SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ©©© જ્ઞાનધારા જૈન ધર્મની પ્રકૃતિ, જૈનધર્મનાં સિધ્ધાંતોનો પરિચય અને અભ્યાસ કરાવવામાં આવે. પ્રભુ મહાવીરની વાણી મૂળ સ્વરૂપમાં યોગ્ય સાધકો દ્વારા વહેતી કરવામાં આવે. એ પછી પુસ્તકોરૂપે હોય, જૈનશાળામાં હોય કે સેમિનાર કે વર્કશોપરૂપે હોય. એ દ્વારા જો વૈજ્ઞાનિક રીતે ધર્મ, અધ્યાત્મ અને વિજ્ઞાનને જોડવામાં આવે તો. આ વાત જે કોઈ વાંચે, સમજે, સાંભળે અને તેના મનને સ્પર્શે તો એની ડગમગતી શ્રદ્ધાને દૃઢ કરી શકાય. પ્રથમ વિજ્ઞાન અને આધ્યાત્મનો સેતુ જોડીએ. અમુક વિષયોને જો વ્યવસ્થિત રીતે નિરૂપણ કરવામાં આવે તો એ બધુંય મનનપૂર્વક વાંચ્યા પછી અધ્યાત્મને, ધર્મને હિંબગ” કહેનારો, નાસ્તિક વર્ગ પણ ધર્મનું શરણું સ્વીકારતો થાય એ નિઃશંક છે. જેમ કે, આત્મા અને Extra sensory Preceptions:- વિજ્ઞાને હાથ ધરેલાં સંશોધનોનાં પરિણામોએ બતાવી દીધું છે કે માનવી કોઈ અતિન્દ્રિય શક્તિ ધરાવે છે જેના ફળસ્વરૂપે એ સત્ય સમજાય છે કે શરીરનાં નાશ પછી પણ કંઈક કાયમ રહે છે, આ કંઈક એ ભૌતિક નથી પણ ચૈતન્ય અને આત્મા છે. - વિજ્ઞાનની મર્યાદિતા :- વિજ્ઞાન રોકેટો છોડી શકે છે પણ એક પુષ્પની પાંખડીનું ય સર્જન નથી કરી શકતું તો માનવચેતના તો ક્યાંથી પ્રગટાવી શકે? વિજ્ઞાન જ્યાં અટકે છે ત્યાં આધ્યાત્મિક પ્રજ્ઞા પ્રકાશ પાથરે છે. ચૈતન્ય એ કોઈ રાસાયણિક પ્રક્રિયાની નીપજ નથી, તે કોઈ અગમ્ય, અપાર્થિવ શક્તિ છે, તે શક્તિ એ જ હું છું. સોહમ... પુનર્જન્મનો સિદ્ધાંત - યુનિવર્સિટી કક્ષાએ થઈ રહેલાં સંશોધનોએ “Age regression"ના સિદ્ધાંત દ્વારા એ સાબિત કર્યું છે કે વ્યક્તિના જ્ઞાનનો આધાર દેહ નથી. દેહથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવનાર કોઈ જુદું તત્ત્વ દેહમાં છે અને દેહના નાશ સાથે એ તત્ત્વનો નાશ થતો નથી. આત્માને પોતાની અભિવ્યક્તિ માટે એક - શરીર કાર્યક્ષમ ન જણાય તો તે એ કાર્યને અનુરૂપ અન્ય શરીર શોધી લે છે. આનાં ઘણાં સત્ય દષ્ટાંતો છે. આધ્યાત્મ વિજ્ઞાન કરતાં ઘણું આગળ છે - આપણાં ભગવાન મહાવીરે ૨૬૦૦ વર્ષો પહેલાં સામાન્ય વાત કહેતા હોય તેમ ભાખેલું કે વનસ્પતિમાં પણ જીવ છે ને તેને સ્પર્શતા દુઃખ થાય છે. - આ હકીકતને વિજ્ઞાન જગતમાં ૧૧૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org www.jainello
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy