________________
©© જ્ઞાનધારા OિOO જ્ઞાન હતું જ. જૈનોનાં પિસ્તાળીશ આગમ શાસ્ત્રો પૈકીના ગણિતાનુયોગ સંબંધિત સૂર્યપ્રજ્ઞમિ, ચંદ્રપ્રશમિ, જંબુદ્ધીપપ્રજ્ઞમિ વગેરે જે તેના મૂળ/અસલ સ્વરૂપમાં ઈ.સ. પૂર્વે ૫૫૭ થી ૨૭ સુધીમાં ભગવાન મહાવીર દ્વારા બોલાયેલ માનવામાં આવે છે, તેમાં વર્ગમૂળને કરણ પ્રક્રિયાના નામથી ઓળખવામાં આવ્યું છે અને તેનો પ્રચુર માત્રામાં ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલું જ નહિ ના સ્થળ મૂલ્ય તરીક ૧૦નો વ્યાપક પ્રયોગ પણ કરેલ છે. શ્રી વીરસેન નામના જૈનાચાર્યે Iના સ્થાને ૩૫૫ / ૧૧૩નો પણ ઉપયોગ કર્યો છે. જે આધુનિક ગણિતમાં ભારતીય ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજને છેક ઓગણીસમી સદીમાં શોધ્યું.
કાળ - સમયનું સ્વરૂપ :
અત્યારના વિજ્ઞાનીઓમાં એક વિજ્ઞાની મિ. કાર્લ સેગને એક કોસ્મિક કેલેન્ડર બનાવ્યું છે તે અને ઈ.સ. ૧૯૭લ્માં છપાયેલ ડાર્વિનના વિશ્વપ્રસિદ્ધ પુસ્તક ઓરિજીન ઓફ સ્પાઈસીસમાં આપેલ ચાર્ટમાં કૉસ્મિક બનાવોનું સમયાંકન બતાવ્યું. છે, તે પ્રમાણે બનાવોના નામને બાદ કરતાં, તેમાં જણાવેલ સમયગાળાનો ગુણોત્તર, જૈન ગ્રંથોમાં જણાવેલ કાળચક્રના અવસર્પિણીકાળના સમયગાળાને ઘણો મળતો આવે છે.
પ્રથમ જિનેશ્વર યુગાદિદેવ શ્રી ઋષભદેવ પ્રભુનાં આયુષ્ય તથા શરીરની ઊંચાઈ વગેરે માટે અત્યારના બુદ્ધિમાન ગણાતા વિજ્ઞાનીઓને અતિશયોક્તિ લાગે, પરંતુ જૈન કાળચક્ર અને કોસ્મિક કેલેન્ડરનો બારીકાઈથી અભ્યાસ કરતાં, તે જરા પણ અશક્ય કે અસંભવિત જણાતું નથી. અત્યારે પૃથ્વી પર મળી આવતાં મહાકાય પ્રાણીઓના અવશેષોમાં ડિનોસોરના અવશેષો મુખ્ય છે. એ અવશેષોના આધારે ડિનોસોરની લંબાઈ લગભગ ૧૫૦ ફૂટ આવે છે અને તે ડાર્વિનના ચાર્ટ મુજબ મસોઝોઈક સમયમાં થઈ ગયા. આ સમય આજથી લગભગ ૭ કરોડ વર્ષ પૂર્વેનો માનવામાં આવે છે.
જૈન દર્શનકારોએ પાંચ જ્ઞાનના પ્રકાર મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનનું વિશ વર્ણન અનેક આગમ ગ્રંથોમાં કરેલું છે તેમાં અવધિજ્ઞાનનાં લક્ષણો વિસ્મયજનક કે કલ્પોકલ્પિત લાગે એવાં છે, પણ આજના જમાનામાં અવધિજ્ઞાનની શાસ્ત્રોમાં વર્ણવેલી વાતોમાં હવે તથ્ય દેખાય છે.
- ૨૦૭ "
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org