________________
©©© જ્ઞાનધારા 0790 હિઝનબર્ગ, જીન્સ અને એવા બીજા અગ્રગણ્ય વૈજ્ઞાનિકોએ રજૂ કરેલા વિજ્ઞાનના છેલ્લામાં છેલ્લા સિદ્ધાંતોનું ભારતના ઋષિઓ દ્વારા એ સમયે પ્રતિપાદન થયું છે કે જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિ તો હજી તેના બાલ્યકાળમાં ધૂળમાં રમતી હતી.
અધ્યાત્મ માનવના અંતરમાં રહેલ દુર્વાસનાઓના મળને ધોઈ નાખવાનું કામ કરે છે. અધ્યાત્મની સહાય વડે અંતઃકરણ નિર્મળ થયા પછી માનવ પાસે જે કાંઈ શક્તિ હશે તેનાથી એના જીવનમાં સુખ-શાંતિ પ્રસરશે. અન્યથા વિજ્ઞાન દ્વારા શક્તિ અને સમૃદ્ધિ એ કદાચ મેળવી શકશે, પણ સુખ અને શાંતિ માટે વલખાં મારવાનું જ એના નસીબે રહેશે.
જૈનોના આગમ સાહિત્યને ચાર વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે: (૧) દ્રવ્યાનુયોગ (૨) ગણિતાનુયોગ (૩) ચરણકરણાનુયોગ (૪) ધર્મકથાનુયોગ જંબુદ્રીપ્રશમિ, સૂર્યપ્રશમિ, દ્રિપસાગરપ્રજ્ઞમિ વગેરે આગમો તથા લઘુ ક્ષેત્રસમાસ, બૃહસ્સેત્રસમાસ, બૃહત્સંગ્રહણી, લધુસંગ્રહણી તથા જ્યોતિષકરંડક વગેરે ગ્રંથો ગણિતાનુયોગ વિભાગમાં આવે છે. તે સમયનાં પ્રાપ્ત જૈન ગણિતને બે વિભાગમાં બતાવી શકાય. (૧) ગણિતાનુયોગ : ગણિતિક સિદ્ધાંતો (૨) સંખ્યાન : સંખ્યા વિજ્ઞાન.
જંબુદ્વીપપ્રશમિ નામના જૈન આગમમાં જૈન ગણિત પ્રમાણેની અંક સંખ્યા બતાવી છે. એક રીતે તો તેનો પાયો ૧૦નો જ છે. આમ છતાં ૮૪ લાખની સંખ્યા પછી જૈન સાહિત્યમાં ૧૦ના પાયાની સાથે સાથે ૮૪ લાખનો પણ પાયો બતાવવામાં આવ્યો છે અને એ ૮૪,૦૦,૦૦૦ના પાયાવાળા કુલ ૩૬ અંકો છે. તેને ૧૦ના પાયામાં ફેરવતાં ૨૫૦ આંકડાની સંખ્યા આવે છે જેનું નામ જૈન શાસ્ત્રોમાં હીર્ષપ્રહેલિકા બતાવવામાં આવ્યું છે.
જૈન શાસ્ત્રકારોએ ૨૫૦૦ વર્ષ પહેલાં આવી મોટી સંખ્યા બતાવી હતી. જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. અત્યારનાં આધુનિક ગણયંત્રોને પણ ૮૪ના ૭૦ અંકોને મેળવતાં લગભગ બે કલાક જેટલો સમય લેવો પડે છે. જ્યારે પ્રાચીનકાળના ભગવાન મહાવીર જેવા કેવળજ્ઞાનીઓએ આવી સંખ્યા ખૂબ જ સ્વાભાવિક રીતે કોઈ પણ જાતની ભૂલ વગર જણાવી છે. અહીં નોંધપાત્ર હકીકત એ છે કે આવી મોટી સંખ્યા પણ ભગવાન મહાવીરના સમયથી લઈને શ્રીદેવદ્ધિગણિ
- ૨૧૦ ૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org