________________
©©© જ્ઞાનધાર ૭૦
(૮) લાઉડસ્પીકર, પંખા તથા એસીનો ઉપયોગ શ્રાવકસમાજ પોતાનાં કાર્યોમાં તથા ઘરમાં કરે છે. બદલાતા કુદરતી વાતાવરણ તથા હવામાનની સ્થિતિમાં શ્રાવકસમાજને પોતાના માટે એસી વાપરવાની જરૂરિયાત લાગે છે. એસીનો ઉપયોગ હજી સુધી જૂજ ઉપાશ્રયમાં કરવામાં આવે છે. એસીની જરૂરિયાત વિશે બહુધા સાધુસમાજ પણ એસી વાપરવામાં માનતો નથી.
(૯) હાલના સમયમાં મુંબઈ જેવાં મોટાં શહેરોમાં સાધુ-સંતોને સાંભળવા માટે હજારો માણસોની મેદની થાય છે અને આવા સમયે લાઉડસ્પીકર તથા પંખાની જરૂરિયાત છે તે હકીક્ત છે. જ્યારે મોટી મેદનીની હાજરી હોય ત્યારે લાઉડસ્પીકર, લાઈટ તથા પંખા વાપરવા જોઈએ તેથી સાધુ-સંતોની પ્રવચનવાણી શ્રોતાજનો બરાબર સાંભળી શકે અને વ્યાખ્યાનનો લાભ લઈ શકે. છેલ્લાં ૩૦-૪૦ વર્ષ દરમિયાન કુદરતી વાતાવરણ તથા હવામાનમાં ફેરફારો થયા છે. હવામાન પ્રમાણમાં ગરમ થયું છે અને ઠંડક ઓછી થઈ છે તેને કારણે હાલના સમયમાં પંખા વાપરવાની વધારે જરૂરિયાત લાગે છે,
(૧૦) પંચમહાવ્રતધારી ઘણા સાધુ-સંતો પોતાની માન્યતા તથા આચારસંહિતા પ્રમાણે પોતે વીજળીનાં સાધનોનો ઉપયોગ કરતા નથી. કાળ તથા સમયના પરિવર્તનને કારણે આચારસંહિતામાં પણ થોડા ફેરફારની આવશ્યકતા રહે છે. વીજળીનાં સાધનોનો ઉપયોગ કરવાથી ધર્મના પ્રચારમાં ઘણી જ સુવિધાઓ મળે છે. દા.ત. કોઈ પણ સાધુનું કોઈ એક જગ્યાએ પ્રવચન ચાલતું હોય ત્યારે તે પ્રવચન જો ટીવી દ્વારા પ્રસારિત કરવામાં આવે તો ઘરમાં બેઠેલા નાના-મોટા . બધા લોકો પ્રવચનનો લાભ મેળવી શકે.
(૧૧) તાજેતરમાં મોબાઈલ ટેલિફોનનો ઉપયોગ બહુ જ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે. મોબાઈલ ટેલિફોન પણ વીજળી દ્વારા ચાલતું સાધન છે. મોબાઈલ ટેલિફોનનો વ્યાપ એટલો મોટો છે કે હજારો દૂર બેઠેલા માણસ સાથે વાતચીત થઈ શકે છે. અત્યારના સમય પ્રમાણે લગભગ દરેક વ્યક્તિ પાસે પોતાનો મોબાઈલ છે. મોબાઈલ અત્યારના સમયમાં ઘણું જ ઉપયોગી સાધન છે. તેથી તેની વપરાશ શ્રાવક સમાજ બહુ જ મોટા પ્રમાણમાં કરી રહ્યો છે.
(૧૨) સાધુ-સંતો ખૂબ જ મર્યાદા સાચવીને પણ મોબાઈલનો ઉપયોગ કરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org