Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
परिहारापेक्षया जघन्यमापवादिकी बूते । तदुक्तं-“वेदं ह्यधीत्य स्नायाद्यदधीत्यैवेति शासितम् । सायादेवेति ન તુ યત્તતો હીનો પૃહાશ્રમ: II9ll તત્ર વૈતતિ” |-૨ા.
“વેદનું અધ્યયન કર્યા પછી સ્નાન કરવું જોઇએ - આ અર્થને જણાવનારા વેવં સધીત્વ નાયા આ પાઠમાં તેના વ્યાખ્યાતાઓએ જ કારણથી પીત્યસંગત વિકારનો અધ્યાહાર કર્યો છે. તેથી તે; ગૃહસ્થાવસ્થાની હીનતાને જણાવે છે.' - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે “રેવં વીત્ય નાણા અર્થાત્ ઋગુ વગેરે વેદનું અધ્યયન કરીને પત્નીના સંગ્રહ માટે સ્નાન કરવું જોઇએ - આ પ્રમાણે પાઠ છે. એ પાઠના વ્યાખ્યાતાઓએ સવીત્યા પછી વ પદનો અધ્યાહાર કરીને એ જણાવ્યું છે કે વેદનું અધ્યયન કર્યા પછી જ પત્નીના સંગ્રહ માટે સ્નાન કરવું જોઇએ. વેદાધ્યયન કર્યા પછી સ્નાન કરવું જ પત્નીનો સંગ્રહ કરવો જ) જોઈએ આવા અર્થને જણાવનાર વનો અધ્યાહાર નાયા આ પદ પછી કર્યો નથી. પત્નીનો સંગ્રહ કરવો હોય તો તે વેદાધ્યયન પછી જ કરવો, વેદાધ્યયન પૂર્વે નહિ. આવો અર્થ તેઓએ જણાવ્યો છે. તેથી વેદનું અધ્યયન કર્યા પછી પત્નીના સંગ્રહ માટે સ્નાન કરવું જ જોઈએ એવો અર્થ થતો નથી.
એથી સમજી શકાશે કે પત્નીના સંગ્રહ સ્વરૂપ ગૃહસ્થતાને; ઉત્સર્ગથી સર્વથા મૈથુનના પરિહારની અપેક્ષાએ આપવાદિક-જઘન્ય(હીન) જણાવાય છે. આ વાતને અનુલક્ષીને શ્રી અષ્ટકપ્રકરણમાં જણાવ્યું છે કે “વેદં સીત્ય સ્નાયા આ પદની વ્યાખ્યા કરતી વખતે અધ્યયન કરીને જ સ્નાન કરવું એમ જણાવ્યું છે. અધ્યયન કરીને સ્નાન કરવું જ એવો અર્થ જણાવ્યો નથી. તેથી ગૃહસ્થાશ્રમ(પત્નીનો સંગ્રહ કરવા સ્વરૂપ ગૃહસ્થતા) હીન છે. આ ગૃહસ્થાવસ્થામાં મૈથુન છે, તેથી તે પણ હીન છે.” - એ સમજી શકાય છે. I૭-૨૧ાા દીન-ગૃહસ્થાશ્રમમાં મૈથુન છે : આમ કહેવાના આશયને જણાવાય છે–
अदोषकीर्तनादस्य प्रशंसा तदसङ्गता ।
विध्युक्तेरिष्टसंसिद्ध बहुलोकप्रवृत्तितः ॥७-२२॥ अदोषेति-तत्तस्माद् । अस्य मैथुनस्य । अदोषकीर्तनाद् दोषाभावप्रतिपादनात् । “न च मैथुन" इति वचनेन प्रशंसाऽसङ्गताऽन्याय्या । विध्युक्तेराप्तत्वाभिमतकृतप्रशंसया विध्युन्नयनाद् । इष्टसंसिद्धेरिष्टसाधनत्वनिश्चयात् । परलोकभयनिवृत्तेर्बहूनां लोकानां तत्र प्रवृत्तितः ।।७-२२।।
હીન એવા ગૃહસ્થપણામાં મૈથુન હોવાથી તેમાં દોષ નથી એવું કહેવાના કારણે થતી મૈથુનની પ્રશંસા સંગત નથી. કારણ કે આ રીતે થતી પ્રશંસાના કારણે તેના વિધિનું જ્ઞાન થવાથી ઈષ્ટસાધનતાના જ્ઞાનને લઈને તેમાં (મૈથુનમાં) ઘણા લોકોની પ્રવૃત્તિ થાય છે. - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે.
૨૬૬
ધર્મવ્યવસ્થા બત્રીશી