ્ત્રનો ખયાલ આપવાનો હેતુ રહેલો છે. આથી જ તેમણે જુદી જુદી કક્ષાઓના અભ્યાસીઓને ઉપયોગી નીવડે તે માટે ‘સૂત્ર’, ‘સ્વોપનટીળા’ તેમ જ ‘વિવેચૂડામળિ’ નામની વિસ્તૃત ટીકા આપી છે. આ બાબત પણ તેમના હેતુને વધુ સ્પષ્ટ કરે છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની વિશિષ્ટ કૃતિ છે સંસ્કૃત અને પ્રાકૃત દયાશ્રય. સોલંકીયુગની સંસ્કારિતાને શબ્દબદ્ધ કરતી ગુજરાતની પહેલી અને શ્રેષ્ઠ ગણાય તેવી ઐતિહાસિક કાવ્યકૃતિ ‘શબ્દાનુશાસન’નાં સૂત્રોનાં દૃષ્ટાંતો આપવા માટે ચૌલુક્યવંશની કથાને તેમણે વિષયવસ્તુ તરીકે રાખીને ‘ક્રયાશ્રય' કાવ્યની રચના કરી. વ્યાકરણ અને ઈતિહાસ એમાંથી એકસાથે સહજપણે સિદ્ધ થાય છે તેથી ‘ક્રયાય’ મહાકાવ્ય તરીકે ઓળખાય છે. મહાકાવ્યમાં મળે એવાં ઋતુવર્ણન, રસવર્ણન, અને સૃષ્ટિવર્ણન ઉપરાંત નગર, પ્રભાત, યુદ્ધ, યાત્રા, નદી, રાત્રિ, પર્વત કે વિવાહનાં વર્ણનો પણ મળે છે. દયાશ્રય ‘ભટ્ટિકાવ્ય’નું સ્મરણ કરાવે છે. પાણિનિના વ્યાકરણના નિયમોના ઉદાહરણરૂપે રામાયણની કથા લઈને ભટ્ટિ કવિએ રચના કરી એ જ રીતે ‘સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન’ના વ્યાકરણનાં નિયમોનાં ઉદાહરણ આપણા માટે મૂળરાજ સોલંકીથી કુમારપાળના સમય સુધીના ઈતિહાસને કથાવસ્તુ તરીકે લઈને શ્રી હેમચંદ્રાચાર્યે ‘ક્રયાશ્રય’ની રચના કરી. ‘ચૌલુક્યવંશનું આલેખન થયું હોવાથી ઐતિહાસિક દષ્ટિએ આ કૃતિનું ઘણું મોટું મૂલ્ય છે અને તેથી આ કૃતિ ‘ચૌલુક્યવંશોત્કીર્તન’નામ પણ ધરાવે છે. એ યુગની સામાજિક, ધાર્મિક અને રાજકીય પરિસ્થિતિનું માર્મિક પ્રતિબિંબ આ કાવ્યકૃતિમાં ઝિલાયું છે. સંસ્કૃત ‘દયાશ્રય’ના ૧૪મા સર્ગ સુધીનો ભાગ જયસિંહ સિદ્ધરાજના જીવનકાળ સુધીમાં (અર્થાત્ વિ.સં. ૧૧૯૯માં) પૂર્ણ કર્યો હશે એમ માની શકાય. જ્યારે કુમારપાળના ચરિત્રને આલેખતું પ્રાકૃત ‘હ્રયાશ્રય’ એક સ્વતંત્ર પ્રાકૃત મહાકાવ્ય ગણાયું છે. ૧૭ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ © CRC જ્ઞાનધારા COO સંસ્કૃત ‘ક્રયાશ્રય કાવ્ય એ ગુજરાતની અસ્મિતાનું તેજસ્વી કાવ્ય છે. મહાકવિ કાલિદાસે “રઘુવંશમાં રઘુકુળની કીર્તિને અક્ષર-અમર કરી દીધી તો સંસ્કૃત અને પ્રાકૃત ‘દ્વયાશ્રયમાં હેમચંદ્રાચાર્યે ચૌલુક્યવંશની કીર્તિને અક્ષરદેહ આપ્યો. ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કારિતા અને ગુજરાતી અસ્મિતાનો આલાદક ત્રિવેણી સંગમ આ કૃતિએ રચી આપ્યો. ગુજરાતની રમણીઓ, યોદ્ધાઓ, ઉત્સવો, મેદાનનું શૌર્ય અને દરિયાનું સાહસ - એ બધું દર્શાવીને શ્રી હેમચંદ્રાચાર્ય ધૂમકેતુના શબ્દોમાં કહીએ તો પ્રજાને મહાન થવાની જાણે હમેશાં દીક્ષા આપી રહ્યા હોય તેમ લાગે છે.' સંસ્કૃત ‘દ્વયાશ્રયમાં કવિતાની અપેક્ષાએ ઈતિહાસનું પ્રાધાન્ય જોવા મળે છે, તો પ્રાકૃત દ્વયાશ્રયમાં કાવ્યતત્ત્વનું પ્રાધાન્ય જોવા મળે છે. “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન'માં સાત અધ્યાયમાં સંસ્કૃત ‘દયાશ્રયની રચના થઈ, તો આઠમા અધ્યાયમાં આપેલા પ્રાકૃત ભાષાના વ્યાકરણના નિયમોના દષ્ટાંતરૂપે પ્રાકૃત દ્વયાશ્રય મહાકાવ્યની રચના થઈ. રાજા કુમારપાળને જીવનની કેટલીક ઘટનાઓ આલંબન તરીકે લેવામાં આવી હોવાથી આ કૃતિને મારપારિત’ કહેવામાં આવે છે. આઠ સર્ગ ધરાવતી આ કૃતિના પ્રથમ છ સર્ગમાં મહારાષ્ટ્રીયન પ્રાકૃતનાં ઉદાહરણ અને નિયમો દર્શાવ્યાં છે. બાકીના બે સર્ગોમાં શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકા પૈશાચી અને અપભ્રંશ ભાષાનાં ઉદાહરણ મળે છે. આઠ સર્ગની આશરે ૭૪૭ ગાથમાં અણહિલપુર પાટણ, જિનપ્રતિમા, કુમારપાળના વિજયો, જૈન ધર્મના સિદ્ધાંતોની ગવેષણા તથા મૃતદેવીનો કુમારપાળને અપાયેલો ઉપદેશ આલેખવામાં આવ્યાં છે. મૃતદેવીનો ઉપદેશ જે રીતે કૃતિમાં વણી લેવાયો છે તેનાથી કૃતિની કાવ્યમયતા મહોરી ઊઠી છે. તેમાં શાંત, શૃંગાર અને વીરરસનું મનભર આલેખન મળે છે. વીરરસનું પ્રાધાન્ય હોવા છતાં અન્ય રસોનો તેની સાથે સુભગ સમન્વય સધાયો છે. ભાષાનું સ્વાભાવિક માધુર્ય અને વર્ણનોની ચિત્રાત્મકતા કાવ્યરસિકના હૃદયને સ્પર્શી જાય છે. વળી આમાં કવિએ ઉપમા, ઉભેલા, દીપક, દષ્ટાંત, રૂપક અને અતિશયોક્તિ જેવા અલંકારોની સુંદર યોજના કરી છે. ‘ત્રિષષ્ટિશાલાકાપુરષચરિત્ર' એટલે ત્રેસઠ શલાકાપુરુષોનાં ચરિત્ર. ભગવાન For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ OC જ્ઞાનધારા 006 ઋષભદેવથી માંડીને મહાવીરસ્વામી સુધીના ચોવીસ તીર્થંકર; ભરત, સગર, સનતકુમાર, સુભૂમ, હરિપેણ જેવા બાર ચક્રવતી, કૃષ્ણ, ત્રિપૃઇ, સ્વયંભૂ દત્ત, નારાયણ વગેરે નવ વાસુદેવ; અચલ, વિજય, સુદર્શન, આનંદ, રામ અને નંદન વગેરે નવ બળદેવ; રાવણ, પ્રફ્લાદ, જરાસંઘ, બલિ વગેરે નવ પ્રતિ વાસુદેવ - એમ કુલ ત્રેસઠ શલાકાપુરુષોનાં ચરિત્રો આ કાવ્યગ્રંથમાં આલેખાયાં છે. જે મહાપુરુષોના મોક્ષ વિશે હવે સદેહ નથી એવા પ્રભાવક પુરુષોને શલાકા પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. કુમારપાળ મહારાજાની વિનંતી સ્વીકારીને મહાભારત અને પુરાણોની બરાબરી કરી શકે તેવો ૩૬,૦૦૦થી વધુ શ્લોકોમાં લખાયેલો આ કાવ્યગ્રંથ છે. આ કાવ્યગ્રંથની રચના અનુરુપ છંદમાં દસ પર્વોમાં કરવામાં આવી છે. પ્રથમ પર્વમાં ઋષભદેવ તીર્થંકર અને ભરત ચક્વનું જીવન વર્ણવાયું છે અને છેલ્લા દસમા પર્વમાં મહાવીર સ્વામીનું ચરિત્ર વિગતે નિરૂપાયું છે. વિશાળ સાગર જેવા આ ગ્રંથમાં મહાપુરુષોનાં ચરિત્રો ઉપરાંત બીજી અનેક નાની-મોટી પૌરાણિક આખ્યાયિકાઓ છે. ઈતિહાસ અને તત્ત્વજ્ઞાન, ધાર્મિક અને સામાજિક ઉત્સવો, રીતરિવાજો, દેશસ્થિતિ, લોકોની રીતભાત અને ગુજરાતની પરિસ્થિતિ વગેરેનું તાદશ નિરૂપણ થયું છે. શ્રી મોતીચંદ કાપડિયાએ નોંધ્યું છે કે આ ગ્રંથ સાવંત વાંચવામાં આવે તો સંસ્કૃત ભાષાના આખા કોશનો અભ્યાસ થઈ જાય તેવી રીતે રચયિતાએ એની ગોઠવણ કરી છે.. “રિષષ્ટિશલાકાપુરષચરિત્ર’ એટલે જૈન કથાનકો, ઈતિહાસ પૌરાણિક કથાઓ, જૈન સંપ્રદાયના સિદ્ધાંતો અને તત્ત્વજ્ઞાનનો સર્વસંગ્રહ દ્વયાશ્રય કરતાં આ ગ્રંથમાં રચયિતાએ વિશેષ વૈવિધ્ય સાધ્યું છે અને આની રચના ઉત્તરાવસ્થામાં થઈ હોવાથી એક પ્રકારની પ્રૌઢતા પણ તેમાં જોવા મળે છે. આની પ્રાપ્તિમાં મહારાજા કુમારપાળે શ્રી હેમચંદ્રસૂરિને નીચે પ્રમાણે વિનંતી કરી , " પૂર્વે મારા પૂર્વજ સિદ્ધરાજની ભક્તિયુક્ત યાચનાથી આપે વૃત્તિથી યુક્ત એવું સાંગ વ્યાકરણ રચેલું છે તેમ જ મારે માટે નિર્મળ યોગશાસ્ત્ર રચેલું છે અને લોકોને માટે તયાશ્રયકાવ્ય છદોનુશાસન કાવ્યાનુશાસન અને નામસંગ્રહ પ્રમુખ બીજો શાસ્ત્રો પણ રચેલાં છે. તે સ્વામી, જોકે તમે સ્વયમેવ લોકોના ઉપર ઉપકાર કરવાને અર્થે સજ્જ થયા છો, તથાપિ મારી પ્રાર્થના છે કે મારાં જેવા ભાષ્યોને પ્રતિબોધ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ C જ્ઞાનધારા થવાને માટે આપ ત્રિષષ્ટિશલાકાપુરુષોનાં ચરિતને પ્રકાશ કરો. આ રીતે ધર્મોપદેશના પ્રયોજનથી ગ્રંથની રચના હેમચંદ્રાચાર્યે કરી છે. ઉત્તરાવસ્થામાં આવો વિરાટ ગ્રંથ રચવો તે કોઈ સામાન્ય બાબત નથી. ધાર્મિક દૃષ્ટિએ આમાંથી જૈન ધર્મ, તત્ત્વજ્ઞાન અને પ્રણાલીનો પરિચય પ્રાપ્ત થાય છે. તો ઐતિહાસિક દષ્ટિએ પણ દસમા પર્વના બે વિભાગો અત્યંત ઉપયોગી છે. છંદ, અલંકાર, ક઼ાવ્યશાસ્ત્ર કે શબ્દશાસ્ત્રની દૃષ્ટિએ આ મહાકાવ્ય અભ્યાસીઓને મબલખ સામગ્રી પૂરી પાડે છે. કવિના મુખેથી કાવ્યપંક્તિઓ છંદોબદ્ધ વાણીમાં કેટલી સરળ અને પ્રવાહી રીતે વહેતી હશે તેની પ્રતીતિ આ મહાકાવ્ય કરાવે છે. શ્રી મધુસૂદન મોદી નોંધે છે, “શ્રી હેમચંદ્રાચાર્યનું કલિકાલસર્વજ્ઞનું બિરુદ આ એકલો ગ્રંથ પણ સિદ્ધ કરી શકે એવો એ વિશાળ, ગંભીર, સર્વદર્શી છે.’’ ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'ન રચના કર્યા પછી હેમચંદ્રાચાર્યે તેર સર્ગમાં પરિશિષ્ટ પર્વની રચના કરી. આ ગ્રંથનાં એમણે પૂર્વાચાર્યોએ રચેલા ગ્રંથોનો આધાર લઈ આમાંની ઘણી માહિતી એકત્રિત કરી લીધી છે. આમાં ભગવાન મહાવીરના નિર્વાણ પછીના સુધર્મસ્વામી, જંબુસ્વામી, ભદ્રબાહુસ્વામી, વજ્રસ્વામી વગેરે જૈન પરંપરાના સાધુઓનો વૃત્તાંત બીજી અનેક નાની-મોટી કથાઓ સાથે વર્ણવવામાં આવ્યો છે. શ્રેણિક, સંપ્રતિ, ચંદ્રગુપ્ત, અશોક વગેરે રાજાઓનો ઈતિહાસ એમણે તેમાં ગૂંથી લીધો છે. ‘ત્રિપુષ્ટિશલાકાપુરુષચરિત્ર’નાં દસ પર્વ પછી એના જ અનુસંધાનમાં એ જ શૈલીએ લખાયેલાં આ ચરિત્રોને ગ્રંથકર્તાએ ‘પરિશિષ્ટપર્વ’ તરીક ઓળખાવ્યાં છે. અનુષ્ટુપ છંદમાં કુલ ૩૪૫૦ શ્લોકો આપ્યા છે. જંબુસ્વામી અને સ્થૂળભદ્રનાં ચરિત્રો ધ્યાનપાત્ર છે. આમાં માત્ર આચાર્યોની નામાવલિ આપવાને બદલે એને સંબંધિત નાની-મોટી કથાઓ પણ મૂકી છે. જ ‘પ્રમાણમીમાંસા’ એ શ્રી હેમચંદ્રાચાર્યનો પ્રમાણશાસ્ત્ર વિશેનો પાંચ અધ્યાયનો ગ્રંથ છે. આમાં પ્રમાણલક્ષણ, પ્રમાણવિભાગ, પરોક્ષલક્ષણ, પરાર્થાનુમાન, હેત્વાભાસ, વાદલક્ષણો વગેરેની પારિભાષિક ચર્ચા જૈન સૂત્રસિદ્ધાંતો અને જૈન ન્યાયશાસ્ત્રને લક્ષમાં રાખીને કરવામાં આવી છે. આ ગ્રંથ એમના સમયમાં વાદાનુશાસન તરીકે ઓળખાતો હતો. તેના પર પોતે જ ટીકા લખી. જોકે, અત્યારે તો બીજા અધ્યાયના પ્રથમ આનિક સુધીનો ભાગ જ પ્રાપ્ય છે. આ કૃતિ અપૂર્ણ ૨૦ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ © C જ્ઞાનધાર 02 ©© હોવાને કારણે શ્રી હેમચંદ્રાચાર્યની છેલ્લી કૃતિ હશે તેવું અનુમાન થઈ શકે ખરું? લોકહિતની દષ્ટિએ રચાયેલા આ ગ્રંથની સંપૂર્ણ પ્રત પ્રાપ્ત થાય તો છયે દર્શનનું શ્રી હેમચંદ્રાચાર્યના જ્ઞાનનું નવનીત પામી શકાય. સિદ્ધસેન દિવાકર અને હરિભદ્રસૂરિની સત્યશોધક દષ્ટિ શ્રી હેમચંદ્રાચાર્યમાં હતી એની પ્રતીતિ આ ગ્રંથ કરાવે છે. આમાં અનેકાંતવાદ તથા નયવાદનું શાસ્ત્રીય નિરૂપણ આપણું ધ્યાન ખેંચે છે. પરમત-સહિષ્ણુતાની દષ્ટિ દર્શનજગત અને તર્કસાહિત્યને પ્રમાણમીમાંસા' માંથી સાંપડે છે. સંપ્રદાયની વૃદ્ધિ અર્થે લખાયેલો આ ગ્રંથ એ રીતે સંપ્રદાયાતીત બની જાય છે. યુવાન વયમાં અજ્ઞાતવાસને કારણે કુમારપાળને અનેક સાધુઓનો સમાગમ થયો અને તેથી યોગ પર પ્રીતિ જાગી. પચાસ વર્ષની વયે ગાદી પર આવેલા કુમારપાળની યોગશાસ્ત્રની જિજ્ઞાસાને પરિતૃપ્ત કરવા માટે હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રની રચના કરી હતી. ગ્રંથરચનાનું નિમિત્ત કુમારપાળ હોવા છતાં તેનો હેતુ તો ભવ્યજનોને બોધ મળે તેવો રાખવામાં આવ્યો અને તેથી સરળ ભાષામાં રોચક દષ્ટાંતો સાથે પોતે તેની વિસ્તૃત ટીકા રાચી. શાસ્ત્ર, સરની વાણી અને આત્માનુભવ – એ ત્રણ યોગશાસ્ત્રની રચનાનાં સાધનો બન્યાં. આચાર્ય અનુભવસિદ્ધ અને શાસ્ત્રનિશ્ચિત માર્ગ જ દર્શાવે એ રીતે હેમચંદ્રાચાર્ય આ શાસ્ત્રની રચના યોગસિદ્ધાંતને વિશ્વસનીય રીતે પ્રતિપાદન કરવાની પ્રતિજ્ઞા કરવાની પ્રતિજ્ઞા સાથે કરી. ગૃહસ્થજીવનને ઉત્કર્ષકારક ક્રમમાંથી પસાર કરી તેને યોગમય જીવનમાં લઈ જવું તે યોગશાસ્ત્રનો હેતુ છે. હેમચંદ્રાચાર્યે તેના માર્ગદર્શરૂપ રોચક ઉપદેશ અનેક પ્રચલિત વાર્તાઓ ગૂંથીને આપ્યો છે. ઉપદેશની વ્યાપકતા અને સર્વગમ્યતાએ આ ગ્રંથને અન્ય ધર્મોમાં પણ પ્રિય બનાવ્યો છે. આ યોગશાસ્ત્ર બે ભાગમાં વિભક્ત છે. એકથી ચાર પ્રકાશના એના પ્રથમ ભાગમાં ગૃહસ્થને ઉપયોગી એવા ધર્મનો ઉપદેશ કરવામાં આવ્યો છે. બીજા ભાગમાં અર્થાત્ પાંચથી બાર પ્રકાશમાં પ્રાણાયામ આદિ યોગના વિષયોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ બાર પ્રકાશમાં ૧૦૧૩ શ્લોકો મૂકવામાં આવ્યા છે. હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્ર પર પોતે જ વૃત્તિ લખી છે અને તેમાં એમણે મહાભારત, મનુસ્મૃતિ, ઉપનિષદો વગેરે ગ્રંથનાં અવતરણો આપ્યાં છે. પોતાના ગુર દેવચંદ્રસૂરિના ગ્રંથમાંથી પણ અવતરણો . • ૨૧ ૧૭ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ . OCLC જ્ઞાનધારા CSC0 લીધાં છે. જોકે, આવો કોઈ ગ્રંથ ઉપલબ્ધ નથી. આ યોગશાસ્ત્રને અધ્યાત્મોપનિષદ કહેવામાં આવે છે. - આ યોગશાસ્ત્રમાં વિવિધ દષ્ટાંતો સહિત યોગના વિષયનું સરળ અને રોચક નિરૂપણ મળે છે. માર્ગાનુસારીનાં પાંત્રીસ ગુણો, સમ્યકત્ત્વનાં લક્ષણો, મહાવ્રતો, અણુવ્રતો, સંસારનું સ્વરૂપ, પાયો, બાર ભાવના, મૈત્રી વગેરે ચાર ભાવના, દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યની એકતા, સ્વપ્નો, પરકાયાપ્રવેશ જેવી સિદ્ધિઓ તથા યમ, નિયમ, પ્રાણાયામ, ધારણા, ધ્યાન આદિ વિષયોની વિશદ ચર્ચા કરવામાં આવી છે. વળી પતંજલિના “અષ્ટાંગયોગનો સાધુઓનાં મહાવ્રતો તેમ જ ગૃહસ્થોનાં બાર વ્રતોની સાથે સુમેળ સાધ્યો છે. આ કૃતિને અંતે કલિકાલસર્વજ્ઞ પોતાના આત્માને કેવો માર્મિક ઉપદેશ આપે તો 'तांस्तानापरमेश्वरादपि परान् भावैः प्रसादं नयं- . . स्तैस्तैस्तत्तदुपायमूढ भगवन्नात्मन् किमायास्यसि । हन्तात्मानमपि प्रसादय मनाग्वेनासतां संपदः साम्राज्यं परमेऽपि तेजसि तव प्राज्यं समुज्जृम्भते ॥' હે ઉપાયમૂઢ, હે ભગવાન, હે આત્મન, પરમેશ્વરથી જુદા જુદા ભાવો માટે શા માટે શ્રમ કર્યા કરે છે? જો તું આત્માને થોડો પ્રસન્ન કરે તો આ સંપત્તિઓ શી વિસાતમાં છે? તારા પરમ તેજની અંદર જ વિશાળ સામ્રાજ્ય વ્યાપી રહેલું છે. જૈન તત્ત્વજ્ઞાન અને જૈન આચારને દર્શાવતો યોગશાસ્ત્ર ગ્રંથ રાજા કુમારપાળને ખૂબ ગમી ગયો હતો. પોતાના જીવનના અંતકાળ સુધી એમણે એવો નિયમ રાખ્યાનું કહેવાય છે કે સવારે યોગશાસ્ત્ર ગ્રંથનો પાઠ-સ્વાધ્યાય કર્યા પછી જ દિનચર્યાનો આરંભ કરવો. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય પાસેથી સ્તોત્ર પ્રકારની કેટલીક રચનાઓ મળે છે. કેટલાક સ્તોત્ર ભક્તિથી આર્ટ છે તો કેટલાક તકયુક્ત પૌઢિથી લખયેલાં નારિકેલપાક સામાં સ્તોત્ર છે. શ્રી હેમચંદ્રાચાર્યની સ્તોત્રરચનામાં લાગણીનો ઉક જ નથી, બલકે ઉત્કટ લાગણી સાથે જ્ઞાનને છાજતો સંયમ સુમિશ્રિત થયેલો છે. આમાં એમની દઢ શ્રદ્ધા પણ પ્રતીત થાય છે. એમની આ શ્રદ્ધા તત્ત્વજ્ઞાનની ઊંડી સમજ અને અધ્યાત્મ-અનુભવથી રસાયેલી છે. છમાં ૨૨ ભs For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૭CC જ્ઞાનધારા OS 2000 | ‘અયોગ-વ્યવચ્છેદિકઢાવિંશિકા અને અન્યયોગવ્યવદઢાત્રિકા' નામની બે દ્વાર્વિશિકા લખી છે તે સિદ્ધસેન દિવાકરની એવી કૃતિઓની રચનાની શૈલીએ લખી છે. ૩૨ શ્લોકની આ રચનાઓમાં બનેમાં ૩૧ શ્લોક ઉપજાતિ છંદમાં અને છેલ્લો શ્લોક શિખરિણી છંદમાં છે. આ બંનેમાં ભગવાન મહાવીરની સ્તુતિ આપવામાં આવી છે. આનું સ્તુતિની દષ્ટિએ જેટલું મહત્ત્વ છે તેથી વિશેષ મહત્ત્વ એમાંના કાવ્યત્વ માટે છે. આ બંને બત્રીસીઓ તત્ત્વજ્ઞાનથી ગર્ભિત છે અને તેમાં જુદાં જુદાં દર્શનોની ઝીણવટભરી સમીક્ષા હોવાથી બુદ્ધિવાદીઓને તે વિશેષ ગમે છે. તેનું રચનાકૌશલ અને ભાષાલાલિત્ય પણ ધ્યાન ખેંચે છે. “અયોગ-વ્યવચ્છેદિકાદ્રાવિશંકા' માં એમણે જૈન દર્શનની વિગતપૂર્ણ અને વિશેષતાભરી મહત્તા દર્શાવી છે. એમણે કહ્યું છે કે વીતરાગથી ચઢિયાતું કોઈ દર્શન નથી અને અનેકાન્ત વિના બીજો કોઈ શ્રેષ્ઠ ન્યાયમાર્ગ નથી. આ સ્તોત્રમાં અન્ય મતવાદીઓના શાસ્ત્રને સદોષ ઠરાવીને તેજસ્વી વાણીમાં જિન શાસનની મહત્તા દર્શાવી છે. આ સ્તોત્રના અને એમની સમદર્શિતા વ્યક્ત કરે છે અને જિન શાસન જ પ્રામાણિક હોઈને તેનું ગૌરવ દર્શાવે છે. આમાં સરળ અને મધુર શબ્દોમાં ભગવાન મહાવીર પ્રત્યેની ભક્તિ અને જિન શાસનની ગુણઆરાધના કરવામાં આવી છે. “અન્યોગવ્યવચ્છેદદ્વાર્વિશિકામાં ભગવાન મહાવીરના અતિશયો વર્ણવીને પછી ન્યાય, વૈશેષિક, મીમાંસા, વેદાન્ત, સાંખ્ય, બૌદ્ધ અને ચાર્વાક એ અન્ય દર્શનોની સમીક્ષા કર્યા પછી જૈન દર્શનના સ્યાદ્વાદની મહત્તા દર્શાવી છે. આ કૃતિ પર ૧૪મી સદીમાં મલ્લિષણે સ્યાદ્વાદમંજરી નામે ટીકા લખી જે આ સ્તોત્રની દાર્શનિક પ્રૌઢિને સચોટ રીતે બતાવી આપે છે. જૈન સિદ્ધાંતના અભ્યાસીઓ માટે આ 'સ્યદ્વાદમંજરી'નું અનન્ય મહત્ત્વ છે. આ બંને દ્વાર્વિશિકા કરતાં વીતરાગસ્તોત્રનો પ્રકાર જુદો છે. વીતરાગસ્તોત્ર'માં ભક્તિભાવથી ઉછળતું. હદય પ્રગટ થાય છે. વીસ વિભાગમાં વહેંચાયેલા વીતરાગસ્તોત્ર'ના દરેક વિભાગને પ્રકાશ એવું નામ આપવામાં આવ્યું છે અને એના વીસ પ્રકાશમાં કુલ ૧૦૮ શ્લોકો છે. આમાં ક્યાંક શ્રી હેમચંદ્રાચાર્યની દાર્શનિક પ્રતિભા પ્રગટે છે, પણ મુખ્યત્વે તો એમાં ભક્તહૃદય જ પ્રગટ થાય છે. આ સ્તોત્રની રચના કુમારપાળ રાજા માટે કરી હતી. વીતરાગ સ્તોત્ર ભક્તિનું એક મધુર For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ O 0 C જ્ઞાનધારા O કાવ્ય બની ગયું છે. ભક્તિની સાથે જૈન દર્શન પણ તેમાં અનુસ્મૃત છે. એમની સમન્વયાત્મક અને વ્યાપક દૃષ્ટિનો પરિચય પણ થાય છે. આમાં રસ, આનંદ અને આર્જવ છે. આ સ્તોત્ર અનુષ્ટુપ છંદમાં વહે છે અને ભક્તિનો એક મધુર અનુભવ કરાવે છે. આથી જ સ્તોત્રસાહિત્યમાં આ હૃદયસ્પર્શી સ્તોત્ર ઊંચું સ્થાન ધરાવે છે. જો મહાદેવ વિરક્તિવાળા હોય, વીતરાગ હોય તો તે અમારે મન જિન છે એવા ભાવ સાથે કલિકાલસર્વજ્ઞ થી હેમચંદ્રાચાર્યનું અનુષ્ટુપ અને આર્યા છંદમાં લખાયેલું ૪૪ શ્લોકોનું આ સ્તોત્ર અગાઉનાં ત્રણ સ્તોત્ર જેવી પ્રૌઢિ ધરાવતું નથી. આનો છેલ્લો શ્લોક આર્યા છંદમાં લખાયેલો છે. હરિભદ્રસૂરિએ મહાદેવાષ્ટક લખ્યું હતું એ જ પ્રણાલીને અનુસરીને હેમચંદ્રાચાર્યે આ જ સ્તોત્ર લખ્યું હોય એ સંભવિત છે. મહાદેવનું સ્વરૂપ કેવું હોવું જોઈએ તે વિવિધ લક્ષણો વડે દર્શાવ્યું છે. સિદ્ધરાજ અને શ્રી હેમચંદ્રાચાર્ય સોમનાથના મંદિરમાં ગયા હતા ત્યારે આનો છેવટનો શ્લોક સોમનાથની પૂજા વખતે કહ્યો હતો તેમ પ્રબંધકારોનું માનવું છે. આ શ્લોક છે : 'भव बीजाड्कुरजननां रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा या विष्णुर्वा, हरो जिनो वा नमस्तष्मै ॥' “જન્મરૂપી બીજના અંકુરને જન્મ આપનારા રાગાદિ જેના ક્ષય પામ્યા છે તે બ્રહ્મા, વિષ્ણુ, શિવ કે જિન તેને નમસ્કાર હજો !’’ આ ઉપરાંત ૩૫ શ્લોકોનું ‘સકલાર્હત્ સ્તોત્ર’ મળે છે, જેમાં મુખ્યત્વે તીર્થંકરોની સ્તુતિ છે. આ બધી કૃતિઓ ઉપરાંત ‘અર્હન્નામસમુચ્ચય’, ‘અર્હન્નીતિ’ જેવી કેટલીક સંદિગ્ધ કૃતિઓ શ્રી હેમચંદ્રાચાર્યને નામે ચડેલી મળે છે તેમ જ ‘અનેકાર્થશેષ’, ‘પ્રમાણશાસ્ત્ર’, ‘શેષસંગ્રહનામમાલા’, ‘સપ્તસંધાન મહાકાવ્ય’ જેવી કલિકાલસર્વજ્ઞની રચેલી ગણાતી અનુપલબ્ધ કૃતિઓ કોઈ સંશોધકની રાહ જોઈને બેઠી છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના જોતાં જણાય છે કે તેઓ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના મહાન સર્જક, સંગ્રાહક અને સંયોજક હતા. એમની રચનાઓમાં એક બાજુ પોતીકી અસ્મિતા, સોલંકીયુગની ગરિમા અને સરસ્વતીપૂજકની યુયુત્સા પ્રગટ થાય છે તો બીજી બાજુ તર્ક, વિચાર, વ્યાકરણ, ૨૪ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ TO © જ્ઞાનધાર ૭૦ સાહિત્ય, દર્શન સુધીનો વ્યાપ મળે છે. કવિ, સંપાદક, કોશકાર, વ્યાકરણશાસ્ત્રી, ઈતિહાસકાર અને સમાજસુધારકથી માંડીને યોગનાં ઊંચાં શિખરો સુધી એમની દષ્ટિ ફેલાયેલી છે અને બધે જ એમની પ્રતિભા સમર્થપણે વિહરે છે. એમનો વિપુલ ગ્રંથભંડાર વિશાળ જ્ઞાનકોશ જ લાગે. એમની કૃતિઓ એટલી બધી છે કે કોઈ એક વ્યક્તિ આજીવન નહિ બલકે કેટલીય વ્યક્તિઓ એકસાથે મળીને જીવનભર સંશોધન કરે એટલું રચના સામર્થ્ય એમાં છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનું ગંભીર જ્ઞાન, ઉચ્ચ સાધુતા, સ્વ-પરશાસ્ત્રોમાં પારંગતતા, વ્યવહારકુશળતા અને રાજનૈતિક દક્ષતા દષ્ટિગોચર થાય છે. એમણે વિદ્વત્તા સાથેની સાધુતાની ઊંચી કિંમત અંકાવી છે. આથી જ ડૉ. પિટર્સને એમનાં જીવનકાર્ય વિશે આશ્ચર્ય વ્યક્ત કરતાં શ્રી હેમચંદ્રાચાર્યને જ્ઞાનનો મહાસાગર (Ocean of Knowledge) કહ્યા હતા. પં. બેચરદાસ દોશી એમના અગાધ પાંડિત્યપૂર્ણ વ્યક્તિત્વને જીવંત શબ્દકોશ' કહીને અંજલિ આપે છે. તો મુનિ પુણ્યવિજયજી એમની સર્વધર્મસમભાવ અને અનેકાંત દષ્ટિને જોઈને તેમને સ્યાદ્વાદવિજ્ઞાનમૂર્તિ તરીકે ઓળખાવે છે. કનૈયાલાલ મુનશી અને ધૂમકેતુ જેવા ગુજરાતના પ્રથમ પંક્તિના સર્જકોએ પણ એમની સાહિત્યોપાસનાને ભવ્ય અંજલિ અર્પી છે. શ્રી કનૈયાલાલ મુનશી શ્રી હેમચંદ્રાચાર્યની ગુજરાતના સાહિત્યસ્વામીઓના, શિરોમણિ અને ગુજરાતની અસ્મિતાનો પાયો નાખનાર જ્યોતિર્ધર' તરીકે ઓળખ આપે છે, જ્યારે શ્રી હેમચંદ્રાચાર્યના ચરિત્રકાર શ્રી ધૂમકેતુ એમને હરકોઈ જમાનાના મહાપુરુષ તરીકે આદર આપે છે. કેટલાકે શ્રી હેમચંદ્રાચાર્યને સિદ્ધસેન દિવાકર અને આર્ય સુહસ્તિના અનુગામી તરીકે જોયા છે, તો કોઈએ એમની સાહિત્યસેવાને અનુલક્ષીને બીજા પતંજલિ, પાણિનિ, મમ્મટ, પિંગલાચાર્ય, ભઢિ કે અમરસિંહ કોશકાર તરીકે ઓળખાવવાનો પ્રયત્ન કર્યો છે. જુદાં જુદાં ક્ષેત્રની એમની સિદ્ધિને માટે એમણે જુદાં જુદાં વિશેષણો પ્રયોજ્યાં છે. છેવટે કાલિકાલસર્વજ્ઞ કહીને આ એક વિશેષણમાં બધાં વિશેષણોનો સમાવેશ કરવામાં આવ્યો. જોકે, દીવાન બહાદુર કૃષ્ણલાલ મો. ઝવેરી તો કહે છે કે કલિકાલસર્વજ્ઞ કરતાં પણ વધુ ઉચ્ચતા દર્શાવતું વિશેષણ વાપરો તો પણ તેમાં સહજે અતિશયોક્તિ કહેવાશે નહિ. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ COYO સાંપ્રત સમયમાં આનિક વીજળીનાં સાધનોનો યથાયોગ્ય ઉપયોગ તથા તેના વપરાશની મર્યાદા તથા વિવેક ♦ ચમનલાલ વોરા (૧) આજથી ૧૦૦ વર્ષ પહેલાં વીજળી ઘણાં ગામ તથા શહેરોમાં લગભગ હતી જ નહીં. તેથી તેના ઉપયોગ માટેની જરૂરિયાત પણ નહોતી. | ઘાટકોપર શ્રી સંઘના પૂર્વપ્રમુખ શ્રી ચમનભાઈ છેલ્લાં ૫૦ વર્ષથી મુંબઈની ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.દાયકાઓથી સંઘસંચાલન અને વૈયાવચ્ચમાં તેઓશ્રીનું ઉત્કૃષ્ટ યોગદાન છે. જ ૧૦૦ વર્ષ પહેલાં આપણાં જૈન કુટુંબો ગામડામાં વસતાં અને ગામની રહેણીકરણી પ્રમાણે તેઓ પોતાનો જીવનવ્યવહાર તથા ધર્મધ્યાન આરામથી કરી શક્તા હતા. તે જ પ્રમાણે સાધુ-સંતો પણ નાનાં-મોટાં ગામડાંમાં શેષકાળ માટે અથવા ચાતુર્માસ માટે વિચરતા હતા. તે સમયમાં જૈન સમુદાય અને શ્રોતાજન પ્રમાણમાં નાના હતા. તેથી સાધુ-સંતોની વાણી દરેક શ્રોતાજન બરાબર સાંભળી શકતા હતા અને શ્રાવકો સાધુ-સંતોની વૈયાવચ્ચ પણ બરોબર કરતા હતા. સમય જતાં આપણા જૈનો ગામડાંમાંથી નીકળી જઈને નાનાં શહેરોમાં કામધંધા માટે વસવા માટે આવ્યા અને ધીમેધીમે તેઓની સંખ્યામાં પણ સારો એવો વધારો થતો ગયો. સાધુ-સંતોનાં પ્રવચનો દરમિયાન શ્રોતાવર્ગ પ્રમાણમાં થોડો મોટો થયો હતો, પરંતુ સાધુ-સંતોનાં પ્રવચન તથા વાણી શ્રોતાજન બરોબર સાંભળી શક્તા હતા. જૈનોની વસતિ અલગઅલગ ગામમાં નાના-મોટા પ્રમાણમાં વધવા લાગી અને સાધુ-સંતો પણ વિહાર કરીને નાનાં શહેરોમાં પણ ચાતુર્માસ તથા શેષકાળમાં પધારતા હતા. (૨) નાનાં ગામમાં જૈન સમુદાય નાનો હોવાથી આપણાં શ્રાવક-શ્રાવિકાઓ સાધુ-સંતોની નિકટમાં રહેતાં હતાં તેથી સાધુ-સંતો તથા શ્રાવક-શ્રાવિકાઓની એકબીજાં સાથેની ઓળખાણ તથા પરિચય વિશેષ પ્રમાણે થતો હતો. જૈન સમુદાય નાનો હોવાને કારણે સાધુ-સંતોના ચરણકમળમાં વંદના-નમસ્કાર કરીને ઘણાં શ્રાવકશ્રાવિકાઓ આશીર્વાદ મેળવી શકતાં હતાં. સમય અને સંજોગોના પ્રવાહ સાથે વધારે સ્થળાંતર થવા લાગ્યું અને જૈન ૨૬ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ O C જ્ઞાનધારા કુટુંબો મોટાં શહેરમાં વસતાં થયાં. શહેરોમાં જૈનોની વસતિ વધવાને કારણે ઉપાશ્રયો મોટા થતા ગયા અને શ્રોતાજનોની હાજરી ઉપાશ્રયમાં પ્રમાણમાં વધવા લાગી. આ સમય દરમિયાન વીજળીનાં સાધનો પણ દરેક જગ્યાએ મળતાં થયાં. વીજળી મળવાને કારણે લાઉડસ્પીકરનો ઉપયોગ શરૂ થયો. (૩) પરિવર્તન એ વિકાસનું અગત્યનું અંગ છે, કાળના પ્રવાહ સાથે રીતરિવાજો તથા માન્યતાઓમાં પરિવર્તન અને ફેરફાર આવ્યાં કરે છે. વીજળીનાં અનેક સાધનો જેવા કે લાઉડસ્પીકર, પંખા, રેડિયો, સેલવાળી ઘડિયાળ, ટીવી, વીડિયો, કૅમેરા તથા મોબાઈલ વગેરે આવ્યાં અને તેનો ઉપયોગ શ્રાવક સમાજમાં થવા લાગ્યો. આ ઉપરાંત છેલ્લાં ૨૦થી ૨૫ વર્ષમાં ટેલિવિઝન અને મોબાઈલ વગેરેની શોધખોળથી પ્રમાણમાં ઘણા મોટા ફેરફાર થયા અને આ બધાં સાધનોનો જરૂર પ્રમાણે જૈન શ્રાવકો પોતાના ઘરમાં ઉપયોગ કરતા થયા. (૪) આજથી લગભગ ૨૫-૩૦ વર્ષ પહેલાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પાટી/પેન તથા નોટબુકની મદદથી ભણતા હતા અને કૉલેજના વિદ્યાર્થી એક્સરસાઈઝ બુક, પેન-પેન્સિલની મદદથી ભણતા હતા. ભણવાનાં ઉપર મુજબનાં સાધનોમાં કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રિસિટીની જરૂર પડતી નહીં. સમજ જતા ભણવા માટે અનેક પ્રકારનાં ઇલેક્ટ્રિક સાધનો મળવા લાગ્યાં. તેમાં બૅટરીના પાવરથી ચાલતું કેલક્યુલેટર અને ઇલેક્ટ્રિક પાવરથી ચાલતું કૉમ્પ્યુટર તથા લૅપટૉપ. લૅપટૉપનો ઉપયોગ વિદ્યાર્થીઓ કૉલેજમાં ભણવા માટે કરતા થઈ ગયા. હાલના સમયમાં બચપણથી જ બાળકોને કૉમ્પ્યુટર દ્વારા ભણાવવાનું ચાલુ થઈ ચૂક્યું છે. ઘણીબધી શાળાઓમાં શાળાના શિક્ષકોને બદલે ઑડિયો વિઝ્યુઅલ કૅસેટ દ્વારા ભણાવવામાં આવે છે. હાલની જુવાન પેઢી ઈલેક્ટ્રિક સાધનો દ્વારા ભણીને તૈયાર થઈ રહેલ છે આ બધા વિદ્યાર્થીઓ વીજળીનાં સાધનોનો ઉપયોગ કરવા ઇચ્છે એ સ્વાભાવિક છે. શાળા તથા કૉલેજમાં ઇલેક્ટ્રિક સાધના દ્વારા ભણવા માટે સ્વૈચ્છિક પરિવર્તનો આવ્યાં એ હકીકત છે. વિદ્યાર્થીઓ અનેક જાતની માહિતી કૉમ્પ્યુટર તથા ઇન્ટનેટ મારફ્તે સહેલાઈથી મેળવી શકે છે. શાળા તથા કૉલેજનું આ પરિવર્તન ઇલેક્ટ્રિક સાધનો દ્વારા અપાતું શિક્ષણ સમાજે નિ:સંકોચ સ્વીકારેલ છે. વિકાસ માટે પરિવર્તન સ્વીકારવું જોઈએ તે હકીકત ઉપરના લખાણથી સારી રીતે સમજી શકાય છે. ૨૭ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ OCC જ્ઞાનધારા થ000 (૫) પત્રવ્યવહારની બાબતમાં વિચારીએ તો આપણે બધા થોડાં વર્ષો પહેલાં હાથથી લખીને અથવા ટાઈપ કરીને પત્રવ્યવહાર કરતા હતા અને તેવા પત્રો પોસ્ટ મારફત મોકલતા હતા. અત્યારના સમયમાં હાથથી લખવાની પ્રથાય લગભગ બંધ થઈ ગઈ છે અને તેની જગ્યાએ કોમ્યુટર, ઈ-મેઈલ, એસએમએસ દ્વારા પત્રવ્યવહાર થઈ રહ્યો છે. આ બધા વ્યવહારમાં વિજળી જ અગત્યની છે. જો અચાનક વીજળી બંધ થઈ જાય તો ઉપરનાં બધાં સાધનો પ્રાણ વગરનાં થઈ નિઃસહાય અને નકામાં થઈ જાય છે. માનવજીવનના વિકાસમાં વીજળી બહુ જ અગત્યનું કામ કરે છે તે હકીકતને શ્રાવક સમાજે તથા સાધુ-સંતોએ સ્વીકારવી જોઈએ. (૬) સમય જતાં શહેરના પ્રમાણમાં ઉપાશ્રયમાં અને તે શહેરમાં રહેતા જૈનોની સંખ્યા તથા શ્રોતાજનોની હાજરી વધવા લાગી. સાધુ-સંતો પોતાની શક્તિ પ્રમાણે પોતાના અવાજથી પ્રવચનો આપે તેથી નજદીક બેઠેલા શ્રોતાજનો જ વ્યાખ્યાનવાણી સાંભળી શકે છે અને તેનો લાભ મેળવે છે. બાકી દૂર બેઠેલા શ્રોતાજનોને બહુ જ ઓછું સાંભળવા મળે છે તેથી તેઓને ધર્મવાણીનો લાભ મળતો નથી. (૭) ઉપાશ્રયમાં શ્રોતાજનોની હાજરી વધવા લાગી તેથી લાઉડસ્પીકર ઉપાશ્રયમાં વાપરવું કે ન વાપરવું તે ચર્ચાનો વિષય બન્યો. પંચમહાવ્રતધારી સાધુસંતો લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકે કે ન કરી શકે તેની જૈન સમાજમાં બહુ જ ચર્ચા થઈ. તે જ પ્રમાણે સાધુસમાજમાં પણ લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો કે ન કરવો તેની ચર્ચાઓ થઈ. ઉપર પ્રમાણેની ચર્ચાના કારણે શ્રાવકસમાજમાં તથા સાધુસમાજમાં લાઉડસ્પીકર વાપરવું કે નહિ તેનો નિર્ણય દરેક શ્રાવકસમાજે તથા સાધુસમાજે પોતાની રીતે લીધો. તેના કારણે અત્યારના સમયમાં ઘણા સાધુ-સંતો લાઉડસ્પીકરનો ઉપયોગ કરે છે. જ્યારે અમુક સાધુ-સંતો ઉપયોગ કરતા નથી. તે જ પ્રમાણે શ્રાવકસમાજમાં લાઉડસ્પીકર વાપરવા માટે બે મત પ્રવર્તે છે. લાઉડસ્પીકર તથા પંખાનો ઉપાશ્રયમાં ઉપયોગ કરવો કે ન કરવો તે માટે પણ બે મત પ્રવર્તે છે. ઘણા સંઘો પંખા વાપરવામાં માને છે, ઘણા સંઘો માનતા નથી. તે જ પ્રમાણે સાધુ-સંતોના સમાજમાં પણ આ માટે બે મત પ્રવર્તે છે. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ©©© જ્ઞાનધાર ૭૦ (૮) લાઉડસ્પીકર, પંખા તથા એસીનો ઉપયોગ શ્રાવકસમાજ પોતાનાં કાર્યોમાં તથા ઘરમાં કરે છે. બદલાતા કુદરતી વાતાવરણ તથા હવામાનની સ્થિતિમાં શ્રાવકસમાજને પોતાના માટે એસી વાપરવાની જરૂરિયાત લાગે છે. એસીનો ઉપયોગ હજી સુધી જૂજ ઉપાશ્રયમાં કરવામાં આવે છે. એસીની જરૂરિયાત વિશે બહુધા સાધુસમાજ પણ એસી વાપરવામાં માનતો નથી. (૯) હાલના સમયમાં મુંબઈ જેવાં મોટાં શહેરોમાં સાધુ-સંતોને સાંભળવા માટે હજારો માણસોની મેદની થાય છે અને આવા સમયે લાઉડસ્પીકર તથા પંખાની જરૂરિયાત છે તે હકીક્ત છે. જ્યારે મોટી મેદનીની હાજરી હોય ત્યારે લાઉડસ્પીકર, લાઈટ તથા પંખા વાપરવા જોઈએ તેથી સાધુ-સંતોની પ્રવચનવાણી શ્રોતાજનો બરાબર સાંભળી શકે અને વ્યાખ્યાનનો લાભ લઈ શકે. છેલ્લાં ૩૦-૪૦ વર્ષ દરમિયાન કુદરતી વાતાવરણ તથા હવામાનમાં ફેરફારો થયા છે. હવામાન પ્રમાણમાં ગરમ થયું છે અને ઠંડક ઓછી થઈ છે તેને કારણે હાલના સમયમાં પંખા વાપરવાની વધારે જરૂરિયાત લાગે છે, (૧૦) પંચમહાવ્રતધારી ઘણા સાધુ-સંતો પોતાની માન્યતા તથા આચારસંહિતા પ્રમાણે પોતે વીજળીનાં સાધનોનો ઉપયોગ કરતા નથી. કાળ તથા સમયના પરિવર્તનને કારણે આચારસંહિતામાં પણ થોડા ફેરફારની આવશ્યકતા રહે છે. વીજળીનાં સાધનોનો ઉપયોગ કરવાથી ધર્મના પ્રચારમાં ઘણી જ સુવિધાઓ મળે છે. દા.ત. કોઈ પણ સાધુનું કોઈ એક જગ્યાએ પ્રવચન ચાલતું હોય ત્યારે તે પ્રવચન જો ટીવી દ્વારા પ્રસારિત કરવામાં આવે તો ઘરમાં બેઠેલા નાના-મોટા . બધા લોકો પ્રવચનનો લાભ મેળવી શકે. (૧૧) તાજેતરમાં મોબાઈલ ટેલિફોનનો ઉપયોગ બહુ જ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે. મોબાઈલ ટેલિફોન પણ વીજળી દ્વારા ચાલતું સાધન છે. મોબાઈલ ટેલિફોનનો વ્યાપ એટલો મોટો છે કે હજારો દૂર બેઠેલા માણસ સાથે વાતચીત થઈ શકે છે. અત્યારના સમય પ્રમાણે લગભગ દરેક વ્યક્તિ પાસે પોતાનો મોબાઈલ છે. મોબાઈલ અત્યારના સમયમાં ઘણું જ ઉપયોગી સાધન છે. તેથી તેની વપરાશ શ્રાવક સમાજ બહુ જ મોટા પ્રમાણમાં કરી રહ્યો છે. (૧૨) સાધુ-સંતો ખૂબ જ મર્યાદા સાચવીને પણ મોબાઈલનો ઉપયોગ કરે For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ GC જ્ઞાનધારા OTOO તો તે પણ ઈચ્છવાયોગ્ય નથી તેમ ઘણા શ્રાવકો માને છે. મોબાઈલના ઉપયોગથી સાધુસમાજ જૈન શ્રાવકો સાથે જ નિકટતા વધારી શકે છે. વિવેકપૂર્ણ અને મર્યાદા તથા જરૂરિયાત સમજીને મોબાઈલનો ઉપયોગ સાધુ-સંતો પોતે ધર્મનો પ્રચાર તથા પ્રસારની પ્રવૃત્તિને વેગવાન બનાવવા માટે કરે તો તે ઇચ્છવાયોગ્ય છે. જૈન ધર્મને વિશાળ ક્ષેત્રોમાં પહોંચાડવા માટે ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ મર્યાદા તથા વિવેકપૂર્વક કરવો જોઈએ. બનવાજોગ છે કે ઘણા સાધુ-સંતોને તથા શ્રાવકોને આ મારો અભિપ્રાય માન્ય રહેશે નહિ. સાધુ-સંતોમાં પણ મોબાઈલ વાપરવા માટે બે મત છે. કોઈકોઈ સાધુ-સંતો મોબાઈલ વાપરે છે તેમ જાણવા મળ્યું છે. કેબલ દ્વારા ટીવીમાં જે પ્રવચનો આવે તે પ્રવચનોનો લાભ જૈન સમાજના શ્રાવકો ઘરમાં બેસીને લઈ શકે છે. જૈન ધર્મનો પ્રચાર મોટે પાયે કરવા માટે આધુનિક ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ હાલના સમય પ્રમાણે ખૂબ જ જરૂરી છે. એક હકીક્ત છે કે અન્ય ધર્મોના લોકો ઇલેક્ટ્રિક સાધનોનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી પોતાના ધર્મનો પ્રચાર કરી રહ્યા છે. આપણો સમાજ તથા સાધુ-સંતો પણ ઇલેક્ટ્રિક સાધનોનો મર્યાદાપૂર્વક ઉપયોગ કરે તો ધર્મપ્રચાર વધારે પ્રમાણમાં કરી શકાય. આ પ્રકારના પરિવર્તન દ્વારા થતો પ્રચાર આધુનિક માધ્યમના ઉપયોગથી ધર્મભાવના વધે છે. (૧૩) અત્યારના સમય પ્રમાણે આપણો શ્રાવકસમાજ તથા સાધુ-સંતસમાજ ઇચ્છવાયોગ્ય પરિવર્તનને સ્વીકારશે નહિ તો આપણા ધર્મનો પ્રચાર કરવો મુશ્કેલ બની જશે. પરિવર્તનના નામે અત્યારના કોઈકોઈ સાધુ-સંતો ઇલેક્નિાં સાધનનો જરૂરિયાત કરતાં વધારે પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે તે જૈન સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે. બીજી એક હકીકત છે કે આજે પણ કોઈકોઈ ઉપાશ્રયમાં વીજળીના દીવા, પંખા વગેરેનો ઉપયોગ કરવામાં આવતો નથી. ઘણા શ્રાવકોને પરિવર્તનના વિચારને મહત્ત્વ આપી આધુનિક વિચારધારા સ્વીકારવાનું વાજબી લાગતું નથી. તેમાં ખાસ કરીને અમુક વર્ગનાં શ્રાવક-શ્રાવિકાઓ કોઈ પણ પ્રકારનું પરિવર્તન કરવા તૈયાર હોય તેમ લાગતું નથી (૧૪) હાલની જુવાન પેઢી ખૂબ જ ભણેલી-ગણેલી અને બુદ્ધિવિકાસની દષ્ટિએ આગળ છે. હાલની યુવાન પેઢી હાલના સમયમાં જીવે છે. તેથી તેઓને આધુનિક વિચારો તથા સુવિધાઓ ગમે છે. તેથી જે જગ્યાએ આધુનિક સુવિધાઓ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ SC જ્ઞાનધારા છે ત્યાં તેઓ વ્યાખ્યાનો સાંભળવા જાય છે. આધુનિક અને રૂઢિગત વિચારોની સરખામણીએ એકંદરે વિચારીએ તો જૂની પેઢી તથા નવી પેઢીના વિચારોમાં ઘણું અંતર જોવા મળે છે. તે જ પ્રમાણે સાધુસમાજમાં પણ આધુનિક વિકાસની દષ્ટિએ તથા રૂઢિગત વિચારો તો આચરણમાં ઘણું જ અંતર જોવા મળે છે. (૧૫) મારા જાણવા પ્રમાણે સાધુસમાજે અત્યારના સમયને અનુરૂપ વીજળીનાં સાધનો જેવાં કે લાઉડસ્પીર-પંખાનો ઉપયોગ કરવો કે ન કરવો તેની કોઈ આચારસંહિતા તેઓએ સાથે મળી નક્કી કરેલ નથી. હાલમાં સામાન્ય રીતે જૂના રિવાજ પ્રમાણે ઘણા સાધુ-સંતોનું આચરણ જોવા મળે છે અને કેટલાક સાધુઓ નવા વિચાર પ્રમાણે આચરણ કરે છે. એક સમય એવો હતો કે પુસ્તક છાપવા માટે તેની અનુમોદના-પ્રોત્સાહન આપવું તે સાધુસમાજને યોગ્ય લાગતું નહિ, પણ સમય જતાં સાધુસમાજ પણ પુસ્તક છાપવા માટે પ્રોત્સાહન આપે છે. આ પ્રકારનું પરિવર્તન સાધુસમાજે સ્વીકારેલ છે તે હકીકત છે. હાલના સમયમાં પુસ્તક પ્રિન્ટિંગના બદલે આધુનિક co તૈયાર કરવાની પ્રથા ચાલુ થઈ છે c) બનાવવાના વિચારથી પુસ્તક પ્રિન્ટિંગનું કામ ઘણું જ ઓછું થઈ જાય છે. cn તૈયાર કરવામાં પણ ઈલેક્ટ્રિક સાધનની જરૂર પડે છે અને cD સાંભળવા તથા જોવાને માટે પણ ટીવી કે કેપ્યુટરની જરૂર પડે છે. આજથી ૧૦૦ વર્ષ પહેલાનો યુગ ઇલેક્ટ્રિક વગરનો હતો જ્યારે હાલનો યુગ ભરપૂર ઇલેક્ટ્રિકનાં સાધનોનો ઉપયોગવાળો થઈ ગયો છે. બીજી રીતે કહીએ તો ઇલેક્ટ્રિક હાલના સમયનો પ્રાણ છે. શ્રાવકસમાજે તથા સાધુ-સંતસમાજે બંનેએ પોતપોતાની રીતે વિવેક અને મર્યાદા સમજીને ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ કવો જોઈએ. સમયના પરિવર્તનની સાથે તાલ મિલાવીને આપણે ચાલવું જોઈએ. (૧૬) જે સમયમાં આપણાં શાસ્ત્રો કે સૂત્રો રચાયાં હતાં તે વખતે ઇલેક્ટ્રિક હતી જ નહીં તેમ માની શકાય. તેથી મારા ખ્યાલ પ્રમાણે સાધુસમાજે તથા શ્રાવકસમાજે ઇલેક્ટ્રિક સાધનોના ઉપયોગ માટેનો નિષેધ કોઈ જગ્યાએ લખ્યો હોય તે મારા જાણવામાં આવ્યું નથી. ભગવાન મહાવીરના વખતની વાત કરીએ તો શ્રી મહાવીર ભગવાનનો ઉપદેશ ગણધરોએ સાંભળ્યો. ઘણાં વર્ષ સુધી એ બધો ઉપદેશ ગણધરો તથા આચાર્યોની યાદદાસ્તમાં સચવાઈ રહ્યો. સમય જતાં આ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ છCC જ્ઞાનધારા 100 ધર્મઉપદેશો હસ્તલિખિત શાસ્ત્રો તથા સૂત્રો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા. ત્યાર બાદ પ્રિન્ટિંગ પ્રેસની સગવડ મળતાં છપાવીને પ્રસિદ્ધ કરવામાં આવ્યા. પ્રિન્ટિંગ પ્રેસ પણ ઇલેક્ટ્રિકથી ચાલતું સાધન છે. શાસ્ત્રો-સૂત્રો પ્રિન્ટિંગ પ્રેસમાં છાપીને પ્રસિદ્ધ કરવાનો વિચાર પણ તે સમયનું પરિવર્તન છે. એનો અર્થ એવો થયો કે સમય સમય પ્રમાણે જે-જે પરિબળો ઉદયમાં આવે છે, તે બધાં પરિબળોના આધારે સમાજ પરિવર્તનને સ્વીકારે છે. પરિવર્તન સમય સમય પ્રમાણે કરવું અત્યંત આવશ્યક છે, પરંતુ પરિવર્તનના નામે સ્વચ્છંદતા દાખલ ન થઈ જાય તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. ધાર્મિક વિચારધારા તથા ધાર્મિક આચરણને લક્ષમાં રાખી પરિવર્તન સ્વીકારવામાં આવે તો સમગ્ર જૈન સમાજને લાભ છે. (૧૭) ઉપસંહાર તરીકે એટલું જરૂરથી કહી શકાય કે આધુનિક ઈલેક્ટ્રિક સાધનોનો જરૂરિયાત પ્રમાણે વિકાસને લક્ષમાં રાખીને જરૂરથી ઉપયોગ કરવો જોઈએ. એક હકીકત છે કે વીજળીનાં સાધનો વાપરવાથી કોઈ પણ પ્રકારનો માપદોષ લાગે છે, આપણાં આગમો અને સૂત્રોમાં પાપ અનેક પ્રકારનાં બતાવ્યાં છે. આ બધાં પાપ કેવી રીતે થાય છે તેનું પણ વર્ણન આવે છે. વીજળીનો ઉપયોગ એક પ્રકારનું પાપ તો છે, પરંતુ વિકાસને અને પ્રગતિને લક્ષમાં રાખીએ તો આ પાપ ક્ષમ્ય છે. ક્ષમ્ય પાપનું પ્રાયશ્ચિત્ત થઈ શકે છે. (૧૮) અહિંસામય જીવન જીવવા માટે દરેક વ્યક્તિ પોતપોતાનાં ધાર્મિક જ્ઞાન તથા વિચારો અને આચરણ દ્વારા જીવન જીવે છે. તે જ પ્રમાણે આરાધના પણ દરેક વ્યક્તિ પોતપોતાના વિચારો પ્રમાણે કરે છે. ધર્મમય જીવન જીવવું દરેકને ગમે છે, પરંતુ દરેક વ્યક્તિ કેટલા પ્રમાણમાં પોતે ધર્મમય જીવન જીવે છે તે પોતે જ જાણે છે. હાલની જુવાન પેઢી જે ઇલેક્ટ્રિકનાં સાધનો દ્વારા ભણીને તૈયાર થઈ છે તે જુવાન પેઢીને લક્ષમાં રાખીને સમયસમય પ્રમાણે પરિવર્તન સમાજે સ્વીકારવું જોઈએ. સમય સમય પ્રમાણે વિકાસને લક્ષમાં રાખીને પરિવર્તન કરવું જોઈએ તેવી મારી માન્યતા છે. વિવેકપૂર્ણ મર્યાદા રાખીને ઈલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ તેવો મારો પોતાનો અભિપ્રાય છે. મારા અભિપ્રાયને ઘણાં સાધુ-સંતો તથા - ૩૨ - For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ટ્રેC જ્ઞાનધારા O શ્રાવક ભાઈ-બહેનો સ્વીકારશે નહિ તે બનવાજોગ છે. અભિપ્રાય સ્વીકારવો કે નહિ તે દરેક વ્યક્તિનો વ્યક્તિગત અધિકાર છે. (૧૯) હાલનો સમય પંચમકાળનો છે. આ સમયમાં ધર્મ કરાવવો અને કરવો સહેલું નથી. આપણા સાધુ-સંતો કઠિન પ્રયત્ન કરીને સમાજને તથા શ્રાવકશ્રાવિકાઓને ધર્મઉપદેશ આપે છે. તેનાથી ઘણાના જીવનમાં પરિવર્તન જરૂર આવે છે. ધર્મ માટેનું જ્ઞાન સાંભળવા તથા જાણવા શ્રાવકો જાય છે તેનાથી ધર્મ પ્રત્યેનો તેમનો અહોભાવ જાગૃત થાય છે. ધર્મ જાણનારો માણસ ખોટું કરે નહિ અને ખોટાને રોત્સાહન આપે નહિ. સાધુ-સંતોનો સમાગમ તથા સાંનિધ્ય પણ જીવનશૈલીમાં ખૂબ જ ઉપયોગી થાય છે. સાધુ-સંતો પાસેથી મળતી વ્યાખ્યાનવાણીનો લાભ જીવનપરિવર્તન માટે ઉપયોગી છે. વ્યાખ્યાનવાણીનો લાભ શ્રાવકો સુધી પહોંચે કે માટે વીજળીનાં સાધનોનો ઉપયોગ ક્ષમ્ય છે અને તેનો લાભ પ્રમાણમાં ઘણો છે. હજારો શ્રાવક-શ્રાવિકાઓ સાધુ-સંતોની વ્યાખ્યાનવાણી સાંભળવા જાય છે, કારણકે તેઓને ધાર્મિક વાણી સાભળવી ગમે છે. આ બધાં શ્રાવક-શ્રાવિકાઓ ાંતિથી સાંભળી શકે તથા બેસી શકે તેવી સુવિધા કરવાની જરૂર છે. આપણે ાર્મિક સંસ્થાઓની બહારનાં બીજાં ધાર્મિક વ્યાખ્યાનો માટે એક નોંધ લેવી જરૂરી છે કે વિદ્વાન શ્રાવકો તથા વક્તાઓ પોતાનાં ધાર્મિક પ્રવચનો વખતે શ્રોતાજનોને ાણ લાભ મળે તે માટે પોતાના પ્રવચન વખતે આધુનિક સુવિધા પૂરી પાડે છે મને તેને કારણે શ્રોતાજનો મોટી સંખ્યામાં તેમને સાંભળવા જાય છે. આ પ્રકારનાં વચનોની અંદર યુવાન પેઢી પણ મોટી સંખ્યામાં સાંભળવા જાય છે. આથી સમજી કાય છે કે પ્રવચન દરમિયાન આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે તો જૈન માજને ઘણો લાભ થાય છે. આ પ્રકારના પ્રવચનકારો તથા વિદ્વાનો ખૂબ જ તણીતા તથા સન્માનનીય છે. (૨૦) સ્થાનકવાસી સંપ્રદાય સાથે મારો ૬૦ વર્ષનો અનુભવ છે અને તેથી મારા અનુભવોના આધારે મારો અભિપ્રાય લખ્યો છે. દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય હોય છે. મારા અભિપ્રાયથી જો કોઈનું મન કે લાગણી દુભાયાં હોય તો બધાની હૃદયપૂર્વક ક્ષમા ચાહુ છું. 33 For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ©©©©©© 100 ચતુર્વિધ સંઘમાં શિથિલાચારનાં કારણો | ડૉ. રેણુકાબહેને B.Sc., L.L.B., Ph.Dનો અભ્યાસ તથા શિથિલાચારીને ચારિત્રમાં સ્થિર કર્યો છે. આચાર્ય બુદ્ધિસાગરજી મહારાજ પર કરવાનો સમ્યફ પુરુષાર્થ શોધ નિબંધ તૈયાર કરેલ. જેનજગત હિન્દી વિભાગનાં | ડૉ. રેણુકાબહેન પોરવાલ | સંપાદક છે. હાલમાં - પરિચય: તીર્થંકર મહાવીર દ્વારા જૈન પ્રતિમાઓ પર સંશોધનકાર્ય કરી રહ્યાં છે. પ્રસ્થાપિત ચતુર્વિધ સંઘ જૈન સમાજનું સામર્થ્ય છે. તે એના ચાર એકમો - સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા થકી જ જૈન ધર્મની પ્રભાવના થાય છે. જૈન ધર્મમાં માન્ય ૨૪ તીર્થકરોની સાથે શ્રી સંઘને જોડીને એની ગણના ૨૫મા તીર્થંકર તરીકે થાય છે. આવું ઉચ્ચ મહત્તમ સ્થાન શ્રી સંઘનું છે. ૨૪ તીર્થકરોની પ્રાર્થનાવિધિનાં યંત્રો તથા તેનાં સ્તવનોમાં ૨૫મા તીર્થંકર તરીકે શ્રી સંઘને નમન થાય છે. દા.ત. પાંસઠિયો યંત્ર. શ્રી સંઘની આમન્યા અને આજ્ઞા મહાન આચાર્યો પણ માને છે. જૈન ધર્મમાં અન્ય ધર્મની તુલનામાં અસંયમીપણું ઘણું ઓછું છે, છતાં એમાં પ્રવેશેલ આચારસંહિતાનાં ઉલ્લઘનો રોકવાની દરેક ઘટકોની નૈતિક ફરજ છે. શ્રી સંઘના બે પાયા સાધુ અને સાધ્વી વિશે કંઈ પણ ઉચ્ચારણ કરવાની મારી પાત્રતા નથી. શ્રી સંઘ વિશેના અવર્ણવાદથી પણ કર્મબંધ થાય છે એ આપણે સહુ જાણીએ છીએ. “વી શ્રત, સંપ, ઘર્મ, વવસ્થ ગવવાવો વર્ણન મોહનીય ” (તસ્વાર્થ સૂત્ર) અર્થાત્ કેવળી, શ્રત, સંઘ, ધર્મ તથા દેવ, દેવી (તીર્થકરો)ના અવર્ણવાદથી દર્શન મોહનીય કર્મબંધ થાય છે. પ્રાચીન સમયમાં આવી વિકટ સમસ્યાઓનું શી રીતે સમાધાન કરવામાં આવ્યું તે સમજીએ. વર્તમાન સમયમાં આજે સમાજ અતિઆધુનિક સગવડ ભલે ભોગવે છે. સર્વત્ર ટીવી, મોબાઈલ, લેપટોપ વગેરે રોજિંદી વપરાશનાં સાધનો બની ગયાં છે પ્રલોભનોના આવા કપરા કાળમાં જૈન સંઘમાં પ્રવેશેલ દોષપૂર્ણ આચરણને For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ OCC જ્ઞાનધારા GOOGO દૂર કરવાના સમ્યફ પ્રયત્નોની ચર્ચા અને કરીશું. પ્રવર્તમાન પરિસ્થિતિ : આજે શ્રાવક અને શ્રાવિકાઓ ગુરુભગવંતો પાસે કંઈક યાચનાર્થે જાય છે. તેમને પોતાની કુંડલી, ગ્રહપીડા, જ્યોતિષ, વાસ્તુદ્દેષ વગેરે જણાવવા માટે મજબૂર કરે છે. એના પરિણામે સાધુ-સાધ્વીઓ દોરા-ધાગા, બાધા ઇત્યાદિમાં લપેટાઈ જાય છે. એક રીતે જોઈએ તો ગુરુજનોની આશિષમાં જ એવી વચનશક્તિ હોય છે, જેના થકી ધર્મજનોનું ભલું જ થાય એમાં લેશમાત્ર પણ શંકાને સ્થાન નથી. શ્રાવકોની ફરજ છે કે સંસારત્યાગી અનાશક્ત યોગી-ભગવંતોને સાંસારિક પળોજણથી દૂર રાખે. ઘણા ઓછા શ્રાવકો શુદ્ધ શ્રાવકાચાર, સાધુ સમાચારી, આવશ્યક સૂત્ર કે ગોચરીના નિમયોથી પરિચિત હોય છે. સાધુઓના ઉપાશ્રય કે સ્થાનકમાં સ્ત્રીઓએ એકલા વંદનાર્થે ન જવું એવી લેખિત સૂચના હોવા છતાં એનો ભંગ થાય છે. આવી બાબતો ઘણી નાની દેખાય છતાં એમાંથી ઘણી વાર અનિચ્છનીય બનાવો ઉદ્ભવે છે. આવી સ્થિતિમાં ઉપાશ્રયના કર્મચારીઓએ આવનાર મહિલા સાથે રહેવું જોઈએ. શક્ય એટલી કાળજી રાખ્યા પછી પણ જે કોઈ પંચ મહાવ્રતના ભંગનો પ્રસંગ ઉદ્ભવે તો એ ગુરુ કે સતીજીની બદનામી કરવાને બદલે વિનયયુક્ત વાણીથી એમને સુધારવાનો યત્ન કરવો. જાહેરમાં આવા પ્રસંગોની ચર્ચા નહીં થાય એનું ધ્યાન નગરના શ્રી સંઘે રાખવું. ધર્મસંરક્ષક યોજનાઓ : પ્રથમ વ્યવહાર નયને અનુસરી જૈન ધર્મને રક્ષવા કાજે ધર્મસંરક્ષક યોજનાઓ તૈયાર કરવી. આગમશાસ્ત્રોની સાચી સમજ લોકોને આપવી. જ્યાં ધર્મપ્રવર્તકોમાં તથા શ્રાવકોમાં અજ્ઞાન, કલેશ, અવ્યવસ્થા અને ઉદાર દષ્ટિનો અભાવ હોય ત્યાં સંઘનું બળ તૂટે છે. સંઘની શક્તિના વિકાસાર્થે પિતાતુલ્ય ગુરૂજીઓની છત્રછાયા જરૂરી છે. સુગુરુના જોગે શિષ્ય અસાર સંસારના રંગરાગ વિસારે છે અને શુદ્ધ ચારિત્રમાં સ્થિર થાય છે. સર્વ સંઘાડાનાં સાધુ-સાધ્વીજીઓએ અધ્યયન માટે ખૂબ સજાગ રહેવું. તેમણે ગચ્છભેદ ભૂલી જઈ નિંદા, ખટપટને ત્યાગવાના વિચારો અને જૈન દર્શનનું જ્ઞાન આપવું જેથી જૈન ધર્મની સંકુચિતતા ઘટશે તથા સંઘમાં શિથિલાચાર ઘટી સંરક્ષણની દીવાલો ઘણી મજબૂત થશે. For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ TOPSC C જ્ઞાનધારા 000 પૂર્વે ઉદ્ભવેલ સમસ્યાઓ તથા તેનાં સમાધાનો : શાસ્ત્રોમાં અતિજ્ઞાની શ્રી વૃદ્ધવાદી ગુરુમહારાજ અને પ્રકાંડ શિષ્ય શ્રી સિદ્ધસેન દીવાકરજીની કથા આવે છે. તેઓ ઈ.સ. પૂર્વે ૫૭માં વિકમરાજાના સમયમાં થઈ ગયા. શિષ્ય નવકાર મંત્રનો સંસ્કૃતમાં અનુવાદ એક વાક્યમાં કર્યો. “મોરંત સિદ્ધઘાર્થોપાધ્યાય સર્વ સાધુખ્યોઃ” ઉપરાંત અન્ય પ્રાકૃત ગ્રંથોને પણ સંસ્કૃતમાં અનુવાદિત કરવાની ઈચ્છા જાહેર કરી. આ કાર્યમાં ગુરુની રજામંદી ન હતી, કારણકે પ્રાકૃતભાષીય ગ્રંથો સાધારણ મનુષ્ય પણ સમજીને જીવનમાં ઉતારી શકે છે. વળી નવકારમંત્ર ૧૪ પૂર્વમાંથી ઉધરેલ હોવાથી એમાં ફેરફાર ઉચિત ન કહેવાય. ગુરુએ પ્રાયશ્ચિત્ત આપ્યું અને શ્રી સિદ્ધસેનજીને ગચ્છ બહાર મૂક્યા. શ્રી સિદ્ધસેનજી તેમનો સમય તપ અને ઉપદેશ આપવામાં વિતાવવા લાગ્યા. જોતજોતામાં સાત વર્ષ નીકળી ગયાં. ગુરુએ તેમની ખ્યાતિ સાંભળી. જ્યારે શિષ્ય પાલખીમાં રાજદરબારે જતા હતા ત્યારે ગુરુએ સ્વયં તેમની પાલખી ઊંચકી. વૃદ્ધ હોવાને કારણે તેઓ ધીરેધીરે ચાલતા હતા. પાલખીમાં બિરાજમાન સિદ્ધસેનજી બોલ્યા: ભૂમિમરાન્ત: અન્ય વિ તવ વાસ્થતિ?” (ભાવાર્થ: શું વધુ વજનથી તમારા ખભામાં પીડા થાય છે?) ગુરુએ ઉત્તર આપ્યો અને સાથે એમાં શિષ્યના વ્યાકરણની ભૂલ પણ સુધારી - “ તથા વાઘને સભ્યો યથા વાઘતિ વાથતે ” (ભાવાર્થ : મારો ખભો એટલી પીડા નથી આપતો જેટલું તમે વાપરેલ ખોટું વાતિ પીડા આપે છે.) સિદ્ધસેનજીએ તરત જ ગુરુને પિછાણ્યા અને તેમને પગે લાગ્યા. અહીં ગુરુદેવ શિષ્યને પ્રાયશ્ચિત્ત આપી પુનઃ ગચ્છમાં લે છે. જૈન શાસનમાં આચાર્ય કાલકની વીર કથાનું ઘણું જ ગૌરવવંતું સ્થાન છે. તેઓ રાજા ગર્દભીલ દ્વારા બૂરા આશયથી કેદ કરાયેલ સરસ્વતીને મુક્ત કરાવે છે. દેશ, કાળની પરિસ્થિતિ અનુસાર આવી પડેલ મુશ્કેલીના નિવારણાર્થે સાધ્વાચારમાં છૂટ લે છે. અજેય ગણાતા ગર્દભીલને પોતાની કુનેહથી જાનહાનિ કર્યા વગર હરાવે છે. સાધ્વીને પુનઃ સંઘાડામાં પ્રવેશ કરાવે છે. આ પ્રસંગ ધર્મરક્ષા અને વીરતાનું For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા ઉત્તમ ઉદાહરણ છે. શિથિલાચારી મુનિને પુનઃ ચારિત્રમાં સ્થિર કરનાર ગણિકા કોશાનો સમ્યક્ પુરુષાર્થ અતિસરાહનીય ગણાય. આર્ય સ્થૂલિભદ્રના ગુરુબંધુ મુનિ સિંહગુફામાં વર્ષાવાસ વ્યતીત કરવામાં વિજયી નીવડ્યા. ચાતુર્માસ વિતાવી ત્રણે ગુરુભ્રાતાઓ પરત ફર્યા. ગુરુ સંભૂતિવિજયે આર્ય સ્થૂલિભદ્રના કાર્યને પ્રશંસાયુક્ત વાણીથી બિરદાવ્યું ત્યારે સિંહગુફાવાળા મુનિ ઇર્ષ્યાવશ ગુર્વજ્ઞા લઈ કોશાને ત્યાં પહોંચી ગયા. અહીં તેઓ રંગ, રાજ અને કોશાના દેહલાલિત્ય આગળ હારી ગયા. આર્ય સ્થૂલિભદ્રથી બોધ પામેલ કોશાએ શ્રાવિકાનાં બાર વ્રતો અંગીકાર કર્યાં હતાં. તેણે મુનિની મન:સ્થિતિમાં પરિવર્તન લાવવા માટે નેપાળથી અતિદુર્લભ રત્નકંબલ મગાવી. મોહાંધ મુનિ અનેક મુશ્કેલીઓ વેઠી તે લઈ આવ્યા. કોશાએ તે રત્નકંબલથી પગ લૂછ્યા અને ફેંકી દીધી. કીમતી રત્નકંબલનો નાશ જોઈ મુનિ આશ્ચર્યચકિત થયા. કોશાએ તેમને માર્મિક વિનયયુક્ત વચનોથી બોધ આપી ફરી ચારિત્રમાં સ્થિર કર્યા. શ્રાવિકા શ્રીમતી સાધુ-ભગવંતને લાડુ વહોરાવે છે. સ્વાદિષ્ટ લાડુનો સ્વાદ એને પસંદ પડે છે. તેઓ ફરીફ્રી ગોચરી માટે જવાની લાલચને રોકી શકતા નથી. આ સમયે શ્રાવિકા તેને વિવેકપૂર્ણ વાણીથી ગોચરીના નિયમો યાદ કરાવે છે. સાધુને પોતાની ભૂલ સમજાય છે અને તે આલોચના લે છે. જૈન શ્રાવકો પણ ઘણી વાર પોતાના સર્વ્યવહારથી સાધુના આચારોની શુદ્ધતા કરે છે. ૧૪મી સદીમાં થયેલ ‘રત્નાકર પચ્ચીસી'’ના રચયિતાના જીવનની આ ઘટના છે. ગુરુજીને એક હીરો ગમતો હતો. એ હીરાને તેમણે રજોહરણમાં મૂક્યો હતો. એક દિવસ એક શ્રાવકની એના પર નજર પડી. તે ગુરુ પાસે રોજ અધ્યયન કરવા માટે આવવા લાગ્યો. ગુરુ પૂછે, “સમજ પડી ?” શ્રાવક “ના”માં પ્રત્યુત્તર આપે. આમ ઘણો સમય વીત્યો. એક દિવસ ગુરુને થયું કે, “મારી કંઈક ભૂલ તો નથી થતી ને ?' તેમણે મનોમંથન કર્યું. તેમને પોતાનો પરિગ્રહ યાદ આવ્યો. પોતે જેને હીરો સમજે છે એની કીમત તો પંચમહાવ્રત ચારિત્ર આગળ કાચથી વધુ નથી. તેઓ તરત જ આલોચના લે છે. ‘રત્નાકર પચ્ચીસી'ની સંસ્કૃતમાં રચના કરે છે. આ ઘટનાનાનો ઉલ્લેખ તેઓ બારમી ગાથામાં પણ કરે છે - “માતિ ભ્રમ થકી રત્નો ગુમાવી, કાચના કટકા મેં ગ્રહ્યા”. ૩૭ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ 100 C જ્ઞાનધારા ૭૦ ઉપાધ્યાયજી યશોવિજયજીના જીવનમાં પણ આવી જ એક ઘટના બની હતી. તેમને ન્યાયના વિષયમાં વાદ-વિવાદમાં કોઈ જીતી શકતું નહોતું. એક દિશામાંના પંડિતો સાથે વિવાદ બાકી હતો. તેઓ તેમના સ્થાપનાચાર્યમાં પ્રતીક તરીકે ત્રણ બાજુ ધજા રાખવા લાગ્યા. ગામમાં રહેતી એક વૃદ્ધાની નજરે આ બાબત આવી. તેણે તરત જ ગુરુદેવને પૂછયું, “ગૌતમસ્વામી, એમની ઇવણીમાં કેટલી ધજા રાખતા હતા ?” ઉપાધ્યાયજીએ તરત જ પોતાની ભૂલ સુધારી સમાચાયના કરી. આમ તેમનું અભિમાન ઓસરી ગયું - ઉપરોક્ત દષ્ટાંતોથી ફલિત થાય છે કે શિથિલાચાર જેવા સંવેદનશીલ પ્રશ્નોનું નિરાકરણ શ્રાવકગણ અને જ્ઞાની ગુરુભગવંતો જરૂરથી કરી શકે છે. આ કાર્ય કરવા તેઓ અધિકારી પણ છે અને શક્તિમાન પણ છે. પ્રભુ મહાવીરે ગંગા નદી પાર કરી હતી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર બદલાતી પરિસ્થિતિમાં પ્રશ્નો પણ અલગ પ્રકારના ઉદ્ભવે છે અને એટલું જ વિશિષ્ટ એનું સમાધાન પણ રહેવાનું શિથિલાચારનાં પ્રકારો, કારણો તથા એના નિવારણના પ્રયત્નો: ૧. કોઈક વાર શ્રમણોમાં શુદ્ધ સાધ્વાચારની ક્ષતિ દશ્યમાન થાય છે છતાં એમને કહેવાની હિંમતનો અભાવ વર્તાય છે. આવે સમયે એમના ગુરુ જ એમને પ્રાયશ્ચિત્ત આપી શકે છે. શ્રી સંઘના નિર્ભીક ચારિત્રધારી શ્રાવકો પણ એકાંતે વાતચીત દ્વારા આવા માર્મિક પ્રશ્નોનો નિવેડો લાવી શકે છે. ૨. જ્યારે કોઈ વૃદ્ધ રોગગ્રસ્ત ગુરુ કે ગુરુણીઓ માટે વાહનના ઉપયોગની વાત આવે છે ત્યારે શ્રી સંઘે એમને સમજાવીને તેમની બધી સગવડો તથા તંદુરસ્તીનું ધ્યાન રાખવું ઘટે. ૩. એકલવિહારી સાધુ જ્યારે નાનાં ગામડાં કે કસબામાં વિહાર કરે છે ત્યારે તે જૈન સમાજનું ગૌરવ વધારી શકતો નથી. ઘણી વાર એવું બને છે કે તે ગામની ભોળી પ્રજાને ફસાવે છે અને આખરે એ કંચન-કામિનીની માયાજાળમાં ડૂબી જાય છે. અહીં તેને સમાજનો ડર નથી. તે અબૂધ લોકોને દોરા, ધાગા, જંતર-મંતર, કાયાપલટ વગેરેનો ભય બતાવી અનૈતિક આચરણ કરે છે. આવી પરિસ્થિતિમાં જૈન શાસનની અવહેલના થાય છે. આવી અશોભનીય સ્થિતિ ઉદ્ભવે જ નહિ માટે શ્રી સંઘમાં એવો કડક નિયમ હોવો જોઈએ કે છમાં ૩૮ ભS For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ C જ્ઞાનધારા જૈન સાધુને એકલા ચાતુર્માસ કરવાની ગુરુ તરફથી પરવાનગી જ ન મળે. અહીં એક સવાલ ઊઠે છે કે જ્યારે બે સાધુનો સંઘાડો હોય ત્યારે એક જો ભાગી જાય અથવા કાળધર્મ પામે ત્યારે બાકી રહેલ સાધુ એકલવિહારી બને છે. આવા સંજોગોમાં તેના જ ગચ્છના અન્ય સંઘાડામાં તેમને શ્રી સંઘની આજ્ઞાથી દાખલ કરવા જ રહ્યા જેથી શાસનની મર્યાદા જળવાઈ રહે. જ્યારે કોઈ એકલા વિહાર કરતા મહાત્મા નજરે પડે તો તેમના ગચ્છાચાર્યને તેની સૂચના ચોક્કસ મોકલવી. જરૂર પડે તો ગચ્છના સમર્થ આચાર્યોએ આવી બાબતોની વ્યવસ્થાનાં બંધારણો દઢ કરવાં. ૪. ઘણી વાર કારણ વિના ફક્ત અહંવૃત્તિથી પણ સ્વચ્છંદ આચરણ થાય છે. ગુરુએ આવા અણગારોને રોકવા તથા જરૂર પડે તો શ્રી સંઘને સૂચિત કરવાનું ચૂકવું નહિ. ૫. વર્તમાન સમયમાં પ્રલોભનો ઘણાં છે. આવા કપરા કાળમાં ચારિત્રમાર્ગથી ભ્રષ્ટ થયેલ સંત-સતીજીઓને સન્માર્ગે લાવવાના સર્વ પ્રયત્નો નિષ્ફળ જાય ત્યારે અંતિમ ઉપાય તરીકે એમને સાધુવેશ ત્યજવા દબાણ કરાય છે. આ કાર્ય કરનારો શ્રાવક સંપૂર્ણપણે આગમાનુસાર શ્રાવકાચારનું પાલન કરતો હોય એવો જ હોવો જોઈએ. પ્રથમ તો દોષીને ચારિત્રમાં સ્થિર થવા માટેની ઘણી તક આપવી જોઈએ અને ત્યાર બાદ અંતિમ નિર્ણય લેવો જોઈએ. ૬. જ્યારે વિશ્વના દરેક ધર્મગુરુઓ સુવ્યવસ્થિતપણે તેમના ધર્મની પ્રગતિ માટે અથાગ પ્રયત્નો કરતા હોય ત્યારે જૈનોએ સુવિદિતાચાર્ય ગીતાર્થ ગુરુજનોની આજ્ઞામાં રહી સાધુઓ અને સાધ્વીઓ માટે ગુરુકુળોની સ્થાપના કરવી જેથી વ્યવસ્થિતપણે સર્વધર્મદર્શનનો અભ્યાસ થાય. આના કારણે તેઓ દીર્ઘદષ્ટા થશે. પરસ્પર ગચ્છના ભેદે થતું વૈમનસ્ય પણ દૂર થશે. આજથી ૧૦૦ વર્ષ પહેલાં કોઈ પણ ગચ્છના ગીતાર્થ ગુરુજનો પાસે પોતાના શિષ્યોને ૩થી ૫ વર્ષ સુધી અધ્યયનાર્થે આચાર્યો મોકલતા હતા. આ વિશિષ્ટ પ્રથાને કારણે જૈન સાધુઓમાં અનેક યતિઓમાં ગચ્છમત સહિષ્ણુતા જેવા ગુણો પ્રગટતા હતા. ગુરુદેવ રાજેન્દ્રસૂરિ મહારાજે દીક્ષા પછી ત્રણ વર્ષ ખરતર ગચ્છના યતિ પાસે રહીને વિદ્યાભ્યાસ કર્યો હતો. ૩૯ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ C જ્ઞાનધારા ૭. જૈનોના દરેક સંપ્રદાયોમાં દીક્ષાર્થી ઉમેદવાર-મુમુક્ષુઓને પરીક્ષાપૂર્વક દીક્ષા આપવામાં આવે. દીક્ષા પહેલાં ઓછામાં ઓછાં બે વર્ષ સુધી ગુરુભગવંતો સાથે રહી એ આચાર પાળવાનો મહાવરો રાખવાથી પણ ચારિત્ર પાળવામાં કદી પણ કઠિનાઈ મહસૂસ થતી નથી. ૮. દેશ, કાળ અનુસારે જૈન ધર્મમાં પરસ્પર પ્રવર્તતી માન્યતાઓથી વિશુદ્ધિનો ઉપદેશ ન આપવો. જૈન સંઘની પ્રગતિ થાય એવો જ ઉપદેશ શ્રાવકોને ન આપવો ઘટે. ૯. જ્યારે કોઈ અન્ય સંઘાડાના જ્ઞાની-ભગવંતોને રોગોપચાર કે અધ્યયન હેતુ સહાય જોઈએ તો અવશ્ય કરવી. અન્ય સંપ્રદાયો ચારિત્રધારીઓમાં પણ શિથિલાચાર જણાય તો એમને સુધારવા તથા એમના ગચ્છાધિપતિઓને એની જાણ કરવી. ૧૦. કોઈ પણ ગચ્છના ગુરુ-ભગવંતોની અવહેલના અન્ય ગચ્છીય શ્રાવક કે મનુષ્ય કરે નહીં તે જોવું. એનાથી જૈન શાસનમાં એકતા જળવાશે. ૧૧. શિથિલાચારના નામે કદિ પણ ચતુર્વિધ સંઘનાં અંગોના, જ્ઞાનોપાર્જનમાં બાધા નાખવી નહિ. હરિભદ્રસૂરિએ એક સાધ્વીને પોતાના ગુરુ માન્યાં હતાં. તેઓ પોતાને ‘યાકિની મહત્તરાસૂન' તરીકે ઓળખાવતાં હતાં. ૧૨. સંત-સતીજીઓની પ્રગતિમાં બાધક તો નહિ બનવું, પરંતુ તેઓને રૂઢિઓના ગુલામ પણ ન બનાવવા. આનાથી શિથિલાચાર અટકશે. ગુરુજનોની આત્મિક ઉન્નતિ થાય એવા સદ્વિચારોનો ફેલાવો કરવો. તેમના ગુરુજનો પાસેથી શ્રમણ સંઘની શક્તિ ખીલે તેવા જ ઉપદેશો આપવા. ૧૩. શ્રી સંઘમાં શૈથિલ્યપણું રોકવા માટે ધાર્મિક કેળવણી, અધ્યયન વગેરે કાર્ય અવિરતપણે ચાલુ જ રહેવાં જોઈએ. ભારતમાં સર્વત્ર જૈન મહાસંઘે રચનાત્મક પ્રવૃત્તિનાં કાર્યો કરવાં. ધર્મની પ્રગતિ થાય એવી યોજનાઓ અમલમાં મૂકવી. શિથિલાચારને દૂર કરવા સાથે મળીને પગલાં લેવાં, જેથી ધર્મની ઉન્નતિ પણ થશે. જૈન ગૃહસ્થોએ જ્ઞાની આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓના સંપર્કમાં રહેવું, તો સમાજમાં ઐક્ય રહેશે અને સંઘમાંથી આચારની મહત્તા ઘટીને નહિવત્ રહેશે. ૪૦ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ TOPSC C જ્ઞાનધારા 30 030 ચતુર્વિધ સંઘની રક્ષા હેતુ સેવાધર્મની મહત્તા સમજવી. સ્વશક્તિ અનુસાર સંઘની પ્રગતિમાં આત્મભોગ આપવો. શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી સ્થૂલીભદ્ર બહેનો આગળ કરેલ જ્ઞાનના પ્રદર્શન બદલ તેમને પર્વનું સંપૂર્ણ જ્ઞાન આપવા તૈયાર ન હતા, પરંતુ જ્યારે શ્રી સંઘે તેમને વિનંતી કરી ત્યારે તેમણે સંઘની આજ્ઞા શિરોધાર્ય કરી, સ્થૂલભદ્રજીને વાચના આપી. જૈન ધર્મના પ્રવર્તકો વર્તમાન સમયમાં મહાસંઘની પ્રગતિ માટે જે કંઈ આજ્ઞાઓ આપે તેને બહુમાનપૂર્વક સ્વીકારવી. સંઘનું રક્ષણ કરવું તથા તેની સદ્ભવૃત્તિમાં સહાયક બનવું. જ્યારે ગુરુજનો આગમોમાં દર્શાવેલ વ્યવસ્થા મુજબ વિહાર વગેરેની પ્રવૃત્તિ કરે છે ત્યારે એનો લાભ સંપૂર્ણ સમાજને મળે છે અને શિથિલાચાર નહિવત્ રહે છે. જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ ખોટું ઉચ્ચારણ થયું હોય તો હું મન, વચન, કાયાના ત્રિકરણ યોગે ક્ષમા યાચું છું. મિચ્છા મિ દુકડમ! શ્રી શ્રમસિંઘર્થ શાંતિર્મવત છે. | | શ્રી ચતુર્વિથ મહાસંપર્શ શાંતિર્મવતુ . સંદર્ભસૂચિ : શ્રી સંઘ પ્રગતિ મહામંત્ર : યોગિનિષ્ઠ આ. બુદ્ધિસાગરજી કામ વિજેતા સ્થૂલિભદ્ર : ડૉ. કુમારપાળ દેસાઈ શ્રી સિદ્ધસેન દિવાકર : ડૉ. રેણુકા પોરવાલ શ્રી તત્ત્વાર્થ સૂત્ર : શ્રી ઉમાસ્વાતિજી - ૪૧ ભs For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ SOCTOOOOOOO ચતુર્વિધ સંઘ સંચાલનમાં મહાસંઘ- િપ્રાણલાલ શેઠ, (વેકરીવાળા) શ્રી બૃહદ | કોન્ફરન્સની ભૂમિકા મુંબઈ સ્થાનકવાસી જેના મહાસંઘના પ્રમુખ તથા જ પ્રાણલાલ શેઠ અ. ભા. સ્વેતામ્બર સ્થાનકવાસી જૈન ચતુર્વિધ સંઘ સંચાલનમાં હોદેદારોએ કૉન્ફરન્સના ટ્રસ્ટી તેમ જ નિયમિત હાજર રહી પૂ. સંત-સતીજીઓ હોય | ઉપપ્રમુખ છે. ઉપરાંત ત્યારે દર્શન કરી સુખ-શાતા પૂછી તેમની અગવડ- 1 આવે છે. હી રાજી . || અનેક ધાર્મિક સંસ્થાઓ. સાથે સંકળાયેલા છે. સગવડ, તબિયત માટે ધ્યાન આપી યોગ્ય કરાવવું જોઈએ. સંઘમાં રાજેરોજનું કાર્ય થઈ જવું જોઈએ. દાનની રકમ આવી હોય તેને પણ બેંકમાં ભરાઈ જવી જોઈએ. ખર્ચ માટેની રકમ બેંકમાંથી જ મગાવવી જોઈએ. ફંડ જરૂરિયાત મુજબ દાતાઓ પાસેથી સુચારુ સંઘ ચલાવવા માટે મેળવવાનું ધ્યાન રાખવું જોઈએ. | સંઘના સભ્યો અને જ્ઞાનીજનો માટે યોગ્ય સ્કીમો લાવવી જોઈએ જેથી યોગ્ય જરૂરતોની પૂર્તિ થતી રહે. જૈન મહાસંઘે બધા જ સંઘોને સાથે લઈને સંચાલન કરવું જોઈએ અને ચોક્કસ દિશા-માર્ગદર્શન આપવાં જોઈએ. પૂ. સાધુ-સંતોને કોઈ સંઘમાં કોઈ તકલીફ હોય તો નિવારણ કરવા માર્ગદર્શન આપવું જોઈએ. કોઈ સંઘોને ચાતુર્માસ મેળવવામાં તકલીફ હોય તો માર્ગદર્શન કરી યોગ્ય કરવું જરૂરી છે. ચાતુર્માસ દરમિયાન તેમનાં દર્શને જઈ સુખ-શાતા પૂછી સગવડ-અગવડનું નિરાકરણ કરી શકાય, તેમની પાસેથી જ્ઞાન મેળવી શકાય, માર્ગદર્શન લઈ શકાય. કોઈ સંઘમાં દીક્ષા હોય તો માર્ગદર્શન આપી દીક્ષા સુચારુ રૂપથી થાય તેમ કાર્ય કરાવવું જોઈએ. દરેક સંઘમાં ધાર્મિક પ્રવૃત્તિ પાઠશાળા મારફત ધમધમતી રહેવી જોઈએ અને તેના માટે પ્રોત્સાહનનાં પગલાં લેવા જોઈએ. બાળકોને શરૂઆતની ઉંમરમાં જ્ઞાન મળ્યું હશે તો મોટા થઈને પણ જળવાઈ - For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ SOCTC જ્ઞાનધારા 000 રહેશે. આવું પરદેશમાં ગયેલા બધા જ જ્ઞાન પ્રસારણ કરનાર આપણા કરતાં સારું કરી રહ્યા છે, કારણ અહીં જ્ઞાન પામીને ગયા છે તેઓ મોટી ઉંમરે પણ ચલિત નથી થતા. પૂ. સાધુ-સાધ્વીજીઓની ૨/૩ વર્ષ કોન્ફરન્સ કરવાથી ત્રુટી અને સુધારાવધારા માટે ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન મેળવી શકાય. તેમનું માર્ગદર્શન મળે તે ઉપયોગી થાય. (જોકે, કોન્ફરન્સ ૨/૩ વખત પ્રયત્ન કરેલ, પરંતુ સફળતા મળી ન હતી. છતાં કોન્ફરન્સે પ્રયત્ન કરી કોન્ફરન્સ યોજાય તેવું કરવું જરૂરી છે.) - કોન્ફરન્સ જરૂરત પડે ત્યારે બધાં જ શ્રાવક-શ્રાવિકાઓને માર્ગદર્શન કરતા રહેવું જોઈએ. પૂ. સાધુ-સંતોનું માર્ગદર્શન મેળવતા રહેવું જોઈએ. આમ જિન શાસનના ચતુર્વિધ સંઘના સંચાલનમાં જૈન મહામંડળો, જૈન મહાસંઘો, જૈન કોન્ફરન્સ જેવી મહાજન સંસ્થાઓએ સક્રિય રસ લઈ સમયસમયે અને પ્રસંગે પ્રસંગે ઈન્વોલ્વ થવું જરૂરી છે.. For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ દેશકાળ અનુસાર વિવેપૂર્ણ પરિવર્તન અંગે વિશ્લેષણ જૈન ધર્મના અભ્યાસુ સુરેશભાઈ ગાલાના ‘અનહદની બારી’, ♦ સુરેશ ગાલા | ‘અસીમને આંગણે’ અને ‘મરમનો મલક’ એ ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે. જૈન ધર્મ પર દેશ-વિદેશમાં પ્રવચનો આપે છે શું જૈન ધર્મ જીવનવિરોધી છે ? આ શીર્ષક વાંચી તમે ચોંકી ગયા હશો ? આ વિષય પસંદ કરવા પાછળની ભૂમિકાની પહેલાં સ્પષ્ટતા કરું છું. તા. ૨૧-૦૮-૨૦૦૭ના ‘મુંબઈ સમાચાર’માં એક સમાચાર આવ્યા હતા કે અમદાવાદમાં તા. ૨૦-૭-૨૦૦૭ના એક તિથિને માનવાવાળા અને બે તિથિને માનવાવાળા શ્રોતાંબર મૂર્તિપૂજક તપાગચ્છના જૈન શ્રાવકો વચ્ચે મારામારી થઈ અને પોલીસ બોલાવવી પડી. આ સમાચાર વાંચી મનમાં વિચાર આવ્યો હતો કે અહિંસા જેના કેન્દ્રમાં છે, કીડી પણ ભૂલેચૂકે પગ નીચે કચડાઈ ન જાય એનો ખ્યાલ રાખે છે એવા જૈન ધર્મના એક જ સંપ્રદાય અને એક જ ગચ્છના શ્રાવકો તિથિના પ્રશ્ને મારામારી પર ઊતરી જાય એ વાત સમજમાં આવતી નથી. આજના આ વિષયની પશ્ચાદ્ભૂમિકામાં આ પ્રસંગ છે. ઈ.સ. ૨૦૧૨માં જૈન ધર્મના શ્રાવકોએ બે અલગ અલગ પર્યુષણ પર્વની ઉજવણી કરી હતી. બે ઉજવણી વચ્ચે એક મહિનાનો તફાવત હતો. આ ઉજવણી ઑગસ્ટ, ૨૦૧૨ અને સપ્ટેમ્બર, ૨૦૧૨માં થઈ હતી. જુલાઈ ૨૦૧૨માં એક વિદ્વાન અજૈન મિત્રએ મને મજાકમાં પ્રશ્ન કર્યો કે, “સુરેશભાઈ, તમે આ વર્ષે કયું પર્યુષણ કરવાના છો ? પહેલું કે બીજું ?’’ એ મિત્રે પછી કહ્યું, “અનેકાંતવાદ જેનો પાયો છે એવા તમારા જૈન ધર્મના અનુયાયીઓ, જે ડાહી કોમ તરીકે ઓળખાય છે, આટલી નાની બાબતમાં પણ કેમ એકમત નથી થઈ શકતી ?’’ મારું મનોમંથન શરૂ થઈ ગયું, મેં મનોમન જવાબ આપ્યો. કોઈ છે પહેલામાં તો કોઈ છે બીજામાં, આપણે આમ તો બધામાં ને આમ ન કશામાં. અક્ષર અને આંકડાથી ने પર છે, આપણે તો બસ માત્ર એનામાં. ૪૪ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ 103C જ્ઞાનધારા .00 અક્ષર એટલે માત્ર શાસ્ત્રાભ્યાસ અને આંકડા એટલે સાંપ્રદાયિક ક્રિયાકાંડ, શાસ્ત્રો અને ક્રિયાકાંડથી પર જે ચૈતન્યતત્ત્વ છે, આત્મતત્ત્વ છે, એ જ મારે માટે કેન્દ્રબિંદુ છે. એને લક્ષમાં રાખીને આ વિષય પર વાત કરવાની છે. ત્રીજી ઑગસ્ટ, ૨૦૧૨ના મુંબઈ સમાચારમાં એક વાચક શ્રી અરુણ ગલિયાએ પ્રજામતમાં લખ્યું છે, “હું માત્ર જૈન છું. મારે ચારમાંથી કઈ સંવત્સરી પાળવી એ જણાવશો ? સ્થાનક્વાસી પરંપરાની સંવત્સરી ૨૧ ઓગસ્ટ, ૨૦૧૨ના છે. મૂર્તિપૂજક તપાગચ્છ પરંપરાની સંવત્સરી ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૨ છે. મૂર્તિપૂજક પાર્થગચ્છ પરંપરાની સંવત્સરી ૨૦, સપ્ટેમ્બર, ૨૦૧૨ના છે. દિગંબર પરંપરાની સંવત્સરી ર૯ સપ્ટેમ્બર, ૨૦૧૨ના છે. મને કહો આમાં સત્ય શું છે? ખરતર જૈન સંપ્રદાયના ઉપાધ્યાય મણિપ્રભ મહારાજસાહેબે ચિત્રલેખાના તા. ૨૦-૮-૧૨ના અંકમાં છપાયેલ ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, “અલગ અલગ પર્યુષણની ઉજવણીને કારણે અમે લોકોની હાંસીને પાત્ર બન્યા છીએ. અમે સાધુઓ એકાત્મતા અને ક્ષમાપનાની વાતો કરીએ છીએ, પણ એ વાતો અમારા આચરણમાં દેખાતી નથી. અમે ઉપદેશ તો આપીએ છીએ, પણ એનું પાલન કરતા નથી કે કરાવી શકતા નથી.” “સામાન્ય રીતે સંવત્સરીના દિવસે સરકારી આદેશને પરિણામે તલખાનાં બંધ રાખવામાં આવે છે. આ વર્ષે એટલે કે ૨૦૧૨માં અલગઅલગ સંવત્સરીના હિસાબે કતલખાનાં કોની સંવત્સરીને દિવસે બંધ રાખવાં એ માટે સરકાર પણ મૂંઝાઈ ગઈ છે. પરિણામે આ વર્ષે એટલે કે ઓગસ્ટ, ૨૦૧૨માં સરકારે કતલખાનાં બંધ ન રાખવાનો નિર્ણય કર્યો છે.” | "શું જૈને જીવનવિરોધી છે ?” એ વિષય પસંદ કરવા પાછળની આ ભૂમિકા છે. મને વિચાર આવ્યો કે ધર્મ તો આનંદની યાત્રા છે. ધર્મનું લક્ષ્ય તો આલંબનરહિત અતીન્દ્રિય અનંત આનંદ, અનંત પ્રેમ, અનંત શક્તિ અને અનંત કરુણાની પ્રાપ્તિ છે. એ લક્ષ્ય પર જવાના માર્ગ પર આપણે ચાલીએ એટલે કે ધર્મઆરાધના કરીએ તો આપણને પણ આંશિક આનંદ, પ્રેમ, શક્તિ અને કરુણાનો અનુભવ તો થવો જ જોઈએ ને! જેમ કે સુગંધી પુષ્પોવાળા ઉપવનમાંથી આપણે ફરીને બહાર નીકળીએ તો આપણાં કપડાંમાંથી થોડીક સુગંધ તો આવે જ ને! For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ©©© જ્ઞાનધારા ૮૭૦ ધર્મઆરાધના કરવા છતાં આંશિક આનંદ, પ્રેમ, કરુણા કે શાંતિનો અનુભવ થતો નથી. પરિણામે તિથિના ઝઘડા, મારામારી અને એકમતિનો અભાવ ધર્મમાં જોવા મળે છે. મૂળ જૈન ધર્મમાં જે વાતો હતી એ શું વિસરાઈ ગઈ છે ? ધર્મમાં જીવનવિરોધી વાતાવરણ કેમ સર્જાઈ રહ્યું છે ? કોઈ પણ ધર્મ જીવનવિરોધી હોય કે ન પણ હોય એનો આધાર “ધર્મ એટલે શું?’ એની વ્યાખ્યા પર આધારિત છે. હું એક પ્રશ્ન પૂછું છું કે શું પાણી દૂષિત હોઈ શકે? જવાબમાં આપણે એમ કહી શકીએ કે પાણી દૂષિત હોઈ શકે અને ન પણ હોઈ શકે. વાદળાંમાંથી વરૂપે પાણી વરસે એ ક્ષણે પાણી શુદ્ધ જ હોય છે. આ પાણી ધરતી પર વરસે એ પહેલાં વાતાવરણમાં રહેલી અશુદ્ધિઓ પાણીમાં ભળે એટલે પાણી થોડુંક દૂષિત થાય છે. વરસાદનું પાણી જમીન પર વરસે એટલે જમીનની માટી, કચરો, ગંદકી આદિ એ પાણીમાં ભળે એટલે પાણી વધારો દૂષિત થાય છે. | નદી જ્યારે પહાડમાંથી ઝરણારૂપે ઉદ્ભવે છે ત્યારે નદીના ઉગમસ્થાનમાં તો પાણી શુદ્ધ જ હોય છે. ઉદ્ગમસ્થાનમાંથી શુદ્ધ પાણી લઈ વહેતી નદી સાગરને મળે એ પહેલાં કેટકેટલી અશુદ્ધિઓ એમાં ભળે છે, પરિણામે પાણી દૂષિત થાય છે. આવું દૂષિત થયેલું પાણી સીધેસીધું પીવાથી રોગ થવાની શક્યતા રહે છે. દૂષિત પાણીને ગાળવું પડે, ઉકાળવું પડે કે પછી આજના યુગ પ્રમાણે એક્વાગાર્ડમાંથી પસાર કરવું પડે એટલે દૂષિત પાણી શુદ્ધ થાય અને પીવાલાયક બને. આનો અર્થ એમ થયો કે પાણી એના મૂળ સ્રોતોમાંથી વરસે કે ઝરણારૂપે ઉદ્ભવે ત્યારે શુદ્ધ જ હોય છે. એમ ધર્મ પણ જ્યારે મૂળ સોતમાંથી ઉદ્ભવે એટલે કે આજના વિષયના સંદર્ભમાં લઈએ તો ભગવાન મહાવીરના મુખમાંથી જ્યારે વાણી ઉદ્ભવી કે જેનું નામ જૈન ધર્મ છે એ શુદ્ધ જ હતો. એ ધર્મ અનંત આનંદ તરફ લઈ જનારો હતો, એ ધર્મ પૂર્ણતા અને અખંડિતતા તરફ લઈ જનારો જ હતો, ક્યારેય જીવનવિરોધી ન હતો. તે ભગવાન મહાવીર એટલે જેનામાં સૂર્યની તેજસ્વિતા, ચંદ્રની શીતળતા, આકાશની નિર્લેપતા, મહાસાગરની ઊંડાઈ અને વ્યાપકતા, એવરેસ્ટની ઊંચાઈ, પર્વતની સ્થિરતા, નદીની ગતિશીલતા અને પુષ્પની કોમળતા હતી. આવા ભગવાન મહાવીરની વાણી એટલે જ જૈન ધર્મ. આ જૈન ધર્મ એના મૂળસ્વરૂપમાં ક્યારેય moyoni simbolo For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ છSC જ્ઞાનધારા 100 જીવનવિરોધી ન હોય. આવા જૈન ધર્મમાં કાળક્રમે કેટલીક એવી વાતો અને એવા નિયમોરૂપી અશુદ્ધિઓ ભળી ગઈ, પરિણામે જૈન ધર્મ જીવનવિરોધી લાગવા માંડ્યો. આવી બિનજરૂરી, જીવનવિરોધી વાતો અને નિયમો પ્રત્યે અંગુલિનિર્દેશ કરી એ બિનજરૂરી અને જીવનવિરોધી વાતો ભગવાન મહાવીરની વાણી નથી એવું દર્શાવી એવી વાતોને દૂર કરવાનું કામ, એકવાગાર્ડનું કામ અનેકાંતવાદી અને આત્મજ્ઞાની એવા મહાન આચાર્યો જેવા કે સિદ્ધસેન દિવાકર, ઉમાસ્વામીજી, હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, ઉપાધ્યાય યશોવિજયજી, શ્રીમદ્ રાજચંદ્ર વગેરેએ કર્યું. આ આચાર્યોએ ભગવાન મહાવીરની મૂળ વાણી જેને આપણે જૈન ધર્મ કહીએ છીએ એમાં પાછળથી ભળેલી બિનજરૂરી અને જીવનવિરોધી વાતોને દૂર કરી આપણી સમક્ષ મૂળ જૈન ધર્મ મૂકવાનો પ્રયાસ કર્યો. સોનગઢસ્થિત મહાવીર ચારિત્ર રત્નાશ્રમના સ્થાપક મુનિશ્રી ચરિત્રવિજયજી મહારાજસાહેબે આજથી ૮૦ વર્ષ પહેલાં એટલે કે ૧૯૩૨માં વ્યાખ્યાનો આપ્યાં હતાં. આ વ્યાખ્યાનો પુસ્તકરૂપે પ્રકાશિત પણ થયાં છે. આ વ્યાખ્યાનોમાં મુનિશ્રી ચરિત્રવિજયજી મહારાજસાહેબ જૈન સાધુઓને ઉદ્દેશીને કહે છે : (૧) હે જૈન સાધુઓ, બીજા ધર્મનાં તત્ત્વો જાહેર ઉપદેશને લીધે વિસ્તરે છે. જૈન ધર્મનાં ઉચ્ચ તત્ત્વો જાહેર ઉપદેશની ખામીને લીધે ઉપાશ્રયની બહાર ભાગ્યે જ જાય છે. માટે તે સાધુઓ, તમારી વ્યાખ્યાનપદ્ધતિમાં ફેરફાર કરો. જાહેરમાં વ્યાખ્યાન કેવી રીતે આપવાં એ શીખો. એની પ્રેક્ટિસ કરો. બીજા ધર્મના સાધુઓ કેવી રીતે વ્યાખ્યાન આપે છે એ જુઓ અને શીખો. (૨) તમારી જડવાદી પદ્ધતિને કારણે હજારો જૈનોએ સ્વામીનારાયણ સંપ્રદાય સ્વીકારી લીધો છે. તમે ચેતો. તમારું થોડું પણ માન છે એ તમારા પૂર્વજોના પરાક્રમથી છે. . (૩) પ્રથમ શ્રાવકોદ્ધાર કરો, પછી જ્ઞાનોદ્ધાર કરો અને પછી દેરાસરોનો જીર્ણોદ્ધાર. કરો. (૪) તમે એમ કહો છો કે પાણી ઢોળવાથી પાપ થાય છે. અજાયબી તો મને એ વાતની લાગે છે કે ગુસ્સો કરવો, ખોટું બોલવું, દંભ કરવો એમાં પાપ નહીં ને પાણી ઢોળવામાં પાપ ? આવા મૂર્ખાઈભરેલા વિચારથી તમે For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ C જ્ઞાનધારા મહિનાઓ સુધી નહાતા નથી અને ધર્મનું બહાનું બતાવો છો એ ઘણું ખોટું છે. બાહ્યશુદ્ધિ રાખવી જ જોઈએ. શરીરનાં નવેનવ દ્વારમાંથી હંમેશાં અપવિત્ર પદાર્થો નીકળ્યા જ કરે છે. તે મલિનતા જો સ્નાન ન કરવામાં આવે તો શરીર સાથે સ્પર્શીને રહે છે. તેની અસર મન પર થાય છે. કેટલાક લોકો નહાવાથી પાપ થાય એમાં ધર્મનું કારણ બતાવે.છે. આવા લોકોને અને તેના ધર્મને અન્ય લોકો મલિન અને ગંદા એવા ઉપનામથી બોલાવે છે એની એમને ખબર છે ? સ્નાન કરીને મલિનતા દૂર કરવાનું જરૂરી છે. જ્યાં સુધી શરીર તરફ્નો અહંભાવ દૂર થયો નથી (એટલે કે સાતમે ગુણસ્થાને જ્યાં સુધી પહોંચાયું નથી) ત્યાં સુધી મહાત્માને પણ બાહ્યશુદ્ધિની જરૂર છે. (૫) તે સમયના દેશકાળ અનુસાર જે બોધ અપાયો એ બોધને આજે દેશકાળમાં ફેરફાર થયા પછી પણ અનુસરવો એ મોટી ઠોકર ખાવા જેવી વસ્તુ છે. પ્રખ્યાત દિગંબર જૈન મુનિ તરુણસાગર મહારાજે તા. ૨૦-૮-૨૦૧૨ના ચિત્રલેખા મૅગેઝિને લીધેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે ‘“ભગવાન મહાવીરસ્વામીનો અતિઉચ્ચ કોટિનો માલ છે, પરંતુ એનું પૅકિંગ સાવ સામાન્ય છે. મેં પૅકિંગ સુધારણાનું કામ કર્યું છે. એટલે કે નિયમોમાં પરિવર્તન કર્યું છે. હું માઈક, પંખાનો ઉપયોગ કરું છું. ઈલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરું છું. હું જીવનભર વિચરણ કરું તોપણ મારા વિચારવાણી જેટલા લોકોને પહોંચાડી શકું એના કરતાં અનેક ગણા લોકોને મારી વિચારવાણી મીડિયાના હકારાત્મક ઉપયોગને કારણે કલાકોમાં પહોંચાડી શક્યો છું. લગભગ ઈ.સ. ૧૯૮૭-’૮૮માં બંધુત્રિપુટી મહારાજસાહેબ પહેલવહેલી વાર વિદેશના પ્રવાસે ગયા ત્યારે જૈન સમાજમાં ઘણો ઊહાપોહ થયો હતો. અમુક લોકોએ અભિપ્રાય આપ્યો કે મહારાજસાહેબે ક્રાંતિ કરી છે. દંતાલીસ્થિત સ્વામી સચ્ચિદાનંદજીએ ત્યારે એક લેખ લખ્યો હતો. એ લેખમાં એમણે ઉલ્લેખ કર્યો હતો કે જૈન મુનિ બંધુત્રિપુટીએ ક્રાંતિ કરી છે, એવું મને જાણવા મળ્યું. એટલે મેં પૂછ્યું કે “એમણે શું ક્રાંતિ કરી છે ?'' મને જાણવા મળ્યું કે તેઓ સ્નાન કરે છે, જાજરૂનો ઉપયોગ કરે છે, બ્રશ કરે છે, ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરે છે, વાહનનો ઉપયોગ કરે છે, માઈક વાપરે છે અને ફોનનો ઉપયોગ કરે છે. જૈન સાધુઓ માટે આ બધી વસ્તુઓ નિષિદ્ધ છે. આ વસ્તુઓનો એમણે ઉપયોગ કર્યો છે એટલે એમણે ૪૮ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ © C જ્ઞાનધારા થO SO કાંતિ કરી છે.” સચ્ચિદાનંદજી લખે છે “ક્રાંતિ એ બહુ મોટી વાત છે. જાજરૂમાં જાજરૂ કરવું એ ક્રાંતિ નથી. બંધુત્રિપુટી મહારાજસાહેબે અસહજ જીવન છોડી સહજ જીવન અપનાવ્યું છે. એમાં ક્રાંતિ નથી, પણ સહજ જીવનનો સ્વીકાર છે.” એકવીસમી કે બાવીસમી જૂને આ નક્ષત્ર બેસે એટલે કેરી ખવાય નહીં એવી જૈનોમાં પરંપરા છે, માન્યતા છે. શું આ નિયમ પાળવાથી દેથી પર એવા ચૈતન્યતત્ત્વની, આત્મતત્વની ઝાંખી થશે? સદ્ગુણોનો વિકાસ થશે? આરોગ્યની દષ્ટિએ આ નિયમ સારો છે. ૨૧મી જૂનથી ભારતમાં શરીર માટે વાયુપ્રકોપનો કાળ શરૂ થાય છે. પાચનશક્તિ મંદ પડી જાય છે. આયુર્વેદની દષ્ટિએ કેરી વાયુ કરે એટલે આદ્ર નક્ષત્ર બેસે એટલે કેરી ખાવી નહીં એવો નિયમ શરૂ થયો. આ નિયમના મૂળમાં આયુર્વેદ છે, ધર્મ નહીં. એ જમાનામાં વાહનવ્યવહારની એવી સગવડ ન હતી કે એક પ્રદેશની કેરી બીજા પ્રદેશમાં પહોંચી શકે. મહારાષ્ટ્રમાં રત્નાગિરિનો કે ગુજરાતમાં વલસાડની કેરીનો પાક જૂનની ૧૫ તારીખ સુધી પૂરો થઈ જાય છે. એ જમાનામાં કેસર કેરીની ખેતી પણ થતી ન હતી. એટલે આર્કા નક્ષત્ર બેસે ત્યારે કેરી મળે જ નહીં. ઉત્તર ભારતમાં લખનઊ તરફ એવી કેરી થાય છે જેની ઉપર પાણી પડે તો જ એ કેરી પાકે જેવી કે દશહરી, લંગડા આદિ. દિલ્હી અને લખનઉમાં આ નિયમ કેવી રીતે લાગુ પડે ? અમેરિકા અને યુરોપમાં ૨૨મી જૂને ઉનાળો બેસે અને ત્યારે જ અમેરિકામાં મેક્સિકોથી કેરી આવે છે. ત્યાં આ નિયમ કેવી રીતે લાગુ પડી શકે ? આનો અર્થ એ થયો કે સ્થળ બદલાય, કાળ બદલાય એમ નિયમોમાં, તંત્રમાં પરિવર્તન આવવું જોઈએ. આપણને એ સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ કે આદ્ર નક્ષત્ર બેસે ત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં કેરી ન ખાવી એ આરોગ્યની દષ્ટિએ સારી વાત છે, પણ એને ધર્મ સાથે કંઈ પણ લાગતુંવળગતું નથી. આદ્રામાં કેરી તજે, દહીં ગરમ કરી ખાય અનેકાંતવાદી ઘરમ રસોડામાં સમાય ખાવા, ના ખાવા તણાં થાય વિવિધ અનુષ્ઠાન કષાયમુક્તિ વિસરાણી આડંબરનાં ગાન અત્યારના જૈન ધર્મમાં સાધુઓ માટે નિયમો એવા છે જેને બદલવા જરૂરી છે. આ નિયમોને પરિણામે જૈન ધર્મને જીવનવિરોધીની છાપ લાગી ગઈ છે. દા.ત. For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ S OCC જ્ઞાનધારા 0200 (૧) જાજરૂનો ઉપયોગ કરવો નહીં. (૨) સ્નાન કરવું નહીં અને બ્રશ કરવું નહીં. (૩) વાહનનો ઉપયોગ કરવો નહીં. (૪) ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરવો નહીં. (૫) એકાશન વખતે પાટલા પર બેસી બ્રશ કરવું અને પછી ભોજન કરવું. જાજરૂનો ઉપયોગ કરવો નહીં * * આજથી લગભગ ૬૦ કે ૬૫ વર્ષ પહેલાં ભારતની જનસંખ્યા ૩૫થી ૪૦ કરોડની હતી. આજે ૧૦૦ કરોડ ઉપર છે. લોકો ગામડામાં રહેતા હતા. એ જમાનામાં ગામડામાં ખુલ્લામાં હાજતે જવું એ સામાન્ય બાબત હતી. આ લેખના વાચકોમાંની મોટી ઉંમરની ઘણી વ્યક્તિઓ નાનપણમાં ગામડામાં ખુલ્લામાં હાજતે ગઈ જ હશે. એ જમાનામાં ગામડામાં ભેંયખાળની (સેપ્ટિક ટેન્ક) સગવડ પણ નહોતી. અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમની તો કલ્પના પણ ન હતી. આજે મુંબઈ શહેરની વસ્તી બે કરોડની છે. મુંબઈ શહેરમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ છે ત્યાં જાજરૂનો ઉપયોગ ન કરવાની વાત કેવી રીતે શક્ય બને ? તમે કલ્પના કરી જુઓ કે મુંબઈના બે કરોડ લોકો જ જાજરૂ ન વાપરે અને રોજ ખુલ્લામાં હાજતે જાય તો શું થાય ? ચોમાસામાં શું સ્થિતિ થાય? ગંભીર રોગચાળો ફાટી નીકળે અને મુંબઈ શહેર છોડવું પડે એવી સ્થિતિ સર્જાઈ જાય. - મને એક પરિચિત વ્યક્તિએ વાત કરી કે મુંબઈના સારા પરામાં રહેતા એમના પાડોશી ધર્મને નામે જાજરૂ વાપરતા નથી. સવારના મળ વિસર્જનની ક્રિયા કોરા કાગળ ઉપર કરી એ કાગળને કાગળની થેલીમાં રાખી, લિફ્ટમાં નીચે ઊતરી એ કાગળની થેલીને રસ્તામાં ક્યાંક ફેંકી દે છે. મને મારી પરિચિત વ્યક્તિએ કહ્યું કે, ઘણી વાર અમે લિસ્ટમાં સાથે થઈ જઈએ છીએ. એમની પાસે થેલી જોઈને અમને સૂગ ચડે છે. ધર્મને નામે આવું વર્તન મુંબઈ જેવા શહેરમાં માણસ કેવી રીતે કરી શકે? ધર્મને નામે આવી રીતે કેમ ગંદકી કરી શકે? તમે ધર્મ જૈન છો, શું તમે સહન કરી શકશો તમારા જવાના રસ્તા પર મળ પડ્યા હોય કે રસ્તા પર પેશાબ પડ્યો હોય ? શ્રાવકોના અને શ્રમણોના આવા વર્તનને પરિણામે જૈન ધર્મ જીવનવિરોધી છે એવી છાપ અન્ય ધર્મીઓમાં ઊભી થઈ છે. For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ STOCC જ્ઞાનધારા O૭૦ in ચાર-પાંચ વર્ષ પહેલાંની વાત છે. પર્યુષણ પર્વ દરમિયાન અમુક શ્રાવકોએ આઠ દિવસનું પૌષધ વ્રત રાખ્યું હતું. (આઠ દિવસ શ્રાવકો ઉપાશ્રયમાં જ રહે અને સાધુ જેવું જીવન આઠ દિવસ દરમિયાન ગાળે). ઉપાશ્રયમાં ખુલ્લી જગ્યાનો અભાવ હતો. ઉપાશ્રય એક ફ્લેટમાં હતો. ઉપાશ્રયના (ફ્લેટ) મકાનની અગાશીમાં રેતી પાથરવામાં આવી હતી. પૌષધ વ્રતવાળા શ્રાવકો અગાશીની રેતી પર મળવિસર્જન કરતા હતા. અમુક વ્યકિતઓ કે જે ગટરસફાઈ સાથે સંકળાયેલા હતા તેઓ અગાશી પરથી મળ લઈ ક્યાંક ફેંકી આવતા હતા. એ વ્યક્તિઓને આ કામ માટે પૈસા આપવામાં આવતા હતા. શું માનવતાના ધોરણે આ યોગ્ય છે ? પૌષધ શબ્દનો અર્થ થાય છે કે જે ક્રિયાઓ દ્વારા આત્માના ગુણો જેવા કે આનંદ, પ્રેમ, શક્તિ, કરુણા આદિનું પોષણ થાય એવી ક્રિયાને પૌષધક્રિયા કહે છે. શું મળવિસર્જન ખુલ્લામાં કરવાથી આત્માના ગુણોનું પોષણ થશે ? કષાયો ઓછા થશે? જો જવાબ “નામાં હોય તો આપણે હિંમત દાખવી આવા સ્વચ્છતાવિરોધી, વિજ્ઞાનવિરોધી, માનવતાવિરોધી નિયમને દૂર કરવો જોઈએ. જેને આવા નિયમો પાળવા હોય એ ભલે જંગલમાં રહે. એણે શહેરમાં આવવું જોઈએ નહીં. આવા નિયમો જંગલમાં પળાય, શહેરમાં નહીં.. લગભગ સો વર્ષ પહેલાં સુરતથી દક્ષિણના પ્રદેશમાં વિચરવાનો સાધુઓ માટે નિષેધ હતો. મુંબઈમાં આવવાનો નિષેધ હતો. એ જમાનામાં એમ કહેવાતું – જે ઓળંગે તાપી, એ કહેવાય પાપી. શું આ નિયમનું પાલન આજે શક્ય છે ? સ્નાન કરવું નહીં, બ્રશ (મુખશુદ્ધિ) કરવી નહીં ધર્મ એટલે આત્મસાધનાનો માર્ગ, ચિત્તને કષાયોથી મુક્ત કરવું, નિર્મળ કરવું એનું નામ ધર્મ. યોગસાર ગ્રંથમાં કહ્યું છે: ન આંચલો ન મુખવાં, ન રાઠા ન ચતુર્દશી ન શ્રદ્ધા આદિ પ્રતિષ્ઠા વા, તવં કિંતુ અમલ મનઃ અંચલ (જેની ઉપરથી અચલગચ્છ શબ્દ આવ્યો છે, અચલગચ્છ શબ્દ તો પાછળથી આવ્યો છે) મુંહપતી, પૂનમ ચૌદશ કે શ્રાવકોએ શ્રદ્ધાથી પ્રતિષ્ઠિત કરેલી પ્રતિમા એ તત્ત્વ નથી. તત્ત્વ તો નિર્મલ મન છે. કબીરસાહેબ પણ કહે છે : For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ C જ્ઞાનધારા મન ઐસો નિર્મલ ભયો, જૈસે ગંગા નીર તાકે પીછે હરિ ફિરે, કહતે દાસ કબીર. ચિત્તશુદ્ધિ એ સૂક્ષ્મશુદ્ધિ છે. જો આપણે સૂક્ષ્મશુદ્ધિને સ્વીકારીએ તો સ્થૂળશુદ્ધિ એટલે કે સ્નાન અને મુખશુદ્ધિનો ધર્મને નામે અસ્વીકાર શા માટે કરીએ છીએ ? મને એક યુવાન વ્યક્તિએ પ્રશ્ન કરેલો કે ‘“અંકલ, પર્યુષણ દરમિયાન મુખશુદ્ધિ ન કરવાને કારણે અપસરામાં ઘણાનાં મોંઢામાંથી વાસ આવે છે. હું આ વાસ સહન નથી કરી શકતો. શું આ ધર્મને નામે યોગ્ય છે ? ઉપવાસ દરમિયાન શરીરના જે દ્વારમાંથી આહાર લઈએ છીએ તે દ્વારની એટલે કે મુખની શુદ્ધિ કરતા નથી, પરંતુ ઉપવાસ દરમિયાન મળવિસર્જન કરવું પડે તો ગુદાદ્વારને પાણીથી શુદ્ધ કરીએ છીએ. ઉપવાસ દરમિયાન શરીરના ઊર્ધ્વદ્વારને પાણીથી શુદ્ધ ન કરવું અને શરીરના અધ:દ્વારને પાણીથી શુદ્ધ કરી શકીએ એમાં લૉજિક ક્યાં છે ? અંકલ, તમે સમજાવો શું આ યોગ્ય છે ?’” (એક જૈન ડેન્સ્ટિ મિત્રે મને કહેલું કે આપણા સાધુઓ દાંતની ટ્રીટમેન્ટ માટે મારી પાસે આવે છે ત્યારે એમના દાંતની સ્થિતિ જોઈને થાય છે કે ધર્મના નામે આ શું થઈ રહ્યું છે ?) એક બાજુ આપણે ત્યાં કહેવાય છે કે, દેવાઃ સુગંધ પ્રિયાઃ (દેવોને સુગંધ પ્રિય છે અને જ્યાં સુગંધ હોય ત્યાં દેવો પણ આકર્ષાય છે. માટે જ દેરાસરમાં ધૂપ દ્વારા વાતાવરણને સુગંધિત રખાય છે) અને બીજી બાજુ ધર્મને નામે આપણે દુર્ગંધને પોષવાનું કામ કરી રહ્યા છીએ ! કેવો વિરોધાભાસ છે. સ્નાન ન કરવું અને બ્રશ ન કરવું આ નિયમની પાછળ હાર્દ આપણે સમજીએ છીએ. જે ખરેખર આત્મસાધક છે અને સાધનામાં ઘણા ઊંડા ઊતર્યા છે એવા સાધકો ધારો કે શનિવારે સાંજે છ વાગે સાધનામાં બેસી ગયા હોય અને સાધના દરમિયાન દેહભાન ભૂલાઈ જાય પરિણામે કાઉસગ્ગની અવસ્થા ઘટિત થાય અને રવિવારે રાત્રે દેહભાન આવે ત્યારે સાધક સાધનામાંથી ઊભો થાય તો રવિવારે એણે ખાધું હતું ? સ્નાન કર્યું હતું ? મુખશુદ્ધિ કરી હતી ? જવાબ છે ના. આ ખરો ઉપવાસ છે. તમને પ્રશ્ન થશે કે શું આ શક્ય છે ? મારો જવાબ છે - હા, હું કોલકાતાના એક સાધકને ઓળખું છું જે ઘણી વાર શનિવારે સાંજે સાધનામાં બેસી ૫૨ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ OCLC જ્ઞાનધારા 100 જાય છે અને રવિવારે રાત્રે સાધનામાંથી ઊભા થાય છે. એ સાધક મને કહેતા હતા કે મારે હજી સાધના વધારવી છે. ધીરેધીરે આઠ દિવસ સુધી પહોંચવું છે આનો અર્થ એ થયો કે જે સાધક આવી સાધના કરે છે એ સાધક સાધનાના દિવસે સ્નાન કરતા નથી કે મુખશુદ્ધિ નથી કરતો તો એ યોગ્ય છે. જેની આવી સ્થિતિ નથી એમણે તો સ્નાન અને મુખશુદ્ધિ કરવા જ જોઈએ. આપણે નિયમનું હાર્દ સમજ્યા નથી, પરિણામે માત્ર બાહ્ય આચરણને જ ધર્મક્રિયા માની બેઠા છીએ. જૈન પરંપરામાં છઠ્ઠ અને અઠ્ઠમનું તપ શબ્દ વપરાય છે. છઠ્ઠ એટલે બે દિવસના ઉપવાસ અને અઠ્ઠમ એટલે ત્રણ દિવસના ઉપવાસ. આ શબ્દોનો મેળ કેવી રીતે બેસે એ આપણે વિચાર્યું છે? આપણે ત્યાં પણ શબ્દ વપરાય છે કે છઠ્ઠને પારણે અને અમને પારણે, અને અતરવાયણા”. અત્યારની માન્યતા મુજબ અતરવાયણા એટલે ઉપવાસ કરવાના આગલા દિવસે સાંજે બરાબર જમી લેવું. વાસ્તવિક રીતે છ8ને પારણે” એટલે કે બે દિવસના ઉપવાસના ચાર ટંક, આગલા દિવસના સાંજના ઉપવાસનો એક ટંક એમ કુલ પાંચ ટંક ખાવાનું નહીં. ત્રીજે દિવસે સવારે એટલે છઠે ટકે પારણું કરવું એટલે છઠ્ઠને પારણે’ શબ્દ વપરાય છે. એ જ રીતે “અઠ્ઠમને પરણે” એટલે કે ત્રણ દિવસના ઉપવાસના ૬ ટંક અને આગલા દિવસના સાંજના ઉપવાસનો એક ટંક એમ કુલ ૭ ટંક ખાવાનું નહીં અને ચોથે દિવસે સવારે અઠ્ઠમ ટકે પારણું કરવું. બે દિવસ કે ત્રણ દિવસ દેહભાન ભૂલી આત્મભાવની સ્થિતિમાં રહેવાને કારણે નિરાહાર, અસ્નાન અને અદંતધૌવન રહે, એ ખરું છ8નું કે અઠ્ઠમનું તપ છે. આવા તપથી ચિત્તશુદ્ધિ થાય છે. શ્રીમદ રાજચંદ્ર “અપૂર્વ અવસરમાં એટલે જ અસ્નાન અને અદંતધૌવનનો ઉલ્લેખ કર્યો છે. અસ્નાન અને અદંતધૌવન એ બાહ્યક્રિયા છે. એનું મહત્ત્વ નથી. આત્મભાવના સ્થિર થવાને કારણે એ ક્રિયા ઘટિત થાય છે એટલે આપણે સમજી લેવું જોઈએ. - વાહનનો ઉપયોગ કરવો નહીં . આજથી સો વર્ષ પહેલાં યાંત્રિક વાહનોની શોધ થઈ ન હતી ત્યારે પશુચાલિત વાહનમાં બેસવા કરતાં પાદવિહાર કરવો સાધુઓ માટે ઇષ્ટ હતો. આજના જમાનામાં શું સ્થિતિ છે ? મુંબઈમાં ઘાટકોપરથી અંધેરી વિહાર કરવો હોય તો I For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ©©©© જ્ઞાનધારા 0:00 કેવી પરિસ્થિતિ છે. (૧) રસ્તા પર ગંદકી (૨) રસ્તા પર પ્રદૂષણ (૩) અકસ્માતનો ભય (૪) સમયનો નિરર્થક વ્યય આજના સમયમાં ભારતના દરેક મહાનગરોમાં આવી જ પરિસ્થિતિ છે. આવા સમયમાં શું વાહનનો ઉપયોગ ન કરવો એ યોગ્ય છે? સૌરાષ્ટ્રનાં અંતરિયાળ ગામોમાં ઘણાં સ્થાનકવાસી જૈન કુટુંબોએ જૈન સાધુનો સંપર્ક નહીં હોવાને કારણે સ્વામીનારાયણ ધર્મ અપનાવી લીધો છે. માડાગાસ્કરની રાજધાની એન્તાનાનારાવોમાં ઘણાં જૈન કુટુંબોએ વૈષ્ણવ ધર્મ અપનાવી લીધો છે. એ શહેરમાં જૈન મંદિર નથી. જૈન સાધુઓના વાહન ન વાપરવાના નિયમને કારણે જૈન સાધુઓ વિદેશમાં જઈ શકતા નથી. પરિણામે જૈન સાધુઓ સાથે સંપર્ક રહ્યો નથી. અમેરિકા, આફ્રિકા અને બ્રિટનમાં લાખો જૈનો વસે છે. એમનાં બાળકોમાં જૈન ધર્મના સંસ્કાર ટકી રહે એ માટે પણ જૈન સાધુઓએ વાહન વાપરવા અંગે વિચારણા કરવી જોઈએ જેથી જૈન સાધુઓ વાહનનો ઉપયોગ કરી વિદેશમાં જૈન ધર્મને ટકાવી રાખવામાં ફાળો આપી શકે. મલયેશિયામાં લગભગ ચારસો સ્થાનકવાસી જૈન કુટુંબો વસે છે. મલયેશિયાના ઈપો શહેરમાં બંધુત્રિપુટી મહારાજસાહેબની પ્રેરણાથી એમના હસ્તે જૈન દેરાસરની પ્રતિષ્ઠા ઈ.સ. ૨૦૦૧માં થઈ હતી. મલયેશિયાના જૈનો માટે એક શ્રદ્ધાના, આસ્થાના સ્થાનનું નિર્માણ થયું. મલયેશિયાસ્થિત જૈન કુટુંબોમાં જૈન ધર્મ ટકી ગયો છે. બંધુત્રિપુટી મહારાજ સાહેબે વાહનનો ઉપયોગ કર્યો પરિણામે સાઉથઈસ્ટ એશિયામાં પહેલવહેલા શિખરબદ્ધ જૈન મંદિરનું નિર્માણ થઈ શક્યું. જે સાધુઓ માત્ર ગ્રામ્ય વિસ્તારમાં જ વિચરણ કરે છે, અમુક ક્ષેત્રથી બહાર જતા પણ નથી અને થોડાક કિલોમીટરથી વધુ વિહાર કરવો પડતો પણ નથી અને જેઓ નગરોમાં આવવા માગતા જ નથી એવા સાધુઓ કદાચ વાહનનો ઉપયોગ ન કરે તો એ સમજી શકાય એવી વાત છે. અપવાદરૂપ વાત છે. ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર સમકાલીન હતા. એ જમાનામાં - ૫૪ છે For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ©©©© જ્ઞાનધાર 0િ00 બૌદ્ધધર્મી સાધુઓ વહાણો દ્વારા સાઉથ-ઈસ્ટ એશિયામાં પહોંચી ગયા. ભાષાની તકલીફ હતી, મુસાફરીમાં તક્લીફ હતી, છતાં બૌદ્ધધર્મી સાધુઓની નિષ્ઠાને કારણે લગભગ આખું સાઉથ-ઈસ્ટ એશિયા બૌદ્ધધર્મી બની ગયું. ચીન, જાપાન, શ્રીલંકા, થાઇલેન્ડ, વિયેતનામ, ફિલિપાઈન્સ આદિ દેશો બૌદ્ધધર્મી બની ગયા. - શ્રી ક્ષિતિમોહન સેને એમના પુસ્તક “સાધનાયત્રયી”માં ઉલ્લેખ કર્યો છે કે જેમ બૌદ્ધ સાધુઓએ સાઉથ-ઇસ્ટ એશિયામાં જઈ બૌદ્ધ ધર્મનો ફેલાવો કર્યો એમ જો જૈન સાધુઓએ નોર્થ-વેસ્ટ એટલે કે હાલના પાકિસ્તાન, અફઘાનિસ્તાન, આરબ દેશો આદિ દેશોમાં જઈ ભગવાન મહાવીરનો અહિંસાનો ઉપદેશ ફેલાવ્યો હોત તો કદાચ ભારત પર જે આક્રમણો થયાં એ ન પણ થયાં હોત. ભારત પર બધાં જ આક્રમણો નોર્થ-વેસ્ટ દિશમાંથી જ થયાં છે. ' ઇલેક્ટ્રિકનો ઉપયોગ કરવો નથી ઇલેક્ટ્રિસિટીના વપરાશ વગર આપણે શહેરમાં જીવી શકીએ ખરા ? જો ઇલેક્ટ્રિસિટી ન હોય તો મ્યુનિસિપાલિટીના પાણીનાં પમ્પિંગ સ્ટેશન કેમ ચાલશે ? બહુમાળી મકાનમાં ઓવરહેડ ટેન્કમાં પંપ વગર પાણી કેમ પહોંચશે ? ઈલેક્ટ્રિસિટીના વગર કારખાનાં નહીં ચાલે, પરિણામે પેટ્રોલ નહીં બને, પરિણામે વાહનો ચાલી નહીં શકે. વાહન વગર શહેરમાં દૂધ, અનાજ, શાકભાજી આદિ કેવી રીતે પહોંચશે ? વાહનો બંધ હશે, પરિણામે ચાલીને જ બધે જવું પડશે. વિમાનો ઊડતાં બંધ થઈ જશે. ટેલિફોન, કોમ્યુટર, સેલફોન બધું બંધ થઈ જશે. ઘરમાં રસોઈ કરવા માટે વપરાતો ગેસ કેવી રીતે મળશે ? પુસ્તકો કેવી રીતે છપાશે ? કપડાંની મિલો બંધ થઈ જશે. ડોક્ટરો ઓપરેશન કેવી રીતે કરી શકશે ? સાધુઓ ગોચરી વહોરે છે, પડાં પહેરે છે, પુસ્તકો છપાવે છે, એમાં ઈલેક્ટ્રિસિટીનું પ્રદાન કેટલું છે ? કોઈ સાધુ કહી શકે કે ઇલેક્ટ્રિસિટીની જેમાં વપરાશ હશે એવી કોઈ પણ વસ્તુ મને નહીં ખપે? ધર્મને નામે ઇલેક્ટ્રિસિટીનો વિરોધ કરવો એ સમજદારીની વાત નથી. આવા ઇલેક્ટ્રિસિટીના વિરોધને કારણે પણ જૈન ધર્મની જીવનવિરોધીની છાપ ઊભી થઈ છે. અમારાં એક પરિચિત સાધ્વીજી સવારે અમારા ઘરે વહોરવા પધાયાં હતાં. અમે છઠે માળે રહીએ છીએ. આખો માળ વાપરીએ છીએ. એમણે સવારના ૭ - પપ છે. For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ 2. જ્ઞાનધારા વાગે ઘરનું બારણું ખખડાવ્યું. ડ્રોઇંગરૂમમાં કોઈ હતું નહીં, પરિણામે અમે બારણાં ખખડાવવાનો અવાજ સાંભળ્યો નહીં. સાધ્વીજીએ બેલ મારી નહીં અને એમ ને એમ પાછાં ચાલ્યાં ગયાં. બીજે દિવસે હું એમના દર્શન માટે અપાસરામાં ગયો હતો ત્યારે એમણે મને આ વાત કરી. મેં એમને કહ્યું “તમે બેલ ન મારો તો અમને ખબર કેમ પડે કે કોઈ આવ્યું છે ?’” સવારના ૭ વાગે ડ્રોઇંગરૂમમાં તો કોઈ હોય નહીં. એમની દષ્ટિએ બેલ મારવી એ ધર્મ વિરુદ્ધની વાત છે. છે આનો કોઈ જવાબ આપણી પાસે ? ન એન્ટવર્પમાં જૈન દેરાસર છે. એમાં હિટિંગની વ્યવસ્થા છે. એન્ટવર્પમાં શિયાળામાં માઈનસ ૨૦ સેન્ટિગ્રેડ ઉષ્ણતામાન રહેતું હોય ત્યારે હિટિંગ વગર કેમ જીવી શકાય ? મલયેશિયાના ઈપો શહેરમાં જૈન દેરાસર છે. એમાં ઍરકન્ડિશનર મૂક્યું છે. ઈપો શહેરમાં ઉનાળામાં સખત ગરમી પડે છે. ઍરકન્ડિશનર વગર રહેવું અતિમુશ્કેલ હોય છે. શું આ ઈલેક્ટિસટીની વપરાશનો આપણે કેવી રીતે વિરોધ કરી શકીએ ? કેન્દ્ર સરકાર શાળામાં સેક્સ ઍજ્યુકેશન આપવા અંગે વિચારણા કરી રહી હતી. આ વિષયનો વિરોધ કરવા આચાર્ય રત્નસુંદર મહારાજસાહેબ છ વર્ષ દિલ્હીમાં રહ્યા. માઈકનો ઉપયોગ કર્યો. લોકસભાના ચૂંટાયેલા સાંસદોને મળ્યા. સરકાર ઝૂકી ગઈ. શાળામાં સેક્સ ઍજ્યુકેશન આપવાની વાત પડતી મૂકવામાં આવી. આચાર્ય રત્નસુંદર મહારાજસાહેબના મુંબઈના ઍરકન્ડિશન યોગી સભાગૃહનાં પ્રવચનોમાં ચારથી પાંચ હજાર વ્યક્તિઓની હાજરી રહેતી હતી એમાં મોટા ભાગના યુવાનો હતા. શું આ માઈકના ઉપયોગ વગર શક્ય છે ? મહારાજસાહેબ યુવાનો પાસે ત્રણ પ્રતિજ્ઞા લેવડાવતા અને યુવાનો રાજીખુશીએ ત્રણ પ્રતિજ્ઞાઓ લેતા હતા. ત્રણ પ્રતિજ્ઞાઓ : (૧) મા-બાપને ક્યારેય વૃદ્ધાશ્રમમાં નહીં મોકલું અને એમની સાથે વિનયથી વર્તીશ (૨) વ્યસનોથી દૂર રહીશ (૩) છૂટાછેડા નહીં આપું ૫૬ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ XXXC şi-jEIZI XOXO આરાધ્યાબામ મહાસતીજીએ ઓગસ્ટ, ૨૦૧૨માં સંથારાના પચ્ચકખાણ લીધાં હતાં. ઘાટકોપરના પારસધામમાં તેઓ સ્થિત હતાં. ચેન્નાઈમાં ચાતુર્માસ માટે બિરાજેલ પૂજ્ય નમ્રમુનિ મહારાજસાહેબ સંથારા દરમિયાન દરરોજ એક કલાક સુધી વીડિયો અને ફોનના ઉપયોગ કરીને એમને પ્રવચન સંભળાવતા હતા, પરિણામે આરાધ્યાબાઈ મહાસતીજીની ભાવદશા ઘણી ઉચ્ચ કોટિની થઈ ગઈ હતી. શું ઈલેક્ટ્રિસિટીના આ હકારાત્મક ઉપયોગનો આપણે વિરોધ કરશું? મારી દષ્ટિએ ધર્મના નામે ઇલેક્ટ્રિસિટીના વપરાશનો વિરોધ બંધ કરવો જોઈએ. એકાશન વખતે પાટલ પર બ્રશ કરવું એકાશન એટલે એક + અશન. અશન એટલે રાંધેલો ખોરાક. એકાશન એટલે દિવસમાં એક વખત રાંધેલો ખોરાક લેવો. એકાશન પાછળ ભાવના એ છે કે એક વખત રાંધેલો ખોરાક અને એ પણ અલ્પ પ્રમાણમાં લેવાથી શરીરમાં સુસ્તી આવતી નથી. પરિણામે આત્મસાધનામાં કે સ્વાધ્યાયમાં સહેલાઈથી બેસી શકાય છે. આપણે એકાશન શબ્દનું અર્થઘટન કર્યું છે - એક + આસન એટલે કે એક આશન પર બેસીને ખાવું. મૂળ વાતમાં અશને શબ્દ છે, આસન શબ્દ છે જ નહીં. એકાશન શબ્દમાં ‘શ છે (મીંડાવાળો શો. આપણે “સ' (સગડીનો સ) લખી એકાશનને એકાસન, એકાસણું આદિ બનાવી દીધું છે. અત્યારની આપણી પરંપરામાં એક પાટલા ઉપર બેસી બ્રશ કરે કે મુખશુદ્ધિ કરે અને પછી લગભગ એકાદ કલાક સુધી અતિપ્રમાણમાં ભોજન કરે. એકાશન વ્રત પાછળની મૂળ ભાવના કે અલ્પ પ્રમાણમાં એક વખત રાંધેલો ખોરાક ખાઈ બાકીનો સમય આત્મસાધના કે સ્વાધ્યાયમાં વિતાવવાની વાત વિસરાઈ ગઈ છે. પાટલા પર બેસી બ્રશ કરી પછી એ જ પાટલા પર બેસી ભોજન કરતી એકાશન વ્રતધારી વ્યક્તિને જોઈને અન્ય ધર્મીઓને કે વિચારકોને થાય છે કે આ પ્રકારનો અરૂચિકર વ્યવહાર ધર્મના નામ કેવી રીતે થઈ શકે? આપણે દેશકાળ અનુસાર વિવેકપૂર્ણ રીતે પરિવર્તનોને સ્વીકારશું તો તે કલ્યાણનું કારણ બનશે. જ પ૭ ૧૭ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ વર્તમાનકાળમાં બાળકો માટે જૈન શિક્ષણની આદર્શ પદ્ધતિની રૂપરેખા મુંબઇસ્થિત દર્શનાબહેન નિમિષભાઈ દફતરી નેચરોપથી સેંટર ચલાવે છે. છેલ્લાં કેટલાંક વર્ષથી Look N Learn પાઠશાળામાં ♦ ડૉ. દર્શના દફતરી | ટીચર્સ/ પ્રિન્સિપાલ તરીકે સેવા આપે છે. વાલીઓ માટે પણ ધાર્મિક ક્લાસીસ ચલાવી રહ્યાં છે. કોઈ પણ સમાજ એના સંસ્કારો તથા સંસ્કૃતિ પર ટકેલો હોય છે. આખી મનુષ્યજાતિની ધરોહર આ સંસ્કૃતિ જ હોય છે અને સંસ્કૃતિ જ ધર્મનું બીજું સ્વરૂપ હોય છે. સમાજમાં ઉત્પન્ન થતાં કુસંસ્કારો, દૂષણો તથા અન્યાય તે સમાજના અધ:પતનનું કારણ બનતાં હોય છે. સુખ-સુવિધાઓથી ભરપૂર એવાં જીવનમાં મૂલ્યોનું અવમૂલ્યન થઈ રહ્યું છે. આજના સમયમાં આપણે જોઈએ છીએ કે આજનું બાળક બુદ્ધિમતામાં ખૂબ જ આગળ છે, પણ નૈતિકતાની દૃષ્ટિએ પાછળ રહી જાય છે. આજનું બાળક માબાપથી નહીં, પણ ટીવીથી વધારે પ્રભાવિત હોય છે. ટીચરથી નહીં, પણ Internetના માધ્યમથી વધારે નજીક છે. મિત્રોતી નહીં, પણ facebookથી વધારે Attached છે. બાળકો વધારે ને વધારે virtual worldમાં જીવવા લાગ્યું છે. આવાં બાળકો પાસે મા-બાપ, ટીચર કે ધર્મગુરુઓ સાથે વાર્તાલાપ કરવાનો સમય નથી. તેઓ વધુમાં વધુ સમય Electronic Technology સાથે વિતાવતાં થઈ ગયાં છે. જેને કારણે જીવનમાં સારા-નરસાની ભદરેખા ભૂંસાઈ જાય છે. તેને સમજાવવાવાળું પણ કોઈ નથી. આજની આવી વરવી પરિસ્થિતિઓનો સામનો આજનો જૈન સમાજ કરી રહ્યો છે. બાળકોમાં નાનપણમાં જે ધર્મના સંસ્કારો અપાવા જોઈએ તેનું સ્થાન આજકાલના નવાનવા ક્લાસીસોએ લઈ લીધું છે, જેમ કે Grammar Class, Dance Class વગેરે... જે પાઠશાળાઓ ધર્મનું શિક્ષણ આપતી હતી તે સૂની થવા લાગી છે. પાઠશાળામાં બાળકો પણ ઓછાં થવાં લાગ્યાં છે. વાલીઓ પણ બાળકોને મોકલતા નથી. બાળકોને મન થતું નથી. આ બધાં પાછળનું જ્યારે કારણ સમજવામાં આવે તો ફક્ત એક વસ્તુ સમજાય છે કે આજે જે ધાર્મિક ૫૮ For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ SOCSC જ્ઞાનધારા 2000 શિક્ષણની પદ્ધતિ છે તે પદ્ધતિ મુજબ બાળક જ્ઞાન પ્રાપ્ત કરી શકતું નથી. પરંપરાથી પાઠશાળાઓ જે છે તે જ્ઞાનપ્રાપ્તિ માટે અપૂરતી જણાય છે. વીતરાગ એવા પરમાત્માનું જ્ઞાન શું ફક્ત સૂત્રો ગોખાવવાથી આવી જાય? તેના પ્રત્યેનો અહોભાવ ફક્ત સ્તુતિ, સ્તવન ગાવાથી આવી જાય ? દુનિયાનું ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન જે આપણી પાસે છે એવા આપણા સમાજની દયનીય હાલત છે. એ જ્ઞાનનો વારસો, ખજાનો આપણે આપણી નવી પેઢીને આપવામાં ઊણા ઊતરી રહ્યા છીએ. માટે જ સમાજની હાલત દયનીય થઈ ગઈ છે. પરંપરાગત પાઠશાળાઓ જ બાળકને જ્ઞાનથી વંચિત રાખે છે, કારણકે આજનું બાળક ગોખવામાં નહીં, પણ સમજવામાં રસ ધરાવે છે. ક્રિયાઓમાં નહીં, પણ કાર્યમાં રસ ધરાવે છે. બીજું, બાળકોને પાઠશાળા આવવું પસંદ નથી, કારણકે જે લાસમાં કે રૂમમાં પાઠશાળા ચાલતી હોય ત્યાં લાઈટ, પંખા હોતાં નથી. આ વાતાવરણ બાળકને અનુકૂળ આવતું નથી, માટે જ જે જ્ઞાનપ્રાપ્તિનાં સ્થાનો હતાં તે સૂનાં થઈ ગયાં છે. તો પછી કરવું શું? - આજનો યુગ પરિવર્તનનો યુગ છે. સમાજમાં દરેક જગ્યાએ પરિવર્તન આવી રહ્યું છે. વિજ્ઞાનને કારણે માણસોમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું છે. માણસોની રહેવાની પદ્ધતિમાં ફેરફાર થયા છે. બાળકોની શાળાઓ જ્યાં ગુજરાતી માધ્યમની હતી તેને સ્થાને આંતરરાષ્ટ્રીય સ્કૂલ આવી ગઈ છે. જ્યાં રહેવાનાં સારાં ઘરો હતાં ત્યાં Multitancy Buildings આવી ગયાં છે. પહેરવાનાં કપડાં પણ બદલાઈ ગયાં છે. ખાવા-પીવાની બાબતોમાં પણ ફરક પડ્યો છે. સાદાં મૂલ્યો સાથે જીવનારો માણસ આજે આન, બાન અને શાનની પાછળ દોડતો થઈ ગયો છે. કમ્યુનિકેશનની રીતો બદલાઈ ગઈ છે. તાર-ટપાલનું સ્થાન E-maleએ લઈ લીધું છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં માણસ પહોંચી શકે એવી સુવિધાઓ પ્રાપ્ત થવા માંડી છે. આવા આવેલા પરિવર્તનને આપણે જેટલી સહજતાથી સ્વીકારી લીધું છે તેટલી જ સહજતાથી ધાર્મિક શિક્ષણમાં પણ પરિવર્તનને અપનાવવું પડશે. વિજ્ઞાન તથા તંત્રજ્ઞાનથી દૂર ન જતાં તેને જ તકમાં ફેરવવાનો સમય આવી ગયો છે. Technologyને જ air Instrument બનાવવાની જરૂર છે. નવી શિક્ષણ પદ્ધતિ અપનાવવાનું જરૂરી બની ગયું છે. આજના સાંપ્રત સમાજનાં વરવાં For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ TO C જ્ઞાનધારા OTO ચિત્રને રજૂ કરતી અનેક વાતો મા-બાપને અને સમાજને હચમચાવી જાય છે. બાળકો પોતાની આસપાસના બનાવોમાંથી તેમ જ ટીવમાંથી શીખીને ખરાબ રસ્તે જતાં હોય છે. ભૌતિક વસ્તુઓની કિંમત કરતાં આંતરિક ગુણોની કિંમત અનેક ગણી વધુ હોય છે એવું બાળકોને સમજાવવાની જરૂર છે. આંતરિક ગુણોનો અભાવ ભૌતિક સાહ્યબીમાં પણ આનંદ, સુખ કે સંતોષની અનુભૂતિ કરાવી શકતો નથી. કોઈને પણ દોષ આપ્યા ઉગર બાળકમાં ચારિત્ર્યનું ઘડતર થાય એવી શિક્ષણ પદ્ધતિ અપનાવવાની જરૂર ઊભી થઈ છે. - કોઈ પણ ધાર્મિક શિક્ષણ તો સૌપ્રથમ બાળકોની માનસિકતાને ધ્યાનમાં રાખીને બનાવવાની જરૂરત છે. બાળકોમાં રહેલી Intelligenceને આપણી નવી દષ્ટિથી જોવાની જરૂર છે તેમ જ તેમને નવી દષ્ટિ આપવાની જરૂર છે. બાળકોમાં ગજબની જિજ્ઞાસા રહેલી હોય છે, પણ તેમને ધર્મ માટે, પરમાત્મા માટે જિજ્ઞાસા જાગે એવા પ્રયત્નો થવા જોઈએ. એવું વાતાવરણ ઊભું કરવામાં આવે કે તેને પૂ મહાવીરને સમજવાનું કુતૂહલ થાય. જિજ્ઞાસા જ જ્ઞાનનો માર્ગ ખુલ્લો કરે છે. ગૌતમ ગણધરની જિજ્ઞાસાને કારણે જ આપણને ભગવતી સૂત્રની પ્રાપ્તિ થઈ છે. જિજ્ઞાસાવૃત્તિને બાળકમાં પેદા કરવી એ જ સાચા ટીચર તથા ગુરુની ઓળખાણ છે. બાળકોમાં રહેલી જિજ્ઞાસાવૃત્તિને સંતોષવાનું કામ પણ ટીચરનું જ છે. ધાર્મિક ક્ષેત્રે ઘણી વાર જોવાયું છે કે ઘણા શિક્ષકો બાળકોના કુતૂહલભર્યા સવાલોના જવાબો આપી શકતા નથી. એટલે ધર્મજ્ઞાન માટેના શિક્ષકો પણ બરાબર Trained થયેલા જ હોવા જોઈએ. નવી ધાર્મિક શિક્ષણ પદ્ધતિ કેવી હોવી જોઈએ ? : સૌપ્રથમ તો બાળકોને અનુરૂપ વાતાવરણ ઊભું કરવું જોઈએ. ઉપાશ્રયોમાં લાઈટ-પંખાના અભાવને કારણે બાળક વધારે સમય સ્થિરતાથી બેસી શકતું નથી. માટે ભણાવવાની જગ્યા Proper લાઈટ-પંખાવાળી હોય અને બાળકને Comfortable લાગે એવી હોવી જોઈએ જેથી બાળક ૧થી ૨ કલાક ખૂબ જ ધ્યાનથી બેસી શકે. ધાર્મિક શિક્ષણ પદ્ધતિ બાળકોની માનસિક અવસ્થાને અનુરૂપ જ હોવી જોઈએ. એટલે કે દરેક ઉમરનાં બાળકોમાં અલગઅલગ કલાસરૂમની વ્યવસ્થા હોવી For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ©©© જ્ઞાનધારા ગઈ જોઈએ. - પરંપરાગત ગોખાવવાની પદ્ધતિ છોડીને અલગ નવી પદ્ધતિઓ દ્વારા સમજાવવાની રીતો અપનાવવી જોઈએ. જેમકે, નાનીનાની વાર્તાઓ દ્વારા બાળકોને સમજાવવું જોઈએ. વાર્તા કહેવાની Proper Method હોય તો બાળકને બહુ લાંબા સમય સુધી યાદ રહે છે. બાળકોના જીવનમાં વાર્તાનું ઘણું મહત્ત્વ રહેલું છે. તેઓમાં ગજબની કલ્પનાશક્તિ રહેલી હોય છે જેથી વાર્તાઓ તેઓને ખૂબ જ પસંદ પડે છે. જીવનમાં આવનારી મુસીબતો અને મૂંઝવતા પ્રશ્નોને વાર્તાના માધ્યમથી ખૂબ સરળ રીતે રજૂ કરી શકાય છે. તદ્દન સરળતાથી સિદ્ધાંતોને વાર્તા દ્વારા સમજાવી શકાય છે. પ્રયોગો દ્વારા પણ બાળકોને પરમાત્માનું જ્ઞાન આપી શકાય છે. તેના માટે અનોખું પ્રયોજન કરવું જોઈએ. બાળકો માટે Education Tour Picnic જેવું આયોજન કરવું જોઈએ જેમાં સાચા અર્થમાં જીવદયા, અહિંસા જેવા સિદ્ધાંતો શીખવાડી શકાય. આ અનુભવો બાળક જ્યારે પોતે લે છે ત્યારે તે ખૂબ જ સહજતાથી ગ્રહણ કરી શકે છે. માનવીય મગજ હંમેશાં જોયેલું વધારે સારી રીતે ગ્રહણ કરતો હોય છે. માટે સૂત્રોને, પાઠને સરસ રીતે Charts, Posters દ્વારા વધારે સરસ સમજાવી શકાય છે. Colourful chartsનું મહત્ત્વ ખૂબ જ રહેલું હોય છે. બાળકોનું Attraction વધે તે માટે નવીનવી પદ્ધતિઓથી Charts બનાવવા જોઈએ. ઘણી વખત બાળકો Audio CD દ્વારા પણ સમજતો હોય છે. બાળકોને તેની શૈલીમાં બનાવેલી CD સંભળાવવામાં આવે છે ત્યારે તે પોતે જ તેને જલદીથી યાદ રાખી લેતા હોય છે. નવીનવી Technologyનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે Computersનો ઉપયોગ કરીને Powerspoint Presentation આપવું જોઈએ. જ્યારે બાળકની જોવાની અને સાંભળવાની ક્રિયાઓ સાથે થાય છે ત્યારે તે વધારે Effective બને છે. Reference Material પણ આપવું જોઈએ નાનીનાની Skits અને Drama દ્વારા સૂત્રોને તથા સિદ્ધાંતોને સમજાવવા જોઈએ જેથી સરળતાથી શીખી શકે. - ૬૧ છે For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ TOGGC જ્ઞાનધારા SC SSC ગમ્મત સાથે જ્ઞાન આપવું જોઈએ. વિવિધ પ્રકારની રમતો દ્વારા પણ બાળકોમાં જિસાશા જગાડી શકાય છે. રમતોથી બહુ જ સહજતાથી જ્ઞાન આપી શકાય છે. Quiz Contest જેવી સ્પર્ધાનું પણ આયોજન કરવાથી બાળકો જાગૃત થઈ જાય છે. બાળકોને આ બધા જ્ઞાન સાથે યોગા તથા ધ્યાન પણ શિખડાવવું જોઈએ. Practically જ્યારે બાળકો ધ્યાન કરે છે ત્યારે તેઓને અલગ જ અનુભવ થાય છે. આખા દિવસની ભાગદોડમાં જ્યારે ધ્યાન કરાવવામાં આવે છે ત્યારે તેઓને શાંતિનો અનુભવ થાય છે જેના દ્વારા તેઓની જાગૃતિ તથા યાદશક્તિ વધારી શકાય છે. બાળકોને જ્યારે સમજાવવામાં આવે છે કે ધ્યાન એ પણ એક પ્રકારનો કાઉસ્સગ જ છે ત્યારે તે ખૂબ જ સરસ રીતે કાઉસ્સગ કરતાં શીખે છે. બાળકોને અંધશ્રદ્ધાની ગર્તમાં ધકેલ્યા વગર વૈજ્ઞાનિક દષ્ટિકોણ દ્વારા જ્યારે સમજાવવામાં આવે છે ત્યારે તે ખૂબ જ સારી રીતે સમજી શકે છે. બાળકોને જ્ઞાન સમજમાં આવે છે કે નહીં તે colorful Worksheets દ્વારા ખબર પડી શકે છે. colorful Worksheet જ્યારે બાળક ઘરે લઈ જાય છે ત્યારે તેના Parents પણ જૂગત બને છે. આ બધું જ બાળકોને આપવા માટે જે પણ Techers હોય તે ખૂબ જ પ્રેમાળ હોવા જોઈએ. બાળકો સાથે Eye to Eye Contact જાળવી રાખી શકે Rua Comunication Skills develop sel 20% zicu Trained Teachers or giu જોઈએ. | Aterall બાળકોને આ કરવું અને તે ન કરવું તેના ચક્કરમાંથી બહાર કાઢીને કોઈ પણ જ્ઞાનને તેની Life માં Prectical રીતે કઈ રીતે મૂકી શકાય એનું ધ્યાન આપવું જોઈએ. આચરણ જ બાળકમાં Changes લાવી શકે છે. માટે આચરણ પ્રત્યે ખૂબ જ ધ્યાન આપવું જોઈએ. આવી જ રીતે એક શિક્ષણ પદ્ધતિનું આઠેક વર્ષ પહેલાં નિર્માણ થયું છે. દીર્ઘદટા પૂજ્ય ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબે જ્યારે આપણાં બાળકોની - ૬૨ " For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ©©© જ્ઞાનધાર ૭૦ પરિસ્થિતિ જોઈ અને ચિંતન-મનન કરતાં સમજ પડી કે જૈન સમાજની ધરોહરને અને ભાવિ પેઢીને મજબૂત બનાવવા માટે આજનાં બાળકોને માનવતાનાં મૂલ્યો તથા ધર્મનું શિક્ષણ બને આપવાં જરૂરી છે. પૂજ્ય ગુરુદેવના શબ્દોમાં કહું તો, “વ્યક્તિને પહેલાં માણસ બનવાની જરૂર છે. જૈન એની મેળે જ બની જશે.” આ તથ્યને ધ્યાનમાં રાખીને જ એમણે બાળકોને ગમે એવી, તેમને અનુકૂળ આવે એવી બાળકો માટેની આધુનિક પાઠશાળા બનાવી જેનું નામ છે “લૂક એન લર્ન જૈન જ્ઞાનધામ”. આ પાઠશાળામાં દરેક ઉંમરનાં બાળકો માટે અલગ અલગ વર્ગ બનાવવામાં આવ્યા છે જેના નામ પણ નમન, વંદન, જૈનમ, સોહમ જેવાં રાખવામાં આવ્યાં છે. આ બધા Classesમાં લાઈટ, પંખા સાથે વાતાવરણને ખૂબ જ Friendly બનાવવામાં આવ્યું છે. ભણાવવા માટે દીદીઓને ગુરુદેવ પોતે તૈયાર કરી રહ્યા છે. બધી જ દીદીઓએ ગુરુદેવની પરીક્ષામાંથી પસાર થવાનું હોય છે. અઠવાડિયામાં ફક્ત એક જ દિવસ ચાલતી આ પાઠશાળામાં બાળકો હસતાં-રમતાં આવે છે અને ગમ્મત સાથે જ્ઞાન, સમજ પ્રાપ્ત કરે છે. આ જૈન જ્ઞાનધામમાં શરૂઆતમાં દરેક Topic માનવતા પર લેવામાં આવે છે અને તેને સમજાવવા માટે વિવિદ Charts, Posters, Drama તથા વાર્તાઓ અને બાળગીતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમજેમ બાળક આગળ વધતું જાય તેમતેમ ધર્મનાં સૂત્રો તથા પાઠ ભણાવવામાં આવે છે જે બાળકો ખૂબ જ સહજતાથી શીખી શકે. ક્યારેકક્યારેક Quiz contest તથા woksheet દ્વારા બાળકોને કેટલું સમજાયું છે તેનું અવલોકન કરવામાં આવે છે. વર્ષમાં એકાદ વાર બાળકો દ્વારા જ જ્ઞાન પ્રદર્શનનું તથા Fun-fairનું આયોજન કરવામાં આવે છે. Parents Meeting દ્વારા તેમના મંતવ્યો પણ સાંભળવામાં આવે છે. આ પાઠશાળા અનોખી એટલા માટે છે કે અહીં પરંપરાને કે રૂઢિચુસ્તતાને ધ્યાનમાં લઈને નહીં, પણ બાળકોની સાયકોલોજીને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવે છે. પૂજ્ય ગુરૂદેવ નમ્રમુનિ મ.સાહેબની પ્રેરણાથી સંચાલિત આ પાઠશાળા એક એવી પેઢીનું નિર્માણ કરી રહી છે કે જેના માટે Parentsને પણ અજબનો સંતોષ છે. સમાજમાં આજથી દસ વર્ષ પછી તેનાં સારાં પરિણામો જોવામાં આવતું. અત્યારે આ પાઠશાળાની 108 Branches આખા ભારતમાં તેમ જ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ DOCSC જ્ઞાનધારા ભારતની બહાર પણ ચાલે છે. અંદાજિત 3,500 Trained Teachers છે અને લગભગ 75,000 બાળકો શિક્ષણ મેળવી ચૂક્યાં છે અને જોડાયેલાં છે. આવી આ પાઠશાળા જૈન સમાજે એક રોલ મોડેલ તરીકે અપનાવવી જોઈએ. વિવિધ સ્તરે નિર્માણ થવું જોઈએ. જેના દ્વારા આપણને એક સાંત્વન રહે કે આપણું બાળક જૈન ધર્મના વારસાને તથા સંસ્કારને આગળ સંભાળી શકશે. તેમનું પોતાનું તો ભવિષ્ય સુરક્ષિત બની જ જાય, પણ સાથે સાથે એક તંદુરસ્ત સમાજની રચના પણ થઈ શકે. આવા સંતોની પ્રેરણાથી જ જૈન સમાજ અત્યારે ટકેલો છે. આજની વિપરીત પરિસ્થિતિઓમાં પણ સંતોની પ્રેરણા આપણા પર કરેલો અનન્ય ઉપકાર છે. તો હું આપ સૌને વિનંતી કરું છું કે સમાજના, સંઘના હોદ્દેદારો આ બધા પર વિચાર કરી આવા પ્રેરણાત્મક કાર્યમાં જોડાઈ જાય. For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ *One એકાંતિક ક્રિયાકાંડના તરેકથી વીતરાગ માર્ગની મૂળભૂત આત્મસાધનાના થતા વિસ્મરણને Ph.D. કરેલ છે. તેમનો વિષય પર થિસિસ લખી રોકવાના ઉપાયો “અમૃત યોગનું પ્રાપ્તિ મોક્ષની” નામનો ગ્રંથ ♦ ડૉ. રશ્મિ ભેદા જૈન ધર્મનાં અભ્યાસુ ડૉ. રશ્મિબહેને યોગ | પ્રગટ થયો છે. તેઓ જૈન જ્ઞાનસત્રોમાં ભાગ લે છે. વીતરાગમાર્ગની મૂળભૂત ‘આત્મસાધના’ શું છે ? વીતરાગમાર્ગમાં સાધનાનું લક્ષ્ય મોક્ષપ્રાપ્તિનું છે, અર્થાત્ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિનું લક્ષ્ય છે. એના માટે ભવ્યજીવો માટે જરૂરી છે કે પ્રમાદ છોડી, પ્રમોદપૂર્વક જિનેશ્વર ભગવંતની એટલે કે જે વીતરાગ છે, સર્વજ્ઞ છે, હિતોપદેશક છે એમની આરાધના કરે, ભક્તિ કરે, જેનાથી અનાદિથી વિસારેલા પોતાના આત્મસ્વરૂપની ઓળખાણ થાય. આ આત્મસાધના માટે સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્રરૂપી રત્નત્રયીની સાધના જરૂરી છે. દિગંબર આચાર્ય સામંતભદ્ર ‘રત્નકદંડ શ્રાવર્કાચાર'માં આત્માનો સ્વભાવરૂપી જે ધર્મ છે તેને પ્રગટ કરવા માટે કહે છે सष्टि ज्ञानवृत्तानि धर्मं धर्मेश्वराः विदुः । અર્થાત્ 'ધર્મના ઈશ્વર ભગવાન તીર્થંકર સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્ર એ ત્રણેને ધર્મ કહે છે.' ધર્મની, આત્મસાધનાની ઉપરોક્ત વ્યાખ્યામાં માત્ર આચરણને જ નહિ, પરંતુ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રની નિર્મળ પરિણતીને ધર્મ કહેવામાં આવ્યો છે. જ્યારે આજના શ્રાવક યા તો શ્રાવકધર્મથી અપરિચિત છે કે પછી બાહ્ય ક્રિયાકાંડમાં જ રાચતા રહે છે. સમ્યગ્ જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યગ્ ચારિત્રના સાધનરૂપે તપ, જિનેશ્વર પરમાત્માની ભક્તિ, સામાયિક, પ્રતિક્રમણ, શાસ્રશ્રવણ, યથાશક્તિ વ્રતનિયમોનું પાલન આદિ ધર્મઅનુષ્ઠાનો છે જેને આપણે ક્રિયાકાંડ કહી શકીએ. આ ધર્મઅનુષ્ઠાનો આદરપૂર્વક, વિધિપૂર્વક અને વિવેકપૂર્વક સતત અનુસરવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ થઈ શકે. સાધકની આત્મસાધનામાં વિવેકપૂર્ણ ૫ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ©©© જ્ઞાનધાર ૭૦ ક્રિયાઓનું મહત્ત્વ છે. જૈન ધર્મમાં ક્રિયાઓ માન્ય વસ્તુ છે, જીવનમાં હોવી જોઈએ, કારણ મોક્ષમાર્ગનું એ પ્રથમ પગથિયું છે એટલે એને અવગણી ન શકાય. જૈન ધર્મમાં અલગઅલગ પરંપરાઓ ચાલે છે અને દરેક પરંપરાના આચાર્યોએ અલગઅલગ અનુષ્ઠાન બતાવ્યા છે, જેમ કે તપસ્યા, સંયમ, તપ અને એના ઉત્સવો, પૂજા, અટાબ્દિકા મહોત્સવ, દેરાસરના નિર્માણના ઉત્સવો જેમાં અંજનશલાકા, પ્રતિષ્ઠા વગેરે આવે. સાંપ્રતકાળે આ બધાં અનુષ્ઠાનોમાં કેટલીક જગ્યાએ, કેટલાક પ્રસંગોમાં અતિરેક થવાથી હિંસા ભળે છે તો એમાં મોક્ષમાર્ગનો લોપ થાય છે, તો આ ધર્મક્રિયાઓમાં વિવેક, મર્યાદા, સંયમ રાખવાં બહુ જરૂરી છે. ' કોઈ પણ ક્યિા હોય તો એ કેવળ દ્રવ્યક્રિયા ન રહેતાં ભાવકિયા થવી જોઈએ. પછી એ સામાયિક હોય કે પ્રતિક્રમણ, ચૈત્યવંદન હોય કે પૂજા. આચાર્ય હરિભદ્રસૂરિ “યોગવિંશિકા'માં કહે છે, પરિશુદ્ધ એવો બધો જ ધર્મવ્યાપાર જીવને મોક્ષ સાથે જોડી આપનાર છે.' - અહીં પ્રણિધાન આદિ શુદ્ધ આશયોથી જે યુક્ત હોય એ ધર્મવ્યાપારને પરિશુદ્ધ કહ્યો છે. જે ધર્મવ્યાપાર આવો પરિશુદ્ધ નથી તે દ્રવ્યક્રિયારૂપે હોવાથી તુચ્છ, ફળ વિનાનો હોય છે. ભાવ વિનાની ક્રિયા એકડા વગરના મીંડાની જેમ છે, ભલે ૭ મીંડાં કરો, પણ એ બધાં મીંડાં જ છે, પણ આગળ એકડો લાગી જાય તો ૭ મીંડાં ૧ કરોડ બની જાય એટલે ક્રિયામાં ભાવ ભળે તો એ અનુષ્ઠાનનું મૂલ્ય ૧ કરોડ થાય, નહીં તો શૂન્ય જ રહે. આપણે પ્રથમ તપશ્ચર્યાથી લઈએ. કર્મની નિર્જરા માટે જૈન ધર્મમાં તપનું ઘણું જ મહત્ત્વ છે. જૈન શાસ્ત્રમાં બાર પ્રકારનાં તપ વર્ણવ્યાં છે - છ અત્યંતર તપ અને છ બાહ્ય તપ. આજે આપણને બાહ્ય તપમાં લોકોનો ઘણો ઉત્સાહ જોવા મળે છે. ખાસ કરીને પર્યુષણ વખતે નાનાનાનાં બાળકો પણ અઠ્ઠાઈ કરે છે, ઘણા સોળ ભત્તો, માસક્ષમણ, સિદ્ધિતપ જેવી મોટી તપસ્યા કરે છે જેની અનુમોદના કરવા જેવી છે, પણ એનો અતિરેક ત્યારે થાય છે જ્યારે એ તપશ્ચર્યા વખતે જો એ પૂર્ણ થતાં પહેલાં તબિયત બગડે તો Glucoseની Bottles ચડાવીને કે Hospatilised કરીને પણ એ તપશ્ચર્યા પૂર્ણ કરાવે છે. એના પછી એ તપની પૂર્ણાહુતિ નિમિત્તે સાંજી રખાય છે, જે તપશ્ચર્યાની For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ MOOOOOO અનુમોદના છે, પણ એ સાંજી નિમિત્તે રાત્રિભોજન, આઈસક્રીમ જેવી અભક્ષ્ય વસ્તુઓ એ બધું જોવા મળે છે ત્યારે તપની અનુમોદના કરતાં દેખાડો વધુ લાગે છે. ઘણી વખત તો તપ કરાવાવાળા પોતે જ ઇચ્છે કે મારી તપસ્યા નિમિત્તે સાંજ રખાય, શોભાયાત્રા નીકળે જેનાથી એ તપ દ્રવ્યક્યિા બની જાય છે, પણ આ જ તપ કરવાવાળી વ્યક્તિ એ તપ પોતાના આત્મશુદ્ધિના ભાવથી કરે, તપશ્ચર્યા દરમિયાન પણ સ્વાધ્યાય, સત્સંગ, ધ્યાન, ચિંતન કરે તો એ કર્મનિર્જરાનું કારણ તો બને જ, પણ એ જ નિર્જરા Multiple થાય અને આત્મશુદ્ધિના માર્ગે આગળ વધી શકે. આજકાલ પર્યુષણ વખતે કે અન્ય કોઈ પ્રસંગે ધાર્મિક પ્રવચનો, વ્યાખ્યાન કે અન્ય કોઈ ધાર્મિક અનુષ્ઠાનો થતાં હોય છે. એના માટે હોલ ભાડે રખાતા હોય છે. એ હૉલ કે Auditoriumની સજાવટ સુંદર હોય, આધુનિક માઈક સિસ્ટમ હોય, હિૉલ વાતાનુકૂલિત હોય, સ્ટેજની સજાવટ સારી હોય, બેસવા માટે સારા પ્રકારની ખુરશીની સગવડ હોય જે વ્યાખ્યાન હૉલની ભવ્યતા થઈ. આ બધા પછી વક્તાની વાણીમાં માધુર્ય હોય, વક્તવ્યમાં આરોહ-અવરોહ હોય, આદર્શ વક્તાનું આખુંય ઉપનિષદ એમાં અભિપ્રત હોય અને શ્રોતાઓ ખૂબ જ રસથી આનંદપૂર્વક એ વક્તવ્યને માણતા હોય એ આ વ્યાખ્યાન, પ્રવચનની ભવ્યતા થઈ. ત્યારે વક્તાની આ વાણી જો વક્તાના ચારિત્રમાંથી પરાવર્તિત થઈને આવતી હોય અને સુજ્ઞ શ્રોતા તેને ઝીલે અને એના આચરણમાં એ પરાવિર્તત થાય તો તે સ્વાધ્યાયની દિવ્યતા થઈ. વક્તા જિનવાણીનાં રહસ્યો સરળતાથી સમજાવે અને જિજ્ઞાસુ શ્રોતા એને આત્મસાત્ કરે એ દિવ્યતા જ સ્વ પરનું કલ્યાણ કરી શકે, પણ સાંપ્રતકાળમાં આપણે બધા ભવ્યતામાં જ અટવાઈ ગયા છીએ તો ભવ્યતાથી નીકળી દિવ્યતા તરફ પ્રયાણ કરી મોક્ષલક્ષી આરાધનાના માર્ગે આગળ વધીએ. પર્યુષણમાં દરેક જિનમંદિરમાં રોજ પરમાત્માની પ્રતિમા પર આંગી થાય છે. આપણે તે આંગીનાં દર્શન કરવા જઈએ છીએ ત્યારે એવી નયનરમ્ય સમાધિરસથી ભરેલી પરમાત્માની પ્રતિમાનાં દર્શન કરતા આપણા ભાવોલ્લાસની પણ વૃદ્ધિ થાય છે. ક્યારેક, કોઈ જગ્યાએ આ આંગી માટે ઘણા મોટા પ્રમાણમાં ફૂલોનો ઉપયોગ થાય છે અને ત્યાં પછી વિવેક સચવાતો નથી એવું મને લાગે છે. પરમાત્માની - ૬૭ છે For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ O > C જ્ઞાનધારા અષ્ટ પ્રકારની પૂજામાં પુષ્યપૂજાનું વિધાન છે જે આપણે ભાવથી, વિવેક વાપરીને પરમાત્માને પુષ્પ ચઢાવીને કરી શકીએ છીએ. જિનમંદિરમાં પ્રભુની ભવ્ય પ્રતિમા હોય, રંગમંડપની અદ્ભુત સજાવટ હોય, જિનાલયનું સંપૂર્ણ સ્થાપત્ય સંગેમરમરનું કલાપૂર્ણ હોય, આ દેરાસરની ભવ્યતા થઈ. પ્રશમભાવયુક્ત પ્રભુજીની એ પ્રતિમાનાં દર્શન કરતાં એની સાથે આપણું આત્માનુસંધાન થાય, પરમાત્માના ગુણોનું આપણામાં અવતરણ થાય એવી ઝંખના જાગે તો એ દર્શનની દિવ્યતા છે. કારણ, કહ્યું છે, ‘જિન પ્રતિમા જિન સારખી’. દેરાસરમાં પ્રતિમા અને આ આંગીનાં જે ચક્ષુદર્શન કરીએ છીએ અને એમાં આપણે મોહિત થઈ જઈએ છીએ, તો પરમાત્માના કેવળ બાહ્ય ચક્ષુર્શનમાં ન અટકતાં પરમાત્માનાં અંતરદર્શન કરી અર્થાત્ એમની વીતરાગતા, સર્વજ્ઞતા આદિ ગુણોને યાદ કરી આપણાં અંતરચક્ષુ ખૂલવા જોઈએ, અનાદિથી વિસારેલું પોતાનું સ્વરૂપ યાદ આવવું જોઈએ. દેવચંદ્રજી સુવિધિજિનેશ્વરના સ્તવનમાં પ્રથમ કડીમાં જ કહે છે - w દીઠો સુવિધિ જિણંદ સમાધિરસે ભર્યો હો લાલ // ભાણ્યો આત્મસ્વરૂપ, અનાદિનો વિસર્યો હો લાલ ॥ સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો હો લાલ ।। સત્તા સાધન માર્ગ ભણી એ સંચર્યો હો લાલ ।। આવી રીતે આપણે જે કાંઈ ધર્મઅનુષ્ઠાનો કરીએ છીએ એમાં વિવેક વાપરીને, આત્માના લક્ષે કરીએ તો આપણે રત્નત્રયીની, અર્થાત્ સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્રની આરાધના કરી શકશું, કારણ મોક્ષમાર્ગની સાધનાનો રત્નત્રયની આરાધના જ પ્રાણ છે. કોઈ પણ ક્રિયા સ્વરૂપના લક્ષે થવી જોઈએ. બધી ક્રિયા કરતાં આપણી જાગૃતિ રહેવી જોઈએ. ઉપયોગ એ ક્રિયામાં જોઈએ. આત્મસ્વરૂપનું ચિંતન, અનુપ્રેક્ષાઓનું ચિંતન થવું જોઈએ. તો જરૂરથી આપણે આપણી આત્મસાધનાના, આત્મવિકાસના માર્ગે આગળ વધી શકશું. ૬૮ For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ જિન શાસનની સાંપ્રત સમસ્યા પરત્વે સહચિંતન ♦ ગુણવંત બરવાળિયા જિન શાસનના સાંપ્રત પ્રવાહમાં કેટલીક સમસ્યા ઉદ્ભવતી હોય છે અને સમયાનુસાર તેનું સમાધાન પણ થતું હોય છે. જુદાજુદા ધર્મ અને સંપ્રદાયોમાં દીક્ષાત્યાગ, મંદિરો, મઠ, દેરાસર, ઉપાયો, સંઘ કે ટ્રસ્ટના આધિપત્ય માટે ઝઘડા, મારામારી, કોર્ટ-ક્ચેરી અને નાણાંના દુર્વ્યયના ચિંતાપ્રેરક સમાચારો મળે છે. દેશ-વિદેશના ખ્રિસ્તી પાદરીઓ, બૌદ્ધ સાધુઓ, ભારતના હિંદુ અને જૈનોના વિવિધ સંપ્રદાયના સાધુઓ, સ્વામીનારાયણ અને વૈષ્ણવ સંપ્રદાયના સાધુઓ વગેરેના શિથિલાચારના પ્રસંગો જાણવા મળે છે. દીક્ષા એટલે માન્યસત્ત્વપુંજને ગ્રહણ કરવાના સ્વીકૃત અભિમત માટે સમર્પિત થવું. તપ-ત્યાગનાં વ્રત-નિયમો પાળવાનો સંકલ્પ ધરવો કે સંન્યાસ ગ્રહણ કરવો એટલે દીક્ષાપ્રાપ્તિ, ઉત્તમ પ્રકારનાં આચાર, સાધના અને આરાધનાને લીધે જ જૈન દીક્ષાર્થીનું વિશ્વમાં અજોડ સ્થાન છે. આજના વિષમયુગમાં જૈન સંત-સતીજીઓ ભગવાન મહાવીરે દર્શાવેલ માર્ગે શાતાપૂર્વક વિચારી રહ્યાં છે તથા વિશ્વકલ્યાણ અને વિશ્વમાંગલ્યનો સંદેશ આપી રહ્યાં છે. દીક્ષાજીવનમાં સ્વ પર કલ્યાણનો ઉદ્દેશ અભિપ્રેત છે. આ પવિત્ર પરંપરાનાં મૂળ પરમતત્ત્વના અનુસંધાન સાથે જાડાયેલાં છે. દીક્ષા લેનાર દરેક સાચી ભાવનાથી ત્યાગ-વૈરાગ્યની સમજણથી પ્રેરાઈને સંયમમાર્ગે ચાલે છે માટે જ જૈન સાધુઓના ચલિત થવાના પ્રસંગો નહિવત્ જ બને છે. જિન શાસનમાં જ્યારે વિથિલાચારના પ્રસંગો બને ત્યારે શ્રાવક-શ્રાવિકા, મહાજન, સંસ્થા કે સંઘ અને પત્રકારોની ભૂમિકા વિશે સહચિંતન કરવું અનિવાર્ય બને છે. ગુણવંતભાઈ વર્ષોથી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. કેટલાક ગ્રંથોનું સર્જન-સંપાદન કર્યું છે. જ્ઞાનસત્રોના આયોજનમાં રસ લે છે. SC For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૭૯ જ્ઞાનધારા 02796 | તીર્થંકર પરમાત્માએ તીર્થની સ્થાપના કરી જેમાં સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા એ સંઘનાં ચાર અવિભાજ્ય અંગો છે. શ્રાવકધર્મ કે સાધુમધ બનેનું અંતિમ ધ્યેય તો મોક્ષ જ છે. સાધુધર્મ ટૂંકો અને કઠિન માર્ગ છે, જ્યારે શ્રાવકધર્મ સરળ અને લાંબો માર્ગ છે. ગણધર ભગવંતોએ સૂરસિદ્ધાંતની રચના કરી આચાર્ય ભગવંતોએ આચારસંહિતા બતાવી. સાધુઓ માટે સમાચારી અને શ્રાવકોએ પાળવાના નિયમો તે “શ્રાવકાચાર'. “સમાચારી' અને શ્રાવકાચાર તે ખારા સંસારમાં મીઠા જળનું મોટું સરોવર છે. હસવૃત્તિવાળાનું સરોવર તરફ આકર્ષણ હોય કાગવૃત્તિ ખાબોચિયા તરફ ખેંચાય. સાધુજીની સમાચારી અંગે નિર્ણય લેવા આપણે અધિકારી નથી. દાર્શનિક સંદર્ભમાં તપાસીએ તો શાસ્ત્રોક્ત આચારસંહિતાના મૂળ સૂરસિદ્ધાંતો ત્રણે કાળમાં એક જ હોય, કારણકે તે સર્વજ્ઞ ભગવંતો દ્વારા રચાયેલા હોય તેથી કાળના પ્રવાહમાં તે કદી બદલાય નહિ. છતાં મૂળભૂત સિદ્ધાંતોમાં લેશમાત્ર પરિવર્તન કર્યા વિના ગીતાર્થ આચાર્યો શાસ્ત્રાનુસાર પરિવર્તન અંગે નિર્ણય લઈ શકે. સમય, સમય પ્રમાણેનું આચરણ એટલે સમાચારી છે જેમાં ક્ષેત્ર અને કાળ પ્રમાણે પરિવર્તનોને અવકાશ હોઈ શકે. જૈન ધર્મનો સંયમમાર્ગ અતિકઠિન છે. અનેક પરિગ્રહો સહીને ઉપસર્ગો સામે ઝઝૂમતાં સંત-સતીજીઓ ચારિવયાત્રામાં આગળ ધપે છે. પંચમહાવ્રતધારી સાધુસંતો પણ આપણા જેવા માનવ છે. આપણે સૌ છવસ્થ છીએ. ક્યારેક પ્રમાદ કે કર્મોદયને કારણે, માનવસહજ મર્યાદાને કારણે આચારપાલનમાં શિથિલતા આવવા સંભવ છે. આવી શિથિલતા કે સ્વચ્છંદીપણા વિશે જ્યારે સાંભળીએ ત્યારે આંખ આડા કાન ન કરાય, મૌન પણ ન સેવાય અને વગર વિચાર્યું જાહેરમાં હોબાળો પણ ન કરાય. શિષ્યોના શિથિલાચાર કે સ્વચ્છેદાચારના નિયમનની જવાબદારી ઘણું કરીને તો જે તે ગચ્છ કે સંપ્રદાયના આચાર્ય ગુરુભગવંતો જ નિભાવે છે. જો સંતાનો ભૂલ કરે તો પરિવારના વડીલો તેને એકાંતમાં શિક્ષા આપી ચેતવણી આપી સાન ઠેકાણે લાવે છે તેમ મહાજન કે મહાસંઘો પરિસ્થિતિ પ્રમાણે પગલાં લે છે અને ગુરુભગવંત પ્રાયશ્ચિત્ત પણ આપે છે. છે ઈર્ષા, પૂર્વગ્રહ, તેજેષ, ગેરસમજ અને વિકૃતિને કારણે ઘણી વાર ખોટા For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ C > C જ્ઞાનધારા 2 O આરોપો ઘડવામાં આવતા હોય છે. શિથિલાચાર કે સ્વચ્છંદાચારના વિવિધ પ્રસંગોમાં સત્યાસત્યનું અન્વેષણ કે સંશોધન બહુ જ મુશ્કેલ કાર્ય છે. જેથી જાણતા કે અજાણતા સાધુની અવહેલના કે નિંદાની પ્રવૃત્તિથી બચવા જાગૃતિ અને વિવેકની ખૂબ જ આવશ્યકતા ગણાય. ભોળા, શ્રદ્ધાળુ યુવાવર્ગ ખૂબ જ સંવેદનશીલ હોય છે. આવા સમયે પ્રચારમાધ્યમો દ્વારા વહેતા થયેલા વિકૃત કે અર્ધસત્ય અહવાલો શ્રદ્ધાળુ વર્ગને ઠેસ પહોંચાડશે અને યુવા વર્ગને ધર્મવિમુખ કરશે. આવી પ્રવૃત્તિ ધર્મશાસનની હિલના કે કુસેવા જ ગણાય. શિથિલાચારી સંત કે સતીની દેશના કે ઉપદેશનું મૂલ્ય બેંકમાં બંધ કરી દીધેલા ખાતાના ચેક જેટલું પણ નથી. જ્ઞાનીઓએ સ્વચ્છંદી સાધુને ઝાંઝવાના જળે બરબાદ થતાં કાગડા સાથે સરખાવ્યો છે. સ્વચ્છંદાચારીની વાંઝણી ક્રિયાઓ નિષ્ફળતાને વરે છે. જો મુનિત્વ ડચકાં લેતું હોય તો શ્રાવકત્વની શી વલે થાય ? આવા સંજોગોમાં અમ્માપિયા જેવાં મહાજનો, ઠરેલ બુદ્ધિના ધર્મનિષ્ઠ શ્રાવકોએ ગીતાર્થ ગુરુભગવંતોના માર્ગદર્શન હેઠળ શિથિલાચારીને ચારિત્ર્યમાં સ્થિર કરવાનો પુરુષાર્થ કરવો પડે. શ્રાવક-શ્રાવિકાને ‘‘શ્રાવકાચાર’’ શું છે તેની પૂરી જાણકારી હોય એટલું જ નહિ, પરંતુ તે ‘‘શ્રાવકાચાર’’નું પાલન કરે અને સાધુજીની સમાચારીની જાણકારી રાખે તો કેટલાય દોષોથી બચી શકાય. ન દા.ત. એકાંતમાં સાધુજીને સ્ત્રી ન મળી શકે અને એકાંતમાં સાધ્વીજીને પુરુષ ન મળી શકે. સૂર્યાસ્ત પછી સ્ત્રી સાધુજીનાં દર્શન માટે ન જઈ શકે અને પુરુષ સાધ્વીજીનાં દર્શને ન જઈ શકે. ગોચરી-વિહાર આદિના નિયમોની જાણકારી શ્રાવકશ્રાવિકાએ રાખવી જોઈએ. ઉપરાંત જ્યાં સાધુ-સતીજીઓ બિરાજતાં હોય તેવાં ભવન કે ધર્મસ્થાનક કે દેરાસરમાં બરમૂડા, કુર્તી, જિન્સ, સ્લીવલેસ જેવાં ટૂંકાં કે ચુસ્ત વસ્ત્રો પહેરવાં ન જોઈએ. ઉદ્ભટ વેષનો ત્યાગ અને વિવેકપૂર્ણ શરીરનાં અંગઉપાંગો ઢાકે તેવું વસ્ત્રપરિધાન શ્રાવકાચારમાં અભિપ્રેત છે. ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૯મા અધ્યયનમાં કહ્યું છે કે, “સંયમનું પાલન રેતીના કોળિયા જેવું નીરસ છે તેમ જ સંયમને માર્ગે ચાલવું એટલે ખાંડાની ધાર પર ચાલવા સમાન છે. સંયમનો માર્ગ એટલે તપ્ત સહરાના રણમાં જ ૭૧ For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ 100% C જ્ઞાનધારા 100 ચાલવા કરતાં કઠિન માર્ગ છે, પરંતુ વીતરાગ માર્ગનો શ્રદ્ધાળુ સાધક સહરાના રણ જેવા દુષ્કર સંયમજીવનમાં દ્વીપકલ્પરૂપ આનંદની અનુભૂતિ કરી શકે છે. શ્રાવક-શ્રાવિકા માટે શ્રાવકાચારનું પાલન અને સંઘો, મહાસંઘો જેવી મહાજન સંસ્થાની જાગૃતિ અને વિવેક શાસન પર આવતી વિપૃત્તિને ટાળી શકે. આને માટે આપણે મહાસંઘો અને મહાજન સંસ્થા જેવાં સંગઠનોને ખૂબ જ મજબૂત બનાવવા જોઈએ. આપણાં સાધુ-સાધ્વીજીઓ શ્રમણ સંસ્કૃતિની ધરોહર છે. આપણી પાસે સાધુસંપદા અલ્પ છે. જિન શાસનની આ અમૂલ્ય સંપદાને સાચવવી એ આપણી ફરજ છે. ઈતિહાસનાં પૃષ્ઠો તપાસતાં જણાયું છે કે લબ્ધિપ્રયોગને કારણે કેટલાક સંતો પર શિથિલાચારના આરોપ અને ઓલપ થયા છે. - સંયમપંથમાં સાધુતાની પગદંડી પર વિહરતા સંતોનું જીવન દિવ્ય હોય છે, મતિની નિર્મળતા અને સાધનાના પરિણામરૂપે સંતોના જીવનમાં સહજભાવે લબ્ધિ પ્રગટ થતી હોય છે. - જૈન દર્શન ચમત્કારમાં માનતું નથી. સાધુજીની સમાચારી પ્રમાણે સંતસતીજીઓને લબ્ધિપ્રયોગ પ્રદર્શનનો નિષેધ છે. સ્વસુખ કે લોકપ્રિયતા માટે સંતો કદી આવા પ્રયોગો કરતા નથી. ભૌતિક સુખની ઝંખના કરતી આ દુનિયામાં તન-મનના દુઃખીઓનો કોઈ પાર નથી. શારીરિક રોગ, માનસિક રોગ, પ્રેમમાં નિષ્ફળતા, લગ્ન, ડિપ્રેશન, તાણ, હતાશા, ધંધામાં મુશ્કેલી, સંતાનની આશા, વહેમ દરિદ્રતા, વળગાડ, ધન અને પદ માટે લાલચ વગેરે કામનાવાળો લોકપ્રવાહ સતત સંત-સતીજીઓ પાસે આવતો હોય છે. તેઓની અપેક્ષા સંત પાસેથી દોરા, ધાગા, તંત્ર, માદળિયાં અને ચિત્ર-વિચિત્ર વિધિઓ દ્વારા પોતાનું કામ પાર પાડવાની હોય છે. - સંસારિક દુઃખો દૂર કરવા, ભૌતિક સુખો મેળવવા અને ક્ષુલ્લક કારણોસર ગુરુ પાસે લબ્ધિપ્રયોગ કરવા વિનંતી કરવી તે “શ્રાવકાચારથી તદ્દન વિપરીત છે. ' આજે પણ કેટલાય સંતોના જીવનમાં વચનસિદ્ધિ અને અન્ય લબ્ધિ પ્રગટેલી હોય છે. સંતો પોતાની સાધનાના પરિપાકરૂપે પ્રગટેલી સહજલબ્ધિનો For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ OCTC જ્ઞાનધારા CCC પ્રયોગ વિનાકારણ ન જ કરી શકે. ચતુર્વિધ સંઘની પ્રતિષ્ઠા સાચવવા, શીલની રક્ષા કે કટોકટી સમયે સંઘ અને ધર્મપ્રભાવના ટકાવવા, તપસ્વી, તીર્થ અને ધર્મની રક્ષાના અર્થે છેલ્લા ઉપાય તરીકે અનિવાર્ય સંજોગોમાં માત્ર કરુણાબુદ્ધિથી આ પ્રયોગ કરે છે. - જે શિષ્યનું આમાં જરા પણ ખેંચાણ થાય તો ગીતાર્થ ગુરુભગવંત એને ચેતવે છે. “ચમત્કારનો માર્ગ તો સંસાર વધારવાનો અને આત્માને ખોવાનો માર્ગ છે. એમાં તો આપણા અંતરઆત્માનો અવાજ રંધાય અને દુનિયા છેતરાય એ વળી પાંચ જાંબુ માટે હીરાના સોદા જેવો ખોટનો ધંધો થયો કહેવાય.” ચતુર્વિધ સંઘ અને જિન શાસનનું હિત જૈન પત્રકારને હૈયે વસેલું હોય. પત્રકારને શ્રાવકાચાર પ્રત્યેની સભાનતા અને સાધુજીની સમાચાર પ્રત્યે પૂર્ણ જાણકારી હોવી જોઈએ. શિથિલાચારીને ચારિત્ર્યમાં સ્થિર કરવાની ભાવના હોવી જાઈએ, ધર્મ શાસનની હિલના થાય તેવા લેખો કે સમાચારો તે ક્યારેય પોતાના પત્ર કે પત્રિકામાં પ્રગટ કરે નહિ. જિન શાસનની ગરિમા જળવાય તે રીતે વર્તમાન સમસ્યાઓ, તિથિ કે તીર્થની ચર્ચાનું સમ્યફ વિશ્લેષણ કરે.. પત્રકાર હંમેશાં પીળા પત્રકારત્વ-Yellow Journalismથી દૂર રહે. લાલચરહિત, સ્થાપિત હિતોના દબાણ હેઠળ આવ્યા વિના, તટસ્થબુદ્ધિથી Activist-એક્ટિવિસ્ટ જર્નાલિસ્ટ, કર્મશીલ પત્રકાર હોય. પત્રકાર લોકમત કેળવનાર લોકશિક્ષક છે. જ્યારે અર્ધસત્ય અને વિકૃત અહેવાલો કે સમાચારોથી સમાજ વિક્ષુબ્ધ બને, શાસનમાં કટોકટી સર્જાય, ભોળા શ્રદ્ધાળુ કે યુવા વર્ગની ધર્મ પ્રતિ શ્રદ્ધા ડગમગે ત્યારે જૈન પત્રકાર ધીરગંભીર બની ડહોળાયેલા નીરને નિર્મળ કરે. સુનામીનાં પ્રચંડ મોજાને સરોવર જેવું શાંત કરે અને શ્રદ્ધાને પુનઃસ્થાપિત કરવાનો સમ્યફ પુરુષાર્થ કરી શ્રમણ સંસ્કૃતિની અસ્મિતાને ઉજાગર કરવાનો પુરુષાર્થ કરે. જૈન ધાર્મિક શિક્ષણ બોર્ડ, મેજિક ટચ કે લૂક એન્ડ લર્ન જેવા સેંટરો દ્વારા બાળકોને નાની વયથી જૈન ધર્મનું શિક્ષણ આપવામાં આવે, યુવાનોને સાત્વિક વિકલ્પ પૂરો પાડી ધર્મ અને સેવાકીય પ્રવૃત્તિમાં એલર્ટ યંગ ગ્રુપ, વીર સૈનિક કે અહમ યુવા ગ્રુપ જેવી પ્રવૃત્તિમાં જોડવામાં આવે, ઘરઘર અને જનજન સુધી - ૭૩ ભs For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ©©© જ્ઞાનધારા 0200 ભગવાન મહાવીરના ઉપદેશગ્રંથો આગમ પહોંચાડવામાં આવે અને ગુરઆજ્ઞાથી તેનો સ્વાધ્યાય કરવામાં આવે. ચતુર્વિધ સંઘને જોડતી મજબૂત કડીરૂપ ધર્મપ્રચારક, ધર્મપ્રભાવક, સમણ-સમણી શ્રેણી કે સુવ્રત સમુદાયને જિન શાસનમાં નક્કર સ્થાન આપવાથી આવી સમસ્યાઓ નહિવત્ ઉદ્ભવશે. અમુક સંપ્રદાયની જેમ ગીતાર્થ ગુરુભગવંતની નિશ્રામાં, પ્રતિવર્ષ દરેક સંપ્રદાય - ફિરકા કે ગચ્છ દ્વારા ચતુર્વિધ સંઘનું “મર્યાદા મહોત્સવ અને અનુમોદના સમારોહનું આયોજન થવું જોઈએ. આ મહોત્સવમાં વિતેલા વર્ષ દરમિયાન બનેલી ઘટનાઓ અને પ્રસંગો પર કેટલુંક વિહંગાવલોકન, કેટલીક મહત્વની બાબતો પર ચિંતન કે ગંભીર ચર્ચા કરવામાં આવે. દોષો થયા હોય ત્યાં પ્રાયશ્ચિત્ત આપવામાં આવે અને ઉત્કૃષ્ટ સુંદર કાર્યો થયાં હોય તેની અનુમોદના કરી પારિતોષિક-ઇનામ પણ અપાય. આને કારણે ભૂલો કે દોષોનું પુનરાવર્તન ટળશે અને સુકૃતોને ઉત્તેજન મળશે. મર્યાદા મહોત્સવ એ આંતરનિરીક્ષણનો અવસર આપે છે. જિન શાસનમાં ઊભા થયેલ કોઈ પણ વિષયની કટોકટી વખતે શ્રાવકશ્રાવિકા-મહાજન અને પત્રકારની ખૂબ જ જવાબદાર અને વિશિષ્ટ ભૂમિકા છે જે તેણે ખૂબ જ નિષ્ઠાથી નિભાવવી જોઈએ.. જૈન ધર્મના દરેક સંપ્રદાય કે ફિરકાએ સંઘશ્રેષ્ઠીઓ અને ગુરુભગવંતોને વિશ્વાસમાં લઈ અને ધર્મના જાણકાર શ્રેષ્ઠીવર્યો અને વિવિધ ક્ષેત્રોનાં પ્રતિભાશાળી ઉત્તમ શ્રાવકો અને શ્રાવિકાઓની નિષ્પક્ષ સ્વાયત્ત બૉડીની રચના કરવી જોઈએ જે સર્વસામાન્ય હોય. સત્તા, સંપત્તિ, સિદ્ધાંત કે શિથિલાચાર જેવી બાબતોમાં મતભેદ, ઝઘડો ઉદ્ભવે અને કટોકટી સર્જાય ત્યારે લવાદી કે આબટ્રિશનનું કામ કરી આનો ઉકેલ અને સમાધાન લાવી શકે તો ધર્મક્ષેત્રમાં પોલીસ, કોર્ટ, પ્રચાર માધ્યમો, પત્રકારો વગેરે પરિબળોને નિવારી શકાય. ધર્મના વાતાણરણને દૂષિત થતું અટકાવી શકાય દેવ, ગુર, ધર્મમાં શ્રદ્ધા રાખી આપણે સૌ શ્રાવકાચારના સમ્યફ આચરણ દ્વારા જિન શાસનની પવિત્ર જ્યોતને ઝળહળતી રાખીએ. For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રતકાળમાં આધુનિક અને વીજ ( એસાધ્યાની અને જેના દર્શનના અભ્યાસુ ઉપકરણોના યથાયોગ્ય ઉપયોગ રશ્મિભાઈ ઝવેરી જૈન ધર્મ અંગે વિવેક અને મર્યાદા” (સંદર્ભ |પર દેશ-વિદેશમાં પ્રવચનો આપે છે. Ph.D. વિદ્યુત સચેત કે અચેત ?) | કર્યું છે. આગમાં સૂત્રકૃતાંગના અનુવાદનું ડૉ. રહિમભાઈ જે. ઝવેરી | શ્રીમતી અંજનાબહેન ઝવેરી (તંત્રી છે. જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માટે અને વિશેષતઃ જૈન સાધુસમાજ માટે ઉદ્દેશીને આ શોધનિબંધ લખવામાં આવ્યો છે. જૈન ધર્મમાં વિશ્વધર્મ બનવાની ક્ષમતા છે. જૈન દર્શનના અનેકાંતવાદમાં વિશ્વના સર્વ ધર્મોને અનેકાંત-સાપેક્ષ દષ્ટિથી સમાવી શકાય છે, પણ આ મહાન દર્શનના વૈશ્વિક પ્રચાર-પ્રસારમાં જૈન સમાજમાં આજે સામયિક અને યોગ્ય માર્કેટિંગનો અભાવ વરતાય છે. આજે શ્રાવકસમાજની અપેક્ષાએ સાધુસમાજ પાસે જૈન ધર્મનું ઊંડું જ્ઞાન છે. શ્રાવકસમાજ તો જૈન ધર્મના માર્કેટિંગ માટે બધી જાતનાં આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરી શકે છે અને કરે છે, પરંતુ પંચમહાવ્રતધારી જૈન મુનિ માટે આધુનિક સાધનો કે ઉપકરણોની વપરાશ માટે ઘણી મર્યાદાઓ હોય છે. જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માટે સાંપ્રતકાળમાં નીચે જણાવેલાં સાધનો અને ઉપકરણો ઉપલબ્ધ છે. ૧. પુસ્તકો, લેખો, સમાચારપત્રો, મેગેઝિનો આદિ પ્રકાશનનાં સાધનો, (Print Media). ૨. ટેલિવિઝન, વીડિયો, વીસીડી આદિ ઈલેક્ટ્રોનિક સાધનો. ૩. સેલ ફોન, સ્માર્ટ ફોન, ઈ-મેલ, વેબસાઈટ, ઇન્ટરનેટ આદિ ફોન તથા કોમ્યુટર સાધનો. ૪. વ્યક્તિગત પ્રચાર માટે પ્રવચનો, વ્યાખ્યાનો, સભાઓ, વિશેષ કાર્યક્રમો, સેમિનારો, શિબિરો આદિ માટે દેશ-વિદેશમાં પ્રયાસો અને પ્રવાસો. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ SSC જ્ઞાનધારા 0790 ઉપર્યુક્ત બધાં સાધનો અને ઉપકરણોનો જો સુચારુ અને સંગઠિતરૂપે ઉપયોગ કરવામાં આવે તો જૈન ધર્મનો વ્યવસ્થિત અને બહોળો પ્રચાર થઈ શકે. શ્રાવકસમાજ તો આ બધાં જ સાધનો તથા ઉપકરણોનો છૂટથી ઉપયોગ કરી શકે છે, પણ શ્રાવાકસમાજની મર્યાદાઓ (Limitation) પણ છે – બહુ થોડા શ્રાવકો જૈન ધર્મનું તલસ્પર્શી જ્ઞાન ધરાવે છે તથા તેમને માટે બધાં જ ઉપકરણો કે સાધનો વાપરવાની પણ આર્થિક મર્યાદા છે. તે ઉપરાંત લેખનકળા, વત્વકળા આદિ પણ બધા પાસે નથી હોતી. સૌથી મોટી મર્યાદા છે સમયની, કારણકે ગૃહસ્થો હોવાથી વ્યવસાય-ધંધાની, ઘર-સંસારની આદિ જવાબદારીઓ પણ નિભાવવાની હોય છે. જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માટે સાધુસમાજ ઘણો ઉપકાર કરી શકે એમ છે - એમનાં વ્રતોની મર્યાદામાં રહીને પણ. અહિંસા, સંયમ અને તપમય ધર્મનો સ્વીકાર કરવા જૈન દીક્ષા અંગીકાર કરવામાં આવે છે. અવત આશ્રવ રોકવા માટે પાંચ મહાવ્રતનું પાલન અનિવાર્ય છે. સાથે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન તથા રાત્રિભોજન ત્યાગ પણ આવશ્યક છે. આમ કરે તો જ સ્વકલ્યાણનો પથ પ્રશસ્ત બને. સ્વકલ્યાણ પછી પરકલ્યાણ આવે છે. માટે સાધુજીવનમાં પાંચ મહાવ્રત આદિ અખંડ પાળીને જ સ્વ-પર કલ્યાણની ચર્ચા કરી શકાય. આ મૂળભૂત સિદ્ધાંતને ભૂલ્યા વગર જૈન ધર્મના પ્રચારનો વિચાર કરવો અભિપ્રેત છે. તમેવ સર્ચ નિસંકે જે જિર્ણહિં પવેઈયે” - આચરાગ સૂત્ર (૫/૫/ ૧૬૫)નું આ સૂત્ર સમગ્ર ચર્ચાનો મુખ્ય આધાર હોવો જોઈએ. આગમની સાથે વિરોધ ન થાય તેવી રીતે તત્ત્વની શોધ માટે સુવિચાર કરવો એને જ તર્ક કહેવાય. (મુનિ યશોવિજયજી કૃત “વિદ્યુત સજીવ કે નિર્જીવ” દ્વિતીય આવૃત્તિ, પૃ. ૧૫). ભાવાર્થ એ છે કે જૈનાગમોમાં ભાખેલ સત્યને સમ્યફ પ્રકારે સમજવાની જરૂર છે. પ્રત્યેક આગમ વાક્ય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને કઈ અપેક્ષા/દષ્ટિ/સંદર્ભમાં કહેવામાં આવ્યું છે, તે સંદર્ભ સમજવો પણ જરૂરી છે. - આ શોધલેખમાં વિદ્યુત સચિત્ત (સજીવ) છે કે નિર્જીવ એના સંદર્ભમાં ચર્ચા કરવામાં આવી છે, કારણકે જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માટે વિદ્યુત ઉપકરણોના છ ૭૬ ભાઈ For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ CNC જ્ઞાનધારા O exo ઉપયોગમાં સૂક્ષ્મ વિવેચન તથા વિવેક અભિપ્રેત છે. માઈક, ઈલેક્ટ્રિક લાઈટ આદિ વીજળીથી ચાલતાં ઉપકરણોના ઉપયોગની મર્યાદા સમજવાની આવશ્યકતા છે. અહીં એક વાત સ્પષ્ટ કરવી જોઈએ કે ઉચિત શોધ અને પ્રયોગોના આધારે વિજ્ઞાને સ્થાપેલ સિદ્ધાંતો માનવાજ જોઈએ એ જરૂરી નથી. સાથેસાથે વિજ્ઞાન દ્વારા રજૂ કરવામાં આવેલાં તથ્યો આગમ અને અન્ય પ્રમાણના આધાર પર ચકાસીને જો સ્વીકારવા જેવા લાગે તો સ્વીકારવા પણ જોઈએ. જૈન દર્શન એક જીવંત દર્શન છે અને જૈન ધર્મમાં જડતા કે રૂઢિને સ્થાન નથી. ગચ્છની કે સંપ્રદાયની પરંપરા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ પ્રમાણે બદલાવી પણ શકાય છે, પણ દરેક પરિવર્તન વિવેકપૂર્વક અને આગમમાન્ય હોવું આવશ્યક છે. કોઈ પણ તત્ત્વ-નિર્ણય કરતાં પહેલાં સુવિધા-અસુવિધા, સગવડ-અગવડ, પ્રચાર-પ્રસારમાં ઉપયોગિતા કે આધુનિકતાનો વ્યામોહ છોડી દેવો જોઈએ. એવી જ રીતે માત્ર પરંપરાનો આગ્રહ પણ ન રાખવો જોઈએ. આ બંને બાબતમાં સંતુલન જાળવવું જરૂરી છે. જે વિષયમાં આગમ ન તો સાધક છે કે ન તો બાધક છે એના સંબંધમાં વિવેક, બુદ્ધિ, તર્ક અને વિજ્ઞાનના માધ્યમથી યથાર્થ સ્વીકાર કરવામાં અચકાવું જોઈએ નહીં. તત્ત્વનો નિર્ણય થઈ જાય પછી પણ શું કરવું – શું ન કરવું એ વાત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની દષ્ટિએ વિવેકદષ્ટિથી વિચારવી જોઈએ, નવીનતા કે પ્રાચીનતાના આધારે નહીં. ન - જૈન દર્શનમાં પુદ્દગલ : જૈન દર્શનમાં પુદ્ગલ એ છ દ્રવ્યોમાંનું એક દ્રવ્ય છે, અજીવ છે, અચિત્ત છે. એનામાં રહેલાં ‘સ્પર્શ’ ગુણના આઠ ભેદોમાંથી બે ભેદ છે સ્નિગ્ધ (ચીકણો) અને રૂક્ષ (લૂખો). પ્રજ્ઞાપનાસૂત્રમાં આ બે સ્પર્શોને સ્કંધ નિર્માણનાં કારણો માનવામાં આવ્યાં છે. (પન્નવણા સૂત્ર ૧૩/૨૧-૨૨) સ્નિગ્ધ અને રૂક્ષ પરમાણુઓ ભેગા થઈને સ્કંધ કેવી રીતે બનાવે છે, એના નિયમો પણ એ આગમમાં બતાવવામાં આવ્યા છે. તત્ત્વાર્થસૂત્ર (૫/૨૩) અને સર્વાથસિદ્ધિમાં (૫/૨૪) પણ આની ચર્ચા છે. એમાં જણાવાયું છે કે “સ્નિગ્ધ રુક્ષત્વ ગુણનિમિત્તો વિદ્યુત્’” અર્થાત્ (વાદળાંઓની વચમાં ચમકવાળી) વિદ્યુત્ લૂખા અને ચીકણા ગુણોના નિમિત્તથી થાય છે. વિજ્ઞાન અનુસાર આનું નિમિત્ત છે - ܘܘ For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા વાદળોમાં રહેલો ઘન વિદ્યુત ભાર (Positive Electric Chrge) અને ઋણ વિદ્યુત આવેશ (Negative Electric Charge). વિજ્ઞાનનો એક સિદ્ધાંત છે કે પુદ્ગલ (Matter)નું ઊર્જામાં (Energy) અને ઊર્જાનું પુદ્ગલમાં પરિવર્તન થઈ શકે છે. પુદ્ગલનો સ્કંધ-સમૂહ (Mass) અને ઊર્જાના સંબંધમાં આઈન્સ્ટાઈનનું પ્રસિદ્ધ સમીકરણ છે : Emc? આમાં 'E' એટલે ઊર્જા (Emergy) (જે ઉત્પન્ન થાય છે) 'm' એટલે પુદ્ગલનું દ્રવ્યમાન (Mass) જેનો નાશ થાય છે અને 'C' એટલે શૂન્યાવકાશ (Vaccum)માં પ્રકાશની ગતિ (Velocity of Light). પુદ્ગલનાં બંને રૂપ - પદાર્થ અને ઊર્જા બંને પુદ્ગલ જ છે. એનું પરસ્પર રૂપાંતરણ થઈ શકે છે. તેવી જ રીતે દસ પ્રકારની ઊર્જાઓનું (વિદ્યુત, પ્રકાશ, ઉષ્મા આદિ) પણ પરસ્પરમાં રૂપાંતરણ થઈ શકે છે, પણ આ બધાં અચિત્ત છે, નિર્જીવ છે. માણસના શરીરની ઊર્જા : વિજ્ઞાને આજ સિદ્ધ કરી બતાવ્યું છે કે માણસની બધી ક્રિયાઓ એનામાં રહેલી વિદ્યુત ઊર્જા (Bio-electric Energy) દ્વારા થાય છે. જૈન દર્શન પણ માને છે કે ઔદારિક શરીરની પ્રત્યેક પ્રવૃત્તિમાં ‘તેજસ શરીર’ અથવા ‘પ્રાણ’નો પ્રયોગ થાય છે. એ ‘તેજસ શરીર' અને ‘પ્રાણશક્તિ' એ ઈલેક્ટ્રિક ઊર્જા છે. (ડૉ. રાધાશરણ અગ્રવાલ- ‘‘જૈવ-વિદ્યુત અથવા પ્રાંણ ઊર્જા’’ પૃષ્ઠ ૧-૪). જૈન ધર્મની માન્યતા મુજબ તેજસકાયની ઉત્પત્તિ : તેજસકાય – તેઉકાય – અગ્નિકાયના જીવોનું શરીર શરીર છે, જે અગ્નિના સ્વરૂપમાં હોય છે. આચારાંગ (પ્રથમ અધ્યયન)' દસવૈકાલિક સૂત્ર (ચતુર્થ અધ્યયન) અને પ્રજ્ઞાપના સૂત્ર (૧/૨૪-૨૬)માં આનું વિસ્તારથી વર્ણન છે. સૂક્ષ્મ તેઉકાયના જીવો સૂંપર્ણ લોકમાં વ્યાપ્ત છે, સૂક્ષ્મતાને કારણે અપ્રતિહત છે. બાદર તેઉકાયના દસવૈકાલિક (૪/૨૦)માં આઠ અને પ્રજ્ઞાપના (૧/૨૪-૨૬)માં બાર ભેદ જોવા મળે છે. મૂલાચાર (ગાથા ૨૨૧)માં એના છ ભેદો બતાવ્યા છે. આ બધા પ્રકારો અગ્નિની ઉત્પત્તિ - તેઉકાયના જીવોની યોનિ બને છે. તેજસ્કાયની જીવ-યોનિ ઉત્પત્તિમાં પૌદ્ગલિક ઉપાદાન અનિવાર્યતયા ‘ઉષ્ણતા’ છે. વળી ભગવતી સૂત્ર (શતક ૧૬ ઉદ્દેશક ૧, સૂત્ર ૫) મુજબ તેઉકાયના જીવોની ७८ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૯ જ્ઞાનધારા 700 ઉત્પત્તિ માટે “વાયુની ઉપસ્થિતિ પણ અનિવાર્ય છે. આચારંગભાષ્યમાં (પા. ૫૪) એને પ્રાણવાયુ (Oxygen) બતાવ્યો છે. - વિજ્ઞાનના આધારે અગ્નિની પ્રક્રિયા : ‘બળવું' અથવા “દહનના રૂપમાં થનારી રાસાયણિક ક્રિયા (Combustion)થી અગ્નિ ઉત્પન્ન થાય છે. વિજ્ઞાન મુજબ પદાર્થોના બે પ્રકાર છે – (૧) જવલનશીલ (Combustible) જેમ કે લાકડી, કોલસા, રસોઈમાં વપરાતો ગેસ, ઘાસ, રૂ, કપડું, કાગળ વગેરે જલનશીલ પદાર્થો છે. એમાં પણ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે અતિજવલનશીલ છે. (૨) અજ્વલનશીલ (Incombustible) - જેમ કે ધૂળ, માટી, પથ્થર, પાણી, કાર્બનડાયોક્સાઈડ (co), આદિ. જવલનશીલ પદાર્થોમાં મુખ્યપણે કાર્બન, હાઈડ્રોજન વગેરે ઘટક તત્ત્વો હોય છે જે બહુ જલદીથી કંબધનની ક્રિયા કરી શકે છે. આ ક્રિયા માટે ચાર શરતો આવશ્યક છે : (૧) જવલનશીલ તત્વ (૨) એની સાથે પ્રાણવાયુ (Oxygen)નો સંપર્ક, (૩) નિર્ધારિત તાપમાન (જે અલગઅલગ પદાર્થો માટે અલગઅલગ છે) અને (૪) ઉષ્મા અને પ્રકાશનું વિકિરણ. આ ચારેય શરતો એકસાથે મળે તો જ અગ્નિ પ્રગટે છે. વિદ્યુત : સચિત્ત કે અચિત્ત વર્તમાનયુગ વીજળીનો યુગ છે. એ વિષયમાં બે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ૧. વીજળી અગ્નિ છે કે નહીં ? ૨. વીજળી સચિત્ત છે કે અચિત્ત ૧ આ વિષય પર વિભાજ્યવાદી શૈલીથી વિચાર કરવો આવશ્યક છે. અગ્નિના મુખ્ય ધર્મ પાંચ છે - (૧) જ્વલનશીલતા (૨) દાહકતા (૩) તાપ (૪) પ્રકાશ (૫) પાકશક્તિ.. નરકમાં જે અગ્નિ છે તે જ્વલનશીલ પણ છે (સૂયગડો ૧/૫/૧૧), દાહક પણ છે (સૂયગડો ૧/૫/૧૨), એમાં તાપ અને પ્રકાશ પણ છે. (સૂયગડો ૧/૫ ૧૪), પાક-શક્તિ પણ છે (સૂયગડો ૧/૫/૧૫) છતાં પણ એ નિર્જીવ છે, અચિત્ત છે. સજીવ અગ્નિકાય ફક્ત મનુષ્ય ક્ષેત્રમાં હોય છે. મનુષ્ય ક્ષેત્રથી બહાર - For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ © C જ્ઞાનધારા સજીવ અગ્નિ નથી હોતો. સૂત્રકૃતાંગમાં એને અકાઇ અગ્નિ-ઇંધણ વગર થનારો અગ્નિ કહ્યો છે. (સૂયગડો ૧/૫/૩૮).. નરકમાં થનારો અગ્નિ, તોલેશ્યાના પ્રયોગ વખતે નીકળનારી જવાળાની જેમ અચિત્ત અને નિર્જીવ છે, એવી જ રીતે વિદ્યુત પણ અચિત્ત અને નિર્જીવ અગ્નિ છે – આ સ્વીકારવામાં કોઈ મુશ્કેલી નથી. વાસ્તવમાં અચિત્ત અગ્નિતેજસ ઊર્જા છે, તેજસ વર્ગણાના પુદ્ગલ છે. છ જવનિકાર્યમાં અવારનવાર સજીવ અગ્નિકાય નથી.” “અગ્નિ નહીં, અગ્નિ જેવું દ્રવ્ય.” . અહીં એ પણ વિચાર કરવો યોગ્ય થશે કે “સચિત્ત અગ્નિના તાપની માફક જ પ્રકાશ-ઊ' અથવા બીજા ઊર્જાસ્રોતોથી પણ ઉપરોક્ત કામ શું થઈ શકે? જેમ સૂર્યના પ્રકાશથી તાપ પેદા થાય છે, એનાથી ખાવાનું શેકી અથવા બનાવી શકાય છે (સૌર ઉષ્મા), મશીનો ચાલે છે વગેરે. સૂર્યના પ્રકાશથી સીધી વિધુત-ઊર્જ બનાવી શકાય છે (સૌર સેલ) – જેનાથી ઈલેક્ટ્રોનિક સેલ ઘડિયાળ અથવા કેલક્યુલેટર ચાલે છે. તો શું આ સૂર્યનો પ્રકાશ સચિત્ત છે? ઉપરના વિશ્લેષણના આધાર પર એનો જવાબ હશે ‘ના’. એ જ પ્રમાણે વીજળીના પ્રવાહથી ગરમી પેદા થઈ શકે છે, એટલે પદાર્થનો તાપક્રમ વધી શકે છે, તે પણ સૂર્યના પ્રકાશ-ઊર્જા માફક આ પણ અચિત્ત ઊર્જા હોઈ શકે છે. ફક્ત આ કારણથી જ કે “અગ્નિમાં ગરમ કરવાની ક્ષમતા અથવા પ્રકાશ પેદા કરવાની ક્ષમતા છે, બીજા પ્રકારની ઊર્જા, જે બીજાને ગરમ કરી શકે છે, “સચિત્ત અગ્નિ'ની શ્રેણી (Category)માં હોવી જરૂરી નથી. સૂર્યના પ્રકાશથી પૃથ્વી, પાણી અને હવા ગરમ થઈ જાય છે, વરસાદ પડી શકે છે, વીજળી પેદા થઈ શકે છે. એ (સૂર્ય) વિકિરણમાં જો કિરણો અહીં પહોંચે છે, એ પૃથ્વી, વાયુ અને પાણીને ગરમ કરે છે, પણ આ વિકિરણ એટલે સૂર્યનો પ્રકાશ અને અવરક્ત કિરણો સ્વયં સચિત્ત અગ્નિકાય નથી.” - એ જ પ્રમાણે અગ્નિનો ‘મહાપુંજ' છે અને સાધારણ અગ્નિથી પણ મહાન કાર્ય કરી શકે એવી ઊર્જા હોવા છતાં પણ (તાપ-વીજળી ઘરોમાં તાપ-ઊર્જાનું ૬૦-૭૦ પ્રતિશત જ વીજળીની ઊર્જમાં પરિવર્તન થઈ શકે છે - એટલે વીજળી For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ CONC_જ્ઞાનધારા O ઊર્જા પેદા કરવા માટે કેટલી વધારે ઊર્જાનો વ્યય થાય છે). આ ઊર્જાઓ કોઈ પદાર્થને ફક્ત ત્યારે સચિત્ત બનાવે છે જ્યારે થોડી આવશ્યક શરતો પૂરી થાય છે. નહીં તો ઉપરોક્ત સંદર્ભમાં પોતે અચિત્ત ઊર્જા છે એમ સિદ્ધ થાય છે અગત્યના પ્રશ્નો : ઈલેક્ટ્રિસિટી અથવા વીજળીનો પ્રવાહ સ્વયં-પોતે શી ચીજ છે ? શરીરમાં વહેતો વીજળીનો પ્રવાહ અને વીજળીના વાયરમાં વહેતો પ્રવાહ આ બંને સમાન છે કે ભિન્ન છે ? એક જ જાતના છે કે અલગઅલગ છે ? આકાશમાં થતી વીજળી અને તારની અંદર વહેતી વીજળી અને શરીરમાં સતત કામ કરી રહેલ વીજળીના પ્રવાહમાં કોઈ ફરક છે કે નહીં ? આકાશમાં થતો વીજળીનો ઝબકારો, તારમાં વહેતી વીજળી અને શરીરમાં સતત કામ કરી રહેલી વીજળી - આ ત્રણે સંપૂર્ણપણે એક જ છે કે એક વસ્તુના જુદાજુદા પર્યાયો છે અથવા જુદાંજુદાં પરિણમનો છે ? – આ બધા પ્રશ્નોને બધી રીતે ચકાસીને આપણે નિર્ણય કરી શકીએ કે જેમ આકાશમાં થતી વીજળીને ચિત્ત તેઉકાય જીવ ગણવામાં આવે છે, તેવી જ રીતે બધી વીજળીઓને સચિત્ત તેઉકાયની ગણતરીમાં ગણવી કે નહીં ? આ બધા પર આપણે તટસ્થપણે, અનેકાંત દષ્ટિ લઈને વિચાર કરવાનો છે. અંગ્રેજી ભાષામાં બે શબ્દોનો પ્રયોગ જોવા મળે છે, (૧) ઈલેક્ટ્રિસિટી (Electicity) એટલે ઈલેક્ટ્રિક ઊર્જા અથવા (Current) • (૨) લાઈટિંગ (Lightning) એટલે કે આકાશમાં ઝબૂકતી વિદ્યુત કે વીજળી. - – હિન્દી અને ગુજરાતીમાં આ બંને માટે એક જ શબ્દ વપરાય છે – વિદ્યુત અથવા વીજળી, પણ ઉપરની બંને પ્રકારની વીજળીમાં જે ફરક છે તેને સમજવા માટે વિજ્ઞાનની મૂળ માન્યતાઓને સ્પષ્ટ રીતે સમજવી જોઈએ. વિજ્ઞાનની દષ્ટિએ પ્રત્યેક તત્ત્વ (Element)ની રચના પરમાણુઓથી થઈ છે. પરમાણુના બે ભાગ છે - ન્યૂક્લિયસ (Nucleus) અને પરિધિ. કેન્દ્રમાં પ્રોટોન અને ન્યૂટ્રોન એમ બે કણ હોય છે. પરિધિમાં માત્ર ઈલેક્ટ્રોન જ હોય છે. આ ઈલેક્ટ્રોન જ વિદ્યુતની પ્રક્રિયાના મૂળમાં છે. ૮૧ For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ OCC જ્ઞાનધારા 100 ઈલેક્ટ્રિસિટી બે પ્રકારની હોય છે – (૧) સ્ટેટિક (Static) અને કરન્ટ (Current). આકાશની વીજળી (Lightning) એ વાદળોમાં જમા થયેલા ઈલેક્ટ્રિક ચાર્જનો પૃથ્વી પર થનારો ડિસ્ચાર્જ છે. એમાં જે પ્રકાશ દેખાય છે તે ઈલેક્ટ્રોન ઊર્જાનું પ્રકાશની ઊર્જામાં રૂપાંતર છે. એ ચાર્જને જ્યારે સુવાહક (Good Conductor of Heat) મળે ત્યારે એ સુરક્ષિત રહે છે અને કરીના પ્રવાહના રૂપમાં વહે છે. ' વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર (Electro Magnetic Field) ઈલેક્ટ્રોમેગ્નેટિક ઊર્જા, ઈલેક્ટ્રોમેગ્નેટિક તરંગો (waves) આદિના સ્વરૂપના આધારે એ સ્પષ્ટ થાય છે કે વિદ્યુત પોતે સ્વયં તો એક પૌલિક” (Mater) નિર્જીવ પરિણમન છે. તત્ત્વાર્થ સૂત્રમાં પણ (૫/૨૪) અંધકાર, છાયા, આતપ (સૂર્યપ્રકાશ), ઉદ્યોત (ચંદ્રપ્રકાશ) આદિને પુદ્ગલનીજ પરિણગતિ બતાવી ઉત્તરાધ્યયન સૂત્ર (૨૮/૧૧, ૧૩)માં સ્પષ્ટરૂપે પ્રકાશ, શબ્દ, આતપ, આદિને પુદ્ગલનાં જ લક્ષણ બતાવ્યાં છે. - સાધુ કોમ્યુટર/ટેલેક્ષ, માઈક, લાઈટ, પંખા, એરકન્ડિશનર, ફોનનો ઉપયોગ કરી શકે ? જો ગૃહસ્થ પોતાની સુવિધા માટે માઈક-લાઉડસ્પીકરનો ઉપયોગ કરે અને સાધુ માઈકમાં બોલે તો સાધુને દોષ કેવી રીતે લાગે ? એક વાર ઈલેક્ટ્રિસિટી અચિત્ત માની લઈએ પછી ઉપરનાં કોઈ પણ ઉપકરણોથી તેઉકાયની હિંસા થતી નથી. સાંપ્રતકાળમાં મોટી સભાઓને સંબોધન કરતી વખતે જો વક્તા માઈકમાં ન બોલે તો બધાને સાંભળવામાં તકલીફ થાય અને સભાની વ્યવસ્થા પણ જોખમાઈ જાય. મોટાં આયોજનો માટે ગૃહસ્થોને પંડાલ, સ્ટેજ, લાઈટ આદિની વ્યવસ્થા કરવી જ પડે છે. એવી જ રીતે માઈકની તથા લાઉડસ્પીકરની વ્યવસ્થા પણ ગૃહસ્થ પોતાની સુવિધા માટે કરે છે. પણ આ બધાં સાધનોના ઉપયોગ માટે સિદ્ધાંત જ નહીં, પણ વ્યવહારનું ધ્યાન રાખવાની પણ આવશ્યક્તા છે. હવે પ્રશ્ન થશે કે માઈકના એમ્પ્લિફાયરને લાગેલી લાઈટો અવાજના આરોહઅવરોહ સાથે ઝબૂક્યા કરે છે. માઈક ચાલુ હોય ત્યારે એની અંદર રહેલા ટ્રાન્ઝિસ્ટર, ડાયોક્સ વગેરે બહુ ગરમ થઈ જાય છે, તેવી જ રીતે ઈલેક્ટ્રિીટી For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ન (C જ્ઞાનધારા 6 OO આધારિત બધાં સાધનો ગરમ થઈ જાય છે તો આમાં જીવહિંસા થાય કે નહીં ? એનો જવાબ એ કે ઈલેક્ટ્રિસિટી સ્વયં નિર્જીવ છે એવું સ્પષ્ટ સિદ્ધ થયા પછી પણ આ બધાં સાધનોનું સાધુ સ્વયં સંચાલન કરી શકે છે, એમ માનવું ઠીક નથી. જે સાધનોના પ્રયોગમાં કોઈ પણ પ્રકારની હિંસા કરે, કરાવે, અનુમોદવાના રૂપમાં ન હોય તથા બીજાં મહાવ્રતો, સમિતિ, ગુપ્તિની વિરાધના ન હોય, એવાં સાધનોનો ઉપયોગ સાધુ પોતે કરે અથવા ન કરે એ વ્યવહારનો પ્રશ્ન છે. ઉદાહરણાર્થે સેલ દ્વારા સંચાલિત ઘડિયાળનો પ્રયોગ કરવામાં ‘આવું ક્યાંય નથી થતું”, એટલે એ વર્જ્ય નથી. માઈક અથવા લાઈટ ગૃહસ્થોના ઉપયોગ માટે ગૃહસ્થ ચાલુ કરે, એમાં સાધુને દોષ કેવી રીતે લાગે ? ફોન, ફેક્સ, ટેલેક્સ પણ વ્યવહારનો વિષય છે. જે-જે વસ્તુઓ કલ્પનીય છે, એ બધું સાધુએ કરવું જરૂરી નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાઓના આધાર પર એનો પ્રયોગ નિર્દિષ્ટ થઈ શકે છે. એ પ્રમાણે માઈક વગેરેનો પ્રયોગ પણ ગૃહસ્થ લોકો પોતાની સાંભળવાની સુવિધા માટે કરે છે. જેમ મંડપ, સ્ટેજ આદિ સભાની સુવિધા માટે નિર્મિત હોય છે, એમ જ માઈક, લાઉડસ્પીકર, એમ્પ્લિફાયર વગેરેનો પ્રયોગ પણ ગૃહસ્થ લોકો પોતાની સુવિધા માટે કરે છે. જો મંડપ, સ્ટેજ આદિનો ઉપયોગ સાધુ કરે છે તો તેમને દોષ નથી લાગતો; તો માઈકમાં સાધુનો અવાજ ચાલ્યો જવાથી એનો દોષ સાધુને કેવી રીતે લાગશે ? ટેલિફોનની પ્રક્રિયામાં વિદ્યુત-ઊર્જાનું ધ્વનિના રૂપમાં પરિવર્તિત થવું પણ પૌદ્ગલિક પરિણમન છે. જ્યાં સુધી તેઉકાયની વિરાધનાનો સંબંધ છે, ટેલિફોનમાં વાત કરવાથી આવું થવાની સંભાવના નથી. આ બધાં સાધનોના ઉપયોગ વખતે સાધુએ બહુ વિવેકપૂર્વક તટસ્થ રહેવું જોઈએ. ઉપસંહાર : જૈન સાધુ એવી કોઈ ચીજનો પ્રયોગ નથી કરી શકતા જેમાં મહાઆરંભ તો શું, અલ્પઆરંભ પણ હોય. એટલે આહાર આદિ પણ સહજ-નિષ્પન્ન હોય તો જ સાધુ ગ્રહણ કરી શકે. આહારની જેમ જ વસ્ત્ર, પાત્ર, ઉપકરણ, સ્થાન, દવા વગેરે બધી ચીજો આરંભ વગર ક્યાંય પણ બનતી નથી. એના આરંભમાં પણ વીજળીનો પ્રયોગ અનંતર અથવા પરસ્પર રૂપમાં થાય જ છે. જો વીજળીની ઉત્પત્તિમાં ૮૩ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ 100 C જ્ઞાનધારા OTO૦ મહાઆરંભના આધાર પર એના ઉપયોગને સદોષ માનીએ તો પછી વીજળીની સહાયતાથી નિષ્પન્ન બધી ચીજોનો પણ ઉપયોગ સાધુ કેવી રીતે કરી શકે જે પ્રમાણે સહજતાથી નિષ્પન્ન ઉપયુક્ત ચીજોનો ઉપયોગ સાધુ માટે વિહિત છે, એ જ પ્રમાણે માઈક, લાઈટ આદિ ગૃહસ્થોની સુવિધા માટે ગૃહસ્થો દ્વારા પ્રયુક્ત હોય તો એનો દોષ સાધુને કેવી રીતે લાગે? - જ્યાં સુધી ધર્મ-પ્રચારનો સંબંધ છે, હિંસાના માધ્યમથી ધર્મપ્રચાર કરવો પણ જ્યારે અધર્મ છે તો હિંસા દ્વારા ધર્મપ્રચાર કરવો કેવી રીતે યોગ્ય છે? પણ જેમ પુસ્તક-મુદ્રણ વગેરેમાં લાગેલી ક્રિયા સાધુને નથી લાગતી એ જ પ્રમાણે માઈક વગેરેની ક્રિયા પણ સાધુને કેવી રીતે લાગે ? જો ધર્મપ્રચાર માટે પુસ્તક આદિનું લખવું સાધુ કરી શકે છે તો પછી યતનાપૂર્વક ઉપદેશ આપવામાં સાધુ કેવી રીતે દોષી થશે? માઈક આદિનો ઉપયોગ ગૃહસ્થ પોતાની સુવિધા માટે કરે છે. નપુસ્તકના મુદ્રણમાં સાધુ કૃત, કારિત, અનુમોદિત રૂપમાં સંલગ્ન થાય છે, ન માઈક આદિના પ્રયોગમાં. - નિષ્કર્ષ એ છે કે સંયમ-ધર્મને વિશુદ્ધ રાખીને જ જૈન સાધુ ધર્મપ્રચાર કરે એ જ વાંછનીય છે. For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ OCTO0 ©©©© સંતોની શારીરિક અને માનસિક - અમદાવાદ સ્થિત. ડૉ. રાજેશ પારેખ સ્વાથ્યની વિષમ પરિસ્થિતિનું કન્સલ્ટિગ એનેસ્થેટિક છે. " વિશ્લેષણ અને ઉપાયો : સામાજિક પ્રવૃત્તિ ઉપરાંત આરોગ્યલક્ષી પ્રવચનો ડૉ. રાજેશ પારેખ (M.D) | આપે છે. સંતોની જૈન ધર્મ વિશ્વમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે. | | વૈયાવચ્ચમાં રસ લે છે અને સ્ટ્રેસ મેનેજમેન્ટ પર એક જૈન સંતો, મહાસતીજીઓ (જૈન સાધુતા) એ | નાની પુસ્તિકા લખી છે. જગતનું પરમ આશ્ચર્ય છે. માનવઆત્મશક્તિનું ભવ્ય ઊંચું શિખર છે. આ સંતો સભ્ય જ્ઞાન, દર્શન અને ચારિત્ર વડે મોક્ષની સાધના કરતા હોય છે. તમામ પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખતા હોય છે, આત્મવત્ સર્વ ભૂતેષુ ભોગ-ઉપભોગનાં અનેકવિધ ઉપકરણો, સગવડો, આધુનિક રહેણીકરણી, ટીવી, મોબાઈલ, વીડિયો, ઈન્ટરનેટ, કોમ્યુટર વગેરે આનંદપ્રમોદની ભવ્ય સવલતો હોવા છતાં દીક્ષા અને સંયમમાર્ગનું આકર્ષણ પણ ટકી રહ્યું છે. પરમશ્રદ્ધેયે ગુરુજીની આજ્ઞા લઈને આજીવન તપત્યાગનાં વ્રતો, નિયમો પાળવાનો દઢ સંકલ્પ કરવો તેને દીક્ષા કહે છે. રાત્રિભોજન ત્યાગ, કેશલેચ, પાદવિહાર, સાદગી, નિઃસ્પૃહા, કઠોર જીવનક્રમ અને પંચમહાવ્રતના પાલનથી ઉત્કૃષ્ટ પ્રકારની સાધના-આરાધનાને લીધે જૈન સંતોનું સ્થાન વિશ્વમાં અજોડ છે, અદ્ભુત છે. આ સંતો આકરી તપશ્ચર્યા, વૈરાગ્ય, ધર્મધ્યાન, જ્ઞાનસાધના, સમભાવ, ઉપશમ દ્વારા આત્મવિકાસ સાધતા હોય છે. તેઓ નિર્મળભાવે માત્ર શરીરને જાળવવા માટે જરૂરી હોય તેટલાં વસ્ત્રો, પાત્ર કે આહાર લે છે. ' સરતા-ઋજુતા એ ધર્મનો-સાધુતાનો મુખ્ય આધાર છે. તેની સાધનાનું લક્ષ્ય ભૌતિક, ઐશ્વર્ય કે યપ્રાપ્તિ નથી, પરંતુ આ આત્મા કર્મકાળથી મુક્ત બને તે છે. તે મોક્ષમાર્ગમાં ગતિશીલ હોય છે અને સંપૂર્ણ શક્તિને સાધનામાં જોડી દે છે. જૈન સંતો ખૂબ જ ચુસ્ત રીતે આહાર-વિચાર, આચાર-વિચાર-આચરણનો અમલ કરતા હોય છે, જે તેમની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે અત્યંત For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ CC જ્ઞાનધારા OO આવશ્યક છે. નિયમિત જીવન પૌષ્ટિક, સાદો ખોરાક અને આધ્યાત્મિક જીવન, સ્વાધ્યાય વાંચન-ચિંતન-મનન, પરિશીલન પણ તંદુરસ્તીમાં અગત્યનો ભાગ ભજવે છે. સંતો માટે આહાર-વિચારની ચુસ્તતા નક્કી કરવામાં આવી હતી ત્યારે એક અલગ યુગ હતો, જ્યારે આજના વર્તમાન આધુનિક-મૉડર્ન યુગમાં પરિસ્થિતિમાં ઘણા જ ફેરફાર જોવા મળે છે. વર્તમાન યુગમાં આહાર-પરિવર્તન, ભેળસેળયુક્ત ખોરાક, પ્રદુષિત વાતાવરણ (Pollution), વાતાવરણમાં બદલાવ, આર્થિક-સામાજિક-રાજકીય પરિસ્થિતિમાં ધરખમ ફેરફાર વગેરે પર નિરીક્ષણ કરીએ તો સમાજની દરેક વ્યક્તિને તેમ જ મુનિવર્યે - મહાસતીજીઓને અનેક શારીરિક તથા માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આહાર અને શારીરિક સ્વાસ્થ્ય : આપણાં આહાર અને સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ છે. આહાર સાદો-સાત્ત્વિકપૌષ્ટિક, શરીરને માત્ર પોષતો નથી, પરંતુ અમૃતની ગરજ સારે છે. શરીરને વિવિધ રીતે ફાયદા કરે છે. આહારમાં ફળ, શાકભાજી, ધાન્ય, દૂધ, દહીં, માખણ અને ઘીનો સમાવેશ થાય છે. આટલા ખાદ્યપદાર્થોમાંથી શરીર માટે જરૂરી બધાં જ તત્ત્વો અને ઘટકો મળી રહે છે. દા.ત. ફળો અને શાકભાજીમાંથી અમૂલ્ય પ્રજીવકો-વિટામિન્સ અને ખનીજ ક્ષારો-મિનરલ્સ મળી રહે છે. ધાન્યોમાંથી શરીરને મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટસ મળે છે. માખણ અને ઘીમાંથી શરીરને ચરબી મળે છે. આ ઘટક સાંધાઓને સ્નિગ્ધતા આપે છે. દૂધ, દહીં, છાશમાંથી શરીરને મુખ્યત્વે પ્રોટીન મળે છે. આ ઘટક શરીરના બંધારણ અને કોષોના નવસર્જન માટે જરૂરી છે. આ બધા ઘટકો જેમાં હોય તેને સંતુલિત આહાર (Balanced diet), કહેવાય છે. સામાન્યતઃ સંતોનો ખોરાક સુપાચ્છ, સાત્ત્વિક, પૌસ્ટિક હોય છે. સંતો ગોચરી કરી શ્રાવક પાસેથી વહોરાવીને કરે છે, પરંતુ વિહાર કરતા સમયે તેમને ગોચરીમાં સાદો ખોરાક ન મળે તેવું બનતું હોય છે. જુદીજુદી જગ્યાએ વિહારમાં જતા સતત બદલાતા ખોરાકનો ઉપયોગ કરવો પડતો હોય છે. સામાન્ય રીતે ખોરાકની ગુણવત્તા બદલાતી પણ રહે. કોઈક વાર ઓછા ખોરાકથી, કોઇક વાર ન ૮૬ For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ SIનદ 10 ) C જ્ઞાનધા ચ OTO ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થમાંથી બનાવેલ ખોરાક, કોઈક વાર ઉકાળેલું પાણી પરંતુ ક્ષારનું પ્રમાણ, પ્રદુષિત પાણીનો ઉપયોગ પણ કરવો પડે, જે સ્વાથ્યને ક્રમશ: નુકસાન કરે છે. આજનું વાતાવરણ - પર્યાવરણ ખૂબ જ પ્રમાણમાં પ્રદુષિત છે. હવામાં અનેક પ્રકારનાં દુષિત અને સ્વાથ્યને હાનિ પહોંચાડનાર ઝેરી કેમિકલ્સ ફેલાયેલાં હોય છે. આ ઉપરાંત અસહ્ય તાપ અથવા અસહ્ય ઠંડી, ઝડપથી વધતું જતું શહેરીકરણ, ઔદ્યોગીકરણ, ઘોંઘાટની તીવ્ર અસર સમાજની દરેક વ્યક્તિ માટે જોખમી છે. આધ્યાત્મિક જીવન જીવતાં સંત-સતીજીને આ અસરનો તેમ જ શારીરિક તકલીફોનો ભોગ બનવું પડે છે. (૧) પાચનતંત્રને અસર કરતા રોગ : - સામાન્યતઃ સંતોની શારીરિક તકલીફો બહુ જ જૂજ પ્રમાણમાં જોવા મળે છે, પરંતુ જુદી જુદી જગ્યાએ ખોરાક બનાવવાની પદ્ધતિઓ અલગઅલગ હોય છે, જેથી એસીડિટી (Acidity), અને અલ્સર (Ulcer) - હોજરીમાં ચાંદાં અને અપચો (Indigestion) જેવી પાચનતંત્રને લગતી બીમારી થઈ શકે છે. ખોરાકને યોગ્ય તાપમાને જાળવવામાં ન આવે તો રોગકારક સૂક્ષ્મ બેકટેરિયા (Bacteria growth)ની વૃદ્ધિ પણ થઈ શકે જેથી ડાયેરિયા (Diarrhoea), એન્ટેરિટિસ (Enteritis), કોલાઈટીસ (Colitis) જેવું ઈન્ફફશન થઈ શકે છે. (૨) કિડનીને લગતા રોગ : (Kidne Disease) : અલગઅલગ ખોરાકનાં તત્ત્વો, જુદી જુદી જગ્યાએ બદલાતું પાણી તેમ જ વ્રત-ઉપવાસને લીધે પાણી પીવાની અનિયમિતતા કિડનીના રોગને આમંત્રણ આપે છે. આમાં રીનલ સ્ટોન (કિડનીની પથરી) તથા યુરીનરી ટ્રેક ઇન્ટેશન ઘણા વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. (૩) કાર્ડિયાક ડિસીઝ (Cardiac Disease) અને હાઈપર ટેન્શન High Blood Pressur) : - પ્રદુષિત વાતાવરણ, બદલાયેલો ખોરક તેમ જ શહેરી જીવનની વિષમ પરિસ્થિતિઓ સંતોને હૃદયસંબંધી નાની-નાની તકલીફો ઊભી કરે છે. વધુપડતો ચરબીજન્ય ખોરાક, વધુપડતી ખાંડ (Suger)નો ખોરાકમાં ઉપયોગ તેમ જ વધુપડતા For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ OCC જ્ઞાનધારા 02 O૦ નમક (Salt)નો ખોરાકની બનાવટમાં ઉપયોગ રોગ માટે જવાબદાર બની શકે છે. (8) Nutritional Deficience) , ' ખોરાકમાં પોષ્ટિક તત્ત્વો, વિટામિન્સ, ખનીજ ક્ષારો (Minerals), આવશ્યક એમીનો એસિડ (Essentian Amino acids) વગેરેની ઊણપથી ન્યુટ્રિશનની અછત વર્તાય છે, જેથી રોગપ્રતિકારક શક્તિ શરીરમાં ઓછી થાય છે અને રોગ ઉત્પન્ન થાય છે, જેમાં (Osteomalarian)- હાડકાંને લગતી બીમારી, (Thyroid Desease) (કંઠમાળ), વિટામિન B12ની ઊણપ - (Anaemia), Muscular cramps - સ્નાયુ સંબંધી રોગની તકલીફો પણ થઈ શકે છે.' (4) HaRul Malaria), Dengue (304), Chicken Gunia - Fast olul (Infesctional Disease : સંતોને વિહાર દરમિયાન અસુવિધાવાળા રહેઠાણમાં રહેવાનો પ્રસંગ પણ આવી શકે. આજુબાજુ ભેજવાળું વાતાવરણ તેમ જ આસપાસનું વાતાવરણ પ્રદુષિત હોઈને મચ્છરજન્ય રોગ થવાનો ભય રહે છે. સતત વિહારને લીધે અનિયમિત ખોરાક, બદલાયેલો ખોરાક તેમ જ લાંબા - ઉગ્ર વિહારને લીધે ઇમ્યુનિટી - રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે, જેથી વારંવાર ઈન્ડેશનની ચિંતા રહે છે. સંતોને સાંધાનો દુખાવો (Joint Pain), (Backache) - પીઠનો દુખાવો, કમરનો દુખાવો, ડાયાબિટીસ, કબજિયાત (Constipation), ગળામાં દુઃખાવો વગેરે તકલીફ જોવા મળે છે. ઉપવાસ તથા ચૌવિહારને લીધે નિયમિત દવા ન લઈ શકાય તેવું પણ બનતું હોય છે જેથી રોગ મટી ગયા પછી રોગ બીજી વાર નાના સ્વરૂપમાં પણ જોવા મળે છે. અંતરિયાળ ગામડાંમાં પૂરતી મેડિકલ ફેસિલિટી-સુવિધા નથી હોતી. યોગ્ય નિદાન, જરૂરી માર્ગદર્શન તેમ જ ટ્રીટમેન્ટ ન મળે તેવું પણ બને, પરિણામે રોગની માત્રા વધી જાય છે. માનસિક સ્વાસ્યની તકલીફો : શરીર તથા મન એકબીજા સાથે સંકળાયેલાં છે. શારીરિક તકલીફો મનને અશાંત, બેચેન તેમ જ ચિંતાતુર કરી દે છે. દરેક માનવી સામાજિક બંધનોથી અચિત વિહાર અનિટી - For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ SOC જ્ઞાનધારા 02790 જોડાયેલો છે. આપણે સૌ અરસપરસ - એકબીજા સાથે સૂક્ષ્મ સ્વરૂપે લાગણીબંધનથી જોડાયેલા છીએ. સમાજની તક્લીફો, વ્યક્તિઓની તક્લીફો, દેશ-દુનિયાની તકલીફો - સમસ્યા – હાડમારી જોઈને આદરણીય સંતો દુઃખ-પીડાનો અહેસાસ કરે છે. કોઈ વાર ચિંતાતુર-ચિંતાગ્રસ્ત પણ બને તે સ્વાભાવિક છે. વૈરાગ્યભાવ, દીક્ષાભાવ પ્રસંગે એકસાથે ઘરના કુટુંબીજનો, સગાંસંબંધીઓનો પરિત્યાગ કરતાં સંતોને પણ દિલમાંથી દરેક બંધનોનો ત્યાગ કરતાં થોડો સમય લાગે છે. સંતોનું કઠિન આધ્યાત્મિક જીવન, આહાર-વિહારની ચુસ્તતા, બદલાયેલી ભૌગોલિક પરિસ્થિતિથી સહજ માનસિક તનાવ ઉદ્ભવી શકે તેવું પણ બને. કોઈક વાર સંતોને અન્ય અણસમજુ વ્યક્તિ તરફથી કે સંચાલકો તરફથી સંઘર્ષ કે ઘર્ષણનો સામનો સમતાપૂર્વક કરવો પણ પડે ત્યારે પોતે ક્ષમાવંત હોવા છતાં અમુક અંશે તેમને માનસિક તનાવ રહેવાની શક્યતા રહે છે. માનસિક તાણ માટેનાં જવાબદાર પરિબળો : (૧) ઉપાશ્રયમાં અણસમજુ વ્યકિત સાથે ઘર્ષણ. (૨) સાથે રહેતા અન્ય સંતો સાથે વૈચારિક અસંગતતા. (૩) ખૂબ જ નજીકના કૌટુંબિક સંબંધીના શારીરિક, માનસિક પ્રશ્નો કે તકલીફો (૪) શારીરિક રોગ. (૫) ઘોંઘાટયુક્ત જીવન. શારીરિક તથા માનસિક તકલીફોના ઉપાયો : (૧) સંતોના શરીરની નિયમિત તપાસ : આપણા સંતોની કરણી અને કથની સરખી હોય છે. તેઓ ક્ષમાશીલ તથા સહનશીલતા ધરાવે છે. ઉચ્ચ કોટીનું અધ્યાત્મજીવન હોય છે. કોઈને પોતાની નાની કે મોટી તકલીફ કહેતા નથી અને સહન કરી લેતા હોય છે જેથી રોગનું નિદાન થઈ શકતું નથી. જો અમુક સમયે બોડી ચેક કરાવે તો બીમારીનું અગાઉથી નિદાન તથા સારવાર શક્ય બને અને બીમારી અગાઉથી રોકી પણ શકાય. Prevention is better than cure. For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ C જ્ઞાનધારા (૨) સ્વાસ્થ્યપ્રદ ખોરાક પાણીની ઉપલબ્ધિ રાખવી : સંતો જ્યારે વિહાર કરતા હોય ત્યારે તેમને ગોચરી દરમિયાન ખોરાકમાં તકલીફ અનુભવાય છે. અંતરિયાળ વિસ્તારોમાં યોગ્ય ગુણવત્તા સહિત ખોરાક મળે તેવી વ્યવસ્થા કરવી તેવી સંઘે જવાબદારી ઉપાડવી જોઈએ. જે સંતોને કાયમી બીમારી (Chronic Disease) છે તેમને તેમની હેલ્થ-તંદુરસ્તીને અનુરૂપ ખોરાક મળવો જોઈએ. ડાયાબિટીસ, બ્લડપ્રેસર, કિડનીની, હૃદયની બીમારી - તકલીફો માટે ડૉક્ટરની સલાહ મુજબનો ખોરાક મળવો આવશ્યક છે તેમ જ જીવન પણ સ્વસ્થ રહે અને જિનવાણીનો લાભ મળ્યા કરે. - (૩) સંતોના મેડિકલ રેકર્ડની યોગ્ય જાળવણી તથા વિહારની જગ્યાએ મેડિકલ સુવિધાની વ્યવસ્થા : વિહારની સ્થિતિમાં પાસ્ટ મેડિકલ હિસ્ટરી (પહેલાં લીધેલ દવા અને શું તકલીફ હતી તેની વિગતો) સાચવવી મુશ્કેલ હોય છે, જેથી નવા ડૉક્ટરને યોગ્ય સારવાર કરવામાં-નિર્ણય લેવામાં થોડોક સમય લાગે છે. આ ઉપરાંત સંતો માટે મેડિકલ સુવિધા હોવી જરૂરી છે તથા સંતોના વિહાર ઉતારાની જગ્યાની આજુબાજુ મેડિકલ તેમ જ ઇમર્જન્સી ટ્રીટમેન્ટ તાત્કાલિક સારવાર મળે તેવા પ્રયત્નો કરવા જોઈએ. (૪) સાધુ-સંતોને સારવાર મળી રહે તે માટે જરૂરી રિઝર્વ ફંડની વ્યવસ્થા જરૂરી છે, જેથી મેડિકલ ટ્રીટમેન્ટમાં વિલંબ નિવારી શકાય. જોકે, વેયાવચ્ચ ફંડ દરેક સંસ્થામાં હોય છે. (૫) ઉપાશ્રયમાં બિરાજમાન કે વિહાર કરતા મુનિવર્યો – મહાસતીજીઓ પ્રત્યે અન્ય કર્મચારી કે સંચાલકો તરફથી સન્માનીય, આદરણીય ભાવ રહે તે આવકારદાયક છે. તેમને શાતા ઊપજે તેવું વર્તન હોવું જોઈએ. (૬) સંતોના ઉતારાની જગ્યા સાફસૂથરી, હવા-ઉજાસવાળી હોવી જોઈએ તેમ જ સાફ-સફાઈ પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. (૭) આપણું આ નાશવંત શરીર ઇન્દ્રિયોની ગુલામીની જંજીરમાં છે અને મોહમાયામાં જ જીવનની ખુશી હોય તેવો ભ્રમ રાખે છે. વ્યક્તિ જેમજેમ જીવનની વાસ્તવિકતા સમજતો હોય છે તેમ આ નાશવંત શરીર છે અને આત્મા અમર Co For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ OCC જ્ઞાનધારા OO છે તેમ વિચારતો થાય છે ત્યારે તેમનામાં આધ્યાત્મિક ભાવના વધતી જાય છે. માનસિક શાંતિ માટે મનમાં પૉઝિટિવ લાગણીઓ હોવી જરૂરી છે. સમાજની દરેક વ્યક્તિ પ્રત્યે નિ:સ્વાર્થ ભાવના, સ્નેહ, અનુકંપા, દયા, કરુણા, સરળતા, સહજતા, નમ્રતા, ઋજુતા, મૈત્રી વગેરે લાગણીઓ મનને સ્થિર કરે છે તેમ જ મનને શાંતિ પ્રશાંતિ, ઉપશાંતિ આપે છે. ઇર્ષા, અદેખાઈ, ક્રોધ, માન, માયા, લોભ, કપટ, ભય, વેર વગેરે નેગેટિવ લાગણીઓ છે જે મનને અશાંત, અસ્થિર કરે છે અને મનને દુ:ખ પહોંચાડે છે. મનની નેગેટિવ લાગણીઓને ઓળખો અને ક્રમેક્રમે મંદ કરો અને પૉઝિટિવ લાગણીઓને ઓળખી વિકાસ તરફ આગળ વધારો જેથી પૉઝિટિવ લાગણી શાંત મનનું સર્જન કરે છે અને (બુદ્ધિ) પ્રજ્ઞા સ્થિર થાય છે. જ્યારે વ્યક્તિનો આત્મા ઉચ્ચ કોટિનો હોય ત્યારે તેનામાં દયા, શાંતિ, કરુણા, અનુકંપા, સમતા, ક્ષમા, સત્ય, પ્રેમ, મૈત્રી, ત્યાગ, વૈરાગ્ય વગેરે સદ્ગુણોથી વિશ્વશાંતિ જેવી ભાવનાઓ આપોઆપ જાગૃત થાય છે. આ આત્મા શરીરની ઇન્દ્રિયો પર વિજય મેળવીને શરીર અને આત્માને અલગ કરી કેવળ આત્મા સ્વરૂપે જીવન જીવે છે ત્યારે તે પોતાના અને અન્યના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ રેલાવે છે અને વિશ્વનો રાહ બતાવે છે. અનંત ઉપકારી સંતોની સેવા-વેયાવચ્ચ કરવી એ જૈન સમાજની દરેક વ્યક્તિની ઉમદા ફરજ છે, કર્તવ્ય છે. ૯૧ For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ યુવાનોને ધર્માભિમુખ કરતાં ડિૉ. પાર્વતીબહેને અનેકવિધ પાસાનું વિશ્લેષણ શ્રાવક કવિ ઋષભદાસના . જીવ વિચાર રાસ” પર છે ડૉ. પાર્વતીબહેન નેણસી ખીરાણી | Ph.D કર્યું છે. લિપિવાચન જહોન હંટર નામના મહાન સર્યન પોતે હસ્તપ્રતોના સંશોધન ક્રોનિક એન્જાઈનના દોષથી પીડાતા હતા. એમણે અને જેને શિક્ષણના કાર્યમાં રસ લે છે. કહ્યું કે, મારું જીવન એ બદમાશોના હાથમાં છે જે મને ગુસ્સો કરાવે છે. જ્યારે હું મરું ત્યારે મારું હૃદય તપાસજો. મારા હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓ લાકડા જેવી સખત બની ગઈ હશે.. એક દિવસે એ એક ઈન્ટરવ્યુમાં હાજર હતા ત્યારે એમના મતને અવગણી લાગવગને લીધે લાયક નહીં એવી બીજી કોઈ વ્યક્તિને પસંદ કરવામાં આવી. પરિણામે એ ગુસ્સામાં ફાઈલ પછાડીને ઈન્ટરવ્યુ રૂમની બહાર નીકળ્યા અને બારણાની બહાર જ હંમેશને માટે ઢળી પડ્યા. એમના મરણ પછી એમની ઇચ્છા મુજબ હૃદય તપાસવામાં આવ્યું તો સાચે જ એમના હૃદયની ધમનીઓ મુલાયમમાંથી સખત બની ગઈ હતી. એનું તારણ આજે પણ “રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન્સ’ - લંડન મ્યુઝિયમમાં છે. એમનું હૃદય ઉપરોક્ત વાત સાથે ત્યાં સાચવીને રાખવામાં આવ્યું છે. જો જ્હોનને ગુસ્સાનું મારણ ક્ષમાપના છે એમ ખબર હોત તો? એ ઉત્તમ એવા ક્ષમાપનાના ધર્મની સન્મુખ હોત તો મરણ થાત? જવાબ છે ના. તેઓ બચી જાત અને પોતાના જ્ઞાનનો કેટલાયને લાભ આપ્યો હોત. થોડા સમય પહેલાં અમેરિકાના સાનફ્રાન્સિકોમાં બે ડોકટરોએ સંશોધન કરીને શોધ્યું કે ૨૧મી સદીમાં જો કોઈ મોટો પડકાર હોય તો એ ક્રોધજન્ય બીમારીઓનો. ૮૦ ટકાથી વધારે બીમારીઓ છોધમાંથી જન્મે છે. Anger is killer number one. ક્રોધમાંથી જ બ્લડપ્રેસર, જડતા, સ્ટ્રેસ, ફિટ, શિરોવેદના વગેરે રોગો જન્મે છે. ક્રોધને અગ્નિ સાથે સરખાવવામાં આવે છે. અગ્નિ તો એની પાસે જનારને બાળે છે જ્યારે ક્રોધ તો આખા કુટુંબને ભસ્મીભૂત કરી નાખે છે. For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ©©રા C જ્ઞાનધારા C છ0 ક્રોધ હિંસાદિ અસુરોને જન્મ આપે છે. ક્રોધની જેમ જ માન, માયા, લોભ, ઈર્ષ્યા, રાગ (આસક્તિ ભાવ), દ્વેષ (ધિકાર) આદિ પણ ખતરનાક છે. આ બધા પર કાબૂ મેળવવો હોય તો ધર્માભિમુખ થવું જ પડે છે, જેનાથી સુખશાંતિ, આનંદની પ્રાપ્તિ થઈ શકે. ધર્મ શું છે? ધર્મ વૈકાલિક સત્ય છે. ભૂત-ભવિષ્ય-વર્તમાન ત્રણે કાળમાં અસરકારક હોય. ત્રણે કાળમાં એકસમાન હોય. દા. ત. પાણીને ત્રણે કાળમાં ૧૦૦ ડિગ્રીએ ઉકાળીએ તો વરાળ બનશે જ એમાં મીનમેખ ફેર નહિ પડે, એમ ધર્મ ત્રણે કાળમાં સુખ-શાંતિ આપે જ. ધર્મ સાર્વભૌમ સત્ય છે - કોઈ પણ ક્ષેત્રમાં પાણી ઊકળે તો વરાળ થાય જ એમ દુનિયાના કોઈ પણ છેડામાં કરવામાં આવે - ઘરે, બહાર, અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા ક્યાંય પણ સુખ-શાંતિ આપશે જ. ધર્મ સાર્વજનિક સત્ય છે. કોઈ પણ વ્યક્તિ પાણી ગરમ કરશે તો વરાળ બનશે જ એમ હિન્દુ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ કોઈ પણ ધર્મ કરશે તો સુખ-શાંતિ મળશે જ. ધર્મની વ્યાખ્યા આસ્તિક-નાસ્તિક કે કોઈ પણ દર્શન-મતને માન્ય હોય એવી હોય તો જ એ વિશ્વધર્મ બની શકે છે. જીવવું એ ધર્મ છે. એમાંય સુખપૂર્વક જીવવું એ ધર્મ છે. પીંજરામાં પોપટની સલામતી છે છતાં પીંજરું ખૂલતાં જ તે ઊડવા ઈચ્છે છે. તેથી સિદ્ધ થાય છે કે સુખ અને સ્વતંત્રતાપૂર્વક જીવવું એ ધર્મ છે. ધર્મનું ફળ છે. ચિત્તની શાંતિ કાંઈ મળે છે કે ન મળે, તૃપ્તિ તો થવી જ જોઈએ. ધર્મનું ફળ આવતા ભવે મળે એ વાત આંશિક સત્ય હશે. આજે ધર્મ કરીએ અને ફળ આવતા ભવે મળે એ ગણિત કોણ લાવ્યું? જેનું ફળ ઓન ધ સ્પોટ ન મળે એવા ધર્મને આજના યુવાનો સ્વીકારતા પણ નથી. તરત ફળ ન મળે તો સમજવું કે આપણે સાચો ધર્મ કર્યો જ નથી. આજે કેટલાય લોકો ધર્મને બદલે માત્ર ક્રિયાકાંડ કરે છે. અહીં ક્રિયાકાંડ ન કરવા એમ નહીં, પણ ધર્મનું તત્ત્વ સહિત ક્રિયાકાંડ હોય એ અત્યંત જરૂરી છે. માત્ર ક્રિયાકાંડ કરે પછી ફળ ન મળે તો ધર્મને દોષ આપે છે. તમે તમારા માટે ઇચ્છો છો એ જ બધાને માટે ઈચ્છો અને તમે જે તમારા માટે નથી ઇચ્છતા તે બીજા માટે નહિ ઇચ્છો એ જ ધર્મ છે. તમે સુરક્ષા, સુખ, શાંતિ, સુવિધા, For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ OCC જ્ઞાનધારા OOOOO સ્વતંત્રતા ઇચ્છો છો તો બધા માટે એ જ ઇચ્છો અને એ પ્રમાણેનું વર્તન કરો. કુદરતી કાનૂન છે કે તમે આપો છો તે જ તમને મળે છે. તમને મૃત્યુ નથી ગમતું તો બીજાને મૃત્યુ કેમ આપો છો ? અહિંસાનું પાલન એ શ્રેષ્ઠ ધર્મ છે. શ્રેષ્ઠ અહિંસા પાલન માટે સામાયિકનું સ્વરૂપ સમજીને સામાયિક કરવી તે ધર્મ છે. એ જ રીતે તમને અસત્ય, ચોરી આદિ ૧૮ પાપ નથી ગમતાં તો એ તમે ન કરો. એ ધર્મ છે. ગૃહસ્થધર્મમાં કદાચ સંપૂર્ણ એનાથી બચી ન શકાય તો એ પાપોથી પાછા ફરવા પ્રતિક્રમણ આદિ કરવું તે ધર્મ છે. ક્ષમા આપવી એ ધર્મનું પ્રવેશદ્વાર છે. આ પ્રકારે ધર્મ કરવાથી પરમશાંતિ મળે છે, આનંદ મળે છે. જ હું ધર્મ કરીશ તો દુ:ખ નહિ આવે એવી ભ્રાંતિમાં પણ ન રહેવું. ધર્મી અને અધર્મી બંનેના જીવનમાં કર્માનુસાર દુ:ખ આવે છે. ધર્મીને દુ:ખ મુક્ત કરવા માટે આવે છે. અધર્મીને એ વધારે દુ:ખી કરે છે. ધર્મથી અનાસક્તિયોગ જાગશે અને દુ:ખ દૂર થઈ જશે. ધર્મથી રાગદ્વેષ ઘટે છે અને અધર્મથી રાગદ્વેષ વધે છે જેથી દુ:ખ વધે છે. આમ ધર્મની વ્યાખ્યા વિશાળ ફ્લૅક પર યુવાનોને તાર્કિક અને વૈજ્ઞાનિક રીતે સમજાવવામાં આવશે તો જરૂર વિશ્વધર્મ બનવાની લાયકાત ધરાવતા જૈન ધર્મ તરફ આકર્ષાશે, પણ ધર્મનું સ્વરૂપ સમજવા માટે ધર્મસ્થાનોમાં જવાની જરૂર છે. આજનો યુવાન દિશાહીન થઈને અહીંતહીં ભટકીને પોતાની મહામૂલી યુવાવસ્થા વેડફી ન નાખે એ માટે આપણે જાગવાની જરૂર છે. આજનો યુવાન ભોટ નથી. એને જરૂર છે યોગ્ય માર્ગદર્શનની, યોગ્ય વાતાવરણની. એમને ધર્મસ્થાનક તરફ આવતા કરવા કેટલાં પરિવર્તનોની જરૂર છે. આમેય પરિવર્તન એ આ વિશ્વનો નિયમ છે. પરિવર્તન એ કોઈ પણ પદાર્થની અનિવાર્ય અવસ્થા છે. જીવનનિર્માણ માટે પરિવર્તન આવશ્યક છે. બાલ્યાવસ્થાથી યુવાવસ્થા, યુવાવસ્થાથી વૃદ્ધાવસ્થા એ પરિવર્તનની જ દેન છે, પરંતુ એ પરિવર્તનમાં માનવતાનો નાશ ન થાય એ મહત્ત્વનું છે. અર્થાત્ પદાર્થની મૌલિકતા નષ્ટ ન થવી જોઈએ, નહીં તો એ પરિવર્તન ન કહેવાતા સર્વનાશ જ કહેવાશે. એ જ રીતે આજના યુવાનોને ધર્માભિમુખ કરવા માટે કેટલુંક પરિવર્તન પાયાન મૂળભૂત સિદ્ધાંતોને યથાવત્ રાખીને જ કરવા યોગ્ય ૯૪ For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૯ જ્ઞાનધાર ૭૦ છે. મૂળભૂત સિદ્ધાંતોને સુરક્ષિત રાખી જે પરિવર્તન થાય એ જ પરિવર્તન શ્રેષ્ઠ પરિણામ લાવી શકે છે. યુવાવસ્થા એટલે જીવનને ઘડવાનો અવસર, મંજિલ તરફ આગળ વધવાનો મોકો. જોબન એટલે તારે જે બનવું હોય તે બન. યુવાવસ્થામાં કઈ તરફ જવું એ નક્કી કરવાનું છે. ગતિ-પ્રગતિના આ યુગમાં ગેઝેટો અને ટેકનોલોજીમાં જીવન વ્યતીત કરનારની ધર્મ તરફ ગતિ-પ્રગતિ થાય એ માટે સમ્યફ દિશા બતાવવાનું પુણ્ય કરવા જેવું છે. યુવાનોને ધર્માભિમુખ કરવા માટે મુખ્ય પરિબળો છે શિક્ષણ, માતા-પિતા, આધુનિક વાતાવરણ અને સત્સંગ. આ ચાર પરિબળોમાં બીજાં પરિબળોનો સમાવેશ થઈ જાય છે. અહીં એ ચારે પરિબળોને આધારે ધર્માભિમુખ કેમ કરી શકાય તેની વિચારણાનું આલેખન કરું છું. (૧) વર્તમાન શિક્ષણપ્રણાલી - જેમ જીવવા માટે હવા-પાણી જરૂરી છે એમ અનાદિકાળથી વ્યક્તિત્વના સર્વાગીણ વિકાસ માટે શિક્ષણ જરૂરી છે. શિક્ષણથી શારીરિક, બૌદ્ધિક, માનસિક અને ભાવાત્મક વિકાસ થવો જોઈએ, તો જ એ સંતુલિત શિક્ષણ સાર્થક બની શકે. વર્તમાને બૌદ્ધિક વિકાસ તો ખૂબ થઈ રહ્યો છે. થોડેઘણે અંશે શારીરિક વિકાસ પણ થતો હશે, પણ બાકીના બે માનસિક અને ભાવાત્મક વિકાસ તો નહિવત્ જ છે. પરિણામે વ્યક્તિ બુદ્ધિજીવી, ડૉક્ટર, વકીલ, એન્જિનિયર તો બને છે, પણ અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોતાનું માનસિક સંતુલન જાળવી શકતો નથી, જેથી આત્મહત્યા, ભ્રષ્ટાચાર આદિ કરવા પ્રેરાય છે. ભાવાવેશમાં આવીને ખોટાં પગલાં ભરી લે છે. નિરાશા, આસક્તિ, ઈની જ્વાળામાં બળે છે જેને કારણે ડિપ્રેશન, સ્ટ્રેસ વગેરે રોગોથી પીડાય છે. સામાજિક જીવનમાં છૂટાછેડા, વૃદ્ધાશ્રમોની વૃદ્ધિ થાય છે. મૂળ તો આર્થિક ઉપાર્જનને ધ્યાનમાં રાખીને જ શિક્ષણ અપાય છે તેથી આ બધી સમસ્યાઓ સર્જાય છે. પૂર્વે ગુરુકુળોની પ્રથા હતી જેમાં ગુરુઓ ચારેપ્રકારનું શિક્ષણ આપતા હતા. આજે એ પ્રથા તો નાબૂદ થઈ ગઈ છે ત્યારે શિક્ષણપ્રણાલીમાં આમૂલ પરિવર્તન લાવવાની જરૂર છે. લાડનું રાજસ્થાનમાં જૈન વિશ્વ ભારતી યુનિવર્સિટી દ્વારા For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ OCC જ્ઞાનધારા 0790 જૈન ધર્મનાં દરેક પાસાઓનું જ્ઞાન આપવામાં આવે છે. આવી યુનિવર્સિટીઓ વધારે પ્રમાણમાં સ્થપાય તે જરૂરી છે. હવે તો જૈનોને લઘુમતીનો દરજ્જો મળી ગયો છે તો પોતાની યુનિવર્સિટીઓ બેદખલ સ્થાપી શકશે. આ યુનિવર્સિટીઓમાં ચારે આયામ-શારીરિક, બૌદ્ધિક, માનસિક, ભાવાત્મક-નો વિકાસ થાય એવા શિક્ષણની વ્યવસ્થા થવી જોઈએ. દરેક સ્થળે આ શક્યતા ન હોય તો બાળપણથી જ બાળકને જૈનશાળામાં મોકલીને માનસિક અને ભાવાત્મક શિક્ષણની ઉણપ પૂરવી જોઈએ. આજનું બાળક આવતી કાલનો યુવાન છે. બાળપણથી પડેલા સંસ્કારોનાં મૂળિયાં ઊંડાં બને છે. બાળમાનસ અનુસાર પાંચ વર્ષની ઉમર સુધી એ જે શીખે છે તે અતિમહત્ત્વનું હોય છે. પાંચ વર્ષ પછીનું શિક્ષણ કદાચ જ્ઞાન વધારી શકતું હશે, પણ નૈતિકતા વધારી શકતું નથી. • ના વિદ્યા યા વિમુખ્ય : સાચી વિદ્ય-શિક્ષણ-જ્ઞાન એને જ કહેવાય જે સારા-નરસાનું ભાન કરાવીને કલ્યાણની કેડીએ ચડાવીને શાયતસુખનો અનુભવ કરાવે. દરેક પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર કરતા શીખવે જેથી ડિપ્રેશન-તાણઆત્મહત્યા વગરેથી બચી જવાય છે. • આ જૈન શાળાઓનું સ્વરૂપ બાળમાનસ-મનોવૃત્તિ અનુસાર આધુનિક હોવું જોઈએ. રમત-ગમત, કથા-વાર્તા, ગીત-સંગીત, ચિત્ર-પ્રોજેક્ટ વગેરે દ્વારા જ્ઞાન આપવું જોઈએ. • આજનું બાળક જિજ્ઞાસુ, ઉત્સુક, ઉત્સાહી છે. એને તાર્કિક-બુદ્ધિયુક્ત દાખલા-દલીલથી જ્ઞાન અપાય તો એ ધર્મના હાર્દને સ્વીકારે છે, પાલન પણ કરે છે. એક સર્વેક્ષણ મુજબ સાંભળેલું ૧૦%, જોયેલું ૬૦% અને આચરેલું ૮૦% યાદ રહે છે. માટે શિક્ષણશાસ્ત્રીઓ - મનોવૈજ્ઞાનિકો ચાર્ટ-પ્રોજેક્ટફલેશકાર્ડ વાપરવાની ભલામણ કરે છે. • જૈન શાળાનાં શિક્ષક-શિક્ષિકા પણ બાળમાનસના નિષ્ણાત હોય તો બાળક સાથે બાળક બનીને શીખવી શકે. વૈજ્ઞાનિક ઢબથી બાળકોના ગ્રુપ બનાવીને શીખવવું જોઈએ, જેમ કે - • ત્રણથી પાંચ વર્ષના ગુપની પસંદગી નૃત્ય-ગીત-સંગીત, રમતગમત For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ > C જ્ઞાનધારા O વગેરે હોય છે અને એનું મન દશ મિનિટથી વધારે સ્થિર રહેતું નથી, માટે એને રમતારમતા શીખવવું જોઈએ. • પ્લે ગ્રુપની જેમ શૈક્ષણિક રમકડાં-પઝલ વગેરે રાખવાં. ફર્નિચર પણ બાળકને આકર્ષે એવું રંગીન હોય અનેપરિસર એકદમ સ્વચ્છ હોય તે ઇચ્છનીય છે. • પાંચથી સાત વર્ષના ગ્રુપવાળાને પોતાની વાત કહેવામાં રસ હોય છે. એને કોઈ સાંભળે-સમજે એવું ઇચ્છતા હોય છે માટે એમની વાતો ધીરજથી સાંભળવી જોઈએ. આ ગ્રુપની સ્થિરતા ૨૦-૨૫ મિનિટની હોય છે, માટે એ પ્રમાણે કથા-વાર્તા વગેરે વિષય બદલતા રહેવું. આઠથી બાર વર્ષના ગ્રુપવાળા સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખવાથી એ શિક્ષકને સમર્પિત રહેશે. એને વિવિધ દૃષ્ટાંતોથી જ્ઞાન આપવું. શિસ્ત શીખવવી. આ ઉપરાંત દરેકની સાથે સર્તક રહી, નજર મેળવીને, વ્યક્તિગત ધ્યાન આપીને પ્રેમપૂર્વક વ્યવહાર કરવો. એમના જન્મદિવસ યાદ રાખી ભેટ આપવી, વેરી ગુડ, સ્ટાર વગેરે આપવા. ગેરહાજર હોય તો એનું કારણ પૂછી વ્યક્તિગત ધ્યાન આપવું. પરીક્ષાઓ લેવી. સુંદર મજાનું સર્ટિફિકેટ અને મોમેન્ટો આપવા જેથી તે સગાં-સ્નેહી-મિત્રોને બતાવીને સંતોષ પ્રાપ્ત કરશે. અંગ્રેજી ભાષામાં ભણાવવું - એ આજની મુખ્ય માગ છે. મોબાઈલ પાઠશાળા પણ ચલાવવી. આંતરકૉલેજની જેમ આંતરજૈનશાળાની સ્પર્ધા-એવૉર્ડ વગેરે યોજવા. નાટકસંવાદ વગેરે યોજવા. ♦ જૈન કથાનુયોગનાં કાર્ટૂન બનાવીને પ્રચાર-પ્રસાર કરવો. • દર્શનયાત્રા ઍજ્યુકેશન ટ્રીપ યોજવી. તેનો હેતુ સમજાવવો. દા.ત. અનાથ આશ્રમમાં લઈ ગયા હોઈએ તો ત્યાંના વાતાવરણની એમને સમજ આપવી. પછી ક્યા કર્મને કારણે અનાથ બનાય છે એની સમજણ આપવી કે જે મા-બાપને ધિક્કારે-તિરસ્કારે એમને અનાથપણું મળે છે. માટે તમે મા-બાપને હેરાન ન કરતા. એમનો ઉપકાર માનજો, એમનું કહ્યું માનજો વગેરે વિનય-વિવેકના પાઠ ભણાવી શકાય.. જૈનશાળાનાં શિક્ષક-શિક્ષિકાઓને વેતન પણ વ્યાવહારિક શિક્ષકો જેટલું ૯૭ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ આપવું. • યુવાનીમાં જૈન યુનિવર્સિટીઓ તરફ વળે એવું શિક્ષણ આપવું. બુદ્ધિને ધારદાર બનાવવાની બાંયધરી આપતી યુનિવર્સિટીઓ ગમે તેટલી વધતી જશે, પણ જ્યાં સુધી હૃદયને લાગણીશીલ, ભાવાત્મક બનાવતી યુનિવર્સિટીઓ નહિ ખૂલે ત્યાં સુધી આ દેશનો યુવાન ગુમરાહ (ધર્મવિમુખ) જ રહેશે. માટે વધુ ને વધુ એવી યુનિવર્સિટીઓ ખૂલે એવા પ્રયત્નો કરવા. • જૈન યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારને દરેક જૈનોએ પોતાના વ્યવસાયમાં પ્રથમ પસંદગી આપવી જોઈએ, ખૂબ સન્માન આપવું જોઈએ. વ્યાવહારિક શિક્ષણવાળાને જે પાગર મળે તેના કરતાં એમને વધારે પાગર આપવો જોઈએ તો જ યુવાનો ધર્માભિમુખ થશે અને બીજાને પણ ધર્માભિમુખ કરશે. (૨) માતા-પિતાનું વલણ : આજનાં માતા-પિતા ભૌતિક સુખની જ્વાળામાં એવાં લપેટાયેલાં છે કે તેમના ઊગતા કોમળ છોડનું જતન કરવાનો તેમને સમય જ નથી. તેઓ તો બાળકને જાતજાતનાં આનંદ-પ્રમોદનાં સાધનો આપીને પોતાની ફરજ નિભાવવાનો સંતોષ અનુભવે છે. આજની મોંઘવારીના યુગમાં આર્થિક ઉપાર્જનમાં બંને જણ જોડાય તોપણ બે છેડા ભેગા થતા નથી તેથી તેઓ ધર્માભિમુખ થઇ શકતાં નથી, તો બાળક કેવી રીતે ધર્માભિમુખ થાય ? માટે માતા-પિતાએ પ્રથમ શિક્ષિત બનવું જરૂરી છે. એક શિક્ષિત માતા સો શિક્ષક બરાબર ગણાય છે. માટે દરેક માતા-પિતાએ ધર્મનું જ્ઞાન મેળવવું જરૂરી છે. જૈનશાળાના જે મુદ્દાઓ છે તે દરેક મુદ્દા પ્રમાણે માતાએ પણ બાળકને ઘરે જ્ઞાન આપવું જોઈએ. જ • બાળક ગર્ભમાં આવે ત્યારથી જ ગર્ભસંસ્કાર નાખવા જોઈએ. હવે ગર્ભસંસ્કારના વર્ગો ચાલે છે. તેનાથી બાળકોમાં ખૂબ સારા સંસ્કાર પડે છે અને યુવાવસ્થામાં પણ ધર્માભિમુખ જ રહે છે. મેં પોતે મારી સુપુત્રી અને દોહિત્રીના વર્તનથી અનુભવ્યું છે. બાળક ગર્ભમાં હોય ત્યારે જ તમે એને જેજે સજેશનો આપો એ પ્રમાણે એ ગ્રહણ કરે છે જેમ કે તું સિદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે, મહાવીરપ્રભુ જેવો કરુણાસાગર છે, ગાંધીજી જેવો સત્યપ્રય છે વગેરેવગેરે. સદ્ગુણોનાં - પાત્રસહિત સજેશનો આપવાં. અભિમન્યુનું દૃષ્ટાંત પ્રસિદ્ધ જ છે. જ ૯૮ C જ્ઞાનધારા For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ છCC જ્ઞાનધારા 0200 • માતાએ બાળકને જૈન ધર્મ મેળવવાની પ્રેરાણી કરવી જોઈએ. કેટલાંક માવતર નજીવી આવકને કારણે બે છેડા માંડ ભેગાં કરી શકે છે એવાં માવતરનાં સંતાનો માટે જૈનશાળામાં અભ્યાસ કરનાર બાળકને વ્યાવહારિક શિક્ષણની ફી મળે એવી વ્યવસ્થા કરવી. અમુક કલાક ધર્મનું ભણશે તો અમુક કલાક ગણિતવિજ્ઞાન-ભૂગોળ વગેરે વિષયો ફી ભણાવવામાં આવશે જેથી એમને આર્થિક બોજામાં રાહત મળતાં બાળકને ધર્માભિમુખ કરશે. સાંતાક્રુઝમાં અમુક લોકોએ એવી વ્યવસ્થા કરી છે કે અમુકઅમુક પાઠ સુધી જે કંઠસ્થ કરીને આપે તેની ફી ભરી આપે છે. આ એક સ્તુત્ય પગલું છે. - આ ઉપરાંત વડીલો ઉપાશ્રય જઈને આવે પછી ઘરે ધર્મચર્ચા કરે. ભલે ને પાંચ જ મિનિટ માટે કરે. ધર્મનો સાર સમજાવે, વાણી-વર્તન-વિચાર એકરૂપ રાખે જેથી યુવાનો આકર્ષાય અને મા-બાપનું કહ્યું માને. • ઘણી વાર મા-બાપ બાળકોને ઉપાશ્રયમાં લઈ જાય પછી મહારાજ સાહેબને કહે, મારા બાબાને પચ્ચકખાણ આપો. આમ કહીને પોતે જ ધર્મવિમુખ કરતા શીખવે છે. મા-બાપ રેગ્યુલર ધર્મસ્થાનકોમાં જાય અને બાળકોને મોકલવાનો આગ્રહ રાખે તો બાળક અચૂક જશે જ. જેમ કે દેરાવાસીમાં ભગવાનની મૂર્તિનાં દર્શન ક્યાં વગર મોંમાં પાણી પણ ન મૂકવું એવો નિયમ હોય છે. માટે યુવાનો દેરાસર જતા શીખે છે તેમ જ વાગડ સાત ચોવીશી સમાજમાં નિયમ છે કે સ્થાનકમાં તો જવું જ જોઈએ. આખા દિવસ દરમિયાન સ્થાનકમાં ન જાય તો દિવસ વાંઝિયો ગણાય, અર્થાત્ વ્યર્થ ગયો ગણાય માટે ઘરના નાના-મોટા દરેક સભ્યો દર્શન કરવા તો જાય જ છે. આમ માતા-પિતા ધ્યાન રાખે તો યુવાનો ધર્માભિમુખ જ રહે છે. (૩) આધુનિક વાતાવરણ - આજે સંસારમાં ત્યાગનું સ્થાન ભોગે લીધું છે. અંતર્મુખી દષ્ટિકોણ બહિર્મુખી બન્યું છે. સાદગી, સરળતા પર વિલાસિતાએ આધિપત્ય જમાવ્યું છે, સદાચારની છબી દૂરાચારથી ખરડાઈ છે, શીલનું સ્થાન દુરશીલે લીધું છે, નીતિ-ઈમાનદારી પર બેઈમાનીએ વિજય મેળવ્યો છે, સાત્વિક વૃત્તિઓને તામસિક વૃત્તિઓથી પછડાટ મળી છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અનુસાર - ૯ For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ - - - - - - * * * * * * OCC જ્ઞાનધારા 0.00 જીવનશૈલીમાં પણ આમૂલ પરિવર્તન આવી ગયું છે. ભૌતિક્વાદના આ યુગમાં યંત્રવાદનું આકર્ષણ જનતાની શારીરિક-માનસિક શક્તિને પંગુ બનાવી રહ્યું છે ત્યારે આધ્યાત્મિકતા જોજનો દૂર થઈ ગઈ છે. આજનો યુવાન રૉકેટયુગમાં રિમોટ અને રિસોર્ટની ચુંગાલમાં ફસાઈને ધર્મવિમુખ બની ગયો છે. ભૌતિકત્વની ભૂતાવળ પાછળ દોડતી યુવા પેઢીનું આંતરિક સૌન્દર્ય મૃતઃપ્રાય બની ગયું છે. ધર્મક્ષેત્રનું વાતાવરણ પણ ડહોળાયેલું છે. આજની પેઢી એકતા ઝંખે છે. તેને ગચ્છ-વાડા-સંપ્રદાયનાં ગંધાતાં ખાબોચિયાં પસંદ નથી. માટે એકતાના પ્રયત્નો કરવા. આવા વિષમ વાતાવરણમાંથી ઉગારવા માટે ... •વિવિધ પ્રકારે શિબિરોના આયોજન કરવા જોઈએ. • આજનો યુવાન મોબાઈલ, વોટ્સઅપ, ફેસબુક વગેરે ગેઝેટો અને ટેકનૉલૉજીનો આદિ બની ગયો છે, ત્યારે એનાં ગેઝેટોમાં જ જૈન ધર્મોના સિદ્ધાન્તોનો પ્રસાર થાય એવી વ્યવસ્થા કરવાની જરૂર છે. જેમ કે, જ્યારે આઠમ-પાખી આવે ત્યારે મેસેજ આવે કે, Today Jainday, No Kandmul, No Vegetable day, Samayik day, Pratikraman day, qola 241941 izle મોકલવાથી એને અહિંસા ધર્મનું, આત્મધર્મનું જ્ઞાન થશે. વળી માનવી ટોળાશાહી પ્રાણી છે, માટે જૈન યુવાનોની મંડળી હોવી જોઈએ. જૈન સોસાયટી, જૈન કલ્ચરમાં ઉછેર થવો જોઈએ. જૈન એન્વાયરમેન્ટ એને ધર્મવિમુખ થતો અટકાવશે. . યુવાનો જ યુવાનોને ખેંચી શકશે, માટે ટેલેન્ટલાળા યુવાનોનો એકએક બેચ બનાવી તેમને પ્રથમ ધર્મનું પાયાનું જ્ઞાન આપવું. પછી ધીમેધીમે ઊંડાણવાળું જ્ઞાન આપવું અને તે જ્ઞાન બીજાઓને આપે એમ એક આખી ચેનલ બનાવવી જોઈએ, જેથી યુવાન ધર્માભિમુખ બનશે જ. વ્યાવહારિક તહેવારો પણ જૈન ગ્રુપમાં જૈન સિદ્ધાન્ત પ્રમાણે ઊજવવાનો પ્રબંધ કરવો જોઈએ. આજનો યુવાન મોબાઈલ, સેલવાળી ઘડિયાળ વગેરેથી સજ્જ હોય છે. માટે ક્યારેક એને સમય મળે ને ધર્મસ્થાનમાં જઈને ધાર્મિક અનુષ્ઠાનો, સામાયિક - ૧૦૦ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ OCCC જ્ઞાનધારા OિOGO - પ્રતિક્રમણ કરવા હોય તો કરી શકતો નથી. ત્યારે ધર્મસ્થાનોમાં લોકરની વ્યવસ્થા હોવી જોઈએ જ્યાં એ પોતાનાં કીમતી ગેઝેટો જમા કરીને અંદર નિશ્ચિત બેસી શકે. કદાચ કોઈ યુવાન આ ગેઝેટો સાથે આવી જાય તો તેને તિરસ્કૃત ને કરતા પ્રેમથી સમજાવીને આ સાધનો પાસે શા માટે નથી રાખવામાં તે સમજાવવું. આજના યુવાનોને વર્તમાને અસર કરે એવો ધર્મ જોઈએ છે, માટે એને ધર્મનું સ્વરૂપ આગળ બતાવ્યું છે તે સમજાવવું. ધર્મનો મર્મ બરાબર સમજાવવો. • ધર્મના દરેક સિદ્ધાંતો, દંતકથા નહિ, પણ દષ્ટાન્ત સહિત વૈજ્ઞાનિક ઢબે તાર્કિક રીતે સમજાવવા. • આજે રિસોર્ટનો જમાનો છે, માટે જૈન પદ્ધતિના જૈન ધર્મનું સ્વરૂપ સમજાવે એવા પેવેલિયનોવાળા રિસોર્ટ બનાવવા જ્યાં ઓછા ખર્ચે આનંદ-પ્રમોદ કરી શકે એવી વ્યવસ્થાઓ કરવી. આ બધી વ્યવસ્થાઓ જાણકાર શ્રાવકોએ મળીને રૂપરેખા બનાવીને કરવી. શ્રાવકો જ બધી વ્યવસ્થા કરે તો સાધુભગવંતોને એમનો કીમતી સમય આની પાછળ વેડફવો ન પડે. સજ્જનોની નિષ્ક્રિયતા વધુ નુક્સાનકારક છે એ ઉક્તિ અનુસાર શ્રાવકોએ જ આ માટે સક્રિય બનવાની જરૂર છે. યુવાનોને સમજાવી શકે એવો સાધુવર્ગ તૈયાર કરવો. • યુવાનોને માનવતાની પ્રવૃત્તિ ગમે છે તો અનાથઆશ્રમ, બાળગૃહ, પાંજરાપોળ વગેરેની મુલાકાતો લેવી. . જૈન ધર્મના સિદ્ધાંત પ્રમાણેના આનંદ બજારના પ્રોગ્રામો યોજવા. • યુવાનો સમજે એવા ભાષાપ્રયોગ કરવા, અંગ્રેજીમાં પ્રવચનો યોજવા વગેરે. ' ' ' • વ્યાખ્યાનાદિમાં યુવાનોને આગળ બેસાડી આંખોના સંપર્કથી જ્ઞાન પીરસવું. * ધનવાનો માટે નહિ પણ યુવાનો માટે આગળની જગ્યા રિઝર્વ રાખવી. આ સિવાય યોગ્ય લાગે એ પ્રયોગ કરવાથી યુવાનો જરૂર ધર્માભિમુખ થશે. (૪) સત્સંગ: આજનો કેટલોક વર્ગ આર્થિક-બૌદ્ધિક વિકાસાર્થે વિદેશમાં For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ OCC જ્ઞાનધારા OિOO જઈને વસ્યો છે, જ્યાં સત્સંગ મળવો દુષ્કર છે. કેટલાક ભારતના એવા અંતરિયાળ ભાગમાં જઈને વસ્યા છે જ્યાં સંત-સતીજીઓને પહોંચવાનું દુષ્કર છે. જેને કારણે ધર્મ સન્મુખ થયેલા જીવો પણ ધર્મવિમુખ થઈ જાય છે. એમને ધર્માભિમુખ કરવા માટે એમને સતત સત્સંગ મળે એવો પ્રબંધ કરવો જરૂરી છે. સાધુજીવનની મર્યાદાને કારણે પૂર્વોક્ત પરિસ્થિતિમાં પહોંચી વળાતું નથી જેને કારણે યુવા પઢી તેમ જ વડીલ વર્ગ કે શ્રાવકો અન્ય ધર્મ અપનાવી લે છે. આવું ન થાય તે માટે સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકા વચ્ચે કડીરૂપ થાય એવા વર્ગની સ્થાપના કરીને તેરાપંથી સંપ્રદાયે સમણશ્રેણીની વ્યવસ્થા કરી છે. આવી વ્યવસ્થા અન્ય સંપ્રદાયો પણ કરે તો આપણી આવનારી પેઢીને ધર્મવિમુખ થવાનો અવસર નહીં આવે. આ વચલો વર્ગ સતત યુવાનોને સત્સંગ કરાવતો રહેશે. આ વર્ગનો સમાવેશ શ્રાવક-શ્રાવિકાઓમાં જ કરવાનો જેથી તીર્થકર પ્રરૂપિત તીર્થની સંખ્યા ચારની જ રહે, છની મ બને. શ્રાવકોમાં નિયમોના ૧૩, ૮૪, ૧૨, ૨૭, ૨૦૨ એટલા વિકલ્પો થઈ શકે છે. એમાંથી સંપૂર્ણ અથવા એકબે-ત્રણ વગેરે નિયમો ગ્રહણ કરે તેને દેશવિરતિ કે શ્રાવકની કોટિમાં મૂકી શકાય. શ્રાવકો ત્રણ પ્રકારના હોય છે. જઘન્ય શ્રાવક-સમ્યક્ દર્શન સહિત એકાદ નિયમનું પાલન કરનાર. મધ્યમ શ્રાવક-સમ્યક્ દર્શન સહિત બાર વ્રતનું શક્તિ અનુસાર પાલન કરનાર. ઉત્કૃષ્ટ શ્રાવક - ૧૧ શ્રાવકની પ્રતિમાનું યથાતથ્ય કરનાર. આમ આવશ્યકતા અનુસાર પોતાની શક્તિ પ્રમાણે વ્રત પાલન કરનાર શ્રાવક-શ્રાવિકારૂપ તીર્થમાં વચલા વર્ગનો સમાવેશ કરવાથી તીર્થની સંખ્યા ચાર જ રહેશે. સામાન્ય શ્રાવક અને એમની વચ્ચે ભેદરેખા કરવા કેટલાક નિયમો બનાવવા જોઈએ એની રૂપરેખા અહીં અન્યત્ર કરવામાં આવી છે માટે હું એનું વિવરણ નથી કરતી. આ ઉપરાંત ઘણી વાર સંત-સતીજીઓનાં અંદરોઅંદરનાં ખેંચતાણ, મનદુઃખ વગેરેથી બાળકો કે યુવાનો એમનાં દર્શન કરવા જવાનું બંધ કરી દે છે. માટે સંતસતીજીઓએ પણ જાગૃતતા રાખવી જેથી યુવાન સત્સંગ કરવા પ્રેરાય. શહેરોમાં , ઉપાશ્રયમાં રોષકાળમાં સંત-સતીજીઓ ન હોય ત્યારે જાણકાર શ્રાવકોએ પણ For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ OCC જ્ઞાનધારા 0200 વાંચણી શિબિર કરાવવી. આપણા પૂર્વાચાર્યોનાં મહાન પરિશ્રમો, જીવનચરિત્રો યાદ કરી વ્યાખ્યાન શિબિરોમાં રજૂ કરવા જેથી યુવાનો ધર્મની ગરિમા સમજી શકે. યુવાનો સત્સંગ કરવા આવે ત્યારે આ ન કરવું તે ન કરવું અવાં નેગેટિવ વિધાનોની જગ્યાએ એમને શું કરવું જોઈએ એ પોઝિટિવ વિધાનો કરવાં જેથી ધર્માભિમુખ થઈ શકે. મોબાઈલ સત્સંગ કોઈ ને કોઈના ઘરે રાખવો. આજુબાજુના યુવાનોને બોલાવીને એમને પણ ધર્માભિમુખ કરી શકાય. સત્સંગનો મહિમા અનેરો છે. પાણીનું એક બુંદ ગટરમાં પડે તો ગંધાઈ ઊઠે, ફૂલમાં પડે તો સુગંધી થાય, પાન પર પડે તો મોતીનું સ્વરૂપ ધારણ કરે અને સ્વાતિ નક્ષત્રમાં છીપમાં પડે તો મોતી બની જાય. સત્સંગ પહેલાં ઇન્દ્રભૂતિ આ પૃથ્વી પરના અહંકાર હતા, પણ પ્રભુ મહાવીરના સત્સંગથી આ પૃથ્વી પરના મહાન અલંકાર થઈ ગયા. સુપ્ત સંસ્કારો નિમિત્ત મળે, જાગૃત થઈ જશે, પણ લુપ્ત સંસ્કારો નિમિત્તથી પણ જાગૃત નહિ થાય. સત્સંગને અભાવે સંસ્કારો સુપ્ત થઈ જાય છે, પણ જો કુસંગ મળે તો સંસ્કારો લુપ્ત થઈ જાય છે, માટે કુસંગથી બચવા સત્સંગ કરવો જોઈએ.' આમ આ બધાં પાસાની વિચારણા કરી તે પ્રકારે વર્તન કરવાથી યુવાનો જરૂર ધર્માભિમુખ થશે. સાચા ધર્મને સમજીને જીવનનો ઉદ્ધાર પણ કરશે. - ૧૦૩ ૧૭ For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ XOXOXOXOXOXOXOXO ધર્મ એક સંવત્સરી એક િ“પ્રબુદ્ધ જીવન’ના તંત્રી અને શ્રી જૈન યુવક સંઘના ડૉ. ધનવંત શાહ | મંત્રી શ્રી ધનવંતભાઈએ ગચ્છના ભેદ સહુ નયણ નિહાળતાં. | કેટલાંક સુંદર નાટકો લખ્યાં છે અને તેમના પ્રબુદ્ધ જીવનમાં તત્ત્વની વાત કરતાં ન લાજે, ' લખાયેલા તંત્રીલેખોનાં બે ઉદર ભરણાદિ નિજ-કાજ કરતા થકા, | પુસ્તકો પ્રગટ થયાં છે. તેઓ મોહ નડિયા કલિકાલ રાજે. | જૈન સાહિત્ય સમારોહના - આનંદઘનજી1 સફળ સંયોજક છે. ઈસ્લામમાં બે પંથ છે, શિયા અને સુની, પણ એમાં ઈદ એક જ છે. ખ્રિસ્તી ધર્મમાં પણબે પંથ, પરંતુ અહીં પણ ક્રિસ્મસ એક, એ જ રીતે વૈષ્ણ સંપ્રદાયમાં એકથી વધુ શાખા-પ્રશાખા છે, પણ જન્માષ્ટમી એક, ગુરુનાનક અને બુદ્ધજયંતી એક, એવી રીતે ભારતના અન્ય ધર્મોમાં, ગણેશચતુર્થી, શિવરાત્રિ, રામનવમી, દશેરા અને દિવાળી એક, પણ ભારતની એક અબજની વસ્તીમાં માત્ર એક ટકો, લગભગ દોઢ કરોડની જૈનોની વસ્તીમાં શ્વેતાંબર, દેરાવાસી, સ્થાનકવાસી, તેરાપંથી અને દિગંબર, એમ ચાર સંપ્રદાયમાં સંવત્સરી પાંચ ?! અહિંસા, ક્ષમાપના અને સાપેક્ષવાદ-અનેકાંતવાદના પૂજારી જૈનો આ સંવત્સરી પ્રશ્ન એક થઈ શકતા નથી એ માત્ર આશ્ચર્ય જ નહિ પણ જૈન ધર્મને અને જૈનધર્મનિ ક્ષોભનીય પરિસ્થિતિમાં મૂકે છે. અન્ય ધર્મી જ્યારે આ પ્રશ્નનો ઉત્તર ભાગે છે ત્યારે જાગૃત શ્રાવક-શ્રાવિકા કે શ્રમણ-શ્રમણીની આંખ ઢળી જાય છે. આ સંદર્ભે દિવ્ય ભાસ્કર’માં ભાઈશ્રી સુપાર્થ મહેતાએ કેટલાંક તથ્યો પ્રસ્તુત કર્યા હતાં એમાંનાં કેટલાંક યથાતથ અહીં વિચારશીલ જૈન સમાજ માટે પ્રસ્તુત - ભારતભરના જૈન બૌદ્ધિકોમાં હમણાં એક એસએમએસ ફરી રહ્યો છે: “મેરા સવાલ જૈન ધર્મ કે સભી ધર્મ ગુરુઓ સે: સ્થાનકવાસી ૨૧ ઓગસ્ટ, દિગમ્બર ૨૯ સપ્ટેમ્બર, તેરાપંથી ૨૧ ઓગસ્ટ, મંદિરપંથી (તપાગચ્છ) ૧૯ સપ્ટેમ્બર, મંદિરપંથી (ખરતરગચ્છ) ૨૦ સપ્ટેમ્બર, કોઈ મુઝે બતાઓ કી મેરી સંવત્સરી For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ SOCTC જ્ઞાનધા૨ કબ હૈ ક્યોં કિ મેં સીફે એક જૈન હું” આ સંવત્સરી વિવાદ ભાદરવા સુદ ચોથ કે પાંચ-વરસોથી છે, પણ ક્ષમાપના જેનો પ્રાણ છે અને સાપેક્ષ-અનેકાંતવાદ જેવું અદ્વિતીય અને અમૂલ્ય તત્ત્વ જે ધર્મ પાસે છે એ ધર્મના અનુયાયીઓ આ પ્રશ્ન એકમત થઈ શકતા નથી એ કેટલું મોટું આઘાતજનક આશ્ચર્ય છે! આ ચોથ-પાંચમનો વિવાદ તો છે જ, એમાં વળી આ વરસે અધિક માસ આવ્યો, તો એ પણ વિવાદ કે ક્યા ભાદરવામાં ક્યા સંપ્રદાયે સંવત્સરી આરાધના કરવી ? આ ફાંટાઓમાં મૂળ પરંપરા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનો પાસે છે. એક સમયે ભારતના તમામ જૈનો ભાદરવા સુદ પાંચમે જ સાથે મળીને સંવત્સરીની આરાધના કરતા હતા. સંવત્સરીના દિવસે કલ્પસૂત્ર નામનો આગમ ગ્રંથ સકળ સંઘ સમક્ષ વાંચવામાં આવતો હતો. આજથી આશરે એક હજાર વર્ષ પહેલાં કાલિકસૂરિ નામના જૈનાચાર્યના સમયમાં ધ્રુવસેન રાજાને ત્યાં પુત્રશોક થયો અને શોકમુક્ત થવા કલ્પસૂત્ર એક દિવસ પહેલાં એટલે ભાદરવા સુદ ચોથે કલ્પસૂત્ર વાંચવાની આચાર્યશ્રીને રાજાએ વિનંતી કરી અને પરિસ્થિતિવશ કલ્પસૂત્રનું વાંચન ત્યારથી ભાદરવા સુદ ચોથે શરૂ થયું. આ ચોથની પરંપરા ત્યારથી શરૂ થઈ. આજથી આશરે ૪૦૦ વર્ષ પહેલાં શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાંથી સ્થાનકવાસીઓ અલગ થયા, આ સ્થાનકવાસીમાંથી વળી તેરાપંથી અલગ થયા અને આ બેઉ સંપ્રદાયે ભાદરવા સુદ પાંચમની સંવત્સરી આરાધનાની પ્રથા સ્વીકારી, આ રીતે ત્યારથી બે સંવત્સરીની પ્રથા ચાલુ થઈ. શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં પણ, તપાગચ્છ, અચલગચ્છ, ખરતરગચ્છ વગેરે ગચ્છો કે-એક સમયે ચોર્યાસી ગચ્છો હતા-એમાં તપાગચ્છ સંઘ સૌથી મોટો અને એ ભાદરવા સુદ ચોથે સંવત્સરી આરાધના કરે છે અને અન્ય ગચ્છો ભાદરવા સુદ પાંચમે. અહીં પણ મતભેદ છે. આ વરસે સ્થાનકવાસીઓ અને તેરાપંથીઓએ પહેલા ભાદરવાની પાંચમે સંવત્સરી આરાધના કરી. તપાગચ્છ સંઘે બીજા ભાદરવા સુદ ચોથે સંવત્સરીની આરાધના કરી.. For Personal & Private Use Only . Page #107 -------------------------------------------------------------------------- ________________ OCC જ્ઞાનધારા 0200 આજથી આશરે ૨૭ વર્ષ પહેલાં, વિક્રમ સંવત ૨૦૧૪ની સાલમાં તપાગચ્છ સંઘના સૌથી વરિષ્ઠ આચાર્ય શ્રીમદ્ વિજયરામચંદ્ર સૂરિજી પાસે ભાદરવા સુદ પાંચમે સંવત્સરી માટે સંઘે પ્રસ્તાવ પ્રસ્તુત કર્યો હતો અને પૂજશ્રીએ આ પ્રસ્તાવ સૈદ્ધાંતિક રીતે સ્વીકાર્યો હતો અને પૂજ્ય ભગવંતે પોતાના શિષ્યોને કહ્યું પણ હતું કે, “સકળ જૈન સંઘની એકતા થતી હોય તો તપાગચ્છ સંઘે ભાદરવા સુદ પાંચમે સંવત્સરીએ આરાધના કરવી.' ' પરંતુ આચાર્ય શ્રી વિજયરામચંદ્ર સૂરિજીના પ્રશિષ્ય મુનિશ્રી હેમભૂષણ વિજયજીએ ભાદરવા સુદ પાંચમની સંવત્સરી કરવાની અનિચ્છા પ્રગટ કરતાં કહ્યું કે, “ગઈકાલે ઘણા શાસ્ત્રપાઠો જોયા પછી પૂજ્ય ગચ્છાધિપતિશ્રી એ નિર્ણય પર આવ્યા છે કે શ્રી કાલિકાચાર્ય ભગવંતે પાંચમની ચોથ પ્રવર્તાવ્યા બાદ આજે લગભગ હજાર વર્ષ બાદ હવે પાંચમની સંવત્સરીની વિચારણા કરવી પણ યોગ્ય નથી. આ તિથિવિવાદ વિશે ૧૨ વર્ષ પહેલાં પર્વ તિથિના સત્યની શોધ શીર્ષકથી એક દસ્તાવેજી પુસ્તક પણ પ્રકાશિત થયું છે. (૨) વાચક મિત્રો ! અમારું માનવું છે કે ઉપર દર્શાવેલ તિથિ, ચોથ, પાંચમ, ગચ્છ, સંપ્રદાય, અધિક માસ વગેરે વિગતથી તમે જરૂર કર્યુસ થયા હશો. યાદ રાખવું અટપટું છે જ. - અમે પણ ક્યુસ છીએ જ. એથી વિશેષ તો આ વરસની પર્યુષણ વ્યાખ્યાનમાળાનું આયોજન કરતી વખતે જ્યારે અમે વિદ્વાન વક્તાઓનો સંપર્ક કર્યો ત્યારે ૧૬થી ૨૦ વખત અમારે આ પ્રશ્નનો સામનો કરવો પડ્યો, ‘તમારા પર્યુષણ ક્યારે ? અધિક માસમાં કે બીજા ભાદરવામાં સંવત્સરી ચોથ કે પાંચમો?' આવા શબ્દોથી અમે અંદરથી હચમચી ગયા અને પર્યુષણના આઠે દિવસ (૧૨ સપ્ટે.થી ૧૯ સપ્ટે.) પ્રત્યેક વ્યાખ્યાનના પ્રારંભમાં આ પ્રશ્ન જૈન સંઘ પાસે પ્રસ્તુત કરી અને ધર્મ એક, સંવત્સરી એક એ સૂત્ર વહેતું કર્યું. આ સંદર્ભમાં આ વ્યાખ્યાનમાળાના એક વ્યાખ્યાતા, જૈન ધર્મના અનેક ગ્રંથોના અભ્યાસી અને આગમજ્ઞાતા ડો. સાગરમલજી (૩૫, ઓશવાલ શેરી, ૧૦૬ ૧૭ For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ SOCSC જ્ઞાનધારા 100 શાજાપુર (મધ્યપ્રદેશ) ૦૭૩૬૪ ૨૨૨૨૧૮)ને આ વિષયમાં પ્રકાશ પાથરવા અમે વિનંતી કરી. તેઓશ્રીએ પણ વિશાળ શ્રોતાવર્ગને કહ્યું કે ક્ષમાપના જેનો ધર્મ છે અને અનેકાંતવાદ જે ધર્મનું તત્ત્વ છે એવા જૈનો સંવત્સરીની તિથિ માટે એકમત ન થાય એ ખરેખર શરમજનક છે. આ સંદર્ભે શાસ્ત્રોના અનુસંધાન પ્રગટ કરતાં તેઓશ્રીએ કહ્યું કે, આગમમાં અષાઢ પૂર્ણિમાને વર્ષાન્ત કહ્યું છે, એટલે આ સંવત્સરી. જૈન મુનિઓની સંખ્યા વધતી ગઈ (અત્યારે તપાગચ્છમાં લગભગ એકસોથી વધુ આચાર્યો હશે) એટલે નિશિથ સૂત્ર પ્રમાણે શ્રાવણ વદી પાંચમથી ભાદરવા સુદ પાંચમ પહેલાં સંવત્સરી હોવી જોઈએ. આ ઉત્સર્ગ માર્ગ છે. પછી ભાદરવા સુદ ચોથ પણ થઈ; આ અપવાદ માર્ગ છે. આ ઉત્સર્ગ માર્ગને છોડીને જૈનોના વિવિધ સંપ્રદાય અપવાદ માર્ગ સ્વીકારી પોતાના મત અને મતાગ્રહ પ્રમાણે અન્યથી જુદા દેખાડવા પોતાના સ્વમત મુજબ સંવત્સરીની તિથિ નક્કી કરી, આમાં દેશકાલ પરિસ્થિતિને પણ ધ્યાનમાં લેવાઈ, જેમ કે વર્તમાનમાં તો પરદેશમાં તારીખ અને કામની અનુકૂળતા પ્રમાણે સંવત્સરી યોજાય છે. ઉપરાંત ભૌગોલિક કારણે પણ દિવસ અને સમયમાં ફેરફાર થાય છે. અહીં ભારતમાં જે દિવસે ભાદરવા ચોથ હોય, એ સમયે એ દિવસ ત્યાંન હોય. તો કઈ સંવત્સરી સમજવી ? અને અધિક માસ તો આપણે હિંદુ પંચાંગ પ્રમાણે સ્વીકારી લીધો. સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ પ્રમાણે જૈનોમાં બે પોષ અને બે અષાઢ જ છે. (૩) એટલે જૈનોના બધા સંપ્રદાયો પોતાનો મતાગ્રહ ત્યાગી બધા સાથે બેસે તો શાસ્ત્રસિદ્ધાંતની અવગણના કર્યા વગર, ખુલ્લા હૃદયે ચર્ચા કરે તો એક જ દિવસની સંવત્સરી અશક્ય નથી, એમાં શાસ્ત્રોની કોઈ આશાતના થતી નથી. જો એમ જ હોત તો એક હજાર વર્ષ પહેલાં કાલિકસૂરિએ એ સમયે પાંચમની ચોથનો નિર્ણય પ્રસ્તુત કર્યો ન હોત અને અન્યોએ એ સ્વીકાર્યો પણ ન હોત. એટલે અમારી સર્વ જૈન સંઘપતિઓને વિનંતી છે કે, વર્તમાન અને ભવિષ્યની પેઢીને જૈન ધર્મમાં શ્રદ્ધા વધે, મનમાંથી પોતે કયો જૈને છે એની શંકા દૂર થાય એ માટે એક મંચ પર એકત્રિત થઈ સ્વ મતાગ્રહનું વિગલન કરી ખુલ્લા હૃદયે, જૈન ધર્મના ઊજળા ભાવિ માટે ચર્ચા કરી સમગ્ર જૈન સંઘ માટે એક સંવત્સરીના For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ( જ્ઞાનધારા ઊજળા દિવસનું નિર્માણ કરે. સર્વ જૈન સામયિકો અને દૈનિકપત્રના વિદ્વાન કટારલેખકોને પણ અમારી વિનંતી છે કે યોગ્ય લાગે તો આ વિચારને પોતાની કલમ દ્વારા વહેતો મૂકે. આ માટે સર્વપ્રથમ કોઈ એક અગ્રણીએ કેન્દ્રબિન્દુ બનવું પડશે. આ લેખથી અમે સુશ્રાવક, સંઘપતિ, સર્વેના સન્માનનીય અને જે પરિવારે અકબરના સમયથી જૈન શાસનની સેવા કરી છે એવા પરિવારના મોભી શ્રી શ્રેણિકભાઈને અને શ્રી સંવેગભાઈને અમે વિનંતી કરીએ છીએ કે અન્ય જૈન સંપ્રદાયના સંઘપતિઓને એકત્રિત કરે, એક પ્રતિનિધિમંડળની રચના કરે, સર્વ સંપ્રદાયના ગચ્છાધિપતિઓનો આ પ્રતિનિધિમંડળ સંપર્ક કરે અને વિક્રમ સંવત-૨૦૬૯, વીર સંવત ૨૫૩૯ની એક સંવત્સરી ભવ્યાતિભવ્ય રીતે સમગ્ર જૈન શાસન ઊજવે અને આરાધના કરે એવા ભવ્ય દિવસનું નિર્માણ કરે. આ મુશ્કેલ કાર્ય અશક્ય તો નથી જ. જે વીરલા આત્મા આ વીરલ કાર્ય કરશે એ સર્વ મહાનુભાવોનાં નામ અને કામ ભવિષ્યના જૈન શાસનના ઇતિહાસમાં ઊજળા અક્ષરે અંકિત થશે એ નિર્વિવાદ છે. જૈન શાસનની આ અમૂલ્ય સેવા ગણાશે. ભવિષ્યનો જૈન ઉમંગથી આ ભવ્ય જીવોને કોટિકોટિ વંદન કરશે. ભાવાવેશમાં શાસ્ત્ર આશાતના થઈ હોય કે કોઈ આત્માનું મનદુ:ખ થાય એવું લખાઈ ગયું હોય તો એ જીવો મને ક્ષમા કરે. મિચ્છા મિ દુક્કડમ. ૧૦૮ For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ SOCઝ ©©©©©© ચતુર્વિધ સંઘને મુંબઈસ્થિત ડૉ. રતનબહેને શ્રાવક કવિ ઋષભદાસ કૃતા જોડતી કડી વ્રત વિચાર રાસ’ પર શોધ પ્રબંધ લખી Ph.D. છે ડૉ. રતનબહેન ખીમજી છાડવા કર્યું છે જૂની લિપિ ઉકેલવી M.A.Ph.D. | અને હસ્તપ્રતોનું સંશોધન જૈન ધર્મના પ્રવર્તક તીર્થંકર ભગવાનોનું કરવું તે તેમના રસનો જીવન એટલે આત્માના પરમ કલ્યાણનો માર્ગ. સમ્યક દર્શન પામી સમ્યક પુરુષાર્થ વડે સમ્યક ચારિત્ર અને તપના સહારે વીતરાગ બની જેઓએ કેવળદર્શન, કેવળજ્ઞાન પ્રગટ કર્યું અને કલ્યાણ ઈચ્છતા ભવ્ય જીવો માટે કલ્યાણમાર્ગની કેડી કંડારી ગયા, એ જ પ્રમાણે આ અવસર્પિણીના ચોવીસમા તીર્થકર ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થયા પછી તેમણે પોતાની દેશનામાં તીર્થની સ્થાપના કરી કે જે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘને નામે ઓળખાય છે અને સર્વવિરતિ, દેશવિરતિ ધર્મની પ્રરૂપણા કરી. ‘જે તારે તે તીર્થ અથવા જેનાથી આ સંસારસાગરને તરી જવાય અને શાશ્વત સુખરૂપ કિનારાની પ્રાપ્તિ થાય તે તીર્થ. લિંગ અને વ્રતને આધારે તીર્થનું ચારપ્રકારે વિભાજન કર્યું છે. જેમ કે પંચમહાવ્રતધારી, સર્વવિરતિ, અણગાર એવા પુરુષ કે સ્ત્રીનો સાધુસાધ્વીરૂપ બે તીર્થમાં સમાવેશ થાય છે. જ્યારે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રતરૂપ બાર વ્રતધારી, દેશવિરતિ, આગારી ગૃહસ્થ તરીકે જીવનનિર્વાહ કરતાં સ્ત્રી કે પુરુષનો શ્રાવક-શ્રાવિકારૂપ બે તીર્થમાં સમાવેશ થાય છે. ભક્તિ અને શક્તિના સંતુલન માટે આ કમનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સાધુ-સાધ્વી માટે અહિંસાદિ નિયમો દેશકાલ નિરપેક્ષ હોય છે, અર્થાત્ કોઈ પણ પરિસ્થિતિમાં લીધેલા નિયમોનું પાલન ફરજિયાત કરવાનું હોય છે. જ્યારે શ્રાવક-શ્રાવિકા માટે આ નિયમો દેશકાલ સાપેક્ષ છે, જેમાં તે પોતાની શક્તિ પ્રમાણે ધારણ કરી શકે છે. - તીર્થકર ભગવાન કેવળ અર્થરૂપે જ ઉપદેશ આપે છે અને ગણધર જ તેને બીજાંકુરમાં પરિણમન કરી વિશાળ દ્વાદશાંગીનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. ત્યાર બાદ શાસન માટે સૂત્રબદ્ધ કરે છે. આગમ સાહિત્યની જે પ્રામાણિકતા છે તેનું મૂળ કારણ ગણધરકૃત છે માટે નહિ, પરંતુ તેના મૌલિક ઉદ્ગમરૂપ તીર્થંકરની વીતરાગતા - ૧૦૯ છે For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ C જ્ઞાનધાસ અને સર્વજ્ઞતા જ છે. સંઘવ્યવસ્થા : જૈન ધર્મ આચારપ્રધાન ધર્મ છે. માટે જ સંઘવ્યવસ્થામાં સૌથી પહેલા આચારની વ્યવસ્થા આવશ્યક જ નહિ, પણ અનિવાર્ય છે. શ્રમણજીવનની સાધનાનું જે સ્પષ્ટ વિવેચન ‘આચારાંગ’માં મળે છે તેવું બીજે ક્યાંય મળતું નથી, કે જ્યાં સાધુની સમાચારીનું સંપૂર્ણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આચારાંગ નિર્યુક્તિમાં આચાર્ય ભદ્રબાહુએ બતાવ્યું છે કે, મુક્તિના અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરવાનું મૂળ સાધન આચાર જ છે. મોક્ષનું સાક્ષાત્ કારણ હોવાથી આચાર સંપૂર્ણ આગમોની આધારશિલા છે. ‘આચારાંગ’માં બાહ્ય અને આત્યંતર બંને પ્રકારના આચારનું ઊંડાણથી વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેના પ્રત્યેક સૂત્ર સાધુજીવનના વ્યવહારને સ્પર્શે છે. સાધકોને પંચાચારની શુદ્ધિનો બોધ કરાવતું, સાધુજીવનના પ્રત્યેક નિયમો અને ઉપનિયમોમાં સૂક્ષ્મતાથી ધ્યાન દોરે છે. તેવી જ રીતે ઔપપાતિક સૂત્ર ‘ઉપાશક દશાંગ’ આદિ સૂત્ર દેશવિરતિ ધર્મરૂપે શ્રાવકોના આચારને પ્રતિપાદિત કરે છે. જૈન દર્શનમાં આચારનું સ્વરૂપ: ‘આચારે અહિંસા અને વિચારે અનેકાંત’ આ જૈન દર્શનનું પ્રસિદ્ધ સૂત્ર છે. સમગ્ર આચારનો આધાર અહિંસા છે. સૂક્ષ્મ જીવોથી લઈને સમગ્ર જીવરાશિ સાથે ભદ્રતાનો વ્યવહાર સ્થાપિત કરવો, કોઈ જીવને ઉપદ્રવ ન થાય તેવો વિવેક રાખવો એ અહિંસાનું પ્રધાન લક્ષ્ય છે અને જીવનમાં અહિંસા આવવાથી સ્વયં શુદ્ધ આચાર સ્ફુટિત થાય છે એટલે કે અહિંસા અને આચાર કાર્યકારણની જોડીનું મૂર્તિમંત દર્પણ છે. જૈન દર્શન કે નિગ્રંથ પ્રવચન બે ધારામાં પ્રવાહિત થયેલું છે. પ્રથમ આત્યંતર સાધના એટલે કષાયાદિક વિભાવોની મુક્તિ અને બીજી બાહ્ય સાધના એટલે સંપૂર્ણ રહન-સહન, હલન-ચલન, બોલ-ચાલ, આહાર-પાણી, ભોજન આદિની વ્યવસ્થા, નિહાર અને વિહાર બંનેના નિયમો અને ઉપનિયમો વગેરે. આગમ ગ્રંથોમાં તેના પર સૂક્ષ્મ દષ્ટિપાત કરી સૂક્ષ્માતિસૂક્ષ્મ ક્રિયાઓ માટે વ્યવસ્થિત આદેશ-પ્રત્યાદેશનો ઉપદેશ આપવામાં આવ્યો છે. ખરું પૂછો તો બાહ્મ ક્રિયાઓ એ દેહાધિક યોગસંબંધી ક્રિયાઓ છે, જ્યારે આત્યંતર પરિણીત શુદ્ધ કે અશુદ્ધ આત્મદ્રવ્ય સાથે જોડાયેલી સ્વાભાવિક કે વૈભાવિક પર્યાયો છે, પરંતુ બન્ને ૧૧૦ For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ TO C જ્ઞાનધારા OTO-0 ક્રિયાઓ સાથે કોઈ મેળ જણાતો નથી. કડકમાં કડક સાધ્વાચાર પાળવા છતાં તીવ્ર કષાયાદિક ભાવોને કારણે સાધક દુર્ગતિ પામે છે, જ્યારે કેટલાક સાધક આત્માઓ સહજ ભાવે પરિણીતનું અવલંબન કરી ઊર્ધ્વગતિ પામે છે. આમ છતાં જૈન દર્શનમાં આચારો પર ભારોભાર વજન આપવામાં આવ્યું છે. સાધક અને બાધક કારણની વિશેષતા :- ' ' વસ્તુત: દર્શનદષ્ટિએ બે જાતનાં કારણો જોવા મળે છે. એક સાધક કારણ અને બીજું બાધક કારણ. સાધક કારણ જેમ સાધનામાં ઉપયોગી છે તેથી પણ વધારે સહયોગી બાધક કારણનો અભાવ છે. બાધક કારણો જ્યાં સુધી પ્રબળ અસ્તિત્વ સાથે ઉપસ્થિત હોય ત્યાં સુધી સાધક કારણને અવકાશ મળતો નથી. જેમ કે, ગાડી ગમે તેટલી સારી હોય છતાં પણ માર્ગમાં પડેલા મોટા પથ્થરાઓ તેને આગળ વધવા દેતા નથી. માટે બાધક કારણોનો પરિહાર નિતાંત જરૂરી છે. આમ આ બાધક કારણોને હટાવવા માટે કઠોર ક્રિયાની આવશ્યકતા છે. ક્રિયા કે તપસ્યા સીધી રીતે મોક્ષની સાધક નથી, પરંતુ પરોક્ષ રીતે બાધક કારણોને હટાવનારી હોવાથી મોક્ષમાર્ગને મોકળો કરે છે. આમ આત્યંતર અને બાહ્ય સાધના બને સાધક માટે ઉપયોગી છે. તે માટે "આચારાંગ’માં સાધુજીવનની આચારસંહિતા દર્શાવી છે. જૈન સાધુઓની જીવનચર્યાનો પ્રભાવ જનસામાન્ય પર પડે છે અને તે અહિંસા ધર્મથી પ્રભાવિત થાય છે, તે જ જિન દર્શનની વિશિષ્ટતા છે. માટે જ જૈન સાધુને વિશ્વની આઠમી અજાયબી ગણવામાં આવે છે. યુગ૫રિવર્તન : સમય બળવાન છે. માનવ સભ્યતાના પ્રાદુર્ભાવથી એટલે કે રાજા ઋષભદેવના જમાનાથી સમયની માગ યુગેયુગે થતી રહી છે. સહસ્ત્રાદી, શતાબ્દી, દશાબ્દી કે તેનાથી ટૂંકા ગાળામાં પરિવર્તનો થતાં જ રહ્યાં છે. આખીય માનવજાતિનો ઈતિહાસ સમયની મુખ્યતાથી જ રચાયો છે. પછી એ રાજકીય ક્ષેત્ર હોય કે ધર્મક્ષેત્ર હોય, પણ સમયની માગને પહોંચી વળવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે પરિવર્તનો સદા થતાં જ રહ્યાં છે. પહેલાંના સમયમાં તીર્થકરો, ગણધરો, કેવળી, શ્રુતકેવળી, પૂર્વધર પુરુષોની પરંપરામાં તેઓ ભારતની ક્ષેત્રમર્યાદામાં રહી વિચરતા હતા. એ જ રીતે જૈન For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ©©© જ્ઞાનધારા 020 ધર્મના અનુયાયી વર્ગ પણ પોતપોતાના ક્ષેત્રમાં જે ભૂમિ પર જન્મ લીધો હોય ત્યાં જ ભરણપોષણ પામી વ્યવસાય અર્થે પણ ત્યાં જ સ્થિર થતો. સુ-દૂર ભૂતકાળમાં નહોતું સંસારી ગૃહસ્થનું એટલું આવાગમન (ચક્રમણ) કે નહોતું સંસાર ત્યાગી મુનિવર્ગનું વિહાર પરિભ્રમણ. પોતપોતાના ક્ષેત્રમાં રહી ગૃહસ્થ અર્થોપાર્જન કરતો હતો, તો સાધુ-સાધ્વીજી ભગવંતો સ્વ-પરને ઉપકારી સાધના આરાધના કરતાં – કરાવતાં હતાં. આજના ઝડપી પરિવર્તનકાળમાં આર્થિક, ભૌગોલિક, સામાજિક અને રાષ્ટ્રીય પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અનેક પરિબળોના સંપર્કમાં આવી માનવસભ્યતાનો વિકાસ ત્વરિત થઈ રહ્યો છે. ત્યારે જૈન સમાજ ભારતના પ્રત્યેક પ્રાંતમાં તો વિસ્તર્યો જ, પણ દૂર દેશાવરમાં અધ્યયનાથે કે વ્યવસાયાર્થે સ્થિર થવા લાગ્યો તેમ જ રોજરોજ સંખ્યામાં વધારો થતો જાય છે. ત્યારે જૈન સાધુસંતોનો સમાગમ તેમને માટે મુશ્કેલ બની ગયો છે, કારણકે એક તો પંચમકાળમાં સાધુ-સંતોનું સંઘાયણ પણ એટલું ઉત્કૃષ્ટ હોતું નથી કે તેઓ દૂરદૂર સુધી વિહાર કરી શકે. બીજું સાધુ-ભગવંતોની સમાચારી અને સંયમી જીવનની મર્યાદાને કારણે જૈન સાધુ-સાધ્વીજી બધી જગ્યાએ જવા અસમર્થ હોય છે. વળી જ્યાં જૈનોનાં થોડાંઘણાં કુટુંબવાળી વસતિ હોય, પણ વિહારની વિકટ સમસ્યા, વ્રતોની મર્યાદા વગેરે કારણોને લીધે પહોંચી શકતાં નથી. આમ અમુકઅમુક ક્ષેત્રોમાં સાધુ-સંતો પહોંચી શકતા ન હોવાને લીધે ત્યાં વસતાં જૈન કુટુંબો ધીરે ધીરે જૈન સંસ્કારોથી વિમુખ થવા લાગે છે. આવી પરિસ્થિતિ વધારે વખત ચાલે તો આવનારી નવી પેઢી જૈનાચારથી બિલકુલ વંચિત રહી જાય, જેના કારણે ન કેવળ ધર્મસંસ્કાર, પરંતુ આર્ય સભ્યતા તેમ જ ભારતીય સંસ્કૃતિથી પણ સમાજ દૂર હડસેલાતો જાય છે. આમ જૈન પરિવારોને વારસામાં મળેલા જૈન ધર્મના સંસ્કારો લુપ્ત થઈ જાય અને અન્ય ધર્મગુરુ કે ધર્મસ્થળનું આલંબન મળતા નવી પેઢી જિન કથિત અહિંસા ધર્મથી વંચિત રહી જાય ને અન્ય ધર્મ તરફ ઝુકાવ આવે એમાં બેમત નથી. ભૂતકાળમાં પણ આવી વિકટ પરિસ્થિતિનો સામનો જૈન ધર્મે કર્યો હતો. જૈન ધર્મ ઉન્નતિના પંથે હતો, પણ ગામેગામે જૈન સાધુ-સંતો પહોંચી શકતા ન હતા. આથી લોકો ગામમાં પ્રચલિત સનાતન-વૈષ્ણવ આદિ ધર્મ પ્રત્યે આકર્ષણ અનુભવતા. - ૧૧૨ ભાઈ For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ SSC C જ્ઞાનધા શ SOOGO જેમ કે ૨૨૦૦ વર્ષ પહેલાં પૂરા વિશ્વમાં જૈન વસ્તી ૪૦ કરોડ હતી, જે આજે ઘટીને ૭૦ લાખ રહી ગઈ છે. સોળમી સદીનું જૈન રાજ્ય ગોવા આજે ફિરંગી બની ગયું છે. આ બધા જ કારણોને લીધે સાંપ્રત પરિસ્થિતિમાં જૈન ધર્મ ટકાવી રાખવા માટે જૈન ધર્મ પ્રચારક કે જૈન ધર્મ પ્રવર્તકની જરૂરિયાત ઊભી થઈ છે. જૈન ધર્મ પ્રચારક એટલે એવાં શ્રાવક-શ્રાવિકાઓ જે કે મહદંશે સાધુ-જીવન પાળતાં હોય. સમગ્ર વિશ્વમાં આજે અશાંતિનું સામ્રાજ્ય ફેલાયેલું છે. એક બાજુ પર્યાવરણનો પ્રશ્ન વિકટ બનતો જાય છે. તો બીજી બાજુ ઉપભોગતાવાદ કૂદકે ને ભૂસકે આગળ વધતો જાય છે, ત્યારે જૈન દર્શનનું સંયમી જીવન પર્યાવરણના રક્ષક તરીકે ઢાલરૂપ છે, તો સામે પક્ષે ભૌતિકવાદી અસંયમી જીવન પર્યાવરણના ભક્ષક તરક કુદરતી નિસર્ગોનું નિકંદન કાઢી રહ્યું છે. ત્યારે બંનેનું સંતુલન કરવા માટે પણ જૈન ધર્મનો પ્રસાર-પ્રચાર કરી શકે તેવા જૈન ધર્મ પ્રચારકોની એક શ્રેણીની આજે જરૂર છે. દિગંબર સંપ્રદાયમાં પણ આ જ કારણે ઘણાં વર્ષો પહેલાં એક ભારક પરંપરા શરૂ થઈ. આ સંપ્રદાયમાં સાધુ-સાધ્વીજીની સંખ્યા બહુ મર્યાદિત છે. વળી ચારિત્રપાલનના કઠોર નિયમો તથા નગ્ન દિગંબર અવસ્થાના કારણે અમુક ક્ષેત્રથી બહાર જવું તેમને માટે અશક્ય છે. આ પરંપરાને માન્ય અત્યંત પ્રાચીન તીર્થ ક્ષેત્ર ભારતભરમાં છે. તેની જાળવણી કરવી તથા તીર્થયાત્રા માટે આવતા શ્રાવકોને યથાર્થ માર્ગદર્શન મળી રહે તથા ધાર્મિક મહોત્સવોનું નેતૃત્વ લઈ શાસન પ્રભાવના કરવી વગેરે કારણોસર દરેક તીર્થ ક્ષેત્રમાં બ્રહ્મચારી ભટ્ટારકની ગાદીની સ્થાપના કરવામાં આવી છે. તેઓ ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી અણુવ્રતોને ધારણ કરી, પૂર્ણ બ્રહ્મચારી જીવન અપનાવી સુંદર રીતે તીર્થોનો વિકાસ તથા ધર્મનો પ્રચાર-પ્રસાર આજે પણ કરી રહ્યાં છે. તેમ જ જૈન શાસનની રક્ષા કરી રહ્યાં છે. નવા દિગંબર સમાજે તથા શ્વેતામ્બર મૂર્તિપૂજક પરંપરામાં અનેક પંડિતો તૈયાર કરવામાં આવ્યા છે, જેઓનું એકમાત્ર કાર્ય ધર્મપ્રચાર-પ્રસારનું રહ્યું છે. ઉપરોક્ત કારણોને લક્ષમાં રાખી આવું જ સ્તુત્ય પગલું ભર્યું છે તેરાપંથ સંપ્રદાયના દસમા આચાર્ય વિદ્વતવર્ય શ્રી તુલસીગણિએ. ભગવાન મહાવીરે પ્રરૂપેલ ધર્મના પ્રચાર માટે દેશ-વિદેશમાં ધર્મપ્રર્વતક તરીકે કાર્ય કરી શકે તે માટે સાધુ અને શ્રાવક જ ૧૧૩ ૧૪ For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ C જ્ઞાનધારા વચ્ચે જોડતી કડીરૂપે સમણશ્રેણીની કલ્પના કરી. વિ. સં. ૨૦૩૭ના કારતક સુદ બીજ, ૯-૧૧-૧૯૮૦ના આચાર્ય તુલસીના જન્મદિને છ મુમુક્ષુ બહેનોએ દીક્ષા લઈ પ્રથમ સમણશ્રેણીની વિધિવત્ શરૂઆત કરી. આ સમણશ્રેણી કે જેઓ ભારતનાં નાનાં નાનાં ગામડામાં અવારનવાર જઈ ધર્મપ્રચાર કરે છે તથા ભાવિકોને દઢ શ્રદ્ધાવાન બનાવે છે, એટલું જ નહિ, દૂર વિદેશમાં વસતા સમસ્ત જૈનો સુધી પહોંચી ધર્મઆરાધના કરાવે છે. તાજેતરમાં સ્થાનકવાસી શ્રી જયમલજી સંપ્રદાયમાં પણ આ પ્રથા શરૂ થઈ છે. જેઓ ધર્મપ્રચારનું કાર્ય કરી રહ્યા છે. જો કે, ધર્મના દરેકેદરેક સંપ્રદાયમાં પોતાની રીતે સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા વચ્ચે જોડતી કડીરૂપ એક શ્રેણીની પ્રથા દાખલ કરવા અંગે બુદ્ધિજીવીઓ માટે ગંભીરતાપૂર્વક વિચારવાનો સમય આવી ગયો છે. આજે જૈન સમાજનાં અનેક ભાઈ-બહેનો આખા વિશ્વમાં ફેલાઈ ગયાં છે. રોજરોજ આ સંખ્યામાં વધારો થતો જાય છે. આ ઉપરાંત ભારતમાં પણ કેટલાંક ગામો અંતરિયાળ પ્રદેશમાં છે કે જ્યાં સાધુ-સાધ્વી વિહારની કઠિનાઈના કારણે જઈ શકતાં નથી. આવા ક્ષેત્ર કે જ્યાં સાધુ-સાધ્વીજીએ એ ક્ષેત્રની સ્પર્શના કરી ન હોય ત્યારે ત્યાં જ જન્મેલાં અને મોટાં થયેલાં ૧૮-૨૦ વર્ષનાં દીકરાદીકરીઓ જૈન ધર્મ શું છે ? કે વંદનવિધિ કોને કહેવાય એ પણ જાણતાં નથી હોતાં, કારણકે તેમને જૈન ધર્મનું માર્ગદર્શન જ નથી મળતું. આવાં આવાં કારણોસર હવે સમય પાકી ગયો છે કે આપણે એક એવો પ્રબુદ્ધ અને વૈરાગ્યસભર સમુદાય ઊભો કરીએ કે જે આ ક્ષતિને પૂર્ણ કરવા પોતાનું યોગદાન આપી જૈન શાસનની સેવા સાથે ગૌરવ વધારે. આજનો યુગ એટલે જેટયુગ. જેટયુગ એટલે તેનો નિર્ણય પણ જેટની ઝડપે લેવો ઘટે... જ જૈન ધર્મપ્રચારકની શ્રેણી માટે નીચે મુજબની માર્ગદર્શિકા બનાવી શકાય : ૧. નામકરણ : નામકરણ કોઈ પણ કાર્યની પ્રાથમિક જરૂરિયાત છે. એ અનુસાર વર્તમાનમાં સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા વચ્ચે જોડતી સાંકળરૂપે જે શ્રેણીની જરૂર છે તેનું નામ જૈન ધર્મ પ્રચારક-પ્રચારિકા, જૈન ધર્મઉપાશક - ઉપાશિકા અથવા તો જૈન ધર્મપ્રભાવક - પ્રભાવિકા વગેરે હોવું જોઈએ. તેમાં ‘સમણ’ શબ્દનો પ્રયોગ થવો જોઈએ નહિ, કારણકે ‘સમણ’ શબ્દ આવવાથી ૧૧૪ For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ OCTC જ્ઞાનધાર OિTO 6 ગેરસમજણ ઊભી થાય છે. સમણ” એટલે પંચમહાવ્રતનું સંપૂર્ણપણે પાલન કરનાર, જ્યારે અહીં પંચમહાવ્રતોનું પાલન સંપૂર્ણપણે થતું નથી, કારણકે જૈન ધર્મનો પ્રચાર કરવા હેતુ વાહનવ્યવહાર આદિનો જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરવો પડે તેમ જ મોબાઈલ-કોમ્યુટર આદિ વૈજ્ઞાનિક સાધનોનો પણ જરૂરિયાત પ્રમાણે મર્યાદાસહ ઉપયોગ કરવો જરૂરી હોય છે. માટે “સમણ’ શબ્દનું યોગ્ય અર્થઘટન થતું નથી. (૨) વેશ: વેશ પણ એક મહત્ત્વનું ઓળખચિહ્ન છે. વેશનો એક પ્રભાવ હોય છે એ સુવિદિત જ છે. માટે વેશ પણ સાધુ-સાધ્વીનો ભ્રમ ઊભો ન કરે એવો હોવો જોઈએ. મર્યાદાપૂર્ણ ડ્રેસ અથવા સાડી, આછા ભૂરા, ગુલાબી કે પીળા રંગના જેમાં બીજો કોઈ રંગ કે ચિત્રામણ (ડિઝાઈન) ન હોવાં જોઈએ. ડ્રેસ અથવા સાડી જે નક્કી થાય તે બધાં માટે એકસરખાં જ હોવાં જોઈએ. આભૂષણ એક પણ પહેરવા નહીં. (૩) વ્રતધારણ: બાર વ્રતનું યથાશક્તિ જરૂરિયાત પ્રમાણે એક કોટિથી આઠ કોટિ સુધીનું પાલન કરે. કયું વ્રત કેટલી કોટિએ પાલન કરવું એનું વિશ્લેષણ કરવું, જેના માટે એક સમિતિ બનાવી ફોર્મેટ બનાવવું, બ્રહ્મચર્યનું પૂર્ણ પાલન, રાત્રિભોજનનો ત્યાગ, સ્ત્રીવર્ગ બેથી વધુની સંખ્યામાં સાથે રહે, એકલા ન રહે, મુંડન અથવા લોચ કરે, આહાર માટે ગોચરી કરે અથવા ક્ષેત્ર સમયાસાર. ખૂબ જ સંયમિત જીવન, ત્યાગ, સમર્પણ, સદાચાર, શીલ આદિ ગુણો પણ હોવા જોઈએ. ૩) અભ્યાસ: ઓછામાં ઓછો સામાયિક, પ્રતિક્રમણ - ૧૬ શ્રેણીનો અભ્યાસ. જૈન દર્શનનું સામાન્ય જ્ઞાન વગેરે હોવા જોઈએ. વિશેષમાં અમુક સૂત્રોનો (આગમોનો) અભ્યાસ. ન્યાયના વિષયોનો અભ્યાસ જેથી આજની પેઢીને તર્કહેતુ-ન્યાય વગેરેથી ધર્મ સમજાવી શકે. અજૈન ગ્રંથોનો અભ્યાસ, વ્યાવહારિક શિક્ષણ ઓછામાં ઓછું સ્નાતક (ગ્રેજ્યુએટ) હોવું જરૂરી. વર્તમાને વિદ્યાર્થી જે રીતે વ્યાવહારિક શિક્ષણ લેતો હોય એ રીતે ધાર્મિક જ્ઞાન પીરસાય એ અત્યંત જરૂરી છે. માટે આધુનિક દરેક ટેક્નોલોજીથી પરિચિત હોવું જરૂરી છે. વિશેષ: ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધીનો ટ્રેનિગ કોર્સ તૈયાર કરવો અને એમાંથી સાંગોપાંગ પાર ઊતરે એમનો સમાવેશ આ વર્ગમાં કરવો. - ૧૧૫ For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ SSC C જ્ઞાનધારા 0200 (૪) ભાષા: ભાષા મનુષ્યને મળેલ અણમોલ વરદાન છે. વિચારોને વ્યક્ત કરવાનું એક ઉત્તમ સાધન છે. સામેની વ્યક્તિને એની ભાષામાં સમજાવીએ તો તે જલદી સમજી જાય છે. આ હેતુથી ઓછામાં ઓછી પાંચ ભાષા (અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, કોઈ પણ એક પ્રાદેશિક) પર તો કાબૂ હોવો જ જોઈએ. | (૫) વક્તા: ભાષાને વ્યક્ત કરવા માટે ઉત્તમ વક્તા હોવું જરૂરી છે. છટાદાર વક્તવ્ય કરી શકે એ માટેની તાલીમ આપવી. વક્નત્વ માટે અભિવ્યક્તિ, રણકતો અવાજ, આત્મવિશ્વાસ, વાણીમાં સત્યનિષ્ઠા, મૃદુતા, સરળતા અને મીઠાશ હોવાં જરૂરી. (૬) યોગક્ષેમ: ચાતુર્માસ, વિહાર, આદિની સમગ્ર જવાબદારી એક નેતૃત્વ હેઠળ હોય. એક સંપન્ન સંસ્થાની જ રહે છે જે એમની દરેક જરૂરિયાતો પૂર્ણ કરે. (૭) આવાસ: તેરાપંથ સંપ્રદાયે જેવી રીતે લાડવૂ વિશ્વવિદ્યાલયના કેમ્પસમાં સમણ-સમણીને રહેવા માટે, ટ્રેનિંગ માટે વ્યવસ્થા કરી છે, એવું સંકુલ હોવું જોઈએ કે જેથી ટ્રેનિંગ અને આવાસ કરી શકાય. (૮) કાર્ય: ધર્મપ્રચાર કરવો. ધર્મથી ડગતાને સ્થિર કરવા. જે ક્ષેત્રમાં સાધુ-સાધ્વી ન પહોંચી શકે ત્યાં ચાતુર્માસ-પર્યુષણ આરાધન, ઓળી આરાધન વગેરે કરાવવા માટે જવું. પોતાના જીવનને શાસનના ચરણે સમર્પિત કરવાની ભાવનાવાળા હોય, પોતાના અંગત સ્વાર્થ કે નામના, યશ, કીર્તિ-પ્રતિષ્ઠા પામવાની કામનાથી રહિત રહી જૈનશાસનની પ્રભાવના કરે. (૯) સંમેલનઃ છમાસિક કે વર્ષમાં એક વાર બધા જ ચતુર્વિધ સંઘનું સંમેલન ગોઠવવું કે જેથી અરસપરસ પોતપોતાના અભિપ્રાયો જાહેર કરી શકાય. નવા નવા વિચારો વિષેની આપ-લે થાય. ખામી-ખૂબીનું વિશ્લેષણ કરી એના પર યોગ્ય વિચારણા કરવી. આમ નવકારના નવપદની જેમ આ નવ મુદ્દા રજૂ કર્યા છે જેના પર વિચારણા કરીને ચતુર્વિધ સંઘને જોડતી કડીરૂપ વર્ગ મૂળભૂત સિદ્ધાંતોની રક્ષા કરીને સ્થપાય એ જરૂરી છે. આજે સુધર્મ-પ્રચાર મંડળ પર્યુષણ આરાધના માટે યુવક-યુવતીઓને તૈયાર કરે છે. એવી જ રીતે આ વર્ગ માટેના વિચાર વહેતા મૂકીએ તો જરૂર એ માટે • ૧૧૬ભ For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ©©© જ્ઞાનધારા 0266 પ્રતિસાદ મળશે. આજે ઘણા એવા મુમુક્ષુઓ છે જે સાધુવ્રતનું પાલન કરવા અસમર્થ છે, પણ ધર્મપ્રચાર માટે ઉત્સુક છે તેમ જ કેટલાય પ્રભુતામાં પગલાં પાડવા નથી ઇચ્છતા અને આજીવન બ્રહ્મચર્ય સહિત ધર્મપાલન કરવા ઉત્સુક છે. આવા ધર્મિષ્ઠ, ધર્મવૃત્તિવાળા આમાં જોડાશે તો ઉત્તમ લાભ થશે તેમ જ ભાવદીક્ષિત મુમુક્ષુઓને દીક્ષા આપતા પૂર્વે પાંચથી સાત વર્ષ ફરજિયાત આ ક્ષેત્રમાં રાખવા કે જેથી ઉત્તમ કાર્ય થશે. આમ ઉપર્યુક્ત નિયમો સાથે જો દરેક સંપ્રદાયોમાં વિવેકપૂર્વક આવા જૈન ધર્મપ્રવર્તકો કે જૈન ધર્મપ્રચારકોની શ્રેણી શરૂ કરવામાં આવે તો ભગવાન મહાવીરે બતાવેલી સાધુસમાચારીનું શુદ્ધ પાલન થાય તેમ જ જૈન ધર્મનો પ્રચાર પણ વધે. જૈન ધર્મથી વિમુખ થતી યુવા પેઢીને જૈન ધર્માભિમુખ કરી શકાય. આમ આત્મકલ્યાણ સાથેસાથે પરકલ્યાણ થાય એમાં બેમત નથી. For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ યુવાનોને ધર્માભમુખ કરવાની સમ્યક્ દિશા ♦ બીના ગાંધી આજનો યુવાન શું કરી રહ્યો છે ? ક્યાં જઈ રહ્યો છે ? આ ઈન્ફોર્મેશન અને ટેકનૉલૉજીનાં સમયમાં આધુનિક ઉપકરણો જેમ કે ટી.વી., મોબાઈલ, કમ્પ્યુટર, ટેબલેટ, આઈપેડ વગેરેમાં ખોવાઈ ગયો છે. આ બધાં સાધનો દ્વારા સુખ-સગવડો વધતી ગઈ, એશ-આરામ વધતાં ગયાં પણ એમ છતાં સુખ-શાંતિ નથી; ઊલટું ટેન્શન, સ્ટ્રેસ વધી ગયાં છે. જીવન બોજારૂપ જણાય છે. આજકાલ ઘણા યુવાનો ધાર્મિક ક્રિયાકાંડો તરફ વળ્યા છે પણ એમાં ક્યાંય ધર્મ દેખાતો નથી. એમ છતાં પોતાનાં ધર્મ, જ્ઞાતિ, કોમ, સંપ્રદાયની આગવી ઓળખ જાળવી રાખવા, કુટુંબની પરંપરાને માન આપવા, પોતે પણ ધાર્મિક છે એવું બતાવવા કે પછી અભ્યાસ, કારકિર્દી, પ્રેમ કે લગ્નમાં ઈચ્છિત ફળ મેળવવા વધુ ને વધુ યુવાનો ક્રિયાકાંડો તરફ વળ્યા છે. બીજી સ્થિતિ એવી છે કે એને શાળા, કૉલેજ, ટડ્યુશન કે કૉન્ચિંગ ક્લાસેસમાંથી સમય જ નથી મળતો. જેમને સમય મળે છે એમને ધર્મમાં રસ કે રુચિ જ નથી. આજની પેઢીમાં, આજના યુવાનમાં આ રસ કઈ રીતે જગાડી શકાય ? બે રીતે. ૧) આપણે પોતે જ એનાં જીવંત દષ્ટાંત બની શકીએ. આજનો યુવાન સારાનું અનુકરણ કરી શકે છે. એને ખાતરી થવી જોઈએ કે આ કરવા જેવું છે, તો એ આ રસ્તે વળશે. માટે શરૂઆત તો આપણે પોતાનાથી જ કરવી પડશે. ૨) આજનો યુવાન માત્ર જે નરી આંખે દેખાય, પ્રત્યક્ષ અનુભવાય અને વૈજ્ઞાનિક પદ્ધતિએ પુરવાર થાય એને જ વાસ્તવિક્તા માને છે. એને નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોમાં વિશ્વાસ રહ્યો નથી. એવા યુવાનને, આ પેઢીને directly ધર્મનાં સધ્ધાંતોને ઉપદેશ આપવો નિરર્થક છે, શક્તિનો વ્યય છે, સમયનો વ્યય છે. તો શું કરવું ? આવા વખતે જૈન ધર્મનું શિક્ષણ ક્યાંક એવી રીતે આપવામાં આવે જ્યાં ૧૧૮ ૧૦ બીનાબહેને બી.કૉમ. વીથ કૉમ્પ્યુટર, યોગ અને નેચરોપથીનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે. નિર્મલા કૉલેજ અને ક્વોડલ શાળામાં યોગ શિક્ષક છે. તેમના વર્તમાનપત્રોઅને સામયિકોમાં મનનીય લેખો પ્રગટ થાય છે. For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ©©© જ્ઞાનધારા જૈન ધર્મની પ્રકૃતિ, જૈનધર્મનાં સિધ્ધાંતોનો પરિચય અને અભ્યાસ કરાવવામાં આવે. પ્રભુ મહાવીરની વાણી મૂળ સ્વરૂપમાં યોગ્ય સાધકો દ્વારા વહેતી કરવામાં આવે. એ પછી પુસ્તકોરૂપે હોય, જૈનશાળામાં હોય કે સેમિનાર કે વર્કશોપરૂપે હોય. એ દ્વારા જો વૈજ્ઞાનિક રીતે ધર્મ, અધ્યાત્મ અને વિજ્ઞાનને જોડવામાં આવે તો. આ વાત જે કોઈ વાંચે, સમજે, સાંભળે અને તેના મનને સ્પર્શે તો એની ડગમગતી શ્રદ્ધાને દૃઢ કરી શકાય. પ્રથમ વિજ્ઞાન અને આધ્યાત્મનો સેતુ જોડીએ. અમુક વિષયોને જો વ્યવસ્થિત રીતે નિરૂપણ કરવામાં આવે તો એ બધુંય મનનપૂર્વક વાંચ્યા પછી અધ્યાત્મને, ધર્મને હિંબગ” કહેનારો, નાસ્તિક વર્ગ પણ ધર્મનું શરણું સ્વીકારતો થાય એ નિઃશંક છે. જેમ કે, આત્મા અને Extra sensory Preceptions:- વિજ્ઞાને હાથ ધરેલાં સંશોધનોનાં પરિણામોએ બતાવી દીધું છે કે માનવી કોઈ અતિન્દ્રિય શક્તિ ધરાવે છે જેના ફળસ્વરૂપે એ સત્ય સમજાય છે કે શરીરનાં નાશ પછી પણ કંઈક કાયમ રહે છે, આ કંઈક એ ભૌતિક નથી પણ ચૈતન્ય અને આત્મા છે. - વિજ્ઞાનની મર્યાદિતા :- વિજ્ઞાન રોકેટો છોડી શકે છે પણ એક પુષ્પની પાંખડીનું ય સર્જન નથી કરી શકતું તો માનવચેતના તો ક્યાંથી પ્રગટાવી શકે? વિજ્ઞાન જ્યાં અટકે છે ત્યાં આધ્યાત્મિક પ્રજ્ઞા પ્રકાશ પાથરે છે. ચૈતન્ય એ કોઈ રાસાયણિક પ્રક્રિયાની નીપજ નથી, તે કોઈ અગમ્ય, અપાર્થિવ શક્તિ છે, તે શક્તિ એ જ હું છું. સોહમ... પુનર્જન્મનો સિદ્ધાંત - યુનિવર્સિટી કક્ષાએ થઈ રહેલાં સંશોધનોએ “Age regression"ના સિદ્ધાંત દ્વારા એ સાબિત કર્યું છે કે વ્યક્તિના જ્ઞાનનો આધાર દેહ નથી. દેહથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવનાર કોઈ જુદું તત્ત્વ દેહમાં છે અને દેહના નાશ સાથે એ તત્ત્વનો નાશ થતો નથી. આત્માને પોતાની અભિવ્યક્તિ માટે એક - શરીર કાર્યક્ષમ ન જણાય તો તે એ કાર્યને અનુરૂપ અન્ય શરીર શોધી લે છે. આનાં ઘણાં સત્ય દષ્ટાંતો છે. આધ્યાત્મ વિજ્ઞાન કરતાં ઘણું આગળ છે - આપણાં ભગવાન મહાવીરે ૨૬૦૦ વર્ષો પહેલાં સામાન્ય વાત કહેતા હોય તેમ ભાખેલું કે વનસ્પતિમાં પણ જીવ છે ને તેને સ્પર્શતા દુઃખ થાય છે. - આ હકીકતને વિજ્ઞાન જગતમાં ૧૧૯ For Personal & Private Use Only www.jainello Page #121 -------------------------------------------------------------------------- ________________ . OCC જ્ઞાનધારા 3000 ત્યારે સ્થાન મળ્યું જ્યારે આ વાત જગદીશચંદ્ર બોઝે સાબિત કરી. આઈનસ્ટાઈન જેવા પ્રખર વિજ્ઞાનશાસ્ત્રીએ પણ આધ્યાત્મિક અનુભવ અને ઊર્મિને સમર્થન આપ્યું છે. આપણા પ્રાચીન જૈન આગમો, મહાભારત, રામાયણ, વેદ-ઉપનિષદોમાં એવાં વિપુલ જ્ઞાનભંડારનો સંચય જોવા મળે છે કે જે જ્ઞાન આટઆટલી સાધનસામગ્રીની સહાય છતાં વિજ્ઞાનને આજેય અપ્રાપ્ય રહ્યું છે. કર્મનો સિદ્ધાંત :- આપણો આજનો મોટો પ્રશ્ન છે કે આપણા અનંત પ્રવાસમાં આપણું વર્તમાન જીવન કઈ રીતે વિતાવવું જોઈએ જે આપણાં માટે શ્રેયસ હોય અને વિવેકપૂર્વક આપણે પ્રેયસમાંથી પાછા હઠીએ. આ માટે જૈનધર્મનાં કર્મનો સિદ્ધાંત અદભૂત છે. પ્રકૃતિને કોઈ છેતરી શકતું નથી. અંધારે-અજવાળે, સારું-નરસું કરેલું કર્મ માનવીને જે તે બદલો આપે જ છે. કર્મનો આ નિયમ દીવા જેવો સ્પષ્ટ છે. માનવી પોતાના જીવનનો ઘડવૈયો છે. આજનો યુવાન તો અજ્ઞાન દશામાં રહેલ બાળક જેવો છે. એ આત્માને સમજતો નથી એટલે પોતે શું ગુમાવી રહ્યો છે એનું એને ભાન નથી અને ભૌતિકક્ષણિક સુખોની પાછળ ઉતાવળી દોટ મૂકી રહ્યો છે. એને પોતે કોણ છે તેની જ ઓળખાણ રહી નથી. જગતનાં સંસારી સુખો પાછળ એ આત્મિકસંપત્તિ લૂંટાવી રહ્યો છે. માટે જ્ઞાનીઓએ કહ્યું છે કે હે માનવી, તું તારી જાતને ઓળખ, તારી સંપત્તિને ઓળખ. જતાં અને શોધતાં આવડે તો આત્માનો આ ખજાનો અઢળક છે, અમૂલ છે. રાગ-દ્વેષ અને જગતની જંજાળમાંથી જે મુક્ત હોય છે તેને જ આવું આત્મિક, સાચું સુખ મળે છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે, “તું માત્ર તારા આત્માને સમજ, એટલે તું જગત અને પરમાત્માને સમજી શકીશ.” જગતમાં વખોડવા કે વખાણવા લાયક કાંઈ જ નથી, વસ્તુમાત્ર પરિવર્તનશીલ છે. પ્રાજ્ઞ માણસનું કામ એ છે કે માત્ર જેવું અને જાણવું. એટલે કે આત્મા વસ્તુનો કર્તા નહિ પણ દષ્ટા, સાક્ષીરૂપ છે. જો આ વાત સમજાય તો જ ધર્મના પથ પર સમજણપૂર્વક આગળ વધી શકાય. આ જ છે સમ્યફ દિશા. જૈન ધર્મમાં જીવન જીવવાની અદભૂત કળા સમાયેલ છે. આ જૈન ધર્મ વર્તમાનમાં કેમ જીવવું એની ચાવી આપે છે. એમાં અનેકાંતદષ્ટિ, અહિંસા, કર્મનો સિદ્ધાંત, અપરિગ્રહ, સમભાવ, બિનસાંપ્રદાયિકતા જેવા મૂળભૂત સિદ્ધાંતો રહેલા ૧૨૦ છે For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ 0 C જ્ઞાનધારા છે. આપણે આ સિધ્ધાંતો જીવનમાં ઉતારવા માટે અમુક સદ્ગુણો ખીલવીએ. જીવનમાં નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોની ઘણી આવશ્યક્તાછે. હવે આપણે વિજ્ઞાન એ ધર્મનો સેતુ જોઈએ. પ્રભુ મહાવીર જે ગુણોના ભંડાર છે, એમને આત્મિક ભાવથી નમન કરીએ. એમનાં ગુણરત્નો જાણવા અને પામવા જેવાં છે. ધર્મ એટલે સદ્ગુણોની મૂડી. જેમ દુનિયાની સામાન્ય વસ્તુની પ્રાપ્તિ માટે પણ ઈચ્છા અને સંકલ્પબળની જરૂર પડે છે, તેમ આ અમૂલ્ય ધર્મ-રત્ન પામવા માટે પણ ઈચ્છા અને સંકલ્પબળ વાપરવાની જરૂર પડે છે. આવો આ ધર્મ-રત્નનો, સદ્ગુણોને જાણીએ, જીવનમાં ઉતારીએ અને તે દ્વારા આત્માના ગુણોને ખીલવીએ. હવે શ્રેયનાં માર્ગે જવું કે પ્રેયનાં માર્ગે જવું એ વ્યક્તિની પોતાની વિવેકબુધ્ધિ પર નિર્ભર છે. OC ex ૧. રાગ-દ્વેષથી પર રહેવું :- જીવનમાં સુખ અને દુઃખ બેઉ આવવાના, બેઉને સત્કારો, આવકારો જીવનમાં સંયોગ અને વિયોગ બેઉ રહેવાનાં છે, માટે મનને એ બેઉ સમયે યોગ્ય દશામાં રાખો. તમે તમારે સ્થાને ઊભા રહીને, તમારાથી નીચા છે તેમની તરફ કરુણા અને પ્રેમ વહાવો અને તમારાથી ઊંચે છે તેમને માટે સન્માન અને ભક્તિ દાખવો. માનવર્જીવનનો આ એક સુંદર અધિકાર છે. ૨. ગંભીરતા :- જીવનમાં ગંભીરતાનો ગુણ કેળવવો. કોઈ પણ શબ્દ વિચાર્યા વગર ન બોલવો. બુધ્ધિમાં ઉતાવળિયાપણું હોય તે ધર્મનો પાલક નથી બની શકતો. માટે વિચારીને બોલવું. સત્યને પણ વિચાર અને વિવેકનાં ગળણાથી ગાળીને પછી જ બીજાંને જણાવવું. આમ વાણી અને દૃષ્ટિની ગંભીરતા કેળવવી સાથે હૃદય સાગર જેવું વિશાળ રાખવું. – ૩. તુચ્છતાનો ત્યાગ :- ક્ષુદ્રતાનો ત્યાગ કરવો. આજે માનવી ક્ષુદ્ર અને નાની વાતમાં હેરાન થઈ રહ્યો છે. નકામી વાતો મનમાં ભરી દુ:ખી થઈ રહ્યો છે. માટે વિસરી જાઓ અને ક્ષમા આપો એ મંત્ર ખૂબ સહાયક બને છે. ૪. સંપૂર્ણ અંગોપાંગ / તંદુરસ્ત જીવન :- જેની પાંચેપાંચ ઈન્દ્રિયો સંપૂર્ણ હોય તેને ધર્મનું પાલન કરવું સરળ બને છે. પંચેન્દ્રિય સુંદર અને સ્વસ્થ રાખો. જીવનમાં સંયમ રાખો. શરીર સુંદર અને સારા બાંધાનું જોઈએ નહિ તો આરાધના બરાબર નહિ કરી શકે, તપ અને સેવા નહિ કરી શકે. એ જો તીર્થયાત્રા કરવા નીકળશે તોય એણે ડોલીવાળાને તકલીફ આપવી પડશે. શરીર અને મનનું ૧૨૧ For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ OCTC જ્ઞાનધા ૨૦ 0 0 સ્વાથ્ય એ જ જીવન છે; મન અને દેહ-સ્વાધ્યની નિર્બળતા એ મૃત્યુ છે. માટે આ શરીર પ્રત્યે આપણાથી બેકાળજી સેવી શકાય નહિ. જે આવી કાળજી નથી રાખતો તે પાછળથી પસ્તાય છે. બીજી વાત પણ ધર્મી માણસે યાદ રાખવી ઘટે કે આત્મા શરીરથી જુદો છે એ વાત તો સાચી પણ જ્યાં સુધી શરીરમાં વસે છે ત્યાં સુધી શરીર એની ગાડી છે, આત્મા એનો હાંકાનાર છે. આ શરીર તારક પણ બની શકે, મારક પણ બની શકે. વિવેકથી વર્તવાનું છે અને તેમ થાય તો સંપૂર્ણ અંગોપાંગ એ ગુણ છે. - પ. પ્રકૃતિ સૌમ્યત્વ:- સ્વભાવમાં કોમળતા રાખવી જરૂરી છે. એથી માણસ પોતાની ભાષા અને પ્રકૃતિ પર કાબૂ મેળવી શકે છે. પછી એનાં જીવનમાં સૌમ્યતા સ્વાભાવિક થઈ જાય છે. આ સૌમ્ય પ્રકૃતિ એટલે દરેક કામ શાંતિથી કરવું. ક્રોધને છોડી દેવો. માન-માયા-લોભથી દૂર જ રહેવું. પ્રકૃતિસૌમ્ય થવું અને નિઃસ્વાર્થી બનવું એ જ ખરી મહાનતા છે. ૬. સારું વાતાવરણ :- આપણે એવા વાતાવરણમાં જીવવું જોઈએ કે જેમાં સગુણો આવતા જાય અને દુર્ગુણો જતા જાય. સારાં પુસ્તકો, સારા મિત્રો અને સારું વાતાવરણ માણસના જીવનને ઘડે છે. માણસનું વાંચન એની જિંદગીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે, મોટો ફાળો આપે છે. આપણું મગજ ખૂબ જ નાજૂક છે. તેની ઉપર ખરાબ વાતોના આઘાત ન પડવા જોઈએ. પ્રથમ તો મગજનો જૂનો દંશ, કચરો દૂર કરવાનો છે. પછી એમાં આદર્શોનાં આંદોલનો ઊભા કરીએ તો જ આપણે આત્માની સાથે એકાકાર થઈ શકશું. જેમ પુષ્પો સદાય સુગંધ આપે છે તેમ આપણા મનને પણ આપણે સદાય સુગંધિત રાખવાનું છે. આ માટે મન-વચન-કાય એ ત્રણેની યોગરૂપી સંવાદિતા જરૂરી છે. ૭. જીવનપરિવર્તન :- આપણી કાયા એ માટીનું પૂતળું છે, એમાં રહેલાં સગુણો તે જીવનનું એનું છે. આ સગુણો કેળવીએ તો માટીમાંથી સોનું બને. ધર્મનું આ જીવન એટલે આંતરિક સૂક્ષ્મ પરિવર્તન ૮. લોકપ્રિયતા :- કોઈની નિંદા ન કરવી. દોષ તો માણસમાં હોય છે પણ બીજાના દોષોની નિંદા કરવી એ પાપ છે. કોઈને ઉતારી પાડવા એ યોગ્ય નથી. જેને નથી આવડતું, એને સમજણ આપી સુધારો, એનો ઉપહાસ કરવો એ યોગ્ય નથી. બીજું જે વ્યક્તિને લોકો નિંદતા હોય તેવાની સોબત ન રાખવી. - ૧૨૨ - For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ OCTC જ્ઞાનધારા SC SCO ક્યારેય ઉદભટ- (ગમે તેવા વેષ ન પહેરવો તેમ જ કંજૂસ થઈ મલિન વસ્ત્રો પણ ન પહેરવાં. સાદા અને ચોખ્ખાં કપડાં પહેરવાં. દરેક માણસે પોતાનાં કુટુંબની સ્થિતિને અનૂકૂળ કંઈક દાન કરવું જોઈએ. છતી શક્તિએ દાન ન દેવું એ અપરાધ છે. શક્તિ હોવા છતાં કાર્ય ન કરવું, તે શક્તિ ગોપવવાનું પાપ છે. દાન, જ્ઞાન, વકતૃત્વ ઈત્યાદિ શક્તિ જેની પાસે હોય તેનો તેણે ઉપયોગ કરવો જરૂરી છે. જે વસ્તુઓ નિર્માલ્ય થઈ ગઈ હોય તેને કાઢી નાખો. મફતનું મેવવાની ઇચ્છા નહિ, સ્પૃહા નહિ એ જ સાચો મંત્ર છે. આવા ગુણો કેળવવાથી લોકપ્રિય બનશે. ૯. વિચાર-ઔદાર્ય :- માણસનું ચિત્ત ઉદાર જોઈએ. મન-વચન-કાયા ત્રણેની ઉદારતા જોઈએ. વિચારની ઉદારતા એ જ સ્યાદવાદ. દાન-વિનય-શિયળનાં ગુણો કેળવવા. અરસપરસનાં વિચારોમાં સમાધાન લાવવું તે સ્યાદવાદ. દુષ્ટમાંય સારું જોતાં શીખવું, એનું જ નામ સમદષ્ટિ. બીજાને પ્રથમ સાંભળો, સમજો અને સૌ સાથે એકતા અને સમભાવ કેળવો. વિનય વગર બધા અધૂરા છે. કેળવણી એ વિનય છે. વિનયથી વાંકા વળીશું ત્યારે જ જ્ઞાન પ્રગટશે, આવશે અને ભરાશે. જીવનમાં નમ્રતા ખૂબ જરૂરી છે. અપરિગ્રહ અને શિયળ / સંયમથી વ્યક્તિ સમાજમાં, ધર્મમાં આગળ વધે છે. ૧૦. દૂરતાનો ત્યાગ :- જીવનમાં કોઈ જાતની ક્લિષ્ટતા, ક્રૂરતા ન જોઈએ. જેનું હૃદય કોમળ હોય, બીજાનું સુખ અને સફળતા જોઈ રાચે એ ધર્મી છે. જે કરેલ છે તે જ બીજાને ઠારી શકે છે. જે પોતે બોધ પામેલ છે તે જ બીજાને બોધ પમાડી શકે છે. આપણે યાદ રાખવું જોઈએ કે જે આપીએ છીએ તે જ આપણને પાછું મળે છે. આ કુદરતનો સિધ્ધાંત છે. સારું આપશું તો સારું મળશે; ખરાબ આપશું તો ખરાબ મળશે. આપેલું કાંઈ નકામું નથી જતું. હા, કદાચ એ ફળતાં વિલંબ થઈ શકે, પણ ત્યાં અવ્યવસ્થા નથી એટલી શ્રધ્ધા રાખજો. આપણું કાર્ય એ છે કે અન્ય પ્રત્યે મૃદુતા રાખવી અને પોતાના જીવનનાં સંયમ, નિયમ, જીવનનાં અંતરાયો વેળા, સામનો કરતી વખતે વજતા રાખવી. ૧૧. પાપભીરતા :- નિર્ભય બનો પણ પાપનું કામ કરતાં જરૂર ડરવું. આપણે ખોટું કરવું નહિ અને સારું કર્યા વગર રહેવું નહિ-એ વૃત્તિ કેળવવાની છે. આપણે મૌનની શાંતિ શીખવાની છે, તો જ આપણને આત્માનો અવાજ સંભળાશે. આપણાથી પાપ થવું ન જોઈએ અને થયું હોય તો ખેંચવું જોઈએ. જ ૧૨૩ For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ©© જ્ઞાનધાર ૭૦ માણસ જો ધર્મથી જીવે તો ધર્મ એનું રક્ષણ જરૂર કરવાનો. ધર્મવૃક્ષને તોડીને માણસ શાંતિ ક્યાંથી પામશે? ધર્મનો નાશ કરશો તો તમે જ તમારા જીવનને નુકશાન કરશો. ૧૨. અશઠતા/સૂરીલી સંવાદિતા - શઠ માણસ જે કરે તેની પાછળ તેની મેલી રમત રહેલી હોય છે. તેની આંખ, ચેષ્ટા, હાવભાવમાં માયા હોય. માયાવી માણસ બધાને છેતરતો હોય. એની આરાધનમાંય દંભ હોય, છળ-કપટ હોય. અશઠ એટલે જેવું મનમાં તેવું વચનમાં અને જેવું વચનમાં તેવું ક્રિયામાં ત્રણેય વચ્ચે સુસંવાદ જોઈએ. વિચાર, વાણી, વર્તન-ત્રણેમાં સંવાદિતા આવવી જોઈએ. અંદરની વૃત્તિ બદલાવી જોઈએ. વૃત્તિઓની નિર્મળતામાં જ ધર્મ છે, પછી તો એને પરિગ્રહ ભારરૂપ લાગે. આ રીતે જીવન સંવાદમય બનાવવું. ૧૭. સુદાક્ષિણ્ય - જેનામાં દાક્ષિણ્ય થાવ હોય એ માણસ બીજાને શુભમાં સહાયતા કરવા તૈયાર થાય છે. જ્યાં સુધી એ ન આવે ત્યાં સુધી માણસ માત્ર સ્વાર્થને ખાતર જ જીવે છે. પ્રથમ પોતાનું જીવન દાક્ષિણ્યભર્યું, પવિત્ર અને પરોપકારી બનાવવું જોઈએ. આપણે પહેલાં સુધરવું અને આપણા જ્ઞાનને અમલમાં મૂકવું. યુવાનો એ જોઈને તમારું અનુકરણ કરશે. દુનિયામાં આપણે આવ્યા છીએ તો દુનિયાનાં કામો કરવા પડશે પણ દિવસમાં એકાદ તો એવું કામ કરો કે જે રાત્રે સૂતી વેળા તમને અંતરનો સાત્વિક આનંદ આપે., ઉલ્લાસ આપે એનું નામ દાક્ષિણ્ય. ૧૪. લજ્જાળુતાઃ- જ્ઞાનીઓ કહે છે કે લજ્જાળુ આત્મા હોય તે અકાર્યને દૂર જ રાખે. એવો માણસ અકાર્યમાં જાય જ નહિ. અયોગ્ય એવું કરે નહિ અને કદાચ નાનું પણ અકાર્ય થઈ જાય તો એનું દુઃખ એને ખટકે, એનો પશ્ચાત્તાપ એને કોરી ખાય. એનું નામ લજ્જાળુ માનવીએ તો નિર્વ્યસની બનવાનું છે. આપણે જન્મ્યા ત્યારે એકેય વ્યસન લાવ્યા ન હતા. આ વ્યસનો તો અણસમજ, નિર્બળતા, અજ્ઞાન અને દુરાચાર તરફ લઈ જાય છે. વ્યસનો છોડવાં તે પ્રથમ પુરુષાર્થ છે. કાર્યોનો સમયવિભાગ પાડી દઈએ કે અયોગ્ય કામનો અવકાશ જ ન રહે. જેમ કે સવારે જરા પ્રાર્થનામાં બેસો. સુંદર વિચાર કરો. સવારના જ્ઞાનના આ વિચારો અંદર ભરી રાખો, તો ચોવીસ કલાક એની તાજગી રહેશે. બની શકે તો નાની એવી ચોપડી સાથે રાખો, અવકાશ મળે ત્યારે એમાંથી વાંચો. રાત્રે ઘરે આવો For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ YOXYC ŞIILEIRI XOXOXO ત્યારે શાંતિ જાળવો. લજજાનો ગુણ મનને કેળવે છે. ૧૫. દયાનું ઝરણું - ધર્મી આત્માનું હૃદય દયાથી ભીનું હોવું જોઈએ. દુઃખ જોઈ દ્રવી જાય. આપણાં વિચાર, વાણી અને વર્તનમાં અહિંસા હોવી જોઈએ. આ દયા સ્વ અને પર બંને પરત્વે રાખવાની છે. પોતે જ્યારે ક્રોધ, મન, માયા, લોભમાં સપડાઈને અવળે માર્ગે જતો હોય ત્યારે વિચારીને પોતાની ઉપર દયા લાવવી તે સ્વ-દયા. પહેલાં ક્રોધ કરો ત્યારે પોતાની દયા ખાઓ, મારા આત્માનું શું થશે ? પછી બીજાને માટેની સાચી દયા, પર-દયા જાગશે. બીજું છે ગરીબો પ્રત્યે દયા આણવી તે છે દ્રવ્ય-દયા. ધર્મ વગરના ધનિકો પ્રત્યે કરૂણા લાવવી તે છે ભાવદયા. આ ભાવના કેળવીએ. વિશ્વ માટે એકાત્મભાવ એ પણ ભાવ કેળવવાનો મારા જેવો જ આત્મા સર્વત્ર છે. સૌને સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે. ૧૬. માધ્યસ્થભાવ :- જેનાં મનનાં દ્વાર સદાય ખુલ્લાં હોય, જેને કોઈ પણ ધર્મ પ્રત્યે પૂર્વગ્રહ ન હોય, જેને દુરાગ્રહ ન હોય, નવા સત્યનો સ્વીકાર કરવા જે તૈયાર હોય તે માધ્યસ્થ ભાવ સાથે સૌમ્યતા હોય. અતિરાગ પણ નહિ અને તિરસ્કાર પણ નહિ. વિકાસ માટે બુધ્ધિમાં માધ્યસ્થ ભાવ અને દષ્ટિમાં સૌમ્યતા હશે તો સત્યનું દર્શન કરી શકશે. • ૧૭, ગુણાનુરાગ :- મનને સુંદર, મુલાયમ રાખવા માટે બીજાનાં સારા ગુણો જુઓ. પોતાનાં કરતાં બીજામાં રહેલ વિશિષ્ટ તત્ત્વની પ્રશંસા કરવી. એના ગુણનાં રાગી બનવાનું છે. ગુણવંતોનું બહુમાન કરવું. ગુણના ઉપાસક બનવું. ગુણવાનનો સંસર્ગ રાખવો, એથી એવા ગુણો આપણામાં પણ જાગશે. ૧૮. સત્કથા:- તમે સારી જ વાત કરો. મોંમાંથી સ્ત્રીકથા, દશકથા, રાજકથા, ભોજનકથા ન આવે, પણ સારી કથા જ આવે, સારા વિચારો, સારા ભાવો ને સારા પ્રસંગો જ પોતાની વાણીમાંથી પ્રગટ કરવા જરૂરી છે. આવી વ્યક્તિ એકાંતમાં સારી વાતો જ કરે. ૧૯. દીર્ધદર્શિતા :- જે કંઈ કામ કરો તેનાં પરિણામનો ય વિચાર કરી લ્યો. પ્રવૃત્તિ એવી કરો કે “બહુ લાભમ, અલ્પ ફ્લેશમ”, કલેશમું, એટલે ઉદ્વેગ. પ્રવૃત્તિ માણસના મનને સ્વસ્થ કરવા માટે છે. જો મન તૂટી જતું હોય, આર્તધ્યાન થતું હોય તો શું કામનું? પ્રવૃત્તિ કરો એ કલેશહીન અને પરિણામે સુંદર હોય તેવી કરો. આપણા જીવનનું પ્રત્યેક કામ ચિંતન માંગે છે. • ૧૨૫ For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ OCTC જ્ઞાનધારા ( 000 ૨૦. વિશેષજ્ઞ - વિશેષજ્ઞ માણસ પોતાની સામે જે વસ્તુ આવે એનાં 'ગુણ અને દોષ તારવી શકે. કોઈ પણ વાતને સાંભળ્યા પછી પ્રજ્ઞાથી વિચારો, આલોચના કરો. દરેક વાતનું શ્રવણ, મનન અને નિદિધ્યસન કરો. એવો માણસ દુનિયાનાં વિશિષ્ટ તત્વને ગમે ત્યાંથી શોધી કાઢશે. ' ૨૧. વૃધ્ધાનુગામી:- વૃધ્ધોનાં અનુગામી બનીએ. જેણે માર્ગ જોયો છે. તેની ઉપર ચાલે છે એ બીજાને માર્ગ બતાવી શકે. એમનું અનુકરણ કરો તો એમનું કરેલપણું. અનુભવ મળે અને માણસ ઠોકરમાંથી બચી શકે. વૃદ્ધ એટલે જ્ઞાનવૃદ્ધ અને ચારિત્ર્યવૃદ્ધ. જેની પાસે શાનદૃષ્ટિ હોય, તપનું ધન હોય, ચારિત્રની સમૃધ્ધિ હોય તે વૃધ્ધ કહેવાય અને તેને અનુસરવાનું છે. ૨૨. વિનય :- જેમ બધા ધર્મોનું મૂળ દયા છે તેમ બધાં ગુણોનું મૂળ એ વિનય છે. વિનય હશે તો બીજુ બધું આવશે. વિનય એટલે સીધું પાત્ર, અવિનય એટલે ઊંધું પાત્ર. સીધું પાત્ર હોય તો વસ્તુ એમાં રહી શકે; ઊંધુ પાત્ર હોય તો વસ્તુ ઢોળાઈ જાય. જે વિનયશીલ હોય છે એનામાં કાંઈ પણ રેડો તેને તે ઝીલી લેશે. જે વિનય દાખવે છે તે આગળ વધી શકે છે. એમાંથી જ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે. ૨૩. કૃતજ્ઞતાઃ- કોઈએ આપણા માટે નાનું પણ કાર્ય કર્યું હોય તો આપણે અનેકગણું કરીને પાછું વાળવું જોઈએ. આપણી ઉપર ગુરુનો, માતા-પિતાનો, આપણને મદદ કરનારનો, સમાજની સહાય મેળવી આગળ આવ્યા હોય તેનો, અને પંચમહાભૂતોનો ઉપકાર રહેલો છે. આ ઋણ ચૂકવવા માટે તો રોજ એમનું સ્મરણ કરવું ઘટે, દિવ્ય આત્માની વિચારણા કરવી ઘટે. આ કૃતજ્ઞતા આપણને ચાર વાત શીખવે છે. કોઈએ આપણી પર ઉપકાર કર્યો હોય તો તે કદી ભૂલવો નહિ. કોઈનાં માટે તમે ઉપકાર કર્યો હોય તો એને કદી યાદ કરવો નહિ. કોઈએ આપણી પર અપકાર કર્યો હોય તો એને માફી આવી. આપણાથી કોઈ પર અપકાર થઈ ગયો હોય તો સામા માણસની માફી માંગવી. ૨૪. પરહિતનિરતઃ- પરોપકાર કરવામાં જ સ્વઉપકાર માનવો. પારકાનાં હિતમાં મગ્ન થવાની તમન્ના જાગવી જોઈએ. એ આસપાસનાં બધાનો વિચાર કરે, તેને સુધારે અને સમાજને આગળ લાવવામાં સહાયક થાય. પરહિતમાં હકારાત્મ અને નકારાત્મકક બેઉ ભાવો રહેલાં છે. સૌનું ભલું કરવું તે હકારાત્મક જ ૧૨૬ છે For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ SSC C જ્ઞાનધારા O૭૦ કોઈનો ઉપકાર ન લેવો તે નકારાત્મક. પારકાનું લેતાં માણસને દુઃખ થવું જોઈએ. ઉપકાર કરો પણ તે લોકો માટે નહિ પણ તમારા આત્માનાં આનંદ ખાતર. ૨૫. લબ્ધલક્ષ:- અંતરનાં તિમિરના થર તોડવા માટે મહાતેજની જરૂર પડે છે. આ તેજની ઝાંખી કરવી એ જ માનવજીવનનો મુખ્ય હેતુ છે. આનું નામ લબ્ધલક્ષ. આજે માનવી સાધનોને જ સાધ્ય માની બેઠો છે, માણસ સવારથી સાંજ સુધી સંગ્રહની પાછળ પડ્યો છે. પણ એ ભૂલી જાય છે કે એ આપણું જીવનલક્ષ્ય નથી. લોકો બીજાના કામી વાતો સાંભળવા પાછળ જિંદગી વિતાવી નાખે છે. માટે ભગવાન મહાવીરે કહ્યું છે કે બીજાને જાણવા પહેલાં તું તારા આત્માને ઓળખવા મથે, જો તું તને જાણીશ તો જ બીજાને જાણી શકીશ... જગતની સર્વ ચીજો પરિવર્તનશીલ છે. બહારનાં પડ જુદાં લાગે છે પણ એની અંદર રહેલો આત્મા એક જ છે. આપણે એનું દર્શન કરવું એ આપણું લક્ષ છે હેય, જોય, ઉપાદેય એટલે કે જીવનમાં શું છોડવા લાયક છે, શું વિચારવા કે જાણવા લાય છે અને શું આચરવાલાયક છે એનું ધ્યેય સ્પષ્ટ થઈ જવું જોઈએ. આપણે શા માટે જન્મ્યા છીએ, શા માટે જીવવું છે એનો વિચાર કરવો જોઈએ. હું ક્યાં થી આવ્યો છું? શું સાથે લાવ્યો છું ક્યાં જવાનો છુંઆ પ્રશ્નો તમારા આત્માને પૂછો - ધીરે ધીરે તમારું ધ્યેય સ્પષ્ટ થશે. મોક્ષ એ આપણું લક્ષ છે. દર્શન, જ્ઞાન, ચારથ્યિ એ આપણાં સાધન છે. આ સાધનો મેળવવા માટે આપણે લાયક બનવાનું છે. - આમ, ધર્મરત્ન દ્વારા એક પછી બીજો સદગુણ એનાં ક્રમ પ્રમાણે આવતો જાય છે. એક સદ્ગુણનું વાંચન, શ્રવણ, ને મનન બીજા સદગુણોને ખેંચી લાવે છે છે. આપણે દરેક આ રીતે ધર્મને જીવનમાં ઉતારવાનો છે. યુવાનો પણ આ દિશા તરફ જરૂર આવશે જે આપણે જ એનાં જીવંત દૃષ્ટાંત બની શકીએ તો આજનો યુવાન એ આવતી કાલની આશા છે. આજનું સર્જન છે, શક્તિઓનો સ્વામી છે. ઊર્જાનો ધારણહાર છે. એવો યુવાન જાગે, જાણે કે હું શું છું તો આ દુનિયા એક નંદનવન બની જાય, આ દુનિયા એક સ્વર્ગ બની જાય. પણ જો એ જાણે નહિ તો પછી એ કાં તો ધનમાં લપટાઈ જાય, કાં કીર્તિમાં , કાં ભોગમાં, કાં અંધ સાંપ્રદાયિકતામાં અટવાઈ જાય તે એની શક્તિ જે વિકાસ માર્ગે જવી જોઈએ એ વિનાશ માર્ગે જાય જે ઈચ્છવા યોગ્ય નથી જ. યુવાનનું બળ એવું છે કે જેનાં * ૧૨૭ છે For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ © C જ્ઞાનધારા 100 વડે તમે ધારો એ સાધ્ય કરી શકો છો કારણ યુવાન એ તો શક્તિનો સ્ત્રોત છે. એનું બળ અમુક સમય માટે જ હોય છે. એ સમયે એ બળ-શક્તિ લાપરી તો વાપરી નહિ તો ગઈ. યુવાની આવે છે, બળ-શક્તિ લઈને આવે છે પણ એનો ઊગવાનો-ખીલવાનો કાળ એ બહુ મર્યાદિત છે, એ રહે નહિ. ઘડપણ આવે એ જાય નહિ, એ આપણને લઈને જાય. એમાંથી જે કાઈ બચાવી શકે એમ હોય તો આ યુવાની છે, એ સમયમાં જો સમ્યફ દિશા, સાચું જ્ઞાન મળી જાય તો જીવન પલટાઈ જાય. આ યુવાની માણસોમાં જ નહિ પણ કુદરતમાં પણ જોવા મળે છે. ખેડૂત માટીમાં બીજ-પાણી-ખાતર નાખીને વાવે છે. એને વિશ્વાસ છે કે આ બીજ ધરતી ફાડીને બહાર આવશે કારણ કે એ બીજ છે. પથરો કે હીરો વાવો તો એ બહાર નહિ આવે. જે નાનકડું બીજ છે, એમાં શક્તિ છે કે એ ધરતી પાડીને બહાર આવશે. બીજમાં ઊર્જા છે તો એ ધરતી ફાડી શકે છે. માણસમાં, યુવાનમાં ઊર્જ છે તો એ શું ન કરી શકે અને માણસ બીજ કરતાં કોઈ રીતે ઓછો નથી પણ એ પોતાનામાં રહેલી શક્તિને જાણે નહિ તો એ બધી શક્તિ બહાર-દુનિયાની વસ્તુઓ માટે ખર્ચી નાંખે છે અને પોતાને માટે દેવાળિયો બની જાય છે. મોટા ભાગના માણસો બધું ભેગું કરી – અહીં જ મૂકીને જાય છે. આપણો જૈનધર્મ બહુ સ્પષ્ટ વાત કરે છે, આત્મા સો પરમાત્મા. આ સ્વમાંથી પોતાનામાંથી એક ભગવત તત્વ ઊભું કરવાનું છે. આ આપણો ધર્મ છે. આપણને આ વારસો મળ્યો છે અને એ વારસો જો કોઈ સાચવી શકે એમ હોય તો યુવાનો સાચવી શકશે. આજની પેઢીને. એ અનુભવ કરાવવો પડશે કે પોતાની અંદર જ આ ઊર્જા, શક્તિ રહેલી છે એને જાણીને ઉપયોગમાં લેવાની છે. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિધ સંઘમાં લંડનસ્થિત હર્ષદભાઈ વીતરાગમાર્ગની વર્તમાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ નોલૉજી લંડનના સમયની સમસ્યાઓ, ભાવ વાઈસ ચેરમેન છે.' વિદેશોમાં યુવાનોને જેના પરિણામો અને સમાધાન | ધર્મ શીખવે છે. કેટલોગ પ્રોજેક્ટ જેન પીડિચામાં # હર્ષદભાઈ સંઘરાજકા (લંડન) સંકળાયેલા છે. ૧. યુવાનોને ધર્માભિમુખ કરવાની સમ્યફ દિશા: જૈન ધર્મનું પાલન કરવું અતિકઠિન છે, એવી સાધારણ છાપ સમાજમાં છે. ખાસ કરીને ઉપવાસ, આયંબિલ વગેરે અનશનનાં અનુષ્ઠાનોને જ તપ માનવામાં આવે છે અને આજની જીવનપદ્ધતિમાં યુવા વર્ગ આ તપને કરવામાં કાયર છે. - બાર પ્રકારનાં તપ કે જેમાં અનશનથી પણ વિશેષ તપ જે સહેલાઈથી કરી શકાય તેમ જ બાહ્ય તપથી સ્વાથ્યને થતો લાભ તેમ જ અત્યંતર તપ દ્વારા જીવનની ગુણવત્તા - "Quality of life" સુધારી શકાય તેવું જ્ઞાન આપવાની, જરૂર છે. કોઈ પણ પ્રકારનું દબાણ કરવાથી યુવા વર્ગ ધર્મથી દૂર થઈ જશે અને એ દષ્ટિથી સાધુ ભગવંતોએ પણ ઉપાશ્રયમાં આવતા યુવાનોને પ્રત્યાખ્યાન લેવા માટે શરમાવવા ન જોઈએ. - ભારતમાં થોડા અંશે, પરંતુ પરદેશમાં અતિવિશેષ ભાષાનો પ્રશ્ન વિચાર માગી છે. પ્રાકૃત, સંસ્કૃત તો બાજુએ, આજે ગુજરાતી સમજવાની પણ મુશ્કેલી છે. આ ધ્યાનમાં રાખી જૈન ધર્મનું જ્ઞાન સાદી ભાષામાં અને યુવાનો સમજે એવી ભાષામાં, દા.ત. અંગ્રેજીમાં – અને તર્ક સહિત આપવાનો પ્રયાસ કરવો જોઈએ. મૂર્તિપૂજક સંઘોમાં પૂજા વગેરે અનુષ્ઠાનો બહુ જ લાંબાં હોય છે અને યુવા પેઢી ૩-૪ કલાક માટે તેમાં હાજરી આપવા રાજી ન થાય તે સ્વાભાવિક છે. ઉપરાંત આમાં પણ ભાષા-સમજણનો પ્રશ્ન છે, તો આ બાબતે વિચારવિમર્શ અને ૧૨૯ ૧૭ For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ OMS © જ્ઞાનધાર ૭૦ કરી ટૂંકાં અને રસ્પદ અનુષ્ઠાનોની યોજના કરવી આવશ્યક છે. ૨. જૈન ધર્મનાં વૈજ્ઞાનિક તથ્યો અને ધર્મની વાતોને વૈજ્ઞાનિક રીતે રજૂ કરવાની પદ્ધતિઃ - જૈન ધર્મની કેટલીક વાતો કેવલીગમ્ય છે અને તેની ચર્ચા કરવી અસ્થાને છે. દા.ત. જૈન ભૂગોળ અને આજની આપણી ભૂગોળ તદુપરાંત અમુક બાબતોમાં આમ્નાય ભેદો પણ છે. દા. ત. ભગવાન મહાવીરના જીવનની ઘટનાઓ, માતા ત્રિશલાને આવેલ સ્વપ્નો (૧૪-૧૬), દેવલોકની સંખ્યાં (૧૨-૧૬) વગેરે. આવા વિષયોને ગૌણ કરવાની જરૂર છે. જે વસ્તુ સમજી શકાય નહીં તેની ચર્ચા કરવી અયોગ્ય છે. કેટલીક વાતો તદ્દન વિજ્ઞાન સાથે સહમત છે અને તે વિગત સ્પષ્ટ કરવાની જરૂર છે. દા. ત. કંદમૂળ ન ખાવાનું કારણ: અનંતકાય છે તે સમજાવવું કઠિન છે એટલે પ્રથમ વૈજ્ઞાનિક કારણો સમજાવવાં - ફળ અને લીલોતરીમાં અલ્પહિંસા થાય છે, જ્યારે કંદમૂળ કાઢવામાં સંપૂર્ણ છોડનો નાશ થાય છે. વળી, આસપાસ ધરતીમાં રહેતા અન્ય જીવોને પણ દુઃખ થાય છે અને સૂર્યના તાપ વગર તૈયાર થયેલ વનસ્પતિમાં સાત્વિકતા પણ ઓછી હોય છે. પછી અનંતકાય છે તેવું પુરવાર થઈ શકે છે તે રીતે સમજાવવું -એક બટેટાના અનેક ટુક્કા કરી વાવવાથી દરેકનો છોડ થાય છે, કારણકે એ સર્વેમાં જીવ છે. વટાણાનો એક દાણો-પ્રત્યેક વનસ્પતિ-ના બે ભાગ કરવાથી એક પણ ઊગશે નહીં, કારણકે એક જ જીવનો નાશ થઈ જાય છે. આ યુગમાં રજૂ કરવા માટે રસપ્રદ સાધનો ઉપર્યુક્ત છે અને ઈન્ટરનેટ દ્વારા ઘણી જ માહિતી મળી શકે છે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી રજૂઆતને આકર્ષક કરી શકાય અને વિશાળ જનસમુદાયને પહોંચાડી શકાય. ૩. ચતુર્વિધ સંઘ સંચાલન : - આ યુગમાં જૈન ધર્મ વિભાજિત થઈ રહ્યો છે તે રોકવું અતિઆવશ્યક છે, માન્યતા ભેદ, અનુષ્ઠાન અને ક્રિયાભેદ વગેરે રહેવાના, પરંતુ ભેદથી ઉપરની વિગતોને ગૌણ કરવામાં આવે છે. ભગવાન મહાવીર એક જ છે. તીર્થંકર ૨૪ છે. જન્મ ૧૩૦ ૧૪ For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ OCTC જ્ઞાનધાર : દ્રવ્ય, કાળચક્ર, કર્મસિદ્ધાંતમાં કોઈ ભેદ હોઈ શકે નહીં. અન્ય ધર્મોમાં પણ ભેદ અને વિભાજન હોય છે, પરંતુ તેઓ ધર્મના નામમાત્રથી હંમેશ એક હોય છે. દા. ત. ઈસ્લામ ધર્મ અને શીખ ધર્મ. તેઓ વેબસાઈટ દ્વારા પોતાના દરેક ફિરકાઓને જોડી રાખે છે તેમ જ “એક ધર્મના નામે અનેક મુશ્કેલીઓનો સામનો કરી શકે છે. હાલના સમયમાં જૈન યાત્રાનાં સ્થળોમાં જે વિખવાદ છે અને સમાજને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે તે ખરેખર ખેદનીય છે. ભારતીય સ્તરે તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વ ફિરકાની માધ્યસ્થ સમિતિ હોવી જરૂરી છે. આવી યોજનાની સફળતામાં આગાખાનના ઈસ્માઈલી સમાજમાં, પૂ. પ્રમુખસ્વામીના સ્વામીનારાયણ સમાજમાં, તેરાપંથી જૈન સમાજમાં - જ્યાં એક જ પ્રમુખના આધારે સમાજ પ્રગતિ કરે છે તે નોંધપાત્ર છે. ૪. ચતુર્વિધ સંઘને જોડતી કડી : આપણે ભરતક્ષેત્રના રહેવાસી છીએ. વર્તમાન યુગના આપણા ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી છે. હાલ શ્રી મહાવીર સ્વામીનું શાસન ચાલે છે. આ એક જ કડીને જોડતી કડી જાહેર કરી અન્ય વિચારણા કરી શકાય. ૫. જૈન શિક્ષણની આદર્શ પદ્ધતિ : વર્તમાનકાળમાં વિવિધ ફિરકાઓ બાળકો માટે જૈને શિક્ષણની પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે. તેમનો પુરુષાર્થ પ્રશંસાને પાત્ર છે. કોઈ પણ એક પદ્ધતિને આદર્શ ગણાવવી અયોગ્ય થશે. આધુનિક સાધનોનો ઉપયોગ કરવો આવશ્યક છે : શ્રેણીવાર પુસ્તકો, સુંદર ચિત્રો, ઉત્તમ છપામણી, વિવિધ ભાષાઓનો ઉપયોગ, કમ્યુટરનો યોગ્ય ઉપયોગ, પાવર પોઈન્ટ વગેરે, ઈન્ટરનેટનો યોગ્ય ઉપયોગ-યુટયૂબ વગેરે. • ઉપર મુદ્દા નંબર ૩માં સૂચવ્યા મુજબ માધ્યસ્થ સમિતિ હોય તો એક જ ધોરણનાં શિક્ષણ સાધનો વિશ્વભરમાં વાપરી શકાય, ભલે તે ફિરકાઓ પ્રમાણે વિભાજિત હોય. આદર્શ પદ્ધતિ માટે એક કાર્યવાહક સમિતિની નિમણૂક કરવી જોઈએ અને વિચારવિમર્શ કરી યોગ્ય સાધનો ઉચ્ચ કક્ષાના બનાવડાવવા જોઈએ. જેટલું બની • ૧૩૧ ૧છે For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ JOBC જ્ઞાનધાચ 0ઝ૭૦ શકે તેટલું જ્ઞાન કલાસ દ્વારા રૂબરૂમાં આપવાની વ્યવસ્થા કરવી જોઈએ અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા થાય તે જરૂરી છે. ૬. સાંપ્રદાયિક અને પરંપરાગત માન્યતાઓ : સાંપ્રતકાળમાં જે માન્યતાઓ છે તે દેશકાળ પ્રમાણે પરિવર્તિત થયેલ છે. મૂળ શાસ્ત્રાનુસારી માન્યતામાં તકલીફ પડવાથી તેમાં ફેરફાર, અંશેઅંશે થાય છે અને સમાજ તેનો સ્વીકાર પણ કરી લે છે. દા. ત. લંડન શહેરમાં શિયાળા દરમિયાન બપોરે ૩ વાગ્યે સૂર્યાસ્ત થઈ જાય છે. જે લોકો રાત્રિભોજન ત્યાગ કરવા ઇચ્છે છે તેઓને માટે કઠિનાઈ છે, કારણકે નોકરી અથવા ધંધામાં હોય તેઓ એ સમયે ભોજન ન કરી શકે એટલે ઘડિયાળના સમય પ્રમાણે ધારણા કરી લે છે. ઉનાળામાં પણ સૂર્યાસ્ત “રાત્રિના ૧૦ વાગ્યે થાય છે એ પણ સાંજના સમયે ચૌવિહાર ધારી લે છે. પર્યુષણ પર્વ દરમિયાન ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરવા માટે સાંજનું ભોજન કરી સમયસર પહોંચવું શક્ય ન હોવાથી ઘણા લોકો કામ પરથી સીધા પ્રતિક્રમણ કરવા જાય છે અને પ્રત્યાખ્યાન આવશ્યક મર્યાદિત કરી પ્રતિક્રમણ બાદ ભોજન કરે છે. “પ્રતિક્રમણ જ ન કરે એ કરતાં આ પ્રમાણે તો કરે છે” એ દષ્ટિએ સમાજ એનો સ્વીકાર કરે છે. આમ, સાંપ્રતકાળના બદલાયેલા પ્રવાહમાં પરિવર્તન જરૂરી છે. આ માટે સ્વીકાર્ય “મધ્યમ માર્ગની વિચારણા જરૂરી છે. શાસ્ત્રનુસારી ક્રિયાઓ થઈ શકે તો તે મુજબ માર્ગદર્શન સમાજને આપવું જોઈએ અને ન થઈ કશે તો તેને માટે યોગ્ય, સરળ માર્ગની રચના કરવી જરૂરી છે. ૭. દાન-પ્રવાહ : જૈસમાજ અન્ય સમાજોની સરખામણીમાં દાન દેવામાં ઘણો જ આગળ છે. માન્યતાનુસાર જિનાલયના નિર્માણમાં સહકાર આપનાર શ્રાવક મોક્ષગામી થાય છે અને તેથી જિનાલયોની સંખ્યા રોજબરોજ વધવામાં છે. જ્યાં જિનલાય ન હોય ત્યાં બનાવવું આવશ્યક છે, પરંતુ હાલ મુંબઈ જેવા શહેરમાં ખૂણેખૂણે જિનાલયોના નિર્માણ થાય છે તે વિચાર માગી લે છે. નિશાળો, દવાખાનાં, હોસ્પિટલ વગેરે સમપયોગી સંસ્થાઓની ઘણી જ જરૂર છે, જેમાં મધ્યમ વર્ગના જૈન પરિવારો અલ્પ મૂલ્ય સેવાઓ પામી શકે અને ૪ ૧૩૨ " For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૭૯ જ્ઞાનધારા 0790 અન્ય ધર્મીઓને પણ લાભ મળે તેથી જૈન ધર્મનો પ્રભાવ સારો પડે. સાંભળવા મુજબ સાધુ વર્ગમાં લૌકિક સેવા કરવાની પ્રથા વધતી જાય છે તે યોગ્ય છે કે નહીં તેની વિચારણા જરૂરી છે. પોતાના પ્રભાવથી વિશેષ દાનરાશિ ભેગી કરી શકે છે અને સમાજમાં તેમ જ અન્યમાં દોષિત ઠહેરાવાય છે. ઈસ્લામ સમાજમાં કમાતા સભ્યોને અમુક ટકા દાન સમાજને કરવાની વ્યવસ્થા છે. આમ કરવાથી દરેક પરિવાર તરફથી એક નજીવી રકમ દર માસે જમા થાય છે. સમાજ વિસ્તૃત હોવાથી એનો ગુણાકાર કરવાથી ધરખમ રકમ સંસ્થામાં જમા થાય છે અને વારંવાર દાન માગવાની જરૂર રહેતી નથી. નામદાર આગાખાનની ઈસ્માઈલી કોમ આ પ્રથાનો ઉત્તમ દાખલો છે અને તેઓ પોતાની નિશાળો, દવાખાનાં, રહેણાક - કોલોની વગેરે લાભ સમાજને આપે છે. ૮. એકાંતિક ક્રિયાકાંડ વગેરે : જૈન ધર્મમાં આ ક્રિયાકાંડને મિથ્યાત્વ ગણવામાં આવે છે. જે લોકો આવી ક્રિયાઓને પરિવર્તિત કરીને “જૈન” ક્રિયા કરે છે, તેઓનો બચાવ એવો છે કે અન્ય ધર્મમાં જૈન પરિવારો જાય અને ત્યાં આવી ક્રિયાઓ કરે એ કરતાં આપણે જ તેમને આ ક્રિયા કરવામાં સહાયભૂત થઈએ તો તેઓ “જૈન” રહે. જૈન ધર્મમમાં ક્રિયા-અનુષ્ઠાન ફક્ત મનની એકાગ્રતા માટે થવાં જોઈએ. એમાં કોઈ પણ જાતની ભૌતિક ઇચ્છાઓ ન હોવી જોઈએ. મનની એકાગ્રતાથી કર્મબંધને રોકવાનો પ્રયાસ થાય અને નિર્જરા ચાલુ હોય એટલે “આત્મશુદ્ધિ"નું પ્રમાણ વધે તે જ ધારણા કરી ક્રિયા-અનુષ્ઠાન કરવાં જોઈએ. જો જૈન ધર્મના કર્મસિદ્ધાંતને કાયમ રાખવો હોય તો તેમાં એકાંતિક ક્રિયાકાંડને કોઈ જ સ્થાન નથી, એ વાત સમજવી અને સમજાવવી અગત્યની છે. આ માટે જે સંસ્થાઓ/સમાજ વ્યક્તિઓ આ માર્ગે હોય તેમની એક મહાસભા બોલાવી, ચર્ચા-વિચારણા કરી અને તે જ ક્રિયાઓને પુનઃ પરિવર્તિત કરી જૈન સિદ્ધાંત અનુરૂપ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ત્યાર બાદ આવી યિાઓનો જૈન ધર્મમાં અસ્વીકાર થવો જોઈએ. ૯. દીક્ષાર્થી-શ્રમણ-શ્રમણી : આ વિષયમાં શ્રી તેરાપંથ સમાજની લાડનૂમાં જે વ્યવસ્થા છે તે For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ OCT૯ જ્ઞાનધારા 100 અનુમોદનીય છે. દીક્ષા તેમ જ શ્રમણ ભાવાર્થી માટે ત્યાં પ્રશિક્ષણની યોજના છે અને પ્રાકૃત, સંસ્કૃત અને જિનાગમના સંપૂર્ણ અભ્યાસ બાદ જ તેમને સાધુદીક્ષા અથવા શ્રમણદીક્ષા આપવામાં આવે છે. આ અભ્યાસકાળ દરમિયાન લાડબૂસ્થિત વયોવૃદ્ધ સાધુ ભગવંતોની સેવા કરવાનું કાર્ય પણ તેઓ કરે છે, જેથી તેઓને વેયાવચ્ચ કરવાનો અનુભવ થાય છે અને પરિણામરૂપે મુદ્દા નંબર ૧૩માં દર્શાવેલ મુશ્કેલીનો પણ નિકાલ થઈ જાય છે. આ વ્યવસ્થા પણ અનુમોદનીય છે. પૂ. આચાર્યશ્રી તુલસીજી તેમ જ મહાપ્રજ્ઞજીએ શ્રમણ-શ્રમણી વર્ગની સ્થાપના કરી “સાપ મરે નહીં અને લાઠી ભાંગે નહી” એવું કાર્ય કરેલ છે. પરદેશમાં વસતા જૈન સમાજને આથી ઘણો લાભ થયો છે અને આગામી પેઢીના જટિલ સવાલોનો જવાબ દેવો નથી પડતો. શ્રમણ-શ્રમણી વિદેશયાત્રામાં પણ મર્યાદિત છૂટનો ઉપયોગ કરે છે તેમ જ કદાપિ એકાંત સેવતા નથી. તેથી યુકે. અને અમેરિકા જેવા પશ્ચિમના દેશોમાં પણ તેઓ ઘણું માન ધરાવે છે અને ત્યાંનાં વિશ્વવિદ્યાલયોમાં પણ પ્રવચનો આપવા જાય છે. સમસ્ત જૈન સમાજમાં આ યોજનાનો સર્વાગ સ્વીકાર કરવા જેવો છે. ૧૦. તિથિભેદ : દારેસલામ, ટાંઝાનિયામાં ઘણાં વર્ષોથી એક જ જૈન સમાજ છે અને તેમાં સ્થાનકવાસી તેમ જ મૂર્તિપૂજક સભ્યો છે. સાર્વજનિક સ્વીકારથી પર્યુષણના દિવસો બન્ને ફિરકાઓ એકસાથે જ ઊજવે છે અને એક વર્ષ પાંચમની સંવત્સરી અને બીજે વર્ષ ચોથની સંવત્સરી ઊજવવામાં આવે છે. અલબત્ત પ્રતિક્રમણ બે જુદા હોલમાં, એક જ સંસ્થાનમાં કરવામાં આવે છે, જેથી બંને ફિરકાઓ સંતોષપૂર્વક પોતપોતાની ક્રિયાઓ કરે છે. આવી જ વ્યવસ્થા લંડનમાં શ્રી નવનાત વણિક એસોસિયેશનમાં ઘણાં વર્ષોથી ચાલે છે. તિથિભેદનું મૂળ જૈન પંચાંગમાં છે. આ માટે જે પૂજ્ય આચાર્યભગવંતો પંચાંગની અનુમતિ આપવા માટે જવાબદાર હોય તેઓએ વિચાર, વિમર્શ કરી ઉપર મુજબની વ્યવસ્થાને સંમતિ આપવી પડે. ૧૩૪ ૧૭ For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ C જ્ઞાનધારા તિથિ એ વ્યવહારકાળ છે અને નિશ્ચયકાળમાં કોઈ જ ભેદ નથી. તિથિની વ્યવસ્થા પણ સમાજનિર્મિત છે અને સમાજ એમાં યોગ્ય ફેરફાર કરી શકે. પરિવારોના દાખલા છે. જેઓ પર્યુષણના પ્રારંભ પહેલાં જ આઠ દિવસ ‘‘પર્યુષણ’” ઊજવે છે અને તપ, જપ, ક્રિયા, અનુષ્ઠાન વગેરે કરી લે છે તેઓનું માનવું છે કે આમ કરવાથી તપ દ્વારા મળતું માન-પાન સમાપ્ત થઈ જાય છે અને માન કષાય ઘટે છે. ૧૧. વિહારની પદ્ધતિ : વિહારની પદ્ધતિ જૂના જમાનાના રસ્તાઓ, વાહનવ્યવહાર વગેરે પર આધારિત હતી. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. વિહાર મુખ્ય વાહનવ્યવહારના મોટા રસ્તાઓ પર થાય છે અને અકસ્માત વધતા જાય છે. ઉઘાડા પગે માટીની કેડી પર ચાલવું અને ડામરના પાકા રસ્તા પર ચલાવું – બન્નેમાં ઘણો તફાવત છે. સમય જતાં સાધ્વી-ભગવંતોને એકલાં વિહાર કરવાનું પણ જોખમકારક થશે તેવી પરિસ્થિતિની હાલના સમાચારો આગાહી કરે છે. વાહનના ઉપયોગ વગર વિહાર કરવાનો નિર્ણય ચાલુ રાખવામાં આવે તો નિર્દોષ પગરખાં અને રાહદારીની વ્યવસ્થાનો વિચાર કરવો જરૂરી છે. હાલમાં ઍરપોર્ટમાં વૃદ્ધ યાત્રીઓને સહાય કરવા માટે જે વાહન વપરાય છે તે વીજળીના ઉપયોગથી ચાલે છે અને ટૂંકા વિહાર માટે વાપરી શકાય. અમુક જગ્યાઓમાં આવાં વાહન “સોલર પાવર”થી પણ ચાલતાં હોય છે. જો પ્રવચન માટે વીજઉપકરણોના ઉપયોગનો સ્વીકાર કરવામાં આવે તો વીજવાહનનો નિર્ણય સહેલો થઈ જાય છે. ૧૨. વીજ ઉપકરણો : સાંપ્રતકાળમાં વીજઉપકરણોના ઉપયોગ બાબતે વિવિધ મતો જોવામાં આવે છે. એક તરફ કાંડાઘડિયાળમાં બૅટરી હોય તો તે પહેરીને સાધુ-ભગવંતોનાં દર્શન કરવાની મનાઈ છે, તો બીજી તરફ લાઈટ, પંખા, મોબાઈલ ફોન, માઈક-સ્પીકર સિસ્ટમ વગેરેનો ઉપયોગ પણ થાય છે. અંગત ઉપયોગને બાજુ પર રાખી સાર્વજનિક વ્યવસ્થાનો વિચાર કરવો અગત્યનું છે. હૉલ મોટો હોય અને વસ્તી ઘણી હોય ત્યારે માઇક/સાઉન્ડ ૧૩૫ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૭૯ જ્ઞાનધારા 0િ00 સિસ્ટમનો ઉપયોગ જરૂરી જણાય છે. જો પ્રવચન સંભળાય નહીં તો હાજર રહેલી જનતા નિરાશ થઈ જાય અને હાજરી આપવાનું માંડી વાળે તેમ પણ બને. અંગત ઉપયોગ માટે વીજઉપકરણોનો ઉપયોગ અયોગ્ય છે અને તે માટે સાધુસંઘે નિયમો કરવા જરૂરી છે. સ્વાથ્યને કારણે અગર અનિવાર્ય સંયોગોને કારણે શું કરવું તે નિર્ણય જરૂરી છે. ૧૩. સ્વાચ્ય અને વેયાવચ્ચ : આ બાબત થોડી ચર્ચા મુદ્દા નંબર લ્માં કરેલ છે. વર્તમાનકાળમાં સ્વાસ્થ અને ભોજનનો વિશેષ સંબંધ છે. ગોચરીમાં ઘણી જ તકલીફ જોવામાં આવે છે. ખાસ કરીને શહેરોમાં જ્યાં ભોજન ઘણું જ મોડું બનાવવામાં આવે છે, કારણકે લોકો કામધંધેથી ઘરે અંધારામાં પહોંચે છે. વળી, મકાનો ઊંચાં થતાં ગોચરી માટે ઘણાં પગથિયાં ચડ્યાં બાદ દરવાજા બંધ હોય તો પરિશ્રમ નિષ્ફળ થાય છે. અમુક સાધુસંઘોમાં બપોરની ગોચરીમાં વધુ ભોજન લઈ અને તે જ ભોજન સાંજ માટે રાખવાનું સ્વીકાર્ય છે એમ સાંભળેલું છે. આ બધાં કારણોથી સ્વાથ્ય સાચવવું કઠિન થાય છે. - વયોવૃદ્ધ અને જેઓનું સ્વાથ્ય કાયમી ખરાબ હોય તેમને માટે સંઘસંચાલિત આશ્રમો સ્થાપવાની જરૂરિયાત જણાય છે. અને શ્રી તેરાપંથ સંઘ કરેલ વ્યવસ્થા અનુમોદનીય છે. ગોચરી માટે સંઘોનાં રસોડાં ચલાવવાની વ્યવસ્થાનો વિચાર કરી શકાય. મોટાં શહેરોમાં અમુક સાધારણ સ્થિતિનાં કુટુંબો હોય તેમને આર્થિક સહાય કરી સમયસર ગોચરી પ્રાપ્ત થાય તેવી યોજના કરી શકાય. ઉપરાંત જેઓને ગોચરી વહોરાવવાની ભાવના હોય, પરંતુ સંજોગોનુસાર કરી શકતા ન હોય તેઓ આર્થિક સહાય કરી સંતોષ પ્રાપ્ત કરી શકે. આ જ પ્રમાણે ઔષધિની વ્યવસ્થા પણ કરી શકાય. ૧૪. પરઠવવાની પદ્ધતિ : અન્ય ક્રિયાઓની માફક સાધુ ભગવંતોને પરઠવવાની પદ્ધતિ પણ સમયની ચુંગાલમાં ફસાયેલી છે. તે જમાનામાં ખુલ્લી જમીન ઘણી હતી; વનવિસ્તાર ગામથી નજીક હતો અને સ્થડીલભૂમિ ઉપલબ્ધ હતી. • ૧૩૬ For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ OCTC જ્ઞાનધાર OિO૦ હાલ શહેરોમાં રસ્તા ઉપરાંત ઉપાશ્રયની પાસે કોઈ જ જગ્યા નથી હોતી; વનવિસ્તાર તો નજીકમાં મળવો અશક્ય છે. સાંભળવા મુજબ હાલની પરાવવાની પદ્ધતિથી જૈન ધર્મના નામને બટ્ટો લાગે છે. અમુક ઉપાશ્રયના મકાનની પાછલી બાજુ “વાડો કરવામાં આવે છે અને તે જગ્યા પરઠવવા માટે વપરાય છે. આમાં આસપાસનાં મકાનોમાં દુર્ગંધ ફેલાવાથી જુગુપ્સા પેદા થાય છે. આ દુર્ગધના ઉપદ્રવથી બચવા અમુક સ્થળોમાં અગાસીનો ઉપયોગ કરવામાં આવે છે એમ સાંભળેલ છે. બાદ ભંગી આવીને વિટા ઉપાડી જાજરૂમાં નાખે છે. આમ કરવાથી કરવું, કરાવવું અને અનુમોદવું સિદ્ધાંત પ્રમાણે કરવાનો દોષ તો લાગે જ છે, તો પછી સીધું જ જાજરૂ વાપરવામાં શો વાંધો ? સૌથી ખરાબ પદ્ધતિમાં પરઠવવા માટે વાસણનો ઉપયોગ કરવામાં આવે છે અને બહાર ડામરના રસ્તા પર એને ફેંકવામાં આવે છે, જેને કારણે આસપાસનાં રહેણાકો તેમ જ બજારની દુકાનો અને રાહદારીઓ બધાને જુસ્સા થાય છે અને જૈન ધર્મના નામને હાનિ પહોંચે છે. હાલના તબક્કે આધુનિક જાજરૂ વાપરવામાં કદાચ સૌથી ઓછી હિંસા થાય તેવી વકી છે, જે બાબત ચર્ચાવિચારણા જરૂરી છે. ૧૫. શિથિલાચાર : ધર્મમાં શિથિલાચારનું મુખ્ય કારણ સમાજમાં થતો સ્વીકાર છે. ઇસ્લામ ધર્મ, શીખ ધર્મ અને યહૂદી ધર્મમાં ચુસ્તતાને જાળવી રાખવામાં આવે છે. જૈન સમાજમાં આગામી પેઢીને કોઈ પણ બાબતમાં દબાણ કરવામાં આવતું નથી. બાળકો નમસ્કાર મંત્રનું સ્મરણ પણ ન કરતાં હોય અને તે બાબત પણ માબાપ આંખ આડા કાન કરતાં હોય છે. શ્રાવક સંઘને સાધુસંઘના અમ્પા–પિયા માનવામાં આવે છે અને આ “માબાપ” પણ શિથિલાચારને નિભાવી લ્ય છે. આજનો સમાજ કદાચ ભય અને લાલચથી ચાલે છે અને એકાંતિક ક્રિયાકાંડના ઉપયોગ અને લબ્ધિ ફોરવવાની વાતો સાંભળવામાં આવે છે. પ્રશ્ન ઘણો જ જટિલ છે અને સમાજના વડીલોને ઘણી જ હિંમતથી આ બાબતનો નિકાલ કરવાની જરૂર જણાય છે. જે ૧૩૭ ૭ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ©©©©©©© પર્યુષણ પર્વ એવં સંવત્સરી ડૉ. સાગરમલ જેના કી એકરૂપતા કા પ્રશ્ન - સાહિત્ય ક્ષેત્રે જૈન ધર્મના માન્યવર વિદ્વાન છે. . સાગરમલ જૈન એમણે જેન સાહિત્ય છે. પરંપરા છે જે છે તો જ અને તત્વજ્ઞાનના અનેક ગ્રંથો લખ્યા છે અને વિભાજિત કિયા ગયા હૈ – એક લૌકિક પર્વ ઔર , દૂસરે આધ્યાત્મિક પર્વ. પર્યુષણ પર્વ કી ગણના પ્રવચનો આપે છે. આધ્યાત્મિક પર્વ કે રૂપ મેં કી ગઈ હૈ. ઇસે પર્વાધિરાજ કહા જાતા હૈ. આગમિક સાહિત્ય મેં ઉપલબ્ધ સૂચનાઓં કે આધાર પર પર્યુષણ પર્વ અતિપ્રાચીન પ્રતીત હોતા હૈ. પ્રાચીન આગમ સાહિત્ય મેં ઇસ કી નિશ્ચિત તિથિ એવં પર્વ દિનોં કી સંખ્યા કા ઉલ્લેખ નહીં મિલતા હૈ. માત્ર ઇતના હી સંકેત મિલતા હૈ કિ ભાદ્ર શુક્લ પંચમી કા પ્રતિકમ્રણ નહીં કરના ચાહિયે. વર્તમાન મેં શ્વેતાંબર પરમ્પરા કા મૂર્તિપૂજક સમ્પ્રદાય ઇસે ભાદ્રકૃષ્ણા દ્વાદશી સે ભાદ્રશુક્લા ચતુર્થી તક તથા સ્થાનકવાસી ઔર તેપરાપથી સમ્પ્રદાય 'ઈસે ભાદ્રકૃષ્ણા ત્રયોદશી સે ભાદ્રશુક્લા પંચમી તક મનાતા હૈ. દિગમ્બર પરંપરા મેં યહ પર્વ ભાદ્રશુક્લા ચતુર્દશી તક મનાયા જાતા હૈ. ઉસ મેં ઈસે દસ લક્ષણ પર્વ કે નામ સે ભી જાના જાતા હૈ. શ્વેતામ્બર પરમ્પરા કે બૃહદ્રકલ્પ ભાષ્ય મેં ઔર દિગમ્બર પરમ્પરા કે મૂલાચાર મેં ઔર યાપનીય પરમ્પરા કે ગ્રન્થ ભગવતી આરાધના મેં દસ કલ્પોં કે પ્રસંગ મેં પણગોસવણ કપ કા ભી ઉલ્લેખ હૈ. કિન્તુ ઇન ગ્રન્થોં કે સાથ હી શ્વેતામ્બર છેદસૂત્ર-આયાદસા (દશાશ્રુતસ્કન્ધ) તથા નિશીથ મેં પોસવણ' કા ઉલ્લેખ છે. આયાદસા એવં નિશીથ આદિ આગમ ગ્રન્થોં મેં પર્યુષણ (પજોસવણ) કા પ્રયોગ ભી અનેક અથો મેં હુઆ હૈ. નિમ્ન પંક્તિયોં મેં હમ ઉસકે ઇન વિભિન્ન અથ પર વિચાર કરેંગે. (૧) શ્રમણ કે દસ કલ્પો એક કલ્પ પmોસવણ કલ્પ’ હૈ. ઈસકા અર્થ હૈ - વર્ષાવાસ મેં પાલન કરને યોગ્ય આચાર કે વિશેષ નિયમ. (૨) નિશીથ (૧૦/૪૫) મેં ઉલ્લેખ હૈ કિ જો ભિક્ષુ પmોસવણા’ - ૧૩૮ For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ O C જ્ઞાનધારા OC કિંચિતમાત્ર ભી આહાર કરતા હૈ ઉસે ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આતા હૈ. ઇસ સન્દર્ભ મેં ‘પોસવણ’ મેં આહાર કરતા હૈ ઉસે ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આતા હૈ. ઇન સન્દર્ભ મેં ‘પોસવણ’ શબ્દ સમગ્ર વર્ષાવાસ કા સૂચક નહીં હો. કિસી દિન વિશેષ કા સૂચક હો સકતા હૈ, સમગ્ર વર્ષાકાલ કા નહીં. ક્યોંકિ સમ્પૂર્ણ વર્ષાવાસ મેં આહાર કા નિષેધ સમ્ભવ નહીં હૈ. પુન: ભી કહા ગયા હૈ કિ જો ભિક્ષુ અપર્યુષણ કાલ મેં પર્યુષણ કરતા હૈ ઔર પર્યુષણ કાલ મેં પર્યુષણ નહીં કરતા હૈ, વહ દોષી હૈ (નિશીથ ૧૦/૪૩). ઇસ પ્રસંગ મેં ભી ઉસકા અર્થ એક દિન વિશેષ કરના હી અધિક ઉચિત પ્રતીત હોતા હૈ. (૩) નિશીથ મેં પોસવણ કા એક અર્થ વર્ષાવાસ કે લિએ સ્થિત હોના ભી હૈ. ઉસ મેં કહા હૈ કિ જો ભિક્ષુ વર્ષાવાસ કે લિએ સ્થિત (વાસાવાસં રજ્જોસવિયીસ) હો કર ફિર ગ્રામાનુગ્રામ વિચરણ કરતા હૈ વહ દોષ કા સેવન કરતા હૈ. ઐસા લગતા હૈ કિ પર્યુષણ વર્ષાવાસ કે લિએ એક સ્થાન પર સ્થિત હો જાને કા એક દિન વિશેષ થા જિસ દિન શ્રમણ સંઘ કો ઉપવાસપૂર્વક કેશલોચ, વાર્ષિક પ્રતિક્રમણ (સાંવત્સરિક પ્રતિક્રમણ) ઔર પોસવણકલ્પ (વર્ષાવાસ કે નિયમો) કા પાઠ કરના હોતા થા. પર્યુષણ (સંવત્સરી) પર્વ કબ ઔર ક્યોઁ ? પ્રાચીન ગ્રંથોં વિશેષ રૂપ સે કલ્પસૂત્ર એવું નિશીથ કે દેખને સે યહ સ્પષ્ટ હોતા હૈ કિ પર્યુષણ મૂલતઃ વર્ષાવાસ કી સ્થાપના કા પર્વ થા. યહ વર્ષાવાસ કી સ્થાપના કે દિન મનાયા જાતા થા. ઉપવાસ, કેશલોચ, સાંવત્સરિક પ્રતિક્રમણ એવું પ્રાયશ્ચિત્ત, ક્ષમાયાચના (કષાયોપશમન) ઔર પોસવણાકમ્પ (પર્યુષણ-કલ્પ=કલ્પસૂત્ર) કા પારાયણ ઉસ દિન કે આવશ્યક કર્તવ્ય થે. ઇસ પ્રકાર પર્યુષણ એકદિવસીય પર્વ થાય. યદ્યપિ નિશીથચૂર્ણ કે અનુસાર પર્યુષણ પર્વ કે અવસર પર તેલા (અષ્ટમ ભક્ત) કરનાં આવશ્યક થા. ઉસ મેં સ્પષ્ટ ઉલ્લેખ હૈ કિ ‘પજ્જોસવણાએ અઠ્ઠમ ન કરેઈ તો ચઉગુરુ', અર્થાત્ જો સાધુ ં પર્યુષણ કે અવસર પર તેલા નહીં કરતા હૈ તો ઉસ કે ગુરુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આતા હૈ. ઇસકા અર્થ કિ પર્યુષણ કિ આરાધના કા પ્રારમ્ભ ઉસ દિન કે પૂર્વ ભી ૧૩૯ For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ OMMC જ્ઞાનધારા OTOO હો જાતા થા. ઉસ મેં ઉલ્લેખ હૈ કિ ચાતુર્માસિક પૂર્ણિમા એવં પર્યુષણ કે અવસર પર દેવતાગણ નદીશ્વર દ્વીપ મેં જાકર અટાત્ત્વિક મહોત્સવ મનાયા કરતે હૈ. દિગમ્બર પરમ્પરા મેં આજ ભી આષાઢ, કાર્તિક ઔર ફાલ્ગન કી પૂર્ણિમા (ચાતુર્માસિક પૂર્ણિમા) કે પૂર્વ અષ્ટાબ્લિકા પર્વ મનાને કી પ્રથા છે. લગભગ આઠવી શતાબ્દી સે દિગમ્બર સાહિત્ય મેં ઇસ કે ઉલ્લેખ મિલતે હૈ. પ્રાચીનકાલ મેં પર્યુષણ આષાઢ પૂર્ણિમા કો માનાયા જાતા થા ઔર ઉસકે સાથ હી અષ્ટાબ્દિક મહોત્સવ ભી હોતા થા. હો સકતા હૈ કિ બાદ મેં જબ પર્યુષણ ભાદ્રશુક્લ ચતુર્થી/પંચમી કો મનાયા જાને લગા તો ઉસ કે સાથ ભી અદ-દિવસ જડે રહે ઔર ઇસ પ્રકાર વહ અટ-દિવસીય પર્વ બન ગયા. - વર્તમાન મેં પર્યુષણ પર્વ કા સબસે મહત્ત્વપૂર્ણ દિન સંવત્સરી પર્વ માના જાતા હૈ. સમવાયાંગ કે અનુસાર આષાઢ પૂર્ણિમા સે એક માસ ઔર બીસ રાત્રિ પશ્ચાત્ અર્થાત્ ભાદ્રપદ શુકલ પંચમી કો પર્યુષણ-સાંવત્સરિક પ્રતિક્રમણ કર લેના ચાહિએ. નિશીથ કે અનુસાર પચાસવીં રાત્રિ કા ઉલ્લંઘન નહીં કરના ચાહિ. ઉપવાસપૂર્વક સાંવત્સરિક પ્રતિકમ્રણ કરના યહ શ્રમણ કા આવશ્યક કર્તવ્ય તો થા હી, લેકિન નિશીથચૂર્ણિ મેં ઉદયન ઔર ચડપ્રદ્યોત કે આખ્યાન સે ઐસા લગતા હૈ કિ વહ ગૃહસ્થ કે લિએ ભી અપરિહાર્ય થા. લેકિન મૂલ પ્રશ્ન યહ હૈ કિ યહ સાંવત્સરિક પર્વ કબ કિયા જાય ? સાંવત્સરિક પર્વ કે દિન સમગ્ર વર્ષ કે અપરાધોં ઔર ભૂલ કા પ્રતિકમ્રણ કરના હોતા હૈ, અતઃ ઇસકા સમય વર્ષાન્ત હી હોના ચાહિયે. પ્રાચીન પરમ્પરા કે અનુસાર આષાઢ પૂર્ણિમા કો વર્ષ કા અન્તિમ દિન માના જાતા થા. શ્રાવણ વદી પ્રતિપદા સે નવ વર્ષ કા આરમ્ભ હોતા થા. ભાદ્રશુક્લ ચતુર્થી યા પંચમી કો કિસી ભી પરમ્પરા (શાસ્ત્ર) કે અનુસાર પર્વ કા અન્ત નહીં હોતા. અતઃ ભાદ્રશુક્લ પંચમી કો સાંવત્સરિક પ્રતિક્રમણ કી વર્તમાન પરમ્પરા સમુચિત પ્રતીત નહીં હોતી. પ્રાચીન આગમ મેં જો દેવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક ઔર સાંવત્સરિક પ્રતિક્રમણ કા ઉલ્લેખ હૈ ઉનકો દેખને સે ઐસા લગતા હૈ કિ ઉસ અવધિ કે પૂર્ણ હોને પર હી તત્ સમ્બન્ધી પ્રતિક્રમણ (આલોચના) કિયા જાતા થા જિસ પ્રકાર આજ ભી દિન કી સમાપ્તિ પર દૈવસિક, પક્ષ કી સમાપ્તિ પર પાક્ષિક, ચાતુર્માસિક કી સમાપ્તિ * ૧૪૦ For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ SSC C જ્ઞાનધારા 3000 પર ચાતુમાર્મિક પ્રતિક્રમણ કિયા જાતા હૈ, ઉસી પ્રકાર વર્ષ કી સમાપ્તિ પર સાંવત્સરિક પ્રતિક્રમણ કિયા જાના ચાહિયે. પ્રશ્ન હોતા હૈ કિ સાંવત્સરિક પ્રતિક્રમણ કી યહ તિથિ ભિન્ન કૈસે હો ગઈ? નિશીથ ભાષ્ય કી ચૂર્ણિ મેં જિનદાસગણિ ને સ્પષ્ટ લિખા હૈ કિ પર્યુષણ પર્વ પર વાર્ષિક આલોચના કરની ચાહિયે (પક્ઝોસવાસુ પરિસિયા આલોયણા દાયિવા). ચૂં કિ વર્ષ કી સમાપ્તિ આષાઢ પૂર્ણિમા કો હો જાતી હૈ ઈસ લિએ આષાઢ પૂર્ણિમા કો પર્યુષણ અર્થાત્ સાંવત્સરિક પ્રતિક્રમણ કરના ચાહિએ. નિશીથ ભાષ્ય મેં સ્પષ્ટ ઉલ્લેખ હૈ - આષાઢ પૂર્ણમા કો હી પર્યુષણ કરના સિદ્ધાન્ત હૈ.' સમ્ભવતઃ ઇસ પક્ષ કે વિરોધ મેં સમવાયાંગ ઔર આયારર્દશા (દશાશ્રુત કંધ) કે ઉસ પાઠ કો પ્રસ્તુત કિયા જા સકતા હૈ જિસ કે અનુસાર આષાઢ પૂર્ણિમા કે એક માસ ઔર બીસ રાત્રિ કે વ્યતીત હો જાને પર પર્યુષણ કરના ચાહિએ. ચૂં કિ કલ્પસૂત્ર કે મૂલ પાઠ મેં યહ ભી લિખા હુઆ હૈ કિ શ્રમણ ભગવાન મહાવીર ને આષાઢ પૂર્ણિમા સે એક માસ ઔર બીસ રાત્રિ કે વ્યતીત હો જાને પર વર્ષાવાસ (પર્યુષણ) ક્યિા થા ઉસી પ્રકાર ગણધર ને કિયા, સ્થવિરો ને કિયા ઔર ઉસી પ્રકાર વર્તમાન શ્રમણ નિગ્રંથ ભી કરતે હૈ. નિશ્ચિત રૂપ સે યહ કથન ભાદ્ર શુકલ પંચમી કો પર્યુષણ કરને કે પક્ષ મેં સબ સે બડા પ્રમાણ હૈ. લેકિન હમેં યહ વિચાર કરના હોગા કિ ક્યા યહ અપવાદ માર્ગ થા યા ઉત્સર્ગ માર્ગ થા. યદિ હમ કલ્પસૂત્ર કે ઉસી પાઠ કો દેખું તો ઉસ મેં યહ સ્પષ્ટ લિખા હુઆ હૈ કિ ઇસ કે પૂર્વ તો પર્યુષણ એવમ્ સાંવત્સરિક પ્રતિક્રમણ કરના કલ્પતા હૈ, કિંતુ વર્ષા ઋતુ કે એક માસ ઔર બીસ રાત્રિ કા અતિક્રમણ કરના નહીં કલ્પતા હૈ - “અંતરા વિ ય કમ્પડ (પજજે સવિત્તએ) નો સે કપડ રમણિ ઉવાઇણાવિત્તએ.” નિશીથ ભાષ્ય ૩૧૫૩ કી ચૂર્ણિ મેં ઔર કલ્પસૂત્ર કી ટીકાઓ મેં જો ભાદ્રશુક્લ ચતુર્થી કો. પર્યુષણ યા સંવત્સરી કરને કા કાલક આચાર્ય કી કથા કે સાથ જો ઉલ્લેખ હૈ વહ ભી ઇસી બાત કી પુષ્ટિ કરતા હૈ કિ ભાદ્રશુક્લ પાંચમી કે પૂર્વ તો પર્યુષણ કિયા જા સકતા હૈ કિંતુ ઉસ તિથિ કા અતિક્રમણ નહીં ક્યિા જા સકતા હૈ. નિશીથ ચૂર્ણિ મેં સ્પષ્ટ લિખા હૈ કિ “આસાઢ પૂર્ણિમાએ પોવન્તિ એસ છે. ૧૪૧ ભજન For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા 100 ઉસગ્ગો સેસકાલ પજોસેવન્તાણું અવવાતો. અવવાતે વિ સવીસસતિરાતમાસાતો પરેણ અતિકમેઉણ વઠ્ઠતિ સવીસસતિશત માસે પુણે જતિ વાસખેતં ણ લભૂતિ તો કખ હેક્ટાવિ પજજોસવેયન્વ. પુણિમાએ પંચમીએ, દસમીએ, એવમાદિ પલ્વેસુ પજુસયā નો અપવેસુ” અર્થાત્ આષાઢ પૂર્ણિમા કો પર્યુષણ કરના યહ ઉત્સર્ગ માર્ગે હૈ ઔર અન્ય સમય મેં પર્યુષણ કરના યહ અપવાદ માર્ગ છે. અપવાદ માર્ગ મેં ભી એક માસ ઔર બીસ દિન અર્થાત્ ભાદ્ર શુક્લ પંચમી કા અતિક્રમણ નહીં કરના ચાહિયે. યદિ ભાદ્ર શુક્લ પંચમી તક ભી નિવાસ કે યોગ્ય સ્થાન ઉપલબ્ધ ન હો તો વૃક્ષ કે નીચે પર્યુષણ કર લેના ચાહિયે. અપવાદ માર્ગ મેં ભી પંચમી, દશમી, અમાવસ્યા એવં પૂર્ણિમા કરના ચાહિયે, અન્ય તિથિઓ મેં નહીં. ઇસ બાત કો લેકર નિશથી ભાષ્ય એવં ચૂર્ણિ મેં યહ પ્રશ્ન ભી ઉઠાયા ગયા હૈ કિ ભાદ્ર શુક્લચતુર્થી કો અપર્વ તિથિ મેં પર્યુષણ ક્યોં નહીં કિયા જાતા હૈ. ઇસ સંદર્ભ મેં કાલક આચાર્ય કી કથા દી ગઈ છે. કથા ઇસ પ્રકાર છે - કાલક આચાર્ય વિચરણ કરતે હુએ વર્ષાવાસ હેતુ ઉજ્જયિની પહુંચે, કિન્તુ કિન્હીં કારણે સે રાજા રુટ હો ગયા, અતઃ કાલક આચાર્ય ને વહાં સે વિહાર કરકે પ્રતિષ્ઠાનપુર કી ઓર પ્રસ્થાન કિયા ઔર વહીં કે શ્રમણ સંઘ કો આદેશ ભિજવાયા કિ જબ તક હમ નહીં પહુંચતે તબ તક આપ લોગ પર્યુષણ ન કરે. વહોં કા સાતવાહન રાજા શ્રાવક થા, ઉસને કાલક આચાર્ય કો સમ્માન કે સાથ નગર મેં પ્રવેશ કરાયા. પ્રતિષ્ઠાનપુર પહુંચકર આચાર્ય ને ઘોષણા કી કિ ભાદ્રશુક્લ પંચમી કો પર્યુષણ કરેંગે. યહ સુનકર રાજાને નિવેદન કિયા કિ ઉસ દિન નગર મેં ઈન્દ્રમહોત્સવ હોગા. અતઃ આં૫ ભાદ્રશુક્લ ષષ્ઠિ કો પર્યુષણ કર લે, કિંતુ આચાર્ય ને કહા કિ શાસ્ત્ર કે અનુસાર પંચમી કા પ્રતિક્રમણ કરના કમ્ય નહીં હૈ, ઈસ પર રાજા ને કહા કિ ફિર આપ ભાદ્રશુક્લ ચતુર્થી કો પર્યુષણ કરે. આચાર્ય ને ઇસ બાત કો સ્વીકૃતિ દે દી ઔર શ્રમણ સંઘને ભાદ્રશુક્લ ચતુર્થી કા પર્યુષણ કિયા. યહીં ઐસા લગતા હૈ કિ આચાર્ય લગભગ ભાદ્રકૃષ્ણ પક્ષ કે અન્તિમ દિન મેં હી પ્રતિષ્ઠાપુર પહુંચે થે ઔર ભાદ્રકૃષ્ણ અમાવસ્યા કો પર્યુષણ કરના ક ૧૪૨ ૧૭ For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ C જ્ઞાનધારા O સમ્ભવ નહીં થા. યદ્યપિ વે અમાવસ્યા કે પૂર્વ અવશ્ય હી પ્રતિષ્ઠાનપુર પાઁચ ચૂકે થે ક્યોં કિ નિશીથ ચૂર્ણિ મેં યહ ભી લિખા ગયા હૈ કિ રાજા ને શ્રાવકો કો આદેશ દિયા કિ તુમ ભાદ્ર અમાવસ્યા કો પાક્ષિક ઉપવાસ કરના ઔર ભાદ્રશુક્લ પ્રતિપદા કો વિવિધ પકવાનોં કે સાથ પારણે કે લિએ મુનિસંઘ કો આહાર પ્રદાન કરના. હૂઁ કિ શાસ્ત્રઆજ્ઞા કે અનુસાર સાંવત્સરિક પ્રતિક્રમણ કે પૂર્વ તેલા કરના હોતા થા, અત: ભાદ્ર શુક્લ દ્વિતીય સે ચતુર્થી તક શ્રમણ સંઘ ને તેલા કિયા. ભાદ્રશુક્લ પંચમી કો પારણા કિયા. જનતા ને આહાર-દાન કર શ્રમણ સંઘ કી ઉપાસના કી. ઈસી કારણ મહારાષ્ટ્ર દેશ મેં ભાદ્રશુક્લ પંચમી શ્રમણ પૂજા કે નામ સે ભી પ્રચલિત હૈ. યહ ભી સમ્ભવ હૈ કિ ઈસી આધાર પર હિન્દુ પરંપરા મેં ઋષિ પંચમી કા વિકાસ હુઆ હૈ. પર્યુષણ / દશલક્ષણ ઔર દિગમ્બર પરમ્પરા જૈસા કિ હમને પૂર્વ મેં નિર્દેશ કિયા કિ દિગમ્બર ગ્રન્થ મૂલાચાર કે સમયસારાધિકાર કી ૧૧૮વીં ગાથા મેં ઔર યાપનીય સંઘ કે ગ્રન્થ ભગવતી આરાધના કી ૪૨૩વીં ગાથા મેં દસ ક઼લ્પોં કે પ્રસંગ મૈં પર્યુષણ-કલ્પ કા ઉલ્લેખ હૈ. અપરાજિતસૂરિ ને ભગવતી આરાધના કી ટીકા મેં પાસવણ કપ્પુ કા અર્થ વર્ષાવાસ કે લિએ એક સ્થાન પર સ્થિર રહના હી કિયા જો શ્વેતાંબર પરમ્પરા કે મૂલ અર્થ કે અધિક નિકટ હૈ. ઉન્હોંને ચાતુર્માસ કા ઉત્સર્ગ કાલ ૧૨૦ દિન ઔર અપવાદ કાલ ૧૦૦ દિન બતાયા હૈ. યહાઁ શ્વેતાંબર પરમ્પરા સે ઉનકા ભેદ સ્પષ્ટ હોતા હૈ ક્યોં કિ શ્વેતાંબર પરમ્પરા મેં યહ અપવાદ કાલ ભદ્ર શુક્લા ૫ સે કાર્તિક પૂર્ણિમા તક ૭૦ દિન કા હી હૈ. ઇસ પ્રકાર વૈ યહ માનતે હૈં કિ ઉત્સર્ગ રૂપ મેં તો આષાઢ શુક્લા પૂર્ણિમા કો ઔર અપવાદ રૂપ મેં ઉનકે ૫૦ દિન પશ્ચાત્ તક કભી ભી પર્યુષણ અર્થાત્ વર્ષાવાસ કી સ્થાપના કર લેની ચાહિએ’. ઇસ પ્રકાર દિગમ્બર પરમ્પરા મેં વર્ષાયોગ કી સ્થાપના કે સાથ અટાહિક પર્વ માનને કિ જો પ્રથાય હૈ વશી પર્યુષણ કે મૂલ હાર્દ કે સાથ ઉપર્યુક્ત લગતી હૈ, મૂલત: યહ આષાઢ પૂર્ણિમા કે આઠ દિન પૂર્વ સે મનાયા જાતા હૈ. જહાઁ તક દશલક્ષણ પર્વ કે ઇતિહાસ કા પ્રશ્ન હૈ વહ અધિક પુરાના નહીં ૧૪૩ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ©©© જ્ઞાનધારા 100 હૈ. મુઝે અબ તક કિસી પ્રાચીન ગ્રન્થ મેં ઇસકા ઉલ્લેખ દેખને કો નહીં મિલા હૈ. યાપિ ૧૭વી શતાબ્દી કી એક કૃતિ વ્રતતિથિનિર્ણય મેં યહ ઉલ્લેખ અવશ્ય હૈ કિ દશલાક્ષિણક વ્રત મેં ભાદ્રપદ કી શુક્લા પંચમી કો પૌષધ કરના ચાહિએ. ઇસસે પર્વ કા ભી મુખ્ય દિન યહી પ્રતીત હોતા હૈ. “ક્ષમાધર્મ આરાધના કા દિન હોને સે ભી યહ શ્વેતામ્બર પરમ્પરા કી સંવત્સરી-પર્વ કી મૂલભાવના કે અધિક નિકટ બૈઠતા હૈ. આશા હૈ દિગમ્બર પરમ્પરા કે વિદ્વાન ઈસ પર અધિક પ્રકાશ ડાલેંગે. ઇસ પ્રકાર દિગમ્બર પરમ્પરા મેં પર્યુષણ પ્રારંભ કા ઉત્સર્ગ કાલ આષાઢ પૂર્ણિમા ઔર અપવાદ કાલ ભાદ્રશુક્લા પંચયી માના જા સકતા હૈ. સમન્વય કેસે કરે ઉપર્યુક્ત વિવેચન સે સ્પષ્ટ હૈ કિ આષાઢ પૂર્ણિમા પર્યુષણ (સંવત્સરી) પર્વ કી પૂર્વ સીમા હૈ ઔર ભાદ્ર શુક્લા ૫ અન્તિમ સીમા હૈ. ઇસ પ્રકાર પર્યુષણ ઇન દોનોં તિથિયોં કે મધ્ય કભી ભી પર્વ તિથિ મેં કિયા જા સકતા હૈ. શ્વેતાંબર એવં દિગમ્બર દોનોં પરમ્પરાઓં કે અનુસાર આષાઢ પૂર્ણિમા કો કેશલોચ, ઉપવાસ, એવં સાંવત્સરિક પ્રતિક્રમણ કર વર્ષાવાસ કી સ્થાપના કર લેની ચાહિયે યહ ઉત્સર્ગ માર્ગ હૈ. યહ ભી સ્પષ્ટ હૈ કિ બિના કિસી વિશેષ કારણ કે અપવાદ માર્ગ કા સેવન કરના ભી ઉચિત નહીં હૈ. પ્રાચીન યુગ મેં જબ ઉપાશ્રય નહીં થે તથા સાધુ અપને નિમિત્ત સે બને ઉપાશ્રયોં મેં નહીં ઠહરતે થે, તબ યોગ્ય સ્થાન કી પ્રાપ્તિ કે અભાવ મેં પર્યુષણ (વર્ષાવાસ કી સ્થાપના) કર લેના સમ્ભવ નહીં થા. પુનઃ સાધુ-સાધ્વીયોં કી સંખ્યા અધિક હોને સે આવાસ-પ્રાપ્તિ-સમ્બન્ધી કઠિનાઈ બરાબર બની રહતી થી. અતઃ અપવાદ કે સેવન કી સમ્ભાવના અધિક બની રહતી થી. સ્વયં ભગવાન મહાવીર કો ભી સ્થાન-સમ્બન્ધી સમસ્યા છે કારણ વર્ષાકાલ મેં વિહાર કરના પડા થા. નિશિથચૂર્ણિ કી રચના તક અર્થાત્ સાતવ-આઠવી શતાબ્દી તક સાધુસાધ્વી સ્થાન કી ઉપલબ્ધિ હોને પર અપની એવં સ્થાનીય સંઘ કી સુવિધા કે અનુરૂપ આષાઢ શુક્લ પૂર્ણિમા સે ભાદ્રશુક્લા પંચમી તક ભી પર્યુષણ કર લેતે થે. યદ્યપિ ઇસ યુગ તરફ ચૈત્યવાસી સાધુઓ ને મહોત્સવ કે રૂપ મેં પર્વ ૧૪૪ For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ CSC) C જ્ઞાનધારા C SSC મનાના તથા ગૃહસ્થ કે સમક્ષ કલ્પસૂત્ર કા વાચન કરના એવં સાંવત્સરિક પ્રતિક્રમણ કર્ના આદિ પ્રારંભ કર દિયા થા, કિન્તુ તબ ભી કુછ કઠોર આચારવાન સાધુ થે જો ઈસે આગમાનુકૂલ નહીં માનતે થે. ઉન્હીં કો લક્ષ્ય મેં રખ કર ચૂર્ણિકાર ને કહા થા, યદ્યપિ સાધુ કો ગૃહસ્થોં કે સમ્મુખ પર્યુષણ કલ્પ કા વાચન નહીં કરના ચાહિએ કિન્તુ યદિ પાસત્થા (ચૈત્યવાસી-શિથિલાચારી સાધુ) પઢતા હૈ તો સુનને મેં કોઈ દોષ નહીં હૈ. લગતા હૈ કિ આઠવી શતાબ્દી કે પશ્ચાત્ કભી સંઘ કી એકરૂપતા કો લક્ષ મેં રખ કર કિસી પ્રભાવશાલી આચાર્ય ને અપવાદ કાલ કી અતિમ તિથિ ભાદ્રશુકલ ચતુર્થી/પંચમી કો પર્યુષણા (સંવત્સરી) માનને કા આદેશ દિયા હો. યદિ સંપૂર્ણ જૈન સમાજ કી એકતા કી દષ્ટિ સે વિચાર કરે તો આજ સાધુ-સાધ્વી વર્ગ કો સ્થાન ઉપલબ્ધ હોને મેં સમાન્યતયા કોઈ કઠિનાઈ નહીં હોતી હૈ. આજ સભી પરમ્પરા કે સાધુ-સાધ્વી આષાઢ પૂર્ણિમા કો વર્ષાવાસ કી સ્થાપના કર લેતે હૈ ઔર જબ અપવાદ કા કોઈ કારણ નહીં હૈ તો ફિર અપવાદ કા સેવન ક્યું કિયા જાય, દૂસરે ભાદ્રપદ શુક્લ પક્ષ મેં પર્યુષણ/ સંવત્સરી કરને સે, જો અપકાય ઔર ત્રસ કી વિરાધના સે બચને કે લિએ સંવત્સરી કે પૂર્વ કેશલોચ કા વિધાન થા, ઉસકા કોઈ ભૂલ ઉપદેશ્ય હલ નહીં હોતા હૈ. વર્ષો મેં બાલ કે ભાગને સે અપકાય કી વિરાધના ઔર ત્રસ જીવ કી ઉત્પત્તિ કી સમ્ભાવના હોતી હૈ. અતઃ ઉત્સર્ગ માર્ગ કે રૂપ મેં આષાઢ પૂર્ણિમા કો પર્યુષણ/સંવત્સરી કરના હી ઉપયુકત હૈ ઇસ મેં આગમ સે કોઈ વિરોધ ભી નહીં હૈ ઔર સમગ્ર જૈન સમાજ કી એકતા ભી બન સકતી હૈ. સાથ હી દો શ્રાવણ યા દો ભાદ્રપદ કા વિવાદ ભી સ્વાભાવિક રૂપ સે હલ હો જાતા હૈ. " યદિ અપવાદ માર્ગ કો હી સ્વીકાર કરના હૈ તો ફિર અપવાદ માર્ગ કે અન્તિમ દિન ભાદ્રશુક્લા પંચમી કો સ્વીકાર કિયા જા સકતા હૈ. ઇસ દિન સ્થાનકવાસી, તેરાપંથી એવં મૂર્તિપૂજક સમ્પ્રદાય કે કુછ ગચ્છ તો મનાતે હી હૈ, શેષ મૂર્તિપૂજક સમાજ કો ભી ઇસ મેં આગમિક દષ્ટિ સે કોઈ બાધા નહીં આતી છે. ક્યોં કિ કાલકાચાર્ય કી ભાદ્રપદ શુકલ ચતુર્થી કી વ્યવસ્થા અપવાદિક - ૧૪૫ છે , For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ OCC જ્ઞાનધારા GOOGO વ્યવસ્થા થી ઔર એક નગર-વિશેષ કી પરિસ્થિતિ વિશેષ પર આધારિત થિી. સમ્ભવતઃ યદિ કાલકાચાર્ય ભી દુસરે વર્ષ જીવિત રહતે તો સ્વયં ભી ચતુર્થી કો પર્યુષણ નહીં કરતે. ઉનકે શિષ્ય વર્ગ ને ઇસે ગુરુ કા અન્તિમ આદેશ માન કર ચતુર્થી કી પરમ્પરા કી હો, પરંતુ ઇસમેં પરિવર્તન કરના આગમ વિરુદ્ધ નહીં હૈ. યહ તર્ક કિ ઐસા કરને મેં એક દિન કી આલોચના ઉચિત નહીં હૈ ર્યો કિ હમ આલોચના ૩૬૦ દિન કરતે હૈ, જબ કિ વર્ષ મેં ૩૫૪ દિન હી હોતે હૈ. પુનઃ અધિક માસ વાલે વર્ષ મેં ૩૮૪ દિન હોતે હૈ, ક્યા ઇસ મેં ૨૪ દિન કી આલોચના શેષ રહ જાતી હૈ? યહ સબ વિચાર યુક્તિસંગત નહીં હૈ. ઇસી પ્રકાર આગમ ગ્રન્થ કો છોડકર ૧૫વીં-૧૬વી શતાબ્દી કે આચાર્યો કે ગ્રન્થોં કો આધાર માન કર વિવાદ કરના ભી ઉચિત નહીં હૈ. પુનઃ નિશીથચૂર્ણિ કે અનુસાર ચતુર્થી અપર્વ તિથિ હૈ; અતઃ ભાદ્રશુક્લા પંચમી કો ક્ષમા પર્વ કા મૂલ દિન ચુન લિયા જાવે. શેષ દિન ઉસકે આગે હોં ચા પીછે, યહ અધિક મહત્ત્વ નહીં રખતા હૈ – સુવિધા કી દષ્ટિ સે ઉન પર એક આમ સહમતિ બનાઈ જા સકતી હૈ. ભાદ્રશુક્લા પંચમી કો દિગમ્બર પરમ્પરા કે અનુસાર ભી ક્ષમાદિવસ હૈ હી, અતઃ ઇસ દિન પર સંપૂર્ણ જૈન સમાજ એક હો સકતા હૈ. જહાં તક ક્ષય યા વૃદ્ધિ તિથિ કા પ્રશ્ન હૈ “ક્ષયે પૂર્વા વૃદ્ધે ઉત્તરા” કે ઉમાસ્વાતિ કે સિદ્ધાંત કો માન્ય કર લિયા જાવે. અધિક માસ કે પ્રસંગ પર યા તો લૌકિક પંચાંગ કે અનુસાર અધિક માસ ગૌણ માન જાયે અથવા ફિર આગમિક આધાર પર આષાઢ યા પૌષ માસ કી હી વૃદ્ધિ માની જાય. યહી કુછ સૂત્ર હૈ જિન કે આધાર પર એકતા કો સાધા જા સકતા હૈ. સંદર્ભ સૂચિ: (૧) નિશીથચૂર્ણિ, ૩૨૧૭ (૨) જીવાભિગમ-નન્દીવર દ્વીપ વર્ણન (૩) ભગવતી આરાધના, ગાથા ૪૨૩ (૪) વહી ગાથા ૪૨૩ કી ટીકા, પૃ. ૩૩૪ (૫) દશલાક્ષણિક વ્રતે ભાદ્રપદ માસે શુક્લે શ્રી પંચમી દિને પૌષધ કાર્ય:- વ્રતતિથિનિર્ણય, પૃ. ૨૪. ડૉ. સાગરમલજી,ફોન: ૦૭૩૬૪૨૨૨૨૧૮. મો: ૦૯૪૨૪૮૭૬૫૪૫. - ૧૪૬ છે For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ YOXTOYOXTOYOXOXOXO Some Challenges before the Dr. Nileshbhai four fold Jain community in is Jain Scholar modern times, their estimated & Emeritus repercussions and possible Somaiya College, solutions as per my perspective Ghatkopar - Mumbai. Dr. Nilesh Dalal Some Challenges before the four fold Jain community in modern times, their estimated repercussions and possible solutions as per my perspective. Like any other community, contemporary Jain community too faces a host of problems. Some problems are similar to those faced by other communities. They arise due to the innate nature of human beings, prevailing political - social - economic conditions and the drastic changes that have occurred due the of the impact of scientific and technological revolution. On the other hand, certain problems are specific to Jain community due to its accepted belief system, culture and tradition. (1) There is a sever dscordance between the religious aspect of life and that of pursuance of means of livelihood. Life has become compartmentalised. Hence the relious aspect of life is segregated from the routine life. The great ideals of compassion, non-possession etc remain restricted to the practice of a couple of religious rites and rituals while these ideals are grossly undermined while engaging in one's means of livelihood in particular and leading life in general. Such lack of integration results in a sort of split personality M 980 m For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ XOXOXO ŞII AENEI XOOXO which is disastrous both for the individual and the society. (2) The Jain Sadhu sangh and sadhavi sangh have become lack lustre and are plagued by a number of stifling conditions. These two sanghas are the most important human resource of Jaina Community. In order to rejuvenate and empower the earnest members of these groups, first a thorough diagnosis of the maladies of members of these sanghas is a desideratum. The task is extremely delicate and needs utmost care lest it should disturb peace and harmony in the society. Dedicated teams of psychologist, counsellors, health care personal and such other experts 'need to be entrusted this herculean task of survey, analysis and suggestion of remedial steps to cure the maladies. (3) Medicines, food products, cosmetics, ensembles, toiletries etc. procured from the market are more often than not such that in the production and distribution chain there is something or the other that is not conducive to the ideal Jaina way of life. What the Jain aspirant can do is to avoid such things as far as possible. If in case s/he needs to use any such goods s/he can utilize the information about the ingredients and processes involved in the production of such items so that s/he can avoid those that are contrary to a non-violent way of life. (4) There is an excessive preoccupation with rituals in certain Jaina groups while certain other groups rest satisfied with intellectual discussions over philosophic and spiritual topics. Lopsided approach is degenerative and harmful meym 98CM For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ O C જ્ઞાનધારા O hence an integrated approach needs to be adopted. True spirituality consists in an enlightened approach and life lead in accordance with it. Relentless endeavour to know the Truth and the Ultimate goal of life and adhere to it, Self discipline, dedication to pursue the higher goals of life, compassion towards all living creatures etc are the hallmarks of a truly religious life. (5) Involvement in activites characterised as Anartha danda (superfluous and inconsequential but harmful for one's wellbeing) is rampant in the society. All categories of individuals get involved in such activities. Quite a few games, entertainment channels, print and electronic media, political leaders etc instigate hatred and unwholesome emotions in people. To be totally cut off from all these is well neigh impossible. Eternal vigilance on one's own part is the best way to protect one's self from anartha danda. (6) Significant amount of wealth that is collected by charitable trusts and associations remain unutilised while much is wasted over trivial activities due to the following reasons: a) Mismanagement by unscrupolous, egoistic, unimaginative, non-proactive, inefficient and power hungry religious and social leaders. b) Lack of foresight to understand and/or concern to prioritize upon the long term genuine requirements for the wellbeing of society, humanity and living fraternity at large. ૧૪૯ For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ONE જ્ઞાનધારા 500 c) Non-flexible earmarking of the amount procured through donations. Due to lack of flexibility, huge un-utilised surplus goes on mounting under certain heads while certain other heads normally fall short of funds. Paucity of funds under certain heads do lead to situations where routine welfare activities also suffer so expansion of such benevolent activities by those trusts obviously become almost impossible. d) In order to satisfy the ego of religious leaders, new places of worship come up very close to already existing ones resulting in injudicious and wasteful spending of the community's scarce resources. e) Mind boggling amount is spent over parties hosted for marriages and religious functions. Organizers fail to understand that it is essential to curtail such expenses or even skip such events all together and instead make available funds for more important projects like: (i) Education Value education and secular education (ii) Providing · technical training and apprenticeship facilities to the youth (iii) Subsidised Medical facilities and health insurance (iv) Afforadable Housing facilities (v) Preservation and digitization of thousands of books kept in jaina bandanas ૧૫૦ For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ sI«icial (vi) Editing and publication of valuable .jaina literature (vii) Preservation and maintenance of jaina places of worship (viii) Guidance and coaching for competitive examinations of national and state leavel (ix) Guidance and coaching for cracking entrance exams for medical, engineering, and other professional courses (x) Leadership training, (xi) Match making and marriage counselling (xii) Setting up youth organizations for channelling their energy in socially acceptable activities and leading to personal and social wellbeing (xiii) General public welfare activities (xiv) Organizing special task force to brief authorities about issues of jaina community and animal welfare. (7) Involvement in activities leading to large scale destruction of natural resources and submission to the demands of consumerism are toatally against the Jaina, ideals. These have become so rampant, that special and conscious efforts are required in order to save one's self from getting involved in their mire. Judicious acceptance of the vows of Ahimsa, Parigraha pariman (voluntary curtailment of material possessions) and upbhoga paribhoga pariman For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ YOXOC ŞII LEIA XOXOXO (self imposed restriction in use of various types of luzury items and even items of normal daily use) and adherence to these vows in the right spirit can go a long way in rescuing the individuals would provide an example of how life ought to be lived so that the harm to the environment is reduced to the minimum. (8) Jainism has recognised 6 external modes of austerities and 6 internal modes. In the Jain community today, fasting which is one of the modes of austerity is overemphasised while the other modes of ausutirites are grssly ignored. Particulary the internal modes of austurities which are infact primary and vital for one's spiritual progress are by and large ignored. This skewed and imbalanced relationship between the external and internal modes of austerities should be set right. (9) Particularly in urban settlements, the seniour citizen and handicapped individuals face a serious problem of commutation from their home to place of worship and vice versa. Dedicated teams of volunteers should be enrolled who can assist the seniors / handicapped in this matter. (10) Religious education needs to be addressed in right earnest. Quite a few changes have been brought about by different organizations, educationists and teachers working in this field but most changes are methodological rather than fundamental. The current religious education results in indoctrination rather than enlightenment. The harm done by indoctrination and brain washing on the psyche of a 7 148 69 For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ YOXYC ŞII HENRI EXOXO small child is enormous. Bigotry and intolerance are perhaps the greatest enemies of peaceful co-existence and a life dedicated to truth. Course material of religious educational books should be amended or even re-written so as to weed out sectarian and such other elements that are detrimental to peace and wellbeing in the society. The attitude of impressing over the child's mind that the concepts, theories, doctrines and practices etc stated in a particular text are the whole and the only truth should be abandoned by all concerned but particularly by the educationist. The child should be encouraged to explore different alternatives pertaining to a particular topic with an unbiased mind so that s/he may be trained in the art of objective assessment of available inputs to ascertain the truth. (11) Doubt, non-acceptance of any view without being intellectually convinced about its veracity, rejection of even minor .items mentioned in Jaina scriptures etc. are considered transgression of faith. Hence such tendencies are discouraged and threatened by instigating fear of eternal doom. This obviously demands sheepish mentality accepting whatever is written in the scripture at its face value. Actually, there is a need to discriminate between the core principles of morality, religion and spirituality on the one hand and the ancillary items in the precept. On should certainly emphasise the core and benevolent principles and adhere to them to the highest extent possible while other ideas, practices, etc that have been instituted due to 943 m For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ YOXDXC ŞI EI EI OXOXOXO historical, geographical and such occasional factors should be modified as per the demands of time and place to safe guard the core principles. The out dated subsidiary principles can even be discarded if and when adherence to them become contrary to the core principles. Unbiased critical analysis, scientific approach, comparative study to understand how a particular problem or issue is tackled by other schools of thought and to accept that view which appears to be most plausible are the true hallmarks of an objective study and genuine concern for truth. This indeed is closest to the Jaina spirit as enshrined in the doctrines of Anekanta, Syadvad and nayavada. Fortunately for the avid seeker of truth, print and electronic media have made available substantial amount of comparative and critical literature on almost every field. Surveying the relevant material sympathetically yet objectively and with a critical acumen can clear the cobwebs of ingnorance and blind adherence to unwholesome beliefs and practices. (12) The Jaina code of conduct prohibits the householder from engaging in 15 types of occupations that are considered detrimental to spiritual wellbeing. In the modern world, it is hard to adhere to this precept as alomost all occupations and avenues of investment are linked in some way or the other to one or more of these 15 prohibited occupations. The way out of this situation is probably to ignore the scruples related to the prohibited list in order to clear the conscience and tackle the problem by addressing ya qur me For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ YOX XC ŞII ELEI XOXOXO it from the opposite direction. The aspirant needs to institute a through soul searching to ascertain how much of material prosperity is necessary for pacifying one's own lure for the material and for fulfilling one's family and social responsibility. Addressing the issue of material prosperity from "within" rather than from "without” would naturally set one's priorities right. The overwhelming fascination for material gains would be torn asunder and a fresh approach to address the question of livelihood would evolve. The resultant choice of means of livelihood would be more eco friendly and conducive to a non-violent way of life. (13) There is a huge gap between the haves and havenots in the Jain community. Humanitarian projects need to be taken up and executed in order to address the problems of housing, health care, nourishment and education of members of the lower middle class in particular. (14) Hardly any households practicing Jainism reside in the vicinity of certain Jaina places of worship. In order to change the scenario the following can be done : i) Pilot projects may be taken up to transplant Jaina settlements wherein vocational and carreer options and housing facility are made available to those who are willing to migrate and relocate their households to such settlements, ii) Religious functions may be organized in such areas along with special programs of public welfare like health check up, distribution of kits for primary education etc. Proper care should be aken to ensure that such activities do not become a pretext quum For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ 0 Slittler for converting non-jains into jains. (15) As per the traditional interpretation of Jaina code of conduct for the recluse, S/he is supposed to limit her/ his universe of activities only to the spiritual and religious arena. Every form of worldly activity leads to harm to one form of living being or other. Hence, due to the fear of becoming instrumental in getting involved in violence, or being considered to have transgressed the prescribed code of conduct, s/he keeps away from even humanitarian activities all though her/his heart may yearn for an active participation in such activities. There is a clear bias in favour of the ideal of Nivritti. Renunciation or nivritti is considered inevitable for becoming free from all Karmans. Pravritti is considered to be the cause of bondage of Karman. Even activities performed for humanitarian purpose are considered outside the ambit of the jaina recluse as all worldly activities are inevitably inter twined with emotions, inauspicious or auspicious. This problem can be solved by forming an intermediary class. Individuals who are interested mainly in public welfare activities, propagation of ethical, religious and spiritual doctrines and practice can be enrolled in this intermediary class. The code of conduct for the members of this class should be such that they can participate in secular public welfare activities and projects whole heartedly without any encumbrances of family ties on the one hand nor suffer from scruples of having violated any qus For personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ YOXYC şii1&1121 EXDYOXO vows meant for the Jaina recluse on the other. Some Jaina sects have already made such a provision. Others should follow suit. (16) Comprehensive databases of members of Jaina community need to be maintained wherein information of financial conditions, marital status, age, sex, geographical area of residence, etc. should be incorporated. Information retrieved from such database can be utilized for implementing schemes like subsidized health care facility, economy housing schemes, employment schemes, marriage match making, empanelment of professionals for charitable organizations etc. (17) Compassion towards the needy human beings should be given priority over other creatures, but it is often noticed that while insects, birds and animals are treated with a lot of compassion, human beings are ignored and their genuine primary needs also remain un addressed. Human beings in distress and agony are left to fend for themselves under the cover of the law of Karman while welfare activities for other creatures gain priority in allocation of resources. It is hoped that brainstorming sessions are initiated at different levels to find solutions for the multifarious problems of Jain community and implement the same to the extent possible to revitalize and empowe the community. For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ SSC_9010000 - સ્તવનરૂપ ભાવપૂજા દ્વારા ડૉ. અભયભાઈ મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી આત્મદર્શન વિભાગના ઍસોસિયેટ ડૉ. અભય દોશી, પ્રોફેસર છે. તેમની જૈન દર્શનમાં આત્મશુદ્ધિ માટે અનેક થિસિસનો “ચોવીશી પ્રકારની ક્રિયાઓ દર્શાવી છે. આ ક્રિયાઓ દ્વારા | સ્વરૂપ અને સાહિત્ય” અનાદિકાળના દેહાધ્યાસનું વિગલન કરી | | ખૂબ જ વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ પ્રગટ થયો છે. (ઓગાળી) પોતાના શુદ્ધ આત્મસ્વરૂપ પ્રતિ આત્માને સન્મુખ કરવાનું જ લક્ષ્ય રહ્યું હોય છે. વ્રત-તપશ્ચર્યા, પ્રતિકમણ, પૂજાસામાયિક આદિ સર્વ ક્રિયાઓ આત્મતત્ત્વની ઓળખાણ કરવા (જ્ઞાન), તેની પ્રતીતિ કરવા (દર્શન-શ્રદ્ધા) અને તેની શુદ્ધિ કરવા (ચારિત્ર) માટે પ્રયોજાઈ છે. પરંતુ, અનાદિકાળની બાહ્ય તરફની પરિણતિ છવમાં પ્રબળરૂપે પ્રવર્તતી હોય છે, આથી ઉપકારી પુરુષોએ બતાવેલાં સમ્યગ અનુષ્ઠાનોને આ જીવ ગતાનુગતિકતામાં ફેરવી દે છે, તેથી જીવ લક્ષ્યને ચૂકી જાય છે, પરંતુ જીવ આ લક્ષ્મ વીસરી ન જાય, તે ગતાનુગતિકતામાં સરીને અનુષ્ઠાનને અનુષ્ઠાનમાં ફેરવી ન દે એ માટે મહાપુરુષોએ કૃપા કરી આ અનુષ્ઠાનો સાથે બોલવા માટે ગુજરાતી આદિ લોકભાષામાં સરળ-સુગમ બાનીમાં દુહા આદિની રચના કરી છે, જે દ્વારા આત્માની જાગૃતિ જળવાઈ રહે, પોતાના ઉચ્ચતર લક્ષ્યની સંપ્રાપ્તિ કરી શકે. આ સાધક ચોરાસી લાખ જીવયોનિમાં ભટકતો હતો. એ પરમકૃપાળુ પરમાત્માના ઉપકારને લીધે જ આ માનવભવ સુધી આવ્યો છે. તેમના ઉપકારથી જ જીવને આ વીતરાગમાર્ગ પ્રાપ્ત થયો છે, આ વાતનો આભાર માનવા અને પરમાત્મગુણોનું આલંબન લઈ પોતાના આત્માનો વિકાસ કરવા સાધક જિનમંદિરે પરમાત્માનાં દર્શન-પૂજા કરવા જાય છે. આવા સાધકને પરમાત્મપૂજા નિમિત્તે અંતરમાં રહેલા આત્મા સાથેનું અનુસંધાન જાગૃત થાય એ માટે દુહાઓની રચનામાં પ્રભુગુણગાન સાથે જ આત્મગુણોનું આલેખન દર્શાવવામાં આવ્યું છે. સર્વપ્રથમ અષ્ટપ્રકારી પૂજામાંની જળપૂજા જોઈએ : જ ૧૫૮ ૧૭ - For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ છ0 C જ્ઞાનધારા 'જળપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ; જળપૂજા ફળ મુજ હજો, માગું એમ પ્રભુ પાસ.' (હે સાધકો) આ જળપૂજા યુક્તિપૂર્વક કરો, જે કરવાથી અનાદિનો કર્મમળરાગદ્વેષરૂપ સહજ મેલ વિનાશ પામે. આ જળપૂજાનું - આત્મશુદ્ધિરૂપ ફળ થાઓ એવું પ્રભુ પાસે માગીએ છીએ. ચંદન દ્વારા સંસારઅટવીમાં આત્મા માટે શીતળતા, પુષ્પ દ્વારા આત્મા માટે સુગંધીપણું, કોમળતા, કામવિજય, ધૂપ દ્વારા કર્મદહન અને મિથ્યાભાવથી મુક્તિ, દીપક દ્વારા જ્ઞાનરૂપ જ્યોતિ, અક્ષત દ્વારા આત્મગુણોની પૂર્ણતા અને અખંડિતતા, નૈવેદ્ય દ્વારા અણાહારીપણું અને ફળ દ્વારા મોક્ષફળની અભિલાષા વ્યક્ત કરવામાં આવે છે. આ દ્રવ્યપૂજા બાદ સાધક પરમાત્માની ભાવપૂજામાં પ્રવૃત્ત થાય છે. આ ભાવપૂજામાં શાસ્ત્રોક્ત નમુત્થણ' આદિ સૂત્રો દ્વારા પરમાત્માની ગુણસ્તવના ક્ય પછી સાધક-આત્મા પરમાત્માની મધુર સ્વરે ગુણસ્તવના કરે છે. સંસ્કૃત-પ્રાકૃત આદિ સ્તોત્રોની સાથે જ આપણા કવિઓએ વિપુલ માત્રામાં ગુજરાતી ભાષામાં સ્તવનો રચ્યાં છે. આ સ્તવનોમાં પરમાત્મગુણોની સ્તવના કરતા, પરમાત્માના સ્વરૂપનું દર્શન કરતા આ ભક્તિકવિઓએ પરમાત્મસ્વરૂપ અને પોતાના સ્વરૂપના ઐક્યનું દર્શન કર્યું છે. સાધનામાર્ગમાં આગળ વધેલા સાધકો નિત્ય ઉપાસનામાં આવાં અર્થગંભીર સ્તવનોનું ગાન કરવાનું રાખે, તો એની સર્વ ક્રિયાઓ અત્યંત જીવંત અને અર્થપૂર્ણ બની રહે. પરમભક્તિયોગી ઉપાધ્યાય યશોવિજયજીની સ્તવનરચનાઓ પ્રભુ સાથે ભક્તિનો રંગ લગાડવાનું ઉત્તમ માધ્યમ છે. પ્રભુ સાથે એક વાર ભાવભક્તિનો નાતો બંધાઈ જાય, પછી સાધકના આત્મામાં પ્રભુગુણોનો પ્રવેશ થાય. ગુણિયલ સંગે આત્મા પણ ગુણવાન બની જાય. આમ, આત્મગુણોના વિકાસની પ્રક્રિયાને શ્રી અનંતનાથ સ્તવનમાં કવિએ સુંદર રીતે આલેખી છે : ઉત્તમ ગુણ અનુરાગથી, લહુએ ઉત્તમ કામ રે, ઉદબિંદુ સાયર ભળ્યો, જિમ હોય અખય અભંગ રે. પ્રભુ ગુણોના ભંડાર છે, એની સાથે મૈત્રી કેળવનાર પ્રભુ જેવા જ બની જાય - ૧૫૯ ૧૭ For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ © © જ્ઞાનધારા 02796 છે. સાગરમાં ભળેલ બિંદુ પણ સાગર જ બની જાય છે. કવિ પ્રથમ પ્રભુના અંશને પોતામાં જુએ છે, પણ પછી પ્રભુ અને પોતાની વચ્ચે શુદ્ધ દષ્ટિએ નીરખતાં, સાધક કોઈ ભેદ જોતો નથી. - આ પ્રક્રિયાનો પ્રારંભ પ્રથમ તો પરમાત્માના ગુણસ્મરણ અને પોતાનાં દોષદર્શનથી થાય છે. આ પ્રક્રિયાને વિજયલક્ષ્મી સૂરિ સુમતિનાથ સ્તવનમાં સુંદર રીતે ગૂંથે છે : સુમતિ જિર્ણોસર ! પ્રભુ પરમાતમ તું પરમાતમા! તું શુદ્ધાતમ, સાહેબા ! વિનંતી અવધારો, મોહના! પ્રભુ પાર ઉતારો. ૧. તુમે જ્ઞાનાદિક ગુણના દરિયા, અનંત અક્ષય નિજભાવમાં ભરિયા ૨. સહેબા તમે શબ્દાદિક ગુણો નિઃસંગી, અડે પિણ તેહના સંગી. ૩. સહેલા તુમે ઉત્તમ ગુણઠાણે ચઢિયા, અમહે ક્રોધાદિ કષાયે નડિયા. ૪. સહેલા અમ મતિ ઇંદ્રિયવિષયે રાચી, તમે અનુભવરસમાં રહ્યા માચી. ૫. સહેબા, અમે મદમાતંગને વશ પડિયા, નવિ તુમે તો તલનાત્ર આભડિયા. ૬. સહેબા, તુમે જગશરણ વિનીત સુજાણ, તુમ જગ ગગનવિકાસના ભાણ. ૭. સહેલાઇ તુમે અકલંક અબીહ અકોહી, તુમે જડસંગ ન રાગી ન મોહી. ૮. સહેબા અતિન્દ્રિય સ્યાવાદ વાગીશ, સહજાનંત ગુણપજવ ઈશ. ૯. સહેબા, અલખ અગોચર જિન જગદિશ, અશરણ શરણ નાયક અનિશ. ૧૦. સહેબા, તે માટે તુમ ચરણે વિલગ્યો, એક પલક નહિ રહિશ્ય અલગ. ૧૧, સહેબા, સૌભાગ્યસમસૂરિ ગુણ વાઘ, જિન સેવે તે જન સાધ્યતા સાથે. ૧૨. સહેબા, કાવ્યના પ્રારંભે પ્રભુની પરમાત્મા’ કહીને સ્તુતિ કર્યા બાદ તરત જ શુદ્ધાત્મરૂપે પરમાત્માને ઓળખાવે છે. જેનો આત્મા રાગદ્વેષથી અલિપ્ત થયો છે એવા શુદ્ધાત્મસ્વરૂપ પરમાત્મા મારી વિનંતી સાંભળો, મને આ સંસારસમુદ્રથી પાર ઉતારો. એવી પ્રાર્થના કર્યા બાદ, કવિ પરમાત્માના આંતરિક ગુણોની સ્તવના કરે છે. આ ગુણોને પ્રભાવે પરમાત્મા શુદ્ધાત્મ છે અને સાધક સંસારમાં ભટકનાર અશુદ્ધાત્મા છે. For Personal & Private Use Only. Page #162 -------------------------------------------------------------------------- ________________ TOC જ્ઞાનધારા GOOGO પ્રથમ પરમાત્માના જ્ઞાનગુણને વર્ણવતાં કહે છે, તમે જ્ઞાનાદિક ગુણના ભંડાર છો. આ જ્ઞાનાદિક ગુણ અનંત, અક્ષય છે અને આ અઢળક સમૃદ્ધિ આપની પાસે હોવાથી સ્વસ્વભાવમાં સ્થિર થયા છો. બહારના કોઈ પૌદ્ગલિક પદાર્થોની સ્પૃહા કે અપેક્ષા રહી નથી. અહીં જ્ઞાનદિક ગુણમાં આદિ શબ્દથી પ્રભુનાં અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય આદિ પરિપૂર્ણતા પામેલા ઉત્કૃષ્ટ ગુણોનું દર્શન કરવાનું છે. આ જ્ઞાનાદિક ગુણમાં એટલે કે નિજભાવમાં રમણતા હોવાથી, પંચેન્દ્રિયના રિષય એવા શબ્દ, રસ, ગંધ, દર્શન, સ્પર્શ આદિમાં કોઈ જોડાણ રહેતું નથી. આમ પૌદ્ગલિક ઈન્દ્રિયજન સુખોની સ્પૃહાથી પરમાત્મા તદ્દન અળગા છે, ત્યારે સાધક તો સ્વપ્નમાં પણ ઇન્દ્રિયના અનુભવમાં જ ડૂબેલો છે. સાધકની કેવી સરળતા! પોતાની જાતનો આવો નિખાલસ એકરાર જ સાધકને સાધનાની ઊંચાઈ પર લઈ જાય છે. ચોથી કડીમાં કવિ કહે છે, તમે ઉત્તમ ગુણસ્થાનક પર જઈ વસ્યા છો અને અમે... અમારી સાધનામાં ઊંચે ચઢવા જઈએ ત્યાં ક્રોધાદિક કષાયો અમને નડી રહ્યા છે. આથી ગુણસ્થાનકોમાં જે ઊર્ધ્વરોહણ થવું જોઈએ તે થતું જ નથી. અમારી મતિ આને લીધે ઇંદ્રિયોના વિષયોમાં જ સુખનો અનુભવ કરતી ડૂબેલી રહે છે, ત્યારે તમે પોતાના આત્મગુણોની ગહનતામાં ડૂબી શુદ્ધ સ્વરૂપના અનુભવમાં લયલીન બનો છો. અમારી પૌદ્ગલિક વસ્તુઓમાં જ આનંદ માણવાની વૃત્તિને લીધે વિવિધ પ્રકારના મદોમાં અમે ડૂબેલા રહીએ છીએ, ત્યારે હે પ્રભુ! તમને આ મદનો સ્પર્શ પણ થતો નથી. તમે વિષય, કષાય, મદ આદિ દુર્ગુણોથી દૂર થયેલા છો અને જીવને આ કષાયોથી દૂર થવાનો માર્ગ દેખાડવાનું સામર્થ્ય ધરાવો છો. માટે જ તમે જગતને માટે શરણરૂપ છો અને આ જગતરૂપી ગગનને પ્રકાશમાન કરનારા સૂર્યસમાન છો. તમે કર્મરૂપી કલંકથી મુક્ત હોવાથી અકલંક છો, કોઈથીય ભય ન પામનાર હોવાથી અબીહ છો, વળી અક્રોધી છો, વળી આ જગતના જડ પદાર્થોમાં તમે રાગ બને મોહને ધારણ કરનારા નથી. તમે અનુભવમાં ડૂબેલા હોવાથી અતિન્દ્રિય છો અને સ્યાદ્વાદ દર્શનની For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ OCCC જ્ઞાનધારા OTOGO વાચાના સ્વામી હોવાથી “વાગીશછો, વળી સહજ અને અનંત એવા અનેક ગુણપર્યાયના ગુણોની વિભિન્ન અવસ્થાઓના સ્વામી છો. અશરણના પરમશરણ અને નાયક છો, વમી ‘અનિશ” એટલે કે સૂર્ય જેવા તેજસ્વી છો. તમે અલખઅલક્ષ્ય એવી સિદ્ધિગતિને વરેલા છો અને સિદ્ધરૂપે અગોચર દશાને પામ્યા છો, પણ તમારા ઉત્તમ ગુણોથી આકર્ષાયેલા અમે તમારા ચરણને એટલે કે તમારા માર્ગને સેવીએ છીએ. પ્રભુ! અમે તમારાથી એક પળ પણ અળગા નહિ રહીએ. આવા પ્રભુની સેવા કરનારના સૌભાગ્ય અને લક્ષ્મીરૂપ ગુણ વધે છે (અથવા કર્તા સૌભાગ્યસૂરિ શિષ્ય વિજયલક્ષ્મીસૂરિ)ને પ્રભુ ઉપાસના કરવાથી ગુણની વૃદ્ધિ થઈ છે અને જિનની સેવા કરનારજન સાધ્યતાને એટલે કે આત્મત્ત્વને સાધનાર બને છે. અહીં તો, કેવળ એક દષ્ટાંતરૂપે એક સ્તવનની વાત કરી, પણ ભૂમિકા ભેદે ઉપાધ્યાય યશોવિજયજી, દેવચંદ્રજી, આનંદઘનજી આદિ અનેક કવિઓએ સાધકઆત્માને સાધનામાં જોડાણ થઈ આત્મસતત્ત્વના ધ્યાનમાં ડૂબી, આત્મદર્શનના પંથે વિચરે એ માટેની ભરપૂર સામગ્રી ઉપલબ્ધ કરી આપી છે. અહીં, સાધકોને માર્ગદર્શન મળી રહે એ માટે કેટલાંક એવાં ઉત્તમ સ્તવનોની યાદી રજૂ કરું છે. સાધકો આ સ્તવનોનું વાચન કરી સાધનામાં આગળ વધે તેમ જ જૈન સંઘમાં આવાં ઉત્તમ સ્તવનોનું ચિંતન-મનન-નિદિધ્યાસનમાં વૃદ્ધિ થશે, તો ભક્તિના માર્ગે ઉત્થાન અનુભવતો આત્મા પરમાત્મા સાથે અભેદનો અનુભવ કરનાર બનશે. આત્માનું વિસ્મરણ નહિ થાય, સતત સ્મરણ રહેશે. યશોવિજયજી ક્ત ભાવપૂજા વર્ણવતું પાર્શ્વનાથ ભગવાનનું ૨૫ ગાથાનું સ્તવન પ્રારંભ - ચિદાનંતઘન - - પરમ નિરંજનછ (પાર્શ્વનાથ સ્તવન) , આનંદઘનજી કૃત ૧૬, ૧૮, ૨૦મું સ્તવન ૧૬મું સ્તવને આત્માના શાંતરૂપને પ્રાપ્ત કરવાનો ઉપાય દર્શાવે છે. * ૧૮મું સ્તવન આત્માના વિશુદ્ધ રૂપને દર્શાવે છે. ૨૦મું સ્તવન દાર્શનિક વિવાદ છોડી આત્મતત્ત્વ પર સ્થિરતા કરવાનું માનવિજયજી કૃત ૬, ૭, ૮, શું સ્તવન. For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ OCC જ્ઞાનધારા 02796 પિંડ, પદસ્થ રૂપ0, રૂપાતીત આદિ ધ્યાન દ્વારા સાધનામાર્ગનું દર્શન. ખાસ કરીને ૯મા સ્તવનમાં થયેલી આત્માના શુદ્ધ સ્વરૂપનું આલેખન. દેવચંદ્રજી કૃત સમગ્ર ચોવીશી - આત્મદર્શનને કરાવે હૈ, એમ છતાં નવમું સ્તવને, ત્રેવીસમું સ્તવન. આ સ્તવનોનો આત્માર્થી નિરંતર પાઠ કરે અને જૈન સંઘમાં આ સ્તવનોનો પ્રચાર-પ્રસાર વધુ થાય તો સ્વાભાવિક રીતે જ વીસરાયેલ મૂળ માર્ગ ‘આત્મતત્ત્વ તરફ ભક્તિના માધ્યમથી લોકો જોડાય. • - સાધકોને આત્મતત્ત્વ તરફ જોડવાના અનેક માર્ગો અને ઉપાયો છે. અહીં, મેં મારા નાનકડા આ લેખમાં એક ઉપાય સ્તવનરૂપ ભાવપૂજા તરફ અંગુલિનિર્દોષ કર્યો છે. For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ યુવાનોને ધર્માભિમુખ દિન દર્શનના અભ્યાસ કરવાની સમ્યફ દિશાઃ ડૉ. દીક્ષાબહેન આણંદની જે. એમ. પટેલ રિસર્ચ આંતરશુદ્ધિકરણ પરત્વે | ઇન્સ્ટિટયૂટમાં અનુસ્નાતક નિજી અભિવ્યક્ત | સંસ્કૃત વિભાગનાં અધ્યક્ષા છે. તેઓ જૈન સાહિત્યમાં છે ડૉ. દીક્ષા એચ. સાવલા | જ્ઞાનસત્રમાં શોધ પત્રો રજૂ સૌપ્રથમ જેના વિશે વાત કરવાની છે તેવા છે. યુવાનોને આજના યુગમાં કેવી રીતે ધર્માભિમુખ કરી શકાય ? તો આવા વિષયની પસંદગી તરફ જ્ઞાનસત્રના સંયોજક/સંપાદકશ્રીના ચોક્કસ અંગુલિનિર્દેશ છે, કારણકે યુવાનોને ધર્માભિમુખ કરવા ખૂબ જ જરૂરી છે. કહેવાયું છે કે, યુવાન વયમાં જ્ઞાનનો છોડ નહીં વાવીએ તો વૃદ્ધાવસ્થામાં એની છાયા મળશે નહિ તેમ જ સ્વામી વિવેકાનંદે પણ કહ્યું હતું, “મને દસ યુવાનો આપો અને હું દુનિયા બદલી નાખીશ.” આમ યુવાનોમાં શૂન્યમાંથી સર્જન કરવાની તાકાત રહેલી છે, જેના સથવારે સમાજ-રાષ્ટ્રને આપણે ઊર્ધ્વગામી બનાવી શકીએ અને યુવાનો પાસેથી ઘણું માગીશું તો ઘણું મળશે અને ઓછું માગીશું તો ઓછું મળશે, પરંતુ એટલું ચોક્કસ છે કે, યુવાનો પાસેથી માગશું એટલું તો મળશે જ. તો ચાલો, આજના ફાસ્ટ-ફેશનયુગમાં યુવાનોને ધર્માભિમુખ કેવી રીતે કરી શકાય અને એ માટે આપણે શું કરી શકીએ ? આજનો યુવાન ડગલે ને પગલે હારી જાય, નિરાશ થઈ જાય છે. ડિપ્રેશનનો ભોગ બની જાય છે. તો એ યુવાનોને આપણે એક ચોક્કસ રાહ ચીંધવાની જરૂર છે. યુવાનો તો ભાવિ છે, તો ભાવિને સમૃદ્ધ બનાવવા શું આપણે પ્રયત્નો નહીં કરીએ? ' . સૌપ્રથમ મારા આજના અભ્યાસલેખમાં મારે યુવાનોને ધર્માભિમુખ કરવાના પ્રયત્નો કરવાના છે, તો એના પાયામાં ધર્મ વિશેની સાચી સમજ ઇત્યાદિ પ્રશ્નો રહેલા છે. એ પ્રશ્નોના પ્રત્યુત્તરથી આજે હું મારા શોધપત્રને રજૂ કરીશ, કારણકે આ વિષય પરત્વે યુવાનોના દષ્ટિકોણ, એમનાં મંતવ્યોને જાણવા પણ જરૂરી બની રહે છે. આ વિશે મેં સૂક્ષ્મ રીતે જાણવા માટે પ્રશ્નાવલિનો સથવારો લીધો છે. " ૧૬૪ - - - - For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ SSCC ાનધારા GOOGO મારી કોલેજમાં સ્નાતક તેમ જ અનુસ્નાતક કક્ષાએ પ્રશ્નાવલિ દ્વારા એનાં મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. શરૂઆત કરીએ ધર્મ શબ્દથી. ધર્મ એ તો ગગન સિદ્ધામ-વ્યોમ જેવો વિશાળ છે. જે બધાને સમાવી લે તેનું નામ ધર્મ. બુભક્ષા,“ મુમુક્ષા જગાડે તે ધર્મ. આજના યુગમાં ધર્મ નામે ગ્રુપ બનાવી દીધેલ છે, પરંતુ ધર્મ તો ખરેખર ધૂ-ધારયતિ શબ્દ પરથી ઉતરી આવેલો છે. જે સત્યને ધારણ કરનાર છે તે ધર્મ કહેવાય. ધર્મ માણસને અભય બનાવે. ધર્મ વ્યક્તિને સમવાદ શીખવે. ભ્રમથી બ્રહ્મ, ભોગથી ત્યાગ, રતિથી વિરક્તિ, અધ્યારોપથી અપવાદની યાત્રા એ ધર્મ. ધર્મ એટલે હિંદુ ધર્મ, મુસ્લિમ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, જરથુસ્ત ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ ઈત્યાદિ ધર્મો. પરંતુ એનાથી ઉપર એક ધર્મ છે, જે છે સ્વધર્મ, માનવધર્મ, સ્વરૂપધર્મ. આજના યુગમાં ભૌતિક જીવનમાં તો બહુ અટવાયો, પણ હવે આપણે ખુદમાં કેટલું રમણ કર્યું છે એ પાયાનો પ્રશ્ન છે. ધર્મ એટલે માત્ર જાપ-તપ-તિલક આદિ સુધી એનો અર્થ સીમિત ન રહેતા એથીય ઉપર ધર્મ તો સૂક્ષ્મ બાજુને વિકસાવવાનું કાર્ય કરે છે. આજના યુગમાં એની તાતી જરૂરિયાત છે. યથા મતિ-ગતિ હું ધર્મની વાત કરીશ. આપણે તો સંસારમાં ધર્મ એટલે સ્થૂળ અર્થને પકડીને આ જીવનરૂપી મહાસાગર પાર કરવા નીકળ્યા છીએ, પરંતુ હલેસારૂપી વહાણમાં સૂક્ષ્મ દષ્ટિથી ધર્મના સથવારે ચાલીશું તો ચોક્કસ આપણા યથાસ્થાને પહોંચી શકીશું. મૂર્તિપૂજા-તપ-જપ ઈત્યાદિ ધર્મના જ્ઞાનને સમજવા માટે જરૂરી જ છે. એમાં બેમત નથી, પરંતુ થાય છે એવું કે આપણે એને જ ધર્મ માનીને “કંઈક' વીસરી રહ્યા છીએ. તો વીસરેલા તત્ત્વને સાથે રાખી ચાલશે તો ચોક્કસ આપણને સફળતારૂપી મોતી મળશે જ. પણ જરૂર છે થોડું અલગ રીતે વિચારવાની, સમજવાની અને આપણે તો "સપ્તભંગીનયના’ ચીલે ચાલનારા છીએ તો આ ધર્મ ક્ષેત્રે કેમ પાછા પડીએ. તો ચાલો કેળવો સૂક્ષ્મદષ્ટિને. જીવનમાં ઘણા શબ્દો એવા છે, જેના પર લખવું હોય એટલું લખી શકાય. આમાંનો એક શબ્દ તે ધર્મ છે. ધર્મની વાત કરીએ તો આપણે જે ધાર્મિક ક્રિયાઓ કરીએ છીએ એના ચોક્કસ ઉદ્દેશો રહેલા હોય છે. એ અર્થનો આત્મસ્વીકાર તો કરવો જ રહ્યો. તો જ આપણે સૂક્ષ્મ - ૧૬૫ ૧ For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ©©© જ્ઞાનધારા ૭૦ ધર્મને પામ્યા છીએ એવું કહી શકાય. તો ચાલો, યુવાનોને ધર્માભિમુખ કરવાની સમ્યફ દિશા તરફ પ્રયાણ કરીએ. ઘર્મ માત્ર પોથીમાં પુરાઈ રહે તો રાષ્ટ્રનું કલ્યાણ ન થઈ શકે, ન આત્માનું કલ્યાણ થાય, ન સમાજનું કલ્યાણ થઈ શકે. માટે ધર્મને પ્રેક્ટિકલ લાઈફમાં લાવો. જરૂરિયાતમંદ વ્યક્તિની સેવા કરો, ઉદાસીન વડીલના મોઢા પર એક સ્મિત લાવો અને પરસ્પર એકબીજાના તાંતણે બંધાતા રહીએ. એકબીજાની મુશ્કેલી જાણો અને એને દૂર કરે તો હું માનું છું કે તમે ધર્મનો યથાયોગ્ય ઉપયોગ કર્યો કહેવાશે. બાળક ગર્ભાવસ્થામાં હોય ત્યારે જ એનું જતનપૂર્વક ચિંતન કરો એટલે મૂળગત સંસ્કારો એમાં આવિર્ભત થશે. વ્રત, જપ, તપ, કથાઓ, સારા પ્રસંગોનું વાંચન ઇત્યાદિ વાંચન રાખો, જેથી ધર્મનું સિંચન કરી શકાય. ધર્મ બાળકમાં નાનાપણથી જ પેદા થાય એ માટેના પ્રયાસ ચોક્કસથી કરવા રહ્યા. બાળક જપ, તપ, દેરાસર, પાઠશાળા ઈત્યાદિમાં યથાશક્તિએ જતો થાય તેવા પ્રયત્નો ચોક્કસ કરવાના રહેશે. તિલક કરતો થશે પછી આપણે એના અર્થને સમજાવી શકીશું. ધીમેધીમે એ પણ ખયાલ આવશે કે તિલક એ મેકઅપ નથી, પરંતુ દેહનું ચેકઅપ છે. આવાં ગૂઢ રહસ્યો સુધી આવી ક્રિયાઓથી કરી શકાશે. માટે સૌથી પહેલા એને આ પ્રારંભિક તબક્કામાંનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે જેથી ધર્મના બોધને પામવા આ ક્રિયાઓમાં અભિરુચિ કેળવે એ ખૂબ મહત્ત્વનું છે. જેમ મદાલસાના પુત્રોએ આઠ વર્ષે વૈરાગ્ય ધારણ કર્યું હતું. આજના યુગમાં બાળક જન્મે છે જ ફાસ્ટ લાઈફમાં. લાડી-ગાડી-વાડીના મોહમાં ધર્મ ભુલાઈ ગયો છે. યાદ કરો ત્રણ વાણિયાનું દટાંત. આધુનિક વાતાવરણમાં બાળક જીવી રહ્યાં છે. એવાં બાળકો પહેલાંથી જ એપલ, B બ્લ્યુટૂથ, c-સીડી, ઈ-ડિવાઈડર, Eઇન્ટરનેટ, T-ટેબ્લેટ, wવોટસએપ આવા શબ્દોરૂપી મોહમાં જકડાઈ ગયાં છે, તો આ પરિસ્થિતિમાં આપણે ધમનાં મૂલ્યોનું સિંચન પણ જરૂરી છે. આવી પરિસ્થિતિમાં આપણે ધર્મનાં મૂલ્યોનું સિંચન અતિઆવશ્યક છે. અ-અહિંસા, દ-દયા, ક-કરુણા, વ-વિનય, ક્ષ-ક્ષમા જેવા શબ્દો પણ બાળકને શીખવીએ, કારણકે નાનપણથી બાળક આવા શબ્દો બોલશે તો ચોક્કસથી એ શબ્દના અર્થને પણ પામશે અને શબ્દના પણ પોતાના વાઈબ્રેશન - ૧૦૬ - For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ SI૭૯ જ્ઞાનધાર 0260 હોય છે જેથી બાળકમાં ધર્મરૂપી કક્કાના મૂળ આપણે રોપી શકીએ અને એ શબ્દોના અર્થથી અવગત કરાવી શકીએ. પ્રવર્તમાન યુગમાં મૂર્તિઓની આપણે પૂજા તો કરીએ છીએ, પણ મૂર્તિમાં રહેલા ભાવને પામવાની કોશિશ કરીએ છીએ ખરા ? એ પ્રશ્ન પાયાનો છે. દા.ત. મહાવીરની પૂજા તો આપણે કરીએ, પણ એમનામાં રહેલા અહિંસાસમાનો પણ આપણામાં આવિર્ભાવ કરવાનો છે. એ સત્યને કેમ વીસરી શકાય. જેમકે, • વિવેકપૂર્ણ જીવન જીવવું હોય તો ગણેશની પૂજા. • પ્રકાશમાં જીવવું હોય તો સૂર્યપૂજા. • વિશાળ દષ્ટિ કેળવવી એ વિષ્ણુપૂજા. • શ્રદ્ધાપૂર્વક જીવવું એ દુર્ગાપૂજા. • સંયમ રાખવો એ હનુમાનપૂજા. • સંતોષ રાખવો એ સંતોષીમાની પૂજા. • જીવનમાં ક્ષમા લાવો એ મહાવીર-ઇસુની પૂજા. • શ્રદ્ધા-સબૂરી એ સાંઈબાબાની પૂજા. • સત્યની પૂજા એ સર્વેની પૂજા • નારીનું પૂજન આદ્યદેવીની પૂજા. આવા તો અનેકાનેક ગુણોનો આપણામાં આવિર્ભાવ કરવાની જરૂર છે. નામ અને મૂર્તિ તો માત્ર નિમિત્ત છે, પણ આપણે એના ગુણ સુધી પહોંચવાની દરકાર કરતાં નથી. આજે આપણે મહાવીર જયંતી તો ધામધૂમથી ઊજવીએ છીએ, પરંતુ એમના વિચાર અને આચરણ તરફ પણ આપણાં ડગ માંડવાં જોઈએ. આપણે પ્રભુને માનીએ છીએ, પણ પ્રભુના કેટલા થયા છીએ? એ પ્રાણપ્રશ્ન છે અને હા, દા.ત. રાવણ એ દશમુખી (દશાનન) હતો. એ પરત્વેની સાચી માહિતી આપણે જાણતા નથી, પરંતુ રાવણ-દહનમાં આપણે ઉત્સાહભેર ભાગ લઈએ છીએ, પરંતુ રાવણ પરમ શિવભક્ત હતો અને દશાનનનો મતલબ દશમુખ તો ખરો, પણ દશમુખ જેટલી પ્રતિભા ધરાવનાર એટલે કે ૪ વેદ વેદાંગ (કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ, નિરુક્ત, શિક્ષા)નો સર્વાંગીણ અભ્યાસુ હતો. For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા માટે દશાનન કહેવાયો, એ અર્થને પણ આપણે પામવો જોઈએ. એકમાત્ર સ્થૂળ અર્થમાં નથી જોવાનો, પણ એનાં સૂક્ષ્મ પાસાંને પણ આપણે જોવાની દૃષ્ટિ કેળવવી પડશે. સોમથી રવિ સુધી આજે આપણે મંદિરોને વિભાજિત કરી દર્શન કરવા લાઈનમાં ઊભા રહેવા વ્યસ્ત થઈ ગયા છીએ. આવા મૂર્તિપૂજક તો બનીએ છીએ, પણ મૂર્તિમાં રહેલા એ ભાવને પણ આપણે આપણા જીવનમાં ઉતારીએ એ વધુ મહત્ત્વનું છે. તો આપણું ભાવિ ઉજ્વળ બની શકશે. આમ યુવાનોએ સૂક્ષ્મ રીતે ધર્માભિમુખ થઈ અન્યોને પણ મૂલ્ય સમજાવવું રહ્યું. ઘરમાં-સમાજમાં ધર્મપ્રેરક બળ પૂરું પાડવું જોઈએ. જેમ કે, પર્યુષણાદિમાં ઉલ્લાસભેર ભાગ લેવો, કલ્પસૂત્રો ઇત્યાદિનું રહસ્ય જાણવું, વ્રત-જાપનાં કારણો સમજાવવા, કંદમૂળોનો ત્યાગ એ અભક્ષ્ય છે માટે, પરંતુ કંદમૂળોનો વૈજ્ઞાનિક રીતે ત્યાગ એનાથી પણ લોકોને જ્ઞાનસભર કરવા જોઈએ. તીર્થંકરોનાં જીવનવૃત્તાંત વિશે પણ સાંભળી અને અન્યને એમના દષ્ટાન્ત દ્વારા જીવનપાથેય કરાવવું જોઈએ. કર્મ વિશેનાં ઉદાહરણ પૂરાં પાડી એના વિશે માહિતીસભર બનાવવા જોઈએ. આવા સિદ્ધાંતો ફક્ત ગ્રંથસ્થ ન બની રહે, પરંતુ હૃદયસ્થ બને એ જરૂરી છે. આમ તત્ત્વનું શોધન કરવું, એનું અભિનિવેશ કરવું એનાથી આપણું ભાવિ ઉજ્વળ બની રહે. ન ધર્મ તો ધારા છે, જે હંમેશાં વહેતી હોવી જોઈએ. ખાબોચિયામાં રહેલું પાણી દૂષિત થાય, કીટાણુ થાય, પણ જો નદીની જેમ પ્રવાહિત રહે તો, નિર્મળસ્વચ્છ બની રહે તો આપણું જીવન પણ નદીની જેમ નિર્મળ બનાવવું જોઈએ એવમ્ સ્વચ્છ બનાવવું જોઈએ. બાહ્ય શુદ્ધ તો રહીએ જ છીએ, પણ આંતરિક શુદ્ધ એ પણ સ્વ-ધર્મ છે. આપણા જીવનમાં ધર્મ અમુક કાળે જડતાભર્યો બની જાય છે એટલે કે એકબીજાની દેખાદેખી કરીને વ્રત, જપ, તપ ઇત્યાદિ કરી લઈએ છીએ એ જડતા છે, પરંતુ મન નિર્માલ્ય કરી આપણે ઉપવાસ કરી મનને શાંત રાખવું અને પ્રભુમય બનાવવું એ ખરો ઉપવાસ છે. એ જ આત્મધર્મ છે. ધીમેધીમે આપણું મન બાહ્ય જગતમાંથી દૂર થઈ આંતરિક જગતમાં પ્રવેશે એ એનું પ્રયોજન હોય છે તો એ ભાવ કેળવવો ખૂબ જરૂરી છે જે પાયાની સમજ રીતે કરી શકાય. જ ૧૬૮ For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ NOC જ્ઞાનધાર તત્કાળ યુગમાં ચારેબાજુ ધર્મગુરુ વિરુદ્ધ દેખાય થાય, પણ ત્યાં આપણી તટસ્થ બુદ્ધિથી સૂક્ષ્મ અવલોકન કરી જડતાભર્યા વ્યવહારોને બદલે સુજુતાભર્યા વ્યવહારો અપનાવવા જોઈએ અને દરેક ધર્મને આદર આપવો, કારણકે દરેક ધર્મમાં એક પુભ-એક ઈશ્વર-એક પયગમ્બર-એક ઈસુ થયા છે. આપણને જે ધર્મ પ્રત્યે અભિરૂચી હોય-આસ્થા હોય પણ એ પ્રભુના ગુણોને આપણા જીવનમાં લાવવા પ્રયત્ન કરો. એમનાં જીવનચરિત્રોને, મૂલ્યોને હૃદયસ્થ કરો. જો પ્રભુને આપણા હદયમાં બિરાજમાન કર્યા હોય તો ત્યાં શરીરને પણ સ્વચ્છ રાખવું, જેમકે દેહમાં રહેલા મનના શત્રુ જેવા કે રાગ, દ્વેષ, મોહ, માયા, અસૂયા વગેરેનો પણ ત્યાગ કરવો જરૂરી છે. તો જ આપણે હૃદયકમળમાં પ્રભુને બિરાજમાન કરી શકીશું. આખરે તો આપણી જીવનયાત્રામાં મંજિલ તો એક જ છે વીર માઁ » પાની સવ મૈત્રા . ધર્મનો ક્યારેય પ્રચાર-પ્રસાર હોય ખરો ? એ તો અનુભૂતિનો વિષય છે. તો પછી પ્રચાર-પ્રસારની શી જરૂર ? શું આપણે વોટબેન્ક બનાવવી છે કે પ્રચાર-પ્રસારની જરૂર પડે ? આ માર્ગ તો સૌકોઈ માટે ખુલ્લો છે. ફક્ત જરૂરી છે એના કોમળતમ્ ભાવોને હૃદયાવકાશમાં પ્રગટાવવાની જેથી આપણે માતરી મવા બની શકીએ અને અન્યને પણ અવગત કરાવી શકીએ. આજના યુગમાં દિવસે ને દિવસે શસ્ત્રોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે યુવાન મિત્રોને અપીલ છે કે કંઈ ઘર્મ ક્યારેય શસ્ત્ર નથી શીખવતો તો પછી આપણે ધર્મ માટે શસ્ત્રનો ઉપયોગ શા માટે કરીએ? આપણે તો શાસ્ત્રોના સથવારે સબુદ્ધિ ઈત્યાદિ ભાવોને કંડારવાની જરૂર છે. શાસ્ત્રોના વચનનું પાલન કરી ધનંદ પ્રાપ્ત કરવાનો છે. એ ધર્માનંદ કોને પ્રાપ્ત થાય જેમણે આચરણમાં - આચાર હોય, જેણે કર્મના રસને ઘોળ્યો હશે તેને ધર્માનંદ મળશે, અન્યથા નહિ. તો પછી આપણે નકકી કરવાનું છે કે આપણે ક્યાં જવું છે? ધર્મનાં સરળ સૂત્રો તો શુભ આચાર, શુભ વિચાર, શુભ ઉચ્ચાર, શુભ વ્યવહાર છે. આ ચતુઃસૂત્રીના સથવારે ધર્મને પામી શકાય. માટે વ્યક્તિ સમાજમાં રહીને ઘણુંબધું શીખતો હોય છે. સંગાથ-સહવાસ પણ જરૂરી છે. સારો સંગાથએક ગહન અસર જન્માવી જાય છે. માટે યોગ્ય સાથ હોવો જરૂરી છે. ક્યારેક • ૧૬૯ ૧ For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ SOCC જ્ઞાનધારા 026 સંત-સમાગમ, સંગાથથી આ જીવનનૈયાને પાર પાડી શકાય. જેમ શ્રી ભગવત ગીતામાં કહ્યું છે, ને વેલા યા હિ થઈશ્ય .... યુનાગદમ્ | ... જ્યારે જ્યારે અધર્મ ફેલાય છે, ત્યારે પ્રભુ જુદાંજુદાં રૂપ ધારણ કરી સંત-સજજનોનું દુઃખ દૂર કરવા સંભાવમ યુને યુગો આવે છે. તો આપણે આજના અધર્મને જોઈને કોઈ અવતારની રાહ નથી જોવાની. આપણે જ માનવઅવતારરૂપે અવતર્યા છીએ. તો શું આપણે અધર્મનાં તત્ત્વોને નાબૂદ ન કરી શકીએ? આવું જો થાય તો ચોક્કસ અવતારવાદને પણ આપણે વિરામ આપી શકીએ અને આપણામાં રહેલા નિજત્વને ઢંઢોળી ઉજાગર કરી શકીએ. ધર્મ વ્યક્તિને અભય બનાવે છે. વ્યક્તિ પૂજા-પાઠ કરીને આવે છે, છતાં તે ઘરમાં એકલો રહેતા ડરતો હોય છે. તો ધર્મથી અભયતા કેળવવાની જરૂર છે. જો ધર્મ હોય તો ભય રહેવાનો કોઈ અવકાશ જ નથી. જીવનની એક શોધ હોવી જરૂરી છે. શાંતિની, શક્તિ, ભક્તિ, મુક્તિની, પરંતુ એનો શોધક હોવો જરૂરી છે. મરજીવો પ્રયત્ન કરે તો મોતી મેળવે છે, પણ જે ડરીને કિનારે બેસી રહે છે એના હાથમાં કશુંય આવતું નથી, તો આપણે પણ કંઈક શોધન-ચિંતન-મનન-મંથન કરવું પડશે જેથી યોગ્ય રાહ કંડારી શકીએ, પરમવ્યોમ તરફ ગતિ કરી શકીએ. ॐ पूर्णमदः पूर्णामदं पूर्णात् पूर्णमुदच्यते । __ पूर्णस्य पूर्णभादाय पूणमेवावशिष्यते ॥ અર્થાત્ “બ્રહ્મ પરિપૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ લઈ લેવામાં આવે તો પણ પૂર્ણ જ બાકી રહે છે. આ તો ધર્મનું અનોખું ગણિત છે. ધર્મમાં ક્યારે પણ અપૂર્ણતા નથી. એક સીધું ઉદા. લઈએ. 1-1= 0 પણ અહીં તો કંઈ જુદું જ ગણિત 1-1= 01 આવું સુંદર ગણિત આપીને ગયા છે. તેમ છતાં આપણે વરસોમાં જીવનના હિસાબોમાં ભૂલ કરીએ છીએ. માટે જીવનમાં પ્રેમ, કરુણા, ક્ષમા, સમર્પણ કરીશું તો ખાલીપો નહિ, પરંતુ પૂર્ણતાને પામીશું. આવી ઉદાત્ત ભાવના આપણામાં હોવી જરૂરી છે. એ પણ ધર્મ છે અને એ ધર્મને જ જીવનની પરિકૃતિરૂપે સ્વીકારવું જોઈએ. જી ૧૭૦ ૧૭ For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ©2 જ્ઞાનધારા स्व धर्मे निघनं श्रयम् परधर्मे भयावहः । એ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે. ત્યાં પ્રશ્ન એ થાય છે કે સ્વધર્મ એટલે કર્યો ધર્મ ? આપણે જન્મ્યા છીએ એ ધર્મ ? એ તો છે જ, પણ જ્યાં ઊંડા ઊતરી જે સ્વરૂપનું ભાન કરાવે, નિજત્વનું દર્શન કરાવે એવા અર્થમાં ઘટાવું રહ્યું. આત્મદર્શન જ પોતાનો ધર્મ છે. એને કેળવવાની જરૂર છે : કહેવાયું છે ને, એક મૂરખને એવી ટેવ, પથ્થર દેખી પૂજે દેવ તુલસી દેખી તોડે પાન, જળ દેખી કરે સ્નાન કથા સુણીને ફૂટચા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. આપણામાં રહેલા ભ્રમને દૂર કરી બ્રહ્મની પ્રાપ્તિ એ જ જીવનનું સાફલ્ય છે. દા.ત. ગાંધીજીએ પ્રથમ સત્ય પરમાત્મા છે એવું કહ્યું, પરંતુ ત્યાર બાદ સત્યના પ્રયોગો કરતાં અંતે કહ્યું, સત્ય એ જ પરમાત્મા છે. તો અહીં ‘જ’ ચોક્કસાઈ – નિશ્ચિતતા બતાવે છે. એ એમણે અનુભૂતિથી રજૂ કર્યું. આપણા જીવનમાં પણ સત્ય-સ્વધર્મનું ચિંતન થાય તો એવું કહેતા મને અતિશયોક્તિ નહીં થાય કે દુનિયામાં જે દુરાચાર, વ્યભિન્નારો, ચોરી, લૂંટફાટ જેવાં દૂષણો વધી ગયાં છે એનો નિવેડો આપોઆપ આવી જશે. ફક્ત જરૂર છે મનને કેળવો અને આત્મચિંતન કરવાની જરૂર છે. યુવાનો, જ્યાં જ્ઞાતિનો વાડો નહિ, પણ એનાથી ઉપર ઊઠવું જોઈએ. આજે આપણાં બાળકો કૉન્વેન્ટ સ્કૂલમાં જતાં થયાં છે, A.PC. છાત્રાલયોમાં જતાં થયાં છે. ત્યાં જાય એમાં પણ વાંધો નહીં, પણ ત્યાં કોઈ સંપ્રદાયના વાડામાં ચુસ્તતાની ઘરેડમાં નહિ, પરંતુ સત્ય તો કેટલું વિશાળ-અપરિમેય છે. એને કોઈ વાડામાં પૂરી શકાતું નથી. માટે મુક્ત રીતે વિહરવા દો આ ધર્મ-જ્ઞાનરૂપી ગગનમાં. માટે સત્ય કોઈ કંઠી ધારણ કરવાથી કે કોઈ ધાર્મિક ચિહ્નો અંગીકાર કરવાથી નહિ આવે. એ તો માત્ર નિમિત્ત બને છે, પરંતુ જો આંતરજ્ઞાન દીવો બુઝાઈ જશે તો આપણને સર્વ જગ્યાએ અંધકાર જ દેખાવાનો છે. માટે આત્મપ્રકાશ કરી અને ધર્મના સૂક્ષ્મ અર્થને સમજવો જોઈએ. સ્વધર્મ એટલો એક એવો ધર્મ જ્યાં વિવાદ નહિ, પણ પ્રેમનો સંવાદ હોય. એકબીજા સાથે હળીમળીને રહેનારી ભાવના હોય. વસુધૈવ દુશ્ર્વમ્ - શુદ્ધ ૧૭૧ For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ JOBC જ્ઞાનધારા 0િ00 આચરણ હોય તો જ આપણે ધર્મના માર્ગે પહોંચી શકીશું, અન્યથા નહિ. ધર્મ એટલે શ્રદ્ધા, મૈત્રી, શાંતિ, તૃપ્રિ-પુષ્ટિ, ઉન્નતિ, ક્ષમા, તિતિક્ષા, સુમતિ હોય તેવા ધર્મને આપણે સ્વીકારવો જોઈએ. ટી.વી. સિરિયલોમાં આવતી ધર્મપ્રેરક ફિલ્મ, પ્રેરક પ્રસંગોને પણ જોવા જોઈએ, જેથી દશ્ય-શ્રાવ્ય માધ્યમોથી પણ આપણે પામી શકીએ. યુવાનોમાં કથા - પ્રસંગો પ્રત્યે પણ અભિરુચિ કેળવવી જોઈએ. જેમ પવવિભૂષણ ડૉ. કુમારપાળ દેસાઈજીના મુખે જે કથાનું રસપાન થાય છે તો એવા ભાવોને પણ હૃદયસ્થ કરવાની જરૂર છે. ' ધર્મ તો શુદ્ધ ચૈતન્ય છે. શુદ્ધ ચૈતન્યમાં આજનો યુવાન તામસી બની ગયો છે, એવા યુવાનોને સભાન કરવાની જરૂર છે. જીવનમાં ધર્મનો આવિર્ભાવ થશે તો દંગા-ફસાદ, લૂંટફાટ, ચોરી, ભ્રષ્ટાચાર વગેરે ચોક્કસ દૂર થશે. અત્યાર સુધી શસ્ત્રો જ ચાલ્યાં. પાવન કુરાને શરીફ જેવું કામ ન કર્યું તેટલું તલવારોએ કર્યું. પવિત્ર ભગવદ્ગીતા અને વેદોએ જે ન કર્યું તેટલું ધનુષ્યબાણે કર્યું. બાઈબલે જે કર્યું એનાથી વધુ તો બંદ્દો ચાલી. જો આવું હોય તો ધર્મને સૂક્ષ્મ રીતે શોધવાની જરૂર છે. વીર તો રણમાં જીતે એને કહેવાય. પણ આપણે તો રાગ દ્વેષ છતી અને મહાવીર થવાનું છે. એમના પંથે ચાલનારા છીએ તો પછી ઈર્ષ્યા, અસૂયા, રાગ-દ્વેષ આપણામાં હોય ખરાં ? મૂળ ધર્મના મર્મને પામી પ્રેમ-કર્મથી જીવનના મર્મ પિછાનવો જોઈએ. - યુવાનોએ ધ્યાન રાખવું ધાર્મિકતા કઈ કપડાથી નહિ, પણ કાળજાથી મપાય છે. આજના યુગમાં એટલે કે અતિઆધુનિક યુગમાં ફેશનવ્યસન-ટેન્શનમાં એટલા ખોવાઈ ગયા છીએ જેનાથી આંતરિક શુદ્ધિ તરફ બેધ્યાન બન્યા છીએ, તો આંતરશુદ્ધિ મહત્ત્વની છે. ધ્યાન, ધારણા, સાધના, મનન, ચિંતનથી આંતિરક શુદ્ધિ કેળવાશે જે ઊર્ધ્વગતિ પામવા સહાયક બની રહેશે. આપણે તો વિરાટ ધર્મરૂપી વૃક્ષનું રોપન કરવું છે, તો પ્રેમ, કરુણા, ક્ષમા જેવા ગુણોને પરિપ્લાન્વિત કરી યોગ્ય આચાર, વિચાર, વ્યવહાર સમાન કરી અને એનાથી ધર્મરૂપી વૃક્ષનું સિંચન કરીએ જેનાથી એ વૃક્ષની છાયામાં રહી શકીએ અને અન્યને પણ સહારો આપી શકીએ. ધર્મ એ શીખવાની વસ્તુ નથી, એ તો આપમેળે આપણામાં આવિર્ભત થશે. જેવા પડળ હટતા જશે તેમ તેમ ક ૧૭૨ છે For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ©ગ C જ્ઞાનધાર 0200 સમજાતું જશે, તેમ ધર્મ એ આપણો ગુણ બની જવો જોઈએ. જેમાં આવર્તન નહીં પરંતુ સમાવર્તન હોવું જરૂરી છે. સર્વધર્મભાવ છે, માટે કોઈ ધર્મનો વિરોધ ન હોય, પરંતુ એમના અર્થને પામવો જોઈએ. કબીર જાતિએ મુસ્લિમ હતા, પરંતુ એમને હિન્દુએ આવકાર્યા. ગુરુગ્રંથસાહેબ ગ્રંથમાં પણ “રામ' શબ્દનો અનેક વાર પ્રયોગ થયો છે. આખરે તો સૌ ધર્મનો ઉદ્દેશ એ શુદ્ધિકરણ'નો છે. '૩૦ કારને ઊંધું કરીએ તો ઉર્દૂમાં અલ્લાહ શબ્દ બને છે. આમ સર્વધર્મ સમભાવની દષ્ટિ કેળવવી જોઈએ. ધર્મ એ ઉન્નતિનાં પગથિયાં સમાન છે. જીવનના શિખર પર પહોંચવા એ પગથિયાંમાંથી પસાર થવું જ પડશે. દા.ત. અગ્નિ તો એક જ છે, પણ ભાવક એમાં ક્રિયા અનેક રીતે કરે છે. (૧) ટાઢ સામે રક્ષણ (૨) રસોઈ બનાવવા (૩) જો એ અગ્નિમાં શ્રદ્ધા ઉમેરો તો યજ્ઞ બની જાય તેમ આપણે પણ દષ્ટિ કેળવવાની જરૂર છે. દાન આપો તો હૃદય ખુલ્લું કરી દાન આપો (૪) જાપ-તપ ઇત્યાદિ તો છે જ પણ વાણીનું મૌનવ્રત પણ જરૂરી છે. આપણે જિનવાણી તો સાંભળીએ છીએ, પણ નિજવાણીને નથી સમજ્યા માટે જાગૃત થાઓ. આપણે આજના યુગમાં ચંદ્ર પર તો પહોંચ્યા, પણ આપણે શું આજુબાજુ જરૂરિયાતની જરૂરિયાતમંદ વ્યક્તિના હૃદયમાં પહોંચ્યા છીએ ખરા ? તો આ જ ખરેખર માનવધર્મ છે. જો આવા ગુણો આપણા હૃદયમાં લાવીએ તો ખરેખર સમગ્ર વિશ્વને પ્રકાશમય બનાવી શકીએ અને અન્યને અનુભૂતિ પણ કરાવી શકીએ. . જીવનમાં કેવી રીતે કરવું છે ? એ જો શીખી લેવાય તો જીવતા તો આપમેળે આવડી જશે. આ જ મનુષ્યધર્મની મહાનતાને સાબિત કરે છે. કેવી રીતે જીવવું એ પાયાની વાત છે. જેવી રીતે ધરતીનો ધર્મ ફરવું, વાયુનો ધર્મ વહેવું એ જ પ્રકારે ધર્મનો સ્વભાવ સત્ય છે. સત્યતા આહાર-વિચાર-વ્યવહારઉચ્ચાર-આધાર પર રહેલો છે. એ તત્ત્વોનો અંગીકાર કરવો જોઈએ. ઉ.દા. સોલોમન એ એક બુદ્ધિમાન માનવી હતો. સોલોમનને એક સુંદર યુવતી ગમી ગઈ. એની પાસે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. સ્ત્રીએ પરીક્ષા કરવાનું વિચાર્યું. બે હાથમાં ફૂલ લીધાં. એક સાચું અને એક કૃત્રિમ. એ બંનેમાંથી સાચા ફૂલનું પરીક્ષણ ૧૭૩ ૧૭ For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ TO જ્ઞાનધારા ૭૦ કરવાનું હતું, પરંતુ સોલોમન તો બુદ્ધિશાળી હતા. એમણે તો મહેલનાં બારીદરવાજા ખુલ્લાં કરવાનો આદેશ આપ્યો. એટલામાં દરવાજામાંથી મધમાખી ઉડતી ત્યાં આવીને સાચા ફૂલ પર બેઠી અને સાચા ફૂલનું મૂલ્યાંકન થઈ ગયું. જો આપણામાં આવી સાચી પરખ ધર્મ પ્રત્યેની આવી જશે તો આપણે પણ જીવનમાં અસત્યનો ટેકો નહીં લઈએ એ જ ખરેખરું ધર્મ છે અન્યથા નહીં. યુવાનો માટે ખાસ આ નવ સૂત્રોથી જોડાયેલી ભક્તિ જરૂરી છે. ૧. સારો સંગ રાખવો. ૨. કથા પ્રસંગમાં રુચિ કેળવવી. ૩. સંતસંગ કરવો. ૪. પ્રભુના ગુણગાન કરવા જોઈએ. ૫. ભજન કરવું - ભાવના-સ્તુતિ કરવી. ૬. ઈન્દ્રિય પર સંયમ કેળવો. સમય પણ ક્યારે વ્યક્તિની પરીક્ષા લે. દા.ત. પાંડુરાજા. ' ૭. જગતને સમાનભાવે જોવાની દષ્ટિ કેળવો. વસુધૈવ કુટુમ્બવમૂા ૮. લોભનો પરિત્યાગ કરી સંતોષ કેળવવો જરૂરી છે. ૯. જીવનમાં સરળ રહેવું. છળ-દંભ પરિત્યાગ કરવો. ફૂલની જેમ સૌરભ પાથરતા રહેવું જોઈએ. બધાને મદદ કરવી જોઈએ. આમ જીવનમાં માત્ર અનુશાસન નહીં, પરંતુ અનુશીલન પણ જરૂરી છે. ભોગ કરતાં યોગ મહત્ત્વનો છે. રતિમાંથી વિરક્તિ પામવી જરૂરી છે. ધર્મમાં ઉત્સવોને માણીએ છીએ, પણ ધર્મ તો ખરેખર ધ્યાનનો મહિમા ગાય છે. આપણે દર વર્ષે ગણપતિની મૂર્તિનું વિસર્જન કરીએ છીએ, પણ રાગદ્વેષ તો પાણીની સપાટીએ જ તરતા દેખાય છે. તાજિયા ઠંડા તો થાય છે, પણ ઝનૂન ઠંડું થતું નથી. ખરેખર મહાવીર જયંતી ઊજવીએ છીએ, પણ કોઈને ક્ષમા આપી શકતા નથી. ધર્મના મર્મને પામવાની જરૂર છે. જેમ યુદ્ધમાં વીર, સપૂતો, માનતલવારમાંથી મ્યાનમાં રહેનાર તલવારનો ઉપયોગ કરે છે, મ્યાનનો નહિ. તો પછી આપણે શરીરમાં રહેનાર આત્મા પ્રત્યે કેમ લક્ષ્ય સેવતા નથી ? આજના યુગમાં ઠેરઠેર ધર્મની ગ્લાનિ જોવા મળે છે. ઓફિસમાં રુશવત For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ TO C જ્ઞાનધાર ૭૦ લેવાય તેમાં ધર્મની ગ્લાનિ છે, પરંતુ અજાણી આંખોમાં લાગણીનાં સ્પંદન થાય તેમાં જ ધર્મનો જયજયકાર છે. ધર્મપ્રેમ તો ખરો, પરંતુ એથીય વિશેષ પ્રેમધર્મ મહત્ત્વના છે. આમેય જીવનમાં જીવી નાખનારા અને જીવી જનારા વચ્ચે બહુ તફાવત છે. શંકરાચાર્યે પણ યોગ્ય જ કહ્યું છે, પ્રસન્ન ચિત્ત પરમમિતિના અર્થાત્ પ્રસન્નચિત્ત જ પરત્માનું દર્શન છે. હસવું એ પણ એક સહજ ધર્મ છે. તિબેટિયને તો લાફિંગ બુદ્ધા પણ બનાવ્યા. એ બધું આપણા ઘરમાં રાખીએ છીએ, પરંતુ ઘરમાંથી હાસ્યને જાકારો આપી દીધેલ છે! ક્યાં છે એ હાસ્યધર્મ ? મનની પ્રસન્નતા, સુજુતા, સાલસતા ! હસો જેથી સોહમ સુધી પહોંચી શકાય. (હસો-સોહમ્ ઉધાવણું) આપણે હસી ત્યારે જ શકીએ જ્યારે આપણામાં રહેલાં મલિન તત્ત્વોને તિલાંજલિ આપી હોય અને સાત્વિક ભાવોને હૃદયમાં આવકાર્યા હોય તો જ નિર્મળ હાસ્ય રી શકે અને મન મૂકીને આપણે વરસી શકીએ. માટે યુવાનોને ખાસ ધર્મ પ્રત્યે જાગૃતિ કેળવવા પણ ચિંતન શિબિરો થવી જરૂરી છે, કારણકે આપણે તો અખંડ સમાજ-અખંડ રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે. તો અપૂર્ણતાને ખંડિત કેવી રીતે કરી શકાય ? અખંડના સૂત્રથી જ આપણે યુવાનોને પરમખંડ સુધી લઈ જઈ શકીએ. મનુષ્યજીવન મળ્યું છે તો એને ખોવાનું નથી, પરંતુ એ મનુષ્યજીવનને આપણે જીતવું જોઈએ. આજના યુવાનો મોબાઈલ-ઈ.નેટ - ટેબ્લેટમાં ખોવાઈ ગયા છે એમને મેડિટેશન, સાધના, ધ્યાન, ઇત્યાદિ પ્રત્યે જાગરૂકતા કેળવવી જોઈએ, કારણકે આપણે બાહ્ય રીતે તો સમૃદ્ધ છીએ, પણ આંતરિક રીતે સમૃદ્ધ થવાની જરૂર છે. આમેય કહ્યું છે ને ગુરુના પગે પડવું સહેલું છે, પણ ગુરુના પગલે ચાલવું અઘરું છે. આજના યુવાનનું વ્યક્તિત્વ લુપ્ત થયું છે. યુનિવર્સિટીનું લેબલ લગાડેલું વ્યક્તિત્વ તો મળે છે, પણ વિચારોનું ઊંડાણ કે જ્ઞાનની ઊંચાઈનો એનામાં સદંતર અભાવ છે. ક્યાં છે એ નચિકેતા ૧ ક્યાં છે વિમળતાથી દીપતા એકલવ્યો અને ક્યાં છે જ્ઞાનની તેજસ્વિતાને તપસ્વિતાથી ઝળહળતા યાજ્ઞવાકયો? યુવાનરૂપી રત્નને સમાજનું ઘરેણું બનાવવાની જરૂર છે. ધર્મરૂપી બેંકમાં દાખલ થશે તો એનું વ્યાજ ડબલ થશે. દૂષણો-પ્રદૂષણોથી મુક્ત અને દેવગુરુના સંગથી યુક્ત બની જન્મ-જન્મના બંધનથી મુક્ત થશે. For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ©©© જ્ઞાનધારા જ010 આજના યુવાનો 31ની ઉજવણી તો બહુ શાનપૂર્વક એન્જોય કરે છે, પણ શું આપણા ધર્મતહેવારોમાં આટલા ઉત્સાહથી રસ લઈએ છીએ ખરા? જો ન લેતા હોઈએ તો તે માટે સભાન કરવા જોઈએ. જીવન એવું જીવો કે લોકો અંજાઈ ન જાય, પણ લાગણીથી ભીંજાઈ જાય. આપણે સૌ નવા વર્ષની-જન્મદિવસની ઉજવણી તો કરીએ છીએ, પરંતુ આપણું જીવન એટલું ભવ્ય બનાવીએ કે આપણો ક્ષણેક્ષણે નવા વિચારોથી પુલકિત થઈ જઈએ તો અને તો જ જીવનને દીપાવી શકીશું અને અન્યના જીવનને પણ દીપાવી શકીશું. માટે આજનો યુવાન 31st Dance - Drink & Merry થતો ગયો છે એ દુઃખની વાત છે, આપણને નિરાશ બનાવી નાખે છે, પરંતુ યુવાનોમાં Divine » Depth - Dedication અને આ ત્રણનો ત્રિવેણી સંગમ 3D હોવા ખૂબ જરૂરી છે જેથી ભારતીય સંસ્કૃતિને દીપાવી શકીએ અને ભારતીય સંસ્કૃતિનો ભવ્ય વારસો, પ્રબુદ્ધોની વાણીને આપણે જીવિત રાખી શકીશું. એવમ્ ક્ષમા, દયા, કરુણા, પ્રેમ વગેરેથી આ જીવનવૃક્ષને સીંચીએ જેથી ભાવિ પણ ઉજ્વળ બની રહે અને ન રહે શોક કે મોહ! ફક્ત નિજાનંદ...નિજાનંદ. જે વ્યક્તિને વિજ્ઞાનતિ: બનાવી શકશે. જો વિજ્ઞાનતઃ બનીશું તો જ આપણે મહાવીરનાં બાળકો તથા એના વારસાને આપણે પચાવ્યો છે એવું કહી શકીશું, તો બનવું છે ને વારસદાર...? તો પછી રાહ કોની જુઓ છો? પામીએ ધર્મના મર્મને.... ધર્મના અભિમુખ રહેવું છે ને ? સંદર્ભ ગ્રંથો : • જગતના વિદ્યમાન ધર્મો - ડૉ. જયેન્દ્ર એ. યાજ્ઞિક યુનિ. ગ્રં. બોર્ડ અનુવાદ- પ્ર. આ. ૧૯૮૪. • તમારા મૃત્યુ પર કોણ આંસુ સારશે ? - રોબિન શર્મા - જયકો પબ્લેિ., મુંબઈ - ૨૦૧૩. • જિંદગી જીવવાની જડીબુટ્ટી-ડેલ કોર્નગી - આર. આર. શેઠ, કંપની, મું. – ૨૦૧૩. • ધર્મ રાહ બતાવે રામાયણ – મોરારિબાપુ – સં. યોગેશ ચોલેરા વન્ડરલેન્ડ, રાજકોટ - ૨૦૧૩. For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૭૯ જ્ઞાનધારા 6700 • આનંદ રાહ બતાવે રામાયણ - મોરારિબાપુ - યોગેશ ચોલેરા, વન્ડરલેન્ડ, રાજકોટ - ૨૦૧૩. • મોતીની માળા - અનુ. સોનલ પરીખ- આર. આર. શેઠ કંપની મુંબઈ- વર્ષ ૨૦૧૨. • પ્રેરણા - યશવંત કડીકર – મહાદેવ બુક સપ્લાયર્સ, એ’વાદ વર્ષ - ૨૦૦૪. • સંસાર રામાણ - સ્વામિ સચ્ચિદાનંદ - ગુર્જર પ્રકાશન, એવાદ - ૨૦૦૫. • કૃષ્ણ શરણં ગચ્છામિ - ગુણવંત શાહ - સં - ડૉ. મનીષા મનીષ આર.આર. શેઠ કમ્પની, મું.