Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ચતુર્વિધ સંઘમાં
લંડનસ્થિત હર્ષદભાઈ વીતરાગમાર્ગની વર્તમાન
ઇન્સ્ટિટ્યૂટ ઑફ
નોલૉજી લંડનના સમયની સમસ્યાઓ, ભાવ
વાઈસ ચેરમેન છે.'
વિદેશોમાં યુવાનોને જેના પરિણામો અને સમાધાન | ધર્મ શીખવે છે. કેટલોગ
પ્રોજેક્ટ જેન પીડિચામાં # હર્ષદભાઈ સંઘરાજકા (લંડન)
સંકળાયેલા છે. ૧. યુવાનોને ધર્માભિમુખ કરવાની સમ્યફ દિશા:
જૈન ધર્મનું પાલન કરવું અતિકઠિન છે, એવી સાધારણ છાપ સમાજમાં છે. ખાસ કરીને ઉપવાસ, આયંબિલ વગેરે અનશનનાં અનુષ્ઠાનોને જ તપ માનવામાં આવે છે અને આજની જીવનપદ્ધતિમાં યુવા વર્ગ આ તપને કરવામાં કાયર છે. - બાર પ્રકારનાં તપ કે જેમાં અનશનથી પણ વિશેષ તપ જે સહેલાઈથી કરી શકાય તેમ જ બાહ્ય તપથી સ્વાથ્યને થતો લાભ તેમ જ અત્યંતર તપ દ્વારા જીવનની ગુણવત્તા - "Quality of life" સુધારી શકાય તેવું જ્ઞાન આપવાની, જરૂર છે.
કોઈ પણ પ્રકારનું દબાણ કરવાથી યુવા વર્ગ ધર્મથી દૂર થઈ જશે અને એ દષ્ટિથી સાધુ ભગવંતોએ પણ ઉપાશ્રયમાં આવતા યુવાનોને પ્રત્યાખ્યાન લેવા માટે શરમાવવા ન જોઈએ. - ભારતમાં થોડા અંશે, પરંતુ પરદેશમાં અતિવિશેષ ભાષાનો પ્રશ્ન વિચાર માગી છે. પ્રાકૃત, સંસ્કૃત તો બાજુએ, આજે ગુજરાતી સમજવાની પણ મુશ્કેલી છે. આ ધ્યાનમાં રાખી જૈન ધર્મનું જ્ઞાન સાદી ભાષામાં અને યુવાનો સમજે એવી ભાષામાં, દા.ત. અંગ્રેજીમાં – અને તર્ક સહિત આપવાનો પ્રયાસ કરવો જોઈએ.
મૂર્તિપૂજક સંઘોમાં પૂજા વગેરે અનુષ્ઠાનો બહુ જ લાંબાં હોય છે અને યુવા પેઢી ૩-૪ કલાક માટે તેમાં હાજરી આપવા રાજી ન થાય તે સ્વાભાવિક છે. ઉપરાંત આમાં પણ ભાષા-સમજણનો પ્રશ્ન છે, તો આ બાબતે વિચારવિમર્શ
અને ૧૨૯ ૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org