Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
અશુદ્ધદાન અપાય તો તેથી નિર્જરાસ્વરૂપ ફળની પ્રાપ્તિ થતી નથી. આ રીતે સંયતાત્માને અશુદ્ધદાન આપવાથી કાલાદિ કારણની અપેક્ષાએ અને કાલાદિ કારણના અભાવની અપેક્ષાએ નિર્જરા સ્વરૂપ ફળની પ્રાપ્તિ અને તેનો અભાવ હોવાથી બીજા ભાંગામાં ફળને આશ્રયીને વિકલ્પાત્મક ભજના છે.
અસંયતને શુદ્ધદાન આપવા સ્વરૂપ ત્રીજો ભાંગો અને અસંયતને અશુદ્ધદાન આપવા સ્વરૂપ ચોથો ભાંગો - આ બંને ભાંગા તો અનિષ્ટ ફળને જ આપનારા છે; કારણ કે અસંયતને શુદ્ધ કે અશુદ્ધ દાન આપવાથી એકાંતે કર્મબંધ થાય છે – એમ મનાય છે. I૧-૨૧|| સુપાત્રદાનના પ્રથમ ભાંગાની શુદ્ધિ જણાવાય છે–
शुद्धं दत्त्वा सुपात्राय सानुबन्धशुभार्जनात् ।
सानुबन्धं न बध्नाति पापं बद्धं च मुञ्चति ॥१-२२॥ शुद्धमिति-सुपात्राय प्रतिहतप्रत्याख्यातपापकर्मणे शुद्धमन्नादिकं दत्वा सानुबन्धस्य पुण्यानुबन्धिनः शुभस्य पुण्यस्यार्जनात् सानुबन्धमनुबन्धसहितं पापं न बध्नाति । बद्धं च पूर्वं पापं मुञ्चति त्यजति । इत्थं च पापनिवृत्तौ प्रयाणभङ्गाप्रयोजकपुण्येन मोक्षसौलभ्यमावेदितं भवति ।।१-२२।।
સુપાત્રને શુદ્ધદાન આપ્યા પછી અનુબંધસહિત શુભપુણ્યનું ઉપાર્જન થતું હોવાથી અનુબંધસહિત પાપનો બંધ થતો નથી અને પૂર્વે બંધાયેલાં પાપથી મુક્ત થવાય છે.” - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. આશય ખૂબ જ સ્પષ્ટ છે કે – જેઓએ ભૂતકાળમાં કરેલાં પાપ કર્મની આલોચનાદિ દ્વારા તેનો ક્ષય કર્યો છે અને ભવિષ્યમાં તે પાપકર્મ નહિ કરવાની પ્રતિજ્ઞા કરી છે એવા સંયતાત્માને શુદ્ધ અન્ન, વસ્ત્ર વગેરે આપવાથી સાનુબંધ-પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન થાય છે. તેથી પાપાનુબંધી પાપનો બંધ દાતાને થતો નથી; અને સુપાત્રદાનને કરનારો પૂર્વે બંધાયેલાં પાપથી મુક્ત બને છે. આ રીતે ક્રમે કરી છે તે પાપની નિવૃત્તિ થયે છતે મોક્ષમાર્ગ તરફના પ્રયાણનો ભંગ કરનાર પુણ્ય ન હોવાથી મોક્ષની પ્રાપ્તિ સુલભ બને છે. કારણ કે અહીં જે પુણ્ય છે તે મોક્ષ તરફના પ્રયાણનો ભંગ કરનારું નથી. II૧-૨રા. સંયતોને અશુદ્ધ વસ્તુનું દાન આપવાસ્વરૂપબીજા ભાંગામાં ફળની વૈકલ્પિકતા જણાવાયછે–
भवेत् पात्रविशेषे वा कारणे वा तथाविधे । अशुद्धस्याऽपि दानं हि द्वयोर्लाभाय नान्यथा ॥१-२३॥
भवेदिति-पात्रविशेषे वा आगमाभिहितस्वरूपक्षपकादिरूपे, कारणे वा तथाविधे दुर्भिक्षदीर्घाध्वग्लानत्वादिरूपे आगाढे । अशुद्धस्यापि दानं हि सुपात्राय द्वयोर्दातृग्रहीत्रोर्लाभाय भवेद्, दातुर्विवेकशुद्धान्तःकरणत्वाद्, ग्रहीतुश्च गीतार्थादिपदवत्त्वात् । नान्यथा पात्रविशेषस्य कारणविशेषस्य वा विरहे ।।१-२३॥
દાન બત્રીશી