Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ચારનું નિરૂપણ કર્યું છે. ભક્ષ્યાભઢ્યના વિવેકમાં પેયાપેયનો વિવેક પણ પ્રસંગથી સત્તરમા
શ્લોકમાં દર્શાવ્યો છે. સામાન્યથી નિરૂપણીય વિષયનો નિર્દેશ આ પ્રથમ શ્લોકથી કર્યો છે. શાસ્ત્રીય પરિભાષામાં આ શ્લોક હાર-પરામર્શ છે. આ શ્લોકમાં વર્ણવેલા ચાર દ્વારથી અહીં ધર્મવ્યવસ્થાનું નિરૂપણ છે. ll૭-૧ ઉપર જણાવેલા ચારમાં પ્રથમ ભક્યાભઢ્યના વિવેકને જણાવાય છે–
भक्ष्यं मांसमपि प्राह कश्चित् प्राण्यङ्गभावतः ।
કોરનાવિવવિત્યેવમનુમાનપુરમ્ II૭-૨ll भक्ष्यमिति-मांसादिकमभक्ष्यम्, ओदनादिकं च भक्ष्यमिति सकलशिष्टजनप्रसिद्धा व्यवस्था । तत्र कश्चित्सौगतो “मांसमपि भक्ष्यं, प्राण्यङ्गभावतः प्राण्यङ्गत्वाद्, न चायमसिद्धो हेतुः, मांसस्य प्राण्यङ्गतायाः प्रत्यक्षसिद्धत्वाद्, ओदनादिवत् । न चात्र दृष्टान्ते हेतुवैकल्यम्, ओदनस्यैकेन्द्रियप्राण्यङ्गत्वेन प्रतीतत्वाद' इत्येवमनुमानपुरःसरं प्राह ।।७-२।।
કોક (બૌદ્ધ) કહે છે કે પ્રાણીનું અંગ હોવાથી માંસ પણ ભક્ષ્ય છે. ભાત વગેરેની જેમ. આવા અનુમાનને આગળ કરીને માંસને પણ બૌદ્ધ ભક્ષ્ય તરીકે જણાવે છે.” - આ પ્રમાણે બીજા
શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સામાન્ય રીતે માંસ વગેરે અભક્ષ્ય છે અને ઓદન (ભાત) વગેરે ભક્ષ્ય છે. આવી વ્યવસ્થા સકલ શિષ્ટજન-પ્રસિદ્ધ છે.
આવી વ્યવસ્થામાં કો'ક-બૌદ્ધ કહે છે કે માંસમજ મહ્યં પ્રથકા - આ અનુમાનથી માંસમાં ભક્ષ્યત્વ સિદ્ધ થાય છે. આ અનુમાનનો પ્રાટ્યગત્વ હેતુ અસિદ્ધ નથી. કારણ કે માંસમાં પ્રાäગત્વ પ્રત્યક્ષસિદ્ધ છે. ઓદનાદિ જેમ ભક્ષ્ય છે તેમ માંસ પણ પ્રાણીનું અંગ હોવાથી ભક્ષ્ય છે. “ઓદનાદિ પ્રાણીના અંગ ન હોવાથી તે દાંતમાં હેતુ નથી આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે ઓદનાદિ એકેન્દ્રિયપ્રાણી(વનસ્પતિકાય)ના અંગ તરીકે પ્રતીત છે. આથી સમજી શકાશે કે “માંસમીપ મā પ્રથા શોરનાવિવ” (માંસ પણ ભર્યા છે, પ્રાણીનું અંગ હોવાથી. જે જે પ્રાણીનું અંગ છે તે તે ભક્ષ્ય છે, ભાત વગેરેની જેમ) - આ અનુમાનને આગળ કરીને તે બૌદ્ધ માંસને ભક્ષ્ય કહે છે. II૭-રા એ અનુમાનમાં દોષ જણાવીને તેનું નિરાકરણ કરાય છે
स्वतन्त्रसाधनत्वेऽदोऽयुक्तं दृष्टान्तदोषतः ।
प्रसङ्गसाधनत्वेऽपि बाधकत्वाद् व्यवस्थितेः ॥७-३॥ स्वतन्त्रेति-अदः सौगतोक्तमेतदनुमानं । स्वतन्त्रसाधनत्वे दृष्टान्तदोषतो दृष्टान्तस्य साधनवैकल्यादयुक्तं, वनस्पत्यायेकेन्द्रियाणां बौद्धस्य प्राणित्वेनासिद्धत्वात् । प्रसङ्गसाधनत्वेऽपि विकल्पसिद्ध
એક પરિશીલન
૨૪૫