SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ©©© જ્ઞાનધારા 020 ધર્મના અનુયાયી વર્ગ પણ પોતપોતાના ક્ષેત્રમાં જે ભૂમિ પર જન્મ લીધો હોય ત્યાં જ ભરણપોષણ પામી વ્યવસાય અર્થે પણ ત્યાં જ સ્થિર થતો. સુ-દૂર ભૂતકાળમાં નહોતું સંસારી ગૃહસ્થનું એટલું આવાગમન (ચક્રમણ) કે નહોતું સંસાર ત્યાગી મુનિવર્ગનું વિહાર પરિભ્રમણ. પોતપોતાના ક્ષેત્રમાં રહી ગૃહસ્થ અર્થોપાર્જન કરતો હતો, તો સાધુ-સાધ્વીજી ભગવંતો સ્વ-પરને ઉપકારી સાધના આરાધના કરતાં – કરાવતાં હતાં. આજના ઝડપી પરિવર્તનકાળમાં આર્થિક, ભૌગોલિક, સામાજિક અને રાષ્ટ્રીય પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અનેક પરિબળોના સંપર્કમાં આવી માનવસભ્યતાનો વિકાસ ત્વરિત થઈ રહ્યો છે. ત્યારે જૈન સમાજ ભારતના પ્રત્યેક પ્રાંતમાં તો વિસ્તર્યો જ, પણ દૂર દેશાવરમાં અધ્યયનાથે કે વ્યવસાયાર્થે સ્થિર થવા લાગ્યો તેમ જ રોજરોજ સંખ્યામાં વધારો થતો જાય છે. ત્યારે જૈન સાધુસંતોનો સમાગમ તેમને માટે મુશ્કેલ બની ગયો છે, કારણકે એક તો પંચમકાળમાં સાધુ-સંતોનું સંઘાયણ પણ એટલું ઉત્કૃષ્ટ હોતું નથી કે તેઓ દૂરદૂર સુધી વિહાર કરી શકે. બીજું સાધુ-ભગવંતોની સમાચારી અને સંયમી જીવનની મર્યાદાને કારણે જૈન સાધુ-સાધ્વીજી બધી જગ્યાએ જવા અસમર્થ હોય છે. વળી જ્યાં જૈનોનાં થોડાંઘણાં કુટુંબવાળી વસતિ હોય, પણ વિહારની વિકટ સમસ્યા, વ્રતોની મર્યાદા વગેરે કારણોને લીધે પહોંચી શકતાં નથી. આમ અમુકઅમુક ક્ષેત્રોમાં સાધુ-સંતો પહોંચી શકતા ન હોવાને લીધે ત્યાં વસતાં જૈન કુટુંબો ધીરે ધીરે જૈન સંસ્કારોથી વિમુખ થવા લાગે છે. આવી પરિસ્થિતિ વધારે વખત ચાલે તો આવનારી નવી પેઢી જૈનાચારથી બિલકુલ વંચિત રહી જાય, જેના કારણે ન કેવળ ધર્મસંસ્કાર, પરંતુ આર્ય સભ્યતા તેમ જ ભારતીય સંસ્કૃતિથી પણ સમાજ દૂર હડસેલાતો જાય છે. આમ જૈન પરિવારોને વારસામાં મળેલા જૈન ધર્મના સંસ્કારો લુપ્ત થઈ જાય અને અન્ય ધર્મગુરુ કે ધર્મસ્થળનું આલંબન મળતા નવી પેઢી જિન કથિત અહિંસા ધર્મથી વંચિત રહી જાય ને અન્ય ધર્મ તરફ ઝુકાવ આવે એમાં બેમત નથી. ભૂતકાળમાં પણ આવી વિકટ પરિસ્થિતિનો સામનો જૈન ધર્મે કર્યો હતો. જૈન ધર્મ ઉન્નતિના પંથે હતો, પણ ગામેગામે જૈન સાધુ-સંતો પહોંચી શકતા ન હતા. આથી લોકો ગામમાં પ્રચલિત સનાતન-વૈષ્ણવ આદિ ધર્મ પ્રત્યે આકર્ષણ અનુભવતા. - ૧૧૨ ભાઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy