________________
2200 2000
ચતુર્વિધ સંઘમાં જૈન િડૉ. મધુબહેને હિન્દી કાવ્યો શ્રાવકામંડળોની ભૂમિકા સાહિત્યમાં Ph.D. કર્યું છે. ડૉ. મધુબહેન જી. બરવાળિયા
| અને “સોહમ શ્રાવિકા મંડળ
સાથે સંકળાયેલાં છે. જેના જૈન સંસ્કૃતિની રક્ષા અને સંવર્ધનમાં નારીએ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ‘શાકાહાર” (અનુવાદ), આ અવસર્પિણીકાળના ચોથા આરામાં પ્રથમJઅધ્યાત્મ સુધા’ અને તીર્થકર ઋષભદેવનાં માતા મરૂદેવીએ મોક્ષનાં દ્વારા,
| ‘અધ્યાત્મ સૂર” (સંપાદન)
પુસ્તકો પ્રકાશિત થયાં છે. ખોલ્યાં અને સાબિત કર્યું કે સ્ત્રી માટે પણ ' મોક્ષનાં દ્વાર ખુલ્લાં છે.
માતા તો ગજસુકુમારની મા દેવકી જ કહેવાય, કે જે ભરયૌવનમાં દીક્ષા લેવા તૈયાર થતાં સાતમા અને છેલ્લા દિકરાને આશિષ આપી કહે કે, બેટા! સુખેથી દીક્ષા લે, પણ આ સંસારમાં છેલ્લી મા હવે મને જ બનાવજે! - રાજા પ્રતિની માતાએ દિગ્વિજયી બનીને આવેલા દીકરાને સમગ્ર ધરતીને જિન મંદિરોથી વિભૂષિત કરી દેવાની અનુપમ પ્રેરણા કરી!
નેમનાથ જ્યારે પ્રભુતા તરફ પગલાં માંડવાને બદલે સંયમ તરફ વળ્યા ત્યારે રાજુલ સાચા અર્થમાં સાથી બન્યાં અને આગળ જતાં નેમનાથના ભાઈ રહેનેમિને પતનના વિચારોમાંથી સંયમ માર્ગે લઈ જઈ મહાસતી રાજુલે શ્રમણ સંસ્કૃતિની રક્ષાનો ઈતિહાસ સર્યો.
પ્રથમ તીર્થંકર આદિનાથથી લઈ ચરમ તીર્થંકર દેવાધિદેવ મહાવીરસ્વામી સુધીના સમયગાળામાં અનેક શીલવંત સતીઓ, મહાસતીજી અને શ્રાવિકાઓનાં તપ-ત્યાગથી જૈન ઇતિહાસ ઝળકી રહ્યો છે.
તીર્થકરે સ્થાપેલા સંઘના ચાર પાયા - સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા એ ચાર પાયાનો ચોથો પાયો શ્રાવિકા છે અને વર્તમાન સમયમાં જિન શાસનના ચતુર્વિધ સંઘોની ગતિવિધિઓમાં આ શ્રાવિકાઓનો ફાળો મહત્ત્વનો અને નોંધનીય છે. '
દરેક સંઘનાં કાર્યોને સફળતા મેળવવા શ્રાવિકામંડળ કે જૈન મહિલા મંડળની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org