Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
છC જ્ઞાનધારા 0266 દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન મેળવી શકે છે, અર્થાત્ માત્ર સ્પર્શેન્દ્રિય-ત્વચા દ્વારા તે જોઈ પણ શકે છે, સુગંધ કે દુર્ગધનો અનુભવ પણ કરે છે, શબ્દ પણ સાંભળી શકે છે તથા સ્વાદ પણ માણી શકે છે.
કર્મવાદની સાબિતી : " આપણાં પ્રત્યેક વિચાર - વર્તનના આપણને ભોગવવા પડતા પ્રત્યાઘાતોની વિશદ્ સમજ આપતો કર્મનો સિદ્ધાંત જૈન, બૌદ્ધ, હિંદુ આદિ આધ્યાત્મિક વિચારધારાઓમાં અપનાવાયેલો છે. પરામમનોવિજ્ઞાનનાં સંશોધનો દરમિયાન કર્મના એ સિદ્ધાંતને પણ સમર્થન મળ્યું છે. બીજો જન્મ ક્યાં લેવો એની પસંદગી કરી શકાય છે ખરી? એ પ્રશ્નનો એ જ રીગ્રેશનના અખતરાઓ દરમિયાન ઉત્તર મળ્યો છે કે એવી પસંદગી કરી શકાતી નથી, પરંતુ પૃથ્વી પરનું પહેલાનું જીવન કે અન્ય ગ્રહો પર વિતાવેલું જીવન વ્યક્તિએ જે રીતે ગાળ્યું હોય એને અનુસાર જ નવા જીવનમાં તે ક્યું શરીર ધારણ કરે અને સમાજમાં કેટલો મોભો ધરાવે તે નક્કી થતું હોય છે.
હિપ્નોટિક ટ્રાન્સની મદદથી એક હજારથી વધુ વ્યક્તિઓનાં પૂર્વજીવનોનો અભ્યાસ કર્યા પછી ડો. એલેકઝાંડર કેનને નોંધ્યું છે કે ગત જન્મમાં આચરેલ કોઈ દુષ્ટ કૃત્યના બદલામાં તે વ્યક્તિ, ક્રિયા-પ્રતિક્રિયાના આ નિયમના કારણે, આ જીવનમાં કેવી રીતે દુઃખી થાય છે તે દર્શાવીને, આ અભ્યાસ, પ્રકૃતિતંત્રમાં અત્યંત વ્યાપક અર્થમાં પ્રવર્તતા અદલ ન્યાયની વાત કહી જાય છે. કેટલાય માણસો નથી સમજી શકતા કે, તેમના માથે ઉપરાઉપરી અનેક આપત્તિઓ કેમ ત્રાટક્યા કરે છે? એમના ગત જન્મોમાં નજર નાખતા જણાય છે કે એમણે પૂર્વે દૂર કર્યો કર્યો છે. જ્યારે કોઈ આજે ગમે તે વર્તે છે તોય એનાં પાસા પોબાર જ નજરે પડે છે તે ગત જન્મોમાં એણે કરેલ કોઈ સત્કાર્યનું, પુણ્યકર્મનું ઈનામ ન હોઈ શકે?
' ગણિત વિજ્ઞાન :
વર્ગમૂળ સંબંધી એક ખયાલ પાયથાગોરસના કહેવાતા પ્રમેયમાંથી ઉત્પન્ન થયો. અહીં કહેવાતા શબ્દનો પ્રયોગ કરવાનું કારણ એટલું જ છે કે પાયથાગોરસના જન્મ પહેલાં સદીઓ પૂર્વે ભારતમાં પાયથાગોરસના આ પ્રમેય સંબંધી પ્રાયોગિક
* ૨૦૬ ૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org