Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
OCCC જ્ઞાનધારા OિOGO - પ્રતિક્રમણ કરવા હોય તો કરી શકતો નથી. ત્યારે ધર્મસ્થાનોમાં લોકરની વ્યવસ્થા હોવી જોઈએ જ્યાં એ પોતાનાં કીમતી ગેઝેટો જમા કરીને અંદર નિશ્ચિત બેસી શકે.
કદાચ કોઈ યુવાન આ ગેઝેટો સાથે આવી જાય તો તેને તિરસ્કૃત ને કરતા પ્રેમથી સમજાવીને આ સાધનો પાસે શા માટે નથી રાખવામાં તે સમજાવવું.
આજના યુવાનોને વર્તમાને અસર કરે એવો ધર્મ જોઈએ છે, માટે એને ધર્મનું સ્વરૂપ આગળ બતાવ્યું છે તે સમજાવવું. ધર્મનો મર્મ બરાબર સમજાવવો.
• ધર્મના દરેક સિદ્ધાંતો, દંતકથા નહિ, પણ દષ્ટાન્ત સહિત વૈજ્ઞાનિક ઢબે તાર્કિક રીતે સમજાવવા.
• આજે રિસોર્ટનો જમાનો છે, માટે જૈન પદ્ધતિના જૈન ધર્મનું સ્વરૂપ સમજાવે એવા પેવેલિયનોવાળા રિસોર્ટ બનાવવા જ્યાં ઓછા ખર્ચે આનંદ-પ્રમોદ કરી શકે એવી વ્યવસ્થાઓ કરવી. આ બધી વ્યવસ્થાઓ જાણકાર શ્રાવકોએ મળીને રૂપરેખા બનાવીને કરવી. શ્રાવકો જ બધી વ્યવસ્થા કરે તો સાધુભગવંતોને એમનો કીમતી સમય આની પાછળ વેડફવો ન પડે. સજ્જનોની નિષ્ક્રિયતા વધુ નુક્સાનકારક છે એ ઉક્તિ અનુસાર શ્રાવકોએ જ આ માટે સક્રિય બનવાની જરૂર છે.
યુવાનોને સમજાવી શકે એવો સાધુવર્ગ તૈયાર કરવો.
• યુવાનોને માનવતાની પ્રવૃત્તિ ગમે છે તો અનાથઆશ્રમ, બાળગૃહ, પાંજરાપોળ વગેરેની મુલાકાતો લેવી. .
જૈન ધર્મના સિદ્ધાંત પ્રમાણેના આનંદ બજારના પ્રોગ્રામો યોજવા.
• યુવાનો સમજે એવા ભાષાપ્રયોગ કરવા, અંગ્રેજીમાં પ્રવચનો યોજવા વગેરે. ' '
' • વ્યાખ્યાનાદિમાં યુવાનોને આગળ બેસાડી આંખોના સંપર્કથી જ્ઞાન પીરસવું.
* ધનવાનો માટે નહિ પણ યુવાનો માટે આગળની જગ્યા રિઝર્વ રાખવી. આ સિવાય યોગ્ય લાગે એ પ્રયોગ કરવાથી યુવાનો જરૂર ધર્માભિમુખ થશે. (૪) સત્સંગ: આજનો કેટલોક વર્ગ આર્થિક-બૌદ્ધિક વિકાસાર્થે વિદેશમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org