________________
©©© જ્ઞાનધારા 100 પદાર્થો કે પ્રસંગો | ઘટનાઓ માટે અપેક્ષાએ સાચું જણાય છે, પરંતુ ઉપર બતાવ્યું તેમ જ્યારે પદાર્થનો વેગ પ્રકાશના વેગ કરતાં વધી જાય છે ત્યારે આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષ સિદ્ધાંતોના એક પણ સમીકરણ કામ લાગતા નથી, બલકે એ સમીકરણો તો એમ કહે છે કે પ્રકાશ કરતાં વધુ વેગવાળા પદાર્થો જ કાલ્પનિક છે, જ્યારે કેવળજ્ઞાન અર્થાત્ સમગ્ર બ્રહ્માંડજના બધા જ પદાર્થો સંબંધી ત્રણે કાળનું સંપૂર્ણ જ્ઞાન ધરાવનાર મહાપુરુષોએ તો ત્યાં સુધી કહ્યું છે કે કોઈ પણ ભૌતિક પદાર્થ પોતે સ્થિર હોય તો બાહ્ય કોઈ પણ પરિબળ દ્વારા તે પોતાનો વેગ વધારતો વધારતો ઉપર બતાવેલ ઉત્કૃષ્ણ વેગ જેટલો વેગ પણ મેળવી શકે છે અને આવા ઉત્કૃષ્ટ વેગવાળો પદાર્થ પોતાનો વેગ ઘટાડતો સ્થિર પણ થઈ શકે છે.
જૈન દર્શનમાં કાળના મુખ્ય બે પ્રકાર બતાવ્યા છે : ૧) વ્યવહારકાળ (૨) નિશ્ચય કાળ.
આઈન્સ્ટાઈન કહે છે-કાળ-વ્યવહારમાળ, રાત્રિ-દિવસ વગેરે રૂપ, કાળ માત્ર પૃથ્વી પર છે, કારણકે પૃથ્વીની દૈનિક ગતિના લીધે રાત્રિ-દિવસ થાય છે. જૈન શાસ્ત્રકારો કહે છે કે રાત્રિ-દિવસરૂપ વ્યવહારકાળ માત્ર અઢી દ્વીપમાં (સમયક્ષેત્રમાં),
જ્યાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે મેરુ પર્વતની આસપાસ ફરે છે ત્યાં છે. રાત્ર-દિવસ એવા કાળના વિભાગ સૂર્ય-ચંદ્રના પરિભ્રમણના કારણે જ થાય છે.
આઈનસ્ટાઈન કહે છે કે, અવકાશમાં રાત્રિ-દિવસ જેવું કશું જ નથી. જૈન ગ્રંથો કહે છે અઢી દ્વીપની બહાર, જ્યાં સૂર્ય, ચંદ્ર વગેરે સ્થિર છે ત્યાં રાત્રિદિવસ જેવું કશું જ નથી.
ટૂંકમાં વિજ્ઞાનની જુદી જુદી શાખાઓ, જેવી કે ભૂસ્તરશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, પરમાણુવિજ્ઞાન, ભૂગોળ, ખગોળશાસ્ત્રના ભારતીય વિજ્ઞાનીઓએ, ભારતીય પ્રાચીન દાર્શનિક તેમ જ અન્ય ગ્રંથોનો ઊંડો અભ્યાસ કરી, તેના આધારે યોગ્ય સંશોધનો કરવાની અનિવાર્ય જરૂરિયાત છે અને એ પ્રમાણે ભારતે વિજ્ઞાનના ક્ષેત્રમાં અમૂલ્ય ભેટ આપી ગણાશે.
પ્રાચીન જૈનાચાર્યોનાં વિવિધ કુળોમાંથી એક કુળનું નામ વિદ્યાધર કુળ હતું. તો શ્રી કલ્પસૂત્રમાં જણાવ્યા પ્રમાણે વિદ્યાધરી શાખાનું નામ છે. આ પ્રમાણે
- - ૨૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org