________________
29 ) C જ્ઞાનધારા 0 0
અભિધાનચિંતામણિ', “અનેકાર્થસંગ્રહ' જેવા સંસ્કૃત કોશ અને દેશીનામમાળા જેવા દશ્ય ભાષાના કોશની રચના કર્યા પછી હેમચંદ્રાચાર્યે નિઘંટુશેની રચના કરી.
અનેકાર્થસંગ્રહની ટીકામાં મહેન્દ્રસૂરિએ એવો ઉલ્લેખ કર્યો છે કે પોતાના ગુરુ શ્રી હેમચંદ્રાચાર્ય પાસે વિશાળ ગ્રંથસંગ્રહ હતો અને તેમાં ઘવંતરિનો નિઘંટુ ગ્રંથ પણ હતો. નિઘટશેષના છ કાંડ મળે છે અને આ એક પ્રકારનો વૈદકશાસ્ત્રને માટે ઉપયોગી એવો વનસ્પતિકોશ છે. આ કોશ છ કાંડમાં વહેંચાયેલો છે અને તેની કુલ લોકસંખ્યા ૩૯૬ છે. - ત્રણ સંસ્કૃત કોશોની રચના દ્વારા હેમચંદ્રાચાર્યે સંસ્કૃત શબ્દશાસ્ત્રને વ્યાપમાં લેવા પ્રયાસ કર્યો છે. કોશરચનાની પાછળ ગુજરાતના સરસ્વતીપૂજકોને સહાયરૂપ થવાની તેમની ભાવના તરવરે છે. વળી ધવંતરિ, વ્યાડિ અને ધનપાલના કોશો કાળક્રમે નષ્ટ થયા, પરંતુ એનું દોહન આજે શ્રી હેમચંદ્રાચાર્યના કોશ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. એ દષ્ટિએ પણ આ શબ્દકોશનું મહત્ત્વ છે.
“સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન'ના આઠમા અધ્યાયમાં મળતા પ્રાકૃત વ્યાકરણને લક્ષમાં રાખીને શ્રી હેમચંદ્રાચાર્યે “દેશીનામમાળા'ની રચના કરી. વ્યાકરણના નિયમાનુસાર શબ્દો સિદ્ધ થતા ન હોય તેમ છતાં ભાષામાં પ્રયોજાતા હોય એવા શબ્દોનો હેમચંદ્રાચાર્યે દેશીનામમાલા'માં સંગ્રહ કર્યો. સંસ્કૃત કે પ્રકૃતિ સાથે સંબંધ ન ધરાવતા દેશ્ય ભાષાઓના શબ્દસંગ્રહ ઉપરાંત સંસ્કૃત અને પ્રકૃત ભાષામાં કાલગ્રસ્થ અથવા તો તદ્દન અપરિચિત બની ગયેલા શબ્દો પણ આમાં સંગ્રહ પામ્યા છે. વળી જેના મૂળ વિશે સંશય હોય તેવા કેટલાક શબ્દોનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ ૭૮૩ ગાથામાં લગભગ ૩,૯૭૮ શબદો આ કોશમાં સંગ્રહિત થયા છે.
શબ્દશાસ્ત્ર અને કોશની રચના કર્યા બાદ કલિકાલસર્વજ્ઞની દષ્ટિ કાવ્યશાસ્ત્ર તરફ વળી. સંસ્કૃત અલંકાર ગ્રંથોની પરંપરામાં હેમચંદ્રાચાર્યે કાવ્યાનુશાસન'ની રચના કરી. 'કાવ્યાનુશાસનના મુખ્ય ત્રણ ભાગ છે: (૧)સૂત્ર (૨) વ્યાખ્યા અને (૩) વૃત્તિ. આઠ અધ્યાયમાં લખાયેલા આ ગ્રંથમાં કુલ ૨૦૮ સૂવો છે. સૂત્રોની વ્યાખ્યા કરનારી ચર્ચા ‘અલંકારચૂડામણિને નામે મળે છે. જ્યારે એ વ્યાખ્યાને વિશેષ સ્પષ્ટ કરવા માટે વિવેક નામની ઉદાહરણ સહિતની વૃત્તિ મળે છે. આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org