________________
© C જ્ઞાનધારા સજીવ અગ્નિ નથી હોતો. સૂત્રકૃતાંગમાં એને અકાઇ અગ્નિ-ઇંધણ વગર થનારો અગ્નિ કહ્યો છે. (સૂયગડો ૧/૫/૩૮)..
નરકમાં થનારો અગ્નિ, તોલેશ્યાના પ્રયોગ વખતે નીકળનારી જવાળાની જેમ અચિત્ત અને નિર્જીવ છે, એવી જ રીતે વિદ્યુત પણ અચિત્ત અને નિર્જીવ અગ્નિ છે – આ સ્વીકારવામાં કોઈ મુશ્કેલી નથી. વાસ્તવમાં અચિત્ત અગ્નિતેજસ ઊર્જા છે, તેજસ વર્ગણાના પુદ્ગલ છે. છ જવનિકાર્યમાં અવારનવાર સજીવ અગ્નિકાય નથી.”
“અગ્નિ નહીં, અગ્નિ જેવું દ્રવ્ય.” . અહીં એ પણ વિચાર કરવો યોગ્ય થશે કે “સચિત્ત અગ્નિના તાપની માફક જ પ્રકાશ-ઊ' અથવા બીજા ઊર્જાસ્રોતોથી પણ ઉપરોક્ત કામ શું થઈ શકે? જેમ સૂર્યના પ્રકાશથી તાપ પેદા થાય છે, એનાથી ખાવાનું શેકી અથવા બનાવી શકાય છે (સૌર ઉષ્મા), મશીનો ચાલે છે વગેરે. સૂર્યના પ્રકાશથી સીધી વિધુત-ઊર્જ બનાવી શકાય છે (સૌર સેલ) – જેનાથી ઈલેક્ટ્રોનિક સેલ ઘડિયાળ અથવા કેલક્યુલેટર ચાલે છે. તો શું આ સૂર્યનો પ્રકાશ સચિત્ત છે? ઉપરના વિશ્લેષણના આધાર પર એનો જવાબ હશે ‘ના’. એ જ પ્રમાણે વીજળીના પ્રવાહથી ગરમી પેદા થઈ શકે છે, એટલે પદાર્થનો તાપક્રમ વધી શકે છે, તે પણ સૂર્યના પ્રકાશ-ઊર્જા માફક આ પણ અચિત્ત ઊર્જા હોઈ શકે છે.
ફક્ત આ કારણથી જ કે “અગ્નિમાં ગરમ કરવાની ક્ષમતા અથવા પ્રકાશ પેદા કરવાની ક્ષમતા છે, બીજા પ્રકારની ઊર્જા, જે બીજાને ગરમ કરી શકે છે, “સચિત્ત અગ્નિ'ની શ્રેણી (Category)માં હોવી જરૂરી નથી. સૂર્યના પ્રકાશથી પૃથ્વી, પાણી અને હવા ગરમ થઈ જાય છે, વરસાદ પડી શકે છે, વીજળી પેદા થઈ શકે છે. એ (સૂર્ય) વિકિરણમાં જો કિરણો અહીં પહોંચે છે, એ પૃથ્વી, વાયુ અને પાણીને ગરમ કરે છે, પણ આ વિકિરણ એટલે સૂર્યનો પ્રકાશ અને અવરક્ત કિરણો સ્વયં સચિત્ત અગ્નિકાય નથી.” - એ જ પ્રમાણે અગ્નિનો ‘મહાપુંજ' છે અને સાધારણ અગ્નિથી પણ મહાન કાર્ય કરી શકે એવી ઊર્જા હોવા છતાં પણ (તાપ-વીજળી ઘરોમાં તાપ-ઊર્જાનું ૬૦-૭૦ પ્રતિશત જ વીજળીની ઊર્જમાં પરિવર્તન થઈ શકે છે - એટલે વીજળી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org