________________
OCT૯ જ્ઞાનધારા 100 અનુમોદનીય છે. દીક્ષા તેમ જ શ્રમણ ભાવાર્થી માટે ત્યાં પ્રશિક્ષણની યોજના છે અને પ્રાકૃત, સંસ્કૃત અને જિનાગમના સંપૂર્ણ અભ્યાસ બાદ જ તેમને સાધુદીક્ષા અથવા શ્રમણદીક્ષા આપવામાં આવે છે.
આ અભ્યાસકાળ દરમિયાન લાડબૂસ્થિત વયોવૃદ્ધ સાધુ ભગવંતોની સેવા કરવાનું કાર્ય પણ તેઓ કરે છે, જેથી તેઓને વેયાવચ્ચ કરવાનો અનુભવ થાય છે અને પરિણામરૂપે મુદ્દા નંબર ૧૩માં દર્શાવેલ મુશ્કેલીનો પણ નિકાલ થઈ જાય છે. આ વ્યવસ્થા પણ અનુમોદનીય છે.
પૂ. આચાર્યશ્રી તુલસીજી તેમ જ મહાપ્રજ્ઞજીએ શ્રમણ-શ્રમણી વર્ગની સ્થાપના કરી “સાપ મરે નહીં અને લાઠી ભાંગે નહી” એવું કાર્ય કરેલ છે. પરદેશમાં વસતા જૈન સમાજને આથી ઘણો લાભ થયો છે અને આગામી પેઢીના જટિલ સવાલોનો જવાબ દેવો નથી પડતો.
શ્રમણ-શ્રમણી વિદેશયાત્રામાં પણ મર્યાદિત છૂટનો ઉપયોગ કરે છે તેમ જ કદાપિ એકાંત સેવતા નથી. તેથી યુકે. અને અમેરિકા જેવા પશ્ચિમના દેશોમાં પણ તેઓ ઘણું માન ધરાવે છે અને ત્યાંનાં વિશ્વવિદ્યાલયોમાં પણ પ્રવચનો આપવા જાય છે.
સમસ્ત જૈન સમાજમાં આ યોજનાનો સર્વાગ સ્વીકાર કરવા જેવો છે. ૧૦. તિથિભેદ :
દારેસલામ, ટાંઝાનિયામાં ઘણાં વર્ષોથી એક જ જૈન સમાજ છે અને તેમાં સ્થાનકવાસી તેમ જ મૂર્તિપૂજક સભ્યો છે. સાર્વજનિક સ્વીકારથી પર્યુષણના દિવસો બન્ને ફિરકાઓ એકસાથે જ ઊજવે છે અને એક વર્ષ પાંચમની સંવત્સરી અને બીજે વર્ષ ચોથની સંવત્સરી ઊજવવામાં આવે છે. અલબત્ત પ્રતિક્રમણ બે જુદા હોલમાં, એક જ સંસ્થાનમાં કરવામાં આવે છે, જેથી બંને ફિરકાઓ સંતોષપૂર્વક પોતપોતાની ક્રિયાઓ કરે છે. આવી જ વ્યવસ્થા લંડનમાં શ્રી નવનાત વણિક એસોસિયેશનમાં ઘણાં વર્ષોથી ચાલે છે.
તિથિભેદનું મૂળ જૈન પંચાંગમાં છે. આ માટે જે પૂજ્ય આચાર્યભગવંતો પંચાંગની અનુમતિ આપવા માટે જવાબદાર હોય તેઓએ વિચાર, વિમર્શ કરી ઉપર મુજબની વ્યવસ્થાને સંમતિ આપવી પડે.
૧૩૪ ૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org