Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
दोषत्वमावरणत्वं च निःशेषक्षीयमाणवृत्ति देशतःक्षीयमाणवृत्तिजातित्वात् स्वर्णमलत्ववदित्यत्र तात्पर्यम् I૪-૨I/
જેમ મલક્ષયના હેતુથી સુવર્ણાદિના બાહ્ય અને આત્યંતર મલનો ક્ષય થાય છે તેમ રાગાદિ દોષો અને જ્ઞાનાવરણીયાદિ કર્મસ્વરૂપ આવરણોની હાનિ કોઈ સ્થાને સર્વથા થાય છે, કારણ કે તેમાં તરતમતા છે - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે રાગાદિ દોષો અને કર્મસ્વરૂપ આવરણ : એ બંન્નેની હાનિ(ક્ષય-હૂાસ)માં દરેક જીવને આશ્રયીને તરતમતા (ઓછી-વધારે) દેખાય છે તેથી તે બંન્નેની હાનિ કોઈ આત્મામાં સર્વથા હોય છે. તેમાં સુવર્ણના મલને દષ્ટાંત તરીકે સમજવું. જેમ સુવર્ણમાં કોઇનામાં ઓછો; કોઇનામાં વધારે મલ હોવાથી મલની હાનિ તરતમતાવાળી જણાય છે અને તેથી તે મલની હાનિ કોઈ સ્થાને સર્વથા થાય છે તેમ જીવમાં કોઈનામાં રાગાદિ દોષો અને કર્મસ્વરૂપ આવરણ ઓછા-વધતા પ્રમાણમાં હોવાથી તેની હાનિ તરતમતાવાળી છે. તેથી કોઈ જીવમાં એ હાનિ સર્વથા થાય છે ત્યારે એ જીવમાં ધ્વસ્તદોષત્વ મનાય છે અને તે ધ્વસ્તદોષ આત્મા મહાન મનાય છે.
અહીં નૈયાયિકોની દષ્ટિએ અનુમાનનું સ્વરૂપ જણાવીને તેના નિરાકરણ માટે ઇત્યાદિ ગ્રંથ છે. એનો આશય એ છે કે; તોષાવરી,
નિષદનિપ્રતિયોજિની, તારતમ્યવનિપ્રતિયોતાત્ - આ અનુમાનમાં દોષાવરણ પક્ષ છે. નિઃશેષહાનિ-પ્રતિયોગિત્વ સાધ્ય છે અને તારતમ્યવદૂહાનિ-પ્રતિયોગિત્વ હેતુ છે. જેની હાનિ થાય છે તે હાનિના પ્રતિયોગી છે અને તેમાં (પ્રતિયોગીમાં) પ્રતિયોગિત્વ છે. ઉપર જણાવેલા અનુમાનમાં છબસ્થના દોષાવરણને પક્ષ માનીએ તો ત્યાં નિઃશેષહાનિનું પ્રતિયોગિત્ય સ્વરૂપ સાધ્ય ન હોવાથી બાધ આવે છે. શ્રી વીતરાગપરમાત્માના દોષાવરણને પક્ષ માનીએ તો ત્યાં તારતમ્યવદૂહાનિનું પ્રતિયોગિત્ય સ્વરૂપ હેતુ ન હોવાથી સ્વરૂપાસિદ્ધિ આવે છે. તેમ જ વીતરાગ પરમાત્મામાં દોષાવરણ ન હોવાથી પક્ષાપ્રસિદ્ધિ દોષ આવે છે.
ક્વચિત્ હેતુ અને સાધ્યનું અસ્તિત્વ હોવાથી ઉપર જણાવ્યા મુજબ બાધ અને અસિદ્ધિ ન આવે પરંતુ સાધ્યના આશ્રય તરીકે કોઈને પણ નિશ્ચિત કર્યા વિના સાધ્યનું આપાદન કરવાથી દિગ્નાગના મતમાં પ્રવેશ થતો નથી એમ બનતું નથી. અર્થાત્ દિગ્ગાગના મતમાં પ્રવેશ થવાથી સ્વસિદ્ધાંતની હાનિ થાય છે. ક્ષણિકવાદી(બૌદ્ધો)ને પ્રતિક્ષણ સર્વ વસ્તુની ભિન્નતા હોવાથી સંતાનની અપેક્ષાએ જ ઐક્ય પ્રસિદ્ધ છે. જ્યારે નૈયાયિકાદિને તો સર્વત્ર ક્ષણિકતા અભિપ્રેત ન હોવાથી સાધ્યાશ્રયનો નિર્ણય કરીને જ પરને માટે સાધ્યને સિદ્ધ કરવાની આવશ્યકતા છે, જે રવિ પદના ગ્રહણથી શક્ય બનતું નથી. દિગ્નાગમતમાં પ્રવેશ ન થાય એ માટે વિદ્ પદનું ગ્રહણ ન કરીએ તો ઉપર જણાવ્યા મુજબ બાધ અને અસિદ્ધિ દોષો છે જ – એ સમજી શકાય છે. “ન સરિ.... હિનામતપ્રવેશ:' - આ ગ્રંથનું તાત્પર્ય મને જે રીતે સમજાયું તે રીતે
૧૩૬
જિનમહત્ત્વ બત્રીશી