________________
OCC જ્ઞાનધારા થ000
(૫) પત્રવ્યવહારની બાબતમાં વિચારીએ તો આપણે બધા થોડાં વર્ષો પહેલાં હાથથી લખીને અથવા ટાઈપ કરીને પત્રવ્યવહાર કરતા હતા અને તેવા પત્રો પોસ્ટ મારફત મોકલતા હતા. અત્યારના સમયમાં હાથથી લખવાની પ્રથાય લગભગ બંધ થઈ ગઈ છે અને તેની જગ્યાએ કોમ્યુટર, ઈ-મેઈલ, એસએમએસ દ્વારા પત્રવ્યવહાર થઈ રહ્યો છે. આ બધા વ્યવહારમાં વિજળી જ અગત્યની છે. જો અચાનક વીજળી બંધ થઈ જાય તો ઉપરનાં બધાં સાધનો પ્રાણ વગરનાં થઈ નિઃસહાય અને નકામાં થઈ જાય છે. માનવજીવનના વિકાસમાં વીજળી બહુ જ અગત્યનું કામ કરે છે તે હકીકતને શ્રાવક સમાજે તથા સાધુ-સંતોએ સ્વીકારવી જોઈએ.
(૬) સમય જતાં શહેરના પ્રમાણમાં ઉપાશ્રયમાં અને તે શહેરમાં રહેતા જૈનોની સંખ્યા તથા શ્રોતાજનોની હાજરી વધવા લાગી. સાધુ-સંતો પોતાની શક્તિ પ્રમાણે પોતાના અવાજથી પ્રવચનો આપે તેથી નજદીક બેઠેલા શ્રોતાજનો જ વ્યાખ્યાનવાણી સાંભળી શકે છે અને તેનો લાભ મેળવે છે. બાકી દૂર બેઠેલા શ્રોતાજનોને બહુ જ ઓછું સાંભળવા મળે છે તેથી તેઓને ધર્મવાણીનો લાભ મળતો નથી.
(૭) ઉપાશ્રયમાં શ્રોતાજનોની હાજરી વધવા લાગી તેથી લાઉડસ્પીકર ઉપાશ્રયમાં વાપરવું કે ન વાપરવું તે ચર્ચાનો વિષય બન્યો. પંચમહાવ્રતધારી સાધુસંતો લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકે કે ન કરી શકે તેની જૈન સમાજમાં બહુ જ ચર્ચા થઈ. તે જ પ્રમાણે સાધુસમાજમાં પણ લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો કે ન કરવો તેની ચર્ચાઓ થઈ. ઉપર પ્રમાણેની ચર્ચાના કારણે શ્રાવકસમાજમાં તથા સાધુસમાજમાં લાઉડસ્પીકર વાપરવું કે નહિ તેનો નિર્ણય દરેક શ્રાવકસમાજે તથા સાધુસમાજે પોતાની રીતે લીધો. તેના કારણે અત્યારના સમયમાં ઘણા સાધુ-સંતો લાઉડસ્પીકરનો ઉપયોગ કરે છે. જ્યારે અમુક સાધુ-સંતો ઉપયોગ કરતા નથી. તે જ પ્રમાણે શ્રાવકસમાજમાં લાઉડસ્પીકર વાપરવા માટે બે મત પ્રવર્તે છે. લાઉડસ્પીકર તથા પંખાનો ઉપાશ્રયમાં ઉપયોગ કરવો કે ન કરવો તે માટે પણ બે મત પ્રવર્તે છે. ઘણા સંઘો પંખા વાપરવામાં માને છે, ઘણા સંઘો માનતા નથી. તે જ પ્રમાણે સાધુ-સંતોના સમાજમાં પણ આ માટે બે મત પ્રવર્તે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org