________________
©© જ્ઞાનધારા ૭૦ થયા છે અને તેને લીધે ગ્રંથોનો અભ્યાસ સરળ-સુલભ બન્યો છે. તેમાં ગુરુભગવંતોની અથાગ મહેનત અને પરિશ્રમ તો છે જ, પરંતુ સાથેસાથે હસ્તપ્રત ભંડારનો સંગહ જેમની પાસે રહેલો છે એવા જૈન સંઘ કે જૈન સંસ્થાઓના સંચાલકોની ઉદારતા પણ ખૂબ જ ભાગ ભજવે છે. છેલ્લાં પચ્ચીસ વર્ષમાં ઘણાબધા હસ્તપ્રત ભંડારોનું આજની આધુનિક ટેક્નોલોજી દ્વારા ડિજિટલાઈઝેશન થયું છે અને તેમાં સંચાલકોએ ઉદારતાપૂર્વક મંજૂરી આપી છે ડિજિટલાઈઝેશનના લીધે હસ્તપ્રતમાં રહેલ યુતની રક્ષા પણ થઈ છે અને તેમાં રહેલ ગ્રંથો ઝેરોક્ષરૂપે સંશોધકો-વિદ્વાનોને ઉપલબ્ધ બન્યા છે. જેથી સંશોધકો-વિદ્વાનોને પોતાની રુચિ અનુસાર સમય અને શક્તિનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરવાની તક પણ મળી છે.
જૈન શ્રુત જેટલું સરળતાથી જૈન જ્ઞાનભંડાર કે જૈન વિદ્વાનોને ઉપલબ્ધ બન્યું છે તેના જેટલું જૈનેતર સંસ્થાઓમાં નથી. જુદા જુદા જૈન સંઘોમાં રહેલ પોતાના આગવા જ્ઞાનભંડાર તો છે જ, પરંતુ સમુદાય કે ગુરુભગવંત પ્રેરિત વિશાળ જ્ઞાનભંડારો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આ નવા બનેલ ઈન્સ્ટિટ્યૂટમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા પાંચ-દસ કે પંદર વિદ્વાન પંડિતોની કાયમી નિમણૂક કરીને સંશોધન તેમ જ અભ્યાસ માટેના ઉપયોગી બધા જ ગ્રંથોનો એક જ જગ્યાએ સંગ્રહ કરવામાં આવેલ છે. જેથી એક જ સ્થળેથી બધી જ માહિતી તેમ જ ગ્રંથો સરળતાથી ઉપલબ્ધ બને છે અને આ સંસ્થાઓ દ્વારા ડિજિટલાઈઝેશન કરીને ઘણાબધા ગ્રંથો વેબસાઈટ પર પણ મૂકવામાં આવેલ છે. તેઓના દ્વારા ખૂબ જ ઉત્તમ સાહિત્યનું સંશોધન-સંપાદન કરીને પ્રકાશિત કરવામાં આવે છે અને પ્રકાશિત કરેલ તમામ સાહિત્ય વેબસાઈટ પર પણ મૂકવામાં આવે છે જેથી કરીને દ્રવ્ય-ક્ષેત્ર કે કાળના બંધન વગર વિદ્વાનો અને રુચિવંત શ્રાવકો પોતાના અભ્યાસ માટે ઉપયોગી પુસ્તક સરળતાથી વાંચી શકે છે અને ગુરુભગવંતોને જરૂર મુજબ પુસ્તક ડાઉનલોડ કરીને પ્રિન્ટનકલ પણ ઉપલબ્ધ કરાવી શકાય છે. આ રીતે ટેક્નોલોજીના ઉચિત ઉપયોગ દ્વારા જૈન શ્રતનો ખૂબ જ ઉત્તમ ફેલાવો અને પ્રચાર-પ્રસાર થયો છે.
વિશ્વનાં અન્ય દર્શનોની સરખામણીમાં વધુ પ્રચાર-પ્રસાર થવો જોઈએ. તેનાં થોડાંક પાસાની છણાવટ કરી છે.
૨૨૮ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org