________________
©©© જ્ઞાનધારા જ010
આજના યુવાનો 31ની ઉજવણી તો બહુ શાનપૂર્વક એન્જોય કરે છે, પણ શું આપણા ધર્મતહેવારોમાં આટલા ઉત્સાહથી રસ લઈએ છીએ ખરા? જો ન લેતા હોઈએ તો તે માટે સભાન કરવા જોઈએ. જીવન એવું જીવો કે લોકો અંજાઈ ન જાય, પણ લાગણીથી ભીંજાઈ જાય. આપણે સૌ નવા વર્ષની-જન્મદિવસની ઉજવણી તો કરીએ છીએ, પરંતુ આપણું જીવન એટલું ભવ્ય બનાવીએ કે આપણો ક્ષણેક્ષણે નવા વિચારોથી પુલકિત થઈ જઈએ તો અને તો જ જીવનને દીપાવી શકીશું અને અન્યના જીવનને પણ દીપાવી શકીશું. માટે આજનો યુવાન 31st Dance - Drink & Merry થતો ગયો છે એ દુઃખની વાત છે, આપણને નિરાશ બનાવી નાખે છે, પરંતુ યુવાનોમાં Divine » Depth - Dedication અને આ ત્રણનો ત્રિવેણી સંગમ 3D હોવા ખૂબ જરૂરી છે જેથી ભારતીય સંસ્કૃતિને દીપાવી શકીએ અને ભારતીય સંસ્કૃતિનો ભવ્ય વારસો, પ્રબુદ્ધોની વાણીને આપણે જીવિત રાખી શકીશું. એવમ્ ક્ષમા, દયા, કરુણા, પ્રેમ વગેરેથી આ જીવનવૃક્ષને સીંચીએ જેથી ભાવિ પણ ઉજ્વળ બની રહે અને ન રહે શોક કે મોહ! ફક્ત નિજાનંદ...નિજાનંદ. જે વ્યક્તિને વિજ્ઞાનતિ: બનાવી શકશે. જો વિજ્ઞાનતઃ બનીશું તો જ આપણે મહાવીરનાં બાળકો તથા એના વારસાને આપણે પચાવ્યો છે એવું કહી શકીશું, તો બનવું છે ને વારસદાર...?
તો પછી રાહ કોની જુઓ છો? પામીએ ધર્મના મર્મને.... ધર્મના અભિમુખ રહેવું છે ને ?
સંદર્ભ ગ્રંથો : • જગતના વિદ્યમાન ધર્મો - ડૉ. જયેન્દ્ર એ. યાજ્ઞિક યુનિ.
ગ્રં. બોર્ડ અનુવાદ- પ્ર. આ. ૧૯૮૪. • તમારા મૃત્યુ પર કોણ આંસુ સારશે ? - રોબિન શર્મા
- જયકો પબ્લેિ., મુંબઈ - ૨૦૧૩. • જિંદગી જીવવાની જડીબુટ્ટી-ડેલ કોર્નગી - આર. આર. શેઠ, કંપની,
મું. – ૨૦૧૩. • ધર્મ રાહ બતાવે રામાયણ – મોરારિબાપુ – સં. યોગેશ ચોલેરા
વન્ડરલેન્ડ, રાજકોટ - ૨૦૧૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org