________________
©©© જ્ઞાનધારા 0266 પ્રતિસાદ મળશે. આજે ઘણા એવા મુમુક્ષુઓ છે જે સાધુવ્રતનું પાલન કરવા અસમર્થ છે, પણ ધર્મપ્રચાર માટે ઉત્સુક છે તેમ જ કેટલાય પ્રભુતામાં પગલાં પાડવા નથી ઇચ્છતા અને આજીવન બ્રહ્મચર્ય સહિત ધર્મપાલન કરવા ઉત્સુક છે. આવા ધર્મિષ્ઠ, ધર્મવૃત્તિવાળા આમાં જોડાશે તો ઉત્તમ લાભ થશે તેમ જ ભાવદીક્ષિત મુમુક્ષુઓને દીક્ષા આપતા પૂર્વે પાંચથી સાત વર્ષ ફરજિયાત આ ક્ષેત્રમાં રાખવા કે જેથી ઉત્તમ કાર્ય થશે.
આમ ઉપર્યુક્ત નિયમો સાથે જો દરેક સંપ્રદાયોમાં વિવેકપૂર્વક આવા જૈન ધર્મપ્રવર્તકો કે જૈન ધર્મપ્રચારકોની શ્રેણી શરૂ કરવામાં આવે તો ભગવાન મહાવીરે બતાવેલી સાધુસમાચારીનું શુદ્ધ પાલન થાય તેમ જ જૈન ધર્મનો પ્રચાર પણ વધે. જૈન ધર્મથી વિમુખ થતી યુવા પેઢીને જૈન ધર્માભિમુખ કરી શકાય. આમ આત્મકલ્યાણ સાથેસાથે પરકલ્યાણ થાય એમાં બેમત નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org