SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ©©© જ્ઞાનધારા ૮૭૦ ધર્મઆરાધના કરવા છતાં આંશિક આનંદ, પ્રેમ, કરુણા કે શાંતિનો અનુભવ થતો નથી. પરિણામે તિથિના ઝઘડા, મારામારી અને એકમતિનો અભાવ ધર્મમાં જોવા મળે છે. મૂળ જૈન ધર્મમાં જે વાતો હતી એ શું વિસરાઈ ગઈ છે ? ધર્મમાં જીવનવિરોધી વાતાવરણ કેમ સર્જાઈ રહ્યું છે ? કોઈ પણ ધર્મ જીવનવિરોધી હોય કે ન પણ હોય એનો આધાર “ધર્મ એટલે શું?’ એની વ્યાખ્યા પર આધારિત છે. હું એક પ્રશ્ન પૂછું છું કે શું પાણી દૂષિત હોઈ શકે? જવાબમાં આપણે એમ કહી શકીએ કે પાણી દૂષિત હોઈ શકે અને ન પણ હોઈ શકે. વાદળાંમાંથી વરૂપે પાણી વરસે એ ક્ષણે પાણી શુદ્ધ જ હોય છે. આ પાણી ધરતી પર વરસે એ પહેલાં વાતાવરણમાં રહેલી અશુદ્ધિઓ પાણીમાં ભળે એટલે પાણી થોડુંક દૂષિત થાય છે. વરસાદનું પાણી જમીન પર વરસે એટલે જમીનની માટી, કચરો, ગંદકી આદિ એ પાણીમાં ભળે એટલે પાણી વધારો દૂષિત થાય છે. | નદી જ્યારે પહાડમાંથી ઝરણારૂપે ઉદ્ભવે છે ત્યારે નદીના ઉગમસ્થાનમાં તો પાણી શુદ્ધ જ હોય છે. ઉદ્ગમસ્થાનમાંથી શુદ્ધ પાણી લઈ વહેતી નદી સાગરને મળે એ પહેલાં કેટકેટલી અશુદ્ધિઓ એમાં ભળે છે, પરિણામે પાણી દૂષિત થાય છે. આવું દૂષિત થયેલું પાણી સીધેસીધું પીવાથી રોગ થવાની શક્યતા રહે છે. દૂષિત પાણીને ગાળવું પડે, ઉકાળવું પડે કે પછી આજના યુગ પ્રમાણે એક્વાગાર્ડમાંથી પસાર કરવું પડે એટલે દૂષિત પાણી શુદ્ધ થાય અને પીવાલાયક બને. આનો અર્થ એમ થયો કે પાણી એના મૂળ સ્રોતોમાંથી વરસે કે ઝરણારૂપે ઉદ્ભવે ત્યારે શુદ્ધ જ હોય છે. એમ ધર્મ પણ જ્યારે મૂળ સોતમાંથી ઉદ્ભવે એટલે કે આજના વિષયના સંદર્ભમાં લઈએ તો ભગવાન મહાવીરના મુખમાંથી જ્યારે વાણી ઉદ્ભવી કે જેનું નામ જૈન ધર્મ છે એ શુદ્ધ જ હતો. એ ધર્મ અનંત આનંદ તરફ લઈ જનારો હતો, એ ધર્મ પૂર્ણતા અને અખંડિતતા તરફ લઈ જનારો જ હતો, ક્યારેય જીવનવિરોધી ન હતો. તે ભગવાન મહાવીર એટલે જેનામાં સૂર્યની તેજસ્વિતા, ચંદ્રની શીતળતા, આકાશની નિર્લેપતા, મહાસાગરની ઊંડાઈ અને વ્યાપકતા, એવરેસ્ટની ઊંચાઈ, પર્વતની સ્થિરતા, નદીની ગતિશીલતા અને પુષ્પની કોમળતા હતી. આવા ભગવાન મહાવીરની વાણી એટલે જ જૈન ધર્મ. આ જૈન ધર્મ એના મૂળસ્વરૂપમાં ક્યારેય moyoni simbolo Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy