SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ©© જ્ઞાનધાર 0200 વ્યવસ્થા મળે, બીમાર સાધુ-સાધ્વીજીને યોગ્ય ઔષધ અને સારવાર મળે તથા વયોવૃદ્ધ સાધુ-સાધ્વીજીને વિહાર કરવાની ક્ષમતા ન હોય ત્યારે સ્થિરવાસ કરવાની જોગવાઈ થાય આ બધું વેયાવચ્ચ કહેવાય. આમ તો સંસ્કૃત ભાષામાં વૈયાવૃત્ય શબ્દ છે. પ્રાકૃતમાં તે વેયાવચ્ચ બને છે. આપણે સામાન્ય બોલચાલમાં વૈયાવચ્ચ ઉચ્ચારણ કરીએ છીએ, તે ખોટું છે. એટલે વૈયાવચ્ચને બદલે વેયાવચ્ચ જ ઉચ્ચાર કરવો જોઈએ. જૈન ધર્મમાં વેયાવચ્ચનો વિશેષ મહિમા છે. સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘ ગણાય છે. આ ચતુર્વિધ સંઘના મુખ્ય અંગ સમાન સાધુસાધ્વીજી મહારાજની અનિવાર્ય આવશ્યક્તાઓની સગવડ કરવી એ વેયાવચ્ચે કહેવાય. તે જ પ્રમાણે શ્રાવક માટે બાર વ્રતો બતાવેલાં છે. એમાં બારમું છે : અતિથિ સંવિભાગ-અર્થાત્ અતિથિ માટે ભાગ રાખવો તે. અતિથિ એટલે સાધુસાધ્વીજી. તેથી જે વેયાવચ્ચ પ્રત્યેક શ્રાવકનો ધર્મ છે. જૈન ધર્મમાં બાહ્ય અને અભ્યાંતર તેમ કુલ બાર પ્રકારનાં તપની વાત છે. એમાં એક તપ વેયાવચ્ચનું પણ છે. અન્ય તમામ તપ કરવાથી વ્યક્તિનું પોતાનું જ કલ્યાણ થાય છે એટલે કે માત્ર સ્વનું જ હિત થાય છે. વેયાવચ્ચ એકમાત્ર એવું તપ છે જે બંનેને લાભદાયક છે એટલે કે સ્વનું અને પરનું હિત થાય છે. - ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું છે કે જે વ્યક્તિ બીમાર અને ગ્લાન સાધુસાધ્વીજીની સેવા કરે છે, તે મારી સેવા કરે છે. મૂર્તિ અને પ્રતિમાની ભક્તિ પણ જે આપણને અનેરું આધ્યાત્મિક ફળ આપતી હોય તો આ તો જીવતાં-જાગતાં વીતરાગ-માર્ગના અનુયાયી છે. એમની સેવા-ભક્તિના ઉત્કૃષ્ટ પરિણામ માટે કોઈ સંદેહ ન હોઈ શકે. ' જેની વેયાવચ્ચ કરવામાં આવે એનો મોક્ષ થતો હશે કે નહિ તેની ખબર નથી, પણ જે વ્યક્તિ વૈયાવચ્ચ કરે છે એને તો એ ક્ષણે જ મોક્ષ માર્ગ પર પ્રવેશ થઈ જાય છે. રાગ-દ્વેષથી મુક્ત રહીને સૌનું કલ્યાણ ઝંખતા અને પોતાના આત્મકલ્યાણમાં રાત-દિવસ સાધનામય રહેતાં સાધુ-સાધ્વીજીની (તેમને અતિથિ સમજીને પણ) સેવા કરવાથી આપણા આચાર-વિચારની શુદ્ધિ થાય છે. આપણે ભાવાત્મક - ૨૩પ છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy