________________
©ગ C જ્ઞાનધાર 0200 સમજાતું જશે, તેમ ધર્મ એ આપણો ગુણ બની જવો જોઈએ. જેમાં આવર્તન નહીં પરંતુ સમાવર્તન હોવું જરૂરી છે. સર્વધર્મભાવ છે, માટે કોઈ ધર્મનો વિરોધ ન હોય, પરંતુ એમના અર્થને પામવો જોઈએ. કબીર જાતિએ મુસ્લિમ હતા, પરંતુ એમને હિન્દુએ આવકાર્યા. ગુરુગ્રંથસાહેબ ગ્રંથમાં પણ “રામ' શબ્દનો અનેક વાર પ્રયોગ થયો છે. આખરે તો સૌ ધર્મનો ઉદ્દેશ એ શુદ્ધિકરણ'નો છે. '૩૦ કારને ઊંધું કરીએ તો ઉર્દૂમાં અલ્લાહ શબ્દ બને છે. આમ સર્વધર્મ સમભાવની દષ્ટિ કેળવવી જોઈએ.
ધર્મ એ ઉન્નતિનાં પગથિયાં સમાન છે. જીવનના શિખર પર પહોંચવા એ પગથિયાંમાંથી પસાર થવું જ પડશે. દા.ત. અગ્નિ તો એક જ છે, પણ ભાવક એમાં ક્રિયા અનેક રીતે કરે છે. (૧) ટાઢ સામે રક્ષણ (૨) રસોઈ બનાવવા (૩) જો એ અગ્નિમાં શ્રદ્ધા ઉમેરો તો યજ્ઞ બની જાય તેમ આપણે પણ દષ્ટિ કેળવવાની જરૂર છે. દાન આપો તો હૃદય ખુલ્લું કરી દાન આપો (૪) જાપ-તપ ઇત્યાદિ તો છે જ પણ વાણીનું મૌનવ્રત પણ જરૂરી છે. આપણે જિનવાણી તો સાંભળીએ છીએ, પણ નિજવાણીને નથી સમજ્યા માટે જાગૃત થાઓ.
આપણે આજના યુગમાં ચંદ્ર પર તો પહોંચ્યા, પણ આપણે શું આજુબાજુ જરૂરિયાતની જરૂરિયાતમંદ વ્યક્તિના હૃદયમાં પહોંચ્યા છીએ ખરા ? તો આ જ ખરેખર માનવધર્મ છે. જો આવા ગુણો આપણા હૃદયમાં લાવીએ તો ખરેખર સમગ્ર વિશ્વને પ્રકાશમય બનાવી શકીએ અને અન્યને અનુભૂતિ પણ કરાવી શકીએ.
. જીવનમાં કેવી રીતે કરવું છે ? એ જો શીખી લેવાય તો જીવતા તો આપમેળે આવડી જશે. આ જ મનુષ્યધર્મની મહાનતાને સાબિત કરે છે. કેવી રીતે જીવવું એ પાયાની વાત છે. જેવી રીતે ધરતીનો ધર્મ ફરવું, વાયુનો ધર્મ વહેવું એ જ પ્રકારે ધર્મનો સ્વભાવ સત્ય છે. સત્યતા આહાર-વિચાર-વ્યવહારઉચ્ચાર-આધાર પર રહેલો છે. એ તત્ત્વોનો અંગીકાર કરવો જોઈએ. ઉ.દા. સોલોમન એ એક બુદ્ધિમાન માનવી હતો. સોલોમનને એક સુંદર યુવતી ગમી ગઈ. એની પાસે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. સ્ત્રીએ પરીક્ષા કરવાનું વિચાર્યું. બે હાથમાં ફૂલ લીધાં. એક સાચું અને એક કૃત્રિમ. એ બંનેમાંથી સાચા ફૂલનું પરીક્ષણ
૧૭૩ ૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org