- ૨૦૧૧. સફળ જીવન જીવવાની કળા – મુકુન્દ પી. શાહ - કુસુમ પ્રકાશનઅ'વાદ, વર્ષ-૨૦૧૨. For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રતકાળના પ્રવાહમાં સાંપ્રદાયિક અને પરંપરાગત માન્યતાઓમાં શાસ્ત્રાનુસારી વિવેકપૂર્ણ પરિવર્તન અને વિશ્લેષણ ♦ ડૉ. રમણીકભાઈ પારેખ DM.Sc., Ph.D. (અમદાવાદ) ભારતીય પરંપરામાં જૈન ધર્મ અતિપ્રાચીન xc અમદાવાદસ્થિત ડૉ. રમણીકભાઈ સાયન્સ્ટિ છે. તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિસ્ટ (કોલકાતા)ના ફેલો છે અને` Ph.Dના | ગાઈડ છે. જૈન ધર્મના અભ્યાસુ છે. છે. વિશ્વના ફલક પર તેમનું આગવું સ્થાન છે. તે સર્વોત્કૃષ્ટ છે, સર્વાધિક કલ્યાણકારી છે. જૈન સાહિત્યની સમૃદ્ધિ સમગ્ર વિશ્વમાં અજોડ છે, અદ્ભુત છે. આગમો - જૈન ધર્મગ્રંથો તીર્થંકરની સાધનાના સારરૂપ છે. આગમ એ કળિયુગનો અમૃતથાળ છે તેમ જ આત્મસુધારણાનો અમૂલ્ય દસ્તાવેજ છે. અનંતજ્ઞાની, અનંતદર્શી, રાગદ્વેષના વિજેતા મહાવીર પ્રભુએ આચારમાં અહિંસા, વિચારમાં અનેકાંત, વ્યવહારમાં પરિગ્રહ, વાણીમાં સ્યાદ્વાદ, જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, તપ, દાન, શીલ, ભાવ, સત્ય, પ્રેમ, કરુણા જેવાં શાશ્વત મૂલ્યોની અમૂલ્ય ભેટ આપીને સમગ્ર જીવસૃષ્ટિ અર્થે મહાન ઉપકાર કરેલ છે. વિશ્વવાત્સલ્ય જ ધર્મનો આદર્શ છે. ધર્મો રક્ષતિ રક્ષતઃ (ધર્મનું રક્ષણ કરવાથી તે રક્ષક બને છે. If you Protect righteousness, righteousness will Protect you. ભગવાન મહાવીરે સર્વ પ્રાણીઓ પ્રત્યે સમભાવના; માનવજાતિની સમાનતા, ઉચ્ચ-નીચ ભાવનાનો પ્રતિકાર, હિંસા સ્થાને અહિંસાની પ્રતિષ્ઠા, સ્ત્રી અને શુદ્રો પ્રત્યે સમાનતા, દુરાગ્રહને બદલે અનેકાંત દષ્ટિ, ભાષામોહને બદલે લોકભાષા પ્રત્યે આદરભાવ પ્રગટ કરી સમાનતાનો આદર્શ પ્રસ્થાપિત કરે છે. તેમની વાણીનો સીધોસાધો સુમધુર દિવ્ય સંદેશ એ જ છે કે વહેંચીને ખાઓ અને જીવો. સુખ, કરુણા, મૈત્રી, પ્રેમને વહેંચો, હૃદયના ફૂલ જેવા કોમળ બનો, ફૂલની જેમ સદાબહાર હસતા રહો. જીવો અને જીવવા દો. Live and let live. ૧૭૮ For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ 0 C જ્ઞાનધારા O આગમ જૈન ધર્મગ્રંથો : આત્મા તરફ ગમન કરાવે તેને આગમ કહે છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વન્પસતિમાં જીવન છે, તેનું દર્શન કરાવે છે તેમ જ શરીરવિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર, ખગોળશાસ્ત્રનું દર્શન કરાવે છે. શ્રી ગૌતમસ્વામીએ પ્રભુ મહાવીરસ્વામીને પૂછેલા ૩૬૦૦૦ પ્રશ્નો અને તેના સચોટ જવાબનું વિશાળ આકાશ આવેલું છે, અનેકવિધ ધર્મકથાનું નિરૂપણ છે. બોધદાયક કથાનો અખૂટ ખજાનો છે. ઘણી બાબતોની સમજણ આપી છે. વીતરાગપણાની વાણી વીતરાગતાની પોષક હોય છે. આગમોમાં આત્મકલ્યાણની વિભિન્ન પદ્ધતિ બતાવવામાં આવી છે. આગમનું ચિંતન-મનન સ્વાધ્યાય પરિશીલન અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી જ્ઞાનનો દીપક પ્રગટાવે છે. વિશ્વના સમગ્ર વિષયોનું દર્શન તેમ જ પ્રત્યેક સમસ્યાનું સમાધાન આ આગમ ગ્રંથોમાં છે. આગમો રત્નોના ભંડારરૂપ વિશાળ શ્રુતસાગર છે તેમ જ અધ્યાત્મજ્ઞાનનું એક પવિત્ર સ્તોત્ર છે. જિંન શાસનના સમગ્ર બંધારણનો પાયો છે, જૈનોનો ઉપદેશ ગ્રંથ છે. આગમ ગ્રંથોના આધાર વિના પ્રભુની સાધના કે વિશ્વના સત્યને સમજવું અશક્ય છે. એટલે જ આગમોને જિનપ્રતિમા સરખી ગણીને પ્રભુપ્રતિમા જેટલું જ મૂલ્ય સ્વીકારાયું છે. સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યક્ચારિત્ર્ય આ ત્રણેયનો સમન્વય મોક્ષનો માર્ગ બને છે. - જિનાગમમાં ભગવાન મહાવીરે આચારને પ્રથમ સ્થાન આપ્યું છે. આચાર ધર્મનો મેરૂદંડ છે. સુત્ર-સિદ્ધાંતમાં વિચાર-વાણી-વર્તન અને આચારનો, વૃત્તિ, પ્રવૃત્તિ અને નિવૃત્તિનો, ભાવના અને કર્તવ્યનો જે સુમેળ છે તે અનુપમ છે. આગમ સેવા એ જ્ઞાનની ઉપાસના છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે. આગમ ભક્તિથી તીર્થંકરો પ્રતિ શ્રદ્ધા, અહોભાવ, પૂજ્યભાવ ઉત્પન્ન થાય છે. પરિણામે દર્શન મોહનીય કર્મનો નાશ થાય છે. ઉત્કૃષ્ટ ભાવે સાધના, આરાધના કરવાથી સમ્યક્દર્શનની. સ્પર્શના થાય છે અને અનેક પ્રકારનાં અંતરાય કર્મ તૂટી જાય છે. જે પોતાના અસ્તિત્વને સમજે છે તે જ આગમના મહત્ત્વને સમજે છે. આગમ શાશ્વત સુખનો મુલાધાર છે. ઉન્માર્ગે ગયેલાને સન્માર્ગે લાવવાની સીડી છે. પરમપદ પ્રાપ્ત કરવા માટે પથદર્શક બોર્ડ છે. આ ત્રસ્ત અને વ્યસ્ત સમયમાં જિનાગમનાં વચનો તનાવ, આકુળતા, ૧૭૯ For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ OCC જ્ઞાનધારા CSS0 વ્યાકુળતા દૂર કરે છે. દરેક સૂર-ગાથા પર અનુપ્રેક્ષા કરીએ તો આત્મિક, સામાજિક, વૈશ્વિક, આર્થિક વગેરે અનેક સમસ્યા, વિટંબણા, મુશ્કેલીઓનું સચોટ સમાધાન મળી શકે છે. જૈન ધર્મકથા : જૈન ધર્મકથાઓનો પટ કોઈ ઘુઘવતા મહાસાગર સમો વિશાળ છે. આ ધર્મકથાનો ઉદ્દેશ, વિવિધ પ્રતિબોધ, પ્રેરણા અને હિત હિતશિક્ષા દેવાનો છે. પ્રત્યેક વ્યક્તિને આ કથાઓ વાંચવાથી ઘર્મ પ્રત્યે રસ-રુચિ, ઉત્સાહ, ઉમંગ, જિજ્ઞાસા વધે છે. આ કથાના માધ્યમથી બાળકોને, યુવાનોને ઉત્તમ સંસ્કારનું સિંચન થાય છે. મહાવીર ભગવાન, ગજસુકુમાર, શાલિભદ્ર, ઈલાચીકુમાર, મેઘકુમાર, પૂણિયા શ્રાવક વગેરેની કથાનો સારાંશ ઉત્તમ ચારિત્ર્ય ઘડતર ઘડે છે. બોધપાઠના માધ્યમથી કથા લાંબા સમય સુધી સ્મૃતિપટ પર જળવાય છે. કથાનો વારસો જાળવી રાખવા સહિયારો પુરુષાર્થ કરવો આવશ્યક છે. ઈલાચીકુમાર તેમ જ મેઘકુમારની વાર્તા પ્રવચનમાં સાંભળવા મળે છે. આ વાર્તાનો સારાંશ આપણને ખૂબ જ સુંદર બોધ આપે છે. જૈનશાળાઃ ધર્મ ઈમારતનો પાયો છે, ધર્મની કરોડરજ્જુ છે. એક ક્ષણ માટે ચિંતન કરીએ, સુંદર ઉપાશ્રયો, ભવ્ય જિનાલયો હશે, પણ પરમાત્માની ભક્તિ કરનારાં બાળકો નહીં હોય તો કેવું લાગે? ભવ્યાતિભવ્ય ઉત્સવો, મહોત્સવો, ધર્મોત્સવો ઉજવીએ છીએ, પરંતુ હૃદયમાં જૈન ભાવનાઓની ગુંજ નહીં હોય તો કેવું લાગે ? પશ્ચિમની સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરવાથી ઊગતી પેઢીમાં જૈનત્વના મૂળ સંસ્કારો જ નહીં હોય તો કેવું લાગે ? આ બધા પ્રશ્નોનો એક જ પ્રત્યુત્તર છે કે જૈન શાળામાં બાળકોને નૂતન પદ્ધતિથી જૈન ધર્મની વાતો કહી, નૂતન અભિગમથી તેમના રસ-રુચિ, ઉત્સાહઉમંગ-જિજ્ઞાસા વધુમાં વધુ કેમ પ્રાપ્ત થાય તે જરૂરી છે. આ સાંપ્રતકાળના પ્રવાહમાં માનવીને ઊર્ધ્વગામી બનાવનાર ધાર્મિક શિક્ષણ છે જે અતિમહત્વનો અને સર્જનાત્મક ભાગ ભજવે છે અને ધર્મના આચરણથી ઉન્નતિના શિખરે પહોંચી જાય છે. ઘાર્મિક શિક્ષણ : (૧) બાળકોને જૈન ધર્મનું પ્રાથમિક જ્ઞાન, જૈન ધર્મનો ઇતિહાસ, જિનાગમની * ૧૮૦ - For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ C જ્ઞાનધારા 0.00 સમજણ, જૈન તિથિ, જૈન પર્વો, જૈન ધર્મકથા, ગુરુ, ધર્મ વિષે સમજ, ચતુર્વિધ સંઘ; સામાયિક, નવકારમંત્ર વગેરે વિષયોનું જ્ઞાન તેમ જ સમજ, નાનાં દૃષ્ટાંતોના માધ્યમથી આપવું જોઈએ. (૨) આધુનિક પદ્ધતિથી આ ધાર્મિક શિક્ષણ આપવું જોઈએ. દશ્યશ્રાવ્યની પદ્ધતિથી ભણાવવા માટે ગુજરાતી, અંગ્રેજીમાં પ્રભુત્વ ધરાવતા તેમ જ પ્રશિક્ષણ પામેલા સ્વયંસેવકો, સેવાભાવી યુવાનોની સેવા આવશ્યક છે. (૩) આજના યુવાનોમાં તત્પરતા છે, તપસ્વિતા છે તેમ જ તેજસ્વિતા છે, પરંતુ તેમને સુસંગત માર્ગદર્શનની જરૂર છે. તેમને સુશ્રાવક બનાવવા પાયાની કેળવણી જરૂરી છે. આગમમાં શ્રાવકાચાર તેમ જ શ્રાવકના ૨૧ ગુણો વિશે સવિસ્તર સમજાવવું જોઈએ. વર્તમાન સંજોગોમાં આ ગુણો કેમ અનુરૂપ રહે તેવી વાતો દૃષ્ટાંતસભર સમજાવવી જોઈએ. આ જાણવાથી સફળ જીવન જીવવાની અમૂલ્ય ચાવી પ્રાપ્ત થશે. જ્ઞાનપ્રાપ્તિ માટે જીવનમાં નમ્રતા, સરળતા, સહજતા, ઋજુતા આપોઆપ ખીલી ઊઠશે. (૪) વિજ્ઞાનની નવી શોધો, વીડિયો, કૉમ્પ્યુટર, લૅપટૉપ, મોબાઈલ, ઇન્ટરનેટથી આજની નવી પેઢી સુપરિચિત છે. આધુનિક સાધનોથી વિશ્વના લોકો એકબીજાથી વધુ નજીક આવતા જાય છે. આ આધુનિક ઉપકરણોની મદદથી જૈન ધર્મમાં રસ-રુચિ ધરાવતા પ્રત્યેક યુવકો ખૂબ ઉત્સાહથી માહિતી આદાન-પ્રદાન કરી શકે. જૈન મહાપુરુષોના જીવનઆધારિત બોધદાયક ચારિત્ર્યઘડતરની વાતો, તેઓનું જીવન-કવન અને એનિમેશન ફિલ્મ પણ બનાવી શકે. કોઈ પણ વસ્તુ શીખવવાની પદ્ધતિમાં નીચેની બાબતો જોઈએ : (૧) સરળ, સુંદર, સચિત્ર, કલરફૂલ સ્લાઈડથી રસપૂર્ણ સમજાવટ (Power presentation). (૨) વૈવિધ્યસભર વાતો (ક) પ્રોત્સાહનકારક તેમ જ હકારાત્મક અભિગમ (૪) જ્ઞાન સાથે ગમ્મત (૫) ધર્મકથાની સુંદર છણાવટથી દેશ-વિદેશમાં રહેતાં બાળકો – યુવાનાને ધર્મ પ્રત્યે જિજ્ઞાસાનું ઝરણું વહેશે. જૈન ધર્મ પ્રત્યે મહાન પુરુષો પ્રત્યે અહોભાવ જાગશે અને અંતરના ઊંડાણથી મારા જિનેશ્વર પ્રભુ આવા હતા ! તેમ એકસાથે બોલશે. (૫) હમણાં થોડાક સમયથી મૅગેઝિનમાં સચિત્ર લેખો, રંગબેરંગી ચાર્ટ ૧૮૧ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૭૯ જ્ઞાનધારા OOO ચિત્રવાર્તાઓ, નાટકના ધાર્મિક સંવાદો, કર્ણપ્રિય ધાર્મિક સ્તવનો, સ્તોત્ર ગીતો, વાંચતા જ યાદ રહી જાય તેવાં સુવાક્યો પ્રસિદ્ધ થાય છે. શિર વાંચન સરળ શૈલીમાં વાંચવા મળે છે. આ ભગીરથ કાર્યની શરૂઆત છે, પરંતુ જેમજેમ વેગ પકડશે તેમ જ્ઞાનની જ્યોત પ્રત્યેક જૈન-જૈનેતર ઘરમાં પ્રકટશે. આથી જ્ઞાનપિપાસુની ઈચ્છા સંતોષાશે તે નિર્વિવાદ વાત છે.. ધાર્મિક શિબિરો: દેશ-વિદેશોમાં જૈન સમાજમાં ધર્મ પ્રત્યે આકર્ષણ વધતું જાય છે. વિષમ બનતા જતા જીવનના દુઃખ નિવારવા, શાંતિ, પ્રશાંતિ, ઉપશાંતિ માટે ધર્મજાગરૂકતા આવી રહી છે. આ માટે આગમ ગ્રંથોને કેન્દ્રમાં રાખી ધાર્મિક શિબિરો યોજવામાં આવે તો વિદ્વાનો ધાર્મિક શિક્ષણ પ્રદાન કરી શકે. શિબિરમાં તૈયાર થયેલા ધર્મપ્રેમી બીજાં ભાઈ-બહેનોને તૈયાર કરશે અને જ્યોત સે જ્યોત જલે એ ન્યાયે ધાર્મિક પામેલું એક વિશાળ શિક્ષિત જૂથ તૈયાર થશે. શિબિરોમાં પ્રાર્થના, અનુષ્ઠાન, ધર્મપારાયણતા, પ્રામાણિકતા, નૈતિકતા, વ્યસનમુક્તિ, શાકાહારી અભિગમ, પર્યાવરણની રક્ષા, મહાન પુરુષોના ઉપદેશ, તત્ત્વજ્ઞાન અભિપ્રેત છે. આમ દરેક વિષયે સમજણ અને પ્રશ્નોત્તરી કાર્યક્રમ યોજી શકાય. આ અભિપ્રેરણાત્મક (Motivational) પ્રવૃત્તિ, પ્રયોગ, અનુભવ વિશાળ ફલક પર પણ લઈ જઈ શકીએ. લક્ષ્યાંક સફળતાપૂર્વક કર્યા બાદ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠિઓથી વિચારવિનિમય, આદાન-પ્રદાનથી ધર્મ પ્રચાર-પ્રસાર માટે ક્ષેત્રો વિસ્તરશે. સુધર્મા પ્રચાર મંડળ ચાતુર્માસ કે પર્યુષણ પર્વમાં, સંત-સતીજીનો યોગ ન હોય ત્યાં ધર્મઆરાધના કરવા જાય છે. આમ પ્રશિક્ષિત જ્ઞાની વિદ્વાનો ધાર્મિક પ્રવચનો આપે છે. ધાર્મિક અનુષ્ઠાન પણ કરાવે છે. વિદેશમાં પણ ઘણા ધર્મપ્રવર્તકો જિનવાણી સંભળાવવા જાય છે. આમ વિદેશમાં રહેતા ધર્મપ્રેમી જેનો આ વિદ્વાનોનો પ્રેમથી આદરસત્કાર કરે છે. આ જ્ઞાનસરવાણીનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. ત્યાં રહેતા શ્રાવકો એકતા, નિષ્ઠા, ધર્મપ્રેમ, સમર્પણથી પર્વનો આનંદ માણે છે. જ્ઞાનસત્રો : - જ્ઞાનસત્રો એ વિદ્વતજનોની અભિવંદના છે. પ્રાણગુરુ જૈન સેંટર - મુંબઈ દ્વારા - ૧૮૨ છે For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ OCSIC જ્ઞાનધારા ૭૦ જ્ઞાનસત્રો આજ સુધી અગિયાર થયાં છે, તેમાં શિબિરો, સેમિનાર, સંગોષ્ઠિથી ઘણા વિદ્વાનોએ સહયોગ આપ્યો. જૈન દર્શનમાં રસ-રચિ, ઉત્સાહ-ઉમંગ, જિજ્ઞાસા-જ્ઞાન કેમ વધે તેવી સકારાત્મક પ્રવૃત્તિને વેગ મળ્યો. સંયોજકશ્રીએ ખૂબ જ જહેમત લઈને આ સત્રોને સફળ બનાવ્યાં. સરળ ભાષામાં પુસ્તકો પણ પ્રકાશિત થયાં. જૈન શાળાનાં બાળકોને સરળતાથી ગમ્મત સાથે જ્ઞાન મળે તેવી વિશિષ્ટ પદ્ધતિથી કેમ સમજાવી શકાય તેવી Look and Learnના નેજા નીચે ઘણાં શહેરોમાં જૈનશાળાની પ્રવૃત્તિને વેગ મળ્યો. અંગ્રેજી, ગુજરાતી, હિન્દીમાં લખાયેલા લેખો પુસ્તકરૂપે તેમ જ મેગેઝિન પ્રસિદ્ધ થયાં. પીએચ.ડી. પ્રવૃત્તિને પણ વેગ મળ્યો. ખૂબ જ સફળતા સાંપડી. આગમબત્રીસીનું ગુજરાતીમાં અણમોલ સાહિત્ય મળ્યું. આગમના વાંચનથી યુવાનોમાં ધર્મ પ્રત્યે વધુ ઉત્સુકતા જોવા મળે છે. - આ આગમ ગ્રંથોને અંગ્રેજીમાં અવતરિત કરવાનો સુંદર અભિગમ પ્રાપ્ત થયો છે. ટૂંક સમયમાં આ સિદ્ધિ હાંસલ થશે. જૈન સામયિકોમાં આવતા લેખો: આગમસૂત્ર પરિચય, જૈન ધર્મકથાઓ, ગણધરવાદ, મહાવીર પ્રભુનું જીવન વગેરેનું વાંચન-ચિંતન-સ્વાધ્યાય અને પરિશીલન કરવાનું ગમે છે. સર્વ વિદ્વાન લેખકોને શ્રી સરસ્વતી દેવી વધુ ને વધુ લખવાની પ્રેરણા આપે તેવી મંગલકામના - શુભકામના. કથા - ડી.વી.ડી. : જૈન ધર્મના અને જૈન સાહિત્યના વિશ્વપ્રચારક પદ્મશ્રી કુમારપાળભાઈ દેસાઈની પ્રભાવક વાણી દ્વારા કથન-કથાયુગનો પ્રારંભ કરી મહાન આત્માના જીવનનું શ્રુતજ્ઞાનનું પાન કરાવી ધર્મપ્રેમી શ્રોતાગણને મંત્રમુગ્ધ કર્યા છે તેમાં કરુણાનિધાન શ્રી મહાવીર પ્રભુની કથા, અનંત લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીની કથા, આદિનાથ શ્રી ઋષભદેવ ભગવાનની કથા તથા શ્રી નેમ-રાજુલની કથા-ડી.વી.ડી. તૈયાર કરી છે. - આ કથાનો લાભ. ઘરના બધા પરિવારજનો, દર્શન, શ્રવણ કરી સમહ - ૧૮૩ ૧છે For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ શSC જ્ઞાનધારા 0િ00 સ્વાધ્યાય અને સામાયિક પુણ્યકર્મ પ્રાપ્ત કરી શકે છે. આ ચારેય કથા (ડી.વી.ડી.) ધર્મક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન કહી શકાય. આગમો અંગ્રેજીમાં અવતરિત કરવાનું યશસ્વી કાર્ય ચાલુ છે તે જિન શાસન માટે ગૌરવની વાત છે. જૈન તત્ત્વના અન્ય આગમ જેવા ગ્રંથોનું દોહન કરી પાંચેક મહાગ્રંથોનું સર્જને થાય તેમ જ આ પાંચ ગ્રંથોને વિશ્વની બધી જ મુખ્ય ભાષામાં અવતરિત કરવાનો પ્રયાસ ઈચ્છનીય છે. આ ગ્રંથોમાં વિશ્વકલ્યાણ અને વિશ્વશાંતિનું ચિંતન પડ્યું છે. આ કૃતસાહિત્ય વિશ્વના ખૂણેખૂણે જિજ્ઞાસુ સુધી પહોંચશે. આગમ ગ્રંથોનું વાંચન અને આગમ પ્રસાર ભક્તિના વિવિધ ભાવો શાસનમાં પ્રવર્તે તેનાથી ઉત્તમ પુણ્યકર્મ, પુરુષાર્થ હોઈ શકે નહિ. વિદેશમાં જૈન ધર્મપ્રવૃત્તિ વિશ્વ, રાષ્ટ્ર કે સમાજના દરેક પ્રશ્નોનું સમાધાન જિન દર્શનમાં આપેલ છે. જૈન સ્કોલર પાસે માર્ગદર્શન માટે વિદેશથી ઘણા લોકો અવારનવાર આવે છે. જૈન સમાજ માટે ગૌરવની વાત છે, વિદેશમાં જૈન ધર્મની પ્રવૃત્તિનો વ્યાપ એટલો બધો છે. વિશ્વના ગમે તે ખૂણામાં જૈન સમાજ નાનો હોય તોપણ એક મોટું જૈનવિશ્વ રચી દે છે. અમેરિકા, લંડન, આફ્રિકામાં જૈનોની વસ્તી મોટી છે. ત્યાં પર્યુષણ પર્વ દરિમયાન ભારતમાંથી વિદ્વાનોને આમંત્રિત કરી તેમની પાસેથી ધર્મગ્રંથોમાંથી જ્ઞાનની સમજણ સરળ ભાષામાં મેળવે છે. વિદેશમાં પાઠશાળા, સેમિનાર, વિદ્વાનોનાં પ્રવચનો, જૈન સાંસ્કૃતિક કાર્યક્રમો ગોઠવતાં હોય છે. કેન્યા, મોમ્બાસા, નૈરોબી, બર્મા, મલયેશિયા, થાઈલેન્ડ, સિંગાપોર, સાઉદી અરેબિયા, દુબઈ વગેરે દેશોમાં ત્યાં જૈન સમાજ નાનો હોય, પણ ધર્મની પ્રવૃત્તિઓ જીવંત રાખે છે. જર્મની, રશિયા, ફ્રાન્સ, બેલ્જિયમ, જાપાનમાં જૈન કુટુંબ પણ વસે છે. ધર્મની પ્રવૃત્તિ કરે છે. પરમાત્માના અનંત અનંત ઉપકાર છે. એમની દિવ્ય વાણીની ગંગોત્રી ફળી છે. અંગ્રેજીમાં આ આગમ ગ્રંથો અવતરિત થઈ રહ્યા છે ત્યારે આ માધ્યમથી વિદેશમાં વસતાં ધર્મપ્રેમી જૈન ભાઈઓ-બહેનો લાભ લઈ ધન્યતા અનુભવશે. જૈન ધર્મની જ્યોત ઝળહળતી રહેશે. યુવાનો રાષ્ટ્રીય ધન છે. સમાજને માટે કંઈ કરી છૂટવાની ઉમદા ભાવના છે. જ ૧૮૪ ૧ For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ C જ્ઞાનધારા જૈન સોશિયલ ગ્રુપ, જૈન મિત્રમંડળ, અર્હમ યુવા ગ્રુપ, જૈન ડૉક્ટર ફેડરેશન વગેરે જેન સમાજની કલ્યાણકારી પ્રવૃત્તિ કરે છે. આ ગ્રુપમાં સુશિક્ષિત, બુદ્ધિશાળી સેવાભાવી યુવા વર્ગ છે. તેઓ જૈન ધર્મની કલ્યાણકારી પ્રવૃત્તિમાં રસ દાખવે તો ગ્લોબલ લેવલે પણ વેગ મળશે, વિશ્વકલ્યાણનો મંત્ર ગુંજશે અને વિશ્વના ખૂણેખૂણે ભગવાન મહાવીરનો દિવ્ય સંદેશ પહોંચશે. સારાં પુસ્તકો, સારા ગ્રંથો તેમ જ બાળકોને માટે ઉત્તમ કક્ષાનું ધર્મપ્રેરિત બાળસાહિત્ય મળશે. સાધર્મિક ભક્તિ : સાધર્મિકતા ધર્મનો આધાર છે. સમાનધર્મી તે જ સાધર્મિક. તેની કોઈ પણ પૌદ્ગલિક સ્વાર્થવૃત્તિ રાખ્યા વગર ભક્તિ કરાવી તેનું નામ વાત્સલ્ય. સાધર્મિક ભાઈઓને આર્થિક સહાય આપી નિર્બળ બનાવવાના નથી, પરંતુ પગભર ઊભા રહી શકે તેવી ધંધા-રોજગારની ઉત્તમ તક આપવાનો સંકલ્પ, મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને આર્થિક પ્રકૂિળતા હોય તો શિક્ષણકાર્યમાં સહાય અને ઉચ્ચ અભ્યાસ અર્થે લોન, સ્કૉલરશિપ, તેજસ્વી વિદ્યાર્થીને માન-સન્માન-એવૉર્ડ વગેરે આપવાનું ધ્યેય હોવું જોઈએ. આ સંકલ્પને દઢ મનોબળથી સ્વીકારી દુઃખમાંથી ડૂબતા સ્વધર્મીને ઉગારી લેવો અને ધર્મમાં સ્થિર કરવો એ જ સાચી સેવા છે, એ જ ધર્મનો સાર છે. જૈન વિશ્વકોશ : વિશ્વના ઉત્તમ સાહિત્યમાં જૈન સાહિત્ય એક આગવું સ્થાન ધરાવે છે. જૈન સાહિત્યકારોએ ધર્મના સિદ્ધાંતો, તત્ત્વજ્ઞાન, કર્મસ્વરૂપ વગેરે પર અનેક મૂલ્યવાન ગ્રંથો રચીને ઉત્તમ સાહિત્યની ભેટ આપી છે. આ ઉપરાંત ઇતિહાસ, જ્યોતિષશાસ્ત્રો અને કાવ્યો જેવી સાહિત્યિક કૃતિઓથી જૈન ધર્મના ગ્રંથભંડારો સમૃદ્ધ બન્યા છે. જૈન ઇતિહાસ, મહાન વિભૂતિઓ, દાનવીરો, જ્ઞાનીજનો, શ્રેષ્ઠીવર્યો વગેરેથી ઉજ્વલ છે. વર્તમાનમાં પણ જુદાજુદા વિષયને લગતાં અનેક ગ્રંથો, પુસ્તકો લખાયાં છે. કોઈ વ્યક્તિને આયંબિલ, સામાયિક, સમેતશિખર, શત્રુંજય તીર્થ વિશે જાણવું હોય તો કોઈ એક જ્ઞાનસાધન ઉપલબ્ધ નથી. જ્ઞાનની વિવિધ શાખા, પ્રશાખાને લગતી વિષયોની માહિતી સંક્ષિપ્ત, સચોટ પણ અધિકૃત-પ્રમાણભૂત સ્વરૂપમાં `ખૂબ જ આવશ્યક છે. શબ્દકોષમાં શબ્દ અને તેનો અર્થ આપવામાં આવે છે. જ્યારે વિશ્વકોષમાં જે કોઈ એન્ટ્રી હોય તેની પ્રમાણભૂત અને સંપૂર્ણ માહિતી ૧૮૫ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ©© જ્ઞાનધારા 3000 આપવામાં આવે છે. પૂજ્ય નમ્રમુનિની પ્રેરણાથી ડૉ. કુમારપાળ દેસાઈ અને ગુણવંતભાઈ બરવાળિયાના સંપાદન હેઠળ આ કાર્યમાં અનેક વિદ્વાનો પોતાનું જ્ઞાન, માહિતી અને અનુભવ પ્રદાન કરી રહ્યા છે. આ મહાભગીરથ કાર્ય છે, વિરાટ કાર્ય છે અને જ્યારે પરિપૂર્ણ થશે ત્યારે જૈન વિશ્વકોષ જિન શાસનના ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ બનશે. હસ્તપ્રતોની માવજત-સંશોધન : જૈન ગ્રંથભંડારોમાં સચવાઈ રહેલી હસ્તપ્રતોમાં લખાયેલા પ્રાચીન ગ્રંથોમાં ઘણી કથાઓ, ગાથાઓ અને સુભાષિતો ગ્રંથસ્થ છે. હસ્તપ્રતોનું સંશોધન એ ભારતીય સંસ્કૃતિનો વારસો છે. હસ્તપ્રત પરથી ગ્રંથસંપાદન અને સંશોધિત શુદ્ધ પાઠથી વધુ જાણકારી પ્રાપ્ત થશે. આ હસ્તપ્રતો પર ખૂબ જ સંશોધન થઈ રહ્યું છે. હસ્તપ્રતમાં નિપુણતા આવે તે માટે તજજ્ઞોનાં વક્તવ્યો ગોઠવવાં, હસ્તપ્રતોનું વિશિષ્ટ પ્રદર્શન, હસ્તપ્રતનાં વાંચન અને સંપાદન અંગે પ્રેક્ટિકલ કાર્ય જરૂરી છે. યુવા વર્ગને આ કાર્યમાં ખૂબ જ પ્રોત્સાહન મળશે. vie, For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ 2200 2000 ચતુર્વિધ સંઘમાં જૈન િડૉ. મધુબહેને હિન્દી કાવ્યો શ્રાવકામંડળોની ભૂમિકા સાહિત્યમાં Ph.D. કર્યું છે. ડૉ. મધુબહેન જી. બરવાળિયા | અને “સોહમ શ્રાવિકા મંડળ સાથે સંકળાયેલાં છે. જેના જૈન સંસ્કૃતિની રક્ષા અને સંવર્ધનમાં નારીએ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ‘શાકાહાર” (અનુવાદ), આ અવસર્પિણીકાળના ચોથા આરામાં પ્રથમJઅધ્યાત્મ સુધા’ અને તીર્થકર ઋષભદેવનાં માતા મરૂદેવીએ મોક્ષનાં દ્વારા, | ‘અધ્યાત્મ સૂર” (સંપાદન) પુસ્તકો પ્રકાશિત થયાં છે. ખોલ્યાં અને સાબિત કર્યું કે સ્ત્રી માટે પણ ' મોક્ષનાં દ્વાર ખુલ્લાં છે. માતા તો ગજસુકુમારની મા દેવકી જ કહેવાય, કે જે ભરયૌવનમાં દીક્ષા લેવા તૈયાર થતાં સાતમા અને છેલ્લા દિકરાને આશિષ આપી કહે કે, બેટા! સુખેથી દીક્ષા લે, પણ આ સંસારમાં છેલ્લી મા હવે મને જ બનાવજે! - રાજા પ્રતિની માતાએ દિગ્વિજયી બનીને આવેલા દીકરાને સમગ્ર ધરતીને જિન મંદિરોથી વિભૂષિત કરી દેવાની અનુપમ પ્રેરણા કરી! નેમનાથ જ્યારે પ્રભુતા તરફ પગલાં માંડવાને બદલે સંયમ તરફ વળ્યા ત્યારે રાજુલ સાચા અર્થમાં સાથી બન્યાં અને આગળ જતાં નેમનાથના ભાઈ રહેનેમિને પતનના વિચારોમાંથી સંયમ માર્ગે લઈ જઈ મહાસતી રાજુલે શ્રમણ સંસ્કૃતિની રક્ષાનો ઈતિહાસ સર્યો. પ્રથમ તીર્થંકર આદિનાથથી લઈ ચરમ તીર્થંકર દેવાધિદેવ મહાવીરસ્વામી સુધીના સમયગાળામાં અનેક શીલવંત સતીઓ, મહાસતીજી અને શ્રાવિકાઓનાં તપ-ત્યાગથી જૈન ઇતિહાસ ઝળકી રહ્યો છે. તીર્થકરે સ્થાપેલા સંઘના ચાર પાયા - સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા એ ચાર પાયાનો ચોથો પાયો શ્રાવિકા છે અને વર્તમાન સમયમાં જિન શાસનના ચતુર્વિધ સંઘોની ગતિવિધિઓમાં આ શ્રાવિકાઓનો ફાળો મહત્ત્વનો અને નોંધનીય છે. ' દરેક સંઘનાં કાર્યોને સફળતા મેળવવા શ્રાવિકામંડળ કે જૈન મહિલા મંડળની For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા જ YOCKO મહત્તમ આવશ્યકતા હોય છે અને આવાં મંડળો જ શ્રી સંઘની અપેક્ષાઓની સફ્ળ પૂર્તિ કરે છે. સંત-સતીજીઓ પણ આવા મંડળોને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપતા હોય છે. ચાતુર્માસ કે શેષકાળમાં આવાં જૈન મહિલામંડળો કે શ્રાવિકામંડળો જ આધ્યાત્મિક અને ધાર્મિક અનુષ્ઠાનોથી ધર્મસ્થાનકોને ગાજતાં કે.ગુંજતાં રાખી શકે છે. જ્યાં સંઘોમાં સભ્યસંખ્યા વધુ હોય ત્યાં ઉંમર પ્રમાણે આવાં મંડળોને વિભાજિત કરવામાં આવે છે. : : ♦ પચાસથી વધુ ઉંમરની મહિલાઓ માટે : અને આવા અલગઅલગ મંડળો ધર્મ સ્થાનકમાં વિવિધલક્ષી પ્રવૃત્તિઓ કરે છે. • તરુણીઓ અને યુવતીઓ માટે પરણિત મહિલાઓ માટે શ્રી જૈન કુમારિકા મંડળ શ્રી જૈન વમંડળ શ્રી શ્રાવિકામંડળ મહિલામંડળોની પ્રવૃત્તિઓ : શ્રી સંઘના માર્ગદર્શન અને સહયોગથી સાધુ-સંતોની વેયાવચ્ચનું કાર્ય કરે છે. જ્ઞાનદાતા અને પંડિતો દ્વારા ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરે છે અને ધાર્મિક શ્રેણીઓની પરીક્ષા પાસ કરે છે. તપસ્યાનાં પારણાં અને દીક્ષા મહોત્સવ જેવા પ્રસંગોએ સાંછનાં ગીતો અને અન્ય ધાર્મિક મંગલ પ્રસંગોનું આયોજન કરે છે. • તપસ્યાનાં પારણાં, પર્યુષણ, ચાતુર્માસ મંગલ પ્રવેશ, ચાતુર્માસ પરિવર્તન - વિદાય જેવા ધાર્મિક પ્રસંગોએ શોભાયાત્રાના આયોજનમાં મંગલ કળશ, પવિત્ર આગમ ગ્રંથો વગેરેના ઉપયોગ દ્વારા શોભાયાત્રાને દેદીપ્યમાન બનાવે છે. પૂ. ગુરુભગવંતો અને પૂ. સાધ્વીજીઓના દીક્ષાજંયતી કે પુણ્યતિથિ, ધર્મસ્થાનકના ઉદ્ઘાટન કે ગ્રંથવિમોચન જેવા પ્રસંગોએ ગીત, સંગીત, નાટિકાઓ, સંવાદ, નૃત્ય પ્રદર્શન વગેરે દ્વારા કાર્યક્રમને રસમય અને સફળ બનાવે છે. નવપદ આરાધના-આયંબિલ ઓળી, મહાવીર નિર્વાણ-દીપોત્સવી પર્વ, પર્યુષણ પર્વ કે મહાવીરજંયતી જેવા લોકોતર પર્વની ઉજવણીમાં આવાં મંડળો ઉત્સાહથી ભાગ લઈ પોતાની વિશિષ્ટ સેવા દ્વારા સંઘના નામને રોશન કરે છે. ૧૮૮ For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ TOCC જ્ઞાનધારા 0266 એ સામૂહિક પ્રતિક્રમણના આયોજનમાં શ્રાવિકાઓ વિશેષ ભાગ લે છે. જ આધ્યાત્મિક રમતો, ક્વીટસ, હાઉઝી, દર્શનયાત્રા પ્રવાસોનું આયોજન પણ કરે છે. આવાં મંડળો દ્વારા શાળાનાં બાળકોને સ્ટેશનરી કિટ ભેટ, અનાથાલય અને હોસ્પિટલોની મુલાકાત લઈ ત્યાં સહાય કરવાનાં, સેવા અને માનવતાનાં કાર્યો કરવામાં આવે છે. પ્રસંગોએ શો પ્રદર્શનો અને વિવિધ સ્ટોલ અને મેળાનું આયોજન કરે છે જેમાં જરૂરિયાતવાળી બહેનોને ખાખરા, મીઠાઈ, મસાલા, ગિફ્ટ આર્ટીકલ વગેરેના વેચાણની સવલત દ્વારા સાધર્મિક સહાય કરે છે. આવાં મંડળો દ્વારા જૈન એકેડેમિક કેરિયરમાં જૈનોલોજી, એમ.એ. અને જૈન ધર્મમાં Ph.D. કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. - સાંપ્રત સમયમાં મોટા ભાગનાં જૈન જ્ઞાનધામ, જૈન પાઠશાળાઓમાં જ્ઞાનદાન આપે છે તે દીદીઓ” કે “જ્ઞાનદાતારૂપે કાર્ય કરનાર શિક્ષિત જૈન મહિલાઓ આવાં શ્રાવિકા મંડળ કે શ્રાવિકા ગ્રુપની દેન છે. ' - દરેક મંડળોને પોતાના નિશ્ચિત યુનિફોર્મ હોય છે અને દીક્ષા મહોત્સવ કે તપસ્વીનાં પારણાંના પ્રસંગે આવાં અનેક મંડળોને પવિત્ર ધાર્મિક કાર્યક્રમોમાં સહભાગી થવા આમંત્રણ અપાય છે અને તેનું સફળ સંચાલન શ્રાવિકામંડળ દ્વારા જ થતું હોય છે. સંઘના કાર્યકર્તાઓએ આવા મંડળોની સંચાલિકા બહેનોને રિસ્પેક્ટ સાથે સહયોગ આપવો જોઈએ. વર્તમાન સમયમાં ચતુર્વિધ સંઘો અને જિન શાસનનાં કાર્યોને ગતિમાન રાખવા શ્રાવિકા મંડળોની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે. wwwહ્યુતજ્ઞાનને અભિનંદના , શ્રુતજ્ઞાન તુજને આજ મારા ભાવભર્યા નમસ્કાર છે, ને સમ્યફરૂપે પરિણામો એ ભાવ વારંવાર છે; મને પ્રકાશ દીધો મુકિતમાર્ગે તારો મહાઉપકાર છે, ને હજુય તારી હાજરી પૂર્ણ મને કરનાર છે. * ૧૮૯ છે . For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ બ000000000 સાંપ્રતકાળના પ્રવાહમાં સાંપ્રહાયક [ જૈન ધર્મનાં અભ્યાસ અને પરંપરાગત માન્યતાઓમાં | ડૉ. ઉત્પલાબહેન M.A. Ph. D. છે. ભવન્સ સોમાની શાસ્ત્રાનુસારી વિવેકપૂર્ણ પરિવર્તન | કાલેજનાં ફિલોસોફીનાં હેડ અને વિશ્લેષણ | ઑફ ડિપાર્ટમેન્ટ છે. તેમનો “જ્ઞાનસરિતા” ગ્રંથ પ્રગટ ૪ ડૉ. ઉત્પલા મોદી | થયો છે. . ત્યાગનો જન્મ વૈરાગ્ય વિના થતો નથી. વૈરાગ્યનો જન્મ વૃત્તિના ત્યાગ વિના થતો નથી. પૂર્વભવના પાપોદયે સાધનસામગ્રી ન મળે અને ઉપભોગ ન કરે, તંદુરસ્તી સારી ન હોય, રોગથી પીડાતા હોય અને ડૉક્ટર અમુક વસ્તુઓ, વાનગીઓ, મીઠાઈઓ ખાવાની ના પાડે અને આપણે ન ખાઈએ તો તેને ત્યાગી ન કહેવાય. એટલે કે ન મળે અને ઉપયોગ ન કરે અને ન ભોગવે તે ત્યાગી નથી. જ્ઞાનીનું ત્યાગી માટેનું મીટર જુદું છે. ' વિષયોનો રસ પૂનમના સાગરની ભરતીની જેમ ઊછળતો હોય તો વર્તમાનમાં ભલે ઉપભોગ નથી, પરંતુ તે વસ્તુનો તે ત્યાગી ન ગણાય. સર્વજ્ઞના ભાવો અનંત છે! અસીમ છે, અગાધ છે.. ભગવંત કહે છે... ' “મનને માર્યા વિના, સંયમ રાખ્યા વિના, તનને તપાવ્યા વિના, જીવને જગાડ્યા વિના કોઈ ત્યાગી બની શકતું નથી. ઈચ્છાનો, આકાંક્ષાઓનો, મનોકામનાનો નિરોધ તે જ મોટો ત્યાગ. બધો જ આધારા મન પર છે. સંજમા સંજમણી એટલે કે શ્રાવપણું પૂર્ણ સંયમ પણ નહિ અને પૂર્ણ અસંયમ પણ નહિ તેને શ્રાવકપણું કહેવામાં આવે છે. પરમાત્માએ અનંત કરુણા કરી બે માર્ગ બતાવ્યા છે: (૧) અણગાર માર્ગ (૨) આગાર માર્ગ. જ્યારે પ્રભુ દેશના આપે ત્યારે પ્રથમ અણગાર માર્ગની જ વાત કરે. લેવા જેવો તો સંયમ જ છે, કારણકે આ જ પૂર્ણ માર્ગ છે મોક્ષમાં લઈ જવાવાળો માર્ગ છે. પરમાત્મા તો જ્ઞાની હતા, એમને ખયાલ જ હતો કે બધા આ માર્ગ સ્વીકારશે નહિ. જેમણે સ્વીકાર્યો છે એ તો આત્મકલ્યાણ કરી લેશે, પરંતુ જેમણે નથી સ્વીકાર્યો એમનું શું? એમણે આત્મકલ્યાણ નહિ કરવાનું? અકારણ કરુણાના - ૧૯૦ ૧૪ For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ OCC જ્ઞાનધારા OO કરનારા પ્રભુએ અપાર કરુણાનું ઝરણું વહાવતા દ્વિતીય માર્ગ પણ બતાવ્યો અને એ માર્ગ છે આગાર ધર્મ. અણગાર એટલે કે જેને કોઈ આગાર નથી, જેઓએ સર્વસ્વનો ત્યાગ કર્યો છે. મૂળ સૂત્ર ‘“દશવૈકાલિક સૂત્ર” માત્ર સાધુજીવનની ચર્ચા બતાવીને પૂર્ણ થતું નથી, પરંતુ તેની ગાથાએગાથાએ ગૂઢ રહસ્યો છુપાયેલાં છે. વીતરાગ પરમાત્મા ત્રિકાળદર્શી હતા એટલે વીતરાગ પરમાત્માની પ્રરૂપણા ત્રિકાળદર્શી અને સાતત્ય (સતત) ધરાવતી હોય એવા કેવળી ભગવંતના જ્ઞાનમાં સંપૂર્ણ અને સ્પષ્ટ ભવિષ્યદર્શન હોય એટલે અરિહંત પ્રેરિત માર્ગમાં કોઈ પણ પરિવર્તનની આવશ્યકતા જણાતી નથી. * med સમયના પ્રવાહમાં જિન શાસનના અનેક સંપ્રદાયો થયા અને સંપ્રદાયના આચાર્યો - ગુરુભગવંતો પ્રેરિત અનેક માન્યતાઓ પ્રસ્થાપિત થઈ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે ભૌગોલિક પરસ્થિતિમાં પરિવર્તનો આવ્યાં અને માનવોના સંથાનમાં પરિવર્તનો આવ્યાં. શ્રમણ સંસ્કૃતિની ધારાને ગતિમાન રાખવા માટે વિવિધ સંપ્રદાયોમાં સામંજસ્ય જળવાય એને માટે વિવેકપૂર્ણ કેટલાંક પરિવર્તનોની આવશ્યકતા જણાઈ. સાધુઓની સમાચારીનાં પરિવર્તન અંગે શ્રાવકોને કોઈ અંતિમ નિર્ણયનો અધિકાર ન હોઈ શકે, પરંતુ ગીતાર્થ ગુરુભગવંતો વર્તમાન પરંપરાઓ અને માન્યતાઓમાં વિવેકપૂર્ણ પરિવર્તન અંગે જરૂર માર્ગદર્શન આપી શકે. આજે ૨૫૦૦ વર્ષ પછી પણ સૌ એ વાતમાં સૂર પુરાવશે કે વર્તમાને અનુશાસન વિનાના આચાર્ય કરતાં સક્ષમ અનુશાસ્તાનની મહત્તા વધી જશે. શ્રાવકોનું સ્થાન ચતુર્વિધ સંઘમાં બહુ જ મહત્ત્વનું રહ્યું છે. મહાપ્રતાપી, ઘોર તપસ્વી વીર પ્રભુ શ્રી મહાવીરસ્વામીએ પંચાચારનું પાલન કરી જૈન શાસનની પ્રતિષ્ઠા વધારી છે. આજે પણ ભારતભરમાં અનેક સાધુસાધ્વીજીઓ પંચાચારનું પાલન કરી મહાવીર શાસનની શાન વધારી રહ્યાં છે. એ આન-બાન-શાનને ટકાવી રાખવાની જવાબદારી ચતુર્વિધ સંઘની છે. શાસનનાં ૨૧ હજાર વર્ષનો કાળ કહેવાતા પ્રચાર માધ્યમથી નહિ, પંચાચાર પાલનરૂપ આચારધર્મથી જ અખંડ રહેવાનો છે. ૧૯૧ For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ OCC જ્ઞાનધારા ૭૦ આજનું બાળક કે યુવા વર્ગ પ્રશ્ન પૂછે છે, જવાબ માગે છે એનો અર્થ એવો નથી કે તેઓ ધર્મથી વિરુદ્ધ છે. આપણે તેમને સંતોષકારક, વૈજ્ઞાનિક, Rational અને Convincing જવાબ આપવો જ રહ્યો. જો તેમ નહીં થાય તો તેઓ વ્યવહારમાં, અમલમાં નહીં મૂકી શકે. આનો યુવા વર્ગ, ખાસ કરીને ઉપાશ્રયમાં કે દેરાસરમાં જવા તૈયાર નથી. શા માટે જાણો છો ? કારણકે તેમને ધર્મના નીતિ, નિયમો, પૂજા વિધિ, સિદ્ધાંતો, તત્ત્વો વગેરે વિષે સાચી માહિતી અને સમજણ નથી, પણ જો તેઓને સમજાવવામાં આવે તો તેઓ ચોક્કસપણે પોતાની મેળે, દિલથી અમલમાં મૂકવાની કોશિશ કરશે. * વર્તમાન સમયમાં માતા-પિતા, વડીલો શિક્ષણનું માધ્યમ અંગ્રેજીમાં વધુ પસંદ કરે છે અને આપણું જૈન સાહિત્ય (મૂળ) ગુજરાતીમાં હોઈ તેઓ વાંચી અને સમજી શક્તા નથી. સાંપ્રતકાળમાં યુવાનોને ધર્માભિમુખ કરવા માટે જૈન શિક્ષણ પદ્ધતિ, યુવાનોની ધર્મપ્રવૃત્તિને મોડર્ન ટચ એટલે કે આધુનિક ઓપ આપવો રહ્યો. જો સાદી, સરળ, રસપ્રદ અંગ્રેજી ભાષામાં જૈન તત્વજ્ઞાનનું માર્ગદર્શન આપવામાં આવે તો તેઓ જરૂર સમજી શકે. જ્ઞાન સાથે ગમ્મત, પિશ્ચર સાથે Comic, જૈન ધર્મ વૈજ્ઞાનિક છે, ધર્મનાં વૈજ્ઞાનિક તથ્યોને સમજાવવાં જરૂરી છે. Space technology અને Internetના યુગનો યુવાન ધર્મની દંતકથામૂલક વાર્તાઓને અંધશ્રદ્ધા માનશે. માટે ધર્મની વાતોને વૈજ્ઞાનિક રીતે રજૂ કરવી પડશે. વળી મહાજન, સંસ્થાઓએ સક્રિય થઈ વિવિધ સંપ્રદાયોના સંગઠનનું નક્કર કાર્ય કરવું પડશે. સાંપ્રત જીવનપ્રવાહમાં આર્થિક, ભૌગોલિક, સામાજિક અને રાષ્ટ્રીય પરિસ્થિતિ બદલાઈ છે. દેશવિદેશમાં ચોતરફ જૈનો વસવાટ કરી રહ્યા છે. જૈન સાધુ-સાધ્વીજીઓ આચારધર્મનું ચુસ્તપણે પાલન કરે છે. શ્રમણ સંઘની સમાચારી અને સંયમજીવનની મર્યાદાને કારણે જૈન સાધુ-સાધ્વીજીઓ વિદેશમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળનાં પરિવર્તનને કારણે કેટલાંક કાર્યો કરી શકે નહિ તેથી આવાં કાર્યો માટે ચતુર્વિધ સંઘને જોડતી કડી શાસન પ્રભાવક કે શ્રમણ શ્રેણીની રચના કરવાની જરૂરિયાત ઊભી થઈ જેથી અલગઅલગ દુર્ગમ સ્થળો અને પરદેશમાં જઈ શાસન પ્રભાવકો વીતરાગમાર્ગની પ્રભાવના કરી શકે. વિદેશોમાં ખાસ કરીને જૈનોને જૈન ધર્મ, જૈન દર્શન વિષેનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરાવવામાં ધર્મપ્રચારક કે પ્રવર્તકની જરૂરિયાત ઊભી થઈ છે. તે કામ • ૧૯૨૭ For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ © તમ શ્રાવક અને શ્રાવિકા પણ કરી શકે છે. યુવાન અને બાળકોને જૈન શિક્ષણ આપવાની પદ્ધતિમાં પણ પરિવર્તનની ાવકતા છે. બાળકો અને યુવા વર્ગને ધર્મનું જ્ઞાન વધે તે માટે આધુનિક ઉપકરણો ને Internetનો ઉપયોગ કરી શિક્ષણ આપવું જોઈએ. બાળકો અને યુવાનોને લેવિઝન જોવામાં વધુ રસ હોય તો સતત ટેલિવિઝન જોવાનું બંધ કરવાનું ન તાં તેમને ધર્મનાં કથાનકોની સી.ડી. અને ડી.વી.ડી. દ્વારા સાત્ત્વિક વિકલ્પ પૂરો ડવો પડશે. અહીંયાં ટેલિવિઝન જોવાની પ્રેરણા નથી, પણ બાળકો અને યુવાનોને ર્મમાર્ગે વાળવા સાત્ત્વિક વિકલ્પની વાત છે. C જ્ઞાનધારા OT દાનના પ્રવાહની દિશામાં પરિવર્તનની જરૂર છે. દાનનો હેતુ ફક્ત દયા કે ણા કરતાં પણ વિશેષ જીવમાત્રનું કલ્યાણ હોવો જોઈએ. ફક્ત દાન દઈને છૂટી ન તાં, જરૂરિયાતમંદને પગભર, સ્વાવલંબી થવા માટે જરૂરી શિક્ષણ, તાલીમ અને ર્ગદર્શન આપવાં જરૂરી છે. દાનનો પ્રવાહ છે તેનો સદુપયોગ થાય છે કે નહિ તે ગ઼ જોવું અત્યંત આવશ્યક છે. પહેલાં એટલાં વાહનો અને ટ્રાફિક નહોતાં, અકસ્માતો નહોતા થતા. સાધુધ્વીઓનું ચાતુર્માસ ક્ષેત્ર સીમિત હતું, વધુપડતાં ગામડાંમાં રહેતા. પાદવિહાર તાં, ગોચરી, પરઠવાનું વગેરેમાં મુશ્કેલીઓ નહોતી આવતી. પહેલાં આરોગ્ય ને શરીરનાં સંઠાણો સારાં હતાં. હવે માંદગી વધી અને અકસ્માતો વધ્યા. ડેરીજનોને પણ ચાતુર્માસનો લાભ મળવા લાગ્યો. એટલે વિહાર કરવામાં, દૂરદૂર વાની તકલીફ વધવા લાગી એટલે વિહારમાં વિવેકપૂર્ણ રીતે વ્હીલચર વગેરેનો પયોગ કરવાની આવશ્યકતા વધી. શું માઈક, લાઈટ, ફોન, મોબાઈલ, ફૅક્સ, ટેલેક્સ, કૉમ્પ્યુટર, લેપટૉપ વગેરે લેક્ટ્રિક સાધનોનો ઉપયોગ સાધુ-સાધ્વીજીઓ કરી શકે ? આ બધા પ્રશ્નના વાબમાં બે મત હોઈ શકે છે. પહેલાં તો એ સમજવું જોઈશે કે આ બધાં સાધનોનો રોગ જો ગૃહસ્થ એની સુવિધા માટે કરે છે તો એમાં સાધુ-સાધ્વીજીઓ દોષના ગીદાર થાય કે નહીં ? બીજી વાત ઇલેક્ટ્રિસિટીના ઉપયોગવાળાં સાધનોથી શું કાયના જીવની વિરાધના થાય છે ? ઇલેક્ટ્રિસિટી સ્વયં નિર્જીવ છે તો એ આધાર ! આ સાધનોના પ્રયોગમાં તેઉકાયિક જીવની વિરાધનાનો પ્રસંગ કેવી રીતે આવશે ? ૧૯૩ For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ DO હવે વાત રહે છે વ્યવહારની. વ્યવહારની દષ્ટિથી એ ઉચિત છે કે સાધુ પોતે એનો પ્રયોગ ન કરે કે બીજા પાસે ન કરાવે કે ન એનું અનુમોદન કરે. લાઈટ વગેરેનો ગૃહસ્થો દ્વારા પોતાના ઉપયોગ માટે લેવાના જે પ્રયોગ થાય છે, તો એનાથી પ્રાપ્ત સહજ પ્રકાશ વગેરેનો ઉપયોગ સાધુ દ્વારા કરાય તો એમાં સાધુને દોષ લાગતો નથી. વર્તમાન સમયમાં સાધુ-સાધ્વીજીઓનાં વ્યાખ્યાન સાંભળવાનો લાભ સો, બસો કે તેથી વધુ હજારોની સંખ્યામાં શ્રાવક, શ્રાવિકાઓ લેતાં હોય છે. જો શ્રમણ સંઘ માઈકનો ઉપયોગ ન કરે તો શું તેમને જ્ઞાન મેળવવાથી, સમજવાથી વંચિત રાખવાં ? જો માઈકનો ઉપયોગ ન કરવામાં આવે તો આગલી થોડી હરોળમાં બેસનારાં શ્રાવક-શ્રાવિકાઓ જ સાંભળી અને સમજી શકે. બાકીના લોકો કંટાળી જાય, વાતો કરે અને છેલ્લે ઊઠીને ચાલ્યા જાય. જ્ઞાનપિપાસુઓની જ્ઞાનની તરસ છિપાવવા માટે માઈક બહુ અગત્યનો ભાગ ભજવે છે. સાધુના નિમિત્તે બનાવેલ આહાર-પાણી ‘આધા કર્મી નામના દોષથી દૂષિત કહેવાય. સાધુને તેવો આહાર લેવો કલ્પે નહીં. ‘અતિથિ સંવિભાગ વ્રત’. અતિથિ એટલે મહેમાન. જેની આવવાની કોઈ વર્તાય ન હોય. આપણે અહીંયાં આપણાં સાધુ-સાધ્વીજીઓને અતિથિ કહી શકીએ કે આપણને જાણ કર્યા વગર, ગમે ત્યારે આપણા ઘરે ગોચરી માટે પધારે. ગૃહસ્થે પોતાના માટે જે કંઈ બનાવેલ હોય તેમાંથી જ ગ્રહણ કરે તો નિર્દોષ આહાર કહેવાય. સંવિભાગ એટલે આપણે આપણા માટે જે રસોઈ બનાવી હોય એમાંથી થોડુંક જ વહોરે. ઋષભદેવના સમય સુધી કલ્પવૃક્ષો પાસેથી જ ભોજન મળતું હતું. કલ્પવૃક્ષની ફળદાયક શક્તિ મંદ થતાં ભોજનની સમસ્યા ઊભી થઈ. શહેરોમાં સોસાઇટીમાં વિવિધ ધર્મોના લોકોનાં ઘરો હોય છે. વળી બહુમાળી મકાન હોય છે. તેમાં જો સોસાઇટીમાં ઉપાશ્રય કે દેરાસર હોય, સ્થાનકમાં સાધુસાધ્વીજીઓને પરઠવા માટે યોગ્ય વ્યવસ્થા નથી થઈ શકતી અને તેમને તકલીફ થાય છે. અન્ય ધર્મના લોકો તેઓને સોસાઇટીમાં પરઠવાની પરવાનગી નથી આપતા. પરઠવામાં સ્થાનાદિનો વિવેક ન રાખવાથી જીવ વિરાધના, સંયમ વિરાધના, ગંદકી થાય, તેથી લોકોને અણગમો થાય, રોગ વધે, ઉપદ્રવ થાય, ધર્મની હિલના થાય ૧૯૪ For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ : ૯ જ્ઞાનધારા O 0 આદિ નુકસાન થાય છે. અન્ય ધર્મના લોકો જૈન ધર્મનાં સાધુ-સાધ્વીજીઓની નિંદા કરે છે અને સોસાઈટીમાં રહેવાની પરવાનગી નથી આપતા. તો શું કરવું? શું તેઓ બાથરૂમ, જાજરૂનો ઉપયોગ ન કરી શકે ? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર ઉચિત સુધારા-વધારા કરવા જરૂરી હોય છે તે કરી શકાય છે. પ્રભુઆજ્ઞાની અશાતના ન થાય તે રીતે ગીતાર્થ, વડીલ, સંતો - આચાર્યો તથા જ્ઞાની મહાપુરુષોએ વિવિધ પ્રશ્નો, સમસ્યાઓ પર વિચારણા કરવાની જરૂર છે. બાકી સામાજિક ક્ષેત્રે જેમજેમ પ્રશ્નો થાય ત્યારે જનપ્રવાહ વિચલિત થાય. થોડી વાતો....... આક્રોશ.... ચર્ચા અને આખરે હતા ત્યાં ને ત્યાં પણ ધર્મ ક્ષેત્રે આવું ન ચલાવાય. ચતુર્વિધ સંઘની જવાબદારી ઘણી જ મોટી છે અને જૈન પત્રપત્રિકાઓએ જાગતા પ્રહરી બની દિગ્દર્શન કરાવવાની અનિવાર્ય ભૂમિકા ભજવવી જ રહી ! જૈન સમાજનાં અગ્રણી પત્ર-પત્રિકાઓએ કોઈ પણ પૂર્વગ્રહ-દુરાગ્રહ કે કદાગ્રહ વિના જ્યારે જ્યારે પ્રશ્નો ઊડ્યા ત્યારે દીવાદાંડી બની દિગ્દર્શન કરાવ્યું છે. સંનિષ્ઠ અને નિષ્પક્ષ તંત્રીપદે શોભાયમાન સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ, ખીમંચદ મગનલાલ વોરા, એમ. જે. દેસાઈ, વજુભાઈ અને આઘપિતામહસમા સ્વ. વાડીલાલ મોહનલાલ શાહ અને બીજા અનેકોએ નૈતિક હિંમત સાથે સમાજને સમયે સમયે જાગૃત રાખવામાં પોતાનું યોગદાન આપ્યું. મનભેદ વિના મતભેદ મિટાવી જૈન શાસનની ગરિમા જાળવવા પ્રત્યે સજાગ રહેવાની જવાબદારી તો એક સામાન્યમાં સામાન્ય “ક્સ”ના શિરે પણ આવી જ જાય છે તે ભૂલવું જોઈએ નહિ. આજે સમાજમાં ઐક્યતા માટે સહુ અથાગ પ્રયત્ન કરતા હોય છે, ત્યારે ઐક્યતાને ટકાવી રાખવા સહુએ પોતાની જવાબદારી સમજવી જોઈએ તેમાં જ શાણપણ છે.. . પરિણામધારા બદલાતા કે સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થતાં ભાવોમાં શુદ્ધિ આવે છે. રાગભાવ દૂર થઈ જાય છે. વિચારધારા બદલાતા સંયમપાલનમાં ઉત્સાહ આવી જાય છે, મજબૂતાઈ આવી જાય છે. રાગભાવ નીકળી જાય ને સંયમનું મહત્ત્વ સમાઈ જાય છે. વર્તમાન સમય જે ઊતરતો કાળ છે, પંચમકાળ જેમાં સર્વમ્ દુઃખમ દુઃખમ - - For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ TO /જ્ઞાનધાર ૭૦ વિષમકાળ ચાલી રહ્યો છે ત્યારે ધર્મનું સમ્યફ જ્ઞાન અંધકારમયી, તનાવયુક્ત જીવનમાં પ્રકાશ પાથરી શકે છે. ભગવાન કહે છે કાળ જેમ નબળો તેમ સાવચેતી વધારે રાખવી જોઈએ. શિયાળો ન હોય અને સ્વાથ્ય સારું હોય તો કાન ખુલ્લા રાખીને બેસાય, પણ શિયાળાનો સમય હોય, સ્વાથ્ય નબળું હોય તો કાનન ઢાંકે તો ન ચાલે, માંદા જ પડાય. જૈન સાધુનો જગતમાં જોટો જડે તેમ નથી... આ છે અણગાર અમારા... એટલે જ તો વિશ્વના ચિંતકો ઝળહળતાં જિન શાસન અને જૈન સાધુની પ્રશંસા કરતાં થાકતા નથી. કે છે For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા પહેલાંની પૂર્વતૈયારી તથા શ્રમણ-શ્રમણી વિદ્યાપીઠોમાં પ્રશિક્ષણ અમદાવાદસ્થિત ડૉ. છાયાબહેન શાહ જૈન ધર્મનાં અભ્યાસુ છે. પાઠશાળા અને ♦ ડૉ. છાયાબહેન શાહ દીક્ષિત થયેલ વ્યક્તિઓને ‘સાધુ અથવા સાધ્વી' કહેવાય છે. શાસ્ત્રોમાં આ સાધુનું વર્ણન કરતાં લખ્યું છે કે સમ્યજ્ઞાન ને ચારિત્ર દ્વારા જે મોક્ષપ્રાપ્તિની સાધના કરે છે તે સાધુ. અઢાર પાપસ્થાનકની પ્રવૃત્તિઓનો ત્યાગ કરવા પ્રયત્નશીલ રહે તે સાધુ. મનનું મૌન ધારણ કરવાવાળો તે સાધુ. સાધુને શ્રમણ પણ કહેવાય. શ્રમણ એટલે આત્મગુણ પ્રગટ કરવાના હેતુથી જે શ્રમ કરે તે શ્રમણ. બધા જીવો પર સમાનભાવ રાખનાર તે શ્રમણ. અનુકૂળ-પ્રતિકૂળ પ્રસંગો પર સમભાવધારક તે શ્રમણ. શુભ મનયુક્ત હોય તે શ્રમણ. ‘સાધુ’ની આ વ્યાખ્યાઓ દર્શાવે છે કે સાધુજીવન એક ગંભીર જવાબદારી છે. સ્વેચ્છાએ સ્વીકારેલ ચૅલેન્જ છે. તેથી આ જીવન સ્વીકારવાની જેને ઇચ્છા થાય તેણે પૂર્વતૈયારીઓ કરવી જ પડે. સામાન્ય કાર્ય કરવું હોય તોપણ પૂર્વતૈયારીપૂર્વકનું થાય તો જ તે પાર પડે છે. તો આવું પવિત્ર, ઉચ્ચ અને આધ્યાત્મિક ઉદ્દેશવાળું જીવન સ્વીકારવું હોય ત્યારે નિષ્ઠાપૂર્વકની પૂર્વતૈયારી હોવી જ જોઈએ, તો જ આ જીવન સફળ બને. આમ તો દીક્ષા લેવાનું મન તે જ આત્માને થાય જે પૂર્વભવમાં એવી * આરાધના કરીને આવ્યો હોય. આવું મન થવું તે પણ મહાન પુણ્યનો ઉદાય બતાવે છે. એક વાર દીક્ષા લેવાનો દૃઢ નિર્ણય થઈ જાય પછી નીચેની પૂર્વતૈયારીઓ કરવી આવશ્યક છે. દીક્ષિત જીવન અહિંસાના પાયા પર ઊભી રહેલી ઇમારત છે. દીક્ષાને શ્રુણામયી કહી છે, કારણકે અહીં સતત એ કાળજી લેવાય છે કે પોતાનાથી કોઈ જીવ હણાય નહીં. વ્યક્તિ જ્યારે દીક્ષા લે છે ત્યારે સર્વ સંઘની સાક્ષીએ પ્રતિજ્ઞા ૧૯૭ For Personal & Private Use Only સંતોની વૈયાવચ્ચની પ્રવૃત્તિમાં રસ લે છે. જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં ભાગ લે છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ TOCTC Siાનધારા 0200 કરે છે કે તે હવેથી પૃથ્વી, અપ, તેઉ, વાયુ અને વનસ્પતિના જીવોની હિંસાથી નિવૃત્ત થશે. જીવન જીવવા માટે આવશ્યક જીવોની હિંસાથી નહીં બચી શકે તો તેનું પ્રાયશ્ચિત્ત કરશે. આવા દીક્ષિત થયેલો સાધુ લાઈટ, પંખા, વાહનો કે ઈલેક્ટ્રિકથી ચાલતાં સાધનોનો સર્વથા ત્યાગ કરે છે. આહાર પણ વહોરીને લાવે છે. જેને દીક્ષા લેવાની છે તેણે પૂર્વતૈયારીરૂપે ધીમેધીમે ઉપરની વસ્તુઓ ત્યાગ કરવાની આદત પાડતા જવી જોઈએ. થોડું સહન કરીને પણ લાઈટ, એરકન્ડિશન્ડ, પંખા, વાહનો વિના ચલાવવાની આદત પાડતા જવી જોઈએ, જેથી દીક્ષા લીધા પછી તેને આ બધાં વગર આકરું ન લાગે. શરીરને આ બધી ટેવોથી મુક્ત કરતા રહીએ તો તે બધી જ પરિસ્થિતિમાં સ્થિર રહી શકે છે. આવી પૂર્વતૈયારી કરેલી હોય તો તે વ્યક્તિ દીક્ષિત જીવનને સહજતાથી સ્વીકારી લે છે, એટલું જ નહીં, પણ સર્વસંઘ સમક્ષ ત્યાજ્ય કરેલી પ્રતિજ્ઞાને કટીબદ્ધ રાખે છે. તેમાં કોઈ પણ બહાનું લઈ ઢીલ છોડતા નથી. તે - દીક્ષામાં બાવીસ પરિષહો સહન કરવાના હોય છે. ઉનાળાની લૂ હોય, શિયાળાની કાતિલ ઠંડી હોય કે વરસાદનાં ઝાપટાં હોય, ત્રણેય ઋતુઓથી ઉત્પન્ન થતા વિવિધ પરિષહોને સાધુ પ્રસન્નતાપૂર્વક ઝીલે છે. આકુળ-વ્યાકુળ થતા નથી. દીક્ષા લેતાં પહેલાં શરીરની શુશ્રુષાનો ત્યાગ કરવાનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. જે મુમુક્ષુ છે તેને સાધુભગવંતો સાથે રહેવું જોઈએ, તેમની સાથે વિહાર કરવો જોઈએ, ભૂખ, તડકો, ટાઢ બધું જ સહન કરવાની આદત પાડવી જોઈએ, માન-અપમાન, સેવા-સન્માન બધાથી અલિપ્ત રહેવું જોઈએ. પૂર્વતૈયારીરૂપે આવો અભ્યાસ ક્યાં હોય તો તે સાધુજીવનમાં ગમે તે પરિસ્થિતિમાં વિચલિત નથી થતો, સ્વસ્થ અને પ્રસન્ન રહી શકે છે. શરીરનાં બહાના હેઠળ તે પ્રતિજ્ઞા તોડી જિનાજ્ઞાનો ભંગ નથી કરતો. શુદ્ધ દીક્ષિત જીવન જીવી તે અનંતસુખને પામે છે. સાધુભગવંતનો કાળો રંગ બતાવ્યો છે, કારણકે સાધુ તપથી પોતાની કાયાને તપાવે છે. કંચનવર્ણ કોમળ કાયાને વીરસ-નીરસ આહારથી શોષવે છે. વિવિધ પ્રકારનાં તપ કરી કર્મોની નિર્જરા સતત કરતો જ રહે છે. સાધુ માટે એકભક્ત ભોજન (એકાસણું) અનિવાર્ય ગણાવ્યું છે. આથી દીક્ષા લેવાની - ૧૯૮ ૧૭ For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ © © જ્ઞાનધારા 30 SSC પૂર્વતૈયારીરૂપે મુમુક્ષુએ તપ કરવાની આદત પાડવી જોઈએ. વિવિધ તિથિ, પર્વોના દિવસો, કલ્યાણકોના દિવસોએ તપ કરવું જોઈએ. આહાર સંજ્ઞાથી અલિપ્ત થવાનો અભ્યાસ કેળવવો જોઈએ. ખારું, ખાટું, સ્વાદ-બેસ્વાદ બધાથી પર થતા જવું જોઈએ. ગરમ-ઠંડું બધું જ ચલાવતા શીખી લેવું જોઈએ, જેથી દીક્ષા લીધા પછી વિવિધ ઉગ્ર તપો કરી કર્મોને તપાવી મોક્ષમાર્ગ તરફ આગળ વધી દીક્ષિત જીવનને સફળ કરી શકે. આટલી બાહ્ય પૂર્વતૈયારીઓ કર્યા પછી આંતરિક શત્રુઓ પર પણ વિજય મેળવવાની પૂર્વતૈયારીઓ કરવાની હોય છે. માત્ર સાધુનાં કપડાં પહેરી લેવાથી યથાર્થ સાધુ નથી બની શકાતું. સાધુ બનતાં પહેલાં જ વ્યક્તિએ પોતાના કષાયોને ઓળખવા જોઈએ. ધીમેધીમે આદત પાડવી જોઈએ કે કષાયો પરાજયી થાય. ક્રોધને ઉદયમાં જ આવવા દે નહીં. ઉદયમાં આવી જાય તો તેનું શમન કરે. સાધુ બન્યા પછી પારકાને પોતાના બનાવી તેમની સાથે રહેવાનું હોય છે. તેથી બીજા સાથે સહકારથી, સહૃદયતાથી કેવી રીતે રહેવાય તે શીખી લેવું જોઈએ. નહીં તો સાધુ થયા પછી ઇર્ષા, અહંકાર, કલહ આ બધું જીવનને છિન્ન-ભિન્ન કરી નાખે. વળી, માન કષાય પરં પણ કાબૂ મેળવવો જોઈએ. દીક્ષા લેવાનું પ્રયોજન લોકોમાં પોતાની વાહ બોલાય તે ન હોવું જોઈએ. લોકો પોતાને પૂજ્ય ગણે, વદે, બહુમાન આપે આ બધી લાલચો દીક્ષાને સફળ થવા દેતી નથી. માટે દીક્ષા લેતાં પહેલાં જ મનને દઢ કરી લેવું જોઈએ કે હું માત્ર મારા આત્માનું કલ્યાણ કરવા જ દીક્ષા લઉં છું. મનની આવી દઢતા પૂર્વતૈયારીરૂપે કેળવી હોય તો દીક્ષા લીધા પછી આવાં કોઈ પ્રલોભનોમાં અટવાયા વગર માત્ર અવધૂત બનીને આધ્યાત્મિક જીવનનો આસ્વાદ માણી શકે છે. દીક્ષા લેવાની પૂર્વતૈયારીરૂપે સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે મુમુક્ષુને જ્ઞાન હોવું જોઈએ કે પોતે દીક્ષા કેમ લે છે? અથવા તો દીક્ષાનું સાચું સ્વરૂપ શું છે. શાસ્ત્રકારો દીક્ષિત વ્યક્તિનો પરિચય કરાવતાં કહે છે કે, આ મહાપંચવતધારક સાધુ અહિંસારૂપી હથિયારથી આત્મા પર લાગેલી કર્મરજકણોને ઉખાડીઉખાડીને ફેંકતો જ રહે છે. સત્યરૂપી જળ વડે આત્માનું નવણ કરતો જ રહે છે. અચૌર્યરૂપી જંગલૂછણ વડે આત્માને લૂછતો જ રહે છે. - ૧૯ For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ OCC જ્ઞાનધારા GOOc બ્રહ્મચર્યરૂપી પૂજણી વડે રહી ગયેલી રજકણોને દૂર કરતો જ રહે છે અને અપરિગ્રહરૂપી તેજથી આત્માને ચળકાવતો જ રહે છે. દીક્ષાના આ પુરુષાર્થથી અંધકારમાં રહેલો આત્મા બહાર નીકળી પરમ તેજ તરફ પ્રયાણ કરી, શુદ્ધબુદ્ધ-મુકત બને છે. અનંતશક્તિનો માલિક બને છે. અને ચાર ગતિન પરિભ્રમણમાંથી મુક્ત થઈ મોક્ષસુખને પામે છે. દીક્ષા વિષે આટલું જ્ઞાન તે અવશ્ય હોવું જોઈએ, તો જ દીક્ષા લીધા પછી તે સાચો પુરુષાર્થ કરે છે, સફળ પ્રયત્નો કરે છે અને સત્યનો પંથ પકડે છે. આમ એ નિશ્ચિત્ત થયું કે દીક્ષા લેવાની જે આત્માને ઇચ્છા થાય તેને સાધુધર્મનું પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ અને આ જ્ઞાન પ્રાપ્ત કરવું ક્યાંથી? ગુરુવર્યો પાસેથી, પંડિતજીઓ પાસેથી કે શાસ્ત્રો વાંચવાથી આવું જ્ઞાન અવશ્ય પ્રાપ્ત થઈ શકે, પરંતુ તે વ્યક્તિગત અને મર્યાદિત ક્ષેત્રનું જ્ઞાન થાય. ઘણા તો દૂર નાના ગામમાં રહેતા હોય તો એ પણ શક્ય ન બને. તેથી જૈન સમાજની એક ફરજ છે કે આવા મુમુક્ષો માટે દીક્ષિત જીવનનું પ્રશિક્ષણ આપે તેવી વિદ્યાપીઠો સ્થાપવી જોઈએ, જેમાં સાધુની બહુ નજીકની દિનચર્યા પાળવાની હોય, સાધુજીવનની મર્યાદાઓ પાળવાની હોય અને દીક્ષિત જીવનનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય | ગુજરાતમાં મહેસાણા શહેરમાં “શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા' એક આવી વિદ્યાપીઠ છે, જ્યાં દિનચર્યામાં ૮થી ૧૦ કલાક ધાર્મિક સૂત્રો, શાસ્ત્રો, કાવ્ય, સંસ્કૃત વગેરેનો અભ્યાસ કડક શિસ્ત સાથે કરાવવામાં આવે છે. સાથે જૈન આચાર-વિચારની સમજ આપવામાં આવે છે. તપનિયમ-પૌષધ-વ્રત-નિયમ વગેરેનું પાલન ફરજિયાત કરાવવામાં આવે છે. પાંચ કે છ વર્ષના આવા અભ્યાસ પછી કાં તો તે યુવક દીક્ષા લે છે, કાં તો કુશાગ્ર પંડિત બનીને બહાર નીકળે છે. જે દીક્ષા લે છે તેને દીક્ષિત જીવન પાળવું સ્વાભાવિક લાગે છે, કારણકે તે વિદ્યાપીઠમાં એ જીવન જીવી ચૂક્યો હોય છે. ૧૧૫ વર્ષ જૂની આ વિદ્યાપીઠમાંથી ૧૮૩ મુમુક્ષુએ દીક્ષા લીધી છે અને આશ્ચર્યની વાત એ છે કે અહીં નિઃશુલ્ક અભ્યાસ કરાવવામાં આવે છે. ઉપરથી વિદ્યાર્થીઓને સ્કોલરશિપરૂપે ઈનામો આપવામાં આવે છે. આનંદની વાત એ છે - ૨૦૦ % For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૭ ૯ જ્ઞાનધારા 02190 કે સમાજના અગ્રણીઓએ આખો ભાર ઉઠાવી લીધો છે. આ વિદ્યાપીઠને ક્યારેય આર્થિક કટોકટી ભોગવવી નથી પડી. સ્થાનકવાસી સમાજની પણ નારણપુરા, અમદાવાદમાં મુમુક્ષુ માટે “તારાબેન ટ્રસ્ટ નામની અને ઘાટકોપરમાં શ્રમણી વિદ્યાપીઠ ચાલે છે. નાકોડામાં પણ આવી વિદ્યાપીઠ કામ કરે છે. બેંગલોરમાં પણ આવી વિદ્યાપીઠ સ્થપાઈ હતી, પરંતુ કોઈ કારણસર તે બંધ પડી ગઈ. તાજેતરમાં પાવનધામ, કાંદિવલીમાં ‘પરમ સંબોધિ' વિદ્યાપીઠની સ્થાપના થઈ. મુમુક્ષુના હિત માટે અને તેમના પ્રશિક્ષણ માટે, તેમનાં કાર્યને સફળ કરવા માટે ખરેખર તો આવી અનેક વિદ્યાપીઠો સ્થપાવી જોઈએ. જેમ ઉચ્ચ શિક્ષણ આપતી કોલેજોમાં સ્નાતક બનાવવા માટે વિવિધ વિષયો શીખવવામાં આવે તેમ આવી વિદ્યાપીઠોમાં દીક્ષાને લગતા વિષયોનું પૂરેપૂરું જ્ઞાન આપવું જોઈએ. આ વિષયો છે: (૧) રત્નત્રયી (૨) સમિતિ-ગુપ્તિ (૩) પાંચ મહાવ્રતો (૪) બાવીસ પરિષહો (૫) મમતાત્યાગ (૬) પરિગ્રહત્યાગ (૭) નિર્દોષ ભિક્ષા (૮) બ્રહ્મચર્ય-નવવાડ (૯) સમતાની સાધના (૧૦) પંચમહાવ્રત ભાવના (૧૧) સમાચારી યતિધર્મ. એક હકીકત એ પણ છે કે મુમુક્ષુએ દીક્ષા લેતાં પહેલાં જ આવી વિદ્યાપીઠોમાં જેટલો બને તેટલો વધુ ને વધુ અભ્યાસ કરી લેવો જોઈએ, કારણકે દીક્ષા લીધા પછી બીજી દિનચર્યા અને જવાબદારીઓને કારણે સ્વાધ્યાય માટે વધુ સમય ફાળવી શકાતો નથી. તેથી જો પદ્ધતિસર, ક્રમસર અભ્યાસ દીક્ષા લીધા પહેલાં કરી લીધો હોય તો તે જ્ઞાનપૂર્વક દીક્ષિત જીવનનું ખરા અર્થમાં આનંદપૂર્વક પાલન કરી શકે. પૂર્વભવની ઉત્કૃષ્ટ આરાધના અધૂરી છોડી હોય તેને દીક્ષા લેવાનું મન થાય છે. આવા મુમુક્ષુ આત્માઓની સંખ્યા ઘણી ઓછી હોય છે. આત્મકલ્યાણનો આ એકમાત્ર માર્ગ છે. તેથી દીક્ષિત જીવન સંપૂર્ણ સફળ બનવું જ જોઈએ ને તેથી આવા આત્માઓને મદદરૂપ થવા પ્રશિક્ષણ આપતી વિદ્યાપીઠો વધુ ને વધુ સ્થપાય તો એનું સુંદર પરિણામ જોવા મળે. આવી વિદ્યાપીઠોમાં ઉચ્ચ આચારવાળા જ્ઞાની પુરુષો શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવે, મુમુક્ષુને જ્ઞાનરસમાં ડૂબાડી દે, અમૃતમયી દીક્ષાનો આસ્વાદ ચખાડે તો મુમુક્ષુનો આ ભવ - ૨૦૧૧ For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ CC જ્ઞાનધારા OC ને પરભવ બન્ને સફળ થઈ જાય. સમાજની પણ ફરજ છે કે મુમુક્ષુને પ્રશિક્ષણ આપતી આવી વિદ્યાપીઠો માટે આર્થિક સહાય કરવી જોઈએ. ખુલ્લાદિલે દાન આપવું જોઈએ. આજનો મુમુક્ષુ દીક્ષા લીધા પછી જિન શાસનનો શણગાર બનવાનો છે. પ્રભુના શાસનને ૨૧૦૦૦ વર્ષ સુધી પ્રવાહિત કરવાનો છે. સ્વ અને પરનું કલ્યાણ કરવાનો છે. સંદર્ભ ગ્રંથો : : (૧) શ્રી નવકાર મંત્ર એક અધ્યયન- લેખક : ડૉ. છાયા શાહ (૨) જૈન શાસનનસ્ય દીક્ષા- પ.પૂ. વિજયયોગતિલક સૂરિશ્વરજી (૩) ક્ષમા ગુણ દર્શન - આ. રામચંદ્રસૂરિશ્વરજી મહારાજા (૪) વિદ્યાપીઠની મૌખિક માહિતી- પંડિતવર્ય ભાવેશભાઈ. ૨૦૨ For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનનાં વૈજ્ઞાનિક તથ્યો ♦ ડૉ. પ્રવીણ સી. શાહ ખરેખર તો છેલ્લા સૈકામાં વિજ્ઞાને જે હરણફાળ ભરીને અનેક ક્ષેત્રોમાં આવિષ્કારો કર્યાં છે, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર, શરીરશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, તબીબીક્ષેત્રે તથા ભૂગોળ-ખગોળ ક્ષેત્રમાં વિકાસ સાધ્યો છે. અવકાશી ગ્રહોનાં સંશોધનો કર્યાં છે તેનાથી તો આધ્યાત્મિક જગતના ઋષિમુનિઓએ પ્રગટ કરેલાં રહસ્યોની તાર્કિક અને વૈજ્ઞાનિક સાબિતીઓ સિદ્ધ થયેલી છે. શ્રુત સાગર જેવા જૈન દર્શનના તત્ત્વજ્ઞાનના વિષયોમાં પુનર્જન્મ, જાતિસ્મરણ જ્ઞાન, અવધિજ્ઞાન, કેવળજ્ઞાન, કર્મવાદ, આત્માની સ્વતંત્રતા, આત્મા અને શરીરનો ભદ, પદાર્થ વિજ્ઞાનમાં અણુ-પરમાણુ.- વર્ગણાઓની ચર્ચા, કાર્યણ વર્ગણાનું વિશ્વનું ચૌદ રાજલોક સંબંધીનું સ્વરૂપ, દેવલોકનું સ્વરૂપ, ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં થયેલા જીવોના આયુષ્ય, કાળનું સ્વર્ગી, ગણિતની સંખ્યાઓ અને શૂન્ય, અસંખ્યનું સ્વરૂપ, જૈન ભૂગોળના નકશાનું વર્ણન વગેરે અનેક બાબતોમાં વૈજ્ઞાનિક સંશોધનોએ જે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે તે જાણી આનંદ અને આશ્ચર્ય થાય છે અને સર્વજ્ઞનાં વચનોમાં આપણી શ્રદ્ધા મજબૂત બનાવે છે. આપ સમજી શકો છો કે આ બધા વિષયનું વૈજ્ઞાનિક વિશ્લેષણ આપણા લેખની મર્યાદામાં રજૂ કરવું આવશ્યક છે, પણ જૈન આગમ ગ્રંથોમાં સંશોધન કરતા ખાતરીપૂર્વક કહી શકાય કે આવા અતિન્દ્રિય પદાર્થોની ચર્ચા વૈજ્ઞાનિક સંશોધનોથી સચોટ પુરવાર કરી શકાય છે. અહીં મુખ્ય વિષયોમાં વૈજ્ઞાનિક સંશોધનોએ કરેલાં-તારવેલાં સત્યોથી જૈન દર્શનના પદાર્થોને સિદ્ધ કરવામાં મળતી પુષ્ટિનો ઉલ્લેખ કર્યો છે. જૈન દર્શન અર્થાત્ જૈન વિજ્ઞાનને આધુનિક વિજ્ઞાન સાથે ખૂબ જ મેળ મળે છે. અલબત્ત, જૈન વિજ્ઞાન ખરેખર ગુણાત્મક છે અને તે તીર્થંકર પરમાત્મા દ્વારા કથિત છે, જ્યારે આધુનિક વિજ્ઞાન મહદંશે પરિમાણાત્મક છે, તોપણ બંને (જૈન ૨૦૩ અમદાવાદસ્થિત ડૉ. પ્રવીણભાઈએ જૈન ધર્મમાં જ્ઞાનમીમાંસા’ વિષય પર Ph.D કર્યું છે. પ્રવીણભાઈ જૈન ધર્મ પર દેશ-વિદેશમાં પ્રવચનો આપે છે અને વિવિધ જૈન સેમિનાર્સમાં ભાગ લે છે. For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ©©© જ્ઞાનધારા OT૭૦ દર્શન અને આધુનિક વિજ્ઞાન)માં તેના મૂળભૂત ખયાલોનો આધાર તાર્કિક દલીલો જ છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન વિજ્ઞાન અને ધર્મ નામના તેમના લેખમાં કહે છે : ધર્મ વિના વિજ્ઞાન પંગુ છે, વિજ્ઞાન વિના ધર્મ અંધ છે. આ જ કારણે ભૂતકાળના ડો. ઓપેનહાઈમર જેવા પ્રખર વિજ્ઞાનીઓ તથા વર્તમાનકાળના ડૉ. અબ્દુલકસ્સલામ આઝાદ, ડૉ. હરગોવિંદ ખોરાના ડૉ. હેલીસ ઓડાબાસી જેવા વિજ્ઞાનીઓ પણ ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવે છે. વસ્પતિમાં જીવ છે : અઢી હજાર વર્ષ પહેલાં, ભારતના આર્ષદ્રષ્ટા ભગવાન મહાવીરે સામાન્ય વાત કહેતા હોય તેમ ભાખેલું કે વનસ્પતિમાં પણ જીવ છે ને તેને સ્પર્શતા દુઃખ થાય છે - આ હકીકતને વિજ્ઞાનજગતમાં ત્યારે સ્થાન મળ્યું, જ્યારે કેસ્કોગ્રાફ સર જગદીશચંદ્ર બોઝે શોધ્યો. આનું વિશેષ વિવેચન ગ્રંથોમાં જોવા મળે છે. વૈજ્ઞાનિક સંશોધનો અને પ્રયોગો દ્વારા ફલિત થતા આત્માદેહનો ભેદ, પુનર્જન્મ અને કર્મવાદની સાબિતીઃ - એલ્ગર કેસીના અઢી હજાર લાઈફ રીડિંઝે આપેલા સચોટ પુરાવાઓ તેમ જ પુનર્જન્મ વિષયક યુનિવર્સિટી કક્ષાએ થઈ રહેલાં સંશોધનોએ અમેરિકામાં તેમ જ જગતભરમાં પુનર્જન્મના સિદ્ધાંતને પ્રસ્થાપિત કરી દીધો છે. એ જ રીગ્રેશન દ્વારા એ સાબિત થાય કે વ્યક્તિના જ્ઞાનનો આધાર દેહ નથી, દેહથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવનાર કોઈ જુદું તત્ત્વ દેહમાં છે અને દેહના નારા સાથે તત્ત્વનો નાશ થતો નથી. આત્માને પોતાની અભિવ્યક્તિ માટે એક શરીર કાર્યક્ષમ ન જણાય તો તે એ કાર્યને અનુરૂપ અન્ય શરીર શોધી લે છે. આત્માને પોતાની હયાતી માટે શરીરની જરૂર નથી, પણ તે માત્ર અભિવ્યક્તિ માટે શરીરનો સાથ શોધે છે. આ વિષયનાં અનેક દષ્ટાંતો પુસ્તકોમાં જોવા મળે છે જેની વૈજ્ઞાનિક રીત સચોટ ખાતરી મળેલી છે. ઈ.એસ.પી.-અતિન્દ્રિય જ્ઞાનશક્તિની જેમ પુનર્જન્મના વિષયમાં પણ પરામનોવિજ્ઞાન (પેરાસાઈકોલોજી) દ્વારા વ્યાપક સંશોધનો થઈ રહ્યાં છે, જેનાં પરિણામોએ પુનર્જન્મમાં ન માનનારે પશ્ચિમને ખળભળાવી મૂક્યું છે. જ્યાં ધાર્મિક માન્યતાએ પણ પુનર્જન્મને સ્વીકૃતિ નથી આપી એવા એ પશ્ચિમના દેશોમાં પણ જ ૨૦૪ 6 For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ OCT૯ જ્ઞાનધારા 3000 આ સંશોધનોનાં નિશ્ચયાત્મક પરિણામોના કારણે, હવે પુનર્જન્મનો સિદ્ધાંત ઝડપભેર માન્ય બની રહ્યો છે. હિંદમાં પણ જયપુર યુનિવર્સિટીના પેરાસાયકોલોજી વિભાગના ડૉ. બેનરજી દ્વારા આવું સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. એ વિભાગે પૂર્વજીવનની સ્મૃતિ જેને થઈ હોય એવા પાંચસોથી વધુ કેસો એકત્ર કર્યા હતા.. - ડૉ. બેનરજીની જેમ અમેરિકામાં વર્જિનિયા યુનિવર્સિટીના પેરાસાયકોલોજી વિભાગના ડૉ. ઈઆન સ્ટીવન્સન પણ પુનર્જન્મ અંગે સંશોધન કરી રહ્યા છે. જેમાં પુનર્જન્મનો સંકેત મળતો હોય એવા બારસો કેસ એમની પાસે નોંધાયેલા પડ્યા છે. તેમાંના બસોથી વધુ કેસની ચકાસણી તેઓ – સાથીઓ દ્વારા કે જાતે કરી ચૂક્યા છે. જેમાંથી ચૂંટેલા કેસોના વિસ્તૃત અહેવાલો – સ્થળ પર જઈ કરાયેલી . પુરાવાઓની તલસ્પર્શી ચકાસણી અને સાક્ષીઓની ઝીણવટભરી તપાસની સવિસ્તર વિગતો સાથેના દળદાર ગ્રંથો યુનિવર્સિટી પ્રેસ ઓફ વર્જિનિયા તરફથી પ્રકાશિત થયેલા છે. રજસ્વલા સ્ત્રી (એમ.સી.)ની શાસ્ત્રીય મર્યાદા : આજે ગુનાઓને શોધવામાં કૂતરાઓનો ઉપયોગ થઈ રહ્યો છે એ આપણે જાણીએ છીએ. કૂતરાઓ ગુનેગારને શી રીતે શોધી કાઢે છે એ જાણો છો? કૂતરું માણસને એના શરીરની ગંધ પરથી ઓળખી કાઢે છે. એની આ શક્તિ અહીં કામે લગાડાય છે. માણસ જ્યાંથી પસાર થયો હોય ત્યાં પણ એના પરમાણુઓ બાર કલાક સુધી કૂતરાની ઘ્રાણેન્દ્રિય પડી શકે એટલા પ્રમાણમાં રહે છે, તો એ જ્યાં બેઠો હોય ત્યાં એના પરમાણુઓ વધારે મોટા પ્રમાણમાં રહે અને તે વિજાતીય વ્યક્તિના નાડીતંત્ર પર કંઈક વિકારી અસર જન્માવે એ સમજી શકાય એવું છે. તેથી બ્રહ્મચર્યની રક્ષાર્થે બતાવેલ નિયમોમાં ભગવાન મહાવીરદેવે એક સૂચન એ પણ કર્યું કે સ્ત્રીના આસનનો પુરુષ અને પુરુષના આસનનો સ્ત્રીએ અમુક સમય સુધી ઉપયોગ ન કરવો. એમનું જ્ઞાન કેટલું ઊંડું અને તલસ્પર્શી હતું તેનું પ્રત્યક્ષ પ્રમાણ આપણને આ વિધાનમાં જોવા મળે છે. ' - તેમાં સંભિન્ન સ્ત્રોતમ્ નામે એક વિશિષ્ટ લબ્ધિ છે. આ લબ્ધિ જેને પ્રાપ્ત થાય છે, તે પોતાની કોઈ પણ એક જ ઈન્દ્રિય વડે, તે સિવાયની અન્ય ચાર ઈન્દ્રિય - ૨૦૫ For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ છC જ્ઞાનધારા 0266 દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન મેળવી શકે છે, અર્થાત્ માત્ર સ્પર્શેન્દ્રિય-ત્વચા દ્વારા તે જોઈ પણ શકે છે, સુગંધ કે દુર્ગધનો અનુભવ પણ કરે છે, શબ્દ પણ સાંભળી શકે છે તથા સ્વાદ પણ માણી શકે છે. કર્મવાદની સાબિતી : " આપણાં પ્રત્યેક વિચાર - વર્તનના આપણને ભોગવવા પડતા પ્રત્યાઘાતોની વિશદ્ સમજ આપતો કર્મનો સિદ્ધાંત જૈન, બૌદ્ધ, હિંદુ આદિ આધ્યાત્મિક વિચારધારાઓમાં અપનાવાયેલો છે. પરામમનોવિજ્ઞાનનાં સંશોધનો દરમિયાન કર્મના એ સિદ્ધાંતને પણ સમર્થન મળ્યું છે. બીજો જન્મ ક્યાં લેવો એની પસંદગી કરી શકાય છે ખરી? એ પ્રશ્નનો એ જ રીગ્રેશનના અખતરાઓ દરમિયાન ઉત્તર મળ્યો છે કે એવી પસંદગી કરી શકાતી નથી, પરંતુ પૃથ્વી પરનું પહેલાનું જીવન કે અન્ય ગ્રહો પર વિતાવેલું જીવન વ્યક્તિએ જે રીતે ગાળ્યું હોય એને અનુસાર જ નવા જીવનમાં તે ક્યું શરીર ધારણ કરે અને સમાજમાં કેટલો મોભો ધરાવે તે નક્કી થતું હોય છે. હિપ્નોટિક ટ્રાન્સની મદદથી એક હજારથી વધુ વ્યક્તિઓનાં પૂર્વજીવનોનો અભ્યાસ કર્યા પછી ડો. એલેકઝાંડર કેનને નોંધ્યું છે કે ગત જન્મમાં આચરેલ કોઈ દુષ્ટ કૃત્યના બદલામાં તે વ્યક્તિ, ક્રિયા-પ્રતિક્રિયાના આ નિયમના કારણે, આ જીવનમાં કેવી રીતે દુઃખી થાય છે તે દર્શાવીને, આ અભ્યાસ, પ્રકૃતિતંત્રમાં અત્યંત વ્યાપક અર્થમાં પ્રવર્તતા અદલ ન્યાયની વાત કહી જાય છે. કેટલાય માણસો નથી સમજી શકતા કે, તેમના માથે ઉપરાઉપરી અનેક આપત્તિઓ કેમ ત્રાટક્યા કરે છે? એમના ગત જન્મોમાં નજર નાખતા જણાય છે કે એમણે પૂર્વે દૂર કર્યો કર્યો છે. જ્યારે કોઈ આજે ગમે તે વર્તે છે તોય એનાં પાસા પોબાર જ નજરે પડે છે તે ગત જન્મોમાં એણે કરેલ કોઈ સત્કાર્યનું, પુણ્યકર્મનું ઈનામ ન હોઈ શકે? ' ગણિત વિજ્ઞાન : વર્ગમૂળ સંબંધી એક ખયાલ પાયથાગોરસના કહેવાતા પ્રમેયમાંથી ઉત્પન્ન થયો. અહીં કહેવાતા શબ્દનો પ્રયોગ કરવાનું કારણ એટલું જ છે કે પાયથાગોરસના જન્મ પહેલાં સદીઓ પૂર્વે ભારતમાં પાયથાગોરસના આ પ્રમેય સંબંધી પ્રાયોગિક * ૨૦૬ ૧૭ For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ©© જ્ઞાનધારા OિOO જ્ઞાન હતું જ. જૈનોનાં પિસ્તાળીશ આગમ શાસ્ત્રો પૈકીના ગણિતાનુયોગ સંબંધિત સૂર્યપ્રજ્ઞમિ, ચંદ્રપ્રશમિ, જંબુદ્ધીપપ્રજ્ઞમિ વગેરે જે તેના મૂળ/અસલ સ્વરૂપમાં ઈ.સ. પૂર્વે ૫૫૭ થી ૨૭ સુધીમાં ભગવાન મહાવીર દ્વારા બોલાયેલ માનવામાં આવે છે, તેમાં વર્ગમૂળને કરણ પ્રક્રિયાના નામથી ઓળખવામાં આવ્યું છે અને તેનો પ્રચુર માત્રામાં ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલું જ નહિ ના સ્થળ મૂલ્ય તરીક ૧૦નો વ્યાપક પ્રયોગ પણ કરેલ છે. શ્રી વીરસેન નામના જૈનાચાર્યે Iના સ્થાને ૩૫૫ / ૧૧૩નો પણ ઉપયોગ કર્યો છે. જે આધુનિક ગણિતમાં ભારતીય ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજને છેક ઓગણીસમી સદીમાં શોધ્યું. કાળ - સમયનું સ્વરૂપ : અત્યારના વિજ્ઞાનીઓમાં એક વિજ્ઞાની મિ. કાર્લ સેગને એક કોસ્મિક કેલેન્ડર બનાવ્યું છે તે અને ઈ.સ. ૧૯૭લ્માં છપાયેલ ડાર્વિનના વિશ્વપ્રસિદ્ધ પુસ્તક ઓરિજીન ઓફ સ્પાઈસીસમાં આપેલ ચાર્ટમાં કૉસ્મિક બનાવોનું સમયાંકન બતાવ્યું. છે, તે પ્રમાણે બનાવોના નામને બાદ કરતાં, તેમાં જણાવેલ સમયગાળાનો ગુણોત્તર, જૈન ગ્રંથોમાં જણાવેલ કાળચક્રના અવસર્પિણીકાળના સમયગાળાને ઘણો મળતો આવે છે. પ્રથમ જિનેશ્વર યુગાદિદેવ શ્રી ઋષભદેવ પ્રભુનાં આયુષ્ય તથા શરીરની ઊંચાઈ વગેરે માટે અત્યારના બુદ્ધિમાન ગણાતા વિજ્ઞાનીઓને અતિશયોક્તિ લાગે, પરંતુ જૈન કાળચક્ર અને કોસ્મિક કેલેન્ડરનો બારીકાઈથી અભ્યાસ કરતાં, તે જરા પણ અશક્ય કે અસંભવિત જણાતું નથી. અત્યારે પૃથ્વી પર મળી આવતાં મહાકાય પ્રાણીઓના અવશેષોમાં ડિનોસોરના અવશેષો મુખ્ય છે. એ અવશેષોના આધારે ડિનોસોરની લંબાઈ લગભગ ૧૫૦ ફૂટ આવે છે અને તે ડાર્વિનના ચાર્ટ મુજબ મસોઝોઈક સમયમાં થઈ ગયા. આ સમય આજથી લગભગ ૭ કરોડ વર્ષ પૂર્વેનો માનવામાં આવે છે. જૈન દર્શનકારોએ પાંચ જ્ઞાનના પ્રકાર મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનનું વિશ વર્ણન અનેક આગમ ગ્રંથોમાં કરેલું છે તેમાં અવધિજ્ઞાનનાં લક્ષણો વિસ્મયજનક કે કલ્પોકલ્પિત લાગે એવાં છે, પણ આજના જમાનામાં અવધિજ્ઞાનની શાસ્ત્રોમાં વર્ણવેલી વાતોમાં હવે તથ્ય દેખાય છે. - ૨૦૭ " For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ OCC જ્ઞાનધાર ૭૭૦ - ત્રણે લોક્ના ત્રણે કાળના સકળ પદાર્થો તેના ગુણો - પર્યાયો વગેરેનું સર્વશનું કેવળજ્ઞાન, તેની દષ્ટિએ મર્યાદામાં રૂપી પદાર્થોનો જ્ઞાનાનો પ્રકાશ અવધિજ્ઞાનથી થાય છે. " જે પદાર્થોને વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-આકાર વગેરે હોય જે પાંચેય ઈન્દ્રિયોના વિષયથી અનુભવાય તે પદાર્થને જૈન દર્શનકારો રૂપી પદાર્થ કહે છે અને મર્યાદામાં રહીને ક્ષેત્રથી કાળથી અમુક છતાં અસંખ્ય રૂપી પદાર્થોને પ્રત્યક્ષ જોઈ-જાણી શકે તે અવધિજ્ઞાનની લબ્ધિ છે. આજે હજારો માઈલ દૂરથી આવતા સમાચારો - સંદેશાઓ ઘરેબેઠાં એ જ પરિસ્થિતિમાં આપણે જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ. સેટેલાઈટની મદદથી ટી.વી. વીડિયો પર માઈલો દૂર બનતા બનાવો એ જ ક્ષણે આપણી હાજરીમાં બનતા હોય એમ આજે જોઈ શકાય છે. મોબાઈલ ફોનથી માઈલો દૂર રહેલી વ્યક્તિ સાથે વાતચીત કરી શકીએ છીએ. વિજ્ઞાનની આ ચમત્કારિક વાતો થોડાં વર્ષો પૂર્વે ગાંડા માણસની વાતો લાગતી, ચક્રમ જેવી વાતો લાગતી, પણ આજ રોજ-બરોજના જીવનમાં એ સહજ પ્રવૃત્તિ બની ગઈ છે, એમ અવધિજ્ઞાનથી આત્મા ત્રણે લોકના રૂપી પદાર્થો જોઈ શકે છે એવી શાસ્ત્રવાતોમાં હવે શ્રદ્ધા બેસે છે. યોગદર્શન સંમત પૂર્વજાતિજ્ઞાન, બૌદ્ધદર્શન સંમત પુલ્વેનિવાસ અને જૈન સંમત અવધિ એ ત્રણેયમાં ગત જન્મોના જ્ઞાનની શક્તિ છે. યોગદર્શન સંમત દિવ્યસ્રોતને સર્વભૂતરુતજ્ઞાનને બૌદ્ધદર્શન સંમત પિવાય સોતધાતુવા સાથે સરખાવી શકાય, કારણકે બન્નેમાં કર્મની વિશિષ્ટ શક્તિની વાત છે. આ શાનોને જૈન સંમત અવધિ સાથે સરખાવી શકાય. બૌદ્ધ સંમત દિવ્યચકબુઆણ અને અવધિ બન્નેમાં અમુક યોજના સુધી જોવાની, ભાવિ જન્મોના જ્ઞાનની અને હજારો લોક જોવાની શક્તિ છે. જૈન દર્શનમાં ભૂતકાલીન અને ભવિષ્યકાલીન એમ બન્ને કાળના જન્મજ્ઞાન માટે એક જ જ્ઞાન (અવધિ)નો ઉલ્લેખ છે. જ્યારે બાંદ્ધ દર્શનમાં ભૂતકાલીન જન્મજ્ઞાન માટે પુલ્વેનિવાસ અને ભવિષ્યકાલીન જન્મજ્ઞાન માટે દિવ્યચકબુઆણ એમ બે ભિન્ન જ્ઞાનનો ઉલ્લેખ છે. સંભવ છે કે ભૂતકાલીન જન્મજ્ઞાન કરતાં ભવિષ્યકાલીન જન્મનું જ્ઞાન મેળવવું કઠિન હોય. પરિણામે તે બન્નેને ભિન્ન ગણ્યાં હોય. - ૨૦૮ ૧૭ For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ C જ્ઞાનધારા ધ ફાઈન્ડિંગ ઑફ ધ થર્ડ આઇમાં વેરા સ્ટેન્લી એલ્ડર લખે છે કે, થોડાં જ સંશોધનોએ શક્યતા ઊભી કરી દીધી છે કે વિજ્ઞાનની શોધો અને પૂર્વકાળના જ્ઞાની પુરુષોનાં વચનો એકબીજામાં સમાઈ જશે. એ બેમાં જે ફક દેખાય છે તે માત્ર શાબ્દિક અને રજૂઆતનો જ છે. પ્રાકૃતિક જગતનાં રહસ્યોનું જ્ઞાન પ્રાપ્ત કરીને તેના પર માનવીનું પ્રભુત્વ સ્થાપિત કરતી વિજ્ઞાનની નિતનવી શોધખોળથી પ્રભાવિત થઈ આજનો ભણેલોગણેલો ગણાતો માનવી જ્યારે આધ્યાત્મિક જગતથી દૂર ખસી રહ્યો છે, ત્યારે ઉપર્યુક્ત ઉદ્ગારો કોઈનું પણ ધ્યાન ખેંચે એ સહજ છે. કાંઈ પણ બાહ્ય સાધન-સામગ્રી વિના, આત્મશુદ્ધિ દ્વારા પ્રાપ્ત કરેલ જ્ઞાનની આંતરશક્તિના બળે જ, કેવળ વિશ્વકલ્યાણ અર્થે જ્ઞાનીઓએ જગતને જણાવેલાં આવાં અનેક સત્યો સદીઓ પછી, પ્રયોગોથી સિદ્ધ થતી હકીકતોના આધારે આધુનિક વિજ્ઞાનને આખરે સ્વીકારવા પડચાં છે. વૈજ્ઞાનિક સિદ્ધાંતોની અસ્થિરતા વિશે આજે વૈજ્ઞાનિકો પોતે પણ સજાગ છે. બ્રિટનના પદાર્થ વૈજ્ઞાનિક સર જેમ્સ જીન્સ કહે છે કે આજે અમે આ અનુમાન કરવા પ્રેરાયા છીએ, પરંતુ કોને ખબર છે કે જ્ઞાનની સરિતા આગળ જઈને હજી પણ કેટલા વળાંક લેશે ?આજ સુધીમાં અમે જે કાંઈ કહ્યું છે અને તત્કાળ પૂરતા જે કંઈ નિર્ણય આગળ ધર્યા છે, તે સર્વ અનિશ્ચિત અને સાચું કહીએ તો માત્ર કલ્પનાનું ઉડ્ડયન છે. કવૉન્ટમ થિયરીનો જનક મેક્સ પ્લેઢક કહે છે કે એક કોયડો ઉકેલીએ કે એથીય વધુ ગૂંચવણભર્યો નવો કોયડો સામે આવે છે... ઉત્તુંગ પર્વતના આરોહણમાં, તળેટીઓથી ઉપર ચઢતાં, પર્વતનું પ્રત્યેક શિખર આપણને તેની ઉપરના શિખરનું દર્શન કરાવે છે. તેમ એક અત્યંત રહસ્યમય તત્ત્વ છે કે જે પ્રત્યેક પુરુષાર્થથી વારંવાર પર રહે છે. એડિંગ્ટન જેવા અગ્રગણ્ય વૈજ્ઞાનિક કહે છે કે આ ભૌતિક જગતનું ચેતના સાથે અનુસંધાન ન કરીએ તો તે એક કલ્પના જ બની રહે છે. જતેદહાડે વિજ્ઞાન પોતે જ તત્ત્વજ્ઞાનીઓએ ભાખેલાં સત્યોને વાચા આપશે એવી શક્યતા પશ્ચિમના વિચારકો આજે જોઈ રહ્યા છે. આધ્યાત્મિક ભારતના જ્ઞાની પુરુષો પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતાં તેઓ કહે છે કે, વિજ્ઞાન પણ જાણ્યેઅજાણ્યે તત્ત્વજ્ઞાનની છાવણીમાં આવી રહ્યું છે, કારણકે આઈનસ્ટાઈન, પ્લેક, ૨૦૯ For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ©©© જ્ઞાનધારા 0790 હિઝનબર્ગ, જીન્સ અને એવા બીજા અગ્રગણ્ય વૈજ્ઞાનિકોએ રજૂ કરેલા વિજ્ઞાનના છેલ્લામાં છેલ્લા સિદ્ધાંતોનું ભારતના ઋષિઓ દ્વારા એ સમયે પ્રતિપાદન થયું છે કે જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિ તો હજી તેના બાલ્યકાળમાં ધૂળમાં રમતી હતી. અધ્યાત્મ માનવના અંતરમાં રહેલ દુર્વાસનાઓના મળને ધોઈ નાખવાનું કામ કરે છે. અધ્યાત્મની સહાય વડે અંતઃકરણ નિર્મળ થયા પછી માનવ પાસે જે કાંઈ શક્તિ હશે તેનાથી એના જીવનમાં સુખ-શાંતિ પ્રસરશે. અન્યથા વિજ્ઞાન દ્વારા શક્તિ અને સમૃદ્ધિ એ કદાચ મેળવી શકશે, પણ સુખ અને શાંતિ માટે વલખાં મારવાનું જ એના નસીબે રહેશે. જૈનોના આગમ સાહિત્યને ચાર વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે: (૧) દ્રવ્યાનુયોગ (૨) ગણિતાનુયોગ (૩) ચરણકરણાનુયોગ (૪) ધર્મકથાનુયોગ જંબુદ્રીપ્રશમિ, સૂર્યપ્રશમિ, દ્રિપસાગરપ્રજ્ઞમિ વગેરે આગમો તથા લઘુ ક્ષેત્રસમાસ, બૃહસ્સેત્રસમાસ, બૃહત્સંગ્રહણી, લધુસંગ્રહણી તથા જ્યોતિષકરંડક વગેરે ગ્રંથો ગણિતાનુયોગ વિભાગમાં આવે છે. તે સમયનાં પ્રાપ્ત જૈન ગણિતને બે વિભાગમાં બતાવી શકાય. (૧) ગણિતાનુયોગ : ગણિતિક સિદ્ધાંતો (૨) સંખ્યાન : સંખ્યા વિજ્ઞાન. જંબુદ્વીપપ્રશમિ નામના જૈન આગમમાં જૈન ગણિત પ્રમાણેની અંક સંખ્યા બતાવી છે. એક રીતે તો તેનો પાયો ૧૦નો જ છે. આમ છતાં ૮૪ લાખની સંખ્યા પછી જૈન સાહિત્યમાં ૧૦ના પાયાની સાથે સાથે ૮૪ લાખનો પણ પાયો બતાવવામાં આવ્યો છે અને એ ૮૪,૦૦,૦૦૦ના પાયાવાળા કુલ ૩૬ અંકો છે. તેને ૧૦ના પાયામાં ફેરવતાં ૨૫૦ આંકડાની સંખ્યા આવે છે જેનું નામ જૈન શાસ્ત્રોમાં હીર્ષપ્રહેલિકા બતાવવામાં આવ્યું છે. જૈન શાસ્ત્રકારોએ ૨૫૦૦ વર્ષ પહેલાં આવી મોટી સંખ્યા બતાવી હતી. જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. અત્યારનાં આધુનિક ગણયંત્રોને પણ ૮૪ના ૭૦ અંકોને મેળવતાં લગભગ બે કલાક જેટલો સમય લેવો પડે છે. જ્યારે પ્રાચીનકાળના ભગવાન મહાવીર જેવા કેવળજ્ઞાનીઓએ આવી સંખ્યા ખૂબ જ સ્વાભાવિક રીતે કોઈ પણ જાતની ભૂલ વગર જણાવી છે. અહીં નોંધપાત્ર હકીકત એ છે કે આવી મોટી સંખ્યા પણ ભગવાન મહાવીરના સમયથી લઈને શ્રીદેવદ્ધિગણિ - ૨૧૦ ૧૭ For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ SC_જ્ઞાનધારા O O O ૨૦૦ ક્ષમાશ્રમણના સમય સુધી એટલે કે ૯૮૦ વર્ષ સુધી મુખપાઠ પરંપરામાં કોઈ પણ જાતની ભૂલ વગર સચવાયેલી રહી હતી. ત્યાર પછી જૈન આગમો પુસ્તકરૂઢ / લિપિબદ્ધ કરવામાં આવ્યા ત્યારે તેમાં આ સંખ્યાને પણ બતાવવામાં આવી. ટૂંકમાં આધુનિક સંશોધકો અને ઈતિહાસકારો ભલે એમ માને કે ઈ.સ. પૂર્વે ૧૦૦ વર્ષે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ થઈ, પરંતુ જૈન પરંપરા કલ્પસૂત્રના ટીકાકાર ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીના કથન પ્રમાણે ભગવાન ઋષભદેવે જ્યારે ગૃહસ્થનો વ્યવહારધર્મ પ્રવર્તાવ્યો ત્યારે જ તેઓએ ગણિત પણ બતાવ્યું હતું એટલે ભારતીય પરંપરાનું આ ગણિત અબજો વર્ષ પૂર્વેનું કહી શકાય. આ થઈ અંકગણિતની વાત. તે જ રીતે સેટ થિયરીના શોધક તરીકે જ્યાર્જ કેન્ટોરને માનવામાં આવે છે, પરંતુ જૈન ધર્મના પ્રાકૃત ગ્રંથોના સંદર્ભો જોતાં એવું સ્પષ્ટ જણાય છે કે સેટ થિયરી એટલે કે રાશિ સિદ્ધાંતની શોધ મૂલત: જૈન પરંપરામાં, જૈન ગ્રંથકારોએ તેઓના કર્મવાદના અભ્યાસ તથા સ્પષ્ટીકરણ માટે કરી હતી. જૈન ગણિતમાં અસંખ્યાત અને અનંતના ખયાલોમાં પણ આ જ ખયાલ રજૂ થયેલ છે, એટલે કે અસંખ્યાતના અસંખ્યાતા જ શેષ રહે છે. તે જ રીતે અનંતમાથી અનંત બાદ કરીએ તોપણ અનંત જ શેષ રહે છે, કારણકે અનંતના અનંત પ્રકારો છે. - તો જંબુદ્રીપપ્રજ્ઞમિ, સૂર્યપ્રજ્ઞમિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, દ્વીપસાગરપ્રજ્ઞતિ વગેરે જૈન આગમોમાં જંબુદ્વીપ વગેરેનાં લંબાઈ, પહોળાઈ, ક્ષેત્રફળ અને સાથે સાથે જંબુદ્વીપમાં રહેલ પર્વતો વગેરેના ઘન વગેરે કાઢવાની સરળ રીતો પણ બતાવી છે. આ રીતે ક્ષેત્રગણિત અર્થાત્ પ્લેઈન જ્યોમેટ્રી ભૂમિતિ પણ બતાવવામાં આવી છે. અલબત્ત, આ ભૂમિતિ યુકિલીડની સમતળ ભૂમિતિના પ્રકારની છે. જૈન સંખ્યા પદ્ધતિમાં ત્રણ વિભાગ આવે છે : (૧) સંખ્યાત (૨) અસંખ્યાત (૩) અનંત. સંખ્યાતના ત્રણ પેટાવિભાગ છે: (૧) જઘન્ય સંખ્યાત (૨) મધ્યમ સંખ્યાત (૩) ઉત્કૃષ્ટ સંખ્યાત. જૈન પરંપરામાં એકને સંખ્યા તરીકે ગણવામાં આવતી નથી. સંખ્યાની ગણતરી બેના આંકથી જ થાય છે. તેથી બે જઘન્ય સંખ્યાત કહેવાય છે. ત્યાર બાદ ત્રણથી લઈને જઘન્ય અસંખ્યાતમાં બે ઓછા હોય ત્યાં સુધીની સંખ્યાને મધ્યમ સંખ્યાત કહેવાય છે અને જઘન્ય અસંખ્યાતમાં ૨૧૧ For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ SSC C જ્ઞાનધારા ૭૦ એક ઓછા હોય તેવી સંખ્યાને ઉત્કૃષ્ટ સંખ્યાત કહેવાય છે. સમય એ કાળનું જૈન દર્શનમાં બતાવેલ ન્યૂનતમ એટલે કે સૌથી નાનામાં નાનું માપ છે. આવલિકા પણ કાળનું જ એક માપ છે અને એક મુહૂર્ત અર્થાત્ ૪૮ મિનિટમાં આવી ૧,૬૭,૭૭,૨૧૬ આવલિકા પસાર થઈ જાય છે. આનાથી વિરુદ્ધ કાળના આ સૂક્ષ્મતમ માપની સાથે જૈન શાસ્ત્રકારોએ કાળનું મહત્તમ માપ પણ બતાવ્યું છે. આ મહત્તમ માપ પણ જૈન શાસ્ત્રકારોના ગણિતની મર્યાદાની બહાર હોવાથી માત્ર તેનું સ્વરૂપ ઉપમા દ્વારા જ સમજાવવામાં આવ્યું છે. કાળનાં આવાં મહત્તમ માપોમાં સૌથી નાનું માપ પલ્યોપમ છે અને તેમાં અસંખ્યાતા વર્ષોનો સમાવેશ થાય છે. આવા ૧૦ ક્રોડાકોડી પલ્યોપમે એક સાગરોપમ અને તેવાં ૧૦ ક્રોડાકોડી સાગરોપમે એક ઉત્સર્પિણી અથવા એક અવસર્પિણી થાય છે. એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણી ભેગાં થઈ એક કાળચક થાય છે. આવાં અનંતાં કાળચકો પસાર થઈ ગયાં છે અને ભવિષ્યકાળમાં અનંતા કાળચક્રો પસાર થશે. પલ્યોપમનાં વર્ષોની સંખ્યા તથા કાળચકનાં વર્ષોની સંખ્યા નિયત જ છે. આમ છતાં તે ગણિતિક રીતે બતાવવી સંભવ ન હોવાથી તે માટે અસંખ્યાત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. કાળના માપમાં ઉપર બતાવ્યું તે જ પ્રમાણે લંબાઈનાં માપોમાં સૌથી ન્યૂનતમ માપ એક-આકાશ પ્રદેશ છે. આ બ્રહ્માંડમાં, પુદ્ગલ દ્રવ્યના સૂક્ષ્મતમ અવિભાજ્ય અંગ સ્વરૂપ એક પરમાણુ જેટલા આકાશ વિભાગમાં રહી શકે તેટલા આકાશને એક આકાશ પ્રદેશ કહેવામાં આવે છે. ટૂંકમાં એક સ્વતંત્ર પરમાણુનું માપ / કદ, એ લંબાઈ અથવા પહોળાઈ અથવા જાડાઈનો એક એક એકમ છે. તેવા અસંખ્યાતા પ્રમાણુઓ ભેગા થાય ત્યારે સ્થૂળ દષ્ટિએ આજના વિજ્ઞાને સ્વીકારેલ પરમાણુ બને છે. તો બીજી બાજુ લંબાઈના મહત્તમ માપ તરીકે રજૂ અથવા રાજલોક છે. એક રાજલોક એટલે અસંખ્યાતા યોજના અને એક યોજન બરાબર ૩૨૦૦ માઈલ અથવા ૫૧૨૦ કિમી. થાય. આ રાજલોકનું માપ મર્યાદિત તેમ જ ચોક્કસ હોવા છતાં તે એટલું મોટું છે કે તે અંકોમાં અથવા ગણિતિક સમીકરણ દ્વારા બતાવવું શક્ય ન જણાતા તેના માટે પણ અસંખ્યાતા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. - ૨૧૨ ૧છે. For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #214 -------------------------------------------------------------------------- ________________ OCTC જ્ઞાનધારા OિTOS ગણિત વસ્તુતઃ કાલ્પનિક વિષય હોવા છતાં, મનુષ્યની જરૂરિયાતના કારણે તેની શોધ તથા વિકાસ થયો છે એટલે વ્યવહારમાં તેનો ઉપયોગ અને લોક/સંસારનું સ્વરૂપ સમજાવવું એ જૈન દર્શનનું મુખ્ય ધ્યેય હતું. જૈન ગણિતની એક વિશેષતા એ છે કે એમાં ઋણાત્મક સંખ્યાનો ક્યાંય, કશો જ ઉપયોગ કે નિર્દેશ કરવામાં આવ્યો નથી, કારણકે જૈન ગ્રંથોમાં બ્રહ્માંડના વાસ્તવિક પદાર્થોનું નિરૂપણ કરેલ હોવાથી અને તે બધા જ પદાર્થોના અસ્તિત્વના કારણે તેના માટે ઘનાત્મક સંખ્યાઓનો પ્રયોગ થયેલ છે. ગણિત એ સર્વ વિદ્યાઓનો પાયો છે. ગણિતના જ્ઞાનથી બુદ્ધિનો વિકાસ થાય છે. પ્રાચીન સમયમાં પણ આપણા દેશમાં ભાષા અને ગણિતનું જ્ઞાન આપવામાં આવતું હતું. વર્તમાન સમયમાં ભણાવવામાં આવતા ઈતર વિષયોનું જ્ઞાન તે વખતના જમાનામાં ઉચિત જણાતું ન હતું. એટલા માટે ભાષા અને ગણિતના વિષયસંબંધી અનેક ગ્રંથોની રચના પ્રાચીન ઋષિમુનિઓએ કરેલી છે. આપણા દેશમાં ગણિતનાં પુસ્તકો ગદ્ય અને પદ્ય રૂપમાં જોવા મળે છે. ગણિત સૂક્ષ્મ જ્ઞાનના આધારે જ્યોતિષીઓએ પંચાગોની રચના કરી, જે સૂર્ય, ચંદ્રગ્રહણની તેમ જ અન્ય જરૂરી માહિતી અગાઉથી આપી શકે છે. આપણા ચિરપરિચિત અંકો અને શૂન્ય તથા દશાંશ પદ્ધતિની શોધ, ઉપયોગ અને તેની નક્કર સ્વરૂપમાં સ્થાપના વગેરે ઈ.સ. પૂર્વે ૪૦૦થી લઈને ઈ.સ. ૪૦૦ સુધીમાં થઈ છે, એમ આજના સંશોધકો માને છે. તે જમાનામાં ભૂમિતિને ક્ષેત્ર ગણિત કહેવામાં આવતું હતું અને અંકગણિતને ધૂલિ ગણિત કે ધૂલિ કર્મ અથવા પાટી ગણિત કહેવામાં આવતું હતું. આશ્ચર્યકારક પરંતુ સત્ય હકીકત એ છે કે ભારતીય ગણિતમાં છેક શરૂઆતથી જ ૧૦ને ગણતરીના પાયા તરીકે લેવામાં આવ્યો છે. લખવાની પદ્ધતિ શરૂ થઈ એ પહેલાં પાયાવાળી ઘણી મોટી સંખ્યાઓનો ભારતીય પ્રજા ઉપયોગ કરતી હતી અને તે આ પ્રમાણે હતી. એક (૧) દશ (૧૦) સહસ્ત્ર (૧૦૦૦), અયુત (૧૦,૦૦૦) વગેરે પરાર્ધ (૧,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦) સુધીની સંખ્યાઓ છે. લલિત વિસ્તરા નામના એક પ્રાચીન ગ્રંથમાં ૧૦ પાયાવાળી સંખ્યા જોવા * ૨૧૩ % For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ C જ્ઞાનધા૨ા મળે છે. તે ગ્રંથ પ્રાય: ઈ.સ. પૂર્વે ૧૦૦ વર્ષે રચાયેલ છે. ફાયર બૉલની થિયરી આપનાર ખ્યાતનામ વૈજ્ઞાનિક ડૉ. પંકજ જોશી કહે છે, બ્રહ્માંડમાં અન્યત્ર પણ જીવન હોવાની પૂરી શક્યતા છે. બ્રહ્માંડમાં રહેલા અગણિત વિરાટ તારાનું વિસર્જન આખરે કઈ રીતે થાય છે તે અંગે વિખ્યાત વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ્સની બ્લૅકહૉલ થિયરીને પડકારી ફાયર બૉલનો સિદ્ધાંત આપી સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચનાર ખગોળ વૈજ્ઞાનિક ડૉ. પંકજ જોશી જ્યારે ઈશ્વરના અસ્તિત્વ અંગેના જવાબ આપતા આ વાત કરે ત્યારે તેમનું વેદ અને વિજ્ઞાન બંનેનું ઊંડું જ્ઞાન સામે આવે છે. સ્માર્ટ ફોનના યુગમાં સંશોધન માટે એકગ્રતા અને શાંતિ માટે મોબાઈલ પણ ન વાપરનાર ડૉ. પંકજભાઈ જોશી બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય પણ જીવન હોવાની શક્યતા નકારતા નથી. છેલ્લાં દસ વર્ષમાં આપણે ૨૦૦થી વધુ તારા - ગ્રહો શોધ્યા છે અને જે સંશોધનો - પ્રમાણો જોવા મળી રહ્યાં છે તે જોતા બ્રહ્માંડમાં કોઈ ખૂણે, કોઈ ગ્રહ પર જીવન ધબકતું જરૂર હશે. આ જીવન પૃથ્વી જેવું કે પછી આપણે એલિયન્સની કલ્પના કરીએ છીએ તેનાથી જુદું પણ હોઈ શકે. વિશ્વખ્યાત સાયન્સ મૅગેઝિન જેનું નામ સાયન્ટિફિક અમેરિકન છે તે મૅગેઝિન મે માસમાં વિશ્વભરના વૈજ્ઞાનિકોએ આપેલાં સંશોધનોમાંથી ૧૬ વૈજ્ઞાનિકોના આપેલા સંશોધન લેખ પસંદ કરી સ્પેશિયલ અંક આપ્યો. વિશ્વમાંથી પસંદ પામેલા આ ૧૬ વૈજ્ઞાનિકોમાં ભારતમાંથી – એશિયામાંથી એકમાત્ર વૈજ્ઞાનિકનો લેખ સામેલ હતો અને તે લેખ હતો સાયન્ટિસ્ટ ડૉ. પંકજભાઈ જોશીનો. ગુજરાતે ડૉ. હોમી ભાભા, વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિકો વિશ્વને આપ્યા છે તેમાં એક કડી ડૉ. પંકજભાઈ જોશી દ્વારા ઉમેરાય છે. કોઈ પણ ભૌતિક પદાર્થ દશ સમય એટલે કે લગભગ ૧૦ સેકંડથી ઓછા કાળમાં બ્રહ્માંડના ઉપરના છેડાથી નીચેના છેડા સુધી અથવા નીચેના છેડાથી છેક ઉપરના છેડા સુધી પહોંચી શકે છે. અર્થાત્ ૧૪ રજ્જુ (રાજલોક) જેટલું અંતર કાપી શકે છે. જ્યારે આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષતા સિદ્ધાંતની પૂર્વધારણા પ્રમાણે કોઈ પણ ભૌતિક પદાર્થનો વેગ પ્રકાશના વેગ કરતાં વધુ ક્યારેય હોતો નથી. અલબત્ત, આઈન્સ્ટાઈનની આ પૂર્વધારણાના આધારે કરેલું ગણિત દશ્યમાન ૨૧૪ For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ©©© જ્ઞાનધારા 100 પદાર્થો કે પ્રસંગો | ઘટનાઓ માટે અપેક્ષાએ સાચું જણાય છે, પરંતુ ઉપર બતાવ્યું તેમ જ્યારે પદાર્થનો વેગ પ્રકાશના વેગ કરતાં વધી જાય છે ત્યારે આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષ સિદ્ધાંતોના એક પણ સમીકરણ કામ લાગતા નથી, બલકે એ સમીકરણો તો એમ કહે છે કે પ્રકાશ કરતાં વધુ વેગવાળા પદાર્થો જ કાલ્પનિક છે, જ્યારે કેવળજ્ઞાન અર્થાત્ સમગ્ર બ્રહ્માંડજના બધા જ પદાર્થો સંબંધી ત્રણે કાળનું સંપૂર્ણ જ્ઞાન ધરાવનાર મહાપુરુષોએ તો ત્યાં સુધી કહ્યું છે કે કોઈ પણ ભૌતિક પદાર્થ પોતે સ્થિર હોય તો બાહ્ય કોઈ પણ પરિબળ દ્વારા તે પોતાનો વેગ વધારતો વધારતો ઉપર બતાવેલ ઉત્કૃષ્ણ વેગ જેટલો વેગ પણ મેળવી શકે છે અને આવા ઉત્કૃષ્ટ વેગવાળો પદાર્થ પોતાનો વેગ ઘટાડતો સ્થિર પણ થઈ શકે છે. જૈન દર્શનમાં કાળના મુખ્ય બે પ્રકાર બતાવ્યા છે : ૧) વ્યવહારકાળ (૨) નિશ્ચય કાળ. આઈન્સ્ટાઈન કહે છે-કાળ-વ્યવહારમાળ, રાત્રિ-દિવસ વગેરે રૂપ, કાળ માત્ર પૃથ્વી પર છે, કારણકે પૃથ્વીની દૈનિક ગતિના લીધે રાત્રિ-દિવસ થાય છે. જૈન શાસ્ત્રકારો કહે છે કે રાત્રિ-દિવસરૂપ વ્યવહારકાળ માત્ર અઢી દ્વીપમાં (સમયક્ષેત્રમાં), જ્યાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે મેરુ પર્વતની આસપાસ ફરે છે ત્યાં છે. રાત્ર-દિવસ એવા કાળના વિભાગ સૂર્ય-ચંદ્રના પરિભ્રમણના કારણે જ થાય છે. આઈનસ્ટાઈન કહે છે કે, અવકાશમાં રાત્રિ-દિવસ જેવું કશું જ નથી. જૈન ગ્રંથો કહે છે અઢી દ્વીપની બહાર, જ્યાં સૂર્ય, ચંદ્ર વગેરે સ્થિર છે ત્યાં રાત્રિદિવસ જેવું કશું જ નથી. ટૂંકમાં વિજ્ઞાનની જુદી જુદી શાખાઓ, જેવી કે ભૂસ્તરશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, પરમાણુવિજ્ઞાન, ભૂગોળ, ખગોળશાસ્ત્રના ભારતીય વિજ્ઞાનીઓએ, ભારતીય પ્રાચીન દાર્શનિક તેમ જ અન્ય ગ્રંથોનો ઊંડો અભ્યાસ કરી, તેના આધારે યોગ્ય સંશોધનો કરવાની અનિવાર્ય જરૂરિયાત છે અને એ પ્રમાણે ભારતે વિજ્ઞાનના ક્ષેત્રમાં અમૂલ્ય ભેટ આપી ગણાશે. પ્રાચીન જૈનાચાર્યોનાં વિવિધ કુળોમાંથી એક કુળનું નામ વિદ્યાધર કુળ હતું. તો શ્રી કલ્પસૂત્રમાં જણાવ્યા પ્રમાણે વિદ્યાધરી શાખાનું નામ છે. આ પ્રમાણે - - ૨૧૫ For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ SSC C જ્ઞાનધારા 0.00 મંત્રવિદ્યાનું મૂળ જૈન પરંપરાનુસાર લગભગ એક ક્રોડાકોડી સાગરોપમ વર્ષે પૂર્વનું માનવામાં આવે છે. મંત્રોચ્ચારણનું રહસ્ય સમજાવતાં શ્રી અશોકકુમાર દત્ત પોતાના અનુભવનું વર્ણન કરતાં કહે છે કે મંત્રોચ્ચારણમાં અને ભગવદ્ નામનો ઉચ્ચાર કરતાં ભૂરા અને સફેદ રંગોના કણસમૂહો દેખાય છે અને તેનાથી પ્રાણીઓનું શરીર પુષ્ટ થાય છે. તે સાથે મંત્રોચ્ચારથી સૂક્ષ્મ શરીરના પ્રકાશપુંજની ચમક અને પ્રખરતા વધી જાય છે અને તેથી જ ભગવદ્ નામજપ અને મંત્રોચારણનું વિધાન સંપૂર્ણ વૈજ્ઞાનિક છે તેનું ભાન થયું. જૈન દર્શનમાં મહામંત્ર નવકાર મંત્રના જાપથી છવોનાં સર્વ પાપો નાશ થઈને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તે વિધાનમાં પણ શંકા કરવા જેવું નથી. લેફ કર્નલ સી. સી. બક્ષી પોતાના વૈશ્વિક ચેતના નામના પુસ્તકમાં મંત્રશાસ્ત્ર અંગે જણાવે છે કે દરેક અવાજ, ધ્વનિ કે શબ્દ, તેનું માનસિક ઉચ્ચારણ થાય કે વાચિક, તે વખતે અમુક નિશ્ચિત સ્વરૂપનાં સ્પંદનો ઉત્પન્ન થાય છે. આપણે વિચાર કરીએ છીએ ત્યારે પણ (આપણા મગજમાં શબ્દની/ધ્વનિની અસ્પષ્ટ ઉત્પત્તિ થાય છે, જેને સંસ્કૃત વ્યાકરણના નિષ્ણાતો-ચિંતકો શબ્દસ્ફોટ કહે છે તે અક્ષરોની ચોક્કસ પ્રકારની છાપ આપણા મન સમક્ષ રચાઈ જાય છે. મંત્રોથી સારી અને ખરાબ બંને પ્રકારની અસર ઉત્પન્ન કરી શકાય છે, એટલું જ નહિ, પણ મંત્રોથી પશુ, પક્ષી, વનસ્પતિ, મનુષ્યો તથા મંત્રોના અધિષ્ઠાયક દેવોને ધારી અસર પહોંચાડી શકાય છે. કેટલાક મંત્રો એવા છે જેનાથી રોગમુક્તિ થાય છે, તો કેટલાક મંત્રોથી રક્ષણ થાય છે, તો કેટલાક મંત્રોથી વશીકરણ, મારણ, ઉચ્ચાટન પણ થઈ શકે છે. કુશાન્ડિકા યજ્ઞમાં એક માણસે ફક્ત મંત્ર અને અગ્નિબીજથી જ અગ્નિ પ્રગટાવેલ. આધુનિક ભૌતિકશાસ્ત્ર પ્રમાણે ધ્વનિ-શબ્દ અર્થાત્ ભાષા વર્ગણાના પરમાણુ એકમોની ઝડપ ૩૩૦ મીટર/સેકન્ડ હોય છે. જ્યારે તેજસ્ વર્ગણાના પરમાણુએકમો એટલે કે વીજચુંબકીય તરંગો, પ્રકાશ અને રેડિયો તથા ટેલિવિઝનનાં મોજાંની ઝડપ ૩૦ કરોડ મીટર/સેકન્ડ હોય છે. એટલે જ ભાષા વર્ગણાના પરમાણુએકમોમાં, તૈજસ્ વર્ગણાના પરમાણુ એકમો કરતાં ઘણા વધુ પ્રમાણમાં પરમાણું હોવા છતાં તેની શક્તિ ઓછી જણાય છે. જ્યારે મનો વર્ગણાના મનસ્વરૂપ અથવા ૨૧૬ For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ OCCC જ્ઞાનધાર ૭૦ વિચાર સ્વરૂપે પરિણમેલા પરમાણુ-સમૂહ-એકમમાં સૌથી વધુ સંખ્યામાં પરમાણુઓ હોય છે અને તે પણ ખૂબ જ સૂક્ષ્મ પરિણામી હોય છે, સાથે સાથે આપણે રોજિંદા જીવનમાં અનુભવીએ છીએ તેમ મનની અથવા વિચારોના પુલોની ગતિ પણ ખૂબ જ હોય છે. આથી તેની શક્તિ પણ અનંત હોય છે / હોઈ શકે છે. આધુનિક ભૌતિક વિજ્ઞાનની પરિભાષામાં તો પ્રકાશ પણ એક પ્રકારના વીજચુંબકીય તરંગ માત્ર જ છે અને અત્યારે આપણા વાતાવરણમાં અબજો પ્રકારના વીજ-ચુંબકીય તરંગો પથરાયેલા જ છે. તે દરેકની ઝડપ પણ પ્રકાશની ઝડપ જેટલી જ મતલબ કે ૩,૦૦,૦૦૦ કિમી/સેકંડ છે. માત્ર તેની કંપસંખ્યા કાં તો ઘણી વધુ છે તેથી અથવા કાં તો ઘણી ઓછી છે તેથી આપણે જોઈ શકતા નથી. રાત્રિભોજનના ત્યાગની વૈજ્ઞાનિકતા વિશે જુદાં જુદાં સામયિકો વગેરેમાં વારંવાર લખાતું રહ્યું છે તેથી તેના વિશે કોઈ પણ પિષ્ટપેષણ કરવાની આવશ્યક્તા નથી, છતાં શરીરવિજ્ઞાનની દષ્ટિએ રાત્રિના સમયે મોટે ભાગે શારીરિક પ્રવૃત્તિ, પરિશ્રમ ઓછો કરવાનો હોવાથી ચયાપચયની પ્રક્રિયા પણ અતિમંદ પડી જતી હોવાથી રાત્રિએ ભોજન કરનારને મોટે ભાગે અજીર્ણ, ગૅસ (વાયુ) વગેરેના રોગો થવાની સંભાવના રહે છે. તે સિવાય રાત્રિના સમયે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં વાતાવરણમાં શુદ્ર, જીવજંતુની ઉત્પત્તિ, ઉપદ્રવ પણ ઘણો રહે છે. સૂર્યપ્રકાશમાં જ એવી અગમ્ય શક્તિ છે કે જે વાતાવરણના પ્રદૂષણ તથા બિનઉપયોગી જીવજંતુનો નાશ કરી શકે છે અને નવા જીવજંતુની ઉત્પત્તિને રોકી શકે છે. તેમાંય સૂર્યોદય પછીની ૪૮ મિનિટ પછી અને સૂર્યાસ્તની ૪૮ મિનિટ પહેલાં ભોજન કરવાનું જૈન ગ્રંથોમાં વિધાન છે, કારણકે સૂર્યાસ્ત સમયે અને સૂર્યોદય સમયે માખી, મચ્છર વગેરે ક્ષુદ્ર જંતુઓનો ઉપદ્રવ વધુ હોય છે. સૂર્યાસ્ત સમયે જીવજંતુનો ઉપદ્રવ શરૂ થતો હોવાથી તથા સૂર્યોદય સમયે જીવજંતુનો ઉપદ્રવ પૂર્ણ થતો હોવાથી વધુ સંખ્યામાં તેઓ દેખા દે છે. ટૂંકમાં જૈન ધર્મમાં જણાવેલ નવકારશી, ચઉવિહાર, બિયાસણાં, એકાસણાં, આયંબિલ, ઉપવાસ વગેરે તપ આરોગ્યવિજ્ઞાન (મેડિકલ સાયન્સ) અને * ૨૧૭ ઈ For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ©©© જ્ઞાનધાર ૭૦ શરીરવિજ્ઞાનની દષ્ટિએ સંપૂર્ણ વૈજ્ઞાનિક છે અને તેનાથી આધ્યાત્મિક લાભની સાથેસાથે શારીરિક તંદુરસ્તીમાં ઘણા ઘણા ફાયદા થાય છે, જે નજરઅંદાજ કરવા ન જોઈએ. છેવટે ધર્મ કે ધાર્મિક શબ્દની કદાચ એલર્જી હોય તો, વિજ્ઞાન અને આરોગ્યના નામે પણ ઉપર્યુક્ત તપ અને નિયમોનું પાલન કરવું જોઈએ. વસ્પતિની જેમ પાણીમાં પણ ચેતના હોય છે. ૭૦ વર્ષની વયે ભાવનગરના નિવૃત્ત પ્રાધ્યાપક શ્રી પી. એસ. શાહના સંશોધનને ભાવનગર યુનિ.ની માન્યતા: આ સંશોધનલેખમાં તેઓએ જણાવ્યું છે કે પાણી સચેત છે અને કેટલાંક કારણોસર તે અચેતન બની જાય છે. પાણી સજીવ છે એ પ્રસ્થાપિત કરવામાં તેમણે વૈશેષિક દર્શન-પ્રશાસ્તપાદ ભાષ્ય, મેઘમહોદય, પાણીની આભા, જગદીશચંદ્ર બોઝની રજૂઆત, સમુદ્રના પ્રવાહ, ભરતી અને ઓટ, વર્ષા અંગેના ખયાલો વગેરેની રજૂઆત કરી તેના દ્વારા પાણી સજીવ હોવાનું તાર્કિક રીતે પ્રસ્થાપિત કર્યું છે. • પાણી ઘટ ગૂઢ, અકળ અને રહસ્યમય છે. • વિજ્ઞાનમાં પાણીની ૬૧ અનિયમિતતાની રજૂઆત છે. . • વિજ્ઞાનમાં કોષરહિત જીવનો ખયાલ અસ્તિત્વમાં આવ્યો છે. • ભારતીય ગ્રંથોમાં પાણીના ગર્ભધારણની અને તે બંધાયા બાદ ૧૫માં દિવસે વર્ષારૂપે પ્રસવ થવાની રજૂઆત છે. ટૂંકમાં પાણી ઉકાળીને જ શા માટે પીવું જોઈએ ? એ પ્રશ્ન યથાવત્ જ રહે છે. આ પ્રશ્નનો ઉત્તર વૈજ્ઞાનિક સંશોધનોના આધારે આ પ્રમાણે આપી શકાય. વિજ્ઞાનના સિદ્ધાંત પ્રમાણે પ્રવાહીમાં ધનવિદ્યુતભારવાળા અણુઓ અને ગુણવિદ્યુતભારવાળા અણુઓ હોય છે અને કૂવા, તળાવ, નદી, વરસાદ વગેરેના પાણીમાં ક્ષાર હોય છે અને સાથે સાથે તેમાં સુણવિધુતભારવાળા અણુઓ વધુ પ્રમાણમાં હોય છે. આ સુણવિદ્યુતભારવાળા અણુવાળું પાણી પીવાથી શરીરમાં ખૂબ જ તાઝગી/સ્કૂર્તિનો અનુભવ થાય છે. આવું પાણી ક્યારેક વિકાર પણ પેદા કરે છે, પરંતુ જ્યારે પાણીને ગરમ કરવામાં આવે છે, ત્યારે તે પાણી અચિત્ત તો થઈ જ જાય છે, પણ સાથે સાથે તેમાં રહેલ ઋણવિદ્યુતભારવાળા અણુઓ જે ૨૧૮ ૧ For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ > C જ્ઞાનધારા OXO તટસ્થ અર્થાત્ વીજભાર રહિત થઈ જાય છે, પરિણામે ગરમ કરવામાં આવેલ પાણી શારીરિક અને માનસિક વિકૃતિઓ પેદા કરી શકતું નથી. ઉપસંહાર : આ રીતે જોવા જઈએ તો વિજ્ઞાન અને અધ્યાત્મ બંને એક સિક્કાની જ બે બાજુ છે. છતાં એક વાત સ્પ્ત રીતે ખયાલમાં રાખવાની કે વિજ્ઞાનની દુનિયામાં કશું જ અંતિમ સત્ય નથી. જ્યારે અધ્યાત્મની દુનિયામાં અંતિમ સત્ય જ મુખ્ય વસ્તુ છે. વિજ્ઞાન ક્યારેય સંપૂર્ણ અને અંતિમ સત્ય પામી શકતું નથી. હા, એ અંતિમ અથવા તો સંપૂર્ણ સત્યની વધુ નજીકમાં નજીક જઈ શકે છે, પરંતુ અંતિમ સત્ય પામવા માટે વિજ્ઞાનનાં અત્યાધુનિક ઉપકરણો પણ બિનઉપયોગી અને બિનકાર્યક્ષમ પુરવાર થાય છે, કેમ કે ત્યાં આત્માના જ્ઞાનરૂપી ઉપકરણનો જ ઉપયોગ અનિવાર્ય બને છે અને આ જ્ઞાનરૂપી સાધન અધ્યાત્મમાર્ગ વિના ઉપલબ્ધ જ નથી. તેથી વિશ્વના ટોચના ભૌતિકશાસ્ત્રીઓ પણ વિશ્વના સકળ પદાર્થોના ગુણધર્મ અને બ્રહ્માંડની સંરચના તથા અન્ય પરિબળોનો ગણિત તથા વિજ્ઞાનની મદદથી તાણ પામવા પ્રયત્નો કરે છે અને એ પ્રયત્નોને અંતે પણ આ વિશ્વના સંચાલકબળની શક્તિનું રહસ્ય હાથ ન આવતાં, તેઓ ઈશ્વર કે કર્મ જેવી કોઈ અદશ્ય સત્તાનો સ્વીકાર કરે છે. હજારો પાનાં ભરીને આ વિષયનું વર્ણન થઈ શકે એવું મહત્ત્વપૂર્ણ છે, પણ પેજની મર્યાદા સાચવીને અત્રે થોડાક વિષયોનો સારાંશ પ્રસ્તુત કરેલ છે. ૨૧૯ For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન સંજોગોમાં વૈશ્વિક ( અમદાવાદ સ્થિત પરિપ્રેક્ષ્યમાં જૈન શ્રત અને ચીન સાહિત્યના પ્રચાર શ્રી બાબુભાઈ આગમ ગ્રંથો, આગમ સાહિત્યના પ્રચાર- પ્રસારનું કાર્ય ખૂબ જ સુંદર | રીતે કરી રહ્યા છે. ઉપરાંત પ્રસારકાર્યની સમીક્ષા પૂ. ગુરુભગવંતો અને સ, પૂ. સાધ્વીજીઓની જ શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા | વેયાવચ્ચનું કાર્ય સુપેરે કરી કરુણાસાગર પરમાત્મા મહાવીરે ઉપન્નઈ | રહ્યા છે. રહ્યા છે. વા, વિગમેઈ વા અને ધુવેઈ વાની ત્રિપદી ગણધર ભગવંતોને આપી. તેના દ્વારા તેઓના જ્ઞાનાવરણીય કર્મનો અદ્ભુત સંયોપશમ થયો, જેના લીધે તેઓના અંતરમાં દ્વાદશાંગીની રચના થઈ અને તેઓએ સ્વરૂપે આગમ ગ્રંથોની રચના કરી. કાળના પ્રભાવે ક્ષીણ થઈ રહેલ આ શ્રુત વારસાને પૂજ્ય દેવર્ષિ ગણી ક્ષમાશમણના નેતૃત્વમાં વલ્લભીપુરમાં ૧૨ વર્ષના સઘન અને સફળ પુરુષાર્થથી લિપિબદ્ધ કર્યા. પંચાંગી સહિતના આ આગમ ગ્રંથો જૈન તત્ત્વજ્ઞાન, આચારશાસ્ત્ર વિચાર અને જૈન પરંપરાનું જીવંત દર્શન છે. ગણધર ભગવંતોએ અને પૂર્વાચાર્યોએ સૂત્રબદ્ધ કરેલા અને પછીના સમયમાં મહાપુરુષોએ તેના પર વિશદ્ અર્થરૂપ વિવેચન કરવા દ્વારા આ આગમ ગ્રંથો આત્માના કલ્યાણ માટે તેને મોક્ષપથના અગ્રેસર બનાવવા માટે દીવાદાંડી સ્વરૂપે છે. સટીક આગમ ગ્રંથોમાં ચરણકરણાનુયોગ, દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગનો સમાવેશ થયેલ છે. આગમ શાસ્ત્રો જૈન ધર્મના બંધારણનો પાયો છે અને જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્નોની ખાણ છે તેમાં જૈન દર્શનના રત્ન જેવા સાધુ આચાર અને સોના જેવા શ્રાવક આચારનું નિરૂપણ કરવામાં આવેલ છે. જૈન ધર્મના સિદ્ધાંતો અને નીતિ-નિયમોની પણ વિશ છણાવટ કરવામાં આવેલ છે, સાથે સાથે સરળ રીતે બોધ થાય તે માટે વિવિધ કથાઓનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. આગમ ગ્રંથો - શ્વેતાંબર મૂર્તિપૂજક માન્યતાનુસાર ૪૫ આગમ તેમ જ સ્થાનકવાસી - ૨૨૦ ૧છે. For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ O C જ્ઞાનધારા GOOGO માન્યતાનુસાર ૩૨ આગમ ગ્રંથો છે. શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયની માન્યતાનુસારના ૪૫ આગમોમાં ૧૧ અંગ + ૧૨ ઉપાંગ + ૧૦ પન્ના + ૬ છેદ સૂત્ર + ૪ મૂળસૂત્ર + ૨ ચૂલિકાનો સમાવેશ થાય છે. તે અગિયાર અંગમાં બધા જ વિષયોનો સમાવેશ થાય છે. જેની વિગતે પ્રસ્તુત છે. ૧. આચરાગ સૂત્ર - આચાર એ જ પ્રથમ ધર્મ. સાધુ આચારનું નિરૂપણ. ૨. સૂયગડાંગ સૂત્ર - જૈન દર્શનની શ્રેષ્ઠતાનું અન્ય દર્શનોની સાથે તુલનાત્મક વર્ણન. ૩. સ્થાનાંગ સૂત્ર - એકથી દસ સ્થાન સુધી જીવ અને પુદ્ગલના ભાવોનું વર્ણન. ૪. સમવાયાંગ સૂવ - એકથી અનેક સંખ્યા સુધી વિવિધ વિષયો-પદાર્થોનું વર્ગીકરણ. ૫. ભગવતી સૂર (વિવાહ પણત્તિ) - પ્રભુ મહાવીર દ્વારા અપાયેલા પૂ. ગૌતમસ્વામીના ૩૬૦૦૦ પ્રશ્નોના જવાબ. ૬. જ્ઞાતાધર્મકથા સૂર - મહાપુરુષોના જીવનની સત્યઘટના તેમ જ કથાઓનો સંગ્રહ. ૭. ઉપાસકદશાંગ સૂત્ર – પ્રભુના દસ મહાશ્રાવકોના દેશવિરતિ ધર્મના પાલનનું વર્ણન. ૮. અંતગડદશાંગ સૂત્ર - અંતમુહૂર્તમાં મોક્ષે ગયેલ આરાધકોનું વર્ણન. ૯. અનુત્તરોપપાતિક દશાંગ સૂત્ર - અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર - આત્માઓનું જીવનદર્શન. ૧૦. પ્રબં વ્યાકરણ સૂર – આશ્રવ અને સંવરનું વિવરણ. ૧૧. વિપક સૂત્ર - પુણ્ય અને પાપકર્મનાં ફળનું વર્ણન. પ્રભુ મહાવીરે અર્ધમાગધી ભાષામાં આપેલા ઉપદેશને ગણધર ભગવંતોએ અર્ધમાગધી (પ્રાકૃત) ભાષામાં સૂત્રબદ્ધ કર્યા. તે આગમ ગ્રન્થરૂપે ઓળખાયા. આગમ ગ્રંથો પર પૂર્વાચાર્યે નિર્યુકિત, ચૂર્ણ, ભષ્ય અને ટીકાઓની રચના કરી છે. આ પંચાંગી એટલે કે પાંચ-અંગોનો સમૂહ. મૂળ સૂત્ર + ગીતાર્થ પૂર્વાચાર્યો - ૨૨૧ For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ C જ્ઞાનધારા · વડે રચિત નિર્યુક્તિ-ચૂર્ણી ભાષ્ય અને ટીકા. આ પાંચ અંગોને શ્વેતાંબર મૂર્તિપૂજક આગમ પ્રમાણરૂપે માને છે. જુદા આગમ ગ્રંથોના પદાર્થો-ગૂઢ અર્થો સમજવા સરળ બન્યા છે. ખાસ તો જુદા જ્ઞાનીભગવંતો દ્વારા ટીકાની રચના સંસ્કૃતમાં થયેલી છે જેના લીધે આગમનો સ્વાધ્યાય-અભ્યાસ સરળ બન્યો છે. વિશ્વમાં બધાં જ દર્શનમાં રહેલ સિદ્ધાંતો-માન્યતા અને નિયમોની છણાવટ જ જે તે ધર્મગ્રંથોમાં કરવામાં આવેલ છે. તેના કરતાં વિપુલ પ્રમાણમાં જૈન ધર્મમાં ગૂઢ અને વિસ્તૃત છણાવટ આગમ પ્રકરણ વગેરે જૈન શ્રુતમાં કરેલ છે. પ્રભુએ ૩૦ વર્ષ સુધી વહાવેલી શ્રુતગંગામાં વિશ્વમાં રહેલ તમામ પદાર્થો અને વિષયોની વિસ્તૃત સમજૂતી અને સંપૂર્ણપણે વૈજ્ઞાનિક રીતે સાબિત કરી શકાય તેવી રીતે દ્વાદશાંગીમાં બધું જ હતું. જૈન આગમ અને શ્રુત સાહિત્ય એક અણમોલ અને મહાન ઉપલબ્ધિ સાહિત્યના ક્ષેત્રમાં છે, જેનો અક્ષરદેહ કાળક્રમે ઘણુંબધું નષ્ટ થવા છતાં પણ આજે પણ એટલો બધો વિશાળ અને વિરાટ છે કે સામાન્ય વ્યક્તિને માટે તેનો સર્વાંગી અભ્યાસ કરવો શક્ય નથી. પ્રભુકૃપા અને વિશિષ્ટ ગુરુકૃપાને બળે, નિર્મળ ક્ષયોપશમના આધારે જ્ઞાની ગુરુભગવંતો અને વિદ્વાનો જ આનું ગહન અધ્યયન કરવા શક્તિમાન છે. આગમની મહત્તા સમજીને જર્મની અને બીજા વિદેશી વિદ્વાનોએ આ ગ્રંથોનો અભ્યાસ કરવા માટે પ્રાકૃત અને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરીને આગમ ગ્રંથોના અનુવાદ અંગ્રેજી અને બીજી વિદેશી ભાષામાં પણ કરેલ છે. જૈન દર્શન સિદ્ધાંતો અને આચાર સમગ્ર વિશ્વમાં શાંતિ અને પર્યાવરણની જાળવણી માટે ખૂબ જ મહત્ત્વના છે. તેનો પ્રચાર અને પ્રસાર વિશ્વભરમાં રહેલ યુનિવર્સિટી અને વિદ્વાનોમાં થયેલ છે. વિશ્વની દરેક મુખ્ય યુનિવર્સિટીમાં સંસ્કૃત અને પ્રાકૃતનો વિભાગ હોય છે ત્યાં જૈન દર્શનનો પણ અભ્યાસ કાયમી ધોરણે કરાવવામાં આવે છે. ભગવાન મહાવીરના અહિંસા, અનેકાંત અને અપરિગ્રહ સિદ્ધાંતોના હજુ પણ વધારે પ્રચાર-પ્રસારની આવશ્યક્તા છે. અહિંસા અને સવી જીવકટુશાસન રસી–વિશ્વમૈત્રીની આ સમગ્ર વાત વિશ્વમાં ઘર ઘર સુધી પહોંચે તો પ્રાણીમાત્રને અભયદાન મળે અને જીવન સુખ-શાંતિમય બને. સાચા અર્થમાં વિશ્વમૈત્રી અને વિશ્વશાંતિ થાય. ૨૨૨ For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ TOMIC જ્ઞાનધારા COO આગમોત્તર કૃત સાહિત્ય - આગમ ગ્રંથોનું દોહન કરીને પૂર્વાચાર્યો દ્વારા ઘણાંબધાં પ્રકરણ અને સંદર્ભશાસ્ત્રોનું નવસર્જન કરવામાં આવેલ છે. આગમરૂપી માખણનું વલોણું કરીને બધા જ વિષયના પ્રાકૃત-સંસ્કૃત અને વિવિધ ભારતીય ભાષામાં વિપુલ સાહિત્ય સર્જન થયેલ છે. પૂર્વાચાર્યો દ્વારા વિવિધ વિષયના નવસર્જન થયેલ પ્રાકૃત-સંસ્કૃત ગ્રંથોની આછેરી ઝલક દ્વારા જૈન શ્રતની વિશાળતાનો ખયાલ આવે છે. - (૧) પ્રાથમિક અભ્યાસ માટે - પંચ પ્રતિક્રમણ, જીવવિચાર, આદિ ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, પ્રાચીન તથા નવ્ય કર્મગ્રંથો. - (૨) તત્ત્વજ્ઞાન જૈન સિદ્ધાંત - ઉમાસ્વાતિજી કૃત તત્ત્વાર્થ સૂત્ર અને તેની વિવિધ ટીકા-ભાષ્ય, શ્રાદ્ધ વિધિ પ્રકરણ, ઉપા. માનવિજયકૃત ધર્મસંગ્રહ, ચંદર્ષિ મહત્તર કૃત પંચ સંગ્રહ, પ્રદ્યુમ્નસૂરિજી કૃત મુલશુદ્ધિપ્રકરણ, જિનચંદ્રસૂરિજી કૃત કર્મ પ્રકૃતિ, હરિભદ્રસૂરિજી કૃત લલિતવિસ્તરા, અષ્ટક પ્રકરણ, ષોડશક, પંચાશક, પ્રશમરતિ વગેરે ગ્રંથો. (૩) ઉપદેશાત્મક - ધર્મદાસ ગણિ વિરચિત ઉપદેશમાળા, લક્ષ્મીવલ્લભગણિત કૃતિ ઉપદેશપ્રસાદ, સંવેગરંગશાળા, નેમીચંદ્રસૂરિકૃત પ્રવચનસારોદ્ધાર, રત્નશખસૂરિકૃત સંબોધસિત્તરિ, મુનિચન્દ્રસૂરિકૃત અધ્યાત્મકલ્પદ્રુમ, ઉપા. યશોવિજયજી કૃત વૈરાગ્ય કલ્પલતા, અધ્યાત્મસાર, જ્ઞાનસાર, વિનયવિજયજી કૃત શાંત સુધારસ વગેરે. (૪) ન્યાય-દાર્શનિક વગેરે - દ્વાદશાર નયચક, સ્યાદ્વાદ મંજરિ, હરિભદ્રસૂરિજી કૃત અનેકાંત જય પતાકા પદર્શન સમુચ્ચય, શાસ્ત્રવાર્તા સમુચ્ચય, સ્યાદ્વાદ રત્નાકર, સન્મતિ તર્ક પ્રકરણ, ઉપા. યશોવિજયજી કૃત સ્યાદ્વાદ રહસ્ય, રત્નાવરતારિકા વગેરે. * * (૫) ચરિત્ર - હેમચંદ્રાચાર્ય વિરચિત ત્રિશષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર, ચઉપૂન મહાપુરુષ ચરિત્ર, પ્રબંધ ચિંતામણિ, સુરસુંદરિ ચરિતમ્ વસુદેવહીંડી, સમરાઈથ્ય કહા વગેરે. (૬) વ્યાકરણ – હેમચન્દ્રાચાર્ય વિચરિત સિદ્ધહેમ વ્યાકરણ તથા સિદ્ધહેમ લઘુવૃત્તિ, મધ્યમવૃત્તિ-બૃહદવૃત્તિ, લઘુન્યાસ, બૃહન્યાસ, પ્રાકૃત વ્યાકરણ વગેરે. * ૨૨૩ - For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ OCC $ાનધારા 0.00 (૭) કાવ્યો – હીર સૌભાગ્ય, દ્વાશ્રય મહાકાવ્ય, શાંતિનાથ મહાકાવ્ય, પઉમરિયમ, યશસ્તિલક, કુવલયમાળા, તિલકમંજરી વગેરે. (૮) નાટક - મુદ્રિત કુમુદચંદ્ર, નલવિલાસ, સત્યહરિશ્ચંદ્ર વગેરે. (૯) શિલ્પશાસ્ત્ર - વાસ્તુસાર, કલ્યાણકલિકા, જૈન શિલ્પ વિધાન પ્રસાદ મંડન વગેરે. (૧૦) જૈન જ્યોતિષ – હીરકળશ, આરંભ સિદ્ધિ, લગ્નશુદ્ધિ, દિનશુદ્ધિ, જ્યોતિષ કરંડક, અંગવિજા વગેરે. (૧૧) જૈન વિધિવિધાન - આચાર દિનકર, અહંદુ અભિષેક, અહંદુ પૂજન, સિદ્ધચક્ર પૂજન, શાંતિ સ્નાત્ર વગેરે. (૧૨) મંત્ર-તંત્ર - સૂરિમંત્ર કલ્પ, વર્ધમાન વિદ્યા વગેરે. (૧૩) જેને ખગોળ-ગણિત - બૃહત્ સંગ્રહણી, લોકપ્રકાશ, ક્ષેત્ર સમાસ વગેરે. (૧૪) યોગ - યોગશાસ્ત્ર, યોગબિંદુ, યોગદષ્ટિ સમુચ્ચય, યોગશતક, ધ્યાનશતક, યોગસાર વગેરે. (૧૫) શબ્દકોષ - અભિધાન ચિંતામણિ, ધનંજય નામમાળા, અભિધાન રાજેન્દ્ર કોશ, શબ્દરત્ન મહોદધિ, પાઈએ શબ્દ માણવો વગેરે. (૧૬) વૈધક - યોગ ચિંતામણિ, વૈધક સારોદ્ધાર, વૈધક સાર વગેરે. આ રીતે દરેક વિષયના ગ્રંથોનું જૈન સાહિત્યમાં સર્જન થયેલ છે. આ પૈકીના ઘણા ગ્રંથો પર વિદ્વાનો દ્વારા ટીકા અને ટબાનું પણ સર્જન કરેલ છે, જેની હસ્તપ્રતો જુદાં-જુદાં ગામ-શહેરોમાં આવેલ હસ્તપ્રત ભંડારમાં ઉપલબ્ધ છે અને મુદ્રણયુગમાં અનેક મુનિભગવંતોએ તેમ જ વિદ્વાનોએ હસ્તપ્રતોના આધારે સંશોધન-સંપાદન કરીને મૂળ તેમ જ ભાવાનુવાદ વિવેચન કરીને પ્રકાશિત કરાવેલ છે અને પોતાની શક્તિ અને સમયના શ્રેષ્ઠ ઉપયોગ દ્વારા શ્રુતગંગાને જગત સમક્ષ મૂકી છે. આગમ ગ્રંથોના પ્રચાર-પ્રસાર વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં - અદ્ભુત અને અલૌકિક જૈન શાસનના શ્રત ખજાના પૈકી આગમ-છેદ ગ્રંથોનાં પઠન-પાઠનના અધિકારી ફક્ત યોગહવન કરેલ ગુરુભગવંતોનો જ છે. પૂજ્ય શ્રમણી * ૨૨૪ ૧૭ For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૭છે જ્ઞાનધારા 2100 ભગવંતો પણ ઉત્તરાધ્યન, દશવૈકાલિક કે આચારાંગ જેવા અમુક જ આગમ ગ્રંથોનો અભ્યાસ કરી શકે છે. આગમ ગ્રંથો એ કાચા પારા સમાન છે. સુધર્માસ્વામીની પાટ-પરમ્પરાએ આવેલ એવા ઉત્તરાધિકારી આચાર્યભગવંતો જ જૈન શાસનના શ્રુતના અધિકારી-માલિકી ધરાવે છે અને તેઓની આજ્ઞા, મંજૂરી અને માર્ગદર્શન અનુસાર જ આગમ ગ્રંથોનો અભ્યાસ કરી શકાય. શ્રુતજ્ઞાનનો સમગ્ર ખજાનો બધા જ માટે ખુલ્લો મૂકી દેવાની વાત વિચાર કરતા યોગ્ય જણાતી નથી. પ્રાયશ્ચિત્ત અને છેદ ગ્રંથોનો અધિકાર તો ફક્ત ગીતાર્થ જ્ઞાની ગુરુભગવંતનો જ છે. તેઓ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવને ધ્યાનમાં લઈને યોગ્ય વ્યક્તિને તેને અનુરૂપ આલોચના આપતા હોય છે. હવે શ્રાવક જ જો આવા ગ્રંથો વાંચીને જાતે જ પ્રાયશ્ચિત્ત લેતા-આપતા થઈ જાય તો શું પરિણામ આવે છે આ ગીતાર્થોનો વિષય છે રિવોલ્વર, બંદૂક કે એરોપ્લેન ચલાવવાનું લાઈસન્સ બધાને અપાતું નથી. જે તે વિષયની ટ્રેનિંગ અને તેમાં નિષ્ણાત થયા બાદ જ તે ચલાવવાનો અધિકાર મળે છે. રાજ્યતંત્રમાં પણ દરેક ઉપરી અને નીચેના અધિકારીના અધિકાર જુદા જુદા હોય છે. કેટલીક વિગતો ગુપ્ત રાખવાની હોય તો ફક્ત IA.S. કે IPs. અથવા તો મંત્રીમંડળને જ જાણમાં હોય છે. એ જ રીતે ધર્મશાસ્ત્રમાં પણ દરેકના અધિકારો અલગ અલગ હોય છે. એનો અર્થ એ કે ગુરઆજ્ઞા વિના શાસ્ત્રવાંચન ન કરાય. જૈન શાસનના પાયાની બંધારણીય વ્યવસ્થા દરેક સંપ્રદાય અને સમુદાયે પણ જાળવવાની ફરજ છે. ઘરમાં વડીલોનો હક્ક, મોભો જાય પછી મર્યાદાઓ તૂટતાં અવ્યવસ્થા સર્જાય છે. તેમ આચાર્ય ભગવંતોનો પણ એક મોભો હોય છે. તેઓના ચોક્કસ અધિકારો હોય છે અને તેમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર શ્રાવકોનો હોઈ શકે નહીં. શ્રુતજ્ઞાન બે પ્રકારના અધિકારી માટે હોય છે. જિન શાનનના શ્વેતામ્બર સમુદાયના બંધારણ પ્રમાણે અમુક આગમોનો અભ્યાસ સાધ્વીજી ભગવંતો માટે પણ કહ્યો નથી અને છેદ ગ્રંથો તો ફક્ત વિશિષ્ટ યોગવહન કરેલા સંયમી ગુરુભગવંતોનો જ અધિકાર છે. તેથી આ ગ્રંથોનો અનુવાદ કે વેબસાઈટ પર મૂકવામાં વાજબી નથી. * ૨૨૫ છે For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ___ << _ S 0 C જ્ઞાનધારા માર્ગાનુસારી ગુણોનું નિરૂપણ, જીવવિચાર, નવતત્ત્વ કે કર્મગ્રંથ જેવા પ્રકરણ ગ્રંથોની બાબતો દરેકને એકસમાનપણે ઉપયોગી હોય છે. પ્રભુ મહાવીરની વાણીરૂપી આ શાસ્ત્રગ્રંથો જગતના ચોગાનમાં મૂકવા જોઈએ. જેનાથી અનેક લોકો પામે અને સર્વ જીવોનું કલ્યાણ થાય, એવા પ્રાકૃત-સંસ્કૃત સાહિત્યનું ગુજ-હિન્દી કરવું જોઈએ અને જરૂર મુજબ વિદેશી ભાષા અંગ્રેજી, ફ્રેંચ કે ઈટાલીમાં પણ અનુવાદ કરવા જોઈએ. જૈન ધર્મ સમગ્ર વિશ્વ માટે શાંતિ-સમાધિ આપનાર ધર્મ છે. કષાયોથી મુક્ત થઈ આત્મસાધનાની અનોખી રીતો એમાં બતાવેલી છે, પરંતુ જે તે વસ્તુ પાચક થવી પણ જરૂરી છે. જેમ તાવના દર્દીને ગુંદરપાક શરીરનું પોષક ન બને, પણ ભારે પડે – વધુ અહિત કરે તેમ મોટા ભાગના ગૃહસ્થોના રાગદ્વેષની પરિણતિ અતિવિષમ, વિકટ હોઈ તેમને આગમ કે છેદ સૂત્રોના ગંભીર જ્ઞાનરૂપી ગુંદરપાક આપી શકાય નહિ. રોગીને આપેલ ગુંદરપાક જેવી રીતે નુકસાનકારક છે તે જ રીતે મોહને વશ થયેલ સાંસારિકને ગૂઢ શાસ્ત્રોરૂપી અર્ક તેના અને સાથે બીજા અનેકને પણ નુકસાનકારક થાય છે. અયોગ્ય અપરિણીત વ્યક્તિના હાથમાં આવેલ શાસ્ત્રો એ શ્રદ્ધાનો નહીં, પણ સંશોધનનો વિષય બને છે અને એમાં સર્વજ્ઞ પ્રત્યેની શ્રદ્ધાની ખામી હોય છે. સાથેસાથે જ જે તે હકીકતને શંકાભરી નજરે જોવાની પણ એક દૃષ્ટિ હોય છે અને તેના લીધે ગંભીર આગમોના અર્થના અનર્થો કરી બેસે છે. બીજી મહત્ત્વની વાત ધ્યાનમાં લેવા જેવી છે કે આગમાદિ ગ્રંથો આચારપ્રદર્શક છે. માત્ર શુષ્ક જ્ઞાન જૈન ધર્મમાં માન્ય નથી. વિદ્વાનો દ્વારા થતા આગમાદિ ગ્રંથોના અભ્યાસમાં આચાર-પાલન, આચારશુદ્ધિની ખેવના ક્યારેક તો લેશમાત્ર પણ હોતી નથી. માત્ર તેના સંશોધનાત્મક અભ્યાસ દ્વારા લૌકિક ડિગ્રી જ મેળવવાની ભાવના હોય છે, જે આગમના ગ્રંથોના અભ્યાસની અયોગ્યતા દર્શાવે છે. શુષ્ક જ્ઞાનની મહાપુરુષોએ ક્યારેય પણ વિશેષ કિંમત કરી નથી. જ્ઞાનમ્ ક્રિયાભ્યાં મોક્ષ : સમ્યગ્ જ્ઞાન અને શુદ્ધ આચરણ દ્વારા જ મોક્ષપદને પામી શકાય છે. મૂળભૂત આગમ ગ્રંથોના સાર સમાન પ્રારંભિક લોકોપયોગી સાહિત્યનો પ્રચાર કેવી રીતે વધુમાં વધુ કરી શકાય તે માટે નક્કર વિચારણાઓ સેમિનાર દ્વારા કરવી જોઈએ. આજનો યુગ એ માહિતી અને વિજ્ઞાનનો યુગ છે એ વાત માન્ય છે, પણ ૨૨૬ For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ OsC જ્ઞાનધારા 3000 એ જ્ઞાન જો પૂર્વના મહાપુરુષોની મર્યાદા અને આમન્યા તોડનારો હોય તો એની વિશેષ કિંમત ગણી શકાય નહીં. શ્રી સંઘની વ્યવસ્થા, બંધારણ, પૂર્વ મહાપુરુષોની મર્યાદા સચવાય એ મુખ્ય લક્ષ્ય, સાધનને ધ્યાનમાં રાખીને આગમોના પ્રચારપ્રસારનું કાર્ય ઉપાડવું જોઈએ. વિદ્વાનો અને વિદેશી સ્કૉલરોએ પણ આગમ ગ્રંથોના અનુવાદોનાં વિવેચન કર્યા છે, પણ બૌદ્ધિક જ્ઞાનની દષ્ટિએ તેના અનુવાદના સાચા અધિકારીઓ શ્રમણ ભગવંતો જ છે. તેઓ પાસે પરાપૂર્વથી આનું પ્રારંભિક જ્ઞાન, તેની પરિભાષાઓ, તેના આમ્નાયો ગુરુ પરંપરાથી આવતા હોય છે. જેની પાસે આવી મૂડી ન હોય તેઓ કાં તો અર્થનો અનર્થ કરે અથવા જે તે વસ્તુની સ્પષ્ટ ચોક્કસ રજૂઆત ન કરી શકે, માટે સ્કોલરો અને વિદ્વાનો આવા અનુવાદ, અભ્યાસ, સંશોધનનાં કાર્યો કરવાના અધિકારી નથી. માત્ર જ્ઞાની ગીતાર્થ ગુરુભગવન્તો આના અધિકારી છે. આગમોત્તર શ્રતના પ્રચાર-પ્રસાર આટલી ઉત્તમ કક્ષાનું વિપુલ સાહિત્ય દરેક વિષય અને પદાર્થનું જૈન શ્રત હોવા છતાં પણ તેનો ફેલાવો ખૂબ જ લિમિટેડ છે. ફક્ત જૈન વિદ્વાનો અને સ્કૉલર કે જેવો જૈન ધર્મ અથવા સાહિત્યનો અભ્યાસ કરી રહ્યા છે તેઓ પૂરતો મર્યાદિત છે, કારણકે આપણાં જે પણ પુસ્તકો-સાહિત્ય છપાય છે તે આપણે જૈન સંઘો દ્વારા કે જૈન સંસ્થાઓ દ્વારા ચાલતા ૪૦૦ જ્ઞાનભંડારોને ભેટ સ્વરૂપે મોકલીએ છીએ અથવા તો છપાયેલ સાહિત્યની યાદી ફક્ત આવા ૪૦૦ જ્ઞાનભંડારો અથવા તો જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોને મોકલીએ છીએ અને તેઓને આ પુસ્તકો ખરીદવા માટે ભલામણ કરીએ છીએ. તેથી જૈન સંઘ-જૈન સંસ્થા કે જૈન શ્રમણશ્રમણી ભગવંતોને જ નૂતન પ્રકાશન તેમ જ જૈન દર્શનમાં રહેલ અમૂલ્ય એવા ગ્રંથોનો પરિચય સતત થતો રહે છે. જૈન સાધુ કે સાધ્વીજી ખૂબ જ ઉત્તમ અને વિશિષ્ટ અભ્યાસ આ બધા જ ગ્રંથોનો પોતાની શક્તિ અને રુચિ અનુસાર કરે છે તેથી ખરેખર તો જૈને શ્રમણ-શ્રમણી એ મોબાઈલ યુનિવર્સિટી જેવા છે અને તેમનાં અગાધ જ્ઞાન અને તેજ જ્ઞાનની મજણના લીધે આચારપાલન સમ્યક્તપૂર્વકની ચારિત્રની શુદ્ધતા ઉચ્ચ પ્રકારની હોય છે. મુદ્રિતના આ યુગમાં હસ્તપ્રતોમાં રહેલ ઘણાબધા અપ્રકાશિત ગ્રંથો સંશોધન-સંપાદન થઈને પ્રકાશિત * ૨૨૭ ૧છે - 9 For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ©© જ્ઞાનધારા ૭૦ થયા છે અને તેને લીધે ગ્રંથોનો અભ્યાસ સરળ-સુલભ બન્યો છે. તેમાં ગુરુભગવંતોની અથાગ મહેનત અને પરિશ્રમ તો છે જ, પરંતુ સાથેસાથે હસ્તપ્રત ભંડારનો સંગહ જેમની પાસે રહેલો છે એવા જૈન સંઘ કે જૈન સંસ્થાઓના સંચાલકોની ઉદારતા પણ ખૂબ જ ભાગ ભજવે છે. છેલ્લાં પચ્ચીસ વર્ષમાં ઘણાબધા હસ્તપ્રત ભંડારોનું આજની આધુનિક ટેક્નોલોજી દ્વારા ડિજિટલાઈઝેશન થયું છે અને તેમાં સંચાલકોએ ઉદારતાપૂર્વક મંજૂરી આપી છે ડિજિટલાઈઝેશનના લીધે હસ્તપ્રતમાં રહેલ યુતની રક્ષા પણ થઈ છે અને તેમાં રહેલ ગ્રંથો ઝેરોક્ષરૂપે સંશોધકો-વિદ્વાનોને ઉપલબ્ધ બન્યા છે. જેથી સંશોધકો-વિદ્વાનોને પોતાની રુચિ અનુસાર સમય અને શક્તિનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરવાની તક પણ મળી છે. જૈન શ્રુત જેટલું સરળતાથી જૈન જ્ઞાનભંડાર કે જૈન વિદ્વાનોને ઉપલબ્ધ બન્યું છે તેના જેટલું જૈનેતર સંસ્થાઓમાં નથી. જુદા જુદા જૈન સંઘોમાં રહેલ પોતાના આગવા જ્ઞાનભંડાર તો છે જ, પરંતુ સમુદાય કે ગુરુભગવંત પ્રેરિત વિશાળ જ્ઞાનભંડારો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આ નવા બનેલ ઈન્સ્ટિટ્યૂટમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા પાંચ-દસ કે પંદર વિદ્વાન પંડિતોની કાયમી નિમણૂક કરીને સંશોધન તેમ જ અભ્યાસ માટેના ઉપયોગી બધા જ ગ્રંથોનો એક જ જગ્યાએ સંગ્રહ કરવામાં આવેલ છે. જેથી એક જ સ્થળેથી બધી જ માહિતી તેમ જ ગ્રંથો સરળતાથી ઉપલબ્ધ બને છે અને આ સંસ્થાઓ દ્વારા ડિજિટલાઈઝેશન કરીને ઘણાબધા ગ્રંથો વેબસાઈટ પર પણ મૂકવામાં આવેલ છે. તેઓના દ્વારા ખૂબ જ ઉત્તમ સાહિત્યનું સંશોધન-સંપાદન કરીને પ્રકાશિત કરવામાં આવે છે અને પ્રકાશિત કરેલ તમામ સાહિત્ય વેબસાઈટ પર પણ મૂકવામાં આવે છે જેથી કરીને દ્રવ્ય-ક્ષેત્ર કે કાળના બંધન વગર વિદ્વાનો અને રુચિવંત શ્રાવકો પોતાના અભ્યાસ માટે ઉપયોગી પુસ્તક સરળતાથી વાંચી શકે છે અને ગુરુભગવંતોને જરૂર મુજબ પુસ્તક ડાઉનલોડ કરીને પ્રિન્ટનકલ પણ ઉપલબ્ધ કરાવી શકાય છે. આ રીતે ટેક્નોલોજીના ઉચિત ઉપયોગ દ્વારા જૈન શ્રતનો ખૂબ જ ઉત્તમ ફેલાવો અને પ્રચાર-પ્રસાર થયો છે. વિશ્વનાં અન્ય દર્શનોની સરખામણીમાં વધુ પ્રચાર-પ્રસાર થવો જોઈએ. તેનાં થોડાંક પાસાની છણાવટ કરી છે. ૨૨૮ છે. For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ©©©© જ્ઞાનધારા ૭૦ - (૧) જૈન શ્રુત-સાહિત્ય છપાય છે તેમાં મુખ્યત્વે સાધુ-સાધ્વજી મ.સા. દ્વારા સંશોધન કરીને પુસ્તકરૂપે પ્રકાશિત થયાં છે તે પુસ્તકોના પ્રકાશન પોતાના દ્વારા કે સંઘ દ્વારા કરવામાં આવે છે, પરંતુ જે તે સંઘ કે સંસ્થા પાસે વિતરણ વ્યવસ્થાનો વિશેષ અનુભવ કે જાણકારી ન હોય તો ઉત્તમ કક્ષાનું છપાયેલ પુસ્તક પણ યોગ્ય વિતરણના અભાવે સ્ટોકમાં રહે છે અને લોકોને તેની જાણ થતી નથી. (૨) શ્રમણ-શ્રમણી ભગવંતો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતાં નથી અને તેથી વિશ્વભરમાં જે નૂતન પ્રકાશન થાય તેની પ્રિન્ટેડ નકલની તેઓને જરૂર પડતી હોય છે. તે સંશોધનાત્મક પુસ્તકો મોટી ઈન્સ્ટિટયૂટમાં ઉપલબ્ધ હોય તો ત્યાંથી લાવીને તેનો અભ્યાસ કરવો થોડોક કઠિન પડે છે. જૈનોના વિવિધ સમુદાય કે ગુરભગવંત પ્રેરિત જ્ઞાનના કાર્યમાં ઘણીબધી સંસ્થાઓ કાર્ય કરી રહી છે. તેઓ ઉપલબ્ધ ટેક્નોલોજી એટલે કે કોમ્યુટર, સ્કેનિંગ, ઈન્ટરનેટ વગેરેનો ઉપયોગ કરીને ખૂબ જ સુંદર કાર્ય જ્ઞાનના ક્ષેત્રમાં કરી રહેલ છે. આ બધાં જ મોટાં ઈન્સ્ટિટયૂટમાં વિશાળ સંખ્યામાં બધાં જ દર્શનોના જુદાજુદા વિષયનાં ઉત્તમ પુસ્તકોનો સંગ્રહ રહેલો છે. તેમ જ ઘણાં જ ઉત્તમ કક્ષાનાં સંશોધનાત્મક પુસ્તકો શબ્દકોશ, જોડણીકોશ કેટલોગ તેમ જ વિશિષ્ટ પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યાં છે. તેઓનાં વહીવટી, આવડત અને નેટવર્કના લીધે તેમના દ્વારા પ્રકાશિત પુસ્તકો ખૂબ જ સુંદર રીતે વિતરણ કરવામાં આવે છે તેમ જ તેઓ દ્વારા વિદ્વાનોને માહિતી તેમ જ પુસ્તકો પણ સંશોધન માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે, પરંતુ આ ઈન્સ્ટિટયૂટો પણ પોતાનાં પુસ્તકો જૈન જ્ઞાનભંડારલાઈબ્રેરી કે જૈન વિદ્વાનોને જ પોતાના દ્વારા સંગ્રહિત-પ્રકાશિત પુસ્તકોની માહિતી મોકલે છે. . . આ બધાં જ ઈન્સ્ટિટયૂટે પોતાની વેબસાઈટ પર પણ જૈન ધર્મવિષયક માહિતી તેમ જ પોતાની સંસ્થા તેમ જ તેઓ દ્વારા પ્રકાશિત બધા જ ગ્રંથોની માહિતી ઓનલાઈન મૂકેલી હોય છે અને ઘણી સંસ્થાઓએ પોતાના દ્વારા પ્રકાશિત બધાં જ ગ્રંથો-પુસ્તકોની પીડીએફ પણ ઓનલાઈન મૂકેલી છે તેથી વિશ્વભરમાં રહેલ દરેક વ્યક્તિ પોતાની રુચિ મુજબનું પુસ્તક ઓનલાઈન મેળવી શકે છે અને જરૂર મુજબ નકલ પણ મગાવી શકે છે. તેના લીધે જૈન સાહિત્યનો ખૂબ જ - - ૨૨૯ ભાઈ For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ >C જ્ઞાનધારા સુંદર પ્રચાર-પ્રસાર થયો છે. વિદેશી વિદ્વાનો પણ જૈનતત્ત્વ સિદ્ધાંતોની માહિતી મળવાથી તેઓ તેનાથી પ્રભાવિત થયા છે અને જૈન દર્શનના વિશિષ્ટ અભ્યાસ માટે પણ જોડાયા છે. આ રીતે ભગવાન મહાવીરનો સંદેશો વિશ્વભરમાં પહોંચ્યો છે અને અહિંસા અને અનેકાંતવાદ અને અપરિગ્રહના સિદ્ધાંત એ જૈનોની આગવી ઓળખરૂપ બનેલ છે, જે બીજાં બધાં જ દર્શનથી જૈન ધર્મને આગવું સ્થાન ગૌરવ અપાવે છે. જુદા જુદા ઈન્સ્ટિટયૂટ અને ગુરુભગવંતોની પ્રેરણાથી પ્રકાશિત થતા સાહિત્ય તેમ જ તેમની લાઇબ્રેરીમાં રહેલ ગ્રંથોનો પ્રચાર-પ્રસાર કરવા માટે હજુ પણ વધારે પ્રયત્નો કરવાની જરૂર છે. અત્યારે પણ બીજા ધર્મની સંસ્થાઓ, કૉલેજ કે યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં જૈન ગ્રંથો કે ઉપદેશાત્મક સાહિત્યનું પ્રમાણ ખૂબ જ અલ્પ માત્રામાં છે. તેઓને આપણું સાહિત્ય પહોંચાડવા માટે પણ વિશિષ્ટ પ્રયત્ન કરવા જરૂરી છે, જેથી જૈન ધર્મમાં રહેલ અમૂલ્ય શ્રુતવારસાનો ખ્યાલ આવે અને જૈન ધર્મ પ્રત્યેના બહુમાનભાવમાં વધારો થાય. જેના લીધે પ્રભુ મહાવીરની સવિ જીવ કરું શાસન રસીની ભાવના પણ પૂર્ણ થાય. જે પણ સાહિત્ય નૂતન પ્રગટ થાય તેની માહિતી કે સૂચિપત્ર ભારત અને વિશ્વભરમાં આવેલી બધી જ યુનિવર્સિટી-વિદ્યાપીઠ અને જૈનેતર સંસ્થાઓની લાઈબ્રેરીમાં પોસ્ટ કે ઈ-મેઈલ દ્વારા મોકલવી જોઈએ. ગુજરાત સરકાર તરફ્થી દર વર્ષે ભવ્ય પુસ્તકમેળાનું આયોજન કરાય છે, જેમાં ૩૫૦થી ૪૦૦ જેવા બુક સ્ટૉલ હોય છે. ભારતભરના નામાંકિત પ્રકાશકો પોતાના સ્ટૉલ રાખી પુસ્તકો પ્રદર્શિત કરે છે, વેચાણ પણ કરે છે. તેમાં વાસ્તવિક્તા એવી હોય છે કે જેટલા રૂપિયા સ્ટૉલ ભાડે રાખવામાં કે વહીવટી ખર્ચના થતા હશે તેટલા રૂપિયાનું વેચાણ પણ કદાચ નહીં થતુ હોય ! છતાં લોકોમાં પોતાનાં પ્રકાશિત પુસ્તકોનાં સૂચિપત્રો વહેંચીને લોકો પછીથી પણ પુસ્તકો મગાવી શકે તે રીતે પ્રચાર કરીને પોતાના ધંધાને આગળ વધારવાનો પ્રયત્ન કરે છે. જાણવા જેવી હકીકત એ છે કે માત્ર પબ્લિશરો નહીં, વૈદિક, મુસ્લિમ કે ખ્રિસ્તી જેવા દરેક ધર્મની પાંચસાત સંસ્થાઓ પોતાના સ્ટૉલ રાખે છે અને મેળા દરમિયાન મુલાકાત લેનાર પાંચ લાખથી વધુ લોકોને એકસાથે પોતાના સાહિત્યનો પરિચય આપે છે. જેમને ગીતા, ૨૩૦ For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ C જ્ઞાનધારા K મહાભારત કે કુરાન, બાઈબલ જોઈએ તો ત્યાંથી સહેલાઈથી ઉપલબ્ધ બને છે. શ્રી જૈન સંઘમાં પણ વિવિધ સંસ્થાઓ દ્વારા ઘણુંબધું સાહિત્ય બહાર પડે છે. તેમાં પણ છેલ્લાં ૧૦ વર્ષથી વિચારણા કરીએ તો ગુરુભગવંતો પ્રેરિત ૪૦થી વધુ સંસ્થાઓ દ્વાર પોતપોતાની રીતે સરેરાશ ૧૦૦થી વધુ લોકભોગ્ય પુસ્તકોનું પ્રકાશન થયેલ છે. છૂટાં-છવાયાં સર્વ પ્રકાશનો મેળવતા આંકડો ૧૦થી ૧૫ હજાર જેટલો થવા પામે છે. તેમ છતાં ઈ.૨૦૧૨ના પુસ્તકમેળામાં એક પણ સ્ટૉલ જૈન પ્રકાશનનો (પ્રોફેશનલ કે ગુરુભ. પ્રેરિત સંસ્થાનો) ન હતો. ઈ. ૨૦૧૩ના પુસ્તકમેળામાં સમગ્ર જૈન સંઘમાંથી એકમાત્ર બે જ ગુરુભગવંત પ્રેરિત સંસ્થાના સ્ટૉલ હતા. એક વાત સ્પષ્ટ છે કે અન્ય ધર્મીય લેખકોના સારા ગ્રંથો કરતાં પણ આપણા અમુક ગુરુભગવંતોનાં સાદાં ગ્રંથો-પુસ્તકો અમૂલ્ય સંસ્કારરત્નો અને સુવિચારમણિઓથી સમૃદ્ધ હોય છે. પુસ્તકમેળામાં સર્વ ધર્મના સેંકડો-હજારો લોકો તથા વિશિષ્ટ વિદ્વાનો, સાક્ષરો પણ મુલાકાતે આવતા હોય છે. શાસ્ત્રગ્રંથોની વાત બાજુ પર રાખીએ, પણ અત્યંત લોકોપયોગી એવાં પુસ્તકો જો લોકોની જાણમાં આવે તો અનેકને જૈન ધર્મની સ્પષ્ટ સમજણ કેળવવામાં કે બોધિબીજનું વાવેતર કરવામાં નિમિત્ત બની શકીએ. આપણાં પ્રવચનો-વ્યાખ્યાનો કે પ્રસંગો ફક્ત જૈનધર્મીય લોકો પૂરતાં જ મર્યાદિત જોવા મળશે. પુસ્તક પ્રસારણના માધ્યમે આપણે લાખો લોકો સુધી પહોંચી શકીએ. પુસ્તકમેળામાં મુસ્લિમ સમાજના ચારેય ટલમાં તેમ જ ખ્રીસ્તી સમાજના ત્રણ સ્ટૉલમાં કુરાન અને બાઈબલની મિનિ આવૃત્તિ અને તેના સુવિચારોની પુસ્તિકાઓ મફત વહેંચવામાં આવતી હતી તથા તેમાં તેઓના ધર્મનાં પુસ્તકોની માહિતી તથા પ્રાપ્તિસ્થાન પણ અપાતાં, આ રીતે દરેક ધર્મો પોતાનો પ્રચારપ્રસાર કરે છે, આપણે એમાંથી શીખવા જેવું છે. ગત વર્ષે અમે યુરોપની ટૂરમાં ગયા ત્યારે ત્યાંની હોટલમાં બધા જ રૂમોમાં બાઈબલના અનુવાદની નકલ સાઈડ ટેબલના ખાનામાં જોવા મળી. હોટલમાં સમય પસાર કરવા પણ લોકો આ રીતે પુસ્તકોનાં પાનાં ઉથલાવે છે અને તે દ્વારા સારા વિચારો પામે છે. શું આપણી ધર્મશાળાના રૂમોમાં કે ભોજનશાળામાં વેઈટિંગ કાઉન્ટર પર કે વિહારધામોના ૨૩૧ For Personal & Private Use Only 1 Page #233 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા 02790 ઉપાશ્રયમાં આવું કોઈ આયોજન ખરું? ગત વર્ષે અંધેરી ગુજરાતી જૈન સંઘ તેમ જ આ વર્ષે ઘાટકોપર જૈન સંઘ મુંબઈ તેમ જ વર્ધમાન તપ પદ પ્રવજ્યા મહોત્સવ સમિતિ-અમદાવાદ દ્વારા પણ જૈન પુસ્તકમેળાનું આયોજન કરવામાં આવેલ, જેમાં બધા જ જૈન પ્રકાશકોને પોતાનાં પુસ્તકો પ્રદર્શિત અને વેચાણ માટેની સગવડો કરી આપી હતી. શ્રી જૈન સંઘે પોતાના ખર્ચે જૈન પ્રકાશન સંસ્થાઓને એક જ સ્થળે ભેગા કરીને વિચારવિનિમય તથા સહકારની ભાવના વિકસાવી હતી. ' પુસ્તકમેળામાં જ્યારે પણ પ્રકાશક સંસ્થા સ્ટોલ રાખે છે ત્યારે એવી અપેક્ષા હોય છે કે આપણાં પુસ્તકનું વધારેમાં વધારે વેચાણ થાય તેથી સામાન્ય વ્યક્તિને ધ્યાનમાં રાખીને ગુજરાતીનાં કથા-વાર્તા-પ્રવચનનાં પુસ્તકો જ બધા રાખતા હોય છે અને તેનું વેચાણ પણ થતું હોય છે, પરંતુ દરેક પુસ્તકપ્રદર્શનમાં પાંચ ટકા વિદ્વાન, સ્કૉલર વર્ગ પણ મુલાકાતે આવતા હોય છે જેઓ ગુજરાત વિદ્યાપીઠ, યુનિવર્સિટી કે અન્ય સંસ્થાઓમાં જૈન દર્શન, સંસ્કૃત-પ્રાકૃત ભાષાનો અભ્યાસ કરતા હોય છે. ઘણા તો આર્ટ, કળા, સાહિત્યના અભ્યાસુ વિદ્યાર્થીઓ-પ્રોફેસરો પણ હોય છે, જેઓને વિશિષ્ટ કક્ષાના આપણા સિદ્ધાંત ચરિત્ર ગ્રંથો તેમ જ જૈન સિદ્ધાંતના ગ્રંથો મ જ જૈનન્યાય, વ્યાકરણ, જ્યોતિષ શિલ્પસ્થાપત્ય, કળા વગેરેના પુસ્તકોની પણ ખૂબ જ જરૂર હોય છે, પરંતુ તેઓને તે પુસ્તકો સહેલાઈથી મળતાં નથી. પુસ્તકમેળામાં ચાર-પાંચ સંસ્થાઓ ભેગી મળીને પણ આવો ફક્ત જૈન દર્શનના વિશિષ્ટ ગ્રંથોનો પરિચય કરવે તેવો એક સ્ટોલ અચૂક હોવો જોઈએ જેથી જરૂરિયાતવાળી વ્યક્તિ ત્યાંથી પુસ્તક ખરીદી શકે અથવા તો ઓર્ડર આપી શકે જેના લીધે જૈન ધર્મની ગરિમા-ગૌરવનો બધાનો ખ્યાલ આવશે. આપણા શ્રી સંઘોમાં દિવાળી વગેરે પ્રસંગે જૂનાં પુસ્તકો ઉઘરાવવામાં આવે છે. ત્યારે જે તે સંસ્થાઓના સભ્યો પાસેથી ઘણાંબધાં વ્યાખ્યાન-વાર્તા કે ઉપદેશાત્મક સાહિત્યનાં ઘણાં પુસ્તકો પરત આવતાં હોય છે. આવા ઉત્તમ ઉપદેશાત્મક વાર્તા આદિનાં પુસ્તકો પુસ્તકમેળામાં અથવા તો જાહેર સ્થળોએ ફક્ત ટોકન કિંમતે એટલે કે ૫,૧૦ રૂપિયામાં પ્રસાદી કે પ્રભાવના તરીકે આપીને જે તે વિષયના પુસ્તકપ્રેમીઓ તેમની રુચિ પ્રમાણે પુસ્તક મેળવી શકે. આવાં પુસ્તકોના ૨૩૨ ૧ For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ © C જ્ઞાનધાર ૭૦ વ્યવસ્થિત નાનાનાના સેટ બનાવી આપણાં તીર્થોની ધર્મશાળાઓની રૂમોમાં, સ્થાનક કે ઉપાશ્રયમાં મૂકવા જોઈએ, જેથી ત્યાં આવનાર યાત્રાળુઓ તેમના ફાજલ સમયમાં પણ સુંદર વિચારો પામી શકે. એકદમ જનરલ વિષયનાં જ પુસ્તકો હોય તો નજીકની સારી સેવાભાવી હોસ્પિટલોમાં આપી શકાય. દરેક રૂમમાં આવાં એકાદ-બે પુસ્તકો મુકાયેલાં હોય, દર્દી પણ અસ્વસ્થ અવસ્થામાં વાંચે તથા ખબર પૂછવા આવેલાને ઘણું કરીને સમય પસાર ક્યાં કરવો તેનું ટેન્શન હોય છે. પછી ગમે તેમ વાતોના વડા કરીને કે દુનિયાની ફોગટ પંચાત કરીને સમય પૂરો કરે એ કરતા આવાં ઉત્તમ બોધદાયક વિચારવાળાં પુસ્તકો ત્યાં હોય તો સુંદર વિચારણાનું એક પુરાલંબન પણ મળે. પ્રકાશિત થયેલ પુસ્તકો શક્ય હોય તો સંસ્થાઓમાં ભેટ સ્વરૂપે મોકલવાથી ખૂબ સુંદર પરિણામ મળી શકે છે તેમ જ વિવિધ વિષયનાં જૈન શ્રુતનાં વિશિષ્ટ પુસ્તકો જે મુદ્રિત થયાં છે તેનો ટૂંકો પરિચયાત્મક પેલેટ પણ હિન્દી-અંગ્રેજી-ફ્રેંચ-જર્મની ભાષામાં છપાવીને કે ઈ-મેઈલ દ્વારા વિશ્વભરમાં આવેલ યુનિવર્સિટી અને કોલેજની લાઈબ્રેરી અને ધર્માદા સંસ્થાઓને મોકલવાનું પણ આયોજન કરી શકાય. વિશ્વમાં જૈન શ્રત યોગ્ય પ્રચાર-પ્રસાર દ્વારા પણ વિશિષ્ટ કક્ષાનું પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન કરી શકાય. શ્રુતસેવા એ પણ શાસનસેવા જ છે. જ્ઞાનના ક્ષેત્રમાં ક્યારેય પણ ધર્મના વડા કે સમુદાયનાં બંધન હોતાં નથી. જ્યાંથી પણ જે પણ જ્ઞાન ઉપયોગી હોય તો મેળવવું જેટલું અગત્યનું છે તેનાથી પણ વધારે અગત્યતા ઉત્તમ જ્ઞાન-જૈન શ્રતનું ગમતાંનો કરીએ ગુલાલ-એ ન્યાયે વધુ ને વધુ પ્રસાર કરીને તેની મહત્તાનું પ્રસારણ દ્વારા જૈન ધર્મ પ્રત્યેનો બહુમાનભાવ જગાડવો જોઈએ જેથી જૈન દર્શનના અભ્યાસ-સ્વાધ્યાય અને આચાર દ્વારા સમ્ય દર્શનની પ્રાપ્તિ દ્વારા સર્વે જીવો મોક્ષપદને પામવા માટેનો ઉચિત પ્રયત્ન કરી શકે. સમ્ય દર્શન : સમ્યમ્ જ્ઞાન કે સમ્યમ્ ચારિત્ર - ૨૩૩ For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ ♦ સંજય ભરતભાઈ કોઠારી દરેક ધર્મમાં સાધુ-સંતોની સેવા કરવાનો વિશેષ મહિમા છે. સાધુ પોતાના પવિત્ર ચારિત્ર્ય દ્વારા અને પારદર્શક ઉપદેશ દ્વારા સંસારીજનોને ધર્મના માર્ગે ચાલવાનું દિશાદર્શન કરાવતા હોય છે. તેમના એ ઉપકારનો બદલો આપણે ફક્ત એમની સેવા કરીને તથા એમને પ્રસન્ન કરીને જ વાળી શકીએ. અમદાવાદસ્થિત શ્રી સંજયભાઈ વર્ષોથી પૂ. ગુરુભગવંતો અને પૂ. સાધ્વીજીઓની વેયાવચ્ચનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. આયુર્વેદ પદ્ધતિથી સદ્ભાવનાપૂર્વક સેવા કરતા શ્રી નવકાર સારવાર કેન્દ્રના મૅનેજિંગ ટ્રસ્ટી છે. તેમાંય જૈન સાધુ-સાધ્વીજી મહારાજના કષ્ટમય સંયમનો વિચાર કરીએ છીએ ત્યારે સહજ રીતે જ અહોભાવ છલકાઈ આવે છે. અન્ય ધર્મના સાધુઓ કરતાં જૈન ધર્મનાં સાધુ-સાધ્વીજીની આચારસંહિતા વિશેષ કઠિન અને વિશેષ ઉગ્ર હોય છે. એક વ્યક્તિ સંયમપૂર્ણ જીવન જીવવા પ્રતિજ્ઞાબદ્ધ થાય છે ત્યારે ખરેખર એ સમગ્ર સંસારના જીવો પર પરોક્ષ ઉપકાર જ કરે છે. એટલે જે જેણે અંગત સુખો છોડીને જગતના જીવમાત્રનું કલ્યાણ ઝંખ્યું હોય એવાં સાધુ-સાધ્વીજીની સંગત પણ કરવી જોઈએ અને એમની યશાશક્તિ સેવા પણ કરવી જોઈએ. આવાં નિસ્પૃહી સાધુ-સાધ્વીની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવી, એમનાં સંયમજીવનને પોષક વાતાવરણ પૂરું પાડવું, એમના આરોગ્યની માવજત કરવી, એમને અભ્યાસ અને જ્ઞાનાર્જન માટે સુવિધા આપવી, બીમારી કે અકસ્માત જેવી પરિસ્થિતિમાં તેમની સાર-સંભાળ લેવી, એમની વૃદ્ધાવસ્થામાં એમની સંયમસાધના અવિરત અને અખંડ રહે એવી વ્યવસ્થા કરવી એ વેયાવચ્ચ છે. વેયાવચ્ચ શ્રાવકનું ગૌરવશિખર છે. વેયાવચ્ચ કરવા માટેનાં કેટલાંક જૈન શાસ્ત્રીય નીતિ-નિયમો અને ધોરણો છે. તેમને શાસ્ત્રાજ્ઞા મુજબ આહાર-પાણીની સુવિધા મળે, વસ્ત્રો-કામળી જેવાં ઉપકરણો મળે, ચાલી ન શકે એવાં સાધુ-સાધ્વીજીને વિહાર બાબતે યોગ્ય ૨૩૪ For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ©© જ્ઞાનધાર 0200 વ્યવસ્થા મળે, બીમાર સાધુ-સાધ્વીજીને યોગ્ય ઔષધ અને સારવાર મળે તથા વયોવૃદ્ધ સાધુ-સાધ્વીજીને વિહાર કરવાની ક્ષમતા ન હોય ત્યારે સ્થિરવાસ કરવાની જોગવાઈ થાય આ બધું વેયાવચ્ચ કહેવાય. આમ તો સંસ્કૃત ભાષામાં વૈયાવૃત્ય શબ્દ છે. પ્રાકૃતમાં તે વેયાવચ્ચ બને છે. આપણે સામાન્ય બોલચાલમાં વૈયાવચ્ચ ઉચ્ચારણ કરીએ છીએ, તે ખોટું છે. એટલે વૈયાવચ્ચને બદલે વેયાવચ્ચ જ ઉચ્ચાર કરવો જોઈએ. જૈન ધર્મમાં વેયાવચ્ચનો વિશેષ મહિમા છે. સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘ ગણાય છે. આ ચતુર્વિધ સંઘના મુખ્ય અંગ સમાન સાધુસાધ્વીજી મહારાજની અનિવાર્ય આવશ્યક્તાઓની સગવડ કરવી એ વેયાવચ્ચે કહેવાય. તે જ પ્રમાણે શ્રાવક માટે બાર વ્રતો બતાવેલાં છે. એમાં બારમું છે : અતિથિ સંવિભાગ-અર્થાત્ અતિથિ માટે ભાગ રાખવો તે. અતિથિ એટલે સાધુસાધ્વીજી. તેથી જે વેયાવચ્ચ પ્રત્યેક શ્રાવકનો ધર્મ છે. જૈન ધર્મમાં બાહ્ય અને અભ્યાંતર તેમ કુલ બાર પ્રકારનાં તપની વાત છે. એમાં એક તપ વેયાવચ્ચનું પણ છે. અન્ય તમામ તપ કરવાથી વ્યક્તિનું પોતાનું જ કલ્યાણ થાય છે એટલે કે માત્ર સ્વનું જ હિત થાય છે. વેયાવચ્ચ એકમાત્ર એવું તપ છે જે બંનેને લાભદાયક છે એટલે કે સ્વનું અને પરનું હિત થાય છે. - ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું છે કે જે વ્યક્તિ બીમાર અને ગ્લાન સાધુસાધ્વીજીની સેવા કરે છે, તે મારી સેવા કરે છે. મૂર્તિ અને પ્રતિમાની ભક્તિ પણ જે આપણને અનેરું આધ્યાત્મિક ફળ આપતી હોય તો આ તો જીવતાં-જાગતાં વીતરાગ-માર્ગના અનુયાયી છે. એમની સેવા-ભક્તિના ઉત્કૃષ્ટ પરિણામ માટે કોઈ સંદેહ ન હોઈ શકે. ' જેની વેયાવચ્ચ કરવામાં આવે એનો મોક્ષ થતો હશે કે નહિ તેની ખબર નથી, પણ જે વ્યક્તિ વૈયાવચ્ચ કરે છે એને તો એ ક્ષણે જ મોક્ષ માર્ગ પર પ્રવેશ થઈ જાય છે. રાગ-દ્વેષથી મુક્ત રહીને સૌનું કલ્યાણ ઝંખતા અને પોતાના આત્મકલ્યાણમાં રાત-દિવસ સાધનામય રહેતાં સાધુ-સાધ્વીજીની (તેમને અતિથિ સમજીને પણ) સેવા કરવાથી આપણા આચાર-વિચારની શુદ્ધિ થાય છે. આપણે ભાવાત્મક - ૨૩પ છે For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ © C જ્ઞાનધારા Oઝ ૭૦ ઊંચાઈએ પહોંચીએ છીએ. જે પરિવારમાં સાધુ-સાધ્વીજીની રૂડી યાવચ્ચ કરવાના સંસ્કાર હશે, એ પરિવારનાં બાળકો ખૂબ સંસ્કારી અને વિનયી હશે. જેઓ પોતાના જીવનમાં અજાણતાંય કોઈ રાગ-દ્વેષ ન પ્રવેશી જાય એ બાબતે આટલી હદે જાગરૂક રહેતા હોય એમની વેયાવચ્ચ કરવામાં આપણે કરકસર કેમ કરવી સાધુનાં દર્શનમં પુણ્ય એટલે કે સાધુમહારાજનાં દર્શન માત્રથીય પુણ્ય થતું હોય છે. જો એમનું માત્ર દર્શન પણ પુણ્ય કરાવનારું હોય, તો એમની વેયાવચ્ચ તો પુણ્યકારક હોય જ - ધર્મગુરુની સેવા કરવાથી કૃતાર્થ થવાય. કદીય ગુરુના દોષ ન જેવા જોઈએ, માત્ર એમના ગુણ તરફ જ દષ્ટિ રાખવી જોઈએ. - વેયાવચ્ચ એવો ધર્મ છે કે આપણને તત્કાલ પ્રસન્નતા અને ધન્યતાનું પરિણામ આપે છે. શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં વેયાવચ્ચે ગુણને અપ્રતિપાત ગુણ કહ્યો છે. અર્થાત્ ભવસાગરની કોઈ પણ જાતની પૃહા વિના જન્મથી રહિત બનવાની ભાવનાથી આરાધના કરાતો વેયાવચ્ચ ગુણ સુખશાંતિ અને સમાધિ પ્રાપ્ત કરાવી આપે છે. વિશ્વના તમામ ધર્મોએ ઓછેવત્તે અંશે સેવાની વાત કરી છે, પરંતુ જૈન ધર્મની વિશેષતા એ છે કે, એણે તપ અને ત્યાગના પ્રતીક સમા સાધુ-સાધ્વીજી મહારાજની વેયાવચ્ચથી માંડીને છેક નાનામાં નાના કીડી જેવા જીવ-જંતુની સેવાની વાત કરી છે. જગતમાં આવી વિરાટ કરુણા એકલા જિન શાસનમાં જ જોવા મળશે. ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ ઉત્તરાધ્યયન સૂત્રમાં સાંપડે છે. એમાં કહ્યું છે : પૂ. “યાવચ્ચયણ ભંતે જીવે કિ જણયઈ ઉ. વેયાવચ્ચોં તિત્યચરનામ ગોd કમ્મ નિંબધઈ” પ્રથમ ગણધર ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પૂછ્યું, હે ભગવાના વૈયાવૃત્યથી આત્મા શો લાભ પ્રાપ્ત કરે છે?” ત્યારે ઉત્તરમાં ભગવાન મહાવીરે કહ્યું, વૈયાવૃત્યથી આત્મા તીર્થંકરપદને પ્રાપ્ત કરે છે. - નિસ્પૃહતા અને નિષ્કામ ભાવનાથી કરાયેલા સાધુ-સાધ્વીજી મહારાજના વૈયાવૃત્યથી તથા માનવચિત્તમાં આનંદ, ઉલ્લાસ અને શાંતિ વધારનારી પ્રવૃત્તિ - ૨૩૬ છે For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ૭૯ જ્ઞાનધારા જO ૭૦ કરવાથી તીર્થંકરપદ પ્રાપ્ત થાય તેમ કહ્યું છે. જયવંતા જિન શાસનમાં દાનના પાંચ પ્રકાર છે : (૧) અભયદાન (૨) સુપાત્રદાન (૩) ઉચિતદાન (૪) કીર્તિદાન અને (૫) અનુકંપાદાન. જે પૈકી પ્રથમનાં બે દાન મોક્ષ માટે થાય છે અને બાકીનાં ત્રણ દાન સ્વર્ગ યા સંસાર માટે થાય છે. પંચમહાવ્રતધારી પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોની સેવા-સારવાર કરવામાં, સદ્ભાવના અને ભક્તિપૂર્વક આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, મકાન વગેરે માટે દાન આપવું તે બીજા પ્રકારનું સુપાત્ર દાન. આ સુપાત્રદાન તે વેયાવચ્ચ. સુપાત્ર દાન દ્વારા આત્મા સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે. સુપાત્ર દાનથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. (૧) પૂ. ભગવંતોના સ્વસ્થ આરોગ્ય માટે આયુર્વેદિક ઔષધોથી ઉપચાર: - આયુર્વેદ અને જૈન ધર્મના ગ્રંથોમાં કેટલીક સામ્યતાઓ જોવા મળે છે. આયુર્વેદ વિજ્ઞાન માણસોએ માંદા કેમ ન પડવું એની પર પ્રાથમિક ભાર મૂકે છે. જૈન ધર્મમાં પણ માંદગી આવે જ નહીં એવા ધર્મના સિદ્ધાંતો ધાર્મિક આચાર સાથે વિશિષ્ટ રીતે વણી લેવામાં આવ્યા છે. દાખલા તરીકે ઉકાળેલું પાણી પીવું, આયંબિલ, એકાસણું, ઉપવાસ, વંદના, હળવું ભોજન જેમાં મગ, ખાખરા વિશેષ હોય છે. સંધ્યા ઢળે એ પહેલાં ભોજન કરવું. રાત્રિભોજન વર્જય જેવા આરોગ્યલક્ષી સિદ્ધાંતોને મહત્ત્વ આપે છે. વર્ષાઋતુમાં જ્યારે જીવજંતુઓનો વધુમાં વધુ ઉપદ્રવ હોય, હવામાં વાયુનો દોષ હોય જેથી ખોરાક પચે નહિ ત્યારે મોટે ભાગે ઉપવાસ અને એકાસણી કરવાનું મહત્ત્વ સ્વીકાર્યું છે અને તેથી સાધુભગવંતોને અન્ય પદ્ધતિ કરતાં આયુર્વેદ પદ્ધતિ પ્રત્યે વિશેષ પ્રેમભાવ હોય છે. તેથી તેઓ શક્ય હોય ત્યાં સુધી આયુર્વેદની સારવાર પદ્ધતિને પ્રાથમિકતા આપે છે. કેટલીક આયુર્વેદ દવાઓ ગૌમૂત્ર દ્વારા શુદ્ધ થતી હોવાથી વૈકલ્પ અણહારી હોય છે તેથી તે લેવામાં તેમને વધુ અનુકૂળતા રહે છે. તેથી જ પૂજ્ય ભગવંતોના સ્વસ્થ આરોગ્ય માટે અલ્પહિંસક તથા નિર્દોષ આયુર્વેદિક ઔષધિ દ્વારા જ ઉપચાર કરવો જોઈએ. મહાઆરંભ સમારંભ, તેમ જ મહાહિંસા દ્વારા બનાવવામાં આવેલ એલોપથીની દવાથી પૂ. ભગવંતને - ૨૩૭ છે . For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૭૯ જ્ઞાનધારા 0260 દૂર રાખવા જોઈએ. - જૈન સાધુભગવંતોને આ આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ વધારે લાભકારક તેમ જ ત્વરિત પરિણામ આપનારી છે તે આ લઘુ લેખથી પ્રતિપાદિત થાય છે. - પ્રાચીન આયુર્વેદમાં રોગોની ચિકિત્સા માટેના અનેક વિશિષ્ટ દષ્ટિકોણ દર્શાવેલ છે. તેને ધ્યાનમાં રાખી જો ચિકિત્સા કરવામાં આવે તો તેનાથી ઈચ્છિત તેમ જ ઘણું જ ઝડપી પરિણામ મેળવી શકાય છે. - તમામ રોગોમાં આ સામ-નિરામ પરીક્ષા કરી ચિકિત્સા પ્રયોજી શકાય છે. આપણે ત્યાં આયુર્વેદિક સારવાર લેવા આવતા દર્દીઓ મોટે ભાગે સામ અવસ્થામાં હોય તેથી તેમને નિરામ અવસ્થામાં લાવ્યા સિવાય સારવાર આપવામાં આવે તો ઈચ્છિત પરિણામ મળતું નથી, માટે પ્રથમ તેને નિરામ કરવા જરૂરી છે. દર્દી નિરામ થયા પછી રોગનાં લક્ષણો પ્રમાણે યોગ્ય ઔષધ પ્રયોજન કરવાથી રોગ ત્વરિત દૂર થઈ શકે છે. જૈન ધર્મના સિદ્ધાંતો પ્રમાણે પૂભગવંતો ઉપવાસ, આયંબિલ, ઉકાળેલું પાણી, દરરોજ સામાન્ય રીતે દસ કિલોમીટરનો વિહાર કરતા હોઈ તેમની અવસ્થા સામાન્ય રીતે નિરામ હોય છે. ચૌવિહાર (સૂર્યાસ્ત પહેલાં ભોજન) વગેરે નિયમો પણ નિરામ અવસ્થા લાવવામાં ઉપયોગી છે. તેથી જ તેમને માટે શાસ્ત્રોક્ત આયુર્વેદિક પદ્ધતિની સારવાર ત્વરિત ફાયદાકારક તેમ જ સંતોષ આપે તેવી બને છે. (૨) જરૂરી ઉપકરણો વહોરાવવા : ઉપકરણોની માર્ગસ્થ વ્યવસ્થા શુદ્ધિ વિશે કાળજી કરીને આવા ઉપકરણોના ઉજમણા કરાવીને પૂજ્યોને આ બધાં જ ઉપકરણો નિર્દોષ મળી રહે તેવી અનુકૂળતાઓ ગોઠવવી જોઈએ. દરેક ક્ષેત્રોમાં ચાતુર્માસ પૂર્વે આ ઉપકરણોની ઉપલબ્ધિ થાય તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જોઈએ. શ્રાવકે આયુર્વેદિક ઔષધો ઉપરાંત પૂ ભગવંતોને અમુક રોજિંદી જરૂરિયાતનાં ઉપકરણો જેવા કે મચ્છરદાની, પેઈનક્રેશ ટયૂબ, કાપ કાઢવાનો સાબુ, લોચ માટેના ચંદન સાબુ, જાત્યાદિ મલમ, દેશી ઊની કામળી, આસન, ઓઘારિયા, સંથારિયા, બામ વગેરે વહોરાવવાનો લાભ લેતા રહેવું જોઈએ. - ૨૩૮ ૧છે For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ OCC જ્ઞાનધાર ૭૦ (૩) પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોના વિહાર માટે ઉચિત વ્યવસ્થા તથા સૂચનો : પરમપિતા પરમાત્માની આજ્ઞાને જીવનમાં આચરવા સાથે અનેકોના જીવનમાં પરમાત્માની આજ્ઞાનું આધ્યાયન કરાવતા આપણા પૂજનીય ગુરુભગવંતોના જીવનની રક્ષા કરવી તે આપણા સૌનું કર્તવ્ય છે. વિહારોમાં અકસ્માતો દ્વારા આપણે હીરલાસમ આપણા મહાત્માઓને ગુમાવી ને બેસીએ તે માટે સંઘના મોવડીઓએ ખાસ ધ્યાન આપવાની જરૂરત છે. મહાત્માઓને અનિવાર્ય કારણ સિવાય બિનજરૂરી દોડાદોડ-લાંબા વિહારો કરવાનો આગ્રહ ના કરીએ. • પૂજા-પૂજન-સાલગીરી-મહોત્સવમાં ફક્ત નિશ્રાપ્રદાન માટે વિહાર ન કરાવીએ. • પ્રતિષ્ઠા-દીક્ષા-અંજનશલાકા-પદપ્રદાન વગેરે વિશિષ્ટ પ્રસંગોમાં પણ મુખ્ય નિશ્રાદાતાથી સંતોષ માનીએ, પણ શોભાની અભિવૃદ્ધિ માટે સ્વજન, ગામના મહારાજ વગેરેને લાંબા વિહારો કરીને પધારવાનો અહિતકર આગ્રહ ન કરીએ. સમગ્ર સમુદાય કે વધારે મહાત્માઓને લાવવાનો આગ્રહ છોડી દઈએ. • પ્રસંગે નજીકમાં વિચરતા મહાત્માઓની નિશ્રા મળી શકે તેમ હોય તો તેમનાથી ચલાવી લઈએ. • જે પ્રસંગો મહાત્માની નિશ્રા વિના પણ થઈ શકે છે, તે પ્રસંગમાં સહજ રીતે નજીકના મહાત્માની નિશ્રા મળે તો સારી વાત છે, પણ તેના માટે લાંબા વિહારો કરીને નિશ્રા આપવા પધારવા દબાણ ન કરીએ. • હાઈવે રોડ પર વધારે અકસ્માતો થાય છે, માટે અંદરના રસ્તાઓના વિહારો જરૂરી છે, પણ જ્યાં જૈનોનાં ઘરો ઓછાં છે અથવા ક્યાંક છે જ નહિ તેથી અનેક મુશ્કેલી નિર્માણ થાય છે. • વિહાર ગ્રુપ બનાવવાં. એક ગામથી બીજે ગામ વિહારમાં મહાત્માઓને લેવા-મૂકવા જવું. ચોમાસા પ્રસંગો માટે પણ એક સ્થાનથી અન્ય સ્થાન સુધી સલામત વિહારની વ્યવસ્થા કરવી તે આપણી ફરજ છે. • ગામમાં રહેલાં જૈન કુટુંબોને આર્થિક રીતે સદ્ધર કરવાં. એમની ઊંચી - ૨૩૯ ૧ For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ C જ્ઞાનધારા સાધર્મિક ભક્તિ કરવી. એમની ગુરુભક્તિની કદર કરવી અને તે માટે એમને પ્રોત્સાહિત કરવા જેથી પૂ. ભગવંતોના વેયાવચ્ચ બાબતે તેઓ વધુ નમ્ર બને. • અજૈનોનાં ઘરમાં પણ મહાત્માઓ ગોચરી વહોરવા જાય તો નિષેધ ન કરવો. ♦ જૈન ઉદ્યોગપતિઓ-શ્રીમંતો, પાલિતાણા-શંખેશ્વર-ગીરનાર-અમદાવાદમુંબઈ-ડીસા જેવા વધુ વિહારવાળા માર્ગોમાં ફાળો કરીને પણ, ગામડાંઓના અંદરના રસ્તે સમાંતર પગદંડી બનાવી શકે. - સાધુ-સાધ્વીજીને વિહાર વખતે સામાન ઊંચકવા માટે કે વ્હીલચૅર ચલાવવા માટે બહારના મજૂર-માણસોની આવશ્યક્તા રહે છે. એવા માણસો સાથે જ્યારે સાધુ-સાધ્વીજી કોઈ સંઘમાં પહોંચે અને પેલા માણસોને પૈસા ચૂકવવાના હોય ત્યારે ઘણી આનાકાની થતી હોય છે. ક્યારેક તો ત્યાંના લોકો પૈસા ચૂકવવા જ તૈયાર નથી થતા. એવા વખતે સાધુ-સાધ્વીજી ભારે વિમાસણમાં મુકાઈ જાય છે. એવા સમયે સાધુ-સાધ્વીજીને પરેશાની ન વેઠવી પડે એ બાબતે દરેક સંઘે વ્યવસ્થા વિચારવી જોઈએ. (૪) આયંબિલશાળા, આરાધના ભવનમાં પાણીને ઉકાળવા તેમ જ ઠારવા માટે ઍલ્યુમિનિયમનાં તપેલાં-પરાતોને બદલે તાંબાના તપેલાં-પરાતો : આજે સાર્વત્રિક રીતે મોટા ભાગના સંઘોના ઉપાશ્રયો-આયંબિલશાળામાં પીવાના પાણીને ઉકાળવા માટેનાં વાસણોમાં ઍલ્યુમિનિયમની પરાત (કથરોટ), તપેલાં વગેરે હોય છે. ભક્તિ હંમેશાં ઉત્તમ દ્રવ્યથી જ કરવી જોઈએ એ આપણાં શાસ્ત્રોની આજ્ઞા છે. ઍલ્યુમિનિયમ એ હલકી દ્રવ્ય ધાતુ છે. વળી તે આરોગ્ય માટે હાનિકારક સાબિત થયેલ છે. હાલમાં જ દુનિયાભરમાં ઍલ્યુમિનિયમ ધાતુની વપરાશનાં સંશોધનમાં ઘણી એવી બાબતો પ્રકાશમાં આવી છે કે જે ચોંકી જવાય તેવી છે. ઍલ્યુમિનિયમ એક અત્યંત ક્રિયાશીલ ધાતુ છે. તેથી હવામાં રહેલા ઑક્સિજન સાથે તરત જ સહેલાઈથી ભળી જઈ ઍલ્યુમિનિયમ ઑક્સાઈડમાં ઑક્સીકૃત થઈ જાય છે. તે ઘણી પાતળી પોપડી (લગભગ ૦.૦૧ માઈક્રોમીટરનો થર)ના રૂપે વાસણની અંદરની ૨૪૦ For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ C જ્ઞાનધારા સપાટી પર જમા થાય છે જે વાસણના રંગ જેવી સફેદ પોપડી હોવાથી જલદી નજરે ચડતી નથી. ઍલ્યુમિનિયમના વાસણમાં ૩૦-૩૫ મિનિટ શુદ્ધ પાણી ગરમ કરવાથી અને ઠંડું થયા પછી ગાળીને પારદર્શક સ્વચ્છ કાચની બૉટલમાં ભરી સૂક્ષ્મ નજરે ધ્યાનથી નિરીક્ષણ કરીએ તો એ ઉકાળેલા પાણીમાં સફેદ પાઉડર હોય તેવો આભાસ થશે. એવું એટલા માટે દેખાય છે કે આ વાસણમાં પાણી ઉકાળવાથી ઍલ્યુમિનિયમના કેટલાક અંશ ઓગળીને તેમાં ભળી ગયેલા છે. ઍલ્યુમિનિયમ મસ્તિષ્ક-મગજની હૃદયની કોશિકાઓને પણ નષ્ટ કરી શકે છે, એ જ કારણે હૃદયની માંસપેશીઓ પર જામેલ ઍલ્યુમિનિયમ હૃદયરોગ જેવા ભયંકર રોગોને જન્મ આપે છે. અલ્ઝાઈમર અને ડાયાલાઈસીસ ડિમેન્શિયા જેવા ખતરનાક અને લગભગ ઈલાજ ન થઈ શકે તેવા સ્નાયુના રોગો તથા રીનલ આસ્ટેડિસ્ટા જેવા અસ્થિરોગોનો ભય પણ રહે છે. તદુપરાંત રોગી પોતાની યાદદાસ્ત અને વિચારવાની ક્ષમતા બિલકુલ ગુમાવી દે છે. તે શારીરિક અને માનસિકરૂપે અપંગ થઈ જાય છે. કોઈ પણ સંજોગોમાં આ ઍલ્યુમિનિયમ વાસણો પાણી ઉકાળવામાં કે ઠારવાના ઉપયોગોમાં ન જ લેવામાં આવે અને તેની જગ્યાએ તાંબાનાં વાસણોનો જ ઉપયોગ થાય તે યોગ્ય છે. જેથી શ્રી ચતુર્વિધ સંઘની ભક્તિ ઉત્તમ દ્રવ્યથી કરવાનો લાભ મળે. જ પૂ. ભગવંતોને શારીરિક તકલીફ થાય પછી વેયાવચ્ચ કરવી તેના બદલે તેઓને શારીરિક તકલીફો ન જ આવે તેવા પ્રયત્ન કરવા જરૂરી છે. (૫) આંખોના નંબર તપાસવા-ચશ્માંની સગવડ કરવી વગેરે : આપણને જેમ કેટલીક અનિવાર્ય ચીજોની આવશ્યક્તા રહે છે તેમ સાધુસાધ્વીજીને પણ હોય છે. આંખોની તકલીફ હોય ત્યારે ચશ્માં જોઈએ. આ ઉપરાંત લેખન માટે પેન-કાગળ જોઈએ. ટૂંકમાં તેમની અધ્યાત્મસાધના માટે આરોગ્યલક્ષી સગવડો અને જ્ઞાનોપાસનામાં ઉપયોગી પ્રાથમિક ઉપકરણો ઉપલબ્ધ કરાવી આપવાં એ વેયાવચ્ચ છે. ચાતુર્માસ દરમિયાન પૂ. ભગવંતો એક જ સ્થળ પર સ્થિરતા ધરાવતા હોઈ ૨૪૧ For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ © C જ્ઞાનધારા Oછ0 તેઓને આધ્યાત્મિક અભ્યાસ કરવાનો પૂરતો સમય મળી રહે છે. આ સમયમાં મહાત્માઓની પોતાની આંખોની નબળાઈને કારણે જ અભ્યાસમાં ખલેલ ન પડે તે માટે ચાતુર્માસમાં નેત્રચિકિત્સા શિબિર યોજ, ઉપાશ્રયોમાં ઓપ્ટિશિયનને સાધનો સાથે મોકલી આંખોનું નિદાન કરવું જરૂરી છે, આંખોના નંબર તપાસી ચશ્માં વહોરાવવા જરૂરી છે. (૬) દંતચિકિત્સા યા : શ્રી આયુર્વેદ ડેન્ટલ રિસર્ચ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટના મે. ટ્રસ્ટી નિષ્ણાત દંતવૈદ્ય શ્રી લાભશંકર એફ શુક્લ જેવા નિષ્ણાત દંતચિકિત્સકની સેવાનો લાભ લઈ પૂ. ભગવંતો માટે સમયાંતરે દંતચિકિત્સા યજ્ઞનું આયોજન કરવું જોઈએ. (૭) ૫. સાધુ-સાધ્વીજીના સ્વાથ્યને હાનિકારક કેમિકલયુકત પાત્રાના રંગને બદલે દેશી પદ્ધતિથી કુદરતી દ્રવ્યથી બનેલાં સંપૂર્ણપણે જ્યણાથી બનાવેલાં પાવા રંગવાના રંગોઃ પરમ તારક પરમાત્મા શ્રી મહાવીરસ્વામી પ્રભુએ શાસનની જવાબદારી જેમના સ્કંધો પર મૂકી છે તેવા મહાત્માઓ પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોની બીમારીનાં અનેક કારણોનું એક કારણ છે તેમની ગોચરી માટેનાં પાત્ર રંગવા માટેના કેમિકલ રંગ, જે આહાર સાથે શરીરમાં પહોંચી પૂ. ભગવંતોના સ્વાસ્થને ખૂબ જ હાનિ પહોંચાડે છે. આ દૂષણ દૂર કરવા માટે દેશી રંગો બનાવતા સાધર્મિક બંધુઓને શોધી કુદરતી દ્રવ્યના બનેલાં પાત્રા રંગવાનાં દ્રવ્યો પૂ ભગવંતોને વહોરાવવાનું અભિયાન હાથ ધરવું જોઈએ. (૮) પૂ. ભગવંતો માટે શાસ્ત્રના અભ્યાસ માટે નિષ્ણાત પંડિતોની વ્યવસ્થા પૂ ભગવંતો ચાતુર્માસ દરમિયાન એક જ સ્થાન પર સ્થિરતા ધરાવતા હોઈ તે સમય દરિમયાન શાસ્ત્રોના અભ્યાસ માટે તેઓને પૂરતો સમય મળી રહેતો હોય છે. આ સમય દરમિયાન શ્રાવકોએ/સંઘના મોભીઓએ શાસ્ત્રના તજજ્ઞ પંડિતોને રાખી તેઓના આધ્યાત્મના અભ્યાસ માટે ઉચિત વ્યવસ્થા કરવી જોઈએ. પ્રભુ મહાવીરના ઉપદેશને આપણા સુધી પહોંચાડવાનું માધ્યમ એકમાત્ર સંયમધારી ૨૪૨ ભજન For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ©©© જ્ઞાનધાર 02790 ગુરુભગવંતો જ છે. તેઓ જેટલા વધુ શાસ્ત્રના અભ્યાસમાં નિપુણ બનશે તેનો તેમને માટે આત્મિક લાભ તો છે, પરંતુ સાથે સાથે શાસનના શ્રાવકો માટે પણ આત્માની ઉન્નતિનું કારણ બની રહેશે. (૯) ઘરડાં સાધુ-સાધ્વી માટે સ્થિરવાસ વ્યવસ્થા ઘરડાં સાધુ-સાધ્વીજી ભગવંતો જેઓ શારીરિક રીતે અશક્ત થઈ ગયાં હોય, વિહાર કરી શકે તેમ ન હોય તેમને માટે શાસ્ત્રમાં ખાસ સંયોગોમાં સ્થિરવાસની પરવાનગી આપેલ છે. નિર્દોષ ગોચરી, શાસ્ત્રીય અભ્યાસની અનુકૂળતા/સગવડતા અને યોગ્ય શારીરિક ઉપચાર માટેની ઉપલબ્ધિ હોય તેવા સ્થાનમાં સ્થિરવાસની પરવાનગી આપેલ છે. * જે સ્થળે શ્રાવકોની અવર-જવર હોય, શ્રાવકો માટે આહારપાણીની વ્યવસ્થા હોય તેવા સ્થાનમાં પૂ. ગુરુભગવંતોને નિર્દોષ ગોચરી ઉપલબ્ધ થઈ શકે તેમ હોય, તેમ જ ઘરડાં સાધુ-સાધ્વીજીની સેવા-ચાકરી માટે સાથે રહેલ યુવાન સાધુ-સાધ્વીજી માટે આધ્યાત્મિક અભ્યાસની અનુકૂળતા સાથે હોવી જરૂરી છે જેથી તેઓના શાસ્ત્રના અભ્યાસમાં બાધા ન આવે અને ઉત્તરોત્તર શાસ્ત્રોમાં આગળ વધી શકે. ઉપરોક્ત આ સ્થળની નજીકમાં જ ઘરડાં સાધુ-સાધ્વીજીના ઉપચાર માટે યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. આ પ્રકારની અનુકૂળતાવાળા સ્થાનમાં તેઓને સ્થિરવાસની પરવાનગી આપેલ છે. આ તમામ વ્યવસ્થા સાચવવાની તેમ જ ન હોય તો યોગ્ય વ્યવસ્થા કરવાની ફરજ શાસનના શ્રાવકની/સંઘના મોભીઓની છે. (૧૦) માતૃ પરઠવાની યોગ્ય વ્યવસ્થા : ઘણી વખત ઉપાશ્રયો તો વિશાળ અને ભવ્ય હોય છે, પરંતુ ત્યાં માત્રુ (પેશાબ) પરઠવાની ભારે તકલીફ હોય છે. મોટાં શહેરોમાં મોંઘા ભાવની જમીન લીધી હોય એટલે એની ઈંચઈંચ જગ્યાનું બરાબર પ્લાનિંગ કરેલું હોય. વ્યાખ્યાન હૉલ વગેરે માટે જરૂર કરતાં પણ વિશેષ જગ્યા ફાળવેલી હોય, પરંતુ માત્રુ પરઠવાની વ્યવસ્થા પ્રત્યે દુર્લક્ષ્ય સેવાયું હોય છે. ત્યારે બને છે એવું કે સાધુસાધ્વીજી નછૂટકે નજીકની કોઈ જગ્યાએ માત્રુ પરઠવી આવે છે. એ જોઈને " ૨૪૩ - For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ IOC જ્ઞાનધારા 0200 આસપાસમાં રહેતા અજૈન લોકોને જુગુપ્સા થાય છે. જૈનોને પણ જુગુપ્સા તો થતી જ હોય, પણ એ વ્યક્ત ન કરે. લોકોમાં એવી ટીકા થાય છે કે જૈન સાધુસાધ્વીઓ ગંદકી કરનારાં હોય છે. જો આવા લોકાપવાદથી બચવું હોય તો દરેક સંઘે પોતાના ઉપાશ્રયમાં માત્ર પરઠવાની યોગ્ય વ્યવસ્થા કરવી જ જોઈએ. વ્યાખ્યાન હોલ થોડો નાનો હોય તો ચાલે, કારણકે એમાં તો માત્ર પર્યુષણ જેવા પર્વના દિવસોમાં જ ભીડ હોય છે. સાધુ-સાધ્વીજીને તો દરરોજ દિવસમાં આઠથી દસ વખત માત્રુ પરાઠવા માટે સગવડની જરૂર પડતી હોય છે. તેથી માત્રુ પરઠવાની યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે. પૂ. ગુરુભગવંતોના સંયમધર્મને અડચણરૂપ ન થાય તે રીતે શ્રાવકોએ પૂર્ણપણે વેયાવચ્ચ કરવી જોઈએ. (૧૧) ઉપાશ્રયનું ભોંયતળિયું: પૂ. ભગવંતોને શરદી, સાંધાના દુઃખાવા તથા અનિદ્રાનું કારણ : શ્રી સંઘ-શ્રાવક દ્વારા પૂ. ભગવંતોની ધાવચ્ચ ભક્તિનું મુખ્ય ધ્યેય તેમનું આરોગ્ય-તંદુરસ્તી સચવાય તે જ હોય છે, પરંતુ તેઓને માંદગી જ ન આવે તે દિશામાં વિચાર કરવામાં જ નથી આવતો. માંદગી આવવાનાં અનેક કારણોમાંનું એક કારણ ઉપાશ્રયમાં ભોંયતળિયામાં મારબલ-ટાઈલ્સનો ઉપયોગ થયેલ હોય છે તે છે, જેના પર દરરોજ સૂવાથી શરદી, સાંધાના દુઃખાવા, અપૂરતી ઊંઘ જેવી તેમને તકલીફ થાય છે. ભોંયતળિયાની ઠંડીના કારણે રોગ થવાથી હિંસક દવાનો આશરો લેવો પડે છે. પૂ. ભગવંતોની આ તકલીફ દૂર કરવા માટે ઉપાશ્રયના ભોંયતળિયા પર ગાયનાં છાણનાં લીંપણ કરવાથી ઉપરોક્ત તમામ શારીરિક તકલીફોથી રાહત મળે છે. વર્તમાનમાં આધુનિકતાના રંગે રંગાયેલા શ્રાવકો માટે આ વાત ગળે ઉતારવી મુશ્કેલ છે, તેથી છેવટે શિયાળાના બે-ત્રણ મહિના માટે પણ ઉપાશ્રયોના તળિયામાં ગાયના છાણનું લીંપણ કરવું જોઈએ, જેના ફાયદા અદ્ભુત છે. તે તો અનુભવ છે જ સમજાય. • ૨૪૪ For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ©©©©©©© જયંત કોઠારીનું ( અમદાવાદસ્થિત કાંતિભાઈના ગુણરત્નાકર જૈન હસ્તપ્રત-સંપાદન - છંદ’ અને ‘ઉપદેશમાલા બાલાવબોધ’ ગ્રંથો પુરસ્કૃત સંશોધનનું કાર્ય થયા છે. મધ્યકાલીન ગુજ. સાહિત્ય અને છે ડૉ. કાંતિભાઈ બી. શાહ | હસ્તપ્રતોનાં સંશોધન સંપાદનમાં તેઓશ્રીનું જયંત કોઠારીની બહુમુખી વિદ્વત્રતિભા ઘણું જ યોગદાન છે. વિવેચન, સંપાદન, સંશોધન, સાહિત્યવિચાર, ભાષાવિચાર, કોપ્રવૃત્તિ – એમ અનેક ક્ષેત્રોમાં વિહરી છે. જયંતભાઈ સાહિત્યક તથ્યોની માવજતના માણસ. સર્જાયેલા શબ્દને જ પ્રમાણ સ્વીકારીને ચાલનારા. કેવળ અતાર્કિક તુક્કાઓ – માન્યતાઓથી પોતાના લક્ષ્યને માપવાનું એમને ફાવતું નથી. એમની કોઈ પણ વિષયની રજૂઆત અત્યંત અસંદિગ્ધ, વિશ, પાંડિત્યના આડંબર વિનાની રહી છે. આમ વિવેચન -સંપાદન – સંશોધન ક્ષેત્રે જયંતભાઈએ પોતાની એક આગવી મુદ્રા ઉપસાવી છે. એમનાં સંપાદનની-સંશોધનની અવિરત ચાલેલી પ્રવૃત્તિમાં મધ્યકાલીન ગુજરાતી કૃતિસંપાદનો, ગુજરાતી સાહિત્યકોશ (મધ્યકાળ), 'જૈન ગુર્જર કવિઓ'નું નવસંસ્કરણ, મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ, મધ્યકાલીન કર્તાઓનાં જીવન-કવન વિશે સંશોધનાત્મક અભિગમ ધરાવતાં લખાણો, અન્ય લેખકોસંપાદકોના ગ્રંથોની સંશુદ્ધિદર્શક સમીક્ષાઓ, એમણે સમજાવેલી હસ્તપ્રતસંપાદનની ભૂમિકાઓ તેમ જ મુદ્રિત હસ્તપ્રત સૂચિઓ વિશેની સમીક્ષાઓનો સમાવેશ થાય, પરંતુ અહીં તો મુખ્યત્વે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સીમામાં રહીને, જયંતભાઈના જૈન હસ્તપ્રત-સંપાદન-સંશોધન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાનની વાત કરવાનું પ્રસ્તુત છે. (૧) આરામશોભા રાસમાળા : કોઈ એક જ કૃતિની એક હસ્તપ્રત કે એકાધિક હસ્તપ્રતોને આધારે તો આપણે ત્યાં હસ્તપ્રત-સંપાદનો થતાં રહ્યાં છે, પણ કોઈ એક જ વિષય પર જુદાજુદા કવિઓએ રચેલી કૃતિઓની હસ્તપ્રતો મેળવીને અને એમાંય એ - ૨૪૫ ૧૪ For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ C જ્ઞાનધારા કૃતિઓની એકથી વધુ હસ્તપ્રતો ઉપલબ્ધ હોય તો એમનો પણ આધાર લઈને, આ કૃતિઓનું એકસાથે સંપાદન-સંશોધન કરવું એ એક ભગીરથ કાર્ય છે. મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ક્ષેત્રના સંદર્ભમાં આવો એક મહત્ત્વનો સંનિષ્ઠ પુરુષાર્થ જયંત કોઠારી દ્વારા ‘આરામશોભા રાસમાળા'ના પ્રકાશનનો થયો છે. આરામશોભાના કથાનકને આલેખતી છ કવિઓની છ કૃતિઓનું આ સંપાદન તુલનાત્મક અધ્યયનનો એક આદર્શ પૂરો પાડતું મહત્ત્વનું પ્રદાન બની રહે છે. આરામશોભાની કથા એ જૈન પરંપરાની એક સુપ્રસિદ્ધ કથા છે. આ કથાનાં કથાનકો સંસ્કૃત, પ્રાકૃત અને જૂની ગુજરાતી – એમ ત્રણેય ભાષાના સાહિત્યમાં મળી આવે છે. - જયંતભાઈએ ‘આરામશોભા રાસમાળા'માં મધ્યકાળના ઈશુના ૧૫મા શતકના ઉત્તરાર્ધથી માંડી ૧૮મા શતકના આરંભકાળ સુધીના જુદાજુદા સમયમાં થયેલા છ જુદાજુદા જૈન સાધુકવિઓએ મધ્યકાલીન ગુજરાતી ભાષામાં રચેલી આરામશોભા નામક કથનાત્મક કૃતિઓની ઉપલબ્ધ હસ્તપ્રતોનું સંપાદન કર્યું છે. આ છ કૃતિઓનાં નામ, કર્તાનામ અને રચનાસમય આ પ્રમાણે છે : ૧. આરામશોભા રાસ રાજકર્તિ કે કીર્તિ રચિત ૨. આરામશોભા ચોપાઈ વિનયસમુદ્રવાચક રચિત ૩. આરામશોભા ચોપાઈ સમય પ્રમોદ રચિત ૪. આરામશોભા ચરિત્ર પૂંજા ઋષિ રચિત ૫. આરામશોભા ચરિત્રરાજસિંહ રચિત ૬. આરામશોભા રાસ જિન હર્ષ રચિત ૨. સ. ઇ. ૧૪૭૯ ૨. સ. ઇ. ૧૫૨૭ ૨. સ. ઇ. ૧૫૯૫ ૨. સ. ઇ. ૧૫૯૬ ૨. સ. ઇ. ૧૬૩૧ ૨. સ. ઇ. ૧૭૦૫ આ કથાનક સંસ્કૃત-પ્રાકૃત ભાષાની નવ જેટલી કૃતિઓ અંતર્ગત આલેખાયું હોવાનું સંપાદકે નોંધ્યું છે, જેમાં છ કૃતિઓ સંસ્કૃતમાં અને ત્રણ કૃતિઓ પ્રાકૃત ભાષાની છે. આ તમામ કૃતિઓના રચિયતાઓ પણ જૈન સાકવિઓ છે. આ નવ કૃતિઓમાં સૌથી જૂનામાં જૂની કૃતિ પ્રદ્યુમ્નસૂરિવિરચિત ‘મૂલશુદ્ધિ પ્રકરણ' (પ્રાકૃત) પરની દેવચંદ્રસૂરિ રચિત સંસ્કૃત વૃત્તિ અંતર્ગત આ કથા મળે છે. (વૃત્તિ-રચના ઇ. ૧૦૮૯-’૯૦ની છે). સંસ્કૃત-પ્રાકૃતમાં જુદાજુદા કવિઓએ રચેલી ‘મુનિસુવ્રતસ્વામી ચરિત’ ૨૪૬ For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ©© જ્ઞાનધારા ૭૦ અને વર્ધમાન દેશના' નામક કૃતિઓ અંતર્ગત આ કથા મળે છે. જોકે, સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોમાં આરામશોભાનું કથાનક દષ્ટાંતકથા તરીકે આવે છે, જ્યારે ગુજરાતી કવિતાઓની આ છ કૃતિઓ આરામશોભાના કથાનકને નિરૂપતી સ્વતંત્ર રચનાઓ છે. જયંતભાઈએ ગ્રંથની વિસ્તૃત ભૂમિકામાં, સંસ્કૃત-પ્રાકૃત નવ કૃતિઓમાં મળતી આરામશોભાની કથાના કથાઘટકો નોંધ્યા છે. એમાં સૌથી જૂની, ૧૧મી સદીની દિવ્યચંદ્રસૂરિની વૃત્તિમાં મળતી ગદ્ય-પદ્ય મિશ્રિત આરામશોભાની કથાને પાયારૂપ ગણીને એનો સંપૂર્ણ અનુવાદ આપવા સાથે એના કથાઘટકોનો વિસ્તૃત પરિચય આપ્યો છે. અપરમાની દુશ્મની છતાં સુખ પ્રાપ્ત કરતી કન્યા આરામશોભા, એને મદદગાર થતા નાગદેવતા, સાવકી માએ મોકલેલા ઝેરમિશ્રિત લાડુને અમૃતમય બનાવવા, કન્યાને માથે ઉદ્યાન છવાયેલો રહેવો, રાજાનું આકર્ષણ અને આરામશોભાને રાણીપદ, ઓરમાન પુત્રી આરામશોભાને સ્થાને પોતાની પુત્રીને રાણી તરીકે બેસાડવી વગેરે આ કથાના મહત્ત્વના કથાઘટકો છે. વૃત્તિકારે એમની વૃત્તિમાં આ કથાનકને તીર્થંકરભક્તિના ઉદાહરણરૂપે આપ્યું છે. પૂર્વભવમાં કરેલી જિનભક્તિના પરિણામરૂપે આ ભવમાં આરામશોભાના મસ્તકે ઉદ્યાન છવાયેલો રહે છે. સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓમાંનાં કથાનકોનો તુલનાત્મક પરિચય આપવા સાથે, સંપાદકે છ જૂની ગુજરાતીની કૃતિઓનાં કથાનકોનો રચનાસમયાનુક્રમે પરિચય આપ્યો છે. - રાજકીર્તિ કે કીર્તિ રચિત “આરામશોભા રાસ’ એ છયે રચનાઓમાં સૌથી જૂની રચના છે (ઈ. ૧૪૭૯). આ કૃતિ અદ્યાપિ પર્યત અપ્રકાશિત હતી, જે અહીં સંપાદિત થઈને પ્રથમ વાર પ્રકાશિત થઈ છે. ૧૮૦ કડીની દુહા-ચોપાઈના પદ્ય બંધવાળી આ રચના છે. સંપાદકે આ કૃતિની બે હસ્તપ્રતોનો ઉપયોગ કર્યો છે. ૧. મુનિ હંસવિજયજી શાસ્ત્રસંગ્રહ, શ્રી જૈન જ્ઞાનમંદિર, વડોદરાની પ્રત (ક). ૨. ભોગીલાલ સાંડેસરાને મળેલી પ્રત (ખ). કે પ્રતમાં કવિનું નામ રાજકીર્તિ મળે છે, જ્યારે ખપ્રતમાં કવિનામ કીર્તિ મળે છે, પણ ગુરુપરંપરા જોતાં બન્ને નામ એક જ કર્તાનાં જણાય છે. For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ OCT૯ જ્ઞાનધારા OિMO : વિનયસમુદ્ધિ વાચક રચિત 'આરામશોભા ચોપાઈની મુદ્રિત કૃતિ ઘણા પાઠદોષવાળી હોઈને એની જ મૂળ પ્રત મેળવીને એનો વાચના તૈયાર કરવામાં સીધો ઉપયોગ કર્યો છે. એ પ્રત છે પ્રાપ્ય વિદ્યામંદિર, વડોદરાની (ક), એનું લેખનવર્ષ સં. ૧૬૦૭ છે. બીજી પ્રત છે મુનિ હંસવિજયજી શાસ્ત્રસંગ્રહ, વડોદરાની (ખ). એનું લેખનવર્ષ સં. ૧૬૫૧ છે. રચના ૨૪૮ કડીની, મુખ્યત્વે દુહા-ચોપાઈબદ્ધ છે. સમપ્રમોદ વિરચિત 'આરામશોભા ચોપાઈ પણ સંપાદક દ્વારા સૌપ્રથમ વાર પ્રકાશિત થાય છે. અહીં સંપાદકે ત્રણ પ્રતોને ઉપયોગમાં લીધી છે. ૧-૨, લા. દ. ભા. સં. વિદ્યામંદિર, અમદાવાદની પ્રત (ક, ખ). ૩ અગરચંદ નાહટાના અભય ભંડારની પ્રત (ગ). કે પ્રતમાં અપાયેલો કૃતિનો સાંકેતિક રચનાસમય સંપાદકને સ્વીકાર્ય જણાયો નથી. જ્યારે ખ પ્રતનો રચનાસમય સં. ૧૬૫૧ (ઈ. ૧૫૯૫)ને એમણે સ્વીકાર્ય ગણ્યો છે. રચના ૨૭૪ કડીની, ૧૮ ઢાળની છે. ઢાળો વિવિધ દેશીબંધ છે. કે પ્રતના જ્યાં ખંડિત અંશો હતા ત્યાં ખ પ્રતનો વિશેષ લાભ લીધો છે.. પૂંજા ઋષિ વિરચિત “આરામશોભા ચરિત્ર' પ્રકાશિત છે, પણ અહીં સંપાદકે એનું સંપાદન પ્રાપ્ત હસ્તપ્રતને આધારે નવેસરથી જ કર્યું છે અને મુદ્રિત પ્રતના ભ્રષ્ટ પાઠ સુધારી લીધા છે. આની એક જ પ્રત લા. દ. ભા. સં. વિદ્યામંદિર, અમદાવાદની પ્રાપ્તિ થઈ છે. કૃતિ ૧૩૬ કડીની, ૪ ખંડમાં વિભક્ત છે. મુખ્યત્વે દુહા-ચોપાઈબંધ છે, સાથે દેશીબંધ પણ પ્રયોજાયેલો છે. રાજસિંહ વિરચિત “આરામશોભા ચરિત્ર' સંપાદક દ્વારા અહીં સૌપ્રથમ વાર સંશોધિત થઈને પ્રકાશિત થાય છે. આ માટે સંપાદકને માત્ર એક જ પ્રત બાઈ વીરભાઈ, જૈન પુસ્તકાલય, પાલિતાણાની ઉપલબ્ધ થઈ છે. કૃતિ ૪૪૨ કડીની, ૨૭ ઢાળની છે. ઢાળવૈવિધ્ય આ કૃતિની વિશેષતા છે. અહીં એક પણ દેશી બેવડાતી નથી. - જિનહર્ષ કૃત 'આરામશોભા રાસ'ની એક જ પ્રત શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણની પ્રાપ્ત થઈ છે. પ્રત કવિએ પોતે લખેલી છે. 'રાસમાળા'ના પ્રકાશન અગાઉ યંતભાઈએ કીર્તિદા જોશી (શાહ)ના સહયોગમાં * ૨૪૮ ૧૭ For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ > C જ્ઞાનધારા આ કૃતિનું સંપાદન કરેલું હતું, જે અહીં સ્વલ્પ સુધારા સાથે સમાવિષ્ટ છે. ૪૨૯ કડીની, ૨૨ ઢાળની આ રચના દુહા-દેશીબંધ છે. આ છયે કૃતિઓનાં કથાનકોના તુલનાત્મક અભ્યાસમાં, જુદીજુદી કૃતિઓમાં જોવા મળતા વસ્તુના ફેરફારો, સ્થળ અને વ્યક્તિ-નામોના ફેરફારો, કથાપ્રયોજનોમાં વરતાતાં સૂક્ષ્મ પરિવર્તનો, શૈલીભેદો, કથાના આરંભે આવતાં મંગલાચરણોના તફાવતો, વસ્તુ સંરચનાના ભેદો, વર્ણનોના ભેદો, ચિંતન-ઉપદેશના ભેદો, પાત્રોના મનોભાવચિત્રણના ભેદો, પ્રસંગ નિરૂપણરીતિના ભેદો – આ બધાનાં સંપાદકે અતિઝીણવટભર્યાં નિરીક્ષણો નોંધ્યાં છે. આ રીતે એક જ વિષય લઈને સર્જાયેલી આ છ મધ્યકાલીન જૈન કથાત્મક કૃતિઓની સંકલિત માહિતી રજૂ કરતો તુલનાત્મક અધ્યયનનો આ ગ્રંથ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વના પ્રદાન સમો છે. સંપાદકે વાચના માટે પસંદ કરેલી હસ્તપ્રત સિવાયની અન્ય પ્રતોમાંથી મહત્ત્વના પાઠાંતરો નોંધ્યા છે. જ્યાં અન્ય પ્રતનો પાઠ વધુ સ્વીકાર્ય જણાયો છે ત્યાં ક પ્રતનો પાઠ સ્થાનાંતરિત કર્યો છે. સંપાદકે પ્રત્યેક કૃતિનાં વિસ્તૃત ટિપ્પણો આપ્યાં છે. એમાં શબ્દો કે પંક્તિ-ખંડોની અર્થચ્છાયાની ચર્ચા કરાઈ છે. જ્યાં અર્થ સ્પષ્ટ થતો નથી ત્યાં ચિત્ પ્રશ્નાર્થ મૂકીને અર્થને સંભાવનારૂપે સૂચિત કર્યો છે. વાચનાના પંક્તિખંડોના અન્વયાર્થો પણ અનેક જગાએ બેસાડી આપ્યા છે. મોટા પ્રમાણમાં જોવા મળતા પારિભાષિક શબ્દોનો માહિતીપ્રદ પરિચય અપાયો છે, જેમ કે પંચમહાવ્રત, સંલેહણ, નવયનિહાણ, ચ્યારિ-બુદ્ધિ, નવતત્ત્વ, આર્તધ્યાન જેવા શબ્દો સંદર્ભે એની પર્યાપ્ત માહિતી અહીં અપાઈ છે. તો સાથે, વાચનામાં સુલસા, ચાર પ્રત્યેકબુદ્ધ, જંબૂકુમાર, શ્રેણિકની નારી ચેલણાનાં નામો નિર્દિષ્ટ થયાં હોય તો અહીં ટિપ્પણમાં એમનો પણ સંક્ષિપ્તન પરિચય અપાયો છે. વિનયસમુદ્ર વિરચિત ‘આરામશોભા ચોપાઈ'ની પાંચમી કડીની બીજી પંક્તિ આ પ્રમાણે છે : દેવતત્ત્વ આરાધતાં થાઈ નિર્મૂલ બોધિ'. આ પંક્તિમાં જયંતભાઈને ‘દેવતત્ત્વ' શબ્દનો કશો અર્થ ન બેસતાં એમણે ‘દવ્ય (દ્રવ્ય)તત્ત્વ’ ૨૪૯ For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ © C જ્ઞાનધારા ૭૦ પાઠ કળ્યો છે, પણ જૈન ધર્મમાં દેવ-ગુરુ-ધર્મ એ ત્રણેની ઓળખ તત્ત્વ તરીકે થયેલી જ છે, એ હકીકત એમનાથી ચૂકાઈ ગઈ લાગે છે. આ સંપાદનની વિશેષ ફલશ્રુતિ છે ગ્રંથને છેડે પ્રાપ્ત થતો આ છયે કૃતિઓનો સંયુક્ત એવો વર્ણાનુક્રમિક સમૃદ્ધ સાર્થ શબ્દકોશ. વાચનામાં આવતા કેટલાક અલ્પપરિચિત સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, દશ્ય, હિંદી, રાજસ્થાની, ફારસી શબ્દો પણ એમાં સમાવિષ્ટ કર્યા છે. આ શબ્દકોશની સાથે સંપાદકે વનસ્પતિકોશ જુદો તારવીને આપ્યો છે. આમ શબ્દકોશ, વનસ્પતિકોશ, દેશીઓની સૂચિ અને મહત્ત્વની સંદર્ભસૂચિ ભાવિ સંશોધનકારો માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થાય એમ છે. (૨) “જયવંતસૂરિની છ કાવ્યકૃતિઓ: ૧૬મી સદીના મધ્ય અને ઉત્તરાર્ધનો કવનકાળ ધરાવતા જૈન સાધુકવિ શ્રી જયવંતસૂરિની કવિપ્રતિભાથી જયંતભાઈ અત્યંત પ્રભાવિત હતા. જીવનનાં અંતિમ વર્ષોમાં એમણે આ કવિની સમગ્ર કવિતાનું સંશોધિત સંપાદન કરવાનું લક્ષ્ય રાખેલું, પણ એમનું નિધન થતાં એ કામ અપૂર્ણ રહ્યું, પરંતુ આ કવિની કાવ્યકૃતિઓનાં હસ્તપ્રત-સંપાદનો એમણે તૈયાર કરેલાં તે કૃતિઓ છે : ૧) “સ્થૂલભદ્ર ચંદ્રાયણિ', ૨) સ્થૂલભદ્ર-કોશા પ્રેમવિલાસ ફાગ', ૩) સીમંધરસ્વામી લેખ', ૪) સીમંધર જિન ચંદ્રાઉલા સ્તવન', ૫) નેમિનાથરાજિમતી બારમાસ પ્રબંધ' અને ૬) “બાર ભાવની સજ્જાયી. ( આમાંથી ક. ૧ અને ક્ર. ૩ એમણે “ફાર્બસ ગુજરાતી સભા વૈમાસિકના અંકોમાં તેમ જ ક. ૪ અને ક. ૬ અનુસંધાનની પુસ્તિકાઓમાં પ્રકાશિત કરી હતી. બાકીની ક. ૨ અને ક્ર. પનાં સંપાદનો પણ તૈયાર કરેલાં હતાં. આમ કુલ છે કૃતિઓનાં હસ્તપ્રત- સંપાદનો એમના નિધન પછી એમના પરિવારે ગુર્જર ગ્રંથરત્ન' દ્વારા પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કર્યા છે. (એપ્રિલ, ૨૦૧૦) આ છએ કૃતિસંપાદનોમાં જયંતભાઈએ કર્તાપરિચય, કૃતિપરિચય, પ્રતપરિચય, પાઠસંપાદન પદ્ધતિ, વાચના, અન્ય પ્રતનાં પાઠાંતરો અને સાથે શબ્દકોશ આપ્યાં છે. ક. ૧. સ્થૂલભદ્ર ચંદ્રાયણિ'ની બે હસ્તપ્રતો (ક, ખ) લા. દ. ભા. સં. - ૨૫૦ - For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ © C જ્ઞાનધારા 100 વિદ્યામંદિર, અમદાવાદમાંથી પ્રાપ્ત થઈ છે. કે પ્રતનું લેખનવર્ષ સં. ૧૬૭૧ છે. કૃતિ ૧૪૭ કડીની, બે ખંડમાં વિભક્ત દુહા-ચોપાઈબંધ છે. પ્રથમ ખંડને અંતે કવિનામ ગુણસૌભાગ્ય, બીજા ખંડને અંતે કવિનામ જયવંતસૂરિ અને પ્રતની પુષ્પિકામાં કવિનામ ગુણસૌભાગ્યસૂરિ અપાયાં છે. કૃતિને અપાયેલું “ચંદ્રાયણિ' નામ કૃતિમાં નહિ, પણ પુષ્પિકામાં મળે છે. સંપાદકે ચંદ્રાયણિ’ શબ્દની સમજ આપતાં જણાવ્યું છે કે, આમ તો એ કુંડળિયા પ્રકારના છંદબંધનું નામ છે, પણ એવો છંદ અહીં પ્રયોજાયો નથી. એટલે સંપાદક આ ‘ચંદ્રાયણિ’નું અર્થઘટન એ રીતે કર્યું છે કે પ્રથમ ખંડમાં સંયોગ સુધીની શૃંગારની ચડતી કળા વર્ણવાઈ છે અને બીજા ખંડમાં વિરહદશાનું આલેખન છે, જાણે કે ચંદ્રના શુકલ અને કૃષ્ણપક્ષ. જોકે, આવો તર્ક એમણે પ્રશ્નાર્થ ચિહ્ન સાથે દર્શાવ્યો છે. કૃતિપરિચય આસ્વાદલક્ષી બન્યો છે. ક. ૨. સ્થૂલિભદ્ર-કોશા પ્રેમવિલાસ ફાગ' : અગાઉ પ્રકાશિત થયેલી છે. આ કૃતિની પાંચ પ્રતો પ્રાપ્ત થઈ છે. ૧) લા. દ. ભા. સં. વિદ્યામંદિર, કે પ્રત, હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણની ખ પ્રત, ૩) પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરાની ૨) પ્રત, તેમ જ અગાઉ પ્રકાશિત કૃતિમાં ઉપયોગમાં લેવાયેલી બે પ્રતો ૧) કાતિવિજયજી શાસ્ત્રસંગ્રહની ગ પ્રત અને ૨) ખંભાતના નીતિવિજય શાસ્ત્રસંગ્રહની ઘ પ્રત. અહીં ક, ખ હસ્તપ્રતોને આધારે કૃતિની વાચના તૈયાર કરાઈ છે. બાકીની પ્રતોનાં પાઠાંતરો નોંધાયા છે. દુહા અને ચંદ્ર છંદની આ કૃતિ ૪૧ કડીની ફાગુ સ્વરૂપની છે. હસ્તપ્રતમાં દુહાને ફાગ નામથી ઓળખાવાયા છે. કૃતિપરિચય આસ્વાદલક્ષી છે. ક. ૩. સીમંધરસ્વામી લેખ'માં કવિનામ જયવંત પંડિત મળે છે. આ કૃતિનું રચનાવર્ષ ઇ. ૧૫૪૩ હોવાનું કનુભાઈ શેઠે “શૃંગારમંજરી'ના સંપાદનમાં જણાવ્યું છે, પણ જયંતભાઈને એ વર્ષ સ્વીકાર્ય નથી, કેમકે “શૃંગારમંજરી' ઈ. ૧૫૫૮માં કવિએ લઘુવયે રચી છે એમ કવિ પોતે જણાવે છે. એ રીતે જોતાં ઈ. ૧૫૪૩માં કવિની ઉંમર દસેક વર્ષથી વધુ ન હોઈ શકે. કૃતિ ૫ ઢાળ, ૪૨ કડીની છે. સંપાદકને આ કૃતિની છ હસ્તપ્રતો પ્રાપ્ત થઈ છે, જેમાંથી ચાર પ્રતો લા. દ. ભા. સં. વિદ્યામંદિરની છે. (ક, ખ, ચ, છે). બીજી બે લીંબડી ભંડારની - - ૨૫૧ છે For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ S૭CC જ્ઞાનધારા 0266 ગ પ્રત અને હે. જૈન જ્ઞાનમંદિર, પાટણની ઘ પ્રત. ક. ૪. સીમંધર જિન ચંદ્રાઉલા સ્તવન’: ચંદ્રાવળા બંધમાં રચાયેલી ૨૭ કડીની રચના છે. વિષય ક. ૩ની કૃતિને મળતો છે. સંપાદકને આની ચાર હસ્તપ્રતો પ્રાપ્ત થઈ છે. બે પ્રતો શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈની ક, ગ, પ્રત, એક લા. દ. ભા. સં. વિદ્યામંદિરની ખ પ્રત અને એક હે. જર્ન. જ્ઞાનમંદિર, પાટણની ઘ પ્રત. ઉપરાંત એક મુદ્રિત પાઠ પ્રાપ્ત છે. (૨). કે પ્રતનું લેખનવર્ષ સં. ૧૬૩૫ છે જે ઉપલબ્ધ પ્રતોમાં સૌથી જૂની છે. - ક. ૫ નેમિનાથ - રાજિમતી બારમાસ પ્રબંધ : દેશી, દુહા અને aોટક એ ત્રણ પ્રકારના પદબંધવાળી ૯૬ કડીની આ રચના છે. આ કૃતિની સાત પ્રતો પ્રાપ્ત થઈ છે. જેમાં ત્રણ પ્રતો લા. દ. ભા. સં. વિદ્યામંદિરની ક, ખ, ગ, એક પ્રત આત્મારામ જૈન જ્ઞાનમંદિર, વડોદરાની ઘ, પ્રત, એક પ્રત અગરચંદ નાહટાની મો. દ. દેશાઈએ ઉતારેલી ચ પ્રત. લીંબડી ભંડારની છે, પ્રત અને હે. જૈન. જ્ઞાનમંદિરની જ પ્રત. ક. ૬ “બાર ભાવના સજઝાય' : દેશીબંધ ઢાળ અને ત્રાટકના પદ્યબંધમાં ૩૯ કડીની, મોક્ષમાર્ગના સાધનરૂપ બાર ભાવનાઓને વર્ણવતી રચના છે .આ કૃતિની કેવળ એક જ પ્રત લા. દ. ભા. સં. વિદ્યામંદિરમાંથી પ્રાપ્ત થઈ છે. એને આધારે વાચના તૈયાર કરાઈ છે. પ્રત ૧૭મી સદીની હોવાનું અનુમાન છે. “જયવંતસૂરિની છ કાવ્યકૃતિઓ' પુસ્તકનું આ સંપાદન જયંતભાઈની સંપાદક - સંશોધક – વિવેચક - આસ્વાદક તરીકેના સામર્થ્યની પ્રતીતિ કરાવે છે. (૩) પ્રાચીન - મધ્યકાલની સાહિત્યસંગ્રહ: જયંતભાઈ એમના જીવનના અંતિમ તબક્કામાં જે મહત્ત્વનાં કૃતિ-સંપાદનનું કામ પૂરું કરી ગયા તે ગ્રંથ છે પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યસંગ્રહ'. મોહનલાલ દલીચંદ દેસાઈ દ્વારા સંપાદિત કૃતિઓના સંશોધિત પુનઃસંપાદનનો લગભગ ૮૦૦ પાનાનો આ દળદાર ગ્રંથ છે. આ ગ્રંથસંપાદન પાછળની થોડીક પાર્વભૂમિકા જાણવી રસપ્રદ થશે. - મોહનભાઈએ ઈ. ૧૯૧૨થી ૧૯ સુધી “શ્રી જૈન છે. કૉન્ફરન્સ હેરલ્ડનું અને ઈ. ૧૯૨૫થી ૩૦ સુધી જૈનયુગ'નું તંત્રીપદ સંભાળેલું. એ બે સામયિકો * ૨પર છે For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ 2 C જ્ઞાનધાસ ઉપરાંત તત્કાલીન અન્ય જૈન સામયિકોમાં પણ તેમનાં લખાણો પ્રકાશિત થતાં હતાં. એમાં પોતાને ઉપલબ્ધ થયેલી હસ્તપ્રતોમાંથી પ્રાચીન કૃતિઓનાં એમણે કરેલાં સંપાદનોનો પણ સમાવેશ થાય છે. મોહનભાઈએ કરેલાં આ હસ્તપ્રતસંપાદનોનું જયંતભાઈએ પ્રસ્તુત ગ્રંથમાં સંશોધિત પુનઃસંપાદન કર્યું છે. જંયતભાઈએ ધાર્યું હોત તો મોહનભાઈ સંપાદિત આ કૃતિઓને વિષયવાર કે સ્વરૂપવાર વર્ગીકૃત કરીને, ગોઠવણીનું પુનઃઆયોજન કરીને, અગાઉના મુદ્રણદોષો દૂર કરીને એમનો સંપાદનશ્રમ સીમિત રાખી શક્યા હોત, પણ આટલું જ કરીને સંતુષ્ટ થાય તો એ જંયતભાઈ જ શાના ! આ કાર્ય હાથ પર લેતાં, એમને મુદ્રણદોષો ઉપરાંત જ્યાંજ્યાં ભ્રષ્ટ પાઠો માલૂમ પડચા, પાઠનિર્ણયો ખોટા જણાયા, અન્ય વૈકલ્પિક પાઠની સંભાવના જણાઈ તેવાં સ્થાનોની પાઠશુદ્ધિ કે પાઠનિર્ણય અર્થે, જો તે કૃતિઓ અન્યત્ર મુદ્રિત થઈ હોય તો તે જોઈ જવાનો, શક્ય હોય ને જરૂરી લાગ્યું હોય ત્યાં એવી કૃતિઓની હસ્તપ્રત કઢાવીને શુદ્ધ પાઠ મેળવવાનો શ્રમ લઈને એમણે આ તમામ સામગ્રીને સંશોધિત કરી છે. એથી તો અહીં મોટા ભાગની કૃતિઓની સાથે એક મોહનભાઈની અને બીજી જયંતભાઈની એમ બબ્બે સંપાદકીય નોંધો જોવા મળે છે. આ બન્ને પ્રકારની નોંધો અનુક્રમે ગોળ અને ચોરસ કૌંસથી અલગ પડાઈ છે. આ ઉપરાંત કૃતિને છેડે, કૃતિ મૂળ જ્યાં પ્રકાશિત થઈ હોય તે સામયિક/ગ્રંથનામ, વર્ષ અને પુષ્ઠક્રમાંક સુધ્ધાં નોંધવાનું જયંતભાઈ ચૂક્યા નથી. આ પુનઃસંપાદિત કૃતિઓનું સ્વરૂપવૈવિધ્ય આશ્ચર્યચકિત કરે એવું છે. રાસા, ફાગુ, બારમાસી, સંવાદ, ગીતો, સ્તવનો, સજ્ઝાયો, ચૈત્યપરિપાટી, ગુર્વાવલીપટ્ટાવલી-થેરાવલી, ગઝલ, દસ્તાવેજ, વિજ્ઞપ્તિપત્રો, આજ્ઞાપત્રો, છત્રીસી, પચીસી, હરયાળીઓ, સુભાષિતો, દુહા, ઉખાણાં, બાલાવબોધો, પ્રતિમાલેખો – એમ નાનીમોટી રચનાઓનો આમાં સમાવેશ થયો છે. આ ગ્રંથનું પ્રકાશન લા. દ. ભા. સં. વિદ્યામંદિર (અમદાવાદ) સંસ્થાએ ઈ. ૨૦૦૧માં કર્યું છે. આ ગ્રંથનું પ્રકાશન થતાં એકસાથે ત્રણ પ્રયોજનો સિદ્ધ થયાં છે. એક, પ્રાચીન-મધ્યકાલીન જૈન સાહિત્યનો મોહનભાઈને હાથે એકત્ર થયેલો મૂલ્યવાન ખજાનો ગ્રંથસ્વરૂપે ઉપલબ્ધ થયો છે. બીજું, જયંતભાઈ જેવાને હાથે ૨૫૩ For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ © C૯ જ્ઞાનધારા ૭૦ કૃતિઓ સંશોધિત થઈને વધુ વિશુદ્ધ સ્વરૂપે સંપન્ન થઈ છે. ત્રીજું, જયંતભાઈ દ્વારા ગ્રંથને છેડે મધ્યકાલીન શબ્દોનો સાર્થ શબ્દકોશ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત, ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ગુજરાતી સાહિત્યકોશ (મધ્યકાળ)ના મુખ્ય સંપાદક તરીકે જંયતભાઈને જ્યાં જ્યાં કર્તુત્વના, કૃતિના રચનાસમયના, કૃતિનામ અંગેના કોયડા જણાય ત્યાં કેટલાક કિસ્સામાં તેમ જ જૈન ગુર્જર કવિઓ'ની નવસંસ્કરણ પામેલી, સંવર્ધિત બીજી આવૃત્તિની શુદ્ધિવૃદ્ધિ અર્થે તથા મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ'નું સંપાદન હાથ ધરતાં જ્યાં શબ્દ અશુદ્ધ જણાયો હોય તેવાં સ્થાનોમાં તથ્ય-શોધ અર્થે મૂળ હસ્તપ્રતો સુધી જવાનું બન્યું હતું. - હસ્તપ્રત-સંપાદનની પ્રક્રિયા સમજાવતો, લિપિવાચન, પાઠનિર્ધારણ અને અર્થનિર્ણય – એ ત્રણેય સોપાનોમાં સ્વાનુભવને આધારે પ્રચુર દષ્ટાંતો આપતો મધ્યકાલીન સાહિત્યકૃતિનું સંપાદન ત્રણ પગલાંની સંશોધનયાત્રા' નામનો એમનો લેખ “સાહિત્યિક તથ્યોની માવજત’ પુસ્તકમાં ગ્રંથસ્થ થયો છે. એ જ રીતે કોઈ પણ હસ્તપ્રત મેળવવા માટે માર્ગદર્શક અને ચાવીરૂપ બની શકે એવી હસ્તપ્રતસૂચિઓની સમીક્ષા કરતો “મુદ્રિત હસ્તપ્રતસૂચિઓ સમીક્ષા અને સૂચનો નામનો લેખ “એક અભિવાદન-ઓચ્છવ, એક ગાઝિ' પુસ્તકમાં ગ્રંથસ્થ થયો છે. વિશેષ નોંધ : તાજેતરમાં ઓગસ્ટ, ૨૦૧૩માં, પૂજ્ય આચાર્ય શ્રીમદ્ કલાપૂર્ણસૂરિશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી તીર્થભદ્રવિજયજીએ પરમપૂજ્ય દાદાગુરુદેવ આચાર્યશ્રી વિજયકનકસૂરિશ્વરજી મ.સા.ના ૫૦મા સ્વર્ગારોહણ વર્ષ નિમિત્તે, પૂજ્યશ્રીની કાયમી સ્મૃતિ અર્થે, પાંચ ગ્રંથો સંશોધિત-સંપાદિન કરી પ્રકાશિત કર્યા છે. ગ્રંથો આ પ્રમાણે છે : ૧. “શ્રી અગડદત્ત રાસમાળા', ૨. મદન-ધનદેવ ચરિત્ર', ૩. “શ્રી મંગલકલશ રાસમાળા', ૪. શ્રી મંગલકલશ ચરિત્રસંગ્રહ', ૫. ‘શ્રી નેમિનાથ સ્તોત્રસંગ્રહ:'. " આ ગ્રંથો પૈકી “શ્રી અગડદત્ત રાસમાળા' એ મધ્યકાલની ગુજરાતીના ૧૧ જૈન સાધુ/શ્રાવકકવિઓની અગડદત્તનાં કથાનકોવાળી ૧૧ કૃતિઓના, હસ્તપ્રતોના જન્મ ૨૫૪ ૭ For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ TO C જ્ઞાનધારા 02 O૦ આધારે થયેલા સંશોધિત સંપાદનનો ગ્રંથ છે. એ જ રીતે મંગલકલશ રાસમાળા' મધ્યકાલીન ગુજરાતી ૧૨ જૈન સાધુકવિઓની મંગલકલશનાં કથાનકોવાળી ૧૨ કૃતિઓના, હસ્તપ્રતોને આધારે થયેલા સંશોધિત સંપાદનનો ગ્રંથ છે. શ્રી મંગલકલશ ચરિત્રસંગ્રહ’ એ પ્રાકૃત-સંસ્કૃત ભાષામાં રચાયેલી મંગલકલશના કથાનકવાળી પ્રગટ-અપ્રગટ ૧૧ કૃતિઓનો સંપાદન ગ્રંથ છે; જેમાંથી ૩ કૃતિઓનું સંપાદન અપ્રગટ હસ્તપ્રતોને આધારે થયું છે. શ્રી નેમિનાથ સ્તોત્રસંગ્રહ: “અદ્યાપિપર્યત અપ્રકાશિત એવા જુદાજુદા કવિઓએ સંસ્કૃત ભાષામાં રચેલા નેમિનાથ વિષયક ૫૦ સ્તોત્રોનો સંપાદનગ્રંથ છે. મદન-ધનદેવ ચરિત્ર' (શ્રી પદ્ધવિજ્યજી રચિત) અદ્યાપિપર્યત અપ્રકાશિત કૃતિનું હસ્તપ્રતને આધારે થયેલું સંશોધિત સંપાદન છે. આ ગ્રંથોમાં તમામ કૃતિઓનો પરિચય, કથાનકોનો તુલનાત્મક અભ્યાસ, પ્રતપરિચય, સાર્થ શબ્દકોશ અપાયાં છે. પૂજ્ય ગણિવર્યશ્રી તીર્થભદ્રવિજયજીને આ ભગીરથ હસ્તપ્રત-સંશોધનસંપાદન કાર્ય માટે વંદના). - ૨પપ છું For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ સ્થાપક દાતા ૭૭” SO100 ઠાનના પ્રવાહની વિવેકપૂર્ણ | શ્રી ખીમજીભાઈએ મુંબઈ) યથાયોગ્ય દિશામાં મહાસંઘમાં પોતાનાં ખીમજીભાઈ મ. છાડવા - M.Sc. માતુશ્રીના નામે જૈન શિક્ષણ બોર્ડમાં સારું એવું અનુદાન દાન શબ્દ કાને પડતાં જ એક એવો ભાવ આપ્યું છે. તેઓ તાડદેવ ઊભો થાય જે દ્રવ્ય સાથે જ જોડાયેલો હોય. એટલે | કે ધન, વસ્ત્ર, અન્ન વગેરેવગેરે, પણ હકીકત એ |તથા ટ્રસ્ટી છે. જૈન સાહિત્ય છે કે રીતે રૂતિ વાન! તો દેવાય શું? ઘણુંબધું | અને શિક્ષણનાં કાર્યોમાં રુચિ જેમ કે ધનસંપત્તિ, અનપાત્ર વગેરે દ્રવ્યો ઉપરાંત | ધરાવે છે. . શ્રમ, શ્રુત, ક્ષમા, અભય, અનુકંપા વગેરેવગેરે. માનવીને દાનતત્ત્વની સમજ તો આદિશ્વર ભગવાનના ૪૦૦ દિવસના ઉપવાસ પછી પારણા તરીકે શ્રેયાંસકુમાર દ્વારા અર્પણ થયેલ ઈક્ષરસના ભવ્ય પ્રસંગથી થઈ. અજ્ઞાનવશ પ્રજાએ કંઈકેટલાય દ્રવ્યો ઘરવાની તૈયારીઓ કરી, પણ આ તો એક વખતના રાજા હવે સાધુ ભગવંત જૈનોના પ્રથમ તીર્થંકર શ્રમણ ભગવાન ઋષભદેવસ્વામી. બેતાળીસ દોષથી મુક્ત, નિર્દોષ, નિરવધ આહાર, શેરડીને રસને તેમણે ઉચિત દાન સમજી સ્વીકાર્યો અને આકાશમાં અહોદાન.... અહોદાન દિવ્ય ધ્વનિ ગૂંજી ઊઠ્યો. ત્યારથી જગતમાં દાનધર્મ શ્રેયાંસથી પ્રવર્યાં અને બાકીનો સર્વ વ્યવહાર અને નીતિનો ક્રમ ભગવાનથી પ્રવર્યો. દાન માટે દરેક ધર્મનાં શાસ્ત્રોએ ખૂબખૂબ લખ્યું છે. દાનનું મહત્ત્વ, દાનના પ્રકાર, દાનનું મૂલ્ય, દાનનાં અંગો, વિવિધ પ્રકારે તેની ઉપયોગિતા વગેરેવગેરે ભારતીય વૈદિક દર્શનમાં મીમાંસાદર્શન પુણ્યવાદી દર્શન છે. તેમાં બ્રાહ્મણોને દીધેલા દાનથી પુણ્ય ઉપાર્જન કરી શકાય તેવું બતાવવામાં આવ્યું છે. બૌદ્ધ ધર્મમાં બુદ્ધત્વ પ્રાપ્ત કરવા માટે જે દશ પારમિતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે તેમાં દાનનો સમાવેશ થઈ જાય છે. ભગવાન બુદ્ધ દીધનિકોયમાં દાન વિષે જણાવ્યું છે કે સત્કારપૂર્વક, ભાવનાપૂર્વક આપણા પોતાના હાથે દોષરહિત અને શ્રદ્ધાપૂર્વક દીધેલું દાન પવિત્ર દાન છે. ધમ્મપદમાં તેમણે એક બહુ જ સુંદર વાત કહી છે. ધર્મનું દાન ઉત્કૃષ્ટ દાન છે, કારણ ધર્મનો રસ જ તમામ રસોમાં શ્રેષ્ઠ રસ છે. ધર્મવિમુખ મનુષ્યોને ધર્મપથ પર લાવવા તે પણએક દાનનો પ્રકાર જ છે. જ્ઞાનદાન દેનાર સંતો, સપુરુષો અને ગુરુજનો પૂજનીય જ્ઞાનદાતા છે. શિક્ષકની સાથે માતા-પિતા પણ ઉપકારી " ૨૫૬ " For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ C જ્ઞાનધારા જ્ઞાનદાતા છે. આ જ્ઞાનનું ફળ વિરતિમાં એટલે કે આચરણમાં પરિણમે તો જીવનનું ઉત્થાન થઈ જાય છે. જૈન દર્શન અનુસાર ભગવાન મહાવીરે ચાર પ્રકારે ધર્મ બતાવ્યો છે : દાનશીયળ-તપ-ભાવ. તેમાં દાન પ્રથમ જ છે, કારણ ચારે પ્રકારોમાં દાન જ શ્રેષ્ઠ છે. દાન સૌભાગ્ય અને આરોગ્ય આપનારું છે. વળી દાન કીર્તિ ફેલાવનારું પણ છે, તો બધી પ્રકારની સંપત્તિઓનું ઘર છે. જૈન પરંપરામાં દાનને સત્કર્મ માનવામાં આવે છે. દાન સ્વપરના કલ્યાણ અર્થે પરિગ્રહ ઘટાડવા અને મમત્વ ઓછું કરવા માટેનો શ્રેષ્ઠ રસ્તો છે. માટે જ ઋષભદેવ ભગવાનથી મહાવીરસ્વામી સુધીના ચોવીસેચોવીસ તીર્થંકરોએ દીક્ષા અંગીકાર કર્યા પહેલાંના આખા વર્ષ દરમિયાન પોતાની સંપત્તિનું દાન કર્યું છે જે જૈન દર્શનમાં વર્ષીદાન તરીકે ઓળખાય છે. જૈન આચાર્ય નકશીલગણિ ભાવનાત્મક શૈલીમાં જણાવે છે કે હે શીલ, હૈ તપ, હે ભાવ! તમારા પ્રભાવથી તો એક જ વ્યક્તિની મુક્તિ થાય છે, જ્યારે દાનથી તો દાન આપનાર અને દાન લેનારા બન્નેની મુક્તિ થાય છે. તો શ્રી રત્નમંદિરગણિ દાન વિષે સામાન્ય માનવ સમજી શકે તે રીતે જણાવે છે કે જ્યારે ગૃહસ્થો શીલધર્મ પાળી ન શકે, તપ કરવાને શક્તિમાન ન હોય, વળી સતત ઘરપરિવાર-સ્વજનની ચિંતાને કારણે આર્તધ્યાન કરતા હોવાથી સારા ભાવ નથી ભાવી શકતા ત્યારે તેમને માટે દાન જ એકમાત્ર સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે જે સંસારસમુદ્ર પાર પાડી શકે છે. દાનનું ફળ પ્રત્યક્ષ અને પરોક્ષ પણ મળી શકે છે. ભાવપૂર્વકનું સુપાત્ર દાન તો તીર્થંકર નામકર્મ પણ ઉપાર્જન કરી શકે છે. તો વળી શ્રમણ, સાધુ કે માહણને પ્રાસુક આહાર, પાણી, ખાદ્ય અને સ્વાદ્યરૂપે વહોરાવનાર શ્રાવક એકાન્તત: કર્મોની નિર્જરા કરે છે. દાન પ્રકાર : દાનવિષયક વિવિધ ગ્રંથોમાં દાનના પ્રકાર ત્રણ રીતે જણાવ્યા હોય તેવું લાગે છે. ૧. દાનદ્રવ્યને આશ્રયીને. ૨. દાન લેનારને આશ્રયીને. ૩. દાન આપનારના ભાવને આશ્રયીને. જે આપણે ટૂંકમાં સમજીએ : ૨૫૭ For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ OCTC જ્ઞાનધારા 0266 (૧) દાનદ્રવ્યને આશ્રયીને દાનમાં અપાતી વસ્તુ-દ્રવ્યને નજર સન્મુખ રાખીને આ વિભાજન થાય છે. ઉપદેશમાળા, દાનપ્રકાશ વગેરે ગ્રંથમાં આ પ્રકારના દાનની વાતો છે. આવાસ, શયન, આસન, ભોજન, જળ, ઔષધ, વસ્ત્ર, પાત્ર એમ આઠ વસ્તુનાં નામ તે ગ્રંથોમાં છે. દાનપ્રકાશ ગ્રંથમાં તો તેને દાનસંબધી કથાઓ પણ છે. | (૨) દાન લેનારને આશ્રયીને: વ્યક્તિની યોગ્યતાના આધારે આ પ્રકારનું દાન અપાય છે. તેના મુખ્ય બે ભેદ છે (અ) અપાતું દાન (બ) કુપાત્રને અપાતું દાના પાત્ર શબ્દ અંગે ઉપદેશતરંગિણીમાં લખ્યા મુજબ કર્મના વશથી ડૂબતો આત્મા ધર્મની સહાયથી પોતે તરે અને બીજાને તારે તો તેને પાત્ર કહેવાય પાત્ર વ્યક્તિના પણ ત્રણ પ્રકાર છેઃ ઉત્તમ, મધ્યમ અને જઘન્ય ઉત્તમ પાત્રને સુપાત્ર પણ કહેવાય છે. સુપાત્રની ફરી બે વ્યાખ્યા બતાવવામાં આવી છે. સુભોશનું પાત્ર અને સુઅતિશયેન પાપાત ત્રાયતે ઈતિ સુપાત્રમ્. સુપાત્રના ભેદ પણ બે બતાવ્યા છે: સ્થાવર-સ્થિર અને જંગમા-અસ્થિર. (૩) દાન આપનારના ભાવને આશ્રયીને: શ્રી સ્થાનાંગસૂત્ર, ધર્મરત્નપ્રકરણ, ઉપદેશતરંગિણી, દાનાદિકુલક વગેરે ગ્રંથમાં દાનના જે પ્રકાર બતાવ્યા છે તે જોતાં તે દાતારના ભાવે આશ્રયીને કહ્યા હોય તેવું લાગે છે. સ્થાનાંગસૂત્ર પ્રમાણે ૧૦ પ્રકાર - અનુકંપાદાન, સંગ્રહદાન, અભયદાન, કારણિકાદાન, લજ્જાદાન, ગૌરવદાન, અધર્મદાન, ધર્મદાન, કરિષ્યતિદાન અને કૃતદાન. દાનાદિકુલક પ્રમાણે ત્રણ પ્રકાર - ધર્મદાન, અર્થદાન અને કાયદાની ઉપદેશરંગિણી પ્રમાણે પ્રકાર - અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન અને જ્ઞાનદાન ઉપરાંત બીજા ત્રણ પ્રકાર પણ બતાવ્યા છે - સાત્ત્વિકદાન, રાજસદાન અને તામસસદાન. ધર્મરત્ન પ્રકરણ પ્રમાણે ત્રણ પ્રકાર - અભયદાન, ધર્મોપગ્રહદાન અને જ્ઞાનદાન.વળી ઉપદેશતરંગિણી ગ્રંથમાં દાનનાં પાંચ ભૂષણ પાંચ દૂષણ પણ બતાવવામાં આવ્યાં છે. દાનનાં ભૂષણ કે જે આભૂષણ જ કહેવાય છે... ૧. દાન આપતા સમયે હર્ષનાં આંસુ આવવાં. - ૨. પાત્ર વ્યક્તિને જોઈને રોમાંચ અનુભવવો. • ૨૫૮ ૧૭ For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only * સ્થાપના 130 eg ૧૯૬૬ - સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયા. * समत्वम् याग उच्यत પ્રવેશદ્વાર શ્રી સર્વમંગલમ આશ્રમ સાગોડિયા, ડિ. પાટણ Page #261 -------------------------------------------------------------------------- ________________ ઓફિસ NANUGED NYSRUSSARELA DONATED ELE. SASARLY WOOL MOBILE MEDICAL INIT મોબાઇલ મેડીકલ વેન . e rsaal Private Use Only www jainelibrary.org Page #262 -------------------------------------------------------------------------- ________________ - શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક ધ્યાન કેન્દ્ર તી ફEગાના'II 4 ગૌશાળા ભોજનશાળા. Jan Eduation Inte ational For Personal Private Use on Page #263 -------------------------------------------------------------------------- ________________ () વીતરાગ આરાધના કેન્દ્ર ગૌશાળા સંકુલમાં શ્રી કૃષ્ણ મંદિર ॥ શ્રી સદ્ગુરુ નિકેતન Use Only www.jairnelibrary.org Page #264 -------------------------------------------------------------------------- ________________ C જ્ઞાનધારા ૩. પાત્ર પ્રતિ બહુમાન થવું. ૪. પાત્રને પ્રેમાળ વચનોથી આવકાર આપવો. ૫. પાત્ર વ્યક્તિની અનુમોદના કરવી. દાનનાં દૂષણ : ૧. દાન આપતી વખતે અનાદર કરવો. ૨. દાન આપવામાં વિલંબ કરવો. ૩. દાન લેનારને અપ્રિય વચન કહેવું. ૩. દાન આપવામાં અચિ દાખવવી. ૪. દાન આપ્યા પછી પશ્ચાત્તાપ કરવો. ઉપદેશતરંગિણીમાં આ પ્રકાર, ભેદ ઉપરાંત સુપાત્રદાન મહત્તા પણ આંકવામાં આવી છે, જેમ કે ધનનું રોકાણ બમણું કે ચોગણું થાય જ્યારે સુપાત્રદાન અનંત ગણું થાય છે. દાનવિષયક સાહિત્ય પણ ખૂબ લખાયું છે અને સુપાત્રદાનની કથાઓ પણ પુષ્કળ પ્રમાણમાં છે. દાન પ્રતિષ્ઠા કે અહંકારનીં તૃપ્તિ માટે નહિ; પરંતુ દાનથી કરુણા, સ્નેહ, સેવા, બંધુત્વ જેવી પવિત્ર ભાવનાનો વિકાસ થાય છે. તેનાથી માનવની માનવતા અને દાનવૃત્તિની વૃદ્ધિ થાય છે. દિવ્યતાની જાગૃતિ સાથે ઈશ્વરીય આનંદની અનુભૂતિ થાય છે. વિદ્વાન વિજયમુનિશાસ્ત્રી દાન માટે સ્વ પરના કલ્યાણની વાત કરતાં કહે છે કે ભગવાન મહાવીરે દાન માટે મુંધાદાયી અને મુધાજીવી શબ્દોનો સુંદર પ્રયોગ કર્યો છે. એ જ દાન શ્રેષ્ઠ છે કે જે દેનારના મનમાં અહંભાવ ન પ્રગટે અને લેનારના મનમાં લઘુતાભાવ ન પ્રગટે અને તો જ બન્નેનું કલ્યાણ થાય છે. સમય બદલાતાં હવે તો દાનના પ્રકારોમાં રક્તદાન, કિડની વગેરે અવયવદાન, ત્વચાદાન, દેહદાન વગેરે ગોઠવાવા લાગ્યાં છે. આજકાલ તો લજ્જાદાન અને ગૌરવદાન સમાજને કોઠે પડી ગયાં છે જે કેટલે અંશે યોગ્ય છે તે તો કોઈ વિદ્વાન જ કહી શકે. હાલના સમયમાં દાનના પ્રવાહની વિવેકપૂર્ણ યથાયોગ્ય દિશા શુદ્ધ સાધનો દ્વારા મેળવેલ લક્ષ્મી ન્યાયસંપન્ન આજીવિકા કે વૈભવમાંથી ૨૫૯ For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ IOCC જ્ઞાનધાર ૭૦ પોતાની જરૂરિયાત પૂરતી લક્ષ્મી રાખી વધારાની સુપાત્રદાન દ્વારા જો વહાવવામાં આવે તો તે લક્ષ્મી મહાલક્ષ્મી બને છે. જાહેર સંસ્થાઓ, શૈક્ષણિક શાળા-કોલેજો, દવાખાનાં કે હોસ્પિટલો, ધર્મશાળા, મંદિરો, ધર્મસ્થાનકો-ઉપાશ્રયો, આશ્રમો, ગૌશાળા-છવદ્યાની સંસ્થાઓ, વિધવાવૃદ્ધ-અનાથ-રુણો માટેની સંસ્થાઓ વગેરેનું પોષણ અને રક્ષણ સખાવત દ્વારા જ થાય છે. દાન તો આવી જાહેર સમાજસેવી સંસ્થાઓની જીવાદોરી સમાન છે. સંસ્કૃતિ, કળા અને સાહિત્યના સંવર્ધન માટે પણ અનેક સંસ્થાઓને દાનની જરૂર પડે છે. - દરેક સંસ્થાઓ આર્થિક રીતે પગભર થઈ શકે તેવી યોજનાઓ સમાજ સમક્ષ મૂકવાની જવાબદારી સંચાલકોની છે, જેથી દાન એવી યોજનામાં અપાય કે સંસ્થા કાયમી ધોરણે કે લાંબા ગાળા માટે પગભર બને. મુનિશ્રી સંતબાલજીના મતે ભારતની સમાજરચના ધર્મમયને બદલે અર્થમય બનતી જાય છે. એનું એક કારણ ધર્મસંસ્થાઓ તરફથી પણ ધનને પ્રતિષ્ઠા આપવી એ છે. ધર્મસંસ્થાના સમારંભોમાં શ્રીમંતોને જ ઉચ્ચસ્થાને બેસાડવામાં આવે છે. ક્યારેક આવી સંસ્થાઓના હોદ્દેદારો પણ ધનિકો બની જાય છે. હદ તો ત્યારે થાય છે કે જ્યારે ધર્મસંસ્થાઓના અગ્રસ્તંભ મુનિવરો પણ જ્યારે અનીતિમાન ધનિકોને જાહેર પ્રતિષ્ઠા આપે છે. એક બાજુ અર્થમયી સમાજરચનાને વખોડે છે તો બીજી બાજુ તેની જડોને સીંચે છે. માટે જ સૌપ્રથમ આજની અર્થપ્રધાન બનેલી સમજરચનાને બદલવા ઇચ્છનારા સાધુભગવંતોએ જાહેર સમારંભોમાં મૂડીવાદીને પ્રતિષ્ઠા તો ન જ આપવી જોઈએ, પણ તેમને પાષવા પણ ન જોઈએ. અંતમાં દાનનો મહિમા અનેરો છે. દાન આપવામાં કદી પાછા ન પડવું. વિનયપૂર્વક યથાયોગ્ય દાન કરતા રહેવું. દાન આપ્યા પછી માલિકીભાવ બિલકુલ ન લાવવો. શક્ય હોય તો વિદ્યાદાન આપો-અપાવો. આવા ધનથી જ સમાજ સંસ્કારલક્ષી બનશે, સામાજિક જીવન સુધરશે, ભક્તિભાવનો વિકાસ થશે. * ૨૦૦ ભg For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ©©©©©©©© જૈન ધર્મનો અમૂલ્ય વારસો- ( અમદાવાદસ્થિત ડૉ. રામજીભાઈ જેના સચિત્ર હસ્તપ્રતો | ધર્મના અભ્યાસુ છે. ૨ ડૉ. રામજીભાઈ ઠા. સાવલિયા ભો. જે. અધ્યયન સંશોધન વિદ્યા ભવન, ગુજરાતનો કલા અને સંસ્કૃતિનો વારસો ભવ્ય અમદાવાદમાં છે. એની વિદ્યા-પ્રવૃત્તિના ઘડતરમાં પ્રાચીન | અધ્યાપક છે. હસ્તલિખિત સચિત્ર હસ્તપ્રતોનું બહુમૂલ્ય પ્રદાન છે. ' તાડપત્ર, કાપડ અને કાગળ પર લખાયેલા વિવિધ વિષયોને લગતા હસ્તલિખિત અને સચિત્ર ગ્રંથોને ગ્રંથભંડારોમાં જાળવવામાં આવે છે. સૌરાષ્ટ્રનું વલભી ઈ.સ. પમી સદીમાં વિદ્યાધામ તરીકે સમગ્ર ભારતમાં પ્રખ્યાત હતું. આચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની દેખરેખ હેઠળ તમામ જૈન આગમ ગ્રંથો પુસ્તકરૂપે વલભીમાં લખવામાં આવ્યા. આ બાબત ભારતીય વિદ્યા પ્રવૃત્તિના ઈતિહાસમાં નોંધપાત્ર છે. ચૌલુક્ય વંશના બે ગુર્જર રાજાઓ સિદ્ધારાજ જયસિંહ અને કુમારપાળના સમયમાં ગુજરાતની સાહિત્યપ્રવૃત્તિનો મધ્યાહ્નકાળ શરૂ થયો. સિદ્ધરાજે અનેક ગ્રંથાલયો સ્થાપી “સિદ્ધહેમ વ્યારણ”ની સેંકડો પ્રતો લખાવી. કુમારપાળે પણ એકવીસ જેટલા જ્ઞાનભંડારો સ્થાપ્યા હતા. મંત્રી વસ્તુપાલે પાટણ, ભરૂચ અને ખંભાત એમ ત્રણ ગ્રંથભંડારો સ્થાપ્યાની વિગતો મળે છે. ઉપરોક્ત જ્ઞાનભંડારોમાંની એકમાત્ર તાડપત્ર પર લખાયેલી ઉદયપ્રભસૂરિએ રચેલી ‘ધર્માલ્યુષ્ય' કાવ્યની હસ્તપ્રત હાલ ઉપલબ્ધ છે. - આવા હસ્તલિખિત ગ્રંથભંડારો રાખવાની પ્રથા જૈન સમાજમાં વિશેષ જોવા મળે છે. આ ગ્રંથભંડારોમાં જૈન ધર્મને લગતા ગ્રંથો ઉપરાંત કાવ્ય, કોશ, છંદ, અલંકાર, જ્યોતિષ, નાટક, શિલ્પ, દર્શનશાસ્ત્ર વગેરે વિષયક સમગ્ર સાહિત્યના ગ્રંથોનો સમાવેશ થતો. ગુજરાતના હસ્તલિખિત ગ્રંથભંડારોમાં પાટણ, ખંભાત અને અમદાવાદના ભંડારો વધુ ખ્યાતિ પામેલ છે. ઉપરાંત વડોદરા, છાણી, પાલનપુર, ખેડા, પાદરા, ભરૂચ, સુરત, ભાવનગર, ઘોઘા, પાલિતાણા, લીંબડી, જામનગર, વઢવાણ કેમ્પ, માંગરોળ વગેરે સ્થળોએ અનેક નાના-મોટા ગ્રંથભંડારો આવેલા છે. ' - ૨૬૧ - For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ C જ્ઞાનધારા KO ગુજરાતના હસ્તપ્રત ભંડારોમાં પ્રાચીન સમયથી પાટણ વિદ્વાનો અને સંશોધકો માટે એક તીર્થસ્થાનરૂપ બન્યું છે. અહીં ભંડારોની સંખ્યા ૨૦ જેટલી હતી, પરંતુ આ ભંડારો કાયમ માટે જળવાઈ રહે એ હેતુથી ૧૯૩૯માં ‘‘શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર” બનાવાયું, જ્યાં આશરે ૨૦ હજાર જેટલી હસ્તપ્રતો સંગ્રહાયેલી છે. 1 ‘‘શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર' સંગ્રહમાં તાડપત્ર પર ગુજરાતી ભાષામાં લખાયેલ શ્વેતાંબર જૈન સંપ્રદાયના ગ્રંથ 'નિશિથસૂર્ણિ’ની ઈ.સ. ૧૨મી સદીની સચિત્ર હસ્તપ્રત છે. એમાં એક પત્ર પર વર્તુળાકારમાં હાથીની સવારનું દૃશ્ય તથા માલાધારી સ્ત્રીઓનાં ચિત્રો છે, જે અપ્સરાઓ જણાય છે. અહીં ‘કલ્પસૂત્ર’ની સુવર્ણ અક્ષરોમાં લખાયેલ સચિત્ર પ્રત છે, જેના દરેક પત્ર પર અલગઅલગ ચિત્રો છે. એક પત્રમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય કુમારપાળને ઉપદેશ આપી રહેલા નજરે પડે છે. એમાં લક્ષ્મદિવીનું ચિત્ર પણ છે. પ્રથમ તીર્થંકર આદિશ્વર ભગવાનનું સુંદર ચિત્ર છે. આ પ્રતમાં જૈન સાધ્વીઓ અને શ્રાવિકાઓનાં ચિત્રા આલેખાયેલાં છે. આ પ્રત વિ.સં. ૧૫૦૪ (ઈ.સ. ૧૪૪૭-૧૪૪૮)માં લખાયેલી છે. આ જ સમયની બીજી કલ્પસૂત્રની હસ્તપ્રતમાં જૈન પરંપરામાં વત્તે-ઓછે અંશે પૂજાતાં બ્રહ્મશાંતિ ચક્ષ અને લક્ષ્મદિવીનાં આકર્ષક ચિત્રો છે. ‘ઋષભદેવચરિત’ની ૧૩મી સદીની હસ્તપ્રતમાં ઋષભદેવ અને જૈન યક્ષિણી ચક્રેશ્વરીનાં ચિત્રો અનેરું આકર્ષણ ઊભું કરે છે. ‘ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત’ની પ્રતના છેલ્લા ત્રણ પત્રો ઉપર હેમચંદ્રસૂરિ, રાજા કુમારપાળ અને શ્રાવિકા શ્રી દેવીનાં મનોરમ ચિત્રો આલેખાયાં છે. ‘“નારત્નસાગર”ની હસ્તપ્રત ૧૩મી સદીની છે, જેમાં પાર્શ્વનાથ અને શ્રાવક-શ્રાવિકાઓનાં સુંદર ચિત્રો દોરેલાં છે. કેન્વાસ પર ચીતરેલ ‘મહેન્દ્રસૂરિ સ્વાગતપટ્ટ’માં પ્રથમ ત્રિશલા માતાને આવેલાં ચૌદ સ્વપ્નોનું આલેખન છે. ત્યાર પછી ગામનું દશ્ય, રાજાનો દરબાર, બજાર, તોપખાનું, હાથીખાનું વગેરેનું આબેહૂબ ચિત્રણ કરેલું છે. - અહીં જળવાયેલ એક હસ્તપ્રતમાંનાં ચાર ચિત્રોમાં – હેમચંદ્રાચાર્યને વ્યારણનો ગ્રંથ લખવા માટે વિનંતી કરતો રાજા સિદ્ધરાજ, વ્યાકરણ ગ્રંથને અંબાડી પર મૂકીને ફરતી યાત્રા, પાર્શ્વનાથનું મંદિર અને વ્યાકરણ ગ્રંથની નકલ મેળવવા આનંદપ્રભ ઉપાધ્યાયની વિનંતી કરતા કર્મણ મંત્રી વગેરે પ્રસંગોનાં આબેહૂબ ચિત્રો દોરેલાં છે. ૨૩૨ For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ OCC જ્ઞાનધાર 02796 કાપડના પટ્ટ પર ૧૪મી સદીમાં લખાયેલ ધર્મવિધિપ્રકરણમાં સરસ્વતીનું સુંદર ચિત્ર છે. ૧૫મી સદીમાં રચાયેલ “પંચતાર્થીપટ્ટ ચાંપાનેરમાં તૈયાર થયો છે જેમાં સાત ચિત્રો છે. મંદિરના ગર્ભગૃહમાં સર્ષછત્ર ધારણ કરેલ પાર્થનાથજી, ગિરનાર પર્વતનું દશ્ય, સમેતશિખર અને પાવાગઢ ઉપરનાં મહાવીરસ્વામી મંદિરનાં ચિત્રોનું મનોહર આલેખન છે. આ પટ્ટ સંઘવીપાડાના ભંડારમાં આવેલો છે. ખંભાતમાં હાલ મુખ્ય ચાર હસ્તપ્રત ભંડારો છે. પાયચંદગચ્છનો ભંડાર, જ્ઞાનવિમલસૂરિનો ભંડાર, નેમિસૂરિનો ભંડાર અને શાંતિનાથનો ભંડાર. આમાં શાંતિનાથ ભંડાર સમગ્ર ગુજરાતમાં સહુથી સમૃદ્ધ અને મૂલ્યવાન ભંડારોમાંનો એક છે. અહીં ઈ.સ. ૧૨મીથી ૧૪મી સદી દરમિયાન સંસ્કૃતમાં લખાયેલ પ્રાચીન અને દુર્લભ તાડપત્રીય હસ્તપ્રતો છે. ગુજરાતની ગ્રંથસ્થ લઘુચિત્ર લાના સહુથી પ્રાચીન નમૂના આ ભંડારની તાડપત્રીય સચિત્ર હસ્તપ્રતોમાંથી મળે છે. દશવૈકાલિક સત્રની લઘુવૃત્તિ હસ્તપ્રતના છેલ્લા પત્ર પરના ચિત્રમાં આસન પર બિરાજમાન આચાર્ય હેમચંદ્રાચાર્ય જમણા હાથમાં તાડપત્ર ધારણ કરી પોતાના શિષ્ય મહેન્દ્રસૂરિને પાઠ આપતા જણાય છે. મહેન્દ્રસૂરિની પાછળ બે હાથ જોડીને ઊભેલ દાઢીવાળા ગૃહસ્થની આકૃતિ રાજા કુમારપાળની છે. આ ચિત્ર આચાર્ય હેમચંદ્ર અને રાજા કુમારપાળના જીવનકાળ દરમિયાન દોરાયેલું છે. આ પ્રત ૧૨મા સૈકાની છે. શાંતિનાથ ભંડારમાં સંગ્રહિત નેમિનાથચરિત્ર'ની ૧૩મી સદીની પ્રતમાં જૈન તીર્થંકર નેમિનાથ, અંબિકાદેવી અને અંજલિમુદ્રામાં શ્રાવક-શ્રાવિકાનાં ચિત્રો દોરાયેલાં છે. ૧૨મી સદીની એક અન્ય સચિત્ર પ્રતમાં બે ચિત્રો છે, જેમાંના એક ચિત્રમાં પવાસન પર બેઠેલા મહાવીરસ્વામી અને બીજા ચિત્રમાં ત્રિભંગ અવસ્થામાં ઊભેલ ચતુર્ભુજ સરસ્વતીનું સુંદર ચિત્રણ થયેલું છે. અમદાવાદમાં દેવશાના પાડાના ભંડારમાં ‘શ્રીપાલરાસની ઈ.સ. ૧૮૨લ્માં તૈયાર થયેલ એક ચિત્રિત હસ્તપ્રત છે. એમાં વેપાર માટે સુરત આવતાં વહાણોનાં ચિત્રાંકનો આબેહૂબ છે. કેટલાંક ચિત્રોમાં વૃક્ષો-વનરાજિઓનાં દશ્યો અંક્તિ કરેલાં છે. કેટલાંક ચિત્રોમાં ગીત-સંગીત અને નૃત્યોનું આલેખન કરેલું છે. પુરુષોના હાથમાં વિણાનું ચિત્રણ નોંધપાત્ર છે. દેવશના પાડાના દયાવિમલજી ભંડારમાં કલ્પસત્ર'ની ૧૫મી સદીની સચિત્ર હસ્તપ્રત છે. સુવર્ણ અક્ષરોમાં લખાયેલી આ પ્રતિમાં રાગ " ૨૬૩ For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ >C જ્ઞાનધારા રાગિણીઓ જેવાં સંગીતશાસ્ત્રનાં તથા આકાશચારી, પાદચારી અને ભૌમચારી જેવાં ભરતનાટ્યશાસ્ત્રનાં રૂપોનું ચિત્રાંકન કરેલું છે. અમદાવાદના ડહેલાના ઉપાશ્રયમાં ‘શ્રીપાલરાસ’ની હસ્તપ્રત (ઇ.સ. ૧૮૨૧૧૮૨૨)નાં ચિત્ર ઉત્તર ગુજરાતની વિશિષ્ટ ગ્રામીણ શૈલીમાં આલેખાયાં છે. પુરુષપાત્રોનાં પાઘડી, લાંબી બાંયનાં અંગરખાં, પટાદાર ધોતિયાં અને ખેસના આલેખન આકર્ષક છે. સ્ત્રીપાત્રો ઘેરા વાદળી રંગની ઓઢણી અને લાલ રંગનો ચણિયો ધારણ કરેલ દર્શાવાયાં છે. ચિત્રોમાં પશુ-પક્ષી અને વનરાજિનું આલેખન મનોહર છે. આ ભંડારમાં ૧૯મી સદીની એક‘ચિત્રિત જૈન ‘જ્ઞાનચૌપાર’ જળવાયેલી છે. હિંદુ અને જૈન પરંપરામાં સાધુઓ અને સંસારીઓ માટે જે જ્ઞાનચૌપાર તૈયાર કરાતી, એમાં દેવલોકનું, સર્પો અને સીડીઓનું, નવગ્રહોનું તેમ જ જુદીજુદી જીવયોનિઓનાં ચિત્રોનું આલેખન કરવામાં આવતું. વિવિધ પ્રકારના દેવલોક, સ્વર્ગ અને નરક તેમ જ મોક્ષનો ખ્યાલ આપતી જ્ઞાનચૌપાર હિંદુ પરંપરામાં પણ તૈયાર કરાવવામાં આવતી, જેમાં ૮૪ કોઠાઓનું આલેખન કરાતું. આ ૮૪ લાખ યોનિઓનું પ્રીતક મનાતા. ઉજમફોઈની ધર્મશાળાના ગ્રંથભંડારમાં ૧૪મી સદીની એક હસ્તપ્રતમાં મહાવીરસ્વામીનું ચ્યવન, જન્મ, નિર્ણાણ, સમવસરણ વગેરે પ્રસંગોનાં ચિત્રો છે. હાજા પટેલની પોળમાં ‘સંગ્રહણીસત્ર’ (ઇ.સ. ૧૮૫૪-’૫૫)ની એક ચિત્રિત હસ્તપ્રતની નકલ જળવાયેલી છે. એમાં ચક્રવર્તીનાં ૧૪ રત્નો, મેરૂ પર્વત અને દ્વીપોનું આલેખન કરેલું છે. અમદાવાદના ભો. જે. અધ્યયન સંશોધન વિદ્યા ભવનના મ્યુઝિયમમાં વેદવેદાંગ, ઇતિહાસ, પુરાણ, બૌદ્ધ અને જૈન સાહિત્ય, ભક્તિ વગેરે વિવિધ વિષયોને લગતી હસ્તપ્રતો સચવાયેલી છે, જેમાં કલ્પસત્ર, મધુમાલતી કથા જેવી, મનોહર ચિત્રોવાળી પ્રતો છે. જૈન સૂરિઓ અને સાધુઓને તેમ જ સંઘને યાત્રા દરમિયાન આમંત્રણ આપતું એક વિજ્ઞપ્તિપત્ર (૧૮મી સદી) સંગ્રહાયેલું છે. એમાંની કેટલીક હસ્તપ્રતો સુંદર વલબુટ્ટાની આકૃતિઓથી શણગારાયેલી, કોઈક સોનેરી શાહીથી લખેલી, લાલ, કાળી શાહીના લખાણવાળી છે. લા. દ. વિદ્યામંદિરમાં મુનિશ્રી પદ્મવિજયજી મહારાજ તરફથી ભેટ મળેલ ૨૬૪ K For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ OC C જ્ઞાનધારા હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહ છે. અહીં ૫૦૦થી વધુ જેટલી સચિત્ર હસ્તપ્રતો છે, જેમાં ૧૮મી સદીની ‘કલ્પસૂત્ર’ની એક હસ્તપ્રતમાં ગજસવારીનું દશ્ય નજરે પડે છે. કાગળની કેટલીક હસ્તપ્રતોમાં ભગવાન તીર્થંકરોના જીવનપ્રસંગો આલેખાયેલા છે. આ જ સંસ્થામાં આવેલ મ્યુઝિયમમાં થોડીક સચિત્ર હસ્તપ્રતો સંગ્રહાયેલી છે, જેમાં ‘કલ્પસૂત્ર’ની ઈ.સ. ૧૪૭૦ની પ્રતમાં કાલકાચાર્યની કથાના દશ્યમાં કાલક અને શાહીને વાર્તાલાપ કરતાં દર્શાવાયાં છે. બીજી પ્રતમાં રાજાને દાન આપતો બતાવ્યો છે, જેનું લખાણ સુવર્ણાક્ષરમાં અને પાર્શ્વભૂમિમાં વાદળી રંગનું આલેખન છે. ‘વ્રતાચાર્ય કથા’ની હસ્તપ્રત (ઈ.સ. ૧૪૬૮)માં શત્રુંજય માહાત્મ્યનું દૃશ્ય આકર્ષક છે. ‘ઉત્તરાધ્યાયન સૂત્ર’માંના એક દશ્યમાં મુનિશ્રી શ્રાવકને ઘરે વહોરવા માટે ગયેલા એનું ચિત્રણ સુંદર રીતે કરેલું છે. ‘માધવાનલ કામકન્દલા’ની પ્રતમાં વિક્રમાદિત્યકામસેનના યુદ્ધનું દશ્ય કંડારેલું છે. ‘ચંદ્રપ્રભચરિત’માં ચંદ્રપ્રભસ્વામીના સમવસરણનું દશ્ય દોરેલું છે. ઇ.સ. ૧૫૮૩માં લખાયેલી ‘સંગ્રહણી સત્રની હસ્તપ્રતમાં ઇન્દ્રસભામાં નાચ-ગાનનું દશ્ય ચિત્રકાર ગોવિંદ દ્વારા ચીતરવામાં આવેલ છે. અહીં સિદ્ધચક્ર પટ્ટના કેટલાક નમૂનાઓ જળવાયા છે, જેમાં નવપદને એક યંત્ર સ્વરૂપે ગોઠવેલ છે. ચાર પગથિયાં - જ્ઞાન દર્શન (શ્રદ્ધા), ચારિત્ર્ય અને સિદ્ધિ, તપમાંથી ચાર સિદ્ધિ-ઉપાધ્યાય, સાધુ, આચાર્ય અને સિદ્ધ, આમ આઠ વસ્તુ પ્રાપ્ત થતાં ‘અરિહંત' એટલે કે મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. અહીં સંગ્રહાયેલ વિજ્ઞપ્તિપત્રમાં પ્રથમ મંગળ ચિહ્નો તથા અષ્ટમંગલનું ચિત્ર, નગરનું આલેખન, સાધુમહારાજના વ્યાખ્યાનને ચિત્રાંકિત કરી, વિગતો લખીને એના પર સંઘના સભ્યોના હસ્તાક્ષર લેવાતા. મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયમાં વડોદરા રાજ્યમાં હસ્તલિખિત ગ્રંથોની જાવળણી પ્રત્યે ઊંડો રસ લીધેલો અને આવા ગ્રંથોના સંશોધન માટે વિભાગ શરૂ કરેલો, જે આજે પ્રાચ્ય વિદ્યામંદિર તરીકે ઓળખાય છે, જેમાં દરેક પ્રકારના હસ્તલિખિત ગ્રંથોનો અમૂલ્ય ખજાનો જળવાયો છે. ઈ.સ. ૧૬૯૪માં રચાયેલી ‘માનતુંગ માનવતી જૈનરાસ' નામની સચિત્ર હસ્તપ્રતના પ્રથમ ચિત્રમાં રાજાની સવારીનું દશ્ય છે. હાથી પર બિરાજમાન રાજા, પાછળ મંત્રીઓ ઘોડા પર બેઠેલ છે અને આગળના ભાગે ઢાલ-ભાલો લઈને ચાલતા ૨૬૫ For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ©© જ્ઞાનધારા SOON સૈનિકો જોઈ શકાય છે. અન્ય બે ચિત્રોમાં રાજા મંત્રીઓ સાથે મંત્રણા કરતા જણાય છે. વડોદરાના હંસવિજયજી સંગ્રહમાં કલ્પસૂત્રની ૧૫મી સદીની હસ્તપ્રત સુરક્ષિત છે. જેનું લખાણ સોનેરી શાહીથી લખેલું છે. આ હસ્તપ્રતમાં આઠ ચિત્રો અને ૭૪ અપ્રતિમ કારીગરીવાળી સુંદર કિનારો છે. વડોદરા પાસેના છાણી ગામમાં ત્રણ જેટલા હસ્તપ્રત સંગ્રહો છે. અહીંના વીરવિજયજી સંગ્રહમાં ઓધનિયુક્તિ' ગ્રંથની ઇ.સ. ૧૧૬૧ની પ્રત છે, જેમાં ૧૬ વિદ્યાદેવીઓ, સરસ્વતી, લક્ષ્મી, અંબિકા અને બ્રહ્મશાંતિ યક્ષ મળી કુલ ૨૧ ચિત્રો જૈન મૂર્તિવિધાનની દષ્ટિએ મહત્ત્વનાં છે. ઇડરના શેઠ આણંદજી મંગળની પેઢીના હસ્તપ્રત સંગ્રહમાં કલ્પસૂત્ર અને કાલકથાની ૧૪મી અને ૧૫મી સદીની સચિત્ર પ્રત છે. તાડપત્રની પ્રત પર સોનાની શાહીથી ચિત્રો દોરેલાં છે. કલ્પસૂત્ર'ના વધુમાં વધુ પ્રસંગો આ પ્રતમાં સ્થાન પામ્યા છે, જેમાં અમાંગલિક, મહાવીરનો જન્મ, પાર્શ્વનાથનો જન્મ, નિર્વાણ અને એમના યક્ષ-પક્ષી, ઋષભદેવનું નિર્વાણ વગેરે ચિત્રો ખૂબ આકર્ષક અને મનોહર રીતે આલેખાયાં છે. લીંબડીના જૈન જ્ઞાનભંડારમાં ઈ.સ. ૧૪૧૫-૧૪૧૬માં રચાયેલી કલ્પસૂત્રની સચિત્ર સુવર્ણાક્ષરી હસ્તપ્રત છે. જામનગરમાં કલ્પસૂત્ર-કાલકકથા (ઈ.સ. ૧૫૦૧)ની સચિત્ર હસ્તપ્રત છે. ' કોબા (ગાંધીનગર)માં મહાવીર જૈન આરાધના મંદિરના કેન્દ્રમાં મુનિશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરમાં હજારો હસ્તપ્રત જળવાયેલી છે. 'પ્રશ્નવ્યાકરણ સૂત્રપાઠ' નામની હસ્તપ્રત સંસ્કૃત, પ્રાકૃત અને હિન્દી ભાષામાં સં. ૧૭૫૫માં લખાયેલી, જેમાં ૨૨ ચિત્રો છે. આનંદઘન ચોવીસીની હસ્તપ્રતમાં ચોવીસ તીર્થકરોનાં સ્તવનોની રચના કરેલી છે, જેમાં કુલ ૧૪ ચિત્રો છે. આ પ્રત ૧૭મા સૈકામાં લખાયેલી છે. અમદાવાદના સારાભાઈ નવાબના સંગ્રહમાં સૂરિમંત્રપટ'નું ૧૪મી સદી જેટલું પ્રાચીન ચિત્ર જળવાયું છે. એમાં પૂર્ણ વિકસિત પર્વ પર બેઠેલ મહાવીરસ્વામીના પ્રથમ શિષ્ય ગૌતમસ્વામીનું ચિત્ર નજરે પડે છે. અહીંના સંગ્રહમાં ઋષભદેવના સમવસરણનો ૧૫મી સદીના મધ્યનો એક પટ્ટ અને જંબુદ્વીપનો ૧૬મી સદીનો પટ્ટ સંગ્રહાયેલો છે. For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ OCC જ્ઞાનધારા GOOG હસ્તપ્રતોની જાળવણી માટે વપરાતી પાટલીઓ પર લઘુચિત્રો દષ્ટિગોચર થાય છે. મુનિ પુણ્યવિજયજી સંગ્રહમાંની એક પાટલી પર મહાવીરસ્વામીના ૨૭ ભવો પૈકી કેટલાક ભવોનું ચિત્રાંકન નજરે ચડે છે. જૈન ધર્મની સચિવ હસ્તપ્રતોમાંથી સામાજિક, ધાર્મિક, ઈતિહાસ, પ્રાચીન ગામોના સ્થાનિક ઇતિહાસ તેમ જ પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતની સંસ્કાર અને સાહિત્ય પ્રવૃત્તિઓ વિશ ઉપયોગી માહિતી મળે છે. આ જૈન સચિત્ર હસ્તપ્રતમાંનાં ચિત્રો મધ્યકાલીન પશ્ચિમ ભારતની ચિત્રશૈલીના ઉત્તમ નમૂના પૂરા પાડે છે. આ શૈલીનાં ચિત્રો લઘુ-ચિત્રો સ્વરૂપે મળે છે. આ લઘુચિત્રોની શૈલીના નમૂના ખાસ કરીને જૈન કે જૈનાશ્રિત લખાયેલા ગ્રંથોનાં લઘુચિત્રોના રૂપમાં દોરાયેલા છે. ચિત્રોની આ શૈલીને ગુજરાતની શૈલી કે મારુ-ગુર્જર શૈલી પણ કહે છે. આમ, ગુજરાતના હસ્તપ્રત સંગ્રહો ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસા સમાન છે. એ વર્તમાનયુગના અને ભાવિ પેઢીના વિદ્યાના ઉપાસકોને માટે મહામૂલી મૂડી છે. આ અમૂલ્ય હસ્તપ્રતોની જાળવણી ખૂબ જ કાળજી માગી લે છે. આવા પ્રાચીન ગ્રંથોને યથાવત્ રાખવા માટે ખાસ વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા જંતુરહિત અને સાફ રાખવાની પ્રક્રિયા નિયમિત રીતે થવી જોઈએ. ગુજરાતના તમામ હસ્તપ્રત સંગ્રહોમાં રખાયેલ પ્રાચીન હસ્તપ્રતોની વૈજ્ઞાનિક પદ્ધતિથી જાળવણી એ સાચવણી થાય તો જ આવનાર વર્ષોમાં નવી પેઢી આપણા કલા અને સાંસ્કૃતિક વારસાને સાચવી શકશે, સમજી શકશે. ' - આવા હસ્તલિખિત ગ્રંથો અને ચિત્રો વર્ષો પહેલાં નાજુક પદાર્થો પર લખાયેલાં હોવાથી તેનો વારંવાર ઉપયોગ કરવાથી એને નુકસાન થવા સંભવ છે. આ નુકસાન નિવારવા વૈજ્ઞાનિક દષ્ટિએ સહેલી એવી કોમ્યુટરની મદદ લેવી જોઈએ. આ સાધનની મદદથી તૈયાર થતી એની પ્રતિકૃતિઓ અભ્યાસીઓ અને સંશોધકોને સહેલાઈથી ઉપલબ્ધ કરાવી શકાય છે. જેમને આ ભંડારોમાં સચવાયેલી જ્ઞાનસંપત્તિની પરિભાષા, લિપિ તથા અન્ય સંકેતોનું જ્ઞાન છે તેને માટે આ જ્ઞાનભંડારો દિવ્ય ખજાનારૂપ છે. સંદર્ભ ગ્રથો : ૧. સાંડેસરા ભોગીલાલ ‘ઇતિહાસની કેડી', ૧૯૪૫, વડોદરા - ઇતિહાસ અને સાહિત્ય, ૧૯૬૬, અમદાવાદ. ૨. નવાબ સારાભાઈ (સંપા. પ્રકા.) જૈન ચિત્ર કલ્પદ્રુમ ૧૯૩૫, આમદાવાદ. For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ SSC જ્ઞાનધાર ૭૦ ૩. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ-૭, ૧૯૮૧ અને ગ્રંથ-૮, ૧૯૮૪. ભો. જે. વિદ્યા ભવન, અમદાવાદ, ૪. “ગુજરાતના ગ્રંથભંડારો” - ગુજરાત માહિતી ખાતા (ગુ.રા.) દ્વારા ૨૦૦૧માં તૈયાર કરેલ. ૩૫ એમ.એમ.ની ફિલ્મ નિમિત્તે વિવિધ ગ્રંથભંડારોની રૂબરૂ મુલાકાત વખતે ત્યાં જળવાયેલ સચિત્ર હસ્તપ્રતોની વિગતો સામેલ કરી છે. u. Shah G. P., Treasurers of Jain Bhandaras, 1978, L.D. Indology, Ahmedabad. $. Savalia Ramji, 'Illustrated Jain Manuscripts Preserved in the Bhandaras and the Museums of Gujarat "Steps of Indology", 2009, B. J. Institute, Ahmedabad. કરી છે જે Whકારી ઓ સંત જન: - રોશની સરકારી તીર - ૨૬૮ - For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ C જ્ઞાનધારા દેવદ્રવ્યનું રોકાણ અને ઉપયોગ હિંમતલાલ શાંતિલાલ ગાંધી પૂર્વટ્રસ્ટી : શ્રી ગોડીજી જૈન દેરાસર, પાયધુની, મુંબઈ. પૂર્વમંત્રી : શ્રી મહાવીર જૈન વિદ્યાલય મંત્રી : શ્રી જૈન ઍસોસિયેશન ઑફ ઈંડિયા શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન ધર્મના વહીવટમાં એક અતિસંવેદનીય મુદ્દો છે તેમ જ એ અંગે સર્વ સામાન્ય રીતે દ્વિધા પ્રવર્તે છે. દેરાસરોમાં પ્રતિષ્ઠા, પ્રભુપૂજા, પ્રભુભક્તિ વગેરેના ચડાવાની સર્વ આવક દેવદ્રવ્ય ગણાય છે અને તેનો ઉપયોગ મહાત્માઓ તથા શાસ્ત્રકારોનાં મંતવ્યો અને નિયમો મુજબ ફક્ત જિનાલયોના જીર્ણોદ્ધાર માટે જ થઈ શકે. છતાં વર્તમાનમાં નૂતન જિનાલયોના નિર્માણમાં પણ કરવામાં આવે છે. ઉપયોગ બાબત શાસ્ત્રો કે મહાત્માઓનાં મંતવ્યો સ્વીકાર્ય માનીને વિવાદથી દૂર રહીએ. અગાઉનાં વર્ષોમાં દેવદ્રવ્યનું રોકાણ મિલકતો અને મકાનોમાં થતું હતું, કરવામાં આવતું હતું તેમ જ બૉમ્બે પબ્લિક ટ્રસ્ટ ઍક્ટ મુજબ પણ એ માન્ય છે. આ અંગે પ.પૂ. ગીતાર્થજ્ઞાની ગુરુભગવંતો તથા ટ્રસ્ટીઓ પણ ગંભીરતાથી વિચારીને યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા આપે તે પ્રાર્થના. પ્રાપ્ત માહિતી મુજબ એકલા મહારાષ્ટ્રમાં દેરાસરોના દ્રવ્યના રૂપિયા પચ્ચીસ હજાર કરોડ કરતાં વધારે રકમ બેંકોમાં ફિક્સ ડિપોઝિટોમાં પડેલ છે, જેની વ્યાજની આવક થાય છે. બેંકો કતલખાનાં, માંસ નિર્યાત કરનારાઓને પણ લોનો આપે છે. જો આ રકમનું રોકાણ સાધર્મિક જરૂરિયાતમંદો માટે સસ્તા ભાડાની ચાલીઓ, રહેઠાણો બાંધવામાં કરવામાં આવે, જેમાં માલિકી ટ્રસ્ટો–દેરાસરોની જ રહે અને બેંક વ્યાજ જેટલી આવક પણ મેળવી શકાય. કિંમતના વધારાનો લાભ પણ દેરાસરોને મળે. આ જ રીતે શિક્ષણ સંસ્થાઓમાં પણ થઈ શકે અને સાત ક્ષેત્રમાંના સાધર્મિકો રા જૈન શાસનની ઉન્નતિ માટે થઈ શકે તેમ જ દેવવાણીનું પણ પાલન થઈ શકે. આ અંગે જ્ઞાની-ગીતાર્થ ગુરુભગવંતો પ્રેરણા અને માર્ગદર્શન આપે અને ટ્રસ્ટીઓ પણ યોગ્ય નિર્ણયો લઈને શાસન પ્રસાર અને ધર્મ પ્રભાવનાના કાર્ય કરીને જૈન શાસનની ઉન્નતિ અંગે પ્રભુવાણીને સાર્થક કરે. શાસ્ત્રાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડમ. ૨૬૯ For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા 0796 જૈનોને લઘુમતીની માન્યતા ભારત સરકારના રાજપત્ર ગેઝેટ ઓફ ઇન્ડિયામાં ૨૭-૧-૨૦૧૪, કેન્દ્ર સરકારના આદેશ અનુસાર ભારતમાં રહેતા જૈનધર્મીઓને ધાર્મિક લઘુમતી શ્રેણીમાં મૂક્યા છે. ભારતના બંધારણના ભાગ-૩ના ફંડામેંટલ રાઈટ્સ અંતર્ગત આર્ટિકલ ૨૯, ૩૦ અને ૩૧ અનુસાર ભારતના અલ્પસંખ્યકોને જે અધિકાર આપવામાં આવ્યા છે તે જૈન સમુદાયને પણ મળે છે જેની મુખ્ય બાબતો આ પ્રમાણે છે. • જૈન ધર્મની સ્વતંત્ર રૂપમાં કાયદેસર માન્યતા પ્રમાણે, બંધારણ પ્રમાણે જૈન સમુદાયનાં ધર્મ, ભાષા અને સંસ્કૃતિની કાયદેસર રક્ષા કરવામાં આવશે. જૈનોનાં ધાર્મિક સ્થળ, સંસ્થાઓ, મંદિરો, તીર્થક્ષેત્રો, ટ્રસ્ટો સરકારીકરણથી મુક્ત રહેશે. તીર્થસ્થળો, જૈન મંદિરો, શૈક્ષણિક સંસ્થાઓનો વહીવટ જૈન સમુદાયના હાથમાં જ રહેશે. ઉપાસના સ્થળ અધિનિયમ ૧૯૯૧ તથા દેવસ્થાન અધિનિયમનની પ્રમાણે સરકારી હસ્તક્ષેપમાંથી જૈન મંદિરોને મુક્તિ. • જૈન ટ્રસ્ટોની સંપત્તિ પર ભાડા નિયંત્રણ ધારો લાગુ નહિ પડે. • જૈન ધર્મ પોતાની પ્રાચીન (પુરાતત્ત્વ) સંપત્તિ અને ધર્મસ્થાનોનું રક્ષણ કરી શકશે, તે માટે સરકારી સહયોગ મળશે. જૈન સ્કૂલોમાં નૈતિક, ધાર્મિક અભ્યાસ કરાવવાની છૂટ. જૈનો દ્વારા ચલાવાતી શૈક્ષણિક સંસ્થામાં ૫૦% સીટ જૈન વિદ્યાર્થીઓ માટે અનામત રાખી શકાશે. ગરીબીની રેખા નીચે જીવતા પરિવારોને ધો. થી ૧૨ નિ:શુલ્ક શિક્ષણ વ્યવસ્થા. વ્યવસાય માટે ઓછા વ્યાજમાં લોન. • જૈન છાત્રોને કેન્દ્ર ને રાજ્ય દ્વારા સ્કોલરશિપ જૈનોને વોકેશનલ ટ્રેનિંગ સ્ટાઈફંડ મળશે. • જૈનોને માસ્ટર ડિગ્રી, Ph.D.વગેરે માટે વિદેશ અભ્યાસ માટે લોનના વ્યાજમાં સબસિડી. • સરકારી નોકરીની પરીક્ષા માટેનું નિઃશુલ્ક કોચિંગ મળશે. • સરકારી નોકરીની અનામતના કોઈ પણ લાભ લઘુમતીને મળતા નથી. લઘુમતીના કોઈ પણ લાભ લેવા માટે ટ્રસ્ટ-સંસ્થા કે વ્યક્તિએ નામ સાથે “જૈન” શબ્દ જોડવો હિતાવહ છે. - ૨૭૦ ૭ For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ IC જ્ઞાનધારા 02796 સૌરાષ્ટ્રરકારી પ્રાણગુરુજેન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબની કૃતપ્રભાવના વિશિષ્ટ હતી. શાસગ્રંથોનું પરિશીલન, તાડપત્રીય ગ્રંથોનો સંગ્રહ અને જાળવણી, શાસ્ત્રભંડારો અને પાઠશાળાની સ્થપનામાં એમનું અનેરું યોગદાન હતું. આ સંભના પરિપ્રેક્ષ્યમાં અધ્યાત્મયોગિની પૂ. લલિતાબાઈ મ.સ.નાં વિદ્વાન શિખ્યા પૂ. ડો. તરુલતાજીની પ્રેરણાથી સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણગુર જમશતાબ્દી સમિતિ’ મુંબઈના સહયોગથી ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવ રાખવા પૂજ્યશ્રીની જન્મશતાબ્દી પ્રસંગે સંસ્થાએ સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુર જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેન્ટરની સ્થાપના કરી છે. સેન્ટના ઉદ્દેશ આ પ્રમાણે છે:• જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવું. • સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મના સાહિત્યનું પ્રકાશન કરવું. • જૈન ધર્મનાં તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજૂઆત કરવી. • પ્રાચીન હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિ કરવી. • જૈન ધર્મને કેન્દ્રમાં રાખી માનવધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો. • જૈન સાહિત્યનાં અધ્યયન અને સંશોધનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ (સ્કૉલરશિપ) આપવી. • જૈન સાહિત્ય જ્ઞાનસત્રનું આયોજન કરવું. • વિદ્વાનો અને સંતોનાં પ્રવચનોનું આયોજન કરવું. • ધર્મ અને સંસ્કારનો વિકાસ અને સંવર્ધન થાય તેવી શિબિર અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવું. સંસ્કારલક્ષી, સત્ત્વશીલ અને શિષ્ટ સાહિત્યનું પ્રકાશન કરવું. • અભ્યાસ નિબંધ, વાચન (Paper Reading), લિપિ વાચન અને પ્રાચીન જૈન ગ્રંથો (Old Jain Manuscript) quilt. • જૈન ધર્મ પર સંશોધન M.A. Ph.D., M.Phill), કરનારાં જિજ્ઞાસુ, શ્રાવક, સંત સતીજીઓને સહયોગ અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન. • જૈને પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પ, સ્થાપત્યના ફોટાઓ વગેરેની C.D. તૈયાર કરાવવી. • દેશ-વિદેશોમાં જૈન ધર્મ પર પરિસંવાદ, પ્રવચન-આયોજન, ઈન્ટરનેટ પર વેબસાઈટ દ્વારા જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્ય વિષયક માહિતીનો પ્રચાર કરવો. સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુર આપના સહયોગની અપેક્ષા સાથે જૈન ફિલોસોફિકલ એન્ડ ટ્રસ્ટી અને માનદ્ સંયોજક લિટરરી રિચર્સ સેન્ટર ગુણવંત બરવાળિયા અઈમ સ્પિરિટ્યુઅલ સેન્ટર E-mail : gunvant.barvalia@gmail.com 022 - 42153545 - ૨૭૧ ૧૭ _ _ For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ OCC_જ્ઞાનધારા ભ योग મ સર્વમંગલમ્ આશ્રમ, સાગોડિયા પાવન સાનિધ્ય: પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ ભગવાન પાર્શ્વનાથજીનું દેરાસર. ‘આત્મ આરાધના કેન્દ્ર' એકાંત, અસંગ, મૌન સાથે સત્શાસ્ત્ર · અધ્યયન, સ્વાધ્યાય ને ધ્યાન સાધના દ્વારા આત્મઆરાધના અર્થે સાધુ-સાધ્વીજીઓ, સંતો અને મુમુક્ષુઓની સાધનામાં સાનુકૂળ સુવિધાઓ પૂરી પાડતું આદર્શ સ્થળ. સાત્ત્વિક ભોજનાલય. શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક ધ્યાનકેન્દ્ર : સ્વાધ્યાય અને સમૂહ ધ્યાન માટે. શ્રી કેશર ધ્યાનકક્ષા : ધ્યાન માટે સ્વતંત્ર કુટિરો. *શ્રીમદ્ રાજચંદ્રજીનું જીવનદર્શન, વીંતરાગ વિજ્ઞાન અને ભારતીય તત્ત્વજ્ઞાનની વિસ્તૃત સમજણ આપતું કેન્દ્ર. *. ઑડિટોરિયમ : સાધકોના આધ્યાત્મિક વિકાસ માટે ઑડિયો વિઝ્યુઅલ થિયેટર. * સભ્યજ્ઞાન પ્રસારણ યોજના : આધ્યાત્મિક પુસ્તક પ્રકાશન. * આશ્રમ મુખપત્ર : ‘પરમ તત્ત્વ’ પ્રકાશન. * સદ્ભુત અભ્યાસ વર્તુળ : ૫. ગુરુજીની વાણીનું પુસ્તક દ્વારા પ્રકાશન, ધ્યાનશિબિરોનું આયોજન. * બુનિયાદી માધ્યમિક તાલીમ શાળા, કૉમ્પ્યુટર શિક્ષણ કેન્દ્ર, છાત્રાલય, પુસ્તકાલય, પાઠ્યપુસ્તક ભંડાર, સ્વનિર્ભર પ્રાથમિક શાળા. મોબાઈલ મેડિકલ વાન અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. નૂતન કુમુદ ગૌશાળા. વાનપ્રસ્થ આરાધના કેન્દ્ર : વૃદ્ધોને રહેવાની સગવડ. ܀܀܀܀ ૨૭૨ For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ NOCNC જ્ઞાનધારા OOOO C અર્હમ સ્પિરિચ્યુઅલ સેન્ટર સંચાલિત SKPG જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર મુંબઈ દ્વારા આયોજિત સર્વમંગલ આશ્રમ સાગોડિયા અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ડિપા. ઑફ જૈનોલૉજી પાટણ, પ્રેરિત જૈનસાહિત્ય જ્ઞાનસત્ર - ૧૧ તા. ૫, ૬, ૭ એપ્રિલ, ૨૦૧૪ પ્રાપ્ત શોધપત્રો – નિબંધો અને સમ્મતિ પત્રોની યાદી સંઘ શ્રેષ્ઠીઓ : • શ્રી મગનલાલ હરિલાલ દોશી (પ્રમુખ : અ. ભા. વે. સ્થા. જૈન કૉન્ફરન્સ) • શ્રી પ્રાણલાલ શેઠ (વેકરીવાળા) (પ્રમુખ : બૃહદ મુંબઈ સ્થા. જૈન મહાસંઘ) •શ્રી પ્રવીણભાઈ કોઠારી (ગોંડલ સંપ્રદાય સંરક્ષણ સમિતિ) • શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ (પ્રમુખ : રાજકોટ સ્થાનકવાસી જૈન રૉયલ પાર્ક સંઘ) • શ્રી કિશોરભાઈ કોરડિયા (વિસાશ્રીમાળી જૈન સમાજ પૂર્વ-પ્રમુખ-ટ્રસ્ટી-રાજકોટ) •શ્રી ચમનલાલ વોરા (પૂર્વપ્રમુખ : સ્થા. જૈન સંઘ, હિંગવાલા લેન, ઘાટકોપર) • શ્રી સી. ડી. મહેતા (પ્રમુખ : શ્રી જૈન કેળવણી મંડળ - મુંબઈ) • શ્રી યશ્વિન કાપડી (પૂર્વપ્રમુખ : જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશન) • શ્રી હિંમતભાઈ ગાંધી (પૂર્વટ્રસ્ટી : ગોડીજી જૈન દેરાસર, પાયધુની - મુંબઈ) •શ્રી શાંતિલાલ ડી. જૈન (મંત્રી : કેસરવાડી જૈન તીર્થ, ચેન્નઈ) • શ્રી યોગેશભાઈ બાવીશી (સાંઘાણી સ્થા. જૈન સંઘ, ઘાટકોપર-પૂર્વટ્રસ્ટી) • શ્રી સંજયભાઈ કોઠારી (મે. ટ્રસ્ટી શ્રી નવકાર સારવાર કેન્દ્ર - અમદાવાદ) •શ્રી બાબુલાલ સી. શાહ (ચૅરમૅન પાર્શ્વનાથ જૈન ફાઉન્ડેશન - અમદાવાદ) • શ્રી ખીમજીભાઈ છાડવા (ટ્રસ્ટી : તારદેવ સ્થા. જૈન સંઘ - મુંબઈ) • શ્રી હર્ષદભાઈ કે. શાહ (ટ્રસ્ટી : આત્માનંદ જૈન સભા - ભાવનગર) ૨૭૩ For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ OCC જ્ઞાનધારા OO વિદ્વતવર્યો : • પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ (અમદાવાદ) - ડૉ. સાગરમલ જૈન (એમ.પી.) • પ્રો. ડૉ. આર. એલ. ગોદારા (વાઈસ ચાન્સેલર હેમચંદ્રાચાર્ય, ઉ. ગુ. યુનિ. - પાટણ) • પ્રો. ડૉ. દીપુબા દેવડા (પ્રો. વાઈસ ચાન્સેલર હેમચંદ્રાચાર્ય, ઉ. ગુ. યુનિ.-પાટણ) • સમણી ચરિત્ર પ્રજ્ઞાજી (વાઈસ ચાન્સેલર જૈન વિશ્વભારતી - લાડનું) • શ્રી સુરેશભાઈ ગાલા (મુંબઈ) • ડૉ. કોકિલાબહેન શાહ (મુંબઈ) • ડૉ. રશ્મિભાઈ ઝવેરી (મુંબઈ) • ડૉ. ધનવંત શાહ (મુંબઈ) • ડૉ. શેખરચંદ્ર જૈન (અમદાવાદ) • ડૉ. અભય દોશી (મુંબઈ) • ડૉ. ઉત્પલા મોદી (મુંબઈ) • ડૉ. રશ્મિબહેન ભેદા (મુંબઈ) • ડૉ. બિનોદકુમાર તિવારી (રોઝરા-બિહાર) • ડૉ. છાયાબહેન શાહ (અમદાવાદ) • ડૉ. રેખાબહેન વોરા (મુંબઈ) • ડૉ. પ્રવીણભાઈ શાહ (અમદાવાદ) • ડૉ. સેજલ શાહ (મુંબઈ) · • ડૉ. ફાલ્ગુનીબહેન ઝવેરી (મુંબઈ) • ડૉ. કાંતિભાઈ બી. શાહ(અમદાવાદ) • ડૉ. શ્રીધર અંધારે (અમદાવાદ) • ડૉ. પાર્વતીબહેન ખીરાણી (મુંબઈ) • ડૉ. દીક્ષા સાવાલ (આણંદ) • સુ. શ્રી મધુરીબહેન મહેતા (મુંબઈ) •શ્રી મણિલાલ ગાલા (મુંબઈ) • ડૉ. રામજીભાઈ સાવલિયા (અમદાવાદ) •શ્રી સુરેભાઈ પંચમિયા (મુંબઈ) • શ્રી પ્રકાશભાઈ શાહ (મુંબઈ) • બીનાબહેન ગાંધી (મુંબઈ) • ડૉ. રાજેશભાઈ પારેખ(અમદાવાદ) • ડૉ. દર્શના દફતરી (મુંબઈ) • ડૉ. નરેન્દ્ર ભંડારી (અમદાવાદ) • ડૉ. ઉત્તમસિંહ (કોબા) ડૉ. રેણુકાબહેન પોરવાલ (મુંબઈ) • ડૉ. રતનબહેન છાડવા (મુંબઈ) • ડૉ. ભાનુમતી શાહ (સત્રા) (મુંબઈ) • ડૉ. મધુબહેન બરવાળિયા (મુંબઈ) • ડૉ. નિલેશ દલાલ (મુંબઈ) •શ્રી ચેતનભાઈ શાહ (ભાવનગર) •શ્રી પન્નાલાલ શાહ (મુંબઈ) • ડૉ. રમણભાઈ પારેખ (અમદાવાદ) •શ્રી હર્ષદભાઈ સંઘરાજકા (લંડન) • ડૉ. રતન પરીમુ (અમદાવાદ) •શ્રી કનુભાઈ શાહ (કોબા) સંયોજક : ગુણવંત બરવાળિયા E-Mail : gunvant.barvalia@gmail.com: e M : 09820215542 જિનાજ્ઞા વિરુદ્ધ કંઈપણ પ્રગટ થયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. ૨૭૪ For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ નર ને ના જ આભ આરાધના કેના [li[WHIM BIHARI INITIAL આત્મ આરાધના કેન્દ્ર કેશથસ્થાનક કેશર ધ્યાન કક્ષા ઓડિટોરીયમ For Personal & Private Use Only www.jamendrary.org Page #281 -------------------------------------------------------------------------- ________________ જય રીપત્ર ભર વીતરાગ વિજ્ઞાન કેન્દ્ર વીતરાગ વિજ્ઞાન કેન્દ્રમા ચતુર્મુખી પરમાત્માની પ્રતિમા www.jainelibratosa Page #282 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક સંકુલનું પ્રવેશદ્વાર વનપ્રસ્થ આરાધના કેન્દ્ર education Imom national For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ગુરુકુળ cation international For Personal & Private Use Only www.jainelib Page #284 -------------------------------------------------------------------------- ________________ Iીવી શો બાવો શૂળી થાણા છે जहा सूई पडिआ न विणस्सइ / तहा जीवे रसुत्ते संसारे न विण्स्सइ / / Just as a threaded needle does not get lost even when it falls on the ground, Similarly the soul with knowledge of scriptures is not lost in the world of birth and death. જેમ દોરો પરોવેલી સોય પડી જાય તો પણ ખોવાઈ જતી નથી, તેમ શ્રુતજ્ઞાની જીવ સંસારમાં રખડતો નથી. (ઉત્તરાધ્યયન સૂગ, 29-59) विद्यां चाचिद्यां च यस्तद् वेदोमयं सह अविधया मृत्यु तीत्वां विधयामृतमश्नुते / વિધા અને અવિધા બંને સાથે અને યથાર્થતઃ જાણે છે તે અવિધા દ્વારા મૃત્યુ તરી જાય છે અને વિદ્યા દ્વારા અમૃતને પામે છે. - ઇશોપનિષદ : 11 જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુ:ખ રહિત ન કોઇ; જ્ઞાની વેદે ઘેર્યથી અજ્ઞાની વેદે રોઈ, - શ્રીમદ્ રાજચંદ્ર For Pelsom Private Use Only