________________
©2
જ્ઞાનધારા
स्व धर्मे निघनं श्रयम् परधर्मे भयावहः । એ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે. ત્યાં પ્રશ્ન એ થાય છે કે સ્વધર્મ એટલે કર્યો ધર્મ ? આપણે જન્મ્યા છીએ એ ધર્મ ? એ તો છે જ, પણ જ્યાં ઊંડા ઊતરી જે સ્વરૂપનું ભાન કરાવે, નિજત્વનું દર્શન કરાવે એવા અર્થમાં ઘટાવું રહ્યું. આત્મદર્શન જ પોતાનો ધર્મ છે. એને કેળવવાની જરૂર છે : કહેવાયું છે ને,
એક મૂરખને એવી ટેવ, પથ્થર દેખી પૂજે દેવ તુલસી દેખી તોડે પાન, જળ દેખી કરે સ્નાન કથા સુણીને ફૂટચા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.
આપણામાં રહેલા ભ્રમને દૂર કરી બ્રહ્મની પ્રાપ્તિ એ જ જીવનનું સાફલ્ય છે. દા.ત. ગાંધીજીએ પ્રથમ સત્ય પરમાત્મા છે એવું કહ્યું, પરંતુ ત્યાર બાદ સત્યના પ્રયોગો કરતાં અંતે કહ્યું, સત્ય એ જ પરમાત્મા છે. તો અહીં ‘જ’ ચોક્કસાઈ – નિશ્ચિતતા બતાવે છે. એ એમણે અનુભૂતિથી રજૂ કર્યું. આપણા જીવનમાં પણ સત્ય-સ્વધર્મનું ચિંતન થાય તો એવું કહેતા મને અતિશયોક્તિ નહીં થાય કે દુનિયામાં જે દુરાચાર, વ્યભિન્નારો, ચોરી, લૂંટફાટ જેવાં દૂષણો વધી ગયાં છે એનો નિવેડો આપોઆપ આવી જશે. ફક્ત જરૂર છે મનને કેળવો અને આત્મચિંતન કરવાની જરૂર છે.
યુવાનો, જ્યાં જ્ઞાતિનો વાડો નહિ, પણ એનાથી ઉપર ઊઠવું જોઈએ. આજે આપણાં બાળકો કૉન્વેન્ટ સ્કૂલમાં જતાં થયાં છે, A.PC. છાત્રાલયોમાં જતાં થયાં છે. ત્યાં જાય એમાં પણ વાંધો નહીં, પણ ત્યાં કોઈ સંપ્રદાયના વાડામાં ચુસ્તતાની ઘરેડમાં નહિ, પરંતુ સત્ય તો કેટલું વિશાળ-અપરિમેય છે. એને કોઈ વાડામાં પૂરી શકાતું નથી. માટે મુક્ત રીતે વિહરવા દો આ ધર્મ-જ્ઞાનરૂપી ગગનમાં. માટે સત્ય કોઈ કંઠી ધારણ કરવાથી કે કોઈ ધાર્મિક ચિહ્નો અંગીકાર કરવાથી નહિ આવે. એ તો માત્ર નિમિત્ત બને છે, પરંતુ જો આંતરજ્ઞાન દીવો બુઝાઈ જશે તો આપણને સર્વ જગ્યાએ અંધકાર જ દેખાવાનો છે. માટે આત્મપ્રકાશ કરી અને ધર્મના સૂક્ષ્મ અર્થને સમજવો જોઈએ.
સ્વધર્મ એટલો એક એવો ધર્મ જ્યાં વિવાદ નહિ, પણ પ્રેમનો સંવાદ હોય. એકબીજા સાથે હળીમળીને રહેનારી ભાવના હોય. વસુધૈવ દુશ્ર્વમ્ - શુદ્ધ
૧૭૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org