________________
OMS © જ્ઞાનધાર ૭૦ કરી ટૂંકાં અને રસ્પદ અનુષ્ઠાનોની યોજના કરવી આવશ્યક છે.
૨. જૈન ધર્મનાં વૈજ્ઞાનિક તથ્યો અને ધર્મની વાતોને વૈજ્ઞાનિક રીતે રજૂ કરવાની પદ્ધતિઃ - જૈન ધર્મની કેટલીક વાતો કેવલીગમ્ય છે અને તેની ચર્ચા કરવી અસ્થાને છે. દા.ત. જૈન ભૂગોળ અને આજની આપણી ભૂગોળ તદુપરાંત અમુક બાબતોમાં આમ્નાય ભેદો પણ છે. દા. ત. ભગવાન મહાવીરના જીવનની ઘટનાઓ, માતા ત્રિશલાને આવેલ સ્વપ્નો (૧૪-૧૬), દેવલોકની સંખ્યાં (૧૨-૧૬) વગેરે. આવા વિષયોને ગૌણ કરવાની જરૂર છે. જે વસ્તુ સમજી શકાય નહીં તેની ચર્ચા કરવી અયોગ્ય છે.
કેટલીક વાતો તદ્દન વિજ્ઞાન સાથે સહમત છે અને તે વિગત સ્પષ્ટ કરવાની જરૂર છે. દા. ત. કંદમૂળ ન ખાવાનું કારણ: અનંતકાય છે તે સમજાવવું કઠિન છે એટલે પ્રથમ વૈજ્ઞાનિક કારણો સમજાવવાં - ફળ અને લીલોતરીમાં અલ્પહિંસા થાય છે, જ્યારે કંદમૂળ કાઢવામાં સંપૂર્ણ છોડનો નાશ થાય છે. વળી, આસપાસ ધરતીમાં રહેતા અન્ય જીવોને પણ દુઃખ થાય છે અને સૂર્યના તાપ વગર તૈયાર થયેલ વનસ્પતિમાં સાત્વિકતા પણ ઓછી હોય છે. પછી અનંતકાય છે તેવું પુરવાર થઈ શકે છે તે રીતે સમજાવવું -એક બટેટાના અનેક ટુક્કા કરી વાવવાથી દરેકનો છોડ થાય છે, કારણકે એ સર્વેમાં જીવ છે. વટાણાનો એક દાણો-પ્રત્યેક વનસ્પતિ-ના બે ભાગ કરવાથી એક પણ ઊગશે નહીં, કારણકે એક જ જીવનો નાશ થઈ જાય છે.
આ યુગમાં રજૂ કરવા માટે રસપ્રદ સાધનો ઉપર્યુક્ત છે અને ઈન્ટરનેટ દ્વારા ઘણી જ માહિતી મળી શકે છે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી રજૂઆતને આકર્ષક કરી શકાય અને વિશાળ જનસમુદાયને પહોંચાડી શકાય.
૩. ચતુર્વિધ સંઘ સંચાલન : - આ યુગમાં જૈન ધર્મ વિભાજિત થઈ રહ્યો છે તે રોકવું અતિઆવશ્યક છે, માન્યતા ભેદ, અનુષ્ઠાન અને ક્રિયાભેદ વગેરે રહેવાના, પરંતુ ભેદથી ઉપરની વિગતોને ગૌણ કરવામાં આવે છે. ભગવાન મહાવીર એક જ છે. તીર્થંકર ૨૪ છે.
જન્મ ૧૩૦ ૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org