Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
JOBC જ્ઞાનધારા 0િ00 આચરણ હોય તો જ આપણે ધર્મના માર્ગે પહોંચી શકીશું, અન્યથા નહિ.
ધર્મ એટલે શ્રદ્ધા, મૈત્રી, શાંતિ, તૃપ્રિ-પુષ્ટિ, ઉન્નતિ, ક્ષમા, તિતિક્ષા, સુમતિ હોય તેવા ધર્મને આપણે સ્વીકારવો જોઈએ. ટી.વી. સિરિયલોમાં આવતી ધર્મપ્રેરક ફિલ્મ, પ્રેરક પ્રસંગોને પણ જોવા જોઈએ, જેથી દશ્ય-શ્રાવ્ય માધ્યમોથી પણ આપણે પામી શકીએ. યુવાનોમાં કથા - પ્રસંગો પ્રત્યે પણ અભિરુચિ કેળવવી જોઈએ. જેમ પવવિભૂષણ ડૉ. કુમારપાળ દેસાઈજીના મુખે જે કથાનું રસપાન થાય છે તો એવા ભાવોને પણ હૃદયસ્થ કરવાની જરૂર છે. '
ધર્મ તો શુદ્ધ ચૈતન્ય છે. શુદ્ધ ચૈતન્યમાં આજનો યુવાન તામસી બની ગયો છે, એવા યુવાનોને સભાન કરવાની જરૂર છે. જીવનમાં ધર્મનો આવિર્ભાવ થશે તો દંગા-ફસાદ, લૂંટફાટ, ચોરી, ભ્રષ્ટાચાર વગેરે ચોક્કસ દૂર થશે.
અત્યાર સુધી શસ્ત્રો જ ચાલ્યાં. પાવન કુરાને શરીફ જેવું કામ ન કર્યું તેટલું તલવારોએ કર્યું. પવિત્ર ભગવદ્ગીતા અને વેદોએ જે ન કર્યું તેટલું ધનુષ્યબાણે કર્યું. બાઈબલે જે કર્યું એનાથી વધુ તો બંદ્દો ચાલી. જો આવું હોય તો ધર્મને સૂક્ષ્મ રીતે શોધવાની જરૂર છે. વીર તો રણમાં જીતે એને કહેવાય. પણ આપણે તો રાગ દ્વેષ છતી અને મહાવીર થવાનું છે. એમના પંથે ચાલનારા છીએ તો પછી ઈર્ષ્યા, અસૂયા, રાગ-દ્વેષ આપણામાં હોય ખરાં ? મૂળ ધર્મના મર્મને પામી પ્રેમ-કર્મથી જીવનના મર્મ પિછાનવો જોઈએ. - યુવાનોએ ધ્યાન રાખવું ધાર્મિકતા કઈ કપડાથી નહિ, પણ કાળજાથી મપાય છે. આજના યુગમાં એટલે કે અતિઆધુનિક યુગમાં ફેશનવ્યસન-ટેન્શનમાં એટલા ખોવાઈ ગયા છીએ જેનાથી આંતરિક શુદ્ધિ તરફ બેધ્યાન બન્યા છીએ, તો આંતરશુદ્ધિ મહત્ત્વની છે. ધ્યાન, ધારણા, સાધના, મનન, ચિંતનથી આંતિરક શુદ્ધિ કેળવાશે જે ઊર્ધ્વગતિ પામવા સહાયક બની રહેશે.
આપણે તો વિરાટ ધર્મરૂપી વૃક્ષનું રોપન કરવું છે, તો પ્રેમ, કરુણા, ક્ષમા જેવા ગુણોને પરિપ્લાન્વિત કરી યોગ્ય આચાર, વિચાર, વ્યવહાર સમાન કરી અને એનાથી ધર્મરૂપી વૃક્ષનું સિંચન કરીએ જેનાથી એ વૃક્ષની છાયામાં રહી શકીએ અને અન્યને પણ સહારો આપી શકીએ. ધર્મ એ શીખવાની વસ્તુ નથી, એ તો આપમેળે આપણામાં આવિર્ભત થશે. જેવા પડળ હટતા જશે તેમ તેમ
ક ૧૭૨ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org