Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text ________________
© C જ્ઞાનધારા Oછ0 તેઓને આધ્યાત્મિક અભ્યાસ કરવાનો પૂરતો સમય મળી રહે છે. આ સમયમાં મહાત્માઓની પોતાની આંખોની નબળાઈને કારણે જ અભ્યાસમાં ખલેલ ન પડે તે માટે ચાતુર્માસમાં નેત્રચિકિત્સા શિબિર યોજ, ઉપાશ્રયોમાં ઓપ્ટિશિયનને સાધનો સાથે મોકલી આંખોનું નિદાન કરવું જરૂરી છે, આંખોના નંબર તપાસી ચશ્માં વહોરાવવા જરૂરી છે.
(૬) દંતચિકિત્સા યા :
શ્રી આયુર્વેદ ડેન્ટલ રિસર્ચ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટના મે. ટ્રસ્ટી નિષ્ણાત દંતવૈદ્ય શ્રી લાભશંકર એફ શુક્લ જેવા નિષ્ણાત દંતચિકિત્સકની સેવાનો લાભ લઈ પૂ. ભગવંતો માટે સમયાંતરે દંતચિકિત્સા યજ્ઞનું આયોજન કરવું જોઈએ.
(૭) ૫. સાધુ-સાધ્વીજીના સ્વાથ્યને હાનિકારક કેમિકલયુકત પાત્રાના રંગને બદલે દેશી પદ્ધતિથી કુદરતી દ્રવ્યથી બનેલાં સંપૂર્ણપણે જ્યણાથી બનાવેલાં પાવા રંગવાના રંગોઃ
પરમ તારક પરમાત્મા શ્રી મહાવીરસ્વામી પ્રભુએ શાસનની જવાબદારી જેમના સ્કંધો પર મૂકી છે તેવા મહાત્માઓ પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોની બીમારીનાં અનેક કારણોનું એક કારણ છે તેમની ગોચરી માટેનાં પાત્ર રંગવા માટેના કેમિકલ રંગ, જે આહાર સાથે શરીરમાં પહોંચી પૂ. ભગવંતોના સ્વાસ્થને ખૂબ જ હાનિ પહોંચાડે છે.
આ દૂષણ દૂર કરવા માટે દેશી રંગો બનાવતા સાધર્મિક બંધુઓને શોધી કુદરતી દ્રવ્યના બનેલાં પાત્રા રંગવાનાં દ્રવ્યો પૂ ભગવંતોને વહોરાવવાનું અભિયાન હાથ ધરવું જોઈએ.
(૮) પૂ. ભગવંતો માટે શાસ્ત્રના અભ્યાસ માટે નિષ્ણાત પંડિતોની વ્યવસ્થા
પૂ ભગવંતો ચાતુર્માસ દરમિયાન એક જ સ્થાન પર સ્થિરતા ધરાવતા હોઈ તે સમય દરિમયાન શાસ્ત્રોના અભ્યાસ માટે તેઓને પૂરતો સમય મળી રહેતો હોય છે.
આ સમય દરમિયાન શ્રાવકોએ/સંઘના મોભીઓએ શાસ્ત્રના તજજ્ઞ પંડિતોને રાખી તેઓના આધ્યાત્મના અભ્યાસ માટે ઉચિત વ્યવસ્થા કરવી જોઈએ. પ્રભુ મહાવીરના ઉપદેશને આપણા સુધી પહોંચાડવાનું માધ્યમ એકમાત્ર સંયમધારી
૨૪૨ ભજન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284