Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
SOCSC જ્ઞાનધારા 100 શાજાપુર (મધ્યપ્રદેશ) ૦૭૩૬૪ ૨૨૨૨૧૮)ને આ વિષયમાં પ્રકાશ પાથરવા અમે વિનંતી કરી. તેઓશ્રીએ પણ વિશાળ શ્રોતાવર્ગને કહ્યું કે ક્ષમાપના જેનો ધર્મ છે અને અનેકાંતવાદ જે ધર્મનું તત્ત્વ છે એવા જૈનો સંવત્સરીની તિથિ માટે એકમત ન થાય એ ખરેખર શરમજનક છે. આ સંદર્ભે શાસ્ત્રોના અનુસંધાન પ્રગટ કરતાં તેઓશ્રીએ કહ્યું કે, આગમમાં અષાઢ પૂર્ણિમાને વર્ષાન્ત કહ્યું છે, એટલે આ સંવત્સરી. જૈન મુનિઓની સંખ્યા વધતી ગઈ (અત્યારે તપાગચ્છમાં લગભગ એકસોથી વધુ આચાર્યો હશે) એટલે નિશિથ સૂત્ર પ્રમાણે શ્રાવણ વદી પાંચમથી ભાદરવા સુદ પાંચમ પહેલાં સંવત્સરી હોવી જોઈએ. આ ઉત્સર્ગ માર્ગ છે. પછી ભાદરવા સુદ ચોથ પણ થઈ; આ અપવાદ માર્ગ છે. આ ઉત્સર્ગ માર્ગને છોડીને જૈનોના વિવિધ સંપ્રદાય અપવાદ માર્ગ સ્વીકારી પોતાના મત અને મતાગ્રહ પ્રમાણે અન્યથી જુદા દેખાડવા પોતાના સ્વમત મુજબ સંવત્સરીની તિથિ નક્કી કરી, આમાં દેશકાલ પરિસ્થિતિને પણ ધ્યાનમાં લેવાઈ, જેમ કે વર્તમાનમાં તો પરદેશમાં તારીખ અને કામની અનુકૂળતા પ્રમાણે સંવત્સરી યોજાય છે. ઉપરાંત ભૌગોલિક કારણે પણ દિવસ અને સમયમાં ફેરફાર થાય છે. અહીં ભારતમાં જે દિવસે ભાદરવા ચોથ હોય, એ સમયે એ દિવસ ત્યાંન હોય. તો કઈ સંવત્સરી સમજવી ? અને અધિક માસ તો આપણે હિંદુ પંચાંગ પ્રમાણે સ્વીકારી લીધો. સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ પ્રમાણે જૈનોમાં બે પોષ અને બે અષાઢ જ છે.
(૩) એટલે જૈનોના બધા સંપ્રદાયો પોતાનો મતાગ્રહ ત્યાગી બધા સાથે બેસે તો શાસ્ત્રસિદ્ધાંતની અવગણના કર્યા વગર, ખુલ્લા હૃદયે ચર્ચા કરે તો એક જ દિવસની સંવત્સરી અશક્ય નથી, એમાં શાસ્ત્રોની કોઈ આશાતના થતી નથી. જો એમ જ હોત તો એક હજાર વર્ષ પહેલાં કાલિકસૂરિએ એ સમયે પાંચમની ચોથનો નિર્ણય પ્રસ્તુત કર્યો ન હોત અને અન્યોએ એ સ્વીકાર્યો પણ ન હોત.
એટલે અમારી સર્વ જૈન સંઘપતિઓને વિનંતી છે કે, વર્તમાન અને ભવિષ્યની પેઢીને જૈન ધર્મમાં શ્રદ્ધા વધે, મનમાંથી પોતે કયો જૈને છે એની શંકા દૂર થાય એ માટે એક મંચ પર એકત્રિત થઈ સ્વ મતાગ્રહનું વિગલન કરી ખુલ્લા હૃદયે, જૈન ધર્મના ઊજળા ભાવિ માટે ચર્ચા કરી સમગ્ર જૈન સંઘ માટે એક સંવત્સરીના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org