Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text ________________
©©© જ્ઞાનધાર 02790 ગુરુભગવંતો જ છે. તેઓ જેટલા વધુ શાસ્ત્રના અભ્યાસમાં નિપુણ બનશે તેનો તેમને માટે આત્મિક લાભ તો છે, પરંતુ સાથે સાથે શાસનના શ્રાવકો માટે પણ આત્માની ઉન્નતિનું કારણ બની રહેશે.
(૯) ઘરડાં સાધુ-સાધ્વી માટે સ્થિરવાસ વ્યવસ્થા
ઘરડાં સાધુ-સાધ્વીજી ભગવંતો જેઓ શારીરિક રીતે અશક્ત થઈ ગયાં હોય, વિહાર કરી શકે તેમ ન હોય તેમને માટે શાસ્ત્રમાં ખાસ સંયોગોમાં સ્થિરવાસની પરવાનગી આપેલ છે.
નિર્દોષ ગોચરી, શાસ્ત્રીય અભ્યાસની અનુકૂળતા/સગવડતા અને યોગ્ય શારીરિક ઉપચાર માટેની ઉપલબ્ધિ હોય તેવા સ્થાનમાં સ્થિરવાસની પરવાનગી આપેલ છે. * જે સ્થળે શ્રાવકોની અવર-જવર હોય, શ્રાવકો માટે આહારપાણીની વ્યવસ્થા હોય તેવા સ્થાનમાં પૂ. ગુરુભગવંતોને નિર્દોષ ગોચરી ઉપલબ્ધ થઈ શકે તેમ હોય, તેમ જ ઘરડાં સાધુ-સાધ્વીજીની સેવા-ચાકરી માટે સાથે રહેલ યુવાન સાધુ-સાધ્વીજી માટે આધ્યાત્મિક અભ્યાસની અનુકૂળતા સાથે હોવી જરૂરી છે જેથી તેઓના શાસ્ત્રના અભ્યાસમાં બાધા ન આવે અને ઉત્તરોત્તર શાસ્ત્રોમાં આગળ વધી શકે. ઉપરોક્ત આ સ્થળની નજીકમાં જ ઘરડાં સાધુ-સાધ્વીજીના ઉપચાર માટે યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. આ પ્રકારની અનુકૂળતાવાળા સ્થાનમાં તેઓને સ્થિરવાસની પરવાનગી આપેલ છે.
આ તમામ વ્યવસ્થા સાચવવાની તેમ જ ન હોય તો યોગ્ય વ્યવસ્થા કરવાની ફરજ શાસનના શ્રાવકની/સંઘના મોભીઓની છે.
(૧૦) માતૃ પરઠવાની યોગ્ય વ્યવસ્થા :
ઘણી વખત ઉપાશ્રયો તો વિશાળ અને ભવ્ય હોય છે, પરંતુ ત્યાં માત્રુ (પેશાબ) પરઠવાની ભારે તકલીફ હોય છે. મોટાં શહેરોમાં મોંઘા ભાવની જમીન લીધી હોય એટલે એની ઈંચઈંચ જગ્યાનું બરાબર પ્લાનિંગ કરેલું હોય. વ્યાખ્યાન હૉલ વગેરે માટે જરૂર કરતાં પણ વિશેષ જગ્યા ફાળવેલી હોય, પરંતુ માત્રુ પરઠવાની વ્યવસ્થા પ્રત્યે દુર્લક્ષ્ય સેવાયું હોય છે. ત્યારે બને છે એવું કે સાધુસાધ્વીજી નછૂટકે નજીકની કોઈ જગ્યાએ માત્રુ પરઠવી આવે છે. એ જોઈને
" ૨૪૩ -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284