SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ OCTC જ્ઞાનધા ૨૦ 0 0 સ્વાથ્ય એ જ જીવન છે; મન અને દેહ-સ્વાધ્યની નિર્બળતા એ મૃત્યુ છે. માટે આ શરીર પ્રત્યે આપણાથી બેકાળજી સેવી શકાય નહિ. જે આવી કાળજી નથી રાખતો તે પાછળથી પસ્તાય છે. બીજી વાત પણ ધર્મી માણસે યાદ રાખવી ઘટે કે આત્મા શરીરથી જુદો છે એ વાત તો સાચી પણ જ્યાં સુધી શરીરમાં વસે છે ત્યાં સુધી શરીર એની ગાડી છે, આત્મા એનો હાંકાનાર છે. આ શરીર તારક પણ બની શકે, મારક પણ બની શકે. વિવેકથી વર્તવાનું છે અને તેમ થાય તો સંપૂર્ણ અંગોપાંગ એ ગુણ છે. - પ. પ્રકૃતિ સૌમ્યત્વ:- સ્વભાવમાં કોમળતા રાખવી જરૂરી છે. એથી માણસ પોતાની ભાષા અને પ્રકૃતિ પર કાબૂ મેળવી શકે છે. પછી એનાં જીવનમાં સૌમ્યતા સ્વાભાવિક થઈ જાય છે. આ સૌમ્ય પ્રકૃતિ એટલે દરેક કામ શાંતિથી કરવું. ક્રોધને છોડી દેવો. માન-માયા-લોભથી દૂર જ રહેવું. પ્રકૃતિસૌમ્ય થવું અને નિઃસ્વાર્થી બનવું એ જ ખરી મહાનતા છે. ૬. સારું વાતાવરણ :- આપણે એવા વાતાવરણમાં જીવવું જોઈએ કે જેમાં સગુણો આવતા જાય અને દુર્ગુણો જતા જાય. સારાં પુસ્તકો, સારા મિત્રો અને સારું વાતાવરણ માણસના જીવનને ઘડે છે. માણસનું વાંચન એની જિંદગીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે, મોટો ફાળો આપે છે. આપણું મગજ ખૂબ જ નાજૂક છે. તેની ઉપર ખરાબ વાતોના આઘાત ન પડવા જોઈએ. પ્રથમ તો મગજનો જૂનો દંશ, કચરો દૂર કરવાનો છે. પછી એમાં આદર્શોનાં આંદોલનો ઊભા કરીએ તો જ આપણે આત્માની સાથે એકાકાર થઈ શકશું. જેમ પુષ્પો સદાય સુગંધ આપે છે તેમ આપણા મનને પણ આપણે સદાય સુગંધિત રાખવાનું છે. આ માટે મન-વચન-કાય એ ત્રણેની યોગરૂપી સંવાદિતા જરૂરી છે. ૭. જીવનપરિવર્તન :- આપણી કાયા એ માટીનું પૂતળું છે, એમાં રહેલાં સગુણો તે જીવનનું એનું છે. આ સગુણો કેળવીએ તો માટીમાંથી સોનું બને. ધર્મનું આ જીવન એટલે આંતરિક સૂક્ષ્મ પરિવર્તન ૮. લોકપ્રિયતા :- કોઈની નિંદા ન કરવી. દોષ તો માણસમાં હોય છે પણ બીજાના દોષોની નિંદા કરવી એ પાપ છે. કોઈને ઉતારી પાડવા એ યોગ્ય નથી. જેને નથી આવડતું, એને સમજણ આપી સુધારો, એનો ઉપહાસ કરવો એ યોગ્ય નથી. બીજું જે વ્યક્તિને લોકો નિંદતા હોય તેવાની સોબત ન રાખવી. - ૧૨૨ - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy