Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
TO C જ્ઞાનધાર ૭૦ લેવાય તેમાં ધર્મની ગ્લાનિ છે, પરંતુ અજાણી આંખોમાં લાગણીનાં સ્પંદન થાય તેમાં જ ધર્મનો જયજયકાર છે. ધર્મપ્રેમ તો ખરો, પરંતુ એથીય વિશેષ પ્રેમધર્મ મહત્ત્વના છે. આમેય જીવનમાં જીવી નાખનારા અને જીવી જનારા વચ્ચે બહુ તફાવત છે. શંકરાચાર્યે પણ યોગ્ય જ કહ્યું છે, પ્રસન્ન ચિત્ત પરમમિતિના અર્થાત્ પ્રસન્નચિત્ત જ પરત્માનું દર્શન છે. હસવું એ પણ એક સહજ ધર્મ છે. તિબેટિયને તો લાફિંગ બુદ્ધા પણ બનાવ્યા. એ બધું આપણા ઘરમાં રાખીએ છીએ, પરંતુ ઘરમાંથી હાસ્યને જાકારો આપી દીધેલ છે! ક્યાં છે એ હાસ્યધર્મ ? મનની પ્રસન્નતા, સુજુતા, સાલસતા ! હસો જેથી સોહમ સુધી પહોંચી શકાય. (હસો-સોહમ્ ઉધાવણું) આપણે હસી ત્યારે જ શકીએ જ્યારે આપણામાં રહેલાં મલિન તત્ત્વોને તિલાંજલિ આપી હોય અને સાત્વિક ભાવોને હૃદયમાં આવકાર્યા હોય તો જ નિર્મળ હાસ્ય રી શકે અને મન મૂકીને આપણે વરસી શકીએ. માટે યુવાનોને ખાસ ધર્મ પ્રત્યે જાગૃતિ કેળવવા પણ ચિંતન શિબિરો થવી જરૂરી છે, કારણકે આપણે તો અખંડ સમાજ-અખંડ રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે. તો અપૂર્ણતાને ખંડિત કેવી રીતે કરી શકાય ? અખંડના સૂત્રથી જ આપણે યુવાનોને પરમખંડ સુધી લઈ જઈ શકીએ. મનુષ્યજીવન મળ્યું છે તો એને ખોવાનું નથી, પરંતુ એ મનુષ્યજીવનને આપણે જીતવું જોઈએ. આજના યુવાનો મોબાઈલ-ઈ.નેટ - ટેબ્લેટમાં ખોવાઈ ગયા છે એમને મેડિટેશન, સાધના, ધ્યાન, ઇત્યાદિ પ્રત્યે જાગરૂકતા કેળવવી જોઈએ, કારણકે આપણે બાહ્ય રીતે તો સમૃદ્ધ છીએ, પણ આંતરિક રીતે સમૃદ્ધ થવાની જરૂર છે. આમેય કહ્યું છે ને ગુરુના પગે પડવું સહેલું છે, પણ ગુરુના પગલે ચાલવું અઘરું છે. આજના યુવાનનું વ્યક્તિત્વ લુપ્ત થયું છે. યુનિવર્સિટીનું લેબલ લગાડેલું વ્યક્તિત્વ તો મળે છે, પણ વિચારોનું ઊંડાણ કે જ્ઞાનની ઊંચાઈનો એનામાં સદંતર અભાવ છે. ક્યાં છે એ નચિકેતા ૧ ક્યાં છે વિમળતાથી દીપતા એકલવ્યો અને ક્યાં છે જ્ઞાનની તેજસ્વિતાને તપસ્વિતાથી ઝળહળતા યાજ્ઞવાકયો? યુવાનરૂપી રત્નને સમાજનું ઘરેણું બનાવવાની જરૂર છે. ધર્મરૂપી બેંકમાં દાખલ થશે તો એનું વ્યાજ ડબલ થશે. દૂષણો-પ્રદૂષણોથી મુક્ત અને દેવગુરુના સંગથી યુક્ત બની જન્મ-જન્મના બંધનથી મુક્ત થશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org