SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ C જ્ઞાનધારા જ્ઞાનદાતા છે. આ જ્ઞાનનું ફળ વિરતિમાં એટલે કે આચરણમાં પરિણમે તો જીવનનું ઉત્થાન થઈ જાય છે. જૈન દર્શન અનુસાર ભગવાન મહાવીરે ચાર પ્રકારે ધર્મ બતાવ્યો છે : દાનશીયળ-તપ-ભાવ. તેમાં દાન પ્રથમ જ છે, કારણ ચારે પ્રકારોમાં દાન જ શ્રેષ્ઠ છે. દાન સૌભાગ્ય અને આરોગ્ય આપનારું છે. વળી દાન કીર્તિ ફેલાવનારું પણ છે, તો બધી પ્રકારની સંપત્તિઓનું ઘર છે. જૈન પરંપરામાં દાનને સત્કર્મ માનવામાં આવે છે. દાન સ્વપરના કલ્યાણ અર્થે પરિગ્રહ ઘટાડવા અને મમત્વ ઓછું કરવા માટેનો શ્રેષ્ઠ રસ્તો છે. માટે જ ઋષભદેવ ભગવાનથી મહાવીરસ્વામી સુધીના ચોવીસેચોવીસ તીર્થંકરોએ દીક્ષા અંગીકાર કર્યા પહેલાંના આખા વર્ષ દરમિયાન પોતાની સંપત્તિનું દાન કર્યું છે જે જૈન દર્શનમાં વર્ષીદાન તરીકે ઓળખાય છે. જૈન આચાર્ય નકશીલગણિ ભાવનાત્મક શૈલીમાં જણાવે છે કે હે શીલ, હૈ તપ, હે ભાવ! તમારા પ્રભાવથી તો એક જ વ્યક્તિની મુક્તિ થાય છે, જ્યારે દાનથી તો દાન આપનાર અને દાન લેનારા બન્નેની મુક્તિ થાય છે. તો શ્રી રત્નમંદિરગણિ દાન વિષે સામાન્ય માનવ સમજી શકે તે રીતે જણાવે છે કે જ્યારે ગૃહસ્થો શીલધર્મ પાળી ન શકે, તપ કરવાને શક્તિમાન ન હોય, વળી સતત ઘરપરિવાર-સ્વજનની ચિંતાને કારણે આર્તધ્યાન કરતા હોવાથી સારા ભાવ નથી ભાવી શકતા ત્યારે તેમને માટે દાન જ એકમાત્ર સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે જે સંસારસમુદ્ર પાર પાડી શકે છે. દાનનું ફળ પ્રત્યક્ષ અને પરોક્ષ પણ મળી શકે છે. ભાવપૂર્વકનું સુપાત્ર દાન તો તીર્થંકર નામકર્મ પણ ઉપાર્જન કરી શકે છે. તો વળી શ્રમણ, સાધુ કે માહણને પ્રાસુક આહાર, પાણી, ખાદ્ય અને સ્વાદ્યરૂપે વહોરાવનાર શ્રાવક એકાન્તત: કર્મોની નિર્જરા કરે છે. દાન પ્રકાર : દાનવિષયક વિવિધ ગ્રંથોમાં દાનના પ્રકાર ત્રણ રીતે જણાવ્યા હોય તેવું લાગે છે. ૧. દાનદ્રવ્યને આશ્રયીને. ૨. દાન લેનારને આશ્રયીને. ૩. દાન આપનારના ભાવને આશ્રયીને. જે આપણે ટૂંકમાં સમજીએ : Jain Education International ૨૫૭ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